નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મતદાન પછી હવે સૌની નજર ચૂંટણી પરિણામો પર છે. મોટા ભાગના એક્ઝિટ પોલ BJP ગઠબંધન (NDA)ને 350થી વધુ સીટો આપી રહ્યા છે. ભાજપને 300 કરતાં વધુ અને કોંગ્રેસને 64 સીટો જીતવાનો અંદાજ છે.
ફલોદી સટ્ટાબજારમાં ભાજપને 303-305 સીટો, NDAને 350-355 સીટો મળવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ભાજપને 26 બેઠકો, કર્ણાટકમાં 20-22 સીટો અને રાજસ્થાનમાં 19-20 સીટ ભાજપને મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 5-6 સીટો આવવાની સંભાવના છે.
ફલોદી સટ્ટાબજારમાં મધ્ય પ્રદેશમાં 25-27 સીટો, હરિયાણામાં 5-6 સીટો, ઓડિશામાં 11-12 સીટો, હિમાચલ અને ઉત્તરાખંડમાં બધી સીટો, ઝારખંડ અને છત્તીસગઢમાં 10-11 સીટો અને દિલ્હીમાં 5-6 સીટો મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ગઠબંધનને 7-75 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને 5-10 સીટો મળવાની શક્યતા છે.
PM મોદીની હારજીત પર સૌથી મોટો દાવ
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી UPની વારાણસી સીટથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હેટટ્રિક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિમામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. 300 કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડા પ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્યા છે. વડા પ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. 2000ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. 3.50 લાખ મળશે.
રસપ્રદ વાત એ છે કે PM મોદીની જીત-હારથી વધુ તેમના માર્જિન પર દાવ લગાવવામાં આવ્યો છે. જો મોદી રૂ. બે લાખના અંતરથી જીતે તો સટ્ટામાં રૂ. એક લાખથી રૂ. 1.50 લાખ મળશે. જો તેઓ ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતે તો પૈસા બે ગણા થઈ જશે.
મોદીની જીતનું માર્જિન 2019માં 4.79 લાખ (મત) હતા, જ્યારે 2014માં એ 3.71 લાખ હતા.
ફલોદી સટ્ટા બજારથી વિપરીત મુંબઈ સટ્ટાબજારમાં દેશમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 300થી વધુ સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફલોદી સટ્ટાબજારમાં NDAને સ્પષ્ટ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day)આજે એટલે કે 3જી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું કારણ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.
વિશ્વ સાયકલ દિવસ
તમને જણાવી દઈએ કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ડૉક્ટરો અને નિષ્ણાતો પણ સાઈકલ ચલાવવાની સલાહ આપે છે. કારણ કે નિયમિત રીતે સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે સારી છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 3 જૂન 2018ના રોજ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.
ક્યારે શરૂ થયું
નોંધનીય છે કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સત્તાવાર રીતે 3 જૂન, 2018 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ અને ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીની શરૂઆતથી જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
સાયકલ કેપિટલ
નેધરલેન્ડને વિશ્વની સાયકલ રાજધાની પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંની વસ્તી માત્ર 170 લાખ છે, પરંતુ અહીં સાયકલની સંખ્યા 2 કરોડથી વધુ છે.
શા માટે શરૂ થયું?
વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો હેતુ માત્ર આરોગ્ય અને પર્યાવરણ વિશે વિશ્વને જાગૃત કરવાનો હતો. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ દ્વારા વિશ્વભરના દેશોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમોમાં સાયકલનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ ઉપરાંત રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રમોટ કરવાની હતી.
સાયકલ ચલાવવાના ફાયદા
કેલરી બર્ન કરવા માટે સાયકલ ચલાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમને સ્નાયુઓ બનાવવામાં, વજન ઘટાડવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ કરે છે.
આ સિવાય જો તમે નિયમિત રીતે સાઈકલ ચલાવો છો, તો તમારું શરીર વધુ લચીલું બને છે.
નિયમિત સાયકલ ચલાવવાથી તમારા શરીરના ઉપરના ભાગની મુદ્રામાં સુધારો થાય છે. તે તમારા શરીરના ઉપરના ભાગમાં સંકલન અને શક્તિ પણ વધારે છે.
સાયકલ ચલાવવાથી શરીરની ફિટનેસ સારી રહે છે અને શરીરનું વજન વધતું નથી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,962 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,676 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સપ્તાહ દરમિયાન જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે. તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે. તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરો તો સારું ફળ મળી શકે છે. લગ્ન માટેની વાતચીત ક્યાંય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે. બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે, આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.
સપ્તાહ દરમિયાન નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે. ક્યાંકથી આકસ્મિક નાણાંકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે. તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
સપ્તાહ દરમિયાન તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય. તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનું ધ્યાન રાખવું. લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
સપ્તાહ દરમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો. પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે. ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે.
સપ્તાહ દરમિયાન તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી. બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો. કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાંકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે. તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોંધ પણ લેવાય. કોઈ જુની વાતકે કામ ક્યાંય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છો તો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વક વર્તવું યોગ્ય છે.
સપ્તાહ દરમિયાન તમારા મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે. આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપર જ રહેલી છે.
સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે. ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સપ્તાહ દરમિયાન કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે. તમારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો. બજારના કામકાજમાં સારી વાત બની શકે છે. નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય.
સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં ઉશ્કેરાઈ જવાય. ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે. બજારમાં કામકાજમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામ પર પડી શકે છે.
સપ્તાહ દરમિયાન નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય. લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંય લાભ થાય તેવું પણ સંભવિત છે.
સપ્તાહ દરમિયાન કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે. કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે. મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે. આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
પ્રશ્ન: જ્યારે આપણે સપનું જોતા હોઈએ ત્યારે તે કેટલું વાસ્તવિક લાગે છે. પણ મને ખબર છે કે તે એક ભ્રમ છે. મારું જીવન પણ શું એવું જ છે ? આ જીવન કેટલું વાસ્તવિક છે?
સદ્ગુરુ: આમા સમસ્યા એ છે કે તમે અહીં તહીંથી અધકચરું ઝેન વાંચ્યું છે. અધકચરું ઝેન ખતરનાક બાબત છે. કોઇ પણ બાબતનું અધુરૂં જ્ઞાન જોખમી છે. તમે જે કંઇ કહી રહ્યા છો તે એક અર્થમાં સાચું છે કારણ કે તમારું ૯૯ ટકા જીવન માત્ર વિચારો અને લાગણીઓ છે. વિચારો અને લાગણીઓ માત્ર જીવનના પ્રક્ષેપણ છે, તે જીવન નથી.
તમે અત્યારે ઝેનમાં રસ ધરાવો છો તો તમારે ચાંગ ત્સૂ વિશે જાણવું જોઈએ. તેઓ એક મહાન ઝેન ગુરૂ હતા અને તેમના આશ્રમમાં ઘણા સાધકો રહેતા હતા. એક દિવસે સવારે તેઓ અચાનક અત્યંત દુઃખી થઇ ગયા. પોતાના ગુરૂને દુઃખી અવસ્થામાં જોઇને બધા સાધકો ગભરાઈ ગયા. જો ગુરૂ દુઃખી છે તો ચોક્કસ કંઇક અત્યંત અજુગતુ બન્યું હોવું જોઇએ. કારણ કે તેઓ હંમેશા આનંદિત અને ખુશ રહેતા. તેથી સૌથી વરિષ્ઠ સાધકોએ ધીરેથી તેમની પાસે જઇને પૂછ્યું, “ગુરુજી, શું થઇ રહ્યું છે?”
ચાંગ ત્સૂએ કહ્યું, “મને પરેશાન કરશો નહીં, હું ખુબ દુખી છું. અહીંથી ચાલ્યા જાવ!” સાધકોએ કહ્યું, “જો તમે દુઃખી છો તો તે તો અમારા માટે મૃત્યુ સમાન હશે.. મહેરબાની કરીને અમને જણાવો કે શેના લીધે તમે દુઃખી છો?” ચાંગ ત્સૂએ કહ્યું, “ઓહ, ગઇકાલે રાત્રે મને સપનું આવ્યું જેમાં હું એક પતંગિયું હતો.” સાધકોએ કહ્યું,“પતંગિયામાં શું સમસ્યા છે? અમે ઘણી વખત ડુક્કર, પક્ષી અને અલગ અલગ ચીજો રહ્યા છીએ. તેમાં કોઈ સમસ્યા નથી. પતંગિયું તો ઘણી સારી વસ્તુ છે. તેમાં શું વાંધો છે?”
ચાંગ ત્સૂએ કહ્યું, “મુર્ખાઓ તમે સમજતા નથી. જ્યારે હું પતંગિયુ હતો ત્યારે હું ઉડતો હતો અને એક ફુલ પર જઈને બેઠો. હું ફુલનો અનુભવ કરી શકતો હતો તેની સુગંધ માણી શકતો હતો. તેનો સ્વાદ પણ હું માણી શકતો હતો. એક પતંગિયા તરીકે મારું જીવન મારા માટે ખરૂં અને વાસ્તવિક હતું. પણ આજે સવાર ઉઠ્યો તો મેં જોયું કે હું તો ચાંગ ત્સૂ છું. અને ચાંગ ત્સૂ તરીકે મારું જીવન પણ એકદમ સાચું અને વાસ્તવિક છે. હવે મને એ ખબર નથી પડતી કે ગઈકાલે રાત્રે ચાંગ ત્સૂ પતંગિયું હોવાનો સ્વપ્ન જોતો હતો કે અત્યારે પતંગિયું ચાંગ ત્સૂ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. આમાંથી સાચું શું છે એ મને સમજાતું નથી. કારણ કે બન્ને એકદમ વાસ્તવિક અને જીવંત લાગે છે.”
તમે જ્યારે માત્ર વિચારોમાં જીવો ત્યારે આવું જ થાય છે. આ પદ્ધતિથી તેઓ તેમના સાધકોને તેમની જડ આધ્યાત્મિકતામાંથી જગાડવા માંગતા હતા કારણ કે લોકો પુસ્તકો અને સૂત્રો વાંચીને એવું માનવા લાગે છે કે તેઓ જે વાંચે અને વિચારે છે તે આધ્યાત્મિકતા છે. ચાંગ ત્સૂ તેમના માનસિક માળખાને તોડવા માંગતા હતા જેથી તેઓ વાસ્તવિક બને. જો તમે જીવનને અનુભવી રહ્યા હોવ – વિચારો અથવા લાગણીઓને નહિ, તો આ પ્રકારના સવાલો ઉભા નહિ થાય. પરંતુ જ્યારે મોટાભાગનું તમારું જીવન માત્ર લાગણીઓ અને વિચારોમાં જ હોય ત્યારે તે સાચું છે, તે એક સ્વપ્ન જેવું જ છે. તે માત્ર વધુ એક પ્રક્ષેપણ જ છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
મધ્યપ્રદેશના રાજગઢમાં એક મોટો અકસ્માત થયો, જ્યાં લગ્નના મહેમાનોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત રાજગઢના પીપલોડી ગામ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ટ્રોલી રાજસ્થાનથી રાજગઢ આવી રહી હતી. ભરચક લગ્ન સરઘસની ટ્રોલી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ કલેક્ટર સહિત પોલીસ પ્રશાસન સ્થળ પર હાજર છે. 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત થતાની સાથે જ ટ્રોલી પલટી ગઈ, ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા. વહીવટીતંત્ર અને હાજર લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા. કેટલાક લોકોની હાલત હજુ પણ નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે.
મુંબઈ: મેગાસ્ટાર રજનીકાંત તીર્થયાત્રા પર ઉત્તરાખંડમાં હતાં. તેમણે બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાત લીધી હતી અને તે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતાં. તમિલ ફિલ્મ એક્ટર અરુણ વિજયે રજનીકાંતની કેદારનાથ પહોંચવાની તસવીર શેર કરી હતી.
એક તસવીરમાં સફેદ ધોતી અને કુર્તામાં સજ્જ, શાલ પહેરેલા અને સનગ્લાસ પહેરેલા રજનીકાંત પર્વતોની પૃષ્ઠભૂમિમાં હસતા જોવા મળે છે. એકદમ સિમ્પલ સ્ટાઈલમાં પહોંચેલા રજનીકાંત પગમાં સામાન્ય સ્લીપર પહેરેલા દેખાય છે. ઉત્તરાખંડ પોલીસ અધિકારીઓએ રજનીકાંત સાથે મુલાકાત લીધી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉત્તરાખંડ પોલીસના સત્તાવાર એકાઉન્ટમાંથી રજનીકાંતની એક તસવીર શેર કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ અધિકારી રજનીકાંતને મળે છે. તેમણે રજનીકાંતને કેદારનાથ ધામનું સ્મૃતિ ચિહ્ન પણ ભેટમાં આપ્યું હતું. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથની મુલાકાત લીધા બાદ રજનીકાંત ધન્ય અનુભવી રહ્યા છે.
श्री बदरीनाथ दर्शन को पहुँचे भारतीय फिल्म जगत के जाने-माने अभिनेता रजनीकान्त जी का देवभूमि आगमन पर स्वागत एवं अभिनंदन। दर्शन उपरान्त उन्होंने कहा कि श्री बदरीनाथ धाम के दर्शन से वह अविभूत हैं। वे भगवान से जन कल्याण और देश की सुख समृद्धि की कामना करते हैं।@rajinikanthpic.twitter.com/EJUf9PWiry
— Uttarakhand Police (@uttarakhandcops) June 1, 2024
તસવીર શેર કરતી વખતે ઉત્તરાખંડ પોલીસે પોસ્ટમાં લખ્યું, પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અભિનેતા રજનીકાંતજી બદ્રીનાથના દર્શન માટે પહોંચ્યા છે, રજમનીકાંતજીનું દેવભૂમિ પર સ્વાગત છે. દર્શન બાદ તેમણે કહ્યું કે તેઓ શ્રી બદ્રીનાથ ધામના દર્શનથી અભિભૂત થયા છે. તેઓ લોક કલ્યાણ અને દેશના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
આ પહેલા દેહરાદૂન પહોંચતા જ રજનીકાંતે ANIને કહ્યું હતું કે, ‘દર વર્ષે મને નવા અનુભવો મળતા રહે છે જેના કારણે હું મારી આધ્યાત્મિક યાત્રા વારંવાર ચાલુ રાખું છું..હું માનું છું કે આ વખતે પણનવા અનુભવો મળશે.રજનીકાંતે કહ્યું કે આવી પવિત્ર યાત્રાઓ તેમની વૃદ્ધિમાં આગળ વધે છે.રજનીકાંતે આગળ કહ્યું’આખા વિશ્વને આધ્યાત્મિકતાની ખૂબ જ જરૂર છે કારણ કે તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આધ્યાત્મિક હોવાનો અર્થ એ છે કે શાંતિ અને શાંતિની જરૂર છે. અને મૂળભૂત રીતે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો સમાવેશ થાય છે.