Home Blog Page 1890

રાજ્યમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી પકડાઈઃ 10ની ધરપકડ

ગાંધીનગરઃ રાજ્યમાં ATS અને NCB એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી છે. આ ત્રણે ફેક્ટરીમાંથી ખાસ કરીને ગાંધીનગરથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમ જ ગુજરાતમાંથી એક ફેકટરી ઝડપી છે અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ. આ ફેક્ટરીમાં અલગ-અલગ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવતું હતું. અહીંથી ડ્રગ્સ બનાવીને અન્ય રાજ્યો અને અન્ય દેશમાં મોકલવામાં આવતું હતું.

આ પહેલાં થોડા દિવસ અગાઉ દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદિત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

 

 

 

 

 

 

 

ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કાપી

ભાજપે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વધુ એક બેઠક માટે તેના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ રદ કરી છે અને ઉજ્જવલ નિકમને ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ રદ કરી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી આપનાર વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે, તેમણે આતંકવાદી અજમલ કસાબને ફાંસી, 1993 બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.


પૂનમ મહાજનની વાત કરીએ તો તે 2006માં તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાઈ હતી. 2009માં, તેણીએ ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી પૂર્ણ કરી.

કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, ‘વડાપ્રધાન મોદી ગુજરાતી નથી…’

રાજ્યમાં લોકસભા ચૂંટણીની ધમ-ધમાટ ચાલી રહી છે. ત્યારે ભાજપ નેતાના વિવાદિત નીવેદનનો નિવેડો આવ્યો નથી. તો બીજી બાજુ સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસે ઝટકો મળ્યો. જ્યાં ભાજપ બિનબરીફ વિજેતા બીની. તો હવે ગુજરાતના રાજકારણને ગરમાવતું વધુ એક નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નવસારીના ઉમેદવારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં આગામી સાતમી મેએ મતદાન થવાનું છે. અને આ માટે એક તરફ કોંગ્રેસ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા દ્વારા PM વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવાથી વિવાદનો વંટોળ ઉભો થયો છે.

કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈએ શુક્રવારે ધરમપુરની સભા દરમિયાન નૈષધ દેસાઈએ બફાટ કર્યો હતો. નૈષધ દેસાઈએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિન ગુજરાતી ગણાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે નરેન્દ્ર મોદી ગુજરાતી નથી એમ ત્રણવાર રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોઈ કારણ કે સંદર્ભ વગર જ નૈષધ દેસાઈએ આ નિવેદન આપતા અનેક સવાલો ઉભા થયા છે.

શું કહ્યું નૈષધ દેસાઈએ ?

નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સભામાં ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘ ગાંધીજી જ્યારે શહીદ થયા ત્યારે ‘હે રામ’ કહ્યું હતું,  દુનિયાના મહાન રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી નથી…નથી…..નથી.’ નોંધનીય છે કે ધરમપુરમાં આજે પ્રિયંકા ગાંધીની સભાનું આયોજન થયું હતું.

બીજા તબક્કાની બે ડઝન સીટો પર સત્તાવિરોધી લહેર?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને જમ્મુ-કાશ્મીરની જે 88 સીટો પર ચૂંટણી થઈ હતી, એમાં 26 સીટો એવી છે, જ્યાં સત્તાવિરોધી લહેર હોઈ શકે છે. એમાં 18 સીટો પર ભાજપ અને આઠ પર કોંગ્રેસ સતત ત્રણ ચૂંટણીથી જીતી રહી છે. ત્રણ સીટો એવી છે-જ્યાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં શિવસેનાની જીત થઈ હતી. 2019માં 56 સીટો પર NDA અને 25 UPAને ગઈ હતી. સાત અન્ય પાર્ટીઓને મળી હતી.

કેરળની બધી 20 લોકસભા સીટો પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસ માટે 26 મેએ મતદાન સૌથી વધુ અપેક્ષા કરવાવાળો બીજા તબક્કાનું મતદાન છે.  બીજા તબબક્કામાં લોકસભા ક્ષેત્રો અને કેરળના મોટા ભાગનાં સંસદીય ક્ષેત્રોમાં પણ ગ્રામીણ વસતિની સરેરાશ 76.1 ટકા હતું, જ્યારે બધાં ક્ષેત્રોનું મળીને એ 76.9 ટકા હતું.

ગઈ કાલે જે ક્ષેત્રોમાં મતદાન થયું હતું, એ વિસ્તારોમાં મતદાન 2009 પછી હંમેશાં રાષ્ટ્રીય સરેરાશથી વધુ રહ્યું છે. આ સિવાય આ સીટો પર રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં 2009 પછી મતદાનમાં વધારો જોવા મળ્યો છે. આ 88 લોકસભા ક્ષેત્રોમાં 39માં 2009માં રાષટ્રીય સરેરાશથી વધુ મતદાન થયું છે. એ સંખ્યા 2014માં 44 અને 2019માં 50 લોકસભા ક્ષેત્ર હતી. પહેલા તબક્કામાં મતદાનની ટકાવારીમાં ઘટાડા પછી બીજા તબક્કામાં વધુ મતદાનનું વલણ બાકીના પાંચ તબક્કામાં પણ જારી રહેશે કે કેમ? એ જોવું રહ્યું.

 

 

 

 

‘સુપર 30’ ના જિનિયસ અને તેમના વિદ્યાર્થીની અમેરિકામાં ભાવુક મુલાકાત

અમેરિકા: પોતાનો વિદ્યાર્થી વિદેશમાં સફળ હોય અને ત્યાં અચાનક મળી જાય અને જે રીતે એ સમ્માન આપે તેનાથી મોટો પુરસ્કાર કોઈ શિક્ષક માટે શું હોય શકે! પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આનંદકુમારની અમેરિકામાં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથેની હૃદયસ્પર્શી મુલાકાત કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જ હતી!

‘સુપર 30’ શૈક્ષણિક સંસ્થાના સ્થાપક આનંદકુમારને ફિલ્મોમાં ભજવાય તેવા દ્રશ્યનો સાક્ષાત્કાર અમેરિકામાં થયો. તેઓ ન્યુજર્સીના એક મોલમાં પોતાના વિદ્યાર્થીઓ માટે ખરીદી કરી રહ્યાં હતા. ત્યાં અચાનક તેમનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપ ચૌધરી સામે આવી ગયો અને બહુ જ ભાવુક થઈ તેમને પગે લાગ્યો. એટલું જ નહીં તેમણે ખરીદેલી વસ્તુના રૂપિયા પણ પોતે ચૂકવી દીધા અને તેઓ રોકાયા હતા તે સ્થાને તેમને પોતાની ગાડીમાં મૂકી ગયો.

આ વાત આનંદ કુમારે તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘મારા જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે, જે ફિલ્મી લાગે છે. આજે જ હું ન્યુજર્સીના મોલમાં બાળકો માટે થોડો સામાન ખરીદી રહ્યો હતો કે, અચાનક પાછળથી અવાજ આવ્યો…આનંદ સર, તમે અહીં અમેરિકામાં છો. એ આગળ આવીને મારા પગે પડ્યો અને બોલ્યો કે, ‘સર હું સંદીપ ચૌધરી, તમારો વિદ્યાર્થી!’ પછી શું તેણે મને મોલમાં સામાનના પૈસા પણ આપવા ન દીધા. એણે જાતે સામાનના પૈસા ચૂકવી દીધા અને બોલ્યો કે, ‘આજે હું અહીં સુધી પહોંચ્યો છું, તે તમારા જ તો આશિર્વાદ છે.’ વધુમાં મારું જ્યાં રોકાણ હતું. ત્યાં સુધી તે પોતાની ગાડીમાં મને મૂકવા આવ્યો. મારા જેવા શિક્ષકને આનાથી વધુ ગર્વની વાત કઈ હોઈ શકે!’

આનંદ કુમારની ઓનલાઈન પોસ્ટ વાયરલ થયા બાદ એક લાખથી વધુ લોકોએ તે જોઈ. લોકોની કમેન્ટ કંઈક આ પ્રકારની હતી. એક યુઝરે લખ્યું, ‘સર, તમે ભારતનું ગૌરવ છો! વર્તમાન યુગના મહાન ગણિતશાસ્ત્રી અને સાચા શિક્ષક.’ બીજી કમેન્ટ હતી, ‘તમે એક સાચા શિક્ષક છો. પ્રભુ તમને વધુ શક્તિ આપે જેથી તમે હજુ વધુ બાળકોને શિક્ષણ આપીને તેમનું ભલુ કરી શકો.’ અન્ય એકે લખ્યું, ‘વિદ્યાર્થી દ્વારા તમને આ જે સન્માન મળ્યું છે. તે જ તો ખરી કમાઈ છે. બાકી બધું શૂન્ય છે, નશ્વર છે.’

 

આનંદ કુમાર એક સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને શિક્ષક છે. જેઓ આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટે ‘સુપર 30’ નામના એક કોચિંગ ક્લાસ ચલાવે છે. તેમના જીવન પર આ જ નામે ‘સુપર-30’ હિન્દી ફિલ્મ પણ બની છે. જેમાં તેમનું પાત્ર જાણીતા અભિનેતા ઋત્વિક રોશને ભજવ્યું છે. 2023માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ કુમારે એક નવું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજનાનું પણ અનાવરણ કર્યું છે. આ પહેલનો હેતુ ભારતમાં વંચિત વિદ્યાર્થીઓને સુલભ શિક્ષણ આપવાનો છે.

મતદાન જન જાગૃતિ માટે પ્રભાત ફેરી અને રેલીનું આયોજન

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની 520 શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે મતદાન જાગૃતિ રેલી અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અને પ્રભાત ફેરીમાં 2600થી વધુ કાર્યવાહકો એ ઉત્સાહભેર ભાગ લઈને અંદાજિત 28,000 નાગરિકોને તેમના મતનું મહત્વ સમજાવીને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચર્યો સહિત ગ્રામજનો રેલી અને પ્રભાત ફેરીમાં ભાગ લઈને અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી હતી તેમજ અન્ય લોકોને પણ તેમના મતનું મહત્વ સમજાવીને મતદાન કરવા માટે પ્રેરશે એવો સંકલ્પ લીધો હતો.

ગુજરાતમાં હેટ્રિક સાથે 26 બેઠક પર કમળ ખીલશે : અમિત શાહ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટારપ્રચારકો રાજ્યમાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા છે.  ભારત માતા કી જય સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું, જામકંડોરણા અને પોરબંદરની જનતાના અવાજને શું થઇ ગયું? મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો, વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ. ગુજરાતીમાં કહેવત છે ‘તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે. ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું, મહાત્મા ગાંધીને પ્રણામ કરી મારી વાત શરૂ કરીશ.

કોંગ્રેસ સરકારે રામ મંદિર મુદ્દો ભટકાવ્યો હતો: શાહ

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી, ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું, સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોચાડ્યું, કોંગ્રેસ સરકારે પોરબંદરની જેલ બંધ કરી હતી, 2001માં નરેન્દ્ર મોદીએ જેલ શરૂ કરી. કાયદો વ્યવસ્થા અહીંયાથી પોરબંદરની હદ શરૂ થાય એવી બોર્ડર હતી.અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો ભટકાવતા રહ્યા, 70-70 વર્ષ સુધી મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી જયશ્રી રામ કરી દીધું, 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. કઠોર નિર્ણય કર્યા છે. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.

ગુજરાતમાં ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે

તેમણે ઉમેર્યું હતું કે, મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી શ્રધ્ધાંજલી આપું છું, વિઠ્ઠલભાઈ સહકારી ક્ષેત્રે મૂળિયાં પાતાળ સુધી ઊંડા કર્યા છે, સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે, અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્ર બાદ આજે જામકંડોરણા આવ્યો છું. બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. ઠેર ઠેર મોદી મોદી છે. દેશની જનતાએ નક્કી કર્યું છે, ફરી એક વાર મોદી સરકાર. આપણા મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે. ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે.

દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ સાબિત થયો એ કેસ શું છે ?

દેશનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે 41 વર્ષ પહેલા  મકરપુરા નજીક બનેલી ગોળીબારની ઘટના એને ગુજરાતની સાંસ્કૃતિક ધરતી વડોદરા સાથે જોડે છે. ચાર દાયકા પહેલા દાઉદ અને એના સાગરીતો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓની બેદરકારીના કારણે દાઉદ અને એના સાગરીતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જાણીએ શુ હતો આ કેસ?

 શું હતી ઘટના ?

11 જૂન 1983માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના નોંધવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે, દાઉદનો બોડીગાર્ડ હોવાનો દાવો કરનાર આલમઝેબે જ્યારે તે મુંબઈ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માતે એને ગોળી મારી દીધી હતી. આ ઘટના મકરપુરા રીંગ રોડ પાસે બની હતી. આલમઝેની ઓળખ આમ તો એના હરીફ તરીકેની હતી. જો કે એ પાછળથી દાઉદનો સાથી અને પછી ફરી હરીફ બન્યો. પોલીસ રેકોર્ડમાં એણે ભૂલથી એને ગોળી મારી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે આલમઝેબ સામે શરૂઆતમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.

 દાઉદની હતી ચાલ

પોલીસે દાઉદને મળવા આવેલા લોકોની શોધખોળ શરૂ કરતાં અનેક વાતો સામે આવી. એસએસજી હોસ્પિટલમાં એને મળવા આવેલ એક વ્યક્તિ પાસે તિક્ષ્ણ હથિયાર સાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિ સયાજીગંજમાં તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપાયા હતા. સયાજીગંજમાં ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસ મહંમદ ચુનાવાલા, ચંદ્રશેખર ગઢવી, નરેન્દ્ર બારિયા અને અરવિંદસિંહ જાડેજાની હોટલના રૂમમાં પહોંચી હતી. પોસીલે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ચારેય આરોપી એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉદને મળવા આવ્યા હતા. સયાજીગંજમાં જ્યાં તેઓ રોકાયા હતા એ હોટલમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર, બે પિસ્તોલ અને અનેક જીવતા કારતૂસ કબજે કર્યા હતા.

મામલો નિષ્ક્રિય બની ગયો

બીજી તરફ આ કેસમાં દાઉદ ક્યારેય ટ્રાયલ માટે આવ્યો ન હતો, પરંતુ રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ રેકોર્ડમાં એનો ગુનો વર્ષો સુધી નોંધાયેલો રહ્યો. જ્યારે સયાજીગંજના ગુનામાં એના સાગરિતોના નામ સાથે નિષ્ક્રિય જાહેર કરાયા. ત્યારે અન્ય ગુના સંદર્ભે પોલીસ દાઉદ કોર્ટમાં હાજર થાય એની રાહ જોઈ રહી હતી. ફાયરિંગની ઘટના બાદ, દાઉદની 14 જુલાઈની સાંજે આર્મ્સ એક્ટ હેઠળના ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ગરદન પર ગોળી વાગતાં એને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઇન્ડોર પેશન્ટ તરીકે વોર્ડ B1ના બેડ નંબર 14 પર રાખવામાં આવ્યો હતો. મામલો ઘણો જૂનો છે અને સમયની સાથે નિષ્ક્રિય થઈ ગયો. જો કે, એનું નામ રેકોર્ડ પર હતુ અને દાઉદને કોર્ટ સમક્ષ ભાગેડુ જાહેર કરાયો હતો.

કલેક્ટરની મંજૂરીની અવગણા

શરૂઆતમાં દાઉદ અને એના સાહરીતો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ પાછળથી સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. જો કે આ કેસમાં આરોપીઓને જામીન મળી જતા એ ભાગી છુટ્યા હતા. ત્યારથી લઈને એક પણ આરોપીને પકડવામાં વડોદરા પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ નિષ્ફળ નિવડી. આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલો હતો જેમાં કલેકટરની મંજૂરી લેવી જરૂરી હતી. જો કે પોલીસે એમાં પણ કચાસ રાખી. કલેકટરની મંજબરી વગર જ કેસ આગળ વધ્યો.

કેસ થયો રફાદફા

વર્તમાન સમયમાં પોલીસે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે દાઉદ સહિતના આરોપીઓ સામે 41 વર્ષથી કેસ પેન્ડિંગ છે. આ આરોપીઓની પકડાવવાની શક્યતા ઓછી છે. માટે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને તપાસ એજન્સીઓની ગંભીર બેદરકારીના કારણે દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ અને એના સાહરીતોને નિર્દોષ સાબીત થયા છે. એમ કહી શકાય કે આ કેસમાંથી એ લોકોને મુક્તિ મળી ગઈ.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી

લોકસભા બેઠક ઉપર INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,સરકાર સંવિધાનને બદલવાની વાત કરે છે, સંવિધાને જ આપણને અધિકાર આપ્યો છે, આનો એક જ મતલબ છે કે તેઓ લોકતંત્રને કમજોર બનાવવા માગે છે જનતાને કમજોર બનાવવા માગે છે, 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવાનું કોઈ કામ કર્યું નથી. ફક્ત તેઓને કમજોર કરવાનું કામ કર્યું છે.આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ પોતાના હક માટે લડી રહ્યો છે.

મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમારા ચૂંટણી ઢંઢેરાનું નામ ન્યાય પત્ર આપ્યું છે, કેમ કે, છેલ્લા 10 વર્ષમાં ખાલી અન્યાય જ થઈ રહ્યો છે. આજે દેશમાં તમામ લોકોને ન્યાય જોઈએ છે. અમે ઘણી બધી ગેરેન્ટી લઈ આવ્યાં છીએ. અમારી જ્યા જ્યા સરકાર છે ત્યા ત્યા અમે જે જે ગેરેન્ટી આપી છે તે બધી પુરી કરી છે. કોરોનાના સમયમાં યુપી અને બિહારના કેટલાય લોકો ફસાઈ ગયા હતા, લોકોને ગુજરાતથી પોતાના વતનમાં જવા માટે ખુબ તકલીફ પડી હતી. ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે જ પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે. કમર તોડ મોંઘવારીને અમે કંટ્રોલમાં કરીશું. ભાજપના નેતાઓ કહે છે કે, મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે એ ધારે એ ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં મોંઘવારી ઓછી કેમ ન કરી? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યુ? અમે સત્તામાં જીવ્યા છીએ એટલે સત્તાને સમજીએ છીએ. મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા.

પરીક્ષાની આન્સરશીટમાં ‘જય શ્રીરામ’ લખ્યું, પ્રોફેસરોએ કર્યા પાસ

લખનૌઃ  સત્યુગમાં રામ નામે પથ્થરો તરતા હતા, પણ હવે કળિયુગમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની આન્સરશીટમાં ‘જય શ્રીરામ’ લખીને પણ પાસ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષામાં ‘જય શ્રીરામ’ અને ક્રિકેટર્સનાં નામ લખીને શાનદાર અંકો સાથે પાસ થઈ ગયા છે. હવે તેમની કોપી તપાસવાવાળા બે પ્રોફેસર તપાસના દાયરામાં આવી ગયા છે.

આ મામલો જોનપુરમાં વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીનો છે. આ યુનિવર્સિટીમાં ડી ફાર્મા (ડિપ્લોમા ઇન ફાર્મસી)ના કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના ઉત્તર પત્રમાં ‘જય શ્રીરામ’નું નામ, અગ્રણી ક્રિકેટરોનાં નામ અને કેટલીક અન્ય વિગતો વિગતવાર લખી હતી, જેનો પરીક્ષાના સવાલોથી કોઈ લેવાદેવા નહોતી.

આન્સરની વચ્ચે ‘જય રામજી પાસ હો જાય’ લાઇન લખેલી એક કોપીની ફોટો વાઇરલ થઈ ગયો હતો. અહેવાલ મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ સિંહે ગયા વર્ષે ઓગસ્ટમાં RTI કરી હતી અને 18 વિદ્યાર્થીઓની એક્ઝામ આન્સરશીટને ફરીથી તપાસની માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે સંબંધિત પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમની પાસેથી લાંચ લીધી હતી. વિદ્યાર્થી નેતાએ રાજભવનમાં પણ ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ રાજ્યપાલ ઓફિસે ગયા વર્ષે ડિસેમ્બરમાં તપાસનો આદેશ આપ્યો હતો.

યુનિવર્સિટી મેનેજમેન્ટની એક સમિતિએ બહારના પ્રોફેસરો દ્વારા પરીક્ષાની આન્સરશીટને ફરીથી ચેક કરાવી, ત્યારે ચાર વિદ્યાર્થીની કોપીમાં કેટલીય જગ્યાએ જય શ્રીરામ લખેલું હતું. એ સાથે ભારતીય અને વિદેસી ક્રિકેટરોનાં નામ પણ સવાલના જવાબોમાં લખેલા હતા. આ બધા વિદ્યાર્થીઓને 50 ટકાથી વધુ માર્ક મળ્યા હતા. કોપી રિચેક થતાં માર્ક 0 થયા હતા. ત્યાર બાદ આ કેસમાં જવાબદાર બે પ્રોફેસરોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.