મુંબઈ: દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024માં આજે પાંચમા તબક્કામાં મતદાન યોજાયું. પાંચમા તબક્કામાં મુંબઈકરોએ ઉત્સાહભેર મતદાન કર્યુ. જુઓ તસવીરોમાં…

(દીપક ધૂરી – તસવીરો)
મુંબઈ: દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024માં આજે પાંચમા તબક્કામાં મતદાન યોજાયું. પાંચમા તબક્કામાં મુંબઈકરોએ ઉત્સાહભેર મતદાન કર્યુ. જુઓ તસવીરોમાં…

(દીપક ધૂરી – તસવીરો)
કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક પીકઅપ ખીણમાં પડી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા.જ્યારે ચાર ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ કારમાં 25 લોકો સવાર હતા. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ પર સવાર મજૂરો તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના બહુપાણી ગામ પાસે બની હતી.
સીએમ વિષ્ણુ દેવ સાંઈએ દુઃખ વ્યક્ત કર્યું
સીએમ વિષ્ણુ દેવ સાઈએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કબીરધામના બાહપાની ગામ પાસે એક પીકઅપ પલટી જવાથી 18 ગ્રામજનોના મોત અને 4 લોકોને ઈજા થવાના દુઃખદ સમાચાર મળ્યા છે. તેમણે ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી છે. દિવંગત આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ.
શહેરમાં લાઈફ, પોર્ટ્રેટ, વેડિંગ થી માંડી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોના અનેક પ્રદર્શનોનું આયોજન આર્ટ ગેલેરીઓમાં થાય છે. મૂળ વઢવાણના હાલ અમદાવાદમાં સ્થાયી એવા તસવીરકાર સુનીલ મહેતાએ જુદી જુદી ખાણોની કરેલી ફોટોગ્રાફીનું એક અલભ્ય પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવનમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સુનીલભાઈ શિક્ષક દિવસે જન્મેલા અને શિક્ષક પિતાના પુત્ર મેટ્રિક સુધીનું શિક્ષણ પણ મેળવી શક્યા નહીં. નબળી શારિરીક અને અન્ય સમસ્યાઓ સામે ઝઝુમતા સુનીલભાઈએ પિતાની જેમ કલાક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, ડાર્ક રૂમમાં પણ નિપૂણતા મેળવી લીધી. ફોટોગ્રાફી એક ફક્ત દસ્તાવેજી કરણ નથી એ કલા છે એ વાતને મનમાં દ્રઢ કરી દીધી.
સુનીલ મહેતા ચિત્રલેખા.કોમને કહે છે મેં મારે માણસોના ફોટા પાડવાનું બહુ ઓછું બન્યું છે. શહેરની એક જાણીતી જાહેરાતોની એજન્સી માં વર્ષો સુધી કામ કર્યુ. જેમાં મને ઈન્ટસ્ટ્રિયલ ફોટોગ્રાફીની એક રાહ મળી. આ સાથે મને ખાણોની ફોટોગ્રાફી કરવાની તક મળી.

જેમાં સરકારના મોટા એકમો જી.એમ.ડી.સી.,જી.એન.એફ.સી.,જી.એસ.એફ.સી.,જી.આઈ.ડી.સી.,જી.એ.સી.એલ.,ની ફોટોગ્રાફી કરી હતી. નિર્જન અને નિર્જીવ એકમો જગ્યાઓની જીવંત તસવીરો કચકડે કંડારી હતી. લખપત જેવા કેટલાક એકમોની ફોટોગ્રાફી કરવી ખૂબ જ અઘરું હતું જે કોઠાસૂઝથી પાર પાડ્યું હતું. અનેક પ્રકારના ખાણ ખનીજ એકમોની જુદી જુદી પરિસ્થિતિમાં વર્ષો સુધી પાડેલી તસવીરોનું નિષ્ણાત લોકોએ પ્રદર્શન સ્વરૂપે રજુ કરવાનું સૂચન કર્યુ. જે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સંમતિથી શક્ય બન્યું છે. સુનીલભાઈ વધુમાં કહે છે મેં ફંક્શન ફોટોગ્રાફી અને માણસોના ફોટા ઓછા પાડ્યા છે. પરંતુ આપણાં જ રાજ્યનો નર્મદા ડેમ, શિવરાજપુર, ક્વાંટ અને કંડલા પોર્ટ જેવા અનેક સ્થળોને કેમેરામાં કેદ કર્યા છે.

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવનમાં 21 મે સુધી ચાલશે.
સુનીલભાઈએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનિંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા. માઇનિંગના ચાર દાયકા જુના ફોટોગ્રાફ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં અલગ એવા માઈનિંગની તસવીરો એદમ જીવંત છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે લાંબો સમય સેવા આપનારા નિવૃત આઇએએસ અધિકારી એમ શાહુએ આ ફોટો એકઝીબીશન “ધ બિગ વિઝન”ને ખુલ્લું મુકતાં કહે છે આ ફોટોગ્રાફી માઈનિંગ ક્ષેત્રની બ્યુટીને વર્ણવે છે. આ પ્રદર્શનમાં કેટલીક તસવીરો માઈનિંગ સેક્ટરના લોકો, ડિપાર્ટમેન્ટ માટે નોલેજ અને એજ્યુકેશન, સંશોધનની દ્રષ્ટિએ પણ અલભ્ય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લગભગ મહત્મ તાપમાન 45 ડિગ્રી પાસે પહોંચ્યું છે. ત્યારે વડોદરામાં પણ 2019નો રેકોર્ડ તોડતા ગરમીનો પારો 44.4 ડિગ્રી નોંધાયો હતો.

એક બાજુ રાજ્યમાં જ્યા ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યાં રોગચાળોએ પણ માથું ઉંચક્યું છે. ત્યારે વડોદરા શહેરમાં માત્ર બે જ દિવસમાં આકરી ગરમીને લઈ 9 લોકોએ જીવ ગુમાવ્યાનો સામે આવ્યું છે. આકરી ગરમીને લીધે 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યા હતા. ગરમ પવનનાં લીધે લોકોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.
ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે. કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિસાની છૂટીછવાઈ ઘટનાઓ અને ઉત્તર પ્રદેશના એક ગામમાં ચૂંટણીના બહિષ્કારના સમાચારોની વચ્ચે આઠ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર સાંજે છ કલાક સુધી 64 ટકા મતદાનના અહેવાલો હતા.
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પદાધિકારીઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિરુદ્ધ કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓને પગલે પ્રદેશ એકમની ઓફિસમાં તોડફોડ થઈ હતી. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 52.4, જમ્મુ-કાશ્મીરમાં 54.2, લદ્દાખમાં 67.2 ટકા, ઝારખંડમાં 61.9 ટકા, મહારાષ્ટ્રમાં 48.7, ઓડિશામાં 60.5 ટકા ઉત્તર પ્રદેશમાં 55.8, અને પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં બિહારમાં પાંચ લોકસભા સીટો પર મતદાન સાથે રાજ્યમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. પાંચમા તબક્કામાં સાંજે છ સુધી દેશમાં 56.68 ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કા ઉદ્યોગપતિ રતન ટાટા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, તમન્ના ભાટિયા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ, અનિલ અંબાણીએ અને અંબાણી પરિવાર સહિત દિગ્ગજોએ મતદાન કર્યું હતું.લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું.
ગુગલના CEO સુંદર પિચાઈનો જન્મ ભારતમાં અને ઉછેર ભારતમાં થયો હતો. ભારતીય મૂળના સુંદર પિચાઈએ તાજેતરમાં તેમના પસંદગીના ભારતીય ફૂડને લઈને યુટ્યુબર વરુણ માયાને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી. સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની દુનિયાભરમાં ચર્ચા થાય છે. 51 વર્ષીય પિચાઈએ તાજેતરમાં ભારત પર AIની અસર, ભારતીય એન્જિનિયરોને સલાહ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી.
જ્યારે યુટ્યુબર વરુણ માયા દ્વારા તેમના મનપસંદ ભારતીય ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ બેંગલુરુમાં હોય છે ત્યારે તેમને ઢોંસા ખાવાનું ગમે છે અને જ્યારે તેઓ દિલ્હીમાં હોય છે ત્યારે તેમને છોલે-ભટુરે ખાવાનું પસંદ હોય છે. જ્યારે તેઓ મુંબઈમાં હોય તો પાવભાજી ખાવાનું પસંદ કરે છે.
તમને જણાવી દઈએ કે ગૂગલની તાજેતરની ઇવેન્ટમાં પિચાઈએ ગૂગલના ઘણા નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. આ વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં, ગૂગલે એન્ડ્રોઇડ 15 બીટા 2 લોન્ચ કર્યું છે, જે હાલમાં Pixel સહિત ઘણા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે.
સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની વિશ્વભરમાં ચર્ચા થાય છે. તેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા CEO તરીકે પણ જાણીતા છે. પિચાઈનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી B.Tech કર્યું. તે પછી તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું. પિચાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મટિરિયલ એન્જિનિયર તરીકે કરી હતી. તે પછી તેઓ વર્ષ 2004માં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે Googleમાં જોડાયા. સુંદર પિચાઈ વર્ષ 2015માં ગૂગલના CEO બન્યા હતા. જે બાદ તેમની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. પિચાઈ અબજોપતિઓની યાદીમાં સામેલ થનારા પ્રથમ નોન-ફાઉન્ડર ટેક એક્ઝિક્યુટિવ છે.
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે આજે મતદાન થયું. આજે દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદારોએ પોતાનો મત આપ્યો. લોકશાહીની ઉજવણીમાં અનેક ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમની સાથે જયા બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચન હંમેશની જેમ તેના ઉગ્ર સ્વાભાવમાં દેખાયા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વોટિંગ કર્યા બાદ સાથે નીકળી ગયા હતા. પોતાની કારમાં બેસીને મીડિયાનો સામનો કરતી વખતે જયા બચ્ચનના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જોકે તેમ છતાં તેઓ કંઈ બોલ્યા નહોતા, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈને સ્પષ્ટ હતું કે તે ખૂબ જ ગુસ્સે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જયા બચ્ચનની સ્ટાઈલ જોઈને યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રશ્નો પૂછતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, ‘શું તમે ક્યારેય હસો છો?’ એક યુઝરે લખ્યું, ‘તેના ચહેરા પર ગુસ્સો રહે છે. ક્યારેય હસતા જોયા નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બિગ બીનો સ્વભાવ જેટલો શાંત અને ગંભીર છે, તે તેનાથી બિલકુલ વિપરીત દેખાય છે.’ જો કે, કેટલાક લોકો જયા બચ્ચનનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા અને ટ્રોલ કરનારાઓને વડીલોનું સન્માન કરવાનું શીખવ્યું હતું.
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ મતદાન કરવા આવી હતી. જોકે, તે પોલિંગ બૂથ પર એકલી જોવા મળી હતી. જ્યાં બિગ બી અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય પોતાનો વોટ આપ્યા બાદ એકલી આવતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક જ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. ઐશ્વર્યાને એકલી જોઈને યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે. વળી, ફરી એકવાર અભિનેત્રીના તેના સાસરિયાઓ સાથે અણબનાવની અટકળો લગાવવામાં આવી રહી છે.
ગુજરાત ATS એ સેન્ટ્રલ એજન્સીની મદદથી ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. જેને લઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જે ચાર શખસની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે

ગુજરાત ATS ખાતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલા ચારેય શ્રીલંકન નાગરિકો સામે અનલોફુલ એક્ટિવિટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ IPCની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચારેય શખસો દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઇ-મેઈલ મળી આવ્યો હતો, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલા હતા. ગુજરાત ATSની એક ટીમ દ્વારા ચારે શખસો તથા પંચો તેમજ ટ્રાન્સલેટરને સાથે રાખી તાત્કાલિક ધોરણે Geo Co-ordinates ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પિસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવ્યો હતો.

ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2024માં તેઓ IS હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા અને તેની પ્રેરણાતી આતંકવાદી સંગઠન ISમાં સભ્ય બન્યા હતા અને તેઓએ શપથ પણ લીધા હતા. તેમજ અબુના કહેવાથી અમદાવાદ આવ્યા છે અને તેઓ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આ કામ માટે અબુએ તેમને રૂપિયા 4 લાખ શ્રીલંકન કરન્સી આપી હતી. તેમજ કબજે કરેલા હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવ્યા હતા. આ ઉપરાંત પકડાયેલા શખસોએ તેમના પાકિસ્તાની હેન્ડલરને સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની રહામાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી
મુંબઈ: મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે એટલે કે સોમવારે પાંચમા અને છેલ્લા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં મુંબઈની છ બેઠકોનો સમાવેશ થાય છે. આ 13 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે છ બેઠકો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. એમવીએ કેમ્પમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર, શરદ પવાર જૂથ બે બેઠકો પર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારો બાકીની 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં મતદાનના તાજેતરના આંકડા જાહેર કર્યા છે. સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન થયું હતું.

મળતી માહિતી મુજબ, બોરીવલીના ઘણા વિસ્તારોમાં વોટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતાં. લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતાં. સ્થળ પર પાણી કે વ્હીલ ચેરની કોઈ વ્યવસ્થા નહોતી. બીજી તરફ કતારમાં ઉભેલા લોકો ચૂંટણી પંચ પાસે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “હું લોકોને અપીલ કરું છું કે સરકાર મતદાન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી કૃપા કરીને મતદાન મથક પર જાઓ અને કતારમાં રહો જેથી તમને તમારો મત આપવાનો મોકો મળે.જાઓ અને લાઇનમાં આવો. જો સમય પૂરો થાય તો તેઓએ તમને તક આપવી પડશે. લોકો મતદાન કરવા માંગે છે, પરંતુ તેઓ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. 5 વાગી ગયા છે લાઈન ઉભા રહો અને તમારો મત આપો. અમને જાણવા મળ્યું છે કે તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. સરકાર ચૂંટણી પંચના નામે રમત રમી રહી છે. જ્યાં ભાજપની લીડ છે ત્યાં તેઓ ઝડપી ગતિએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. પરંતુ જ્યારે શિવસેનાના લોકો મતદાન કરવા માગે છે, તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે.ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે. અમે સંપૂર્ણ ડેટા એકત્રિત કરીશું જ્યાં તેમણે પ્રક્રિયામાં વિલંબ કર્યો છે અને અમારા મતદારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને પછી અમે ચૂંટણી પંચના પક્ષપાતી મંતવ્યો સામે કોર્ટમાં જઈશું.
મુંબઈ નોર્થ- 46.91 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 47.32 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 48.67 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 49.79 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 44.22 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 48.26 ટકા મતદાન
આ સિવાય અન્ય મતવિસ્તારના મતદાનના આંકડા જોઈએ તો ભીવંડીમાં 48.89 ટકા, કલ્યાણમાં 41.70 ટકા, પાલઘરમાં 54.32 ટકા અને થાણેમાં 45.38 ટકા મતદાન નોંધાયું છે.
વડોદરાઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયાં છે, એમ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે દાવો કર્યો છે. એ સ્થિતિને જોતાં ડો.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડો.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.
શહેરમાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટ વેવની અસર જોવા મળી છે. હીટ વેવને પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઊલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જોકે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યા છે.

વિશ્વમાં હાઇપરટેન્શનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાઇપરટેન્શન એટલે કે હાઇ BP સાયલન્ટ કિલરની જેમ છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે પ્રતિ વર્ષે લાખો લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. એટલે 17 મેએ લોકોને હાઇ BP વિશે જાગ્રત કરવામાં આવે છે. WHOના ડેટા કહે છે કે વિશ્વમાં હાઇબ્લડ પ્રેશરથી આશરે એક અબજથી વધુ લોકો પીડિત છે. હાઇ BPથી હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલીય ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે.
રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.