નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન રામદેવ અને બાલકૃષ્ણ પર કોર્ટની માનહાનિનો કેસ ચાલશે કે નહીં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે. એ સાથે કોર્ટે IMAના અધ્યક્ષને કડક ફટકાર લગાવતાં તેમની માફીને પણ ઠુકરાવી દીધી હતી.
જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે પતંજલિને સવાલ કર્યો હતો કે જે દવાઓનાં લાઇસન્સને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, એ દવાઓને દુકાનોમાં વેચવા કે અટકાવવા માટે બજારથી પરત લેવા માટે તેમની તરફથી કયાં પગલાં લેવામાં આવ્યાં છે? કોર્ટે એને લઈને એક એફિડેવિટ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો. પતંજલિ તરફથી જવાબ આપતાં વકીલ બલબીર સિંહે કહ્યું હતું કે અમે એ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે આ સંદર્ભે ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.
જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે બાબા રામદેવ પર લોકોને વિશ્વાસ છે. તેમણે જનતાને ઓછી ના આંકવી જોઈએ. લોકો તેમની વાત સાંભળે છે અને અમલ પણ કરે છે. જસ્ટિસ કોહલીએ કહ્યું હતું કે યોગમેં તમારું અને મારી ટીમનું મોટું યોગદાન છે, પરંતુ પતંજલિની પ્રોડક્ટ એ એક અલગ મુદ્દો છે.
સુપ્રીમ કોર્ટે IMAના અધ્યક્ષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે એ જ કર્યું છે, જે બીજા પક્ષકારે કર્યું છે. તમે કોર્ટ વિશે કંઈ પણ ના કહી શકો. IMA અધ્યક્ષે કોર્ટની વિના શરતે માફી માગી હતી.
લોકસભા ચૂંટણીનો ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને બીજી બાજુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે BJP અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે.
આજે PM મોદી વારાણસી બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે એ પહેલા પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા અર્ચના કરી હતી. જે બાદ સવા દસ કલાક આસપાસ કાળ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી તેઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી 11:40ના પુષ્ય નક્ષત્રમાં વારાણસી ઉમેદવારી નોંધાવી હતી. પીએમના નોમિનેશન વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને એનડીએના તમામ નેતાઓ કલેક્ટર કચેરી હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વારાણસી પહોંચી હતા. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ આજે સવારે જ કાશી પહોંચી ગયા હતા. જ્યાં તેમને મોટી સંખ્યામાં સમર્થોકોની હાજરીમાં વારાણસીમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગઈકાલે PM મોદીએ બાબા વિશ્વનાથજીના ધામમાં રોડશોનું આયોજન કર્યુ હતું. જે બાદ કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. PM મોદીએ મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન છીલયું હતું.
નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCRએ) ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડમાં કેટલીય એવી મદરેસાઓ મળી છે, જ્યાં હિન્દુ બાળકોને ઇસ્લામ ધર્મનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સંદર્ભે NCPCR રાજ્યમાં બધા જિલ્લાધિકારીઓને દિલ્હી બોલાવવાની તૈયારીમાં છે.
NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ ટીમ પંચના અધ્યક્ષ કાનૂનગોએ બાળકોના અધિકારોને લઈને રાજ્યના 14 વિભાગોની સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે ટીમની સાથે દહેરાદૂનની અનેક મદરેસાઓનું સરપ્રાઇઝ પર ઇન્સેપ્શન કર્યું હતું. આ મદરેસાઓમાં તેમને ઘણી અનિયમિતતાઓ જોવા મળી હતી. પંચને દહેરાદૂનમાં પણ કેટલીક એવી મદરેસાઓ મળી હતી, જ્યાં અન્ય રાજ્યોમાંથી બાળકો લાવીને મદરેસાઓમાં રાખવામાં આવ્યાં હતાં.
પંચના અધ્યક્ષ કાનૂનગોએ પત્રકારોને જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ અને અલ્પસંખ્યક પંચની મિલીભગતને કારણે રાજ્યની 400થી વધુ મદરેસાઓ ગેરકાયદે રીતે ચાલી રહી છે. પંચે જે પણ અનિયમિતતાઓ મળી એના પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ મદરેસાઓ પર પંચ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુ બાળકોને ઇસ્લામ ધર્મનું શિક્ષણ
કાનનૂગોએ જણાવ્યું હતું કે NCPCRની ટીમે જ્યારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે તેમને એવી મદરેસાઓ મળી હતી, જેમાં હિન્દુ બાળકોને પણ ઇસ્લામ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.
મુંબઈ: સોમવારે મુંબઈમાં ભારે તોફાનના કારણે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં એક મોટી દુર્ઘટના થઈ હતી.મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો હતો અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા હતા. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.
આ હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક પેટ્રોલ પંપ પર પડ્યું જ્યાં ઘણા લોકો હાજર હતા.આ હોર્ડિંગ અંદાજે 17,040 ચોરસ ફૂટનું હતું અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BMC અનુસાર, તે સ્થાન પર ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (મુંબઈ રેલ્વે) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. BMCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી.”
બિલબોર્ડ બનાવનાર એજન્સી મેસર્સ ઇગો મીડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ BMCએ FIR નોંધી છે. BMCએ કહ્યું છે કે ત્યાં 40 x 40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કે જે હોર્ડિંગ પડ્યું તેનું કદ 120 x 120 ચોરસ ફૂટ હતું. BMC એ એજન્સી (M/s Ego) ને પરવાનગીના અભાવે તાત્કાલિક અસરથી તેના તમામ હોર્ડિંગ્સ દૂર કરવા નોટિસ જારી કરી છે.
હોર્ડિંગ્સ બરાબર દેખાય તે માટે 8 વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું
BMC હેડક્વાર્ટરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાત કરતા BMC કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું, ‘આ એક ગેરકાયદેસર હોર્ડિંગ છે. જે જગ્યાએ આ ઘટના બની ત્યાં રેલવેની જમીન પર ચાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને તેમાંથી એક પડી ગયું છે. BMC એક વર્ષથી હોર્ડિંગ્સ લગાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી. તેમણે કહ્યું,’છેડા નગર જંકશન પાસે 8 વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું હતું જેથી હોર્ડિંગ્સ યોગ્ય રીતે દેખાય. (ઝાડને સૂકવવા માટે તેના મૂળમાં રસાયણો નાખવામાં આવ્યા હતા.) આ સંબંધમાં BMCએ 19 મે, 2023ના રોજ FIR નોંધાવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂ.5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનો ટાવર તૂટી પડ્યો હતો. 4:22 વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ તેને બચાવ્યો.
BMCના જણાવ્યા અનુસાર, બાંદ્રામાં અન્ય એક ઘટનામાં, હિલ રોડ પર ખીમજી પેલેસ પાસે એક ઉંબરના ઝાડની ડાળી તૂટીને પડી હતી, જેના કારણે એસ્બેસ્ટોસની ચાદરમાંથી બનેલા શેડની નીચે બે વ્યક્તિઓ ફસાયા હતાં. આ ઘટનામાં 38 વર્ષીય અબ્દુલ ખાન ગંભીર રીતે ઘાયલ થયા અને 35 વર્ષીય ઈરફાન ખાનનું મોત થયું.મુંબઈમાં જોગેશ્વરી મેધવાડી વિસ્તારમાં ભારે પવનને કારણે વૃક્ષો મૂળથી ઉખડી ગયા હતાં.આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો અને એક ઓટોરિક્ષાને નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 91 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,600 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,379 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 115 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 679 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,2276 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
લોકોના ઘર વિશે એ ઘરમાં રહેતા કુટુંબના સભ્યોને જેટલી માહિતી હોય છે તેટલી બીજા કોઈને નથી હોતી. એ જ રીતે બે ભાગીદારો ભેગા કોઈ ધંધો કરતાં હોય ત્યારે એ ધંધા વિશે તેમજ ધંધાને લગતી જે કોઈ ગુપ્ત માહિતી હોય તે વિશે આ ભાગીદારોને જ ખબર હોય છે. આ કારણથી કુટુંબ અથવા મિત્રતા અથવા ભાગીદારી વિગેરેમાં જ્યારે ખટપટો ઊભી થાય અને અત્યાર સુધી એક સંપ રહી કામ કરતાં કુટુંબના સભ્યો જ એકબીજા સામે થઈ જાય ત્યારે આ મતભેદના કારણે તેમના બધા ભેદ ખૂલી જાય અને પરિણામે બહારનો શત્રુ અથવા પ્રતિસ્પર્ધી જીતી જાય.
ઇ.સ. 1757માં થયેલા પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલાની મોટી સેના સામે પ્રમાણમાં ઓછી સંખ્યામાં કહી શકાય એવા અંગ્રેજોએ જીત્યા તેના ત્રણ મુખ્ય કારણો હતા. પહેલું, અંગ્રેજ સેના શિસ્તબદ્ધ અને કેળવાયેલી હતી. બીજું, તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા અને ત્રીજું પણ સૌથી અગત્યનું કારણ સિરાજ-ઉદ-દૌલાનો સેનાપતિ મીર જાફર ફૂટી ગયો હતો જેને કારણે મોટી ખુવારીને અંતે સિરાજ-ઉદ-દૌલા હાર્યો અને પ્લાસીની આ જીતથી ઇસ્ટ ઈન્ડિયા કંપની અને અંગ્રેજ સલ્તનતનો મજબૂત પાયો નખાઈ ગયો. ઇતિહાસ નોંધે છે કે પ્લાસીના યુદ્ધમાં 700 અંગ્રેજ સૈનિકો, 100 તોપચી, 2100 ભારતીય સિપાહી, 100 ગનર, 50 નાવિકો અને 8 ગોલંદાજ હતા. તે સામે સિરાજ-ઉદ-દૌલા પાસે 15000 ઘોડેસવાર સૈનિકો અને 35000 ની સેના હતી.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અજય દેવગન- કાજોલની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ (૧૯૯૮) નું ટાઇટલ કહી શકાય એવું ગીત બની શક્યું ન હતું. જે બન્યું એના એક શબ્દનો ઉચ્ચાર વળી રેમોએ ખોટો કર્યો હતો એ પણ ધ્યાનથી સાંભળે કે ખબર હોય એ જ ઓળખી શકે એમ છે! નિર્દેશક અનીસ બઝમીએ અજય સાથે નિર્દેશક અને લેખક તરીકેની પહેલી ફિલ્મ ‘હલચલ’ (૧૯૯૫) બનાવી હતી. એ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. તેથી ત્રણ વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મનું નિર્દેશન મળ્યું નહીં. પણ લેખક તરીકે ફિલ્મો લખતા રહ્યા હતા. ‘હલચલ’ ના નિર્માતા ગોરધન તનવાનીએ જ ફરી અનીસને ‘પ્યાર તો હોના હી થા’ નું નિર્દેશન સોંપ્યું હતું. અનીસે જ્યારે અજય-કાજોલને ફિલ્મની ઓફર કરી ત્યારે એમણે પણ કામ કરવા હા પાડી દીધી હતી.
અનીસની પહેલી ફિલ્મ એમની સાથે જ ફ્લોપ રહી હોવા છતાં એમણે અનીસની કાબેલિયત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફિલ્મનું સંગીત જતીન-લલિત તૈયાર કરી રહ્યા હતા. જ્યારે ટાઇટલ ગીત તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે અનીસને એ પસંદ આવી રહ્યું ન હતું. અનીસે મુખડું ‘પ્યાર તો હોના હી થા’ વિચાર્યા પછી ત્રણ-ચાર ગીતકારો પાસે ટાઇટલ ગીત લખાવી જોયું. એ લખાઈને આવતું હતું ત્યારે મજા આવી રહી ન હતી. એમાં જે વાત બનવી જોઈએ એ બનતી ન હતી. ટાઇટલ ગીત અલગથી જરૂર બનાવવામાં આવ્યું હતું. કોઈ ગીતના શબ્દો જામતા ન હોવાથી આખરે માત્ર આલાપ સાથે ટાઈટલના શબ્દો ‘પ્યાર તો હોના હી થા’ રાખી રેમો ફર્નાન્ડિસ અને જસ્પિન્દર નરૂલા પાસે આલાપ સાથે ગવડાવવામાં આવ્યું હતું.
એમાં બન્યું એવું કે રેમો ટાઈટલના શબ્દોમાં ‘થા’ ને બદલે ‘તા’ ગાતો હતો. અનીસે એક મુલાકાતમાં આ રહસ્ય ખોલતા કહ્યું હતું કે રેમો પાસે ગીત ગવડાવવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણી વખત પ્રયત્ન કરવા છતાં એ ‘થા’ ગાઈ શક્યો ન હતો. એ ‘પ્યાર તો હોના હી તા’ જ ગાતો હતો. ગીતને જ્યારે ઘણી વખત સાંભળ્યું ત્યારે અનીસને થયું કે સારું જ લાગશે. અને એવું જ બન્યું. વર્ષોથી રેમોનું આ ગીત પાર્ટીઓમાં અને સ્ટેજ શૉમાં ગાવામાં આવે છે. અનીસની સૂચના મુજબ ટાઈટલના શબ્દો અન્ય ગીતમાં પણ રાખ્યા હતા.
સંગીતકાર જતીન- લલિત દ્વારા ‘જબ કિસકી તરફ દિલ ઝૂકને લગે’ ગીતમાં છેલ્લે ‘પ્યાર તો હોના હી થા’ શબ્દો ઉમેરી દેવામાં આવ્યા હતા. ત્યારે સંગીતકારનું કહેવું હતું કે ગીતમાં છેલ્લે માત્ર ટાઇટલના શબ્દો આવે એ અજીબ લાગશે. અનીસનું કહેવું હતું કે એ નવું લાગશે. ગીતનું રેકોર્ડિંગ કરવા જ્યારે કુમાર સાનૂ આવ્યા ત્યારે એમને કોઈ કાર્યક્રમમાં જવાનું હોવાથી ઉતાવળ હતી. જતીન- લલિતનું કહેવું હતું કે ગીત માટે એમણે ઘણી મહેનત કરી છે એટલે સમય આપવો પડશે. પણ સાનૂએ થઈ જશે એમ કહી ગાવાનું શરૂ કરી દીધું. પણ પછી સાનૂને થયું કે આ ગીત માટે સમય આપવો પડશે અને એમણે બીજા કાર્યક્રમો રદ કરી ઘણો સમય આપીને ગીતને સુપરહિટ બનાવી દીધું હતું.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.