Home Blog Page 1908

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ એપ્રિલ, ૨૦૨૪

૨૩ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 23/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ જગ્યાએ અતિગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 23/04/2024

હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરી બંધ બારણે બેઠક

હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં છે. ત્યારે ચૂંટણી સમયે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાલ એક્શન મોડમાં આવ્યું છે. ગુજરાતમાં ક્ષત્રિયોનો વિરોધ અને ઉમેદવારોને લઈને જે સીટો પર વિવાદ ઉભો થયો હતો ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને આવ્યા છે. હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરુ કર્યો છે. ગઈ કાલે હર્ષ સંઘવીએ રાજકોટમાં અને જામનગરમાં ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ આજ રોજ ગૃહમંત્રી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે હર્ષ સંઘવી સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે.

હવે હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરેન્દ્રનગરમાં ખાનગી હોટલમાં ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આઇ.કે. જાડેજા, સહિત જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રદેશ સંગઠનમાં પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, રત્નાકર જયંતિ કવાડિયા સહિત ના હોદેદારો પણ હાજર રહ્યા હતા. આ સાથે સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુ શિહોરાને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ પ્રેસિડેન્ટ હોટલમાં બંધ બારણે બેઠક યોજી અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હર્ષ સંઘવીનો આ પ્રયાસ કેટલો સફળ થાય છે તે હવે જોવું રહ્યું..

સુરતે પ્રથમ કમળ PM મોદીને અર્પણ કર્યું : CR પાટીલ

લોકસભા બેઠક પર કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યાં છે. તેમના આ વિજયથી ભાજપનો 400 પારનો ટાર્ગેટ પૂર્ણ થઈ રહ્યો છે એવું નેતાઓમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક્સ પર પોસ્ટ લખીન કહ્યું હતું કે, PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!!

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થયાં છે. કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી હતી, જેમાં સાત માની માની ગયા હતાં. પરંતુ બસપાના ઉમેદવાર પ્યારેલાલ છેલ્લે સુધી નહીં માનતાં તેમને મનાવી લેવા માટે ભાજપના નેતાઓની ટીમ મેદાનમાં ઉતરી હતી. આજે સવારથી એવા વાવડ ચાલી રહ્યાં હતાં કે, પ્યારેલાલ ભારતી સંપર્ક વિહોણા થયાં છે. તેમણે ધમકીઓ મળતી હોવાથી પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું. પરંતુ છેલ્લે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચતા હવે સુરતનો હાઈવોલ્ટેજ ડ્રામા પૂર્ણ થયો છે અને ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યાં છે.

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીએ કહ્યું સામે આવી સરમુખત્યારની ‘સૂરત’

સોમવારે ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જો કે, હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવારની જીત પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે આ જીતને સરમુખત્યારશાહી સાથે સરખાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “તાનાશાહનો અસલી ‘ચહેરો’ ફરી એકવાર દેશની સામે છે. લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહું છું – આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ઘટનાક્રમ દ્વારા સુરત બેઠક પર ભાજપની જીતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહી ખતરામાં છે. તમે ઘટનાક્રમ સમજો છો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કર્યું છે. ત્રણેય પ્રસ્તાવકર્તાઓની સહીઓની ચકાસણીમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સમાન કારણોને ટાંકીને અધિકારીઓએ સુરતમાંથી કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન નકારી કાઢ્યું હતું. કોંગ્રેસ પક્ષ ઉમેદવાર વગર રહી ગયો છે.

હિમાલયને લઈને ઈસરોનો મોટો ખુલાસો

હિમાલયના પર્વતોને વિશ્વનો ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે. કારણ મોટી સંખ્યામાં અને જથ્થામાં હિમનદીઓની હાજરી છે. અને ઘણો બરફ. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યો છે. બરફ પીગળી રહ્યો છે. હિમનદીઓ સંકોચાઈ રહી છે. તેની અસર સામાજિક રીતે પણ જોવા મળે છે.

હિમનદીઓનું સંકોચન એટલે બરફનું ઝડપથી પીગળવું. એટલે કે જ્યાં પણ પહાડો પરથી વહેતું પાણી એકઠું થાય છે, ત્યાં હિમનદી તળાવો બને છે. પાણી ઉમેરાવાને કારણે હિમાલયમાં જૂના હિમનદી સરોવરોનું કદ પણ વધે છે. આ હિમનદીઓ અને બરફ ભારતની નદીઓના સ્ત્રોત છે. પરંતુ આ બર્ફીલા તળાવો ખતરનાક સાબિત થઈ શકે છે.

આ ગ્લેશિયલ તળાવો ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOFS)નું જોખમ ઊભું કરે છે. જેમ કે કેદારનાથ, ચમોલી અને સિક્કિમમાં અકસ્માતો થયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અચાનક પૂર અને ભૂસ્ખલનનો ખતરો છે. ગ્લેશિયલ સરોવરો ફાટી જાય છે જ્યારે કોઈ ભારે વસ્તુ તેમાં પડે છે અથવા જ્યારે પાણીનું પ્રમાણ વધે છે ત્યારે તેની દિવાલો તૂટી જાય છે.

ISRO હિમાલયના ગ્લેશિયલ સરોવરો પર નજર રાખે છે

ઈસરો આના પર નજર રાખે છે. ઉપગ્રહો દ્વારા નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે તેમજ જૂના સરોવરોનું કદ વધી રહ્યું છે. જેથી ખતરનાક હિમનદી તળાવ ફાટતા પહેલા લોકોને સલામત સ્થળે મોકલી શકાય. અથવા તેનાથી બચવાનો કોઈ રસ્તો શોધી શકાય છે. ભારત પાસે હિમાલયમાં રહેલા હિમનદી સરોવરોનો 3-4 દાયકાનો ડેટા છે.

ઈન્સ્યુલિનની માંગ પર CM કેજરીવાલને લાગ્યો આંચકો

દિલ્હી કોર્ટે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો આપ્યો છે. કોર્ટે એ અરજીને ફગાવી દીધી છે જેમાં કેજરીવાલે જેલ સત્તાવાળાઓને સુગર લેવલમાં વધારો અને ઘટાડાને લઈને દરરોજ 15 મિનિટ સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્સ્યુલિન આપવા અને ડૉક્ટર સાથે સલાહ લેવાની પરવાનગી માંગી હતી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ નિર્દેશ આપ્યો કે અરવિંદ કેજરીવાલને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવે. જો કેજરીવાલને કોઈ વિશેષ પરામર્શની જરૂર હોય, તો જેલ સત્તાવાળાઓ એઈમ્સના ડિરેક્ટર દ્વારા રચાયેલ મેડિકલ બોર્ડની નિમણૂક કરશે, જેમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટનો સમાવેશ થશે.

ઇન્સ્યુલિન અંગે મેડિકલ બોર્ડ નિર્ણય લેશે

તેમણે કહ્યું કે મેડિકલ બોર્ડે નક્કી કરવાનું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈન્સ્યુલિન આપવું જોઈએ કે નહીં. કોર્ટે કહ્યું કે મેડિકલ બોર્ડ નિર્ધારિત આહાર અને કસરતની યોજના પણ નક્કી કરશે, જેનું નિયમિતપણે પાલન કરવું જોઈએ. મેડિકલ બોર્ડ દ્વારા નિર્ધારિત આહાર યોજનામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

કોર્ટે 19 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે દરરોજ 15 મિનિટ માટે વીસી દ્વારા ઇન્સ્યુલિન ડિલિવરી અને મેડિકલ કન્સલ્ટેશનની માંગ કરતી અરજી દાખલ કરી હતી. 19 એપ્રિલ (શુક્રવાર)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને વિશેષ ન્યાયાધીશે સોમવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે કેજરીવાલ 22 વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે અને તેમને દરરોજ ઇન્સ્યુલિનની જરૂર પડે છે. જ્યારે EDએ કહ્યું કે કેજરીવાલે ઘણા સમય પહેલા ઇન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું.

યુરોપ જનારાઓ માટે સારા સમાચાર!

રજાઓ ગાળવા કે વિદેશ પ્રવાસે જતા લોકો માટે એક સારા સમાચાર છે. યુરોપિયન યુનિયને ભારતીયો માટે શેંગેન વિઝાના નિયમોમાં નોંધપાત્ર રાહત આપી છે. જાણકારી અનુસાર ભારતીયો માટે વિઝાની વેલિડિટી 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જોકે અમેરિકા પહેલાથી જ 10 વર્ષના વિઝિટર વિઝા આપે છે. શેનઝેન વિઝા પર યુરોપ જતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોને યુરોપના 27માંથી કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી રોકાવું પડે તો વારંવાર વિઝા રિન્યુ કરાવવાનું ટેન્શન રહેતું હતું. આવી સ્થિતિમાં નવા નિયમો બાદ લોકોની પેપરવર્કમાં ઘણો ઘટાડો થશે.

યુકે ઓછી ફી પર લાંબા ગાળાના વિઝિટર વિઝા આપે છે. EU એ તેના નિવેદનમાં કહ્યું કે, નવા વિઝા નિયમો અનુસાર, ભારતીયોને બે વર્ષની વેલિડિટી સાથે લાંબા ગાળાના અને મલ્ટિ-એન્ટ્રી શેંગેન વિઝા જારી કરી શકાય છે. જો કે આ માટે છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા મેળવવા જરૂરી છે. બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા પણ મળી શકે છે. જો પાસપોર્ટની માન્યતા પૂરતી હોય તો વિઝા લંબાવી શકાય છે. આ સિવાય શેનઝેન વિઝા ધારક વિઝા ફ્રી દેશોની મુસાફરી કરી શકે છે.


યુરોપિયન કમિશને 18 એપ્રિલે નિયમોમાં ફેરફાર કર્યા બાદ વિઝા નિયમોમાં રાહત આપવામાં આવી છે. આ સિવાય ભારતમાં રહેતા લોકો માટે શેંગેન વિઝાના નિયમો પણ હળવા કરવામાં આવશે. આ કવાયત ભારત અને EU વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય પ્રવાસીઓને 90 દિવસ માટે શેંગેન વિઝા મળે છે. 180 દિવસ દરમિયાન, 90 દિવસમાં 29 દેશોની મુલાકાત લઈ શકાય છે. આ દેશોમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ, સ્વીડન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.