કર્ણાટકના બહુચર્ચિત જાતીય સતામણી કેસમાં એક વિશેષ અદાલતે પૂર્વ રાજ્ય મંત્રી અને JDS નેતા એચડી રેવન્નાને જામીન આપ્યા. એચડી રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે અનેક મહિલાઓની જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રજ્વલ રેવન્ના દેશની બહાર છે અને નોટિસ આપવા છતાં પરત ફર્યા નથી.
અગાઉ, જેડીએસ નેતા અને ધારાસભ્ય એચડી રેવન્નાને 13 મેના રોજ અપહરણ કેસમાં વિશેષ અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે. આ દરમિયાન તે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. 5 લાખના બોન્ડ પર તેમને જામીન મળ્યા હતા.
શા માટે કરવામાં આવી ધરપકડ?
ખરેખર, પ્રજ્વલ રેવન્નાના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મહિલાના પુત્ર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાના પુત્રનો આરોપ છે કે તેની માતા રેવન્નાના ઘરે કામ કરતી હતી. આ પછી તેની માતા અચાનક ગુમ થઈ ગઈ હતી. આ ઘટના પહેલા તેની માતાને યૌન શોષણનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો
મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા દરમિયાન મુંબઈમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન સવારથી જ સિનેમા જગતના કલાકારોનો વોટિંગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના વ્યસ્ત આયોજનમાંથી સમય કાઢીને અક્ષય કુમાર, ગુલજાર, ધર્મેન્દ્ર, સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈ જાન્હવી કપૂર, રાજકુમાર રાવ, ખુશી કપૂર, નેહા ધુપિયા સહિતના સ્ટાર્સ મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતાં. તેમજ બેબી બમ્પ સાથે દીપિકા પણ મતદાન કરવા પહોંચી હતી.
દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે મતદાન કરવા પહોંચી હતી. વ્હાઈટ રંગના લોંગ શર્ટમાં તેનો બેબી બમ્પ ફ્લોન્ટ થઈ રહ્યો હતો. રણવીર સિંહ પ્રેગ્નેન્ટ વાઈફની કેર લેતો જોવા મળ્યો હતો.
સુભાષ ઘઈએ મત આપી નિભાવી ફરજ.
અભિનેતા આમિર ખાન એક્સ વાઈફ કિરણ રાવ સાથે મતદાન કર્યા બાદ જોવા મળ્યા.
સુનિલ શેટ્ટી અને ઈમરાન હાશમીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.
રાકેશ રોશન પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.
સલમાન ખાનના પિતા સલિમ ખાન, ગુલજાર અને ગોવિંદાએ પણ મત આપી નિભાવી નાગરિકતાની ફરજ.
કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે બાન્દ્રા મતદાન કરવા પહોંચી હતી.
શાહરુખ ખાન પરિવારના સભ્યો સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં મતદાન જારી છે. પાંચમા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 47.53 ટકાથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. કાશ્મીરમાં સતત મતદાન વધી રહ્યું છે. અહીં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે. બારામુલ્લા લોકસભા સીટ પર બપોરે ત્રણ કલાક સુધી 45.22 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ તો મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ કલાક સુધી સુસ્ત મતદાન થયું હોવાના અહેવાલો છે. બંગાળમાં ભાજપ અને TMCના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ છે.
HDFCના ચેરમેન દીપક પારેખે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે મત આપ્યા પછી કહ્યું હતું કે દેશમાં સ્થિર સરકાર હોવી બહુ જરૂરી છે. આપણને સ્થિર સરકારની જરૂર છે. સ્થિરતા વિકાસ માટે જરૂરી છે.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 45.3, જમ્મુ-કાશ્મીરમાં 44.9, લદ્દાખમાં 61.3 ટકા, ઝારખંડમાં 53.9 ટકા, મહારાષ્ટ્રમાં 38.8, ઓડિશામાં 49 ટકા ઉત્તર પ્રદેશમાં 47.5, અને પશ્ચિમ બંગાળમાં 62.70 ટકા મતદાન થયું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ EVMમાં કેદ થશે. આ તબક્કામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે.
આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.
અમદાવાદ: SGVP ગ્રાઉન્ડ ખાતે ચિરિપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં 100 જેટલા રણજી ક્રિકેટરો, 500 મહેમાનો તેમજ ક્રિકેટ, આધ્યાત્મ, રાજકારણ, અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે ગુજરાતનાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, સંસદ સભ્ય નરહરિ અમીન, સચિવ GCA અનિલભાઈ પટેલ, ગુજરાતના રણજી પસંદગી સમિતિના અધ્યક્ષ કિરાત દામાણી, GCAના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ હિતેશ પટેલ, ક્રિકેટ પ્રીમિયર લીગ( CPL) ના આયોજક અને ચિરિપાલ ફાઉન્ડેશનના રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલે પણ ખાસ હાજરી આપી હતી. કેબિનેટ મંત્રી રાજપૂતે ગુજરાતમાં રમતવીરો માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. SGVP ના પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામીએ સમારોહમાં હાજરી આપી અને તમામ મહાનુભાવોનું અભિવાદન કરી આ પ્રસંગે આધ્યાત્મિક સ્પર્શ ઉમેર્યો હતો.
ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) 2024માં 6 ટીમ સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ તથા ગાંધીનગર લાયન્સ ભાગ લઈ રહી છે. જેમાં 100 જેટલા રણજી ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે.
CPLની પ્રથમ મેચ ગાંધીનગર લાયન્સ અને સાબરમતી સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી, જે રોમાંચક ટાઈમાં પરિણમી હતી, જેમાં બંને ટીમોએ 147 રન બનાવ્યા. સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સે 5 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાબરમતી સ્ટ્રાઈકર્સે છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને જીત મેળવી હતી. મનીષ શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
કોલકાતાઃ લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કાઓમાં છે અને રાજકીય પક્ષો તડજોડમાં લાગી ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન સત્તાધારી TMCને પડકાર ફેંકી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એવી ગૂગલી ફેંકી છે કે કોંગ્રેસ નેતૃત્વ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ આમનેસામને આવી ગયા છે.
TMC પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પહેલાં ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનવાની સ્થિતિમાં બહારથી સમર્થન અને થોડાક બાદ ફેરવી તોળતાં કહ્યું હતું કે અમે સરકારમાં સામેલ થઈશું. જેથી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીરે મમતા પર નિશાન સાધ્યું તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ અધીર રંજનની ઝાટકણી કાઢતાં કહી દીધું હતું કે ચૂંટણી બાદ સરકાર ગઠનમાં શું થશે અને શું નહીં એ કોંગ્રેસ હાઇકમાન્ડ નક્કી કરશે. એ નક્કી કરવા માટે રંજન સત્તાવાર વ્યક્તિ નથી. તેમણે હાઇકમાન્ડની વાત માનવી પડશે અને જો સહમત નહીં થાય તો તેમને દરવાજો બતાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસઅધ્યક્ષ અને લોકસભામાં પાંચ વાર સભ્ય અધીર રંજન ચૌધરીએ TMCની સાથે પાર્ટીની ચૂંટણી પછી સંબંધોને મુદ્દે કોંગ્રેસઅધ્યક્ષ વિરુદ્ધ વિદ્રોહી તેવર બતાવ્યા છે. અહીં પાર્ટીની અંદરના આંતરિક કલહનું કારણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે લખનૌમાં પત્રકારોને આપેલું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ગઠન માટે લેવામાં આવેલાં પગલાંનો નિર્ણય ચૌધરી નહીં પણ કોંગ્રેસ નેતૃત્વ નિર્ણય કરશે.
નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વએ લીધેલા નિર્ણયને અનુરૂપ ચાલવું પડશે, અન્યથા તેમણે પદ છોડવું પડશે એમ તેમણે કહ્યું હતું. સામે પક્ષે ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવાને નાતે તેઓ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો ભાગ છે.
અમદાવાદ: પ્રખ્યાત ધાર્મિક સંશોધન સંસ્થા ગીતાર્થ ગંગા દ્વારા ૧૯મી મેના રોજ “આર્ય યુગકોષ”ના એક એન્સાઈક્લોપિડીયાના અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ૧૮મી મેના રોજ ઑનલાઇન અને Physical (હાઈબ્રીડ) પેનલ ચર્ચાનું આયોજન, અમદાવાદ સ્થિત વિશ્વકોષ ભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશથી અનેક મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે પ્રાચીન દ્રષ્ટાઓની બૌદ્ધિક ઊંડાણ, વિદ્વત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાન પર ચર્ચા કરવામાં આવી હતી.
પેનલ ચર્ચામાં રાષ્ટ્ર અને વિશ્વના પ્રતિષ્ઠિત વક્તાઓએ ભાગ લીધો હતો. ડો. જસવંત મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાહતા. આ ઉપરાંત IB ના પૂર્વ વડા રાજીવ જૈન પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય ચીના જિયાર સ્વામીજીએ પણ વિશેષ અતિથિ તરીકે પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપસ્થિત અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કુમારપાલ દેસાઈ, ડૉ. સુલેખા જૈન, પ્રવિણ કે શાહ (ચેરમેન, જૈના-USA), વિનોદ કપાસી (OBE એવોર્ડથી સન્માનિત, UK) વગેરેનો સમાવેશ થયો હતો.
આધ્યાત્મિક ગુરુ એચ.એચ.ચીના જિયાર સ્વામીજીએ પેનલ ડિસ્કશનને સંબોધન કરતી વખતે ગીતાર્થ ગંગા દ્વારા કરવામાં આવેલ કામ વિશે જણાવ્યું, “ભારતમાં કેટલીક સ્પિરીચ્યુઅલ સંશોધન કરતી સંસ્થાઓ, ધાર્મિક ગ્રંથોના સંરક્ષણ પર કામ શરૂ કરે છે. પરંતુ સંસાધનોની અને મેન્યુઅલ પાવરની અછતના કારણે તે લાંબા સમય સુધી કામ ટકાવી શકતા નથી.”
ભારતના પૂર્વ Dy. NSA, હાલમાં VIF ડિરેક્ટર ડો. અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે, “તમે ભવિષ્યની પેઢીઓ માટે ખૂબ જ દુર્લભ અને ઉપયોગી કાર્ય સિદ્ધ કર્યું છે. તમારે આ મોડેલનું રહસ્ય શેર કરવું જોઈએ જેથી સમાન ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશમાં અન્ય લોકો અને જૂથોને પણ લાભ થાય.”
ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડિરેક્ટર રાજીવ જૈને કહ્યું કે, “તમારા લક્ષ્યનો જે વિસ્તાર છે અને જે અસાધારણતાથી તમે કાર્ય કરી રહ્યા છો તેનાથી હું પ્રભાવિત થયો છું અને આ કાર્યને આગળ ધપાવવાની જરૂર છે.”
આર્યયુગ કોશના લોકાર્પણ સમયે તેમના સંબોધન દરમિયાન પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીએ જણાવ્યું કે, “વર્તમાન કાળમાં ભૌતિકતાના કારણે નાસ્તિકતા ચારે કોર ફેલાઈ છે. તેના કારણે વર્તમાન પેઢીનું ધર્મ, ધર્મ શાસ્ત્રો, ધર્મ શાસ્ત્રોના રહસ્યાર્થ સાથેનું જોડાણ શિથિલ થયું છે. તેથી ધર્મના રક્ષણનો અત્યારે અવસર છે. તે રક્ષાનાં ઉદેશ્યથી સ્થાપેલી ગીતાર્થ ગંગા સંસ્થાનું ૩૨ વર્ષ પછીનું મહત્વનું પ્રકાશન તે આર્ય યુગ વિષય કોષ છે. આ કોષમાં ૪ મુખ્ય વિષય અને ૧૫૯ પેટા વિષયના હજારો ગ્રંથના સંદર્ભો ને ૮ categoriesમાં classify કરીને પ્રકાશીત કર્યું છે. તેથી તે વિષય બાબતે જેટલા શાસ્ત્ર વચનો છે, તે એક જગ્યાએ મળી જાય. આ પુસ્તક ભારતના ધર્મોને, તેના મહત્વના તત્વજ્ઞાનને જીવંત રાખવા- રક્ષા કરવા મહત્વનો ફાળો ભજવશે. ભારત દેશના soft powerને પુનઃ જીવિત કરવામા પણ આ ગ્રંથ મહત્વનો ફાળો ભજવશે.”આગામી દસ વર્ષમાં, સંસ્થા 15000 પેટા-વિષયોને આવરી લેતી સમાન રેખાઓ ઉપર આવા 30 ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન કરી રહી છે. સંસ્થા પાસે વિવિધ વિષયોના 20,000 થી વધુ ચાર્ટ્સ, વર્ગીકરણ, 5500 થી વધુ વૃક્ષો વગેરે પણ છે, જે તેમના ખજાનામાં જોવા મળે છે. જ્યાં જરૂર હોય ત્યાં સરળ સમજણ માટે આનો સમાવેશ કરવામાં આવશે. ગીતાર્થ ગંગા એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંશોધન સંસ્થા છે. આ સંસ્થાના કેન્દ્રમાં 150,000 પુસ્તકો અને હસ્તપ્રતો, 6,000 સામયિકો, 2 લાખ+ ઐતિહાસિક અખબારો અને 95,000 સમાચાર લેખો, જાહેર વહીવટ, રાજકારણ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને તુલનાત્મક ધાર્મિક અધ્યયન જેવા ક્ષેત્રોમાં વિસ્તરેલ પસંદગીનો સંગ્રહ છે.
મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મુંબઈમાં બૉલિવૂડ સ્ટાર્સમાં મતદાનનો ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે. સવારથી જ અભિનય ક્ષેત્રના દિગ્ગજ ધર્મેન્દ્રથી લઈને ગુલજાર સાહેબ સહિતની હસ્તીઓ મતદાન મથક પર પહોંચી પોતાની ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં મતદાનનો આંકડો નિરાશાનજક છે. રાજ્યમાં ખુબ જ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 38.77 ટકા જ મતદાન થયું છે. ઓવરઓલ મતદાનનો આંકડો 50.42 ટકા છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 62.72% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં છે.
થાણેના કેટલાક મતદાન કેન્દ્રો પર પણ EVMમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ હતાં. સવારે મુલુંડ અને પવઈમાં ઈવીએમમાં સમસ્યા ઉભી થઈ હતી. મહારાષ્ટ્રમાં કુલ મતદાન 38. 77 ટાક જ થયું છે. મુંબઈની વિવિધ સીટો પર મતદાનના આંકડા જોઈએ…
મુંબઈ નોર્થ- 39.33 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 37.66 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 39.15 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 39.15 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 36.64 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 38.77 ટકા મતદાન
નાસિકમાં 39.41 ટકા, પાલઘરમાં 42.48 ટકા અને થાણેમાં 36.07 ટકા મતદાન થયું છે. નાસિકમાં એક મતદાન કેન્દ્ર પર નિર્દલિય ઉમેદવારે વોટિંગ મશીન પર માળા ચઢાવી હતી. ત્યાર બાદ તે ઉમેદવાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઉમેદવારનું નામ શાંતિગિરી મહારાજ છે.
ગુજરાત ATSને મોટી સફળ મળી છે. ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે.
આતંકવાદીઓ મળતાની સાથે જ પોલીસના એકશનમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ચાર આતંકવાદી મૂળ શ્રીલંકાના નાગરિક છે. અને ISIS માટે સંગઠન માટે પાછલા ઘણ સમયથી કાર્ય કરે છે. સેન્ટ્રલ એજન્સીની બાતમીના આધારે ચારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આરોપીઓની અન્ય કોઈ રાજ્ય સાથે કનેક્શન છે કે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. જેમાંથી RCBની ટીમ બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, તેવામાં એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગ્લિંગ અને ધમકી મળવા જેવા બનાવ બની રહ્યા છે. ત્યારે ગુજરાત ATS એક સેન્ટ્રલ એજન્સીએ ઈનપુર શેર કર્યા હતા. જે બાદ ATSએ એરપોર્ટ પર કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું નામ સામે આવ્યું હતું. જે બાદ અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બોમ્બ હોવાની મળી હતી ધાક
આ અગાઉ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન એક દિવસ પહેલા 6 મેના રોજ રાજ્યની 36 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ તપાસના ધમધમાટ શરૂ થયા હતા. તો થોડો દિવસો પહેલા અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ હોવાનો પણ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બોમ્બની ધાક મળી હતી. જ્યારે બોમ્બથી ઉઠાવવાની ધમકીનો સિલસિલો દિલ્હીની શાળાઓથી શરૂ થયો હતો. દિલ્હીમાં 100 જેટલી શાળાને બોમ્બથી ઉઠાવી દેવાના મેઈલ મળ્યા હતા.
કોબેઃ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશશિપ 2024 2024 17 મે શનિવારથી 25 મે સુધી રમાશે. પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. ભારતની દીપ્તિ જીવણજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે અને ગોલ્ડ જીત્યો છે. આ સિવાય તેણે અમેરિકી એથ્લીટ બ્રેના ક્લાર્કનો રેકોર્ડ પણ તોડ્યો છે.
દીપ્તિ જીવણજીએ 400 મીટરની દોડ માત્ર 55.07 સેકન્ડમાં જ પૂરી કરી લીધી હતી અને વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. આ પહેલાં મહિલા એથ્લીટમાં કોઈએ પણ 400 મીટર દોડમાં આટલા ઓછા સમયમાં રેસ પૂરી નથી કરી. આ પહેલાં અમેરિકાની બ્રેના ક્લાર્કે 55.12 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. આ સિવાય તુર્કીની આયસેલ ઓન્ડરે 55.19 સેકન્ડ અને ઇક્વાડોરની લિજાનશેલા એગુલોએ દોડને પૂરી કરવા માટે 56.68 સેકન્ડ લીધી હતી. વડા પ્રધાન મોદીએ દીપ્તિને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
An electrifying performance by Deepthi Jeevanji! Congratulations to Deepthi on winning the Gold Medal in the Women’s 400m-T20 event at the Asian Para Games. Her spirit on the track was unmatched, leaving spectators in awe. Kudos to Deepthi for making us all proud. pic.twitter.com/GjwXZ1cJGB
ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં અત્યાર સુધી અત્યાર સુધી ચાર મેડલ પોતાને નામે કરી લીધા છે. દીપ્તિએ ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. આ પહેલાં ભારતે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યા છે, પરંતુ હવે ભારતની પાસે એક ગોલ્ડ પણ છે.
જાપાનના કોબેના કોબે યુનિવર્સ મેમોરિયલ સ્ટેડિયમમાં યોજાઈ રહેલા પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 મેથી 25 મે, 2024 દરમ્યાન યોજાશે, જેમાં 1000થી વધુ એથ્લીટો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં 168 મેડલો આપવામાં આવશે, જેમાં 92 પુરુષોને 75, મહિલાઓને ને એક મિક્સ્ડ સ્પર્ધામાં મેડલ આપવામાં આવશે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટર પરેશ રાવલે મુંબઈના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પરની શાહી બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે,”જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.”
પોતાનો મત આપ્યા પછી અભિનેતા પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી અને ચૂંટણીમાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. અભિનેતાએ કહ્યું,”તો પછી તમે કહેશો કે, સરકાર આ નથી કરતી, તે નથી કરતી. જો તમે આજે મતદાન નહીં કરો તો, સરકાર નહીં, તમે જવાબદાર હશો.” રાવલે નાગરિકોને તેમની નાગરિક ફરજો માટે જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી. રાવલે મતદાન ન કરનારને સજા કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું, “જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.” સવારે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ પણ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં આજે કુલ 13 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ 13 સીટોમાંથી છ સીટો મુંબઈમાં છે. મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રના ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર અને ભિવંડી અને થાણેમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે. અગ્રણી ઉમેદવારો પિયુષ ગોયલ, ઉજ્જવલ નિકમ અને શ્રીકાંત શિંદે સહિત અનેક નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ જશે.