લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ મહારાષ્ટ્રની મુલાકાતે હતા. મુંબઈના ઘાટકોપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ વડાપ્રધાન સાથે તેમના પ્રચાર વાહન પર હાજર છે. આ રોડ શો મુંબઈ નોર્થ-ઈસ્ટ લોકસભા સીટના વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભાજપે આ બેઠક પરથી ગુજરાતી મૂળના મિહિર કોટેચાને ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં આવતા ભાંડુપ, ઘાટકોપર, વિક્રોલી અને કાંજુરમાર્ગને શિવસૈનિકોનો જૂનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વિસ્તારમાં ગુજરાતીઓ સહિત પરપ્રાંતીયોની સંખ્યા મોટી છે.
અમદાવાદ: અમદાવાદની ગુફા કહીએ એટલે તરત જ સેપ્ટ યુનિવર્સિટી અને કનોરિયા આર્ટ સેન્ટર નજર સમક્ષ દેખાય. અત્યારે આ ગુફામાં આબેહુબ સિંહો અને વન્યજીવોના ચિત્રોનું અનોખું પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનની શરૂઆતે જ એક ખ્યાતનામ કલાપ્રેમીએ કહ્યું ખરેખર વન્યજીવોનું આ પ્રદર્શન સ્થળ નેશનલ જીઓગ્રાફી જોઇ રહ્યા હોય એવું લાગે છે. કારણ વન્યજીવોના પ્રદર્શનની અંદર-બહાર વન અને વનરાજીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. શહેરની આ આર્ટ ગેલેરીમાં અનેક પ્રદર્શનો થાય છે. પરંતુ કલાકારે અમદાવાદની ગુફામાં વન, વનરાજ અને એની આસપાસનું જીવન તમામને પોતાની કલાથી પ્રદર્શન સ્થળે પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે.
વનરાજ, વન અને વન્યજીવનને ચિત્ર સ્વરૂપે લોકો સુધી પહોંચાડનાર હીરલ અમર શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “હું મૂળ નેચર લવર છું. આ સાથે ચિત્રનો મને નાનપણથી જ શોખ હતો. સ્નાતક તો આર્ટસ વિષયો સાથે કર્યું. પરંતુ શાળા સમયથી જ જુદા-જુદા વિષયો પર ચિત્રો પણ દોરું. લગ્ન પછી ઘણાં સમય સુધી પરિવારમાં વ્યસ્તતા રહી. પરંતુ પરિવારના સહકારથી ફરી એકવાર 2014થી ચિત્રો દોરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી ઘણાં ગૃપ શો તેમજ કલા પ્રદર્શનોમાં ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં મારી પોતાની જ તૈયાર કરેલી કૃતિઓ છે. દેશ-વિદેશમાં ઘણાં કુદરતી સ્થળો અને જંગલો જોયા બાદ એના પરથી ચિત્રો તૈયાર કરવાનું નક્કી કર્યુ. અઢી વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોમાંથી આ પ્રદર્શનમાં 30 જેટલાં ચિત્રો મુક્યા છે.” હીરલબહેન વધુમાં કહે છે, “આ ચિત્રો કેનવાસ ઓઇલ એક્રિલિક પરથી તૈયાર કર્યા છે. સિંહના ચિત્રની ગોલ્ડન ઇમેજ પણ ઉભી કરી છે. આ સાથે જંગલના અન્ય પશુ-પંખી અને માનવ વસવાટને મારા ચિત્રોમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મહત્વની વાત વન્યજીવો અને એની આસપાસના લોકજીવનને એકદમ બારીકાઇથી જોઉં કેમેરાની જેમ માનસ પટલ પર અંકિત કરું ત્યારબાદ એને કેનવાસ પર ઉતારું. જે આબેહુબ તસવીરો અને ચિત્રોનો સમન્વય લાગે. અત્યાર સુધીની મારી શ્રેષ્ઠ કૃતિઓને કલા રસિકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદની ગુફામાં હીરલ શાહના ચિત્રોનું પ્રદર્શન 19મી મે, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
મુંબઈ: જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ફિલ્મ લઈને આવી રહ્યાં છે. બંને બીજી વખત ફિલ્મમાં એક સાથે જોવા મળશે,આથી ફેન્સ આ જોડીને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકોને સુપરહિટ પડદાની જોડી શાહરૂખ અને કાજોલની યાદ આવી ગઈ છે. ગીત રિલીઝના ઈવેન્ટમાં રાજકુમાર રાવ, જાન્હવી કપૂર, ડિરેક્ટર શરન શર્મા હાજર રહ્યાં હતાં.
ખરેખર, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું જે પહેલું ગીત રિલીઝ થયું છે તેનું નામ ‘દેખા તેનુ’ છે, જેમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના લગ્ન સુધીની લવસ્ટોરીની ઝલક જોવા મળશે.ગીતમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. તેથી જ આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું.
આ ગીત સાંભળીને કેટલાક લોકોને શાહરૂખ-કાજોલ પણ યાદ આવી જાય છે. કારણ કે ‘દેખા તેનુ’ ગીત પહેલીવાર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં સાંભળવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ-કાજોલ જોવા મળ્યા હતા.
આ ગીતમાં બંને વચ્ચે અદભૂત રોમાન્સ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે આ ગીતનું નવું વર્ઝન આવ્યું ત્યારે ફરી એકવાર ચાહકો જૂની યાદોમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. હાલમાં ચાહકોને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
‘દેખા તેનુ ગીત’ મોહમ્મદ ફૈઝ અને અલી બ્રધર્સે ગાયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન શરન શર્માએ કર્યુ છે.
તમને જણાવી દઈએ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મની વાર્તા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને થાલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે.
કરણ જોહરની આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ફરી એકવાર મોટા પડદા પર એકસાથે ધૂમ મચાવા તૈયાર છે. આ ફિલ્મ પહેલા જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની જોડી હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝાન’માં જોવા મળી હતી.
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી એક વાર મળવાના છે. રશિયાના અને ચીનના રાજકીય સંબંધોની 75મી વર્ષગાંઠે પુતિન ચીનની મુલાકાતે જવાના છે. જિનપિંગના આમંત્રણે પુતિન બે દિવસના પ્રવાસે ચીન જવાના છે. પુતિન 16-17 મેએ ચીનની મુલાકાતે જવાના છે.
સાત મહિનામાં પુતિન બીજી વાર ચીન પહોંચી રહ્યા છે, જેથી વિશ્વની આ મુલાકાત પર નજર છે. આ પહેલાં પુતિન ગયા વર્ષે 17-18 ઓક્ટોબરે ચીન પહોંચ્યા હતા. પાંચમી વાર રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી પુતિનનો આ પહેલો વિદેશપ્રવાસ છે.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચીન રશિયાનું એક વ્યૂહાત્મક ભાગીદાર રાષ્ટ્ર છે અને પશ્ચિમી દેશો તેમના વિશે શું વિચારે છે, એનાથી તેમને કોઈ ફરક નથી પડતો.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ દ્વિપક્ષી સંબંધો, આપસી સહયોગ અને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે,રશિયાના રાષ્ટ્રપતિ ઓફિસમાંના ક્રેમલિને જણાવ્યું હતું કે બંને નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરશે અને કેટલાક દ્વિપક્ષી સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રવાસમાં પુતિન ચીનના વડા પ્રધાન લી કિયાંગની સાથે પણ મુલાકાત કરશે. આ સાથે પુતિન બીજિંગ સિવાય હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.
જયપુર: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વર્ષ 1954માં કમલા બેનીવાલ 27 વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા.
કમલા બેનીવાલ સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2003માં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન સરકારમાં અનેક વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યાહતા. વર્ષ 2009થી 2024 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે તેમણે આઝાદીની લડતમાં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
ગૂગલ તેની સર્વિસને લઈને જાણીતુ છે. કંપનીએ Google One VPN નામની સર્વિસને ચાર વર્ષ પહેલા શરુ કરી હતી. Google One VPN સર્વિસ 20 જૂન, 2024થી કામ કરવાનું બંધ કરી દેશે. આ સર્વિસને ઓક્ટોબર 2020માં રજૂ કરવામાં આવી હતી.
Google One VPNની શરૂઆત કર્યા બાદ થોડા જ સમયમાં કંપની આ સર્વિસ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કંપનીએ સર્વિસ બંધ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. ગૂગલે તેના સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે, “20 જૂન, 2024 થી Google One VPN સર્વિસ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ગૂગલે યુઝર્સને ડિવાઈસમાંથી Google One VPN હટાવવા માટે પણ સમજાવ્યું હતું. આ બાબાત કંપનીએ જણાવ્યું હતું, કે Pixel 8 અને નવા ડિવાઈસ તેમની સિસ્ટમ સેટિંગ્સના ભાગ રૂપે એક ઈન-બિલ્ટ VPN ઓફર કરે છે. VPN સર્વિસને Google One એપમાથી હટાવ્યા બાદ Pixel 7 યુઝર્સ પોતાની સિસ્ટમ સૉફ્ટવેરને અપડેટ કર્યા પછી પણ VPN કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા ભારતમાં શરૂ ન કરી હોવાથી ભારત પર કોઈ અસર થશે નહીં.
VPN શું છે?
VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, જે તમને તમારા ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત રીતે વેબ બ્રાઉઝ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે કોઈ વેબસાઇટની વિઝિટ કરો છો, ત્યારે તમારા ડિવાઈસમાંથી તે સાઇટ પર ડેટા મોકલવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા તે Wi-Fi રાઉટરમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે કરી રહ્યા છો. એટલે કે, પહેલા આ તે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરમાંથી પસાર થાય છે. VPN તમારા ઉપકરણ અને VPN સર્વર વચ્ચે એક એન્ક્રિપ્ટેડ કનેક્શન બનાવીને તમારા નેટવર્ક ડેટાને છુપાવે છે, જેથી ન તો તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ન તો તમારા ડિવાઈસ અને VPN સર્વર વચ્ચેનું બીજું કંઈ જોઈ શકે, કે તમે કઈ વેબસાઈટ બ્રાઉઝ કરી રહ્યાં છો, અથવા કઈ એપ્લિકેશન્સ છે તમે ઉપયોગ કરો છો. VPN તમારા IP એડ્રેસને છુપાવીને તમારા બ્રાઉઝિંગને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે.
અમદાવાદઃ ફાર્મા સેક્ટર માટે ગુજરાત મૂડીરોકાણનું હબ બનતું જાય છે. ગયા નાણાકીય વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફાર્મા કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે. 100થી વધુ ફાર્મા કંપનીઓના મૂડીરોકાણ પછી આવનારા સમયમાં વધુ કંપનીઓ રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવાની અપેક્ષા છે.
આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આશરે 400 કંપનીઓએ રાજ્યમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
રાજ્યમાં નાણાકીય વર્ષ 2024 દરમ્યાન ફાર્મા કંપનીઓએ અન્ય રાજ્યોની તુલનાએ વધુ કંપનીઓએ પ્રવેશ કર્યો હતો. રાજ્યમાં નાણાં વર્ષ 2024માં 133 નવી ફાર્મા કંપનીઓ આવી અને એનાથી પ્રદેશમાં કુલ રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ આવશે અને એમાં અનેક કંપનીઓએ નવા એકમોનું બાંધકામ શરૂ કરી દીધું છે, એમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
ફાર્મા સેક્ટર માટે ગુજરાત પહેલેથી જ મૂડીરોકાણનું આકર્ષક સ્થળ રહ્યું છે. વર્ષ 2019થી અત્યાર સુધી રાજ્યમાં 627 નવા ફાર્મા પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને એમાં ઓર વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 376 ફાર્મા કંપનીઓએ સમજૂતી કરાર કર્યા છે. આ 376 સમજૂતી કરાર હેઠળ રૂ. 38,000 કરોડનું મૂડીરોકાણ આવે એવી શક્યતા છે. ગુજરાતનો દેશના દવા ઉત્પાદનમાં 28 ટકા હિસ્સો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ઝાયડસ ગ્રુપે રાજ્યમાં બાયોટેક ઉત્પાદન અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે રૂ. 5000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી.
નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારના રોજ આ માહિતી શેર કરી. મંત્રાલયે કહ્યું કે CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા. આ પ્રસંગે, ગૃહ સચિવે, અરજદારોને અભિનંદન આપતા, નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.
#CAA कानून बनने के बाद दी गई पहली भारतीय नागरिकता!
11 मार्च 2024 को CAA देश में लागू हुआ था.
इसमें पाकिस्तान, बांग्लादेश,अफगानिस्तान से आए धार्मिक प्रताड़ना के शिकार हिंदू, जैन, पारसी, सिख, ईसाई और बौद्ध शरणार्थियों को #Bharat की नागरिकता देने का प्रावधान है. pic.twitter.com/3J0OdQPyd1
નાગરિકતા સંશોધન કાયદો 11 ડિસેમ્બર 2019 ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ દેશભરમાં CAA વિરૂદ્ધ આંદોલન અને વિરોધ થયા હતા. ભારત સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં, અરજી કરવાની પદ્ધતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (DLC) દ્વારા અરજી ફોરવર્ડ કરવાની પ્રક્રિયા અને રાજ્ય લેવલ એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમોના અમલીકરણ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો પાસેથી અરજીઓ મળી છે જેઓ 31 ડિસેમ્બર 2014 સુધી ધાર્મિક દમન અથવા તેના ભયને કારણે ભારત આવ્યા હતા. .
#CAA ने दी पहली नागरिकता…! केंद्रीय गृह सचिव अजय भल्ला ने CAA के तहत 14 लोगों को दिया सिटीजनशिप सर्टिफिकेट… नागरिकता संशोधन अधिनियम (CAA) की अधिसूचना जारी होने के बाद आज पहली बार 2014 से पहले भारत आए 14 आवेदकों को नागरिकता प्रमाणपत्र सौंपे. #MHApic.twitter.com/559vI1yDCH
અધિકૃત અધિકારીઓ તરીકે વરિષ્ઠ ટપાલ અધિક્ષક/પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળની જિલ્લા સ્તરીય સમિતિઓ (ડીએલસી) એ દસ્તાવેજોની સફળ ચકાસણી પછી અરજદારોને નિષ્ઠાનાં શપથ લેવડાવ્યા છે. નિયમો અનુસાર અરજીઓ પર પ્રક્રિયા કર્યા પછી, DLC એ અરજીઓ નિયામક (સેન્સસ ઓપરેશન્સ) ની આગેવાની હેઠળની રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટી (EC) ને મોકલી છે. અરજીઓની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે.
ડાયરેક્ટર (સેન્સસ ઓપરેશન્સ), દિલ્હીની અધ્યક્ષતામાં દિલ્હીની એમ્પાવર્ડ કમિટીએ યોગ્ય તપાસ બાદ 14 અરજદારોને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. આ ક્રમમાં, ડાયરેક્ટર (સેન્સસ ઓપરેશન્સ) એ આ અરજદારોને પ્રમાણપત્રો આપ્યાં. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ્સ, ડાયરેક્ટર (ઇન્ટેલિજન્સ) અને ભારતના રજિસ્ટ્રાર જનરલ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
મુંબઈ: પ્રેક્ષકો એમેઝોન પ્રાઇમ વીડિયોની લોકપ્રિય શ્રેણી ‘પંચાયત’ની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝની પ્રથમ બે સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. સાથે જ ત્રીજી સિઝનને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ આજે તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ‘પંચાયત 3’નું ટ્રેલર ખૂબ જ રમુજી અને રસપ્રદ છે. સીરિઝની આ સિઝન પણ પાછલી બે સિઝનની જેમ કોમેડીથી ભરપૂર છે.
‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક સહિતના લોકપ્રિય ચહેરાઓ છે. આજે બુધવારે નિર્માતાઓએ ‘પંચાયત 3’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. સિરીઝની ત્રીજી સીઝનમાં આ સ્ટાર્સ ફરી એકવાર પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતતા જોવા મળશે. ટ્રેલરમાં ફૂલેરા ગામની પંચાયતમાં નવો વળાંક જોવા મળ્યો છે. બનરાકસ અને સચિવજી વચ્ચે લડાઈ થઈ છે, જે ફૂલેરા ગામમાં અરાજકતા પેદા કરશે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જૂના સેક્રેટરી એટલે કે અભિષેક કુમારે રાજીનામું આપી દીધું છે. ફુલેરા ગામમાં નવા સેક્રેટરીના આગમનથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે. જૂના સચિવની બદલી માટે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ગામના વડા મંજુ દેવીએ તેમની બદલી અટકાવી દીધી. સેક્રેટરી પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે. તે જ સમયે પ્રધાનની પુત્રી રિંકી સાથેની તેની લવ સ્ટોરી પણ ધીમે ધીમે આગળ વધી રહી છે.
બનરાકસના લોકો ફૂલેરા ગામમાં રસ્તાના નિર્માણ સામે વાંધો ઉઠાવે છે, જેના કારણે ગામમાં ભારે હોબાળો થાય છે. આવી સ્થિતિમાં પ્રધાનજી અને બનરાકસ વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે.બનરાકસ પણ ગામની ચૂંટણીમાં ઊભું રહેતાં ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. હવે સીરીઝની ત્રીજી સીઝનમાં સેક્રેટરી એટલે કે અભિષેક કુમાર કોને સપોર્ટ કરતા જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે.
‘પંચાયત 3’ દર્શકોને હસાવવા માટે તૈયાર છે કારણ કે તે ચૂંટણીના રમખાણોમાં ફસાઈ જાય છે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 28 મેના રોજ રીલીઝ થશે. દર્શકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ કહ્યું કે “સૌપ્રથમ, અદ્ભુત કલાકારો અને સિરીઝના લેખક – ચંદન કુમાર, આ શાનદાર સ્ક્રિપ્ટને તૈયાર કરવા માટે ટીમને અભિનંદન! અમે સિઝન 1 શરૂ કર્યાને ચાર વર્ષ થયા છે, અને હવે અમે સિઝન 3માં પ્રવેશ કરી રહ્યાં છીએ. એક બહુ-સિઝન શો બનાવવો એ એક મોટો પડકાર છે, પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટ, યોગ્ય દ્રષ્ટિ અને યોગ્ય લોકો સાથે, અમે દર્શકો માટે નવી સીઝન લાવવા માટે ઉત્સાહિત છીએ.
લોકસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે પાંચમા તબક્કાની લડાઈ તેજ થઈ ગઈ છે. ઓડિશાના બાલાંગિરમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ ફરી એકવાર બંધારણ અને લોકશાહી બચાવવાનો નારો આપ્યો અને ગરીબોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો. રાહુલ ગાંધીએ કહ્યું- અમે ક્રાંતિકારી કામ કરવા જઈ રહ્યા છીએ. આવું કામ આજ સુધી કોઈએ કર્યું નથી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 22 લોકોને અબજોપતિ બનાવ્યા છે પરંતુ અમે કરોડો લોકોને કરોડપતિ બનાવીશું.
अडानी को एयरपोर्ट और डिफेंस के कॉन्ट्रैक्ट मिलते हैं तो मीडिया कहता है- विकास हो रहा है।
मनरेगा लागू होता है, किसानों का कर्ज माफ़ होता है तो मीडिया कहता है- देखो गरीबों और किसानों की आदत बिगाड़ रहे हैं।
અહીં રાહુલ ગાંધીએ ફરી એકવાર દાવો કર્યો કે નરેન્દ્ર મોદી 4 જૂન પછી વડાપ્રધાન નહીં બને. આ સાથે તેમણે કહ્યું કે 4 જૂન પછી ભારતમાં ગઠબંધન સરકાર બનશે, અમારી સરકાર ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદ મહિલાઓની યાદી બનાવશે. તેમણે કહ્યું કે યાદી બને કે તરત જ અમારી ગેરંટી યોજના લાગુ કરવામાં આવશે.
नरेंद्र मोदी ने देश के अरबपतियों का 16 लाख करोड़ रुपए माफ किया है।
इन्होंने 24 साल के मनरेगा का पैसा 22 लोगों को दे दिया है, लेकिन आम जनता को कुछ नहीं दिया।
मोदी सरकार ने किसानों का कर्ज माफ नहीं किया, छात्रों का लोन माफ नहीं किया, छोटे व्यापारियों को तो लोन ही नहीं दिया।
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપના નેતાઓ અને વડાપ્રધાન મોદી પર બંધારણ અને અનામતને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓની લોન માફ કરી નથી, ખેડૂતોની લોન માફ કરી નથી, પરંતુ માત્ર તેના મિત્ર ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી તેમના મિત્રો માટે જ કામ કરે છે. તેમની સરકારમાં દલિતો અને પછાત લોકોની વાત સાંભળવામાં આવી રહી નથી.
अडानी को एयरपोर्ट और डिफेंस के कॉन्ट्रैक्ट मिलते हैं तो मीडिया कहता है- विकास हो रहा है।
मनरेगा लागू होता है, किसानों का कर्ज माफ़ होता है तो मीडिया कहता है- देखो गरीबों और किसानों की आदत बिगाड़ रहे हैं।
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા લોકોની પીડા અને જરૂરિયાતો પર આજે ધ્યાન આપવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવા દેવામાં આવી રહ્યો નથી. રાહુલે કહ્યું કે દિલ્હી સરકાર 90 અધિકારીઓ ચલાવે છે પરંતુ અહીં માત્ર ત્રણ અધિકારીઓ પછાત વર્ગના છે, એક આદિવાસી અને ત્રણ દલિત છે. તેમણે કહ્યું કે તમામ સરકારી નિર્ણયોમાંથી નેવું ટકા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. જેના કારણે ગરીબોને ન્યાય મળી રહ્યો નથી.
જાતિની વસ્તી ગણતરીની માંગ ચાલુ રહેશે
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં માત્ર મોટા લોકોની વાત સાંભળવામાં આવે છે, તમામ નીતિઓ તેમના અનુસાર બનાવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી હવે તેમાં મોટા ફેરફાર લાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ સામાજિક પરિવર્તન માટે અમારી પાર્ટી સૌથી પહેલા જાતિની વસ્તી ગણતરીની માંગ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં પ્રજાની સરકાર જાતિની વસ્તી ગણતરીથી જ શરૂ થશે.