નવી દિલ્હીઃ માલદીવમાં ચીન સમર્થક સરકાર બની છે, ત્યારથી માલદીવ અને ભારતની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હવે માલદીવના સંરક્ષણપ્રધાન ઘસન મૌમુને દાવો કર્યો હતો કે 2019માં ભારતીય આર્મીએ માલદીવમાં એક સિક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આ ઓપરેશનનો ઉલ્લેખ તો માત્ર તેઓ કરી રહ્યા છે. ભારતે એ દાવાઓને ફગાવી દીધા છે.

માલદીવના સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે જ્યારે માલદીવમાં ભારતીય સેનાના હેલિકોપ્ટર હતાં, ત્યારે તેમના પાઇલટોએ 2019માં એક ગેરકાયદે ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નેશનલ સિક્યોરિટી સર્વિસ મામલાની રિપોર્ટ જોઈ છે, એમાં આ સિક્રેટ ઓપરેશનનો ઉલ્લેખ છે.
માલદીવમાં ભારતીય હાઇ કમિશને કહ્યું હતું કે ભારતે જેટલાં પણ ઓપરેશન ચલાવ્યાં છે, એ બધા માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)ને સાથે રાખીને ચલાવ્યા છે. નવ ઓક્ટોબર, 2019એ પણ ચાલક દળની સુરક્ષા પર ફોક્સ કરતાં થિમારાખુશીમાં એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. હવે વિવાદ એ લેન્ડિંગને લઈને છે, પણ ભારતનું કહેવું છે કે એ લેન્ડિંગ પણ માલદીવના એર ટ્રાફિક કન્ટ્રોલને કોન્ફિડેન્સમાં લઈને કરવામાં આવી હતી. આવામાં એને સિક્રેટ ઓપરેશનનું નામ ના આપી શકાય.
માલદીવ-ભારતના સંબંધો કેમ વણસ્યા?
વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ ગયા પછી માલદીવા એ સમયે કેટલાક મંત્રીઓએ-નેતાઓએ વડાપ્રધાનની વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીઓ કરી હતી. એને લઈને મજબૂરીમાં મોઇજ્જુને તેમના મંત્રીપદેથી હટવું પડ્યું હતું. ભારતીય પર્યટકોની માલદીવમાં જવામાં ઘટાડો થયાં ટુરિઝમની દ્રષ્ટિએ માલદીવ માટે એક જોખમ છે.




મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.



આ કલેક્શન, સિઝનલ કલર પેલેટ્સથી પ્રેરિત છે. જેમાં તમને ક્લાસિક ન્યુટ્રલ્સથી લઈને વાઇબ્રન્ટ ટૉન જોવા મળશે. દરેક ક્રિએશન જાણે કે એક વાર્તા કરતું હોય તેવું લાગે છે. મોટાભાગે કલેક્શનમાં એક જ પેટર્ન બધાં જ કલર્સમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કલેક્શનમાં દરેક કલરમાં તમને અનેક પેટર્નની વેરાયટી જોવા મળશે. ‘તમિસ્કા’ની ડિઝાઇન સ્વતંત્ર અને સમકાલીન ભારતીય મહિલાની સ્પિરિટનું પ્રતિબિંબ છે.
બ્રાન્ડના કો-ફાઉન્ડર નરેન્દ્ર કુમાર કે જેઓ નારી તરીકે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા છે, તેઓ બે દાયકા કરતા વધુ સમયથી ‘નરેન્દ્ર કુમાર’ લેબલ હેઠળ પુરૂષો માટેના પ્રિમિયમ ક્લોથ્સ ડિઝાઈન કરી રહ્યા છે. હવે તેઓ ‘તમિસ્કા’ દ્વારા ફિમેલ ક્લોથ્સ બ્રાન્ડમાં પોતાની નિપુણતા લોકો સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. તેમની આ નવી બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કલેક્શન દરેક સ્ત્રીની રેન્જમાં હોય. કિંમતની સાથે જ બ્રાન્ડમાં ડિટેલ્સ અને ટૉપ ક્વોલિટી ફેબ્રિકનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આગામી 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. વારાણસી બેઠક પર લોકોની નજર બની રહી છે. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી છે. ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાતી વારાણસી લોકસભા બેઠક પાંચ વિધાનસભા બેઠકોથી બનેલી છે. જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.







