નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,612 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,524 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 79 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 374 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,493 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 41 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.
આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.
કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.
આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.
મુંબઈ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભાકરતીય લાઈમ લાઈટમાં રહ્યાં છે. પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ 23 મેના રોજ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોમ્પિટિશન સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 30 વર્ષ પછી એક ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનમાં બતાવવામાં આવેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે એક અદભૂત એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જ્યાં ભારતીય ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ ઇતિહાસ રચ્યો હતો. પાયલ કાપડિયાની ફિચર ફિલ્મે આ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે ‘ગ્રાન્ડ પ્રિકસ પામ ડી’ એવોર્ડ ફિલ્મ ફેસ્ટિવલનો બીજો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ફિલ્મને કાન્સમાં 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. જાણીએ કોણ છે પાયલ કાપડિયા?
કોણ છે પાયલ કાપડિયા
પાયલ કાપડિયા એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે, જેની ફીચર ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં પહોંચી હતી. ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દરેકના દિલ જીતી લીધા. પાયલની આ ફિલ્મની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’નું પ્રીમિયર થયું હતું, જેના વખાણમાં ત્યાં હાજર લોકોએ 8 મિનિટ સુધી સતત ઊભા રહીને તાળીઓ પાડી હતી. આ ફિલ્મના ઉત્કૃષ્ટ નિર્દેશનનો શ્રેય પાયલ કાપડિયાને જાય છે. અગાઉ, પાયલની ફિલ્મ ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ને 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે ‘ગોલ્ડન આઈ’ એવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મ આફ્ટરનૂન ક્લાઉડ્સ એક ભારતીય ફિલ્મ હતી જે 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી હતી. તેણે તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે.
અંગત જીવન
પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. પાયલની માતાનું નામ નલિની માલાની છે. પાયલે તેનો અભ્યાસ આંધ્ર પ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. આ પછી પાયલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેણે સોફિયા કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આ પછી પાયલ કાપડિયાએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાંથી દિગ્દર્શનનું કૌશલ્ય શીખ્યું.
‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ની વાર્તા
‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ એક ફીચર ફિલ્મ છે. તેની વાર્તા બે નર્સો (પ્રભા અને અનુ) પર આધારિત છે, જેઓ સાથે રહે છે. પ્રભાના લગ્ન નક્કી થયા હતા અને તેનો પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુના લગ્ન થયા નથી, પરંતુ તે એક છોકરાના પ્રેમમાં છે. પ્રભા અને અનુ તેમના બે મિત્રો સાથે ટ્રિપ પર જાય છે, જ્યાં તે પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે અને સ્વતંત્રતાનો અર્થ સમજે છે. કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રિધુ હારુન, છાયા કદમ અને અઝીસ નેદુમંગદ જેવા સ્ટાર્સે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી પાયલ કાપડિયાની પ્રશંસા કરી છે.
India is proud of Payal Kapadia for her historic feat of winning the Grand Prix at the 77th Cannes Film Festival for her work ‘All We Imagine as Light’. An alumnus of FTII, her remarkable talent continues to shine on the global stage, giving a glimpse of the rich creativity in… pic.twitter.com/aMJbsbmNoE
પાયલ કાપડિયાએ 2014 થી 2024 સુધી ચાર શોર્ટ ફિલ્મો બનાવી છે. તેણે ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ નામની ટૂંકી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેને 2021માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમની શોર્ટ ફિલ્મોમાં ‘એન્ડ વોટ ઈઝ ધ સમર સેઈંગ’, ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસૂન’, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ અને ‘વોટરમેલન, ફિશ એન્ડ ધ હાફ ઘોસ્ટ’નો સમાવેશ થાય છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
ચક્રવાતી તોફાન ‘રેમલ’ની અસરને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે રેમલ બંગાળની ખાડી ઉપર ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. રેમલ હવે પશ્ચિમ બંગાળમાં સાગરદ્વીપથી 160 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. રેમલ કેનિંગથી 190 કિમી દક્ષિણ અને દક્ષિણપૂર્વમાં અને બાંગ્લાદેશમાં મોંગલાથી 220 કિમી દક્ષિણે સ્થિત છે. રવિવારે રાત્રે તે બાંગ્લાદેશના ખેપુપારાના મોંગલા અને પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ સાથે ટકરાશે. તે સમયે તેની સ્પીડ 110 થી 120 કિમી પ્રતિ કલાકની હશે. અસ્થાયી રૂપે વધુ પવનની ઝડપ 135 કિમી સુધી પહોંચી શકે છે.
ચક્રવાતને જોતા બંગાળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરપોર્ટ 21 કલાક માટે બંધ રહ્યું હતું અને સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ ચક્રવાતની અસરને કારણે ઉત્તર અને દક્ષિણ 24 પરગના, કોલકાતા, પૂર્વ મિદનાપુર, હાવડા, હુગલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે.
24 પરગણા અને પૂર્વ મિદનાપુર બંનેમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 20 સેમીથી વધુ વરસાદની સંભાવના છે. પશ્ચિમ મેદિનીપુર, નાદિયા, પૂર્વ બર્દવાનમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સોમવારે નાદિયા અને મુર્શિદાબાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કોલકાતા, હાવડા, 24 પરગણા, હુગલી, બીરભૂમ, પૂર્વ બર્દવાનમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ બંગાળના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની પીળી ચેતવણી જારી કરવામાં આવી છે.
રવિવારે બંને 24 પરગણામાં વરસાદની સાથે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કોલકાતા, હાવડા, હુગલી અને પૂર્વ મિદનાપુરમાં પવનની ઝડપ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની મહત્તમ ઝડપ અસ્થાયી રૂપે 90 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.
આ સિવાય નાદિયા અને પૂર્વ બર્દવાનમાં પણ જોરદાર પવન ફૂંકાઈ શકે છે, પરંતુ તેની ઝડપ પ્રમાણમાં ઓછી હશે. તેની સ્પીડ 40 થી 50 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. સોમવારે નાદિયા અને મુર્શિદાબાદમાં પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. કોલકાતા, હાવડા, હુગલી, બીરભૂમ, પૂર્વ બર્દવાનમાં વાવાઝોડાની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.
પૂર્વ દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટવા લાગ્યો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. તે જ સમયે, હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી છે. આ દુર્ઘટના શનિવારે રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બની હતી, જેમાં ઘણા બાળકો ઘાયલ થયા હતા.
Baby care center fire
કહેવાય છે કે ભીષણ આગએ આખી ઈમારતને લપેટમાં લીધી હતી. અને રોકેટની જેમ, શેલ આકાશમાં ઉડતા હતા અને બધે ફેલાઈ રહ્યા હતા. હોસ્પિટલના માલિકની ઓળખ નવીન કીચી તરીકે થઈ છે. દિલ્હી પોલીસે તેની સામે IPCની કલમ 336 અને 304A હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ નવીન ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે દરોડા પાડ્યા હતા. આખરે રવિવારે પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી.
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે શનિવાર સાંજની ઘટના બાદ આજે રવિવારે સવારે જ હાઈકોર્ટે તેની સુઓમોટો નોંધ લીધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો નોંધ લીધી છે અને આવતીકાલે સોમવારે વધુ સુનાવણી થશે.
TRPGamezone
કોર્ટે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.
કોર્ટે કહ્યું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. અહી જણાવવાનું કે આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.