Home Blog Page 1860

મતદારોને તુલસી રોપાનું કરાયું વિતરણ, જાણો ક્યું કેન્દ્ર બન્યું ગ્રીન મતદાન મથક

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યૂં છે. રાજ્યમાં 24.35 ટકા મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આણંદમાં 11 વાગ્યા સુધીમાં 26.88 ટકા મત થયું છે. જ્યારે આણંદના વાંસકુવા મથક ખાતે મતદાન માટે લોકોને પ્રેરણા આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં લોકો મતદાન કરવા પર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ગ્રીન બુથ ખાતે ડોડીના રોપા રોપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મતદાન કેન્દ્રને એક મત એક વૃક્ષના નારા સાથે ગ્રીન મતદાન મથક કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે બીજી બાજુ અમદાવાદ પૂર્વ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારના બુથ પર પ્રોત્સાહનના ભાગરૂપે મતદાન કરનાર મતદાતાઓને તુલસીના છોડ આપવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે 1.85 લાખ મતદાન મથકો પર કુલ 17.24 કરોડ મતદારો તેમનો મતાધિકાર આપવા માટે પાત્ર છે.

ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 કલાક સુધી 25.41 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં  રાજ્યમાં 11 કલાક- ચાર કલાક સુધી  25.41 ટકા મતદાન થયું હતું. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સવારના મતદાન કરી દીધું હતું. આ મતદાન થકી ત્રીજા તબક્કામાં 120 મહિલાઓ સાથે 1300થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

ત્રીજા તબક્કામાં આસામમાં 27,34 ટકા, બિહારમાં 24.42 ટકા, છત્તીસગઢમાં 29.90 ટકા, દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં 24.69 ટકા, ગોવામાં 30.94 ટકા, ગુજરાતમાં 24.35 ટકા, કર્માટકમાં 24.48 ટકા, મધ્ય પ્રદેશમાં 30.21 ટકા, ઉત્તર પ્રદેશમાં 26.12 ટકા, મહારાષ્ટ્રમાં 18.18 ટકા અને પશ્ચિમ બંગાળમાં 32.82 ટકા મતદાન થયું છે.

આ સાથે પશ્ચિમ બંગાળની ચાર લોકસભાની સીટ પર મુખ્ય ચૂંટણી અધિકારીએ (CEO)એ જણાવ્યું હતું કે અત્યાર સુધી 182 ફરિયાદો નોંધવામાં આવી છે, એમાંથી અમે 16 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. બાકી ફરિયાદો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્ય પોલીસના 13,600 કર્મચારીઓની સાથે કેન્દ્રીય દળોની 334 ટુકડીઓ તહેનાત કરી છે. ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે 10 સીટોમાંથી ત્રણ સીટો પર મુલાયમ સિંહ યાદવનો પરિવાર લડી રહ્યો છે, જેમાં મૈનપુરી, ફિરોઝાબાદ અને બદાયું સામેલ છે. યાદવ પરિવાર મુલાયમ સિંહની વિરાસતને આગળ વધારવા ચૂંટણી મેદાનમાં છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે મત આપ્યો હતો. મત આપ્યા પછી અખિલેશે કહ્યું હતું કે ભાજપવાળા જાણીબૂજીને ગરમીઓમાં મત નખાવી રહ્યા છે. આ મત તમારું જીવન બદલી શકે છે. બધા મતદાતાઓને મતદાન કરવા હું અપીલ કરું છે. આ મતથી બંધારણ મજબૂત થશે.

આ સાથે આજના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંહ, મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા પ્રહલાદ જોશી, એસ. પી. બઘેલનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે.

 

 

 

 

 

 

રાજકોટ બેઠકના બંન્ને ઉમેદવારોએ અમરેલીમાં કર્યું મતદાન

રાજકોટ: લોકસભાની ચૂંટણી-2024માં રાજકોટ બેઠકના બંને મુખ્ય ઉમેદવારો ખુદને મત ન આપી શક્યા. આવી ઘટના પ્રથમ વખત બની છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલી બેઠક માટે મતદાન કર્યું છે.લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મિશ્ર પ્રતિસાદ મતદારોમાં જોવા મળ્યો છે. ક્યાંક મતદારોની કતારો તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી છે. દરમિયાન આખી ચૂંટણીમાં સૌથી વધુ જેમના નામની ચર્ચા થઈ તેવા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ખુદ તેમને મત આપી શક્યા નથી. રૂપાલા અને તેમના હરીફ કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું.રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય આંદોલનમાં છેવટ સુધી સમાધાન થયું નથી. આજે સવારે રૂપાલા એ અમરેલી પાસે આવેલા તેમના ગામ ઇશ્વરિયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું તો વિધાનસભા ના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ અમરેલીમાં મતદાન કરી રાજકોટ મત વિસ્તારમાં પહોંચ્યા હતા. રાજકોટ લોકસભાના આ બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ખુદ પોતાને મત આપી શક્યા નથી. રાજકોટ લોકસભા બેઠક ઉપર આવું પહેલીવાર બન્યું છે.રાજકોટમાં આજે સવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હરિહર સોસાયટીમાં મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું આ સમયે તેમણે ભાજપને 400થી વધુ અને ગુજરાતમાં તમામ બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયા અને ભાનુબેન બાબરીયાએ રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની શાળામાં મતદાન કર્યું હતું. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વેરાવળ પાસે સૂપાસી ગામમાં મતદાન કર્યું હતું. રાજકોટ બેઠક પર 11 વાગ્યા સુધીમાં 24.56 ટકા મતદાન થયું છે. બપોરે ગરમીના લીધે મતદાન ધીમું પડવાની સંભાવના છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)

CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન

રાજ્યમાં મતદાન મથકો સવારે 7 વાગ્યાથી જ ધમધમતા થઈ ચૂંક્યા છે. અમદાવાદના રાણીપ ખાતે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું હતું. તો રાજ્યના મુખ્ય મંત્રી શીલજ ખાતે મતધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલે સાથે મતદાન કર્યું. ભૂપેન્દ્ર પટેલ મતદાન મથક પર મત આપવા માટે તેઓ કતારમાં ઉભા જોવા મળ્યા હતા.મતદાન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મેં પણ મતદાન કર્યું છે. મતદાન કરવાની અમારી જવાબદારી છે. તમે બધાએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે મતદાન કરવું જોઈએ…”

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે 1.85 લાખ મતદાન મથકો પર કુલ 17.24 કરોડ મતદારો તેમનો મતાધિકાર આપવા માટે પાત્ર છે.

તમાશાને તેડું ના હોય

   

     તમાશાને તેડું ના હોય

 

માણસ જન્મજાત કૌતુકપ્રિય છે. કુતૂહલ પ્રેરે અને કંઈક ને કંઈક નવું હોય એ બાબત એને હમ્મેશાં આકર્ષિત કરે છે. ભગવદગોમંડલ મુજબ તમાશા શબ્દનો અર્થ થાય ‘ઘણા લોકો જોવા મળે એવો ખેલ અથવા રમત’. આમ, આ પ્રકારની કોઈ ઘટના ઘટી રહી હોય ત્યારે માનવસહજ કુતૂહલ અથવા રસથી પ્રેરાઈને લોકો ભેગા થવા માંડે છે. મદારી અથવા બાજીગર પોતાનું કરતબ બતાવતા હોય કે પછી ભવાઇ કે શેરી નાટક ભજવાતું હોય, ધીરે ધીરે લોકો ભેગા થવા માંડે છે.

આ ભેગા થવાની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એને માટે કોઈ આમંત્રણપત્રિકા અથવા પાસ છપાવવા પડતા નથી. કોઈને આગોતરું આમંત્રણ પણ આપવું પડતું નથી. એટલે કહેવત પડી ; તમાશાને તેડું ના હોય’. ક્યારેક બે માણસો ઝગડતા હોય ત્યારે પણ એ તમાશો જોવા આજુબાજુ લોકોનું ટોળું ભેગું થતું હોય છે એટલે તે અર્થમાં પણ આ કહેવત વાપરી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

મતાધિકારનો ઉપયોગ કરતા BAPS સંસ્થાના સંતો

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોએ સવારના 7 વાગ્યા આસપાસ મતદાન કર્યું હતું.

ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા charity begins at homeના ન્યાયે અટલાદરા મંદિર ખાતે સેવારત પચાસ સંતોએ પણ સવારની શણગાર આરતી બાદ તુરંત 07.30 વાગ્યે  અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યા સ્વામી સહિતના 50થી વધુ સંતો પોતાનો કિંમતો વોટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે BAPSના સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સમસ્ત સમાજને તથા સવિશેષ સંસ્થાના તમામ હરિભક્તોને પ્રાતઃ કાળે સર્વ પ્રથમ મતદાન કરવાની હાકલ કરી હતી.

જેમાં વયોવૃદ્ધ પંચ્યાસી વર્ષીય દેવ સ્વરૂપ સ્વામી,વડીલ સંત રાજેશ્વર સ્વામી, કોઠારી ભાગ્ય સેતુ સ્વામી તથા જાણીતા મોટીવેશનલ વક્તા ડો. જ્ઞાન વત્સલ સ્વામી  સહીત સંતો સમસ્ત સહર્ષ સહભાગી થઈ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી.

‘ડર’ ની નકારાત્મક ભૂમિકાથી અનેક અભિનેતા ડરી ગયા

યશ ચોપડાની ફિલ્મ ‘ડર (અ વાયોલન્ટ લવ સ્ટોરી)’ (૧૯૯૩) અનેક અભિનેતાઓએ નકારાત્મક ભૂમિકા હોવાથી ઠુકરાવ્યા બાદ શાહરૂખ ખાનને મળી હતી. એટલું જ નહીં શાહરૂખે પણ એક કારણથી પહેલાંના પાડી હતી. યશજીના પુત્ર ઉદય ચોપડા અને રિતિક રોશન વચ્ચે મિત્રતા હોવાથી એક વખત હોલિવૂડનીફિલ્મ ‘ડેડ કાલ્મ’ (૧૯૮૯) જોઈ અને એના પરથી હિન્દી ફિલ્મ બનાવવા સૂચન કર્યું. ત્યારે રિતિકે જ વિષયને ધ્યાનમાં રાખીને યશજીને ‘ડર’ નામ સૂચવ્યું હતું. યશજીને એ પસંદ આવ્યું હતું. ઘણાએ એમને કહ્યું હતું કે આવું તે કંઇ ટાઇટલ હોય.

યશજીએ હની ઈરાની અને જાવેદ સિદ્દીકી પાસે સ્ક્રિપ્ટ લખાવ્યા પછીઅભિનેતાઓની પસંદગી શરૂ કરી એમાં ‘સુનીલ મલ્હોત્રા’ તરીકે સની દેઓલ નક્કી થઈ ગયો હતો. એનેપણ પહેલાં શાહરૂખવાળી ભૂમિકા જ ઓફર થઈ હતી. એ નકારાત્મક હોવાથી પોતાની ઈમેજને અનુકૂળમાની ન હતી. યશજીએ ‘રાહુલ મહેરા’ ની નકારાત્મક ભૂમિકા માટે સૌથી પહેલાં સંજય દત્તને યોગ્ય માન્યો હતો. એ વખતે સંજય નકારાત્મક ભૂમિકામાં ‘ખલનાયક’ કરી જ રહ્યો હતો અને બીજું કારણ તે મુંબઈ બોમ્બ ધડાકાના કેસમાં સંડોવાયેલો હતો એટલે શક્ય ના બન્યું. હની ઈરાનીએ એક મુલાકાતમાં કહ્યું છે કે આમિર ખાનને એમણે વાર્તા સંભળાવી હતી. એ પસંદ આવી હતી. ફિલ્મનું મહુરત એની સાથે જ થયું હતું.

આમિરે એક મુલાકાતમાં કહ્યું છે કે એણે યશજી સામે એની ભૂમિકા અને વાર્તા બાબતે કેટલીક દલીલ કરી હતી. સની
દેઓલ સાથે બેસીને વાર્તા સાંભળવાની માંગ પણ કરી હતી. જે સ્વીકારવામાં આવી ન હોવાથી એણે ફિલ્મ છોડી દીધી હતી. ફિલ્મ માટે અજય દેવગનનો વિચાર થયો હતો. એ પણ ત્યારે હકારાત્મક ભૂમિકાઓ જ પસંદ કરતો હતો. ‘ડર’ ની નકારાત્મક ભૂમિકા કરવાનું જોખમ લેવા માગતો ન હતો. છેલ્લે શાહરૂખ પાસે ભૂમિકા પહોંચી હતી.

યશજીએ ઉદય ચોપડાને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે શાહરૂખ ત્યારે એક ‘અંજામ’ અને બીજી અનામ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. એ બંનેમાં તેની નકારાત્મક ભૂમિકા જ હતી. બીજી ફિલ્મ પાછળથી બંધ થઈ ગઈ હતી. યશજીએ એને કહ્યું હતું કે તારી બંને ફિલ્મોથી ‘ડર’ ની વાર્તા અલગ છે. એક વખત તું વાર્તા સાંભળ્યા પછી નિર્ણય લે. શાહરૂખે વાર્તા સાંભળ્યા પછી હામી ભરી દીધી હતી. જુહી ચાવલાની ભૂમિકા માટે પણ ઘણી હીરોઈનો સાથે વાત થઈ હતી.

ડ્રેસ ડિઝાઇનર નીતા લુલ્લાએ એક મુલાકાતમાં કહ્યું છે કે યશજીએ ઐશ્વર્યાનો લુક ટેસ્ટ પણ લીધો હતો. ત્યારે ઐશ્વર્યા ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા માટે જઈ રહી હોવાથી એમને ખ્યાલ આવી ગયો હતો કે મેળ પડે એમ ન હતો. આમ તો છેલ્લે દિવ્યા ભારતી નક્કી થઈ હતી. પરંતુ આમિરે જુહી ચાવલાની ભલામણ કર્યા પછી એ હીરોઈન બની હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

ચૂંટણી 2024 : PM મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. આજે રાજ્યની 25 લોકસભા બેઠકો માટે પણ મતદાન શરૂ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કુલમાં પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે રાણીપમાં હાજર હતા અને તેમણે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ.

પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું

પીએમ મોદીએ અમદાવાદ પહોંચીને મતદાન કર્યું હતું. આ દરમિયાન અમિત શાહ પણ પોલિંગ બૂથની બહાર હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી ચૂંટણી લડી રહ્યા છે.

 

ત્રીજા તબક્કા માટે મતદાન શરૂ, PM મોદીએ કરી અપીલ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય ક્ષેત્રના મતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે. ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ સુધીમાં,પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં 263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે. ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે (25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે) અને ગોવામાં (2 બેઠકો), અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (1-1 બેઠક).

 

પીએમ મોદીએ કહ્યું- વોટિંગનો રેકોર્ડ બનાવો

પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.