Home Blog Page 1903

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે જોરશોરથી પ્રચાર

લોકસભા 2024ના ચૂંટણી જંગમાં વલસાડ બેઠક પર ભાજપ-કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે સિટિંગ MP ડો. કે.સી. પટેલની ટિકિટ કાપી તેમની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસ નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યા છે. ધરમપુરના દરબાર ગઢમાં પ્રિયંકા ગાંધી સવારે 10 વાગે સભાને સંબોધન કરશે. આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.

કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું

વલસાડ લોકસભા બેઠક ઉપર આવતા 7 વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા અપીલ કરવા આવશે. પ્રિયંકા ગાંધીના આગમનની વાત સામે આવતા જ કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. હિટ વેવને ધ્યાને રાખીને કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું છે. અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘અનંત પટેલ કે સંઘર્ષ મેં સાથ દેને આ રહી હૈ પ્રિયંકાજી’ના નામથી પોસ્ટર પોસ્ટ કરી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી વાડરાની સભા સવારે 10 વાગ્યે રાખવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે, અમારા અત્યાર સુધીના સંઘર્ષમાં સહભાગી થવા પ્રિયંકાબેન આવી રહ્યા છે. ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા અને પ્રિયંકા ગાંધીને સાંભળવા તત્પર છે.

ધરમપુરના દરબાર ગઢ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીની તૈયારીમાં જોતરાય ગયા છે. સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ સ્વરૂપ દેખાતા પ્રિયંકા ગાંધીને મળવા આદિવાસી સમાજની મહિલાઓ આતુર છે. વલસાડના પીઢ કોંગ્રેસી અને AICC સભ્ય ગૌરાંગ પંડ્યાએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમ અંગે જાણકારી આપી છે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ સવારે 10 વાગે ધરમપુરના દરબાર ગઢ ખાતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. વલસાડ લોકસભ બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સબખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવશે.

ગુજરાતમાં PM મોદી અને અમિત શાહ સભાઓ ગજવશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પ્રચાર માટે કેન્દ્રમાંથી ધૂરંધર નેતાઓ મેદાનમાં ઉતરશે. રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી પ્રચાર કરે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. તેઓ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે અને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પ્રચાર કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં આવીને સભાઓ ગજવશે.

પહેલી મેથી જ વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે

ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી જ વડાપ્રધાન મોદી રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. બીજી મેના રોજ તેઓ જૂનાગઢમાં પ્રચાર કરશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કરશે. તે ઉપરાંત બનાસકાંઠા અને આણંદ, સુરેન્દ્રનગર અને આણંદમાં પણ સભાઓ ગજવશે. વડાપ્રધાન વડોદરામાં જબરદસ્ત રોડ શો કરશે. વડાપ્રધાન ગુજરાત આવશે અને દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠકો આવરી લે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે.

 

પ્રોપર્ટીની વહેંચણીના આરોપો પર રાહુલ ગાંધીનો યુ-ટર્ન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘વેલ્થ સર્વે’ ટિપ્પણી પર યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેઓ માત્ર એ જાણવા માગે છે કે દેશમાં કેટલો અન્યાય થઈ રહ્યો છે. બુધવારે દિલ્હીના જવાહર ભવનમાં ‘સામાજિક ન્યાય પરિષદ’ને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે મેં કહ્યું નથી કે અમે આ કરીશું. હું શું કહું છું કે આવો જાણીએ કે કેટલો અન્યાય થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જુઓ મેં કહ્યું હતું કે ચાલો જોઈએ કે કેટલો અન્યાય થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કેવી પ્રતિક્રિયા આપી છે. તેઓ કહી રહ્યા છે કે આ દેશને તોડવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે જેઓ પોતાને ‘દેશભક્ત’ કહે છે તેઓ જાતિ ગણતરીના ‘એક્સ-રે’થી ડરે છે. તેમણે કહ્યું કે જાતિની વસ્તી ગણતરીને કોઈ શક્તિ રોકી શકે નહીં. અન્યાયનો ભોગ બનેલી 90 ટકા વસ્તી માટે ન્યાય સુનિશ્ચિત કરવાનું તેમના જીવનનું મિશન છે.

રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ કોંગ્રેસ પર લોકોની સંપત્તિને લઘુમતીઓ વચ્ચે વહેંચવાનો આરોપ લગાવી રહી છે. પીએમ મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે કે લોકોની સંપત્તિનો હિસાબ લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો તે લોકોની મિલકતો લઈ લેશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોને વહેંચી દેશે.

સરકાર બને કે તરત જ જાતિ ગણતરી થશે : રાહુલ ગાંધી

કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની 90 ટકા વસ્તી સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમની સાથે થઈ રહેલા અન્યાયનો મુદ્દો ઉઠાવતા જ વડાપ્રધાન અને ભાજપે મારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.  રાહુલે કહ્યું કે અમારી સરકાર બનતાની સાથે જ પહેલા જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. રાહુલે આરોપ લગાવ્યો કે રામ મંદિર અને નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન વખતે એક પણ દલિત કે આદિવાસી જોવા મળ્યો નથી. 90 ટકા વસ્તી આ સમજે છે.

Nutshell in 99

Nutshell in 99

શિક્ષક ભરતી કૌભાંડઃ સરકારે HCના ચુકાદાને SCમાં પડકાર્યો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને કોલકાતા હાઇકોર્ટના ચુકાદાને પડકાર આપ્યો છે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સરકારે અરજીમાં કહ્યું છે કે હાઇકોર્ટના ચુકાદાથી સ્કૂલોમાં એક મોટું શૂન્ય પેદા થઈ જશે.

પશ્ચિમ બંગાળની મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2016માં કરવામાં આવેલી શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓની લગભગ 24,000 નિયુક્તિઓને રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. ટોચની કોર્ટ સમક્ષ અરજીમાં રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે હાઇકોર્ટે મૌખિક દલીલોને આધારે અને રેકોર્ડ પર સોગંદનામાના અભાવે મનમાની રીતે નિમણૂકો રદ કરી દીધી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સરકારે કહ્યું હતું કે આ ચુકાદો પુરાવાની સંપૂર્ણ ઉપેક્ષા કરતાં આપવામાં આવ્યો હતો. કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં રાજ્ય સ્તરીય પસંદગી પરીક્ષા-2016 (SLST)ની પ્રક્રિયા દ્વારા બધી નિમણૂકોને રદ કરતાં સોમવારે એને ગેરલાયક ઠેરવી હતી. હાઇકોર્ટે શિક્ષક ભરતીને ગેરકાયદે ઠેરવતાં 24,000 ઉમેદવારોની ગેરકાયદે ભરતી પ્રક્રિયા પછી પ્રાપ્ત વેતન પરત લેવાનો આદેશ કર્યો હતો.

આ પહેલાં મમતા બેનરજીએ કહ્યું હતું કે હાઇકોર્ટનો ચુકાદો ગેરકાયદે છે અને સરકાર એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC)ને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

 

 

 

 

 

 

 

 

Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય

મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ સલામી બેટમેન અને માસ્ટર બ્લાસ્ટરના નામથી જાણીતા સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલના રોજ 51 વર્ષના થયા છે. પોતાની કરિયર દરમિયાન સચિને બનાવેલા મહારેકોર્ડ વિશે બધાં જાણે છે, જે રેકોર્ડને આજે પણ કોઈ તોડી શક્યુ નથી. તેમના નામ પર 100 સદીઓનો રેકોર્ડ છે, જેનો તોડવો ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે. ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના શ્રેષ્ઠ પ્રદર્શન વિશે તો લગભગ બધા જાણે જ છે. પણ આજેઆપણે સચિનની એ હકિકતો જાણીએ જે કદાચ તમને ખબર નહીં હોય.

આ રીતે પડ્યુ સચિન નામ

સચિનનું નામ બોલિવૂડના મહાન સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી તેના પિતા રમેશ તેંડુલકરે રાખ્યું હતું કારણ કે તે સચિન દેવ બર્મનના મોટા પ્રશંસક હતા.

1987ના વર્લ્ડ કપમાં બૉલ બૉય તરીકે કર્યુ કામ

1987નો વર્લ્ડ કપ સેમી ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો અને આ મેચમાં સચિન તેંડુલકર બૉલ બૉય હતાં. તે સમયે તેની ઉંમર 13 વર્ષની હતી.ત્યાર બાદ તે જ મેદાન પર તેમણે દિગ્ગજ ખેલાડીઓ સાથે મેચ રમી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી અને પછી આ જ મેદાનમાં સચિને વર્લ્ડ કપ ટાઈટલ જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ.

પાકિસ્તાન માટે કરી ચૂક્યા છે ફિલ્ડિંગ

ઘણાં લોકોને ખબર નહીં હોય કે સચિન તેંડુલકર પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી ફિલ્ડિંગ કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988માં એક વોર્મ મેચ રમાઈ હતી. આ મેચમાં સબ્સીટ્યુટ તરીકે સચિન તેંડુલકરે પાકિસ્તાન તરફથી ફિલ્ડિંગ કરી હતી.

માત્ર 14 વર્ષની ઉંમરે રમી રણજી ટ્રોફીની મેચ

તમને જાણીને નવાઈ લાગશે કે સચિન તેંડુલકરે પોતાનું રણજી ડેબ્યુ માત્ર 14 વર્ષની ઉંમરમાં કર્યુ હતું. આ મેચ રમનાર તે સૌથી યુવા ખેલાડી હતા.

ભારત રત્ન મેળવનાર પહેલા ભારતીય ખેલાડી

સચિન તેંડુલકર ભારતના પ્રથમ એવા ખેલાડી છે જેમને ભારત રત્નથી નવાઝવામાં આવ્યા છે. વર્ષ 2014માં તેમને દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

20 વર્ષના થતાં પહેલાં સચિને પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી, જે એક વિશ્વ રેકોર્ડ છે. સચિન તેંડુલકર રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂકયા છે.

ગાંધીનગર: સમજો ગાદીનું ગણિત

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ભારતના સૌથી પ્રતિષ્ઠિત લોકસભા મતવિસ્તારોમાંનું એક છે. જેનું પ્રતિનિધિત્વ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થયું છે. આ મતવિસ્તારની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય કોંગ્રેસના સોમચંદભાઈ સોલંકી હતા. 1989થી આ બેઠક ભાજપનો ગઢ બની છે. બેઠક ભલે ગાંધીનગરના નામથી ઓળખાય છે પરંતુ તેમાં અમદાવાદના મતદારો મહત્વનો ભાગ ભજવે છે.

ઉમેદવાર

ભાજપ: અમિત શાહ 

2019માં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી બન્યા. તેઓ 1989માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા હતા. 1997માં સરખેજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2002માં ગુજરાતના ગૃહમંત્રી હતા. 2013માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતા. જ્યારે 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. ભાજપમાં નાના હોદ્દા પરથી તેઓ દેશના ગૃહમંત્રી પદ સુધી પહોંચ્યા છે. ભાજપના કાર્યકરોમાં તેમની છબી કુશળ સંગઠક અને વિજયના વ્યૂહરચનાકાર તરીકેની છે.

કોંગ્રેસ: સોનલબેન પટેલ

સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે.

PROFILE

  • ગાંધીનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના અમિત શાહ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 5,57,014 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    21,50,110

પુરુષ મતદાર   11,04,559 

સ્ત્રી મતદાર     10,45,481

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
ગાંધીનગર ઉત્તર ભાજપ રીટાબેન પટેલ 80,623 26,111
કલોલ ભાજપ લક્ષ્મણજી ઠાકોર 86,102 5,733
સાણંદ ભાજપ કનુભાઈ પટેલ 1,00,083 35,369
ઘાટલોડિયા ભાજપ ભૂપેન્દ્ર પટેલ 2,13,530 1,92,263
વેજલપુર ભાજપ અમિત ઠાકર 1,28,049 59,651
નારણપુરા ભાજપ જીતેન્દ્રકુમાર પટેલ 1,08,160 92,800
સાબરમતી ભાજપ હર્ષદ પટેલ 1,20,202  98,684

ગાંધીનગર બેઠકની વિશેષતા

  • 1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા વર્સિસ સ્થાનિક નેતાનો જંગ જોવા મળે છે.
  • રાજેશ ખન્ના કે ટી. એન. શેસાન પણ ભાજપનો વિજય રથ અટકાવી શક્યા નથી.
  • 1998થી 2014 સુધી લાલ કૃષ્ણ અડવાણી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા હતા.
  • 2019માં આ બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.

બનારસ હિન્દુ યુનિ.માં પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની ડાયરેક્ટર તરીકે નિમણૂક

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.)ના નિયામક પ્રોફોસર વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને પસંદ કરવામાં આવે છે. પ્રોફેસરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ અને તેમના કાર્યોને આધારે કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાંત તરીકે તેઓ પસંદગી પામ્યા તે ગર્વની વાત છે.

આઇ.ટી.આર.એ. એ દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે ત્યારે તેના ડાયરેક્ટર તરીકે તેઓની પસંદગી એ સંસ્થાની યશકલ્ગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે! ગાંધીનગરના વતની પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકર આયુર્વેદ ક્ષેત્રમાં એમ.ડી., પી.એચડી.નો અભ્યાસ કર્યો છે. તેઓ ત્રીસ વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમના માર્ગદર્શનમાં સિતેરથી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન પદવી પ્રાપ્ત કરી છે. 125થી વધુ વખત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનાર-વર્કશોપમાં તજજ્ઞ વકતવ્ય આપ્યું છે. નોંધનીય પુસ્તકો તેના ખંડો અને 100થી વધુ સંશોધન પત્રો પ્રસિધ્ધ કરી ચુક્યાં છે. અત્યાર સુધીમાં વિવિધ ફેલોસિપ અને એવોર્ડ હાંસલ કર્યા છે.

વૈદ્ય અનૂપ ઠાકર ઇટ્રાના નિયામક ઉપરાંત W.H.O.ના આયુર્વેદના સહયોગી કેન્દ્રના હેડ તરીકે પણ જવાબદારી નિભાવે છે. વધુમાં તેઓ દેશની નામાંકિત સંસ્થાઓ-યુનિવર્સિટીમાં પણ સભ્ય તરીકે કાર્યરત છે. તેઓના મર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં પંદર જેટલાં મહત્વકાંક્ષિ પ્રોજેક્ટ પર કાર્ય સંપન્ન થઇ ચૂક્યું છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતા સમગ્ર આયુર્વેદ જગતમાં એક હર્ષની લાગણી ફેલાઇ છે.

ભાજપના નેતાઓની ધરપકડ કરવા ઇચ્છતી હતી ઉદ્ધવ સરકારઃ શિંદે

મુંબઈઃ જો હું બોલીશ તો મોં દેખાડવા માટે લાયક નહીં રહો. લંડનથી માંડીને લખનૌ સુધી ખોખાથી કંન્ટેનર સુધી બધી વાતો સમય આવે જણાવીશ. મારું મોં નહીં ખોલાવો, પાણી માથીથી ઉપર જશે તો કાગળ સાથે પોલ ખોલીશ, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતાં જણાવ્યું હતું.

તેમણે વાતચીતમાં ઉદ્દવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ તીખો હુમલો કર્યો હતો. આદિત્ય ઠાકરે પહેલાં તેની વય જુએ, પછી વાત કરે. બાળાસાહેના વિચાર ગુમાવી દીધા છે. તેમને વાત કરવાનો કોઈ હક નથી. ઠાકરે સરકારના સમયે કેટલાય ભાજપના નેતાઓને જેલમાં નાખવાના હતા. દેવેન્દ્ર ફડણવીસને પણ જેલમાં નાખવાનું આયોજન થયું હતું. ઉદ્ધવ ઠાકરેએ જેલમાં નાખીને ભાજપને તોડવાની યોજના બનાવી હતી. મારા પર કોઈનું દબાણ નહોતું. મેં પાર્ટી બચાવવા માટે ઘણુંબધું કર્યું છે.

ગઈ કાલે તેમણે (ઉદ્ધવ ઠાકરે)એ કહ્યું હતું કે એકનાથ શિંદે નીચ છે. તમે મને નીચ કહીને ગાળો આપે છે. જો એક ખેડૂતનો પુત્ર- સામાન્ય મજૂર મુખ્ય મંત્રી બને છે તો એ તેમને નથી ગમ્યું. તમે એ પચાવી નથી શક્યા. જોકે આ મારું અપમાન નથી. આ બધા ખેડૂતોના પુત્રોનું અપમાન છે. આ ગરીબોની માતાઓ અને બહેનોનું અપમાન છે, એમ તેમણે કહ્યું હતું.  મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ચૂંટણીનાં પડઘમ થંભી જશે. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પહેલા તબક્કાની ચૂંટણી પછી હવે બીજા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

ક્ષત્રિયોનું પાર્ટ 2 આંદોલન શરૂ, સાત અસ્મિતા રથનું પ્રસ્થાન

રાજકોટ: ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને છેલ્લા એક મહિનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રૂપાલા સામેના આંદોલનમાં આજથી પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી આજે 7 ક્ષત્રિય અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથને સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી સાથે જુદા-જુદા વિસ્તારોમાં રવાના કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે સવારે માતાજીના આશીર્વાદ લઈને આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં શક્તિ માતાજીના મંદિરેથી,  કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરેથી,  જામનગર વિસ્તાર માટે દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય પીઠથી અને બહુચરાજી, અંબાજી મંદિર સહિત ગુજરાતમાં 7 સ્થળેથી રથને કંકુ તિલક કરીને રવાના કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ત્યારે સંકલન સમિતિના અગ્રણી પી. ટી.જાડેજા એ જણાવ્યું હતું  કે “આ રથ ગુજરાતની 26 લોકસભા મત વિસ્તારમાં ફરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જન જાગૃતિ લાવશે. ક્ષત્રિયોમાં કોઈ ભાગલા પડવાના પ્રયાસો કરાશે તો તેઓ સફળ થશે નહીં. ક્ષત્રિયોના અવાજને કોઈ પણ દબાવી શકશે નહિં. અમારી માગણી રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે એક જ હતી પરંતુ ભાજપે તે સ્વીકારી નથી એટલે ક્ષત્રિયોને તેમની અસ્મિતા બચાવવા આંદોલનને  યથાવત્ રાખવું પડ્યું છે. જ્ય ભવાનીના નારા સાથે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શહેરો અને ગામડાઓમાં આ રથ ફરશે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

(તસવીરો, નીશુ કાચા)