લોકસભા ચૂંટણી વચ્ચે સુરતનું રાજકારણ દિવસે-દિવસે ગરમાતું જાય છે. જ્યાં ભાજપ ઉમેદવાર બિનહરફી વિજેતા જાહેર થતાની સાથે કોંગ્રેસમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય સાબિત થઈ હતી. ખોટી સહિ મામલે કલેક્ટરી કચેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં કુંભાણીને એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણીને લઈને કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.
વિરોધના વંટોળ વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ જણાયા હતા. જે બાદ તેમના વિરુદ્ધમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. તમામ વિરોધ વચ્ચે આજે કોંગ્રેસે નિલેશ કુંભાણી પર કાર્યવાહી કરી છે. નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે સસ્પેન્ડ ઓર્ડરમાં ઉમેર્યું છે કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.
આ સાથે નિલેશ કુંભાણીના ભાજપ સાથે સાઠ ગાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો. સાથે ભાજપ પર પણ તમામ ઉમેદવારોને ફોર્મ પરત ખેચાવા માટે ફોર્સ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. નોંધનીય છે કે પ્રથમ વખત આપવા જનાર લોકો સાથે આ અન્યાય હોવાથી નિલેશ કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવા ઉલ્લેખ કર્યો હતો.
ગુણોથી ભરપૂર વ્યક્તિનું શરીર મૃત્યુ બાદ 5 તત્વોમાં ભળી ગયા પછી પણ મનુષ્ય આત્માઓના દિલમાં જગ્યા બનાવી લે છે. એમની યાદગાર સેંકડો વર્ષ સુધી બધાના દિલમાં તાજી રહે છે તથા પ્રેરણા સ્ત્રોત બને છે. ભારતના મંદિરોમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે તેઓ મૂલ્યોથી ભરપૂર હોવાના કારણે 2500 વર્ષથી પૂજાતા આવ્યા છે.
ભારતીય સમાજ પહેલાના જમાનાથી મૂલ્યોમાં વિશ્વાસ રાખતો આવ્યો છે. અહીંના અભણ લોકો પણ મૂલ્યોની ભાષા સારી રીતે સમજે છે. આ કારણે જ અભણ લોકોની સંસ્કૃતિમાં દયા, કરુણા, સહયોગ, પ્રેમ વગેરેના ઉદાહરણો જોવા મળે છે. વર્તમાન ભાગદોડની દુનિયામાં મનુષ્ય પદાર્થોના સંગ્રહમાં વ્યસ્ત રહીને અવિનાશી રૂપમાં સાથે રહેવા વાળા મૂલ્યોનો લાભ લેવા માટે બેદરકાર બની ગયો છે. જે મૂલ્યોના ઠંડા છાયડામાં તન-મનને શીતળ, શાંત કરવા તથા ખુશી શાંતિની અનુભૂતિ થી દુર જવાની યાતના ભોગવી રહ્યો છે, તે મનુષ્યને ફરીથી મૂલ્યોની છત્રછાયામાં સુરક્ષિત રાખવાના લક્ષ થી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંપૂર્ણ માનવ જગતમાં મૂલ્યોની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. 16 કલા સંપૂર્ણ બનવા માટે જે મૂલ્યોને પસંદ કરવામાં આવ્યા છે તે છે – પવિત્રતા, શાંતિ, સહનશીલતા, પ્રેમ, નમ્રતા, ઉદારતા, ઈમાનદારી, સહયોગ, અહિંસા, મધુરતા વિગેરે. જેવી રીતે એક રંગમાં બીજા રંગ ભેળવીને અલગ-અલગ રંગ બનાવી શકાય છે.
એવી જ રીતે મુખ્ય મુલ્યોની ધારણા દ્વારા બીજા અનેક મૂલ્યોની ધારણા સ્વતઃ થઈ જાય છે. જેવી રીતે બધા રંગોનો મૂળ રંગ સફેદ રંગ છે. તેવી જ રીતે ઈશ્વરીય જ્ઞાન તથા ઈશ્વરીય યોગ એ તમામ ગુણો તથા મૂલ્યોનો મુખ્ય આધાર છે. માટે જ ઈશ્વર સાથે યોગ લગાવીને રાજયોગી બનવાની દીશા તેમના દ્વારા આપવામાં આવેલ જ્ઞાનને શીખીને ભાઈ-ભાઈ ની દ્રષ્ટિ અપનાવીને પવિત્રતા ધારણ કરવાની જરૂરિયાત છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે “પવિત્ર બનો યોગી બનો”. આ ઈશ્વરીય સંદેશ તથા નૈતિક મૂલ્યોની ધારણા દ્વારા આપણે દૈવી રાજ્યને ભારત ભૂમિ ઉપર અવશ્ય સાકાર કરીને બતાવીશું.
આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્તર ઉપર સૌંદર્ય હરીફાઈનું આયોજન થતું રહે છે. કેટલાક વિશ્વ સ્તરના સંગઠન દ્વારા વિશ્વસુંદરીની પસંદગી થાય છે. આપણા દેશમાં પણ ભારત સુંદરીની પસંદગી માટે આયોજન થતું રહે છે. હરીફાઈના આયોજકો શારીરિક સૌંદર્યના આધારે તે સુંદરીઓને પહેલો, બીજો તથા ત્રીજો નંબર આપે છે. તેઓ સુંદરીઓને કેટલાક પ્રશ્નો પણ પૂછે છે. જેના જવાબ આપતા સમયે પ્રગટ થતો આત્મવિશ્વાસ પણ સુંદરીની પસંદગીમાં મદદ કરે છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે શરીરનું સૌંદર્ય પણ કુદરતની એક ભેટ છે. ભારતના ભક્તો મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સામે તેમની મહિમા કરતા સર્વાંગ સુંદર એ શબ્દ પણ જોડે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
અમદાવાદ: બીજા તબક્કાનું મતદાન પૂરું થવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષે ત્રીજા તબક્કાની બેઠકો પર પ્રચાર-પ્રસાર તેજ કરી દીધો છે. જેના પગલે સ્ટાર પ્રચારકોના હવે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ જ શ્રેણીમાં 27મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવવાના છે.27મી એપ્રિલના રોજ સૌપ્રથમ તેઓ પોરબદર લોકસભા માટે જામકંડોરણાથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અહીં તેમની સાથે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાશે. ત્યાર બાદ બપોરે 2-00 કલાકે ભરૂચ લોકસભા બેઠક માટે અંકલેશ્વર-રાજપીપળા હાઈવે પર એક જંગી સભાને સંબોધન કરશે. જ્યાં તેમની સાથે મનસુખ વસાવા જોડાશે.
27મી એપ્રિલના રોજ સાંજે 4-00 કલાકે પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ માટે ગોધરામાં આયોજીત લોકસભા વિજય સંકલ્પ સભાને સંબોધન કરશે.
બેઠક
ઉમેદવાર
સ્થળ
સમય
પોરબંદર
ડૉ. મનસુખ માંડવિયા
કુમાર છાત્રાલય, જામકંડોરણા, જિ-રાજકોટ
10-00 am
ભરૂચ
મનસુખ વસાવા
ખડોલી ગામ, અંકલેશ્વર-રાજપીપળા હાઈવે, ભરુચ
02-00 pm
પંચમહાલ
રાજપાલસિંહ યાદવ
પંચામૃત ડેરી, લુણાવાડા બાય પાસ હાઈવે, ગોધરા
04-00 pm
વડોદરા
હેમાંગ જોષી
રણમુક્તેશ્વર મહાદેવ મંદિર, અકોટા
06-00 pm
વડોદરામાં સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો યોજાશે.આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૃ થશે. જે નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર અને તાડફળિયા થઇ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થશે.
નવી દિલ્હીઃ એક તરફ અટકળો લાગી રહી છે કે કોંગ્રેસ અમેઠી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ઉતારે એવી શક્યતા છે. બીજી બાજુ, ભાજપ રાયબરેલીથી વરુણ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારે એવી શક્યતા છે. કોંગ્રેસ અત્યાર સુધી ઉમેદવારો પર નિર્ણય નથી લીધો, પણ પ્રિયંકા ગાંધીનું નામ સૌથી આગળ છે. પાર્ટીના કાર્યકર્તાઓ આ પરંપરાગત સીટ માટે પ્રિયકાં ગાંધીનું નામ જાહેર કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ નાખી રહ્યા છે.
રાયબરેલી સીટનું પ્રતિનિધિત્વ ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી જેવા કેટલાક કોંગ્રેસી દિગ્ગજોએ કર્યું છે. બે દાયકા સુધી આ સીટથી સાંસદ રહેલાં સોનિયા ગાંધીએ હાલમાં સંસદમાં જવા માટે રાજ્યસભાનો રસ્તો પસંદ કર્યો હતો.
વરુણ ગાંધીએ આ સીટ પરથી પુષ્ટિ પણ નહોતી કરી કે નહોતો ઇનકાર પણ કર્યો. તેમણે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે ગોપનીયતાના આશ્વાસન સાથે થયેલી વાતચીતને જાહેરમાં ચર્ચા કરવી એ મારા માટે ઉચિત નથી. વરુણના આ નિવેદનથી તેમનું રાયબરેલીથી ચૂંટણી લડવાની વાત ફેલાઈ છે.
વરુણ ગાંધી પીલીભીતથી હાલના સાંસદ છે, પણ આ વખતે તેમને ત્યાંથી ટિકિટ નથી આપવામાં આવી. કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે પ્રબળ સંભાવના છે કે વાયનાડથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી ચૂંટણી લડે એવી શક્યતા છે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે. નામાંકન પ્રક્રિયા 26 એપ્રિલે શરૂ થશે અને ત્રીજી મે સુધી જારી રહેશે.
આજકાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન અને એમાં થયેલો મંગળસૂત્રનો પ્રયોગ ચર્ચામાં છે, તો, ગયા મહિને ઈન્દોરની ફૅમિલી કોર્ટના પ્રિન્સિપલ જજે એક કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે “પરિણીત સ્ત્રી માટે સિંદૂર લગાડવું એ એની પવિત્ર ફરજ છે”.
પાંથીની મિડલમાં શોભતી લાલચટાક સેર લાગે નાજુકનમણી, પણ હિંદી સિનેમામાં જબરી ઊથલપાથલ સર્જી કાઢે. ભલભલા ટેન્શનમાં પણ હીરોઈન ખાલી એટલું કહી દે કે “તુમ્હે મેરે સિંદૂર કા વાસ્તા” એટલે ફિન્નિશ. બધાની બોલતી બંધ. એવી જ રીતે મંગલસૂત્ર અને કપાળ પરનો ચાંલ્લો.
દક્ષિણના દિગ્ગજ દિગ્દર્શક બાપુએ ચારેક દાયકા પહેલાં એમની તમિળ ફિલ્મ પરથી વો સાત દિન બનાવેલી. એમાં અનિલ કપૂર-પદ્મિની કોલ્હાપુરેને પ્રેમ હોય છે, પણ સંજોગવશાત્ પદ્મિનીએ ડૉ. આનંદ (નસીરુદ્દીન શાહ) સાથે લગ્ન કરવાં પડે છે. એ પછી જ્યારે ડૉ. આનંદને અસલ કહાણી ખબર પડે છે ત્યારે એ અનિલ કપૂરને કહે છે કે એ પદ્મિનીને અપનાવી લે, પણ અનિલભાઈ કહે છે કે “નૉટ પોસિબલ. આપણી એક પરંપરા છે કે એક વાર આદમીએ કોઈ ઔરતની માઁગમાં સિંદૂર પૂર્યું, એના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું એટલે એ ઔરત પેલા આદમીની અર્ધાંગિની બની જાય. જો પદ્મિની એના ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને ફેંકી દે તો હું એને અપનાવવા તૈયાર છું… એ ન કરી શકે તો ડૉ. આનંદ, તમે કાઢી નાખો એનું મંગળસૂત્ર…” જો કે એવું બનતું નથી ને અનિલ ત્યાંથી ચાલતી પકડે છે. વર્ષો વીત્યે આપણા સંજય લીલા ભણસાલીએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના અંતમાં આવો જ સીન રાખેલો. વનરાજ (અજય દેગવન) પત્ની નંદિનીનો ભેટો એના પ્રેમી (સલમાન) સાથે કરાવવા ઈટાલી (કે હંગેરી) જાય છે, પણ ત્રણેવ મળે છે ત્યારે સલમાન, વો સાત દિનની જેવો સંવાદ બોલે છે ને વનરાજ નંદિનીની માઁગમાં સિંદૂર પૂરે છે. મતલબ પ્રેમ કરતાં લગ્ન વધુ મહત્વનાં ને પવિત્ર છે.
વર્ષો પહેલાં અપરિણીત અભિનેત્રી રેખા ગણેશન્ એક જાહેર સમારંભમાં સિંદૂર લગાડીને આવેલી ત્યારે કેવડો કલહ થયેલો એ સૌ જાણે છે. આ તો રિઅલ લાઈફની વાત હતી, બાકી રીલ લાઈફમાં સિંદૂર અને મંગળસૂત્રનો ઉપયોગ નાટકીયવેડા માટે જ થતો હોય છે. ચાર-પાંચ અઠવાડિયાં પહેલાં ભૂલથી એક ટીવીસિરિયલ જોવાઈ ગઈ. એના એક દશ્યમાં હીરોઈન ભગવાનની પૂજા કરતી હોય છે ત્યારે એના હાથમાં કંકુ કંઈ એવી વિચિત્ર રીતે છટકે છે કે બાજુમાં ઊભેલા હીરોને ટચ કરીને એની સેંથીની વચ્ચોવચ પથજાય છે. આવું જ કંઈ ‘મુજસે દોસ્તી કરોગે’ ફિલ્મમાં બનેલું. પૂજા અને રાજ એકમેકને પ્યાર કરતાં હોય છે, પણ સંજોગવશાત્ રાજે ટીના સાથે લગ્ન કરવા એવું નક્કી થાય છે. ક્લાઈમેક્સમાં રાજના હાથમાંથી કંકુની ડાબલી છટકે છે ને અકસ્માત્ પૂજાના કપાળ પર, સેંથી પર છંટકાવ થઈ જાય છે અને સૌ સારાં વાનાં થાય છે.
ડિરેક્ટર મોહિત સુરીની ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’માં વસુધા (વિદ્યા બાલન)નો પતિ હરિ પ્રસાદ (રાજકુમાર રાવ) પાંચ વર્ષ ગાયબ રહ્યા બાદ અચાનક એક દિવસ પ્રગટ થાય છે. આવતાંવેંત એની નજર પત્નીની સેંથી પર જાય છેઃ “તુમ્હારા સિંદૂર ઔર મંગલસૂત્ર કહાં હૈ”? વસુધાને આવો માલિકી જમાવતો સવાલ પસંદ આવ્યો ન હોય એમ છાશિયું કરતાં કહે છેઃ “માઁગ મેરી… સિંદૂર તુમ્હારા”. જાણે ફિલ્મનું ટાઈટલ. ઈન ફૅક્ટ, સિંદૂર શીર્ષકવાળી આપણે ત્યાં ઢગલાબંધ ફિલ્મો બની છે, ખાસ કરીને 70 અને 80ના દાયકામાં. ‘સિંદૂર ઔર બંદૂક’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘ખૂન કા સિંદૂર’, ‘સિંદૂર બને જ્વાલા’, ‘ઉધાર કા સિંદૂર’… સિંદૂર અને સુહાગ અને મગળસૂત્રની આસપાસ ફરતી ફિલ્મ દક્ષિણ ભારતના નિર્માતા ખૂબ બનાવતા. મદ્રાસના નિર્માતાની 1976માં આવેલી ‘ઉધાર કા સિંદૂર’માં રાજા (જિતેન્દ્ર) જેને પ્રેમ કરતો હોય છે એ રેખા (રીના રૉય)ને બદલે એની બહેન શાંતા (આશા પારેખ) સાથે લગ્ન કરે છે. ક્લાઈમેક્સમાં શાંતા સ્યુસાઈડ કરે છે, પતિના ખોળામાં અંતિમ શ્વાસ લેતાં પહેલાં એ પોતાનું સિંદૂર ભૂંસીને રેખાની સેંથીમાં લગાડે છે.
આવા જ મદ્રાસી કે. રવિશંકરની ‘સિંદૂર’ ફિલ્મમાં હીરો વિજય (જિતેન્દ્ર) એની પત્ની લક્ષ્મી (જયાપ્રદા)ના ચારિત્ર્ય પર શંકા કરી એને કાઢી મૂકે છે. લક્ષ્મી ત્યારે પ્રેગ્નન્ટ હોય છે, જેની વિજયને ખબર નથી. હતાશ લક્ષ્મી એક મંદિરમાં જાય છે. વીજળીના કડાકાભડાકા સાથે તૂટી પડેલા વરસાદમાં લક્ષ્મીની માઁગનું સિંદૂર ભૂંસાઈ જાય છે. એ કંઈ સમજે તે પહેલાં મંદિરના પૂજારી એને ઍડવાઈઝ આપતાં કહે છેઃ “બેટી, અબ તુજે બિના સિંદૂર કી વિધવા બન કર બચ્ચે કો પાલના હોગા”. કોઈ ફિલ્મમાં ગાંધર્વ લગ્નના સીનમાં સિંદૂર, કંકુ ન હોય તો હીરો કે (હીરોઈન)ના લોહીથી કામ ચાલી જાય છે.
ક્યારેક સિંદૂર સંવાદની ગરજ પણ સારે. ‘દીવાર’માં ઈન્સ્પેક્ટર રવિ વર્મા (શશી કપૂર)ને ખબર પડે છે કે વર્ષોથી ગુમશુદા એના પિતા (સત્યેન કપ્પુ) શ્રીજીચરણ પામ્યા છે ત્યારે એ મમ્મી (નિરૂપા રૉય)ને માઠા સમાચાર મોઢેથી આપવાને બદલે એને સિંદૂર-ચાંદલો કરતાં અટકાવે છે. મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’માં આનું રિવર્સ છેઃ નિરૂપા રૉયને એમ છે કે એના પતિદેવ (પ્રાણ) ક્યારનાયે કાળધર્મ પામ્યા છે… એટલે અકબર (રિશી કપૂર) જ્યારે એને કંકુની ડાબલી આપે છે ત્યારે એ ગુસ્સે થાય છે. જો કે અકબર એને ખુશખબર આપતાં કહે છે કે એનો સુહાગ જિંદા છે… એટલું જ નહીં, પણ કડેધડે છે.
ક્યાંક સંવાદ ચોટદાર ન લાગે તો સિંદૂરની આસપાસ ફરતાં ગીતો સ્વરબદ્ધ કરવામાં આવે છેઃ “રખ લાજ મેરે સિંદૂર કી અથવા “મેરી માઁગ મે તેરા સિંદૂર હૈ”… અથવા “ચૂટકીભર સિંદૂર સે તુમ અબ યે માઁગ ઝરા ભર દો”… બાજીરાવ મસ્તાનીમાં કાશીબાઈને પતિદેવ બાજીરાવ અને મસ્તાનીના સંબંધ વિશે અણસાર આવતાં પિંગા સોંગમાં ગાય છેઃ “દોનો કી માઁગ લગે સૂની આધી આધી”…
ઈન્ટરેસ્ટિંગ્લી, એવીયે ફિલ્મો આવી, જેમાં હીરો-હીરોઈન પરિવારને બેવકૂફ બનાવવા પતિ-પત્ની હોવાનું નાટક કરતાં હોય. એમાં કોઈ જમાનાના ખાધેલ વડીલ ખોંખારો ખાઈને કહેઃ “બેટી, તુમ્હારી માઁગ મેં સિંદૂર ક્યોં નહીં હૈ”? અને પછી હીરોને આદેશ કરે “ચલો બેટા, બહુ કી માઁગ મેં સિંદૂર ભરો”… આવા ટાઈમે હીરોનો દોસ્તદાર કે હીરોઈનની બહેનપણી કંઈ ગેમ રમી જાય ને સિચ્યુએશન સંભાળી લે. રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં રાહુલ અને મીનાઅમ્મા (શાહરુખ-દીપિકા પદુકોણ) આ રીતે રહેતાં હોય છે ત્યારે એક રિવાજ મુજબ રાહુલે પત્નીને તેડીને ટેકરી પર આવેલા મંદિર જવાનું હોય છે. અહીં સુધી તો ઠીક હતું, પણ ઉપર પહોંચ્યા પછી સિંદૂર લગાડવાનું હતું. તો જ વિધિ કમ્પ્લિટ થાય. મીનાઅમ્મા ઈમોશનલ થઈ જાય છે, પણ રાહુલ તત્કાળ સિંદૂર અને મીનાની લાગણી પ્રત્યે દુર્લક્ષ કરીને મોઢું ફેરવી લે છે.
જો કે મૉડર્ન જમાનામાં ફરાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’માં આપણને સિંદૂરનું મહત્વ સમજાવ્યું. પુનર્જન્મના પ્લોટવાળી ફિલ્મમાં 1970ના દાયકાની હીરોઈન શાંતિ (દીપિકા પદુકોણ) કહે છેઃ “હર ઔરત કા ખ્વાબ હોતા હૈ સિંદૂર… સુહાગન કે સર કા તાજ હોતા હૈ સિંદૂર… એક ચૂટકી સિંદૂર કી કીમત તુમ ક્યા જાનો રમેશ બાબુ”? વર્ષો વીત્યે શાંતિ જેવી દેખાતી સૅન્ડી (દીપિકા)એ આ સંવાદ બોલવાનો આવે છે ત્યારે એ હસવાનું ખાળી શકતી નથી.
તમને આવી કોઈ ફિલ્મ યા આવે તો કહેજો. હા, એક સ્પષ્ટતાઃ આમાં આપણી સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજની મશ્કરી કરવાની નથી. હેતુ માત્ર હિંદી સિનેમામાં મંગળસૂત્ર, ચાંદલો, સિંદૂરનો કેવો મેલોડ્રામેટિક ઉપયોગ થાય છે એનું રિ-રન કરવાનો છે. આજકાલ તો આવી ફિલ્મ કે સીન ફિલ્મમાં તો નથી હોતા, હા, ક્યારેક ટીવીસિરિયલમાં જોવા મળી જાય છે.
લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે કેન્દ્રિયમંત્રી અને અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ કિરેન રિજિજૂએ ચકમા અને હાજોંગને મહેમાન કહેતા આ સમુદાયના લોકો નારાજ થયા છે. એટલું જ નહીં કેન્દ્રિયમંત્રીના નિવેદનના કારણે 60 વર્ષથી ભારતને પોતાનું ઘર માનતા આ સમુદાયના લોકો ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ત્યારે હકીકતમાં ચકમા અને હાજોંગ સમુદાયના લોકો કોણ છે? કેવી રીતે ભારતમાં આવ્યા અને એમની પાસે કેવા અધિકાર છે એ જાણવા જેવુ છે.
કેવી રીતે આવ્યા ભારત
તિબેટો-મોંગોલ જાતિના ચકમા અને હાજોંગ મૂળ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં આવેલા ચટગાંવ હિલ ટ્રેક્ટના રહેવાસી હતા. કપ્તાઈ ડેમ પ્રોજેક્ટને કારણે એમની જમીન ડૂબી જતાં તેઓએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું. આ લોકોએ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં પણ ધાર્મિક અત્યાચારનો સામનો કર્યો હતો. તેઓ આસામ (હાલ મિઝોરમ)ના તત્કાલીન લુશાઈ હિલ્સ જિલ્લામાંથી ભારતમાં પ્રવેશ્યા હતા.
શું કહે છે કાયદો?
ભારત સરકાર દ્વારા 1964-69 વચ્ચે ચકમા અને હાજોંગને અરુણાચલ પ્રદેશમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. સુપ્રિમકોર્ટે 1996 અ 2015માં અરૂણાચલ પ્રદેશમાં 1960થી રહેતા આ બંને સમુદાયના સભ્યોને નાગરિક્તા આપવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્ય માનવ અધિકાર પંજે 2022માં સરકારને સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે ચકમા અને હાજોંગને નાગરિક્તા અધિકાર આપવા માટે કહેવામાં આવ્યું હતું. એ સમયે એમની મૂળ વસ્તી પાંચ હજારની આસપાસ હતી, પરંતુ હાલમાં એક લાખની આસપાસ હોવાનું કહેવાય છે. ચકમાઓ મુખ્યત્વે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, જ્યારે હાજોંગ એવા રિવાજોનું પાલન કરે છે જે હિંદુ ધર્મને અનુસરે છે.
પરિસ્થિતી કેવી છે ?
વર્તમાન સમયની વાત કરીએ તો આ લોકોને મફક રેશનિંગ, શિક્ષશણ, સ્કોલરશિપ જેવી સુવિધાઓ હજુ પણ મળી નથી. તો બીજી બાજુ આ સમુદાયના લોકોને નોકરીથી પણ વંચિત રહેવુ પડે છે. સ્થાનિક વિદ્યાર્થિઓના અનુભવો પ્રમાણે જ્યારે પણ એ લોકો અરૂણાચલ પ્રદેશમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે ત્યારે જે તે ડિપાર્ટમેન્ટ એમને શરણાર્થી માનીને ભેદભાવ કરે છે. જ્યારે નોકરી માટે અન્ય જગ્યાએ જવાનું થાય ત્યારે સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા પડે. પરંતુ આ પ્રકારના કોઈ પણ દસ્તાવેજો બંને સમુદાયના લોકો પાસે નથી. ઉપરાંત વિદ્યાર્થિઓને સ્કોલશીપ નથી મળતી કે બેંક કોઈને પુરાવા વગર લોન પણ નથી આપતી.
ચકમા સમુદાયની ચોથી પેઠી અરુણાચલ પ્રેદેશમાં વસવાટ કરી રહી છે. જો કે નાગરિકતાના પ્રમાણપત્ર ન હોવાના કારણે રોજગારી મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
લીલા વટાણાની સિઝન હજુ ચાલુ છે. માર્કેટમાં તાજા વટાણા મળી રહ્યાં છે. તો આ નવી વેરાયટીની, બ્રેડ વિનાની સ્વાદિષ્ટ સેન્ડવિચ બનાવવા જેવી છે!
સામગ્રીઃ
લીલા વટાણા 2 કપ
આદુનો ટુકડો 2 ઈંચ
કોથમીર ધોઈને સમારેલી 1 કપ
લીલા મરચાં 2-3, જીરુ 1 ટી.સ્પૂન
હળદર પાઉડર ½ ટી.સ્પૂન
દહીં 1 કપ
રવો 2 કપ
બટર અથવા ઘી સેન્ડવિચ શેકવા માટે
ઈનો 1 ટી.સ્પૂન
પૂરણ માટેઃ
બાફેલા બટેટા 6-7
ઓરેગેનો પાઉડર
ચાટ મસાલો 1 ટી.સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
ચીઝ સ્લાઈસ અથવા ચીઝ ક્યુબ્સ 4-5
ફુદીનાના પાન ½ કપ
કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
રીતઃ મિક્સીમાં લીલા વટાણા, સમારેલો આદુનો ટુકડો, લીલા મરચાં, જીરુ, કોથમીર તેમજ હળદર પાઉડર ઉમેરીને થોડુંક પાણી ઉમેરીને બારીક પેસ્ટ કરી લો. આ પેસ્ટમાં રવો તેમજ દહીં, સ્વાદ મુજબ મીઠું પણ મેળવીને 10 મિનિટ માટે એક બાજુએ રાખો.
બાફેલા બટેટાને ક્રશ કરીને એક બાઉલમાં લઈ તેમાં ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, ઝીણી સમારેલી કોથમીર તેમજ સમારેલાં ફુદીનાના પાન મેળવીને પૂરણ તૈયાર કરીને એના નાના ગોળ ચપટા ગોળા વાળી લો.
ચીઝ ક્યુબ્સના નાના ટુકડા કરી લો.
સેન્ડવિચ બનાવતી વખતે વટાણાના પૂરણમાં 1 ટી.સ્પૂન ઈનો પાઉડર નાખી તેની ઉપર 1 ટી.સ્પૂન પાણી રેડીને 1 મિનિટ માટે ચમચા વડે એકસરખું ફેંટી લો.
ટોસ્ટ સેન્ડવિચ મેકરમાં અંદર બટર અથવા ઘી ચોપડીને તેને ગેસ પર ગરમ કરી લઈ, તેમાં એક ચમચો વટાણાનું પૂરણ રેડીને ફેલાવીને ઉપર બટેટાની ટિક્કી મૂકી તેની ઉપર ઓરેગનો પાઉડર ભભરાવી દો. હવે તેની ઉપર ચીઝ સ્લાઈસ હોય તો આખી મૂકી દો અને ચીઝ ક્યુબ્સ હોય તો તેના 4-5 ટુકડા ફરતે ગોઠવીને ફરીથી તેની ઉપર એક ચમચો વટાણાનું પૂરણ રેડીને ફેલાવી દો અને ટોસ્ટ મેકર બંધ કરીને 2-3 મિનિટ થવા દો. આ આખી પ્રોસેસ ઝડપથી કરવી અને ગેસની આંચ ધીમી રાખવી. ફરીથી સેન્ડવિચ મેકરને બીજી બાજુએથી પણ 2-3 મિનિટ શેકી લો.
સેન્ડવિચ મેકરમાં સેન્ડવિચ ન બનાવવી હોય તો તવા ઉપર પણ બનાવી શકાય. તવો ગરમ કરીને પૂડલાની જેમ ખીરું રેડીને બાકીની પ્રોસેસ ઉપર બતાવી છે તેમ કરી લેવી.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વાર કાળઝળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે.
ચોમાસાના લઈ હવામાન નિષ્ણાતે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 15 થી 17 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે આ સાથે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો સંકટ પણ આવવાની શક્યાતા છે. ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું કે બંગાળી ખાડીમાં ચક્રવાત સર્જાય શકે છે. જેની સીધી અસર દેશ પર થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી વ્યક્ત કરતા કહ્યું કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જે બાદ તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈ: 2023થી ચાલી રહેલી મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની ટ્રાયલ રન કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MSRC) અનુસાર મેના અંત સુધીમાં ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેટ્રો લાઈન અને સાધનોનું પરીક્ષણ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્વતંત્ર સંસ્થા દ્વારા કરવામાં આવશે. સ્વતંત્ર સલામતી મૂલ્યાંકન (ISA) પ્રમાણપત્ર મેળવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા મેળવેલ પ્રમાણપત્ર મેટ્રો રેલ સેફ્ટી (CSRS)ને મોકલવામાં આવશે. CSRS તપાસ બાદ સામાન્ય મુસાફરો માટે મેટ્રોના દરવાજા ખોલવામાં આવશે. આ તમામ ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ બેથી અઢી મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં મેટ્રો-3 કોરિડોરના પ્રથમ તબક્કા હેઠળ આરે અને BKC વચ્ચે મેટ્રોની ટ્રાયલ રન ચાલી રહી છે. આ દરમિયાન મેટ્રોને 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે અને તેના તમામ સાધનોની તપાસ કરવામાં આવી રહી છે.મેટ્રો ચલાવવાની સાથે સાથે સિગ્નલિંગ સિસ્ટમ,ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેકનું ટેસ્ટિંગ વર્ક પણ ચાલી રહ્યું છે.
હેવી રેટ ટ્રાયલ રન
ઈન્ટિગ્રેટેડ ટ્રાયલ રન દરમિયાન ખાલી ટ્રેન દોડાવીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો વહીવટીતંત્ર દ્વારા આગામી તબક્કાની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.આ અંતર્ગત ટ્રેનમાં ભારે સામાન રાખીને ટ્રેન ચલાવવામાં આવશે.આ ટેસ્ટ દરમિયાન ટ્રેનની ક્ષમતા તપાસવામાં આવે છે.એક અધિકારીના જણાવ્યા અનુસાર હેવી વેઇટ ટ્રાયલ રન પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેસ્ટ ટૂંક સમયમાં શરૂ થશે.
બીજા તબક્કાના 11 રેક આવ્યા
આરે અને BKC વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાની તૈયારીઓ સાથે MSRCએ બીજા તબક્કા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં 9 ટ્રેનો સાથે સેવા શરૂ થશે, તમામ 9 ટ્રેનોનું પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. MSRC અનુસાર બીજા તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવા માટે વધારાની 11 મેટ્રો ટ્રેનો મુંબઈ પહોંચી ગઈ છે. વધારાની 11 ટ્રેનોના ટેસ્ટિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
સાધનસામગ્રીનું પરીક્ષણ શા માટે મહત્વનું છે?
તપાસ માટે સ્વતંત્ર એજન્સીને બોલાવતા પહેલા MSRC પોતે અનેક ખૂણાઓથી તપાસ કરે છે. કારણ કે, સ્વતંત્ર એજન્સીને તેની તરફથી ફૂલપ્રૂફ સંતોષ મળ્યા બાદ જ તપાસ માટે બોલાવવામાં આવે છે. નિરીક્ષણના અંતિમ તબક્કા માટે CSRSને બોલાવતા પહેલા, સ્વતંત્ર એજન્સી દ્વારા નિરીક્ષણ કરાયેલ મેટ્રો રેલ કોરિડોરના રૂટ પર સિગ્નલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. તૃતીય પક્ષ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે તે પહેલાં MSRCએ પોતે સમગ્ર સિસ્ટમનું નિરીક્ષણ કરવું પડશે. બાહ્ય સંસ્થા સાધનસામગ્રીનું ફરીથી પરીક્ષણ કરે છે જેથી સેવા શરૂ કરતા પહેલા તમામ ખામીઓ દૂર કરવામાં આવે. આ દરમિયાન ટ્રેનને ઓછી અને વધુ ઝડપે ચલાવીને તમામ સાધનોની તપાસ કરવામાં આવે છે. જૂલાઈથી લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી શકશે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED અધિકારીઓના હુમલામાં CBI અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. CBIએ આ દરોડામાં મોટા માત્રામાં ગોલા-બારુદ અને હથિયારો જપ્ત કર્યાં છે. આ પહેલાં સંદેશખાલી મામલામાં CBIએ પહેલી FIR નોંધી હતી. CBIએ ઇમેઇલ દ્વારા ફરિયાદને આધારે FIR નોંધી હતી. એ FIRમાં પાંચ લોકોનાં નામ છે, જ્યારે બાકીના અજાણ્યા લોકો છે.
પેરામિલિટરી ફોર્સની કડક સુરક્ષામાં CBIની ટીમ અલગ-અલગ સ્થળોએ દરોડા કરી રહી છે. આ દરોડામાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે, જેમાં વિદેશોમાં બનેલા હથિયારોની સંખ્યા વધુ છે.
#बंगाल#संदेशखाली केस से संबंधित #सीबीआई ने राज्य के कई जगहों पर रेड किया संदेशखाली में घर से आग्नेयास्त्र बरामद किया गया, बताया जा रहा है घर किसी स्थानीय तृणमूल नेता के रिश्तेदार का है, हथियारों को जमीन के नीचे दबा कर छिपाया गया था तलाशी अभियान जारी है
— सोनू ओझा/Sonu Ojha/সোনু ওঝা 🇮🇳 (@sdo_ojha) April 26, 2024
મહિલાઓની સાથે અત્યાચાર અને જમીન હડપવાના મામલાઓની તપાસ માટે CBIની 10 સભ્યોની ટીમોએ ગયા સપ્તાહમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન ટીમના પીડિત પરિવારો અને મહિલાઓ વાતચીત કરીને તેમનાં નિવેદનો નોંધ્યા હતાં. એ સાથે CBIની એક ટીમ સંદેશખાલી પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી, જ્યાં હાજર પોલીસ કર્મચારીઓ પાસે તપાસ રિપોર્ટ માગ્યો હતો.
પશ્ચિમ બંગાળના રાશન વિતરણમાં આશરે રૂ. 10,000 કરોડના ભ્રષ્ટાચાર મામલામાં જ્યારે પાંચ જાન્યુઆરીએ EDની ટીમ શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા મારવા પહોંચી તો ત્યાં તેના સાથીદારોએ EDના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. 200થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે ચાલી રહેલા અર્ધસૈનિક દળોનાં વાહનોને ઘેરી લીધાં હતાં. આ કેસમાં શાહજહાં શેખ કેટલાય દિવસો સુધી ફરાર રહ્યો હતો. શાહજહાંને ભૂતપૂર્વ મંત્રી જ્યોતિપ્રિય મલિકની નજીકની વ્યક્તિ માનવામાં આવતો હતો.