Home Blog Page 1850

મુઘલ સલ્તનતના ઘમંડને ચકનાચૂર કરનાર મહારાણા પ્રતાપના જીવન વિશે જાણો

મેવાડના રાજા, મહાન યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. 9મી મેના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાંના એક ગણવામાં આવતા હતા અને તેઓ મુઘલો સામેની તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે.9મી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.

નોંધનીય છે કે મહારાણા પ્રતાપ જયંતિ દર વર્ષે 9 મેના રોજ એ મહાન યોદ્ધાના સન્માનમાં ઉજવવામાં આવે છે જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લડત આપી અને તેમના લોકોની સ્વતંત્રતાની રક્ષા કરી.આ દિવસે રાજસ્થાનના લોકો તેમના યોગદાનને યાદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહાન યોદ્ધાને શ્રદ્ધાંજલિ આપે છે.

ઈતિહાસ

મહારાણા પ્રતાપ સમ્રાટ રાણા ઉદય સિંહના પુત્ર અને અનુગામી હતા. 1572 માં તેમના પિતાના મૃત્યુ પછી વરિષ્ઠ દરબારીઓ માનતા હતા કે પ્રતાપ રાજા માટે આદર્શ ઉમેદવાર છે અને તેમના અસાધારણ ગુણો તે સમયે મુઘલો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. 1572 માં, મહારાણા પ્રતાપે તેમના પિતાની ગાદી સંભાળી અને મેવાડ પર શાસન કર્યું. અગાઉના રાજપૂત સમ્રાટોથી વિપરીત મહારાણા પ્રતાપે તેમનો સામનો કરતી વિશાળ મુઘલ સૈન્યનો પ્રતિકાર કર્યો, તેમના અંતિમ શ્વાસ સુધી બહાદુરીપૂર્વક લડ્યા.

તે રાજપૂતની બહાદુરી, ભક્તિ અને શૌર્યને તેના લોકો અને આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાણા પ્રતાપે અગિયાર મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, તેમને પાંચ પુત્રીઓ અને સત્તર પુત્રો હતા. તેમણે 1557 માં મહારાણી અજબદે પુનવાર સાથે પ્રથમ વખત લગ્ન કર્યા.તેમના સૌથી મોટા પુત્રનું નામ અમરસિંહ I હતું, જેઓ પાછળથી તેમના અનુગામી બન્યા અને મેવાડના શાસક બન્યા.

મહારાણા પ્રતાપ મેવાડના 13મા રાજા હતા. તે 25 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. મહારાણા પ્રતાપનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું અને તેમને જીવનભર ઘણી લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુઘલોએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો ત્યારે તેમના પિતાએ ભાગવું પડ્યું અને મહારાણા પ્રતાપને મુશ્કેલ સંજોગોમાં ઉછરવા પડ્યા. મહારાણા પ્રતાપ એક બહાદુર યોદ્ધા હતા, અને તેમણે તેમના રાજ્ય અને તેમના લોકોની સ્વતંત્રતાના રક્ષણ માટે મુઘલો સામે લડ્યા હતા.

હલ્દીઘાટીનું યુદ્ધ

18 જૂન 1576 ના રોજ, હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ સિંહ આમેરના માન સિંહ I ની આગેવાની હેઠળ અકબરની સેના સામે લડ્યા. મુઘલો જીત્યા અને મોટી સંખ્યામાં મેવાડીઓને મારી નાખ્યા, પરંતુ મહારાણા પ્રતાપને પકડવામાં નિષ્ફળ ગયા. આ યુદ્ધ ગોગુંડા નજીક એક સાંકડા પહાડી વિસ્તારમાં થયું હતું, જે હાલમાં રાજસ્થાનમાં રાજસમંદ તરીકે ઓળખાય છે. પ્રતાપ સિંહની તરફેણમાં લગભગ 3 હજાર ઘોડેસવારો અને 400 થી વધુ ભીલ તીરંદાજો હતા. અંબરનો માન સિંહ, જેણે 5-10 હજાર સૈનિકોની સેનાનું નેતૃત્વ કર્યું હતું, તે મુઘલ સેનાપતિ હતા. છ કલાકથી વધુ સમય સુધી ચાલેલા ભીષણ યુદ્ધ પછી મહારાણા ઘાયલ થયા.

મુઘલો ઉદયપુરમાં મહારાણા પ્રતાપ સિંહ અથવા તેમના કોઈ નજીકના પરિવારના સભ્યોને નષ્ટ અથવા કબજે કરવામાં અસમર્થ હતા,જેના કારણે હલ્દીઘાટીની જીત અર્થહીન હતી. જેમ જેમ સામ્રાજ્યનું ધ્યાન ઉત્તર-પશ્ચિમ તરફ ગયું તેમ પ્રતાપ અને તેની સેનાએ તેના આધિપત્યના પશ્ચિમી વિસ્તારો પર ફરીથી કબજો કર્યો. સંખ્યા 16 એ હકીકત હોવા છતાં કે પ્રતાપ સુરક્ષિત રીતે છટકી શક્યો હતો, યુદ્ધ બે સેનાઓ વચ્ચેના મડાગાંઠને તોડવામાં સફળ થયું ન હતું. આ પછી અકબરે રાણા સામે સંયુક્ત યુદ્ધ કર્યું અને તેના અંત સુધીમાં તેણે ગોગંડા, ઉદયપુર અને કુંભલગઢ પર કબજો કર્યો.

મહારાણા પ્રતાપનું મૃત્યુ

મહારાણા પ્રતાપ સિંહનું 19 જાન્યુઆરી 1597ના રોજ ચાવંડમાં 56 વર્ષની વયે શિકાર અકસ્માતમાં થયેલી ઈજાઓને કારણે અવસાન થયું હતું. તેમના સૌથી મોટા પુત્ર, અમરસિંહ I તેમના અનુગામી બન્યા. પ્રતાપે તેમના મૃત્યુ પથારીએ તેમના પુત્રને મુઘલોને શરણાગતિ ન આપવા અને ચિત્તોડ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે કહ્યું.

મુસ્લિમોનું ધુબરીમાં 92 ટકા મતદાનઃ દેશને દેખાડે છે રાહ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન 13 મેએ થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થશે. લોકસભા ચૂંટણી પહેલાં ત્રણ તબક્કામાં મતદાન મામલે આસામની ધુબરી લોકસભા સીટ સૌથી ઓગળ છે. ટર્નઆઉટ એપ મુજબ આ સીટ પર 92.08 ટકા મતદાન થયું હતું. ત્રણ તબક્કામાં 283 લોકસભા સીટો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે.

ધુબરી લોકસભા સીટને AIUDFના ચીફ બદરુદ્દીન અજમલનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર ગઈ ચૂંટણીમાં આશરે 91 ટકા મતદાન થયું હતું. આસામના ધુબરી લોકસભા સીટમાં કુલ મતદારોની સંખ્યા 26.43 લાખ મતદારો છે. અહીં સૌથી વધુ મતદારોની સંખ્યા બંગાળી મુસ્લિમોની છે.

આ સાથે આસામની બારપેટા લોકસભા સીટ પણ આ ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. આ સીટ પર ગઈ વખતે 86.6 ટકા મતદાન થયું હતું. આ વખતે અહીં 85.2 ટકા મતદાન થયું હતું. અહીં હવે આ વિસ્તારની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે અહીં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 35 ટકા છે.

પહેલાં અહીં મુસ્લિમ મતદાતોની સંખ્યા આશરે 60 ટકા હતી.ગુજરાતમાં માત્ર બનાસકાંઠા લોકસભા સીટ પર ગઈ વખત કરતાં વધુ મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એવી સીટોની સંખ્યા છ-છ રહી છે. UPમાં SPના ગઢ મૈનપુરી લોકસભા સીટ પર આ વખત કરતાં બે ટકા વધુ મતદાન થયું હતું.

 

 

 

 

 

 

 

 

વડોદરા બોટ દુર્ઘટના : કોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા

હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે ગુનો નોંધાયો હતો. એ પૈકી ચાર મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે.ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે.

ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતાં બોટ પલટી ખાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂ સનરાઈઝ શાળાનાં 25 બાળક અને 4 શિક્ષક બોટ ઉપર સવાર હતાં. તેમાંથી ઘણા લોકો પાસે લાઇફ સેવિંગ જેકેટ નહોતાં. બોટ હાલકડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતાં ડૂબી ગઈ હતી. 12 જેટલાં બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદારો વગેરેનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફ્ટીની તકેદારી રાખવામાં આવી નહોતી. આ કેસમાં 2700 પાનાંની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ છે.

બોટમાં બાળકો અને શિક્ષકો સેલ્ફી લેવા જતાં બોટ પલટી ખાઇ ગઇ હતી. શિક્ષિકાએ પણ વધુ બાળકોને બોટમાં બેસતાં અટકાવ્યા નહોતા. તળાવ ઉપર પિકનિક બસમાં 90 વ્યક્તિ આવી હતી. વર્તમાન ચાર મહિલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકા જેટલી ભાગીદારી ધરાવે છે. તેઓ સ્લીપિંગ પાર્ટનર્સ છે, જેથી અન્યનું ગુનાહિત કૃત્ય તેમની પર લાગુ પડે નહીં.સરકારી વકીલે ટ્રાયલ કોર્ટમાં ચારેય આરોપીના જામીન વિરુદ્ધ રજૂઆતો કરી હતી કે FSLના રિપોર્ટમાં દુર્ઘટના બોટ ડૂબવાથી થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. તળાવ 24 ફૂટ ઊંડું હતું, પૂરતી સુરક્ષા નહોતી. કંપનીને અલગ વ્યક્તિ કહી શકાય, આ ભાગીદારી પેઢી હતી. ભાગીદાર તરીકે તેની પણ સુરક્ષાની જવાબદારી બને છે.

સુરતના રિક્ષા ચાલકના પુત્રનું બોર્ડ પરિણામ ‘એ-વન’

સુરત: શહેરના પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિધાલયમાં ધો -૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા રિક્ષાચાલકના પુત્ર જીજ્ઞેશ ભાવેશભાઈ ડાભીએ ૯૪.૪૩ ટકા મેળવીને એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. જીજ્ઞેશનું પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પિતા ભાવેશભાઇ રિક્ષા ચલાવીને પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરે છે. ભાવેશભાઇના બીજા બે પુત્ર પણ અભ્યાસ કરે છે. જીગ્નેશ કહે છે, “હવે આગળ CAનો અભ્યાસ કરવો છે. મારા માતા-પિતાએ મારા માટે ખૂબ મહેનત કરી છે. CA બનીને હું એમનો બોજ હળવો કરીશ.

જીજ્ઞેશ રોજ આઠ કલાક મહેનત કરતો હતો. હવે આગળ વધુ મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

‘વજ્ર’નું નિ:શંક મનોબળ, ઝોંગરી પર્વત કર્યો સર

પ્રવાસ એટલે સ્વ સાથે મળવાની અનોખી તક. આજકાલના જુવાનિયાઓમાં ટ્રેકિંગ, સોલો ટ્રેકિંગનો જબર શોખ જોવા મળે છે. જો કે આપણે અહીં વાત કરવાની છે 3 વર્ષની ઉંમરના પ્રવાસ પ્રેમીની. કેમ નવાઈ લાગી? પણ આ બિલકુલ સાચી વાત છે. વજ્ર વિકી મેવાડા હજુ માંડ ત્રણ વર્ષનો છે ત્યાં પોતાના માતા પિતા સાથે ટ્રેકિંગ કરી કંચનજંઘા સુધી પહોંચી ગયો.

વિકી મેવાડા અને એમની પત્ની નેનસી લલ્લુવાડિયાને ડુંગરા ખેડવાની ગજબની અભિલાષા. પણ એમના આ શોખને ત્યારે બ્રેક વાગ્યો જ્યારે પુત્ર વજ્રનો જન્મ થયો. આ પ્રવાસી કપલ પહેલા તો અવારનવાર ટ્રેકિંગ પર જતા. પણ દીકરાના જન્મ પછી એ ઓછું થઈ ગયું. જો કે કુદરતીના સાથે ઘનિષ્ઠ લગાવને કારણે એમણે નક્કી કર્યુ કે પુત્રને પણ ટ્રેકિંગ લવર બનાવવો. જેથી એમણે નક્કી કર્યું કે પુત્ર વજ્ર મેવાડાનો ત્રીજો જન્મ દિવસ 3જા સૌથી ઊંચા પર્વત પર ઉજવવો. અને આ પવર્ત એટલે  કંચનજંઘા.

વજ્રની જન્મ તારીખ 29 નવેમ્બર 2020 છે. દુનિયા ત્રીજા સૌથી ઉંચા પહાડ સામે વજ્રના ત્રીજો જન્મ દિવસની ઉજવણી કરવા માટે વિકી અને તેમણો પરિવાર 6 દિવસનો ઝોંગરી ટ્રેક પ્રારંભ કરે છે. તેઓ બેંગલોરથી યુક્સોમ પહોંચે છે. જે સિક્કિમનું એક નાનું ગામ છે. ત્યાં તેમનું ટ્રેકિંગની સફર શરૂ થાય છે. જ્યાં યુક્સોમથી બખીમ (8500 ફૂટ), ફેડાંગ (10500 ફૂટ), ઝોંગરી (12700 ફૂટ), ઝોંગરી ટોપ (13500 ફૂટ) બખિમ પાછા યુક્સોમ પરત ફરે છે. આ ટ્રેકિંગ કુલ 54 કિલોમીટરનું છે.

વિકી મેવાડાના કહ્યા પ્રમાણે એમનો પુત્ર વજ્ર ઝોંગરી પહોંચનાર પ્રથમ 3 વર્ષનો બાળક છે જે સ્વાસ્થ્યની સમસ્યા વિના આ પર્વતની ટોચ પહોંચ્યો છે. વજ્રને આ ટ્રેકિંગ પૂર્ણ કરવવા માટે કિડ્સ હાઈકિંગ કેરિયરની જરૂર હતી. જો કે એ ભારતમાં ઉપલબ્ધ ન હતું. માટે તેમણે વિદેશથી મંગાવવું પડ્યું.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વિક્કી મેવાડા કહે છે કે, “મને પહેલેથી જ હળવા ફરવાનો ખૂબ જ શોખ માટે નવી નવી જગ્યાએ જવાનું ગમે. 2009થી હું ટ્રેકિંગ કરું છું લગ્ન પછી મારી પત્ની નેનશી પણ મારી સાથે જોડાયા. જ્યારે વજ્રનો જન્મ થયો ત્યારે અમે ખૂબ જ ખુશ હતા. વજ્ર એક વર્ષનો હતો ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે એની ત્રીજી બર્થડે ઝોંગરી પર્વત પર જઈને ઉજવીશું. પછી એ તરફ તૈયારી શરૂ કરી વજ્ર જેમ જેમ મોટો થતો ગયો એમ અમે એને ટ્રેનિંગ આપતા”.

“ઝોંગરી ટ્રેકિંગ પર જતા પહેલા પ્રેક્ટિસના ભાગરૂપે વજ્ર માતા પિતા સાથે 3000થી 4000 ફૂટની ઉંચાઈ પર બેંગ્લોરમાં નજીકના સ્થળે જઈ આવ્યો છે. જેના કારણે ઝોંગરી જતા એને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી”. વિકી ભાઈ કહે છે, “ટ્રેકિંગના 6 દિવસ દરમિયાન આમારી સાથે વજ્રે ખુબ જ એન્જોય કર્યું. હવે અમે વજ્રના ચોથા જન્મ દિવસ માટે નેપાળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. એ ઉપરાંત આઠ કે દસ વર્ષની ઉંમરમાં નેપાળમાં અન્નપૂર્ણા હિલ્સ પર જવાનો પણ વિચાર છે. ટ્રેકિંગ દરમિયાન અમને જીવનભરનું સંભારણું મળ્યું. મારા દીકરા વજ્રનો જન્મ દિવસ અમને જીવનભર યાદ રહેશે. જેનું અન્ય એક કારણ એ પણ છે કે ત્યાંના ગાઈડે બૌદ્ધ ધર્મ પ્રમાણે પૂજા પણ કરાવી હતી. યુક્સોમ ગામના લોકોના મતે પ્રમાણે ઝોંગરી જનાર વજ્ર સૌથી નાનો બળક છે”.

જ્યારે વિક્કી મેવાડાના પત્ની નેનસી લ્લુવાડીયાએ ચિત્રલેખા.કોમને કહ્યું “વજ્ર ખુબ નાનો છે પરંતુ પોતાની જાતને પ્રોટેક્ટ પણ કરે છે. ટ્રેકિંગ દરમિયાન એ પોતાના હાથમાં સ્ટીક અને પથ્થર રાખતો”.

ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી, ચોંકાવનારો ખુલાસો

ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ મુસ્લિમોની સંખ્યામાં પણ વધારો થયો છે. સરકારી પેનલે 65 વર્ષનો અભ્યાસ કર્યો છે, જેમાં આ વાત સામે આવી છે. માત્ર ભારતમાં જ નહીં નેપાળ અને મ્યાનમારમાં પણ હિન્દુઓની સંખ્યા ઘટી છે. અભ્યાસ મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો 10 ટકા છે.

આ અભ્યાસ 1950 અને 2015 વચ્ચે ભારતમાં વસ્તી વિષયક ફેરફારો વિશે માહિતી પ્રદાન કરે છે. ભારતમાં એક તરફ હિંદુઓની સંખ્યામાં ઘટાડો થયો છે, તો બીજી તરફ લઘુમતી મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખોની સંખ્યામાં વધારો થયો છે. 1950 અને 2015 ની વચ્ચે ભારતમાં મુસ્લિમ વસ્તીમાં 43.15%નો વધારો થયો છે. જ્યારે ખ્રિસ્તીઓમાં 5.38%નો વધારો, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં થોડો વધારો જોવા મળ્યો હતો.

અભ્યાસ શું કહે છે?

અભ્યાસ મુજબ 1950માં હિન્દુઓની વસ્તી 84.68% હતી જે 2015માં ઘટીને 78.06% થઈ ગઈ. મ્યાનમાર બાદ ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ ઘટી છે. મ્યાનમારમાં પણ હિંદુઓની વસ્તીમાં 10%નો ઘટાડો થયો છે. 167 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ સૌથી વધુ છે. માલદીવ સિવાય ભારતીય ઉપખંડના તમામ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં તેમનો હિસ્સો વધ્યો છે.

1971માં અસ્તિત્વમાં આવેલા બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે. બહુમતી ધાર્મિક જૂથના હિસ્સામાં આ સૌથી મોટો વધારો છે. પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. નેપાળમાં ત્રણ મુખ્ય ધર્મોમાંથી બહુમતી હિંદુ વસ્તીનો હિસ્સો 4 ટકા ઘટ્યો, જ્યારે બૌદ્ધ વસ્તીનો હિસ્સો 3 ટકા ઘટ્યો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં 2 ટકાનો વધારો થયો.

કોવિડમાં વિના જરૂરત દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવામાં આવીઃ WHO

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોવિડ રોગચાળાને કારણે જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ થયા હતા, એમાંથી માત્ર આઠ ટકા એવા હતા, જેમને બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું અને તેમને એન્ટિબાયોટિક્સની જરૂર હતી, પરંતુ વધારાની સાવધાનીને નામે આશરે 75 ટકા દર્દીઓને એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવી હતી, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધ્યયનમાં આ વાતના પુરાવા મળ્યા છે.   

કોવિડ19 રોગચાળા દરમ્યાન આપવામાં આવેલી એન્ટિબાયોટિક્સે સુપરબગ એટલે કે એન્ટિબાઇકોબ્રિયલ રેઝિસ્ટન્સ (AMR)ને ઓર વધુ ફેલાવી દીધા હતા. AMR એક પ્રકારે એન્ટિસિપેટરી ક્ષમતા છે, એન્ટિબાયોટિક્સ શરીરમાં જવાથી પેદા થાય છે. આ કારણે શરીર પર દવાઓ ખાસ કરીને એન્ટિબાયોટિક્સની અસર ઓછી થઈ જાય છે.   

પશ્ચિમી પ્રશાંત વિસ્તારમાં સૌથી ઓછી આશરે 33 ટકા દર્દીઓને એન્ટિબાયોટિક આપવામાં આવતી, જ્યારે પૂર્વ ભૂમધ્યસાગર ક્ષેત્ર અને આફ્રિકામાં 83 ટકા દર્દીઓને એ દવાઓ આપવામાં આવી હતી. 2020થી 2022ની વચ્ચે યુરોપ અને અમેરિકામાં ડોક્ટરોએ દર્દીઓ માટે ઓછી એન્ટિબાયોટિક દવાઓ લખી, જ્યારે આફ્રિકામાં એ દર વધાર્યો હતો. સૌથી વધુ એન્ટિબાયોટિક એ દર્દીઓને આપવામાં આવેલી, જેમાં કોવિડનાં લક્ષણો તીવ્ર હતા. એની સંખ્યા આશરે 81 ટકા રહી હતી. મધ્યમથી ઓછી તીવ્રતાવાળા કોવિડ લક્ષણોના દર્દીઓને પણ આફ્રિકામાં 79 ટકા એન્ટિબાયોટિક આપવામાં આવી હતી.

UNના આરોગ્ય સંસ્થાના AMRના સર્વેલન્સ, એવિડન્સ એન્ડ લેબોરેટરી યુનિટના પ્રમુખ ડો. સિલ્વિયા બરટૈગ્નોલિયોએ કહ્યું હતું કે જો દર્દીને ખાસ જરૂર હોય તો ઠીક પણ ના જરૂર હોય, ત્યારે દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે તો એનો લાભ ખાસ થતો નથી, પણ જોખમ વધુ રહેતું હોય છે અને એનો ઉપયોગ AMRનો પ્રસારને પણ વધારતો હોય છે. WHOનો આ રિપોર્ટ જાન્યુઆરી, 2020થી માર્ચ 2023ની વચ્ચે 65 દેશોમાં કોવિડને કારણે ભરતી થયેલા આશરે 4.5 લાક દર્દીઓના આંકડા પર આધારિત છે.

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતના આ બૂથ પર ફરીથી થશે મતદાન, જાણો કેમ ?

ગુજરાતના દાહોદ લોકસભા મતવિસ્તારના બૂથ નંબર 220 પર 11 મેના રોજ ફરી મતદાન થશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપના સ્થાનિક નેતાના પુત્રએ બૂથની અંદર લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. આ પછી ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વિજય ભાભોર નામના વ્યક્તિએ તેને બૂથની અંદરથી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી દીધો હતો. આરોપ છે કે તેણે લગભગ ચાર મિનિટ સુધી વીડિયો લાઈવ કર્યો અને બાદમાં તેને હટાવી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો.

બાદમાં વિજય ભાભોર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વિજયની ધરપકડ પણ કરી હતી. એબીપી અસ્મિતાના જણાવ્યા અનુસાર, દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવિયાડે ફરી મતદાનની માંગ કરી હતી. આ પહેલા મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિજય ભાભોર 7 મેના રોજ સાંજે 5.49 વાગે મતદાન મથક પર ગયા હતા અને ત્યાંથી સાંજે 5.54 વાગે રવાના થયા હતા. આ પાંચ મિનિટ દરમિયાન જ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ ગયો હતો.

શેરબજાર ધડામ..સેન્સેક્સ 1062 અને નિફ્ટી 335 પોઈન્ટ તૂટ્યો

આજે શેરમાર્કેટમાં ફરી ઉથલપાથલ જોવા મળી છે. ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. આજે સવારે તે મર્યાદિત રેન્જમાં ખુલ્યું હતું, જેના કારણે રોકાણકારો બજારમાં વૃદ્ધિની અપેક્ષા રાખતા હતા. પરંતુ બપોરે 1 વાગ્યે બજારમાં ભારે ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ 1062.22 પોઈન્ટ અથવા 1.45 ટકા ઘટીને 72,404.17 પર આવી ગયો હતો. નિફ્ટી પણ 335.40 પોઈન્ટ અથવા 1.5 ટકાના ઘટાડા સાથે 21,967.10 પર બંધ રહ્યો હતો.

BSE સેન્સેક્સ 73000 ની નીચે અને નિફ્ટી 22000 ની નીચે સરકી ગયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ શોક છે. ઇન્ડિયા વિક્સ લગભગ 7 ટકાના ઘટાડા સાથે એક વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

રોકાણકારોને રૂ. 7 લાખ કરોડનું નુકસાન થયું

શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 393.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં કુલ 3943 શેરનો વેપાર થયો હતો જેમાં 929 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2902 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 112 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

 

Nutshell In 99