Home Blog Page 1867

સંજય લીલા ભણસાલી તેમના પિતાની આ છેલ્લી ઇચ્છા પૂરી કરી શક્યા નહીં

મુંબઈ: સંજય લીલા ભણસાલી એક એવા ફિલ્મ મેકર છે, જે શાનદાર ફિલ્મ બનાવવા અને વાર્તાઓને સુંદરતાથી વ્યક્ત કરવા માટે જાણીતા છે. નેટફ્લિક્સ પર તેમની પહેલી વેબ સીરિઝ ‘હીરામંડી:ધ ડાયમંડ બાજાર’આ વાતને સાબિત કરે છે. હીરામંડીને લોકો પસંદ કરી રહ્યાં છે. જેમાં ભણસાલીએ પોતાની જાદુઈ દુનિયા લોકોને બતાવી છે.

 

શોમાં મોટા અને સુંદર સેટ, શાનદાર દ્રશ્યો, શાનદાર સંવાદો, અદભૂત કેમેરા વર્ક અને શાનદાર સંગીત છે. આ દર્શાવે છે કે ભણસાલી એક ઉત્કૃષ્ટ દિગ્દર્શક છે, જે ભારતીય વાર્તાઓને વિશિષ્ટ રીતે કેવી રીતે રજૂ કરવી તે જાણે છે. જો કે ભણસાલી પોતાની ફિલ્મોમાં લાગણીઓને સારી રીતે દર્શાવવામાં માહેર છે, પણ કહેવાય છે કે તેમના પિતા નવીન ભણસાલી ક્યારેય સફળતા મેળવી શક્યા નથી. હવે તેના નવા ઈન્ટરવ્યુમાં ભણસાલીએ તેના પિતાની છેલ્લી ઈચ્છા પૂરી ન કરી શકવાની ભાવનાત્મક ઘટના શેર કરી છે.

કોણ હતા નવીન ભણસાલી

ભણસાલીના પિતા નવીન ભણસાલી નિર્માતા હતા. તે પોતાની કારકિર્દીમાં વધુ સફળતા મેળવી શકયા ન હતા. નવીન ભણસાલીની છેલ્લી ફિલ્મ ‘જહાજી લૂંટેરા’ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ડાયરેક્ટર આકુએ બનાવી હતી. આ ફેન્ટસી એક્શન ફિલ્મમાં અનવર હુસૈન, શશિકલા, મારુતિ રાવ અને પી જયરાજે કામ કર્યું હતું. સંજય લીલા ભણસાલીએ ધ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના પિતાને યાદ કર્યા હતા.

પિતાની ઈચ્છા પૂરી ન કરી શક્યા

ભણસાલીએ જણાવ્યું કે જ્યારે તેમના પિતા નવીન ખૂબ બીમાર હતા ત્યારે તેમણે તેમના પુત્ર સંજય પાસેથી કંઈક ખાસ માંગ્યું હતું.તેને એક ટ્રાઈબલ સિંગરની કેસેટ જોઈતી હતી, જે દેશના ભાગલા પછી ભારતના બીજા ભાગમાં જતો રહ્યો હતો, જ્યાં તેનો પરિવાર હતો. તે પ્રખ્યાત ગાયિકા રેશ્માનું ગીત ‘હયો રબ્બા’ સાંભળવા માંગતા હતાં. ભણસાલીએ કહ્યું કે રેશ્માનો અવાજ કાચો અને તાલીમ વગરનો હતો. વિભાજન પછી રેશમા પાકિસ્તાનમાં રહેતી હતી, જ્યાં ભણસાલીના પરિવારના મૂળ પણ હતા.

મૃત્યુ પહેલા નવીન ભણસાલી ‘હયો રબ્બા’ ગીત સાંભળવા માંગતા હતા. પરંતુ જ્યારે યુવાન સંજય લીલા ભણસાલી તેના પિતા માટે કેસેટ લઈને પાછા ફર્યા ત્યારે તેના પિતા બેભાન અવસ્થામાં પડ્યા હતા અને તરત જ કોમામાં ચાલ્યા ગયા હતા. સંજય લીલા ભણસાલીએ જોઈને સ્તબ્ધ થઈ તેની સામે જોયું,એક યાદ જે આજે પણ તેની સાથે છે. સંજય લીલા ભણસાલીએ કહ્યું,’તે કોમામાં ચાલ્યા ગયા હતા. મારી પાસે હૈયો રબ્બા ગીત વગાડવાની જગ્યા નહોતી અને મારી માતા મને ગીત વગાડવાનું કહેતી હતી.ભણસાલીના કહેવા પ્રમાણે તેમના પિતા તેમના મૂળ સાથે જોડાયેલા અનુભવવા માંગતા હતા, તેથી તેમણે આ ગીત સાંભળવાનું પસંદ કર્યું હતું. દિગ્દર્શકે કહ્યું,’જીવન ખૂબ જ આકર્ષક છે, શું ફિલ્મો ક્યારેય તેને પકડી શકશે?’

2024 Q1માં સોનાએ તોડ્યા રેકોર્ડ!

હાલ સોનામાં ઉત્તાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતોમાં વધારો થવા છતાં જ્વેલરી માર્કેટમાં માત્ર 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ETFsના કારણે સોનામાં રોકાણની નવી તકો જોવા મળી રહી છે.

ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 136 ટન સોનાનો વપરાશ કર્યો હતો. ભારતમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગમાં 8 ટકાનો વધારો થયો છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 126 ટનનો વપરાશ થયો હતો. પહેલા ક્વાર્ટરમાં 75470 કરોડ રૂપિયાનો સોનાનો બિઝનેસ થયો હતો. આ સમયગાળા દરમિયાન સોનાના બિઝનેસમાં 20-21 ટકાનો વધારો થયો છે. જ્વેલરી વિભાગમાં લગભગ 95.5 ટનનો વપરાશ થયો છે.

સોનાની લગડીઓ અને સિક્કાઓના વેચાણમાં 19 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સોનાની કિંમતો અગાઉના ક્વાર્ટર સાથે સરખામણી કરીએ તો આ કિંમતોમાં 32%નો વધારો થયો છે. ETFs AUMમાં પણ ઉછાળો આવ્યો છે. સોનાની વાર્ષિક વૃદ્ધિ ખૂબ જ મજબૂત રહી છે. સોનાને ભૌગોલિક રાજકીય કટોકટી અને કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીનો ટેકો મળી રહ્યો છે. આરબીઆઈએ 2023માં 16 ટન સોનું ખરીદ્યું હતું. જેની સામે 2024ના પહેલા જ ક્વાટરમાં RBIએ 19 ટન સોનાની ખરીદી કરી છે.

ભૌગોલિક તણાવને લઈને સોનાની કિંમતો ઉત્તાર-ચઢાવ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે સોનામાં સ્થિર રોકાણ માટે લોકોનો અભિગમ બદલાયો હોયો તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ અક્ષય ત્રિતિયા નજીક આવી રહી છે ત્યારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. વધતા ભાવને જોઈ સોના ચાંદીનો ટ્રેડ કેવો રહેશે જોવાનું રહ્યું.

રાજ્યની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 26 ટકાનો ગુનાઇત ઇતિહાસ

અમદાવાદઃ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાત મેએ મતદાન છે. રાજ્યમાં પાંચ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 35 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 26 ટકા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. દરેક ઉમેદવારની સરેરાશ મિલકત રૂ. 9.22 કરોડ છે. કુલ છ ઉમેદવારો ઉપર વિવિધ કેસ નોંધાયેલા છે તેમાંથી બે પર ગંભીર ગુના છે. કુલ આઠ ઉમેદવાર કરોડપતિ છે, તેમાં ચાર ભાજપના અને ચાર કોંગ્રેસના ઉમેદવાર છે. સૌથી વધુ મિલકત ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રૂ. 153 કરોડ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઇલેકશન વોચ દ્વારા ઉમેદવારોના સોગંદનામાને આધારે સંપત્તિ, ગુનાઓ અને શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં પોરબંદરમાં છ ઉમેદવારો, માણાવદરમાં ચાર, વાઘોડિયામાં બે, વિજાપુરમાં 8 અને ખંભાતમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કોઇ પણ બેઠક ઉપર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી.

માણાવદરના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરા પર ચિટિંગ, ખંડણીને લગતા કેસ નોંધાયેલા છે. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર ડો. સી.જે. ચાવડા પર ઉશ્કેરણી, ગુનાહિત કાવતરૂ રચવાને લગતા કેસ નોંધાયેલા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પર બદનક્ષી કરવાના લગતા ગુના નોંધાયેલા છે.

ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સૌથી વધુ મિલકત ધરાવે છે તે સાથે સૌથી વધુ જવાબદારી-દેવું પણ તેમની ઉપર કુલ રૂ. 38 કરોડનું છે. તે પછી ભાજપના સી.જે. ચાવડા પર રૂ. પાંચ કરોડ અને કોંગ્રેસના હરિભાઇ કણસાગરા પર રૂ. 1 કરોડનું દેવું છે.

પેટા ચૂંટણીના 24 ઉમેદવારોમાંથી 61 ટકા એટલે કે 14 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે શિક્ષણનું સ્તર ધો. આઠથી ધો. 12 સુધીનું છે. 30 ટકા એટલે કે સાત ઉમેદવાર ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણ્યા છે. એક ઉમેદવાર ચાર ધોરણ સુધી ભણેલા છે અને નિરક્ષર છે. ઉમેદવારોમાં 30 ટકા એટલે કે સાત ઉમેદવારો 25થી 40 વર્ષ સુધીની વય ધરાવે છે, જ્યારે 39 ટકા એટલે કે 9 ઉમેદવાર 41 થી 60 વર્ષ અને 30 ટકા એટલે કે સાત ઉમેદવાર 61 થી 70 વર્ષની વયના છે.

 

 

 

 

 

 

 

એકાકીપણાનો સામનો કઈ રીતે કરવો?

એકાકીપણું કોઈ માટે લાભકારી નથી હોતું. પરંતુ કોઈ યુવાનને નોકરી અર્થે કે કોઈ વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવું પડે અને એકલા રહેવું પડે તે કોઈ મનગમતો પર્યાય તો નથી જ!

અહીં વન વિભાગ અધિકારી હિંમાશુ ત્યાગી કે, જેઓ પોતે ભણતર અને ત્યારબાદ નોકરી અર્થે અમુક વર્ષો માટે બહારગામ એકલા રહી ચૂક્યાં છે. તેમણે આ એકાકીપણાની સમસ્યાનો સામનો કરવા માટે થોડી ટિપ્સ અહીં આપી છે. જે કોઈપણ વિદ્યાર્થી કે યુવકને કામ આવે તેવી છે.

અધિકારી હિંમાશુ ત્યાગી કહે છે, ‘એકાકીપણું અનેક પ્રકારની શારીરિક તેમજ માનસિક વ્યાધિઓ લાવે છે. જેમ કે, ચિંતા તેમજ વિષાદને કારણે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો શારીરિક સમસ્યાઓમાં હૃદય રોગ, સ્ટ્રોક અને સમયથી પહેલાં મૃત્યુનો ભય વધી શકે છે. અન્ય ખતરાઓ વિશે જાણીએ તો અજાણતાં જ પોતાના સ્ટ્રેસમાં ખોવાયેલા રહેવું સમાજમાં ના ભળવું અને આમ સમાજથી છૂટા પડી જવું, સામાજિક ગતિવિધિઓથી છેટા રહેવું. આ બધું અજાણપણે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’

તેમણે એક્સ પર લખ્યું છે. ‘1 વર્ષ જેઈઈની તૈયારીમાં + આઈઆઈટીમાં 4વર્ષ + પાછલી નોકરીઓમાં 6 વર્ષ, આટલા વર્ષ હું ઘરથી દૂર એકદમ એકલો હતો. મારા ગાઢ મિત્રો પણ બહુ ઓછા હતા, મારી કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. એમ કહું તો ચાલે કે, એકાકીપણા સાથે જ મારો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. હું બહુ જ એકલો થઈ ગયો હતો.’

હિમાંશુ ત્યાગી કહે છે, ‘લોકોએ શીખવાની જરૂર છે કે, એકલા કઈ રીતે ખુશ રહેવું અને દરેક વખતે બીજા પર નિર્ભર ના રહેવું. જ્યારે આપણે લોકો સાથે હોઈએ છીએ, ત્યારે આપણે ખુશ રહીએ છીએ. પરંતુ એ જ લોકો જ્યારે સાથ છોડીને જાય છે, ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ. આપણે સામાજિક સંબંધ રાખવા જરૂરી છે. પરંતુ દરેક વખતે આપણી આસપાસના લોકો સારા નથી પણ હોતા. તે સમયે આપણને ખબર હોવી જોઈએ કે એકલા રહીને ખુશ કઈ રીતે રહી શકાય.’ તેમણે બીજી વાત એ કહી કે, ‘પોતાના જ જીગરી દોસ્ત બનો. જે માટે તેઓ ઉદાહરણ આપે છે કે, વ્યક્તિએ સમય વિતાવવા માટે એકલા ટહેલવાનો આનંદ ઉઠાવવો જોઈએ. જેમાં તમે જ તમારી કંપની મેળવો છો અને આનંદિત રહી શકો છો.’

‘અમુક વાસ્તવિક સંબંધોને તમારો સમય આપો કે, જ્યાં તમે નિશ્ચિંત થઈને તમારી બધી ચિંતાઓને મુક્તમને ઠાલવીને હળવી કરી શકો છો. તે પણ કોઈ આલોચનાનો સામનો કર્યા વિના. જેમ કે, તમારા માતા-પિતા, ભાઈ-બહેન. આ માટે ફક્ત એક ફોન કૉલ પર્યાપ્ત છે, તમારી ચિંતા હળવી કરવા માટે.’ તેમણે બીજું સૂચન કર્યું છે કે, ‘લોકોએ જર્નલિંગની આદત પણ વિકસિત કરવી જોઈએ કે, જ્યાં તેઓ લખી શકે. પોતાની ચિંતાઓ, પોતાના વિચિત્ર વિચારોને લખીને આ વિચારોને શાંત કરી શકે.’

તેમણે આ પોસ્ટ સમાપન કરતાં લખ્યું, ‘વ્યક્તિએ ભગવાન સાથે તાદાત્મ્ય રાખવું પણ જરૂરી છે. તેમની સાથે જોડાવું જોઈએ. એકલા હોવ ત્યારે પરમ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. તમારા અસ્તિત્વને લઈને ઊંડાણથી પ્રશ્ન પૂછો. દરેક સમયે ઈશ્વર સાથે જોડાઈ રહેવા માટે સાધના વિકસિત કરો. જીવનમાં ઉપલબ્ધ દરેક વસ્તુ માટે તેમનો આભાર માનો. તો તમને જરાપણ એકલવાયાપણાનો અનુભવ નહીં થાય.’

તેમની પોસ્ટ રજૂ થયા બાદ તેને પાંચ હજારથી વધુ લાઈક્સ મળી છે. જેમાં અમુક યુઝરની કમેન્ટ્સ પણ જાણવા જેવી છે. એક યુઝરે લખ્યું, ‘એકલા રહેવાથી માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. મારા હિસાબે પોતાની જાતને સારા મિત્રો તેમજ સારા વાતાવરણથી ઘેરાયેલી રાખવી જોઈએ. જેથી તમને સહેલાઈથી અને ખુશીથી આગળ વધવાનો ઉત્સાહ મળશે.’

અન્ય લખે છે, ‘જ્યારે તમે લાંબો સમય સુધી અલગ અને એકલા રહો છો ત્યારે તમે તમારી પોતાની જ કંપની ઝંખો છો અને પોતાને પ્રેમ કરવાનું શરૂ કરી દો છો. એટલે સુધી કે, તમારું લોકો સાથે વાતચીત કરવું કઠિન બની જાય છે. તમે પારિવારિક સમારંભો કે પાર્ટીઓમાં જવાનું ટાળો છો. ઉપરાંત લગ્ન કરવાનું તો બહુ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે, તમે એકલવાયાપણાથી ટેવાઈ ગયા હોવ છો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘અદ્ભુત પોસ્ટ હિમાંશુ, આ બધું જીવનમાં વ્યક્તિના દૃષ્ટિકોણને લઈને છે. એકલવાયાપણું ભયાનક પણ હોઈ શકે છે અને સુંદર પણ હોઈ શકે છે.’

કેજરીવાલ બાદ હવે ધરપકડ થશે ઉદ્ધવ ઠાકરેનીઃ રાણે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનથી પહેલાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની ધરપકડની ચેતવણી આપી છે. દિલ્હીની આબકારી નીતિ ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની જેલ જવાનો વારો છે, એમ નારાયણ રાણેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેજરીવાલ પછી ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસ, દિશા સાલિયાન કેસ, સુશાંત સિંહ આત્મહત્યા કેસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દા છે. આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઠાકરેને જેલમાં મોકલી શકે છે.મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. કણકવલીમાં થનારી ઉદ્ધવ ઠાકરેની સભાને લઈને રાણેએ મોટું નિવેદન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યા પરંતુ કંઈ કરી શક્યા નહીં. મેં આ જિલ્લામાં મેડિકલ કોલેજ લાવીને ઘણા લોકોને રોજગારી આપી છે. હવે ઉદ્ધવ ઠાકરે લગભગ 65 વર્ષના છે અને ટૂંક સમયમાં નિવૃત્ત થશે. મેં તેમના માટે કનકવલીમાં વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. ટૂંક સમયમાં તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે.

હું બોલતો નથી, કરીને બતાવું છું. જો હું અહીં કંઈક કહીશ તો તે પુરાવો બની જશે. રાજ ઠાકરેના વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાં તફાવત છે. રાજ ઠાકરે મિત્રતાના હકદાર છે, જ્યારે કેજરીવાલ બાદ ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે.

 

 

 

 

 

નવસારી: નવો વિક્રમ સર્જાશે?

નવસારી: દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખાય છે. 2008માં થયેલા નવા સિમાંકન બાદ નવસારી લોકસભા બેઠક અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ માટે 2009થી આ બેઠક પર સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આ લોકસભા વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મીની ભારત પણ કહે છે. બેઠક પર સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારો છે.

ઉમેદવાર

ભાજપ- સી.આર.પાટીલ

ત્રણ ટર્મથી નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ છે. પ્રથમ નોન ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે. પ્રદેશ પ્રમુખ તરીકે 156 બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે. લોકસભામાં સૌથી મોટી લીડથી જીતવાનો વિક્રમ પણ એના નામે બોલે છે. સુરતની ITIમાંથી અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ ખાતામાં નોકરી પણ કરી હતી. 1989માં તેઓ રાજકારણમાં આવ્યા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. 1995થી 1997 સુધી જી.આઈ.ડી.સી.ના ચેરમેન બન્યા હતા.

કોંગ્રેસ– નૈષધ દેસાઈ

નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચૂક્યા છે. તેમણે M.S., L.L.B.નો અભ્યાસ કર્યો છે. તેમજ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઈન ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. અગાઉ 2014માં સુરત બેઠક પરથી દર્શના જરદોષ સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

મતદારોની સંખ્યા

કુલ મતદાતા – 21,98,009

મહિલા મતદાતા – 11,83,801

પુરુષ મતદાતા – 10,14,100

PROFILE

– 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે  6,89,668ની રેકોર્ડબ્રેક લીડથી જીત હાંસલ કરી હતી.

– આ લોકસભા બેઠક પર સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે.

 

વિધાનસભા સ્થિતિ

બેઠક ઉમેદવાર પક્ષ વોટ લીડ
ઉધના મંગુ પટેલ ભાજપ 93,999 69,896
ચોર્યાસી સંદિપ દેસાઈ ભાજપ 2,36,033 1,86,418
મજુરા હર્ષ સંઘવી ભાજપ 1,33,335 1,16,675
નવસારી રાકેશ દેસાઈ ભાજપ 1,06, 875 72,313
જલાલપોર આર.સી. પટેલ ભાજપ 1,06,244 68,699
ગણદેવી(ST) નરેશ પટેલ ભાજપ 1,31,116 93,166
લિંબાયત સંગીતા પટેલ ભાજપ 95,696 58,009

વિશેષતા

  • નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે.
  • નવસારી બેઠક પહેલાં સુરત લોકસભા બેઠકનો ભાગ હતી
  • બેઠક પરથી પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ જીત્યા હતા.
  • છેલ્લાં 35 વર્ષથી ભાજપની આ બેઠક પર પકડ છે
  • 1989માં સૌપ્રથમ વખત કાશીરામ રાણાએ ભાજપને જીત અપાવી હતી.
  • બેઠક પર ભારે લીડથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.
  • બેઠક પર અનેક મોટા ઉદ્યોગો આવેલાં છે, જેના કારણે સ્થળાંતરિત શ્રમિકો મોટી સંખ્યામાં છે.

કોંગ્રેસ જીતશે, તો PM કોણ બનશે? : અમિત શાહ

લોકસભા ચૂંટણીના છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાડી રહી છે. એક બાજુ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસંભાને સંબોધન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અમિત શાહે છોટાઉદેપુરના બોડેલી બાદ વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. બંને સભા પર ગજાવતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા સાથે કોંગ્રેસ પાસે નેતા ન હોવાનું પણ કહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.

છોટાઉદેયપુરમાં શું બોલ્યા અમિત શાહ

આપણી સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે.

આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે. હુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે. ભાજપે 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે. અને રાહુલ બાબ કોઈ સલાહ કાર તો સારા રાખો, 2014માં ભાજપ પાસે બહુમતી હતી, 2019માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ SC,ST, OBCની અનામત હટાવવાનું કામ નથી કર્યું. શાહે ગેરેન્ટી આપતા કહ્યું કે, જ્યા સુધી ભાજપ સરકાર છે ત્યા સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી.

વાસંદામાં શું બોલ્યા શાહ?

જન સંબોધનની શરૂઆત કરતા અમિત શાહ બોલ્યા “ધવલ પટેલ માટે તમે ધોમધખતા તાપમાં ભેગા થયો છે એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું” વધુમાં તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે. 1998 સુધી દેશમાં આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. અલટ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા તો આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું.. નરેન્દ્ર મોદીજીએ નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી.

70-70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને લટકતુ રાખ્યું. તમે 26 સીટો આપી તો 5 જ વર્ષમાં કેસ જીત્યો, મંદિર બનાવ્યું અને પ્રાણપ્રતિષ્ઠા પણ કરી. કોંગ્રેસ પાર્ટીને રામ જન્મ ભૂમીનું આણંત્રણ મોકલ્યું પણ કોઇ આવ્યું જ નહીં. એ એમની પેલી વોટ બેંકથી ડરે છે એટલે ન આવ્યા. નરેન્દ્રભાઇએ ખાલી રામ મંદિર નહીં પણ કાશી વિશ્વાનાથ કોરીડોર પણ બનાવ્યો, પાવાગઢ પર ધજા પણ ચડાવી.

એ ભાઇ-બેન બંને રાતના અંધારામાં જઇને રસી મુકાવી આવ્યા. એમની અફવાઓના કારણે ઘણા લોકોએ રસી ન લીધી અને જીવ ખોયો.. આ લોકો આદિવાસીઓના જીવ લેવા માંગે છે. ધવલ પટેલને આપેલો એક એક મત સીધો નરેન્દ્રભાઇને પહોંચશે એટલે કમળનું બટન દબાવવાનું ન ભૂલતા. ધવલ ભણેલો ગણેલો યુવાન છે. એન્જિયર હતો અને અમારા આઇ.ટી સેલમાં કામ કરતો હતો. રોજ નરેન્દ્રન મોદીનો પ્રચાર કરતો હતો. હવે તમારો વિકાસ ધવલ કરશે.

 

વરસાદી જળને બચાવવા સ્ટાર્ટઅપઃ 150 અબજ લિટર પાણીની બચત

નવી દિલ્હીઃ પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ નીરેન સરળતાથી ઇન્સ્ટોલ થનારું વરસાદી જળ સંચય (રેઇનવોટર હાર્વેસ્ટિંગ) ડિવાઇસ બનાવે છે, જે બોરવેલને રિચાર્જ કરીને ભૂજળની માત્રા અને ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરે છે. હાલમાં ભારતના જળ સંકટને ઓછું કરવામાં મદદ કરી રહ્યું છે.

46 વર્ષીય અમિત પરિવારને દૈનિક ધોરણે પાણીથી ઝઝૂમતા જોઈને મોટો થયો છે. તે તેનાં માતાપિતાની પાણીની જરૂરિયાત કઈ રીતે ઉકેલવી એના વિશે કાયમ વિચારતો. અમિતે સરકારી પોલિટેક્નિકથી પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તે કહે છે કે કલોલમાં આશરે 70 ટકા વસતિને પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડ્યું છે. પાણીની તકલીફની સાથે મોટા થયેલા અમિતે પાણી વરસાદી પાણી બચાવવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

નીરેનનો વિકાસ

કેન્દ્રીય જળ પંચના અનુસાર દેશમાં વર્ષેદહાડે 400 અબજ ઘન મીટર વરસાદ થાય છે અને માત્ર આઠ ટકા જ સંચય થાય છે. આ આંકડો વિશ્વમાં સૌથી ઓછો છએ. વરસાદી જળ સંચથી ઘરની 70 ટકા પામીની જરૂર પૂરી કરી શકાય છે. અમિતે એક સરળતાથી ઉપયોગમાં લેવાતા વરસાદી જળ સંચયની પ્રોડક્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એક વર્ષ પછી સંશોધન અને વિકાસ પછી તેણે લોકોને વરસાદી જળ એકત્ર કરવામાં મદદ માટે એક ડિઝાઇન કર્યું જેનો ઉપયોગ બોરવેલને રિચાર્જ કરવા અને પાણી એકત્ર કરવા માટે કરી શકાય છે અને એને નીરેન રિનવોટર ફિલ્ટર નામ આપ્યું. આ નીરેનથી જૂન, 2023 સુધીમાં ત્રણ મહાદ્વીપોમાં ફેલાયેલા સાત દેશોમાં 150 અબજ લિટરથી વધુ વરસાદી જળ બચાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

ફૂલોની આકર્ષક રંગોળીથી મતદાન કરવાની અપીલ કરાઈ

અમદાવાદ: લોકસભા ચૂંટણી-2024ને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે મહતમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્રની સાથે-સાથે અનેક સામાજિક સંસ્થાઓ, એસોસિએશન, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘મતદાન જાગૃતિ’નો વિશિષ્ટ રીતે સંદેશો અપાયો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રસ્તા પર ફૂલોથી આકર્ષક રંગોળી સુશોભિત કરી દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોએ હાથમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ બેનર અને પોસ્ટર્સ લઈ મતદાન પર્વમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આ અંગે માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકોએ અવશ્ય મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ પાળવો જોઈએ. આ ઉપરાંત પોતાના સ્વજનો અને મિત્રોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જોઈએ. અમારું ટ્રસ્ટ પણ આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ચીફ નોડલ અધિકારી, પ્રાંત અધિકારી સાણંદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સાણંદ, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણ સંધના હોદ્દેદારો, માનવ સેવા ટ્રસ્ટની ટીમ અને ડી. જી. પ્રાથમિક શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલી વિશે અટકળો શરૂ થઈ હતી કે તેમનું આગળનું પગલું શું હશે, પરંતુ આજે આ અટકળોનો અંત આવ્યો છે. અરવિંદર સિંહ લવલી આજે ભાજપમાં જોડાઈ ગયા છે.  લવલીની સાથે કોંગ્રેસી નેતા રાજકુમાર ચૌહાણ, અમિત મલિક, ત્રણ વખતના ધારાસભ્ય નસીબ સિંહ અને નીરજ બૈસોયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમણે રાજ્યના પ્રભારી દીપક બાબરિયા અને ઉમેદવારો ઉદિત રાજ, કન્હૈયા કુમાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર લવલીએ કહ્યું હતું કે મેં અગાઉ પણ સ્પષ્ટતા કરી દીધી હતી અને મેં મારા રાજીનામા પત્રમાં પણ કહ્યું હતું કે જો મારે ક્યાંક જોડાવું હોય તો મને એક લીટીનો રાજીનામું પત્ર લખતા કોણ રોકી રહ્યું હતું. . મેં મારા રાજીનામાના પત્રમાં કારણો લખ્યા છે જેથી કદાચ તે સુધારી શકાય. લોકોને જે રીતે બહાર ફેંકવામાં આવે છે તેનાથી તમને દુઃખ ન થયું હોત તો તમે પદ કેમ છોડ્યું હોત? મને નાની પાર્ટીમાંથી બહાર ફેંકવામાં આવી રહ્યો હતો.