Home Blog Page 1909

ભાવનગરના આ યુવાનને મળી પ્રતિષ્ઠિત ફેલોશીપ!

ભાવનગર: શહેરના એક યુવાનને આરોગ્ય સંશોધન માટે 1.90 કરોડની ઇન્ટરનેશનલ ફેલોશિપ મળી છે. જે એક ગુજરાતી માટે ગર્વની વાત છે. ચિત્રલેખા.કોમે જ્યારે આ યુવા ડૉ. મોહિત મહેતા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર સમય વેડફ્યા કરતા મને આ પ્રકારના રિસર્ચ વર્કમાં વધારે રસ હોવાથી હું તે તરફ વળ્યો છું.”

મોહિતને વર્ષ 2023ની વિશ્વવિખ્યાત મેરી સ્ક્લોડોવસ્કા ક્યુરી ફેલોશિપ મળી છે. યુરોપિયન કમિશન બેલ્જિયમ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં સંશોધન કરવા માટે આ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ આપવામાં આવે છે. તેમના સંશોધનનો મુખ્ય હેતુ કોઈપણ વ્યક્તિને ઈજા થાય તો ઘામાંથી વહેતા લોહીને તાત્કાલિક બંધ કરવા માટેના બાયો કેમ્પેટિબલ મટિરિયલ તૈયાર કરવાનો છે. ડૉ. મોહિત મહેતાનો ટૂંકો પરિચય આપીએ તો ભાવનગરની સર પી. પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાંથી B.Sc., ભાવનગર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી M.Sc. અને ત્યારબાદ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(CSMCRI)માંથી Ph.D.ની ડિગ્રી મેળવી છે. Ph.D. પછી શું કરી શકાય તેના માટે મોહિતે સર્ચ શરૂ કરી. તો તેમને આ પ્રકારની રિસર્ચ ફેલોશિપ અંગે વધુ માહિતી મળી અને તેમાં એપ્લાય કરવા લાગ્યા.ડૉ. મોહિત આગામી મે મહિનામાં યુરોપના ફિનલેન્ડમાં પ્રખ્યાત એવી તામ્પરે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ ટેકનોલોજી શાખામાં જોડાઈને સંશોધન કાર્ય શરૂ કરશે. તેઓને માઇક્રો ફ્લૂઈડિક્સ બેઇઝ્ડ ટિસ્યુ એન્જિનિયરિંગ મટિરિયલના નિર્માણ સંશોધન માટે આ ફેલોશિપ મળી છે. તેમના સંશોધનનો હેતુ સામાન્ય ગરીબ માણસોને સસ્તા ભાવે તાત્કાલિક લોહી વહી રહેલો ઘા ભરવા માટેનું મટિરિયલ તૈયાર કરવાનો છે ભારતીય નાણા પ્રમાણે તેમને 1.90 કરોડ રૂપિયાની ફેલોશિપ બે વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે.ડૉ. મોહિત મહેતાએ આ પહેલાં પણ સાઉથ કોરિયાની ઇન્હા યુનિવર્સિટી અને વિખ્યાત કોરિયા યુનિવર્સિટીની બે પોસ્ટ લોક પ્રાપ્ત કરી ચૂક્યા છે. જો કે તે ફેલોશિપમાં તેમની સાથે એક કોરિયન પ્રોફેસર જોડાયેલા હતા. જ્યારે ફિનલેન્ડની ફેલોશીપમાં તેઓ એકલાં જ છે. કોરિયામાં તેમણે mRNA વેક્સિનેશન ડિલિવરીમાં સંશોધન કર્યું હતું. સંપૂર્ણપણે ગુજરાતી માતૃભાષામાં ભણેલા ડો. મોહિત મહેતાએ વિશ્વકક્ષાએ શ્રેષ્ઠ સંશોધન ક્ષેત્રે પોતાનું નામ કાઢ્યું છે. જો કે તેમના પરિવારમાં દરેક વ્યક્તિ એટલી ભણેલી છે કે દરેકે કોઈના કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તેમના પિતા પ્રો. જે. જે. મહેતા ભાવનગરની એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં અધ્યાપક તથા મોટા બહેન ડો. હેતલ મહેતા સ્વામી સહજાનંદ કોલેજમાં આચાર્ય તથા તેમના પત્ની ડો. શંકા પણ તેમની સાથે સાઉથ કોરિયામાં નેનો ટેકનોલોજીમાં વિશ્વ કક્ષાની ફેલોશીપ મેળવી ચૂક્યા છે. તેઓ પણ ડૉ. મોહિત સાથે ફિનલેન્ડ જઈને આગળ અભ્યાસ કરવાના છે.

અમ્પાયરથી વાદવિવાદ કરતાં BCCIએ કોહલીની મેચ ફી કાપી

નવી દિલ્હીઃ રવિવારે IPL-2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ થઈ હતી, જેમાં  KKRએ એક રનથી બહુ રોમાંચક મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીના નો-બોલ વિવાદને કારણે પણ ચર્ચામાં છે. મેચ દરમ્યાન કોહલીએ પિત્તો ગુમાવતાં BCCIએ તેને આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો હતો, જેને પગલે તેની મેચ ફીની 50 ટકા ટકા દંડ ફટકાર્યો હતો.

RCBની ઇનિંગ્સની ત્રીજી ઓવરનો આ મામલો છે. KKRએ પહેલાં રમતાં 222 રનોનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. એના જવાબમાં વિરાટ કોહલીએ ઓપનિંગ કરતાં સાત બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી ઓવરના પહેલા બોલમાં હર્ષિત રાણાને તે કેચ આપી બેઠો હતો, વાસ્તવમાં તે ફુલ-ટોસ બોલ હતો, પરંતુ નો-બોલ સમજીને કોહલીએ બેટ અડાડી દીધું હતું. ત્યાર બાદ રિવ્યુ લેવામાં આવ્યો હતો, પરંતુ હોક-આઇ સિસ્ટમમાં માલૂમ પડ્યું હતું કે કોહલી ક્રીની અંર ઊભો હતો અને તેની કમરની ઊંચાઈએથી બોલ નીચે હતો. આ નિર્ણય  કોહલી અને અમ્પાયર વચ્ચે તૂંતૂંમેંમે થઈ હતી.

વિરાટ કોહલીએ થોડી વાર સુધી અમ્પાયર સાથે વાદવિવાદ કર્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શાંત નહોતો પડતો. કોહલીના ખોટા વ્યવહાર અને મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા દંડનો તેણે સ્વીકાર કરી લીધો છે.

આ મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટરોના કૂદવાને કારણે આ મુદ્દો સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રેન્ડ થવા લાગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે એ બોલને નો-બોલ ઘોષિત કરવામાં આવતો હતો. આ નિયમની ગહન ચર્ચાની જરૂર છે, સિદ્ધુના અનુસાર સંદેહનો લાભ બેટરને મળવો જોઈતો હતો.

 

 

 

 

 

 

આજકાલ ન્યૂઝમાં છે એ વિનીતા સિંઘ નું શું છે ગુજરાત કનેક્શન?

મહિલાઓની લોકપ્રિય વસ્તુ એટલે કોસ્મેટિક, અને કોસ્મેટિકનું નામ એટલે વિનીતા સિંઘનું નામ પહેલા યાદ આવે. વિનીતા સિંઘને લઈ સોશિયલ મિડીયામાં કેટલીક અફવાઓએ જોર પકડ્યું છે. થોડા સમયથી સોશિયલ મિડીયામાં વિનીતા સિંઘના મોતના સમાચાર ફરી રહ્યા હતા. જેના પર વિનીતા સિંઘે પૂર્ણ વિરામ લગાડ્યું છે. તારીખ 20 એપ્રિલના રોજ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર તેમણે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે પાછલા પાંચ સપ્તાહથી મારા ધરપકડ અને મૃત્યુ થવાની સમાચારોની પોસ્ટ ફરી રહી છે. પહેલા મેં આ પોસ્ટની અવગણના કરી જે બાદ કેટલીક વખત મેટાને જાણ કરી. પણ હવે મે મુબંઈ સાબરક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી છે. સૌથી ખરબ વાત એ છે, લોકો ગભરાયને મારા મમ્મીને ફોન કરે છે.

વિનીતા સિંઘનું ગુજરાત કનેક્શન

વિનીતા સિંઘ બિઝનેસની દુનિયાનું જાણીતું નામ. વિનીતા સિંઘનો જન્મ ગુજરાતના આણંદમાં 1983માં થયો હતો. તેમનું એજ્યુકેશન દિલ્હી પબ્લીક સ્કૂલથી થયેલું છે. તેમણે 2005માં IIT-Mથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જે તેમણે અમદાવાદ IIM થી MBAની ડિગ્રી 2007માં પ્રાપ્ત કરી હતી. માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમને 1 કરોડની નોકરી નકારી હતી. પોતાનો ખુદનો બિઝનેશ સ્ટાર્ટ કરવાના વિચાર હોવાથી તેમને સારી ઓફર પણ નકારી દીધી હતી. જે બાદ તેમણે 2007માં પોતાની કારકિદીની શરૂઆત કરી હતી. જેમા દરમિયાન તેમણે ત્રણ સ્ટાર્ટ અપ શરૂ કર્યા જેમાં સુગર કોસ્મેટિક બિઝનેશમાં સારુ નામ બનાવ્યું. તેઓ 2022માં તેઓ શાર્ક ટેન્કમાં એક જર્જ તરકે પણ જોવા મળ્યા હતા.

પાકિસ્તાનમાં ભારે વરસાદથી 63નાં મોત, 78 લોકો ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 63 લોકોનાં મોત થયાં છે અને 78 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 33 બાળકો, 15 પુરુષ અને 15 મહિલાઓ સામેલ છે, એમ અહેવાલ કહે છે. પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (PDMA)એ કહ્યું હતું કે ખૈબર પખ્તૂનવામાં હાલમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 63 લોકોનાં મોત થયાં છે અને 78 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 મહિલાઓ, 37 પુરુષો અને 24 બાળકો ઇજા પામ્યા છે. પાકિસ્તાનમાં 477 ઘરો તૂટી ગયાં છે અને 2725 મકાન ક્ષતિગ્રસ્ત થયાં છે.

મુખ્ય મંત્રીના નિર્દેશ પર PDMAએ અત્યાર સુધી અસરકારક જિલ્લાઓના વહીવટી તંત્રને રૂ. 11 કરોડ જારી કર્યા છે. એ સાથે નવા વિલય પછી જિલ્લાને રાહત પહોંચાડવા માટે રૂ. 9 કરોડ જારી કરવામાં આવ્યા છે.પેશાવર, ચારસદ્દા, નૌશેરા, ખેબર, લોઅર ચિત્રાલ, ઉપરી ચિત્રાલ, ઉપરી દિર, સ્વાત અને મલકંદ સહિત અનેક જિલ્લાઓમાં ઙારે વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં આ મહિને સામાન્યથી 61 ટકા વધુ વરસાદ થયો છે અને એ દર્શાવે છે કે અહીં પણ જળવાયુ પરિવર્તનની અસર છે. બલૂચિસ્તાનમાં સામાન્યથી 256 ટકા વધુ વરસાદ થયો છે.વર્ષ 2022માં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં હતાં અને એક સમયે પાકિસ્તાનનો એક તૃતીયાંશ હિસ્સો પૂરથી ઘેરાયેલો હતો, એમાં 1739 લોકોનાં મોત થયાં હતાં. એ વખતે પૂરથી 30 અબજ અમેરિકી ડોલરનું નુકસાન થયું હતું. જેનાથી બહાર આવવા પાકિસ્તાન મથામણ કરી રહ્યું છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

 

 

 

 

 

સુરતમાં ખીલ્યું પહેલું કમળ, જાણો બિનહરીફ ઉમેદવારોનો ઈતિહાસ..

દેશ ભરમાં ચૂંટણીને લઈ માહોલ ગરમ બની રહ્યો છે. ત્યારે રાજ્યમાં તીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂક્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જેથી એવું કહી શકાય કે આજે ચૂંટણી ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સુરત લોકસભા બેઠકમાં રાજકારણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીને લઈ ગત રવિવાર એટલે કે તારીખ 21 એપ્રિલના રોજ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જેને લઈ કોંગ્રેસમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવારી ફોર્મની અરજીને લઈ હાઈ કોર્ટ સુધી જવાની વાતો કરી રહ્યું છે. ત્યારે ફરી સુરતથી ચૂંટણીને લઈ હાઈ વોલ્ટેજ સમાચાર મળી રહ્યા છે. સુરત બેઠક પર કુલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. જે માંથી હવે 7 ઉમેદવારો ચૂંટણી ફોર્મ પરત ખેંચી લીધા છે. જે બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ બની છે.

બિનહરીફ ઉમેદવારોનો રેકોર્ડ

ગુજરાતના રાજકારણમાં આજે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. જ્યા કોઈ લોકસભા બેઠક પર ઉમેદવારને બિનહરીફ જીત મળી હોય. આ અગાઉ ગુજરાતની સ્થાપના પૂર્વે 1951માં સૌરાષ્ટ્રની હાલાર બેઠક પર કોંગ્રેસના ક્ષત્રિય રાજપૂત નેતા મેજર જનરલ હિંમતસિંહજી બિનબરીફ ચૂંટાયા હતા. જ્યારે વાત ભાજપની થાય તો ભાજપમાં પહેલી વાર કોઈ સીટ પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાય રહ્યા છે. સી.આર.પાટીલ મુકેશ દલાલને અભિનંદન આપતા ટ્વીટ કર્યું કે “ફરી PM બનાવવાની સફરમાં સુરત તરફથી પ્રથમ કમળ નરેન્દ્ર મોદીને અર્પણ”

 

જ્યારે દેશની વાત કરવામાં આવે, તો દેશમાં હાલ સુધીમાં 28 સાંસદ લોકસભામાં બિનહરીફ જીત્યા છે. 1967માં 5 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. તો જમ્મુ કાશ્મીરમાંથી સૌથી વધુ વખત 4 સાંસદ બિનહરીફ થયેલા છે. જ્યારે પાર્ટીની વાત કરવામાં આવે તે આઝાદી બાદ 20 વખત કોંગ્રેસના સભ્યો બિનહરીફ બન્યા હતા. તો નેશનલ કોન્ફરન્સના અને સમાજવાદી પાર્ટીના 2-2 સભ્યોએ બિનહરીફ જીત મેળવી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા બિનહરીફ બન્યા હતા. તો નાગાલેન્ડના પૂર્વ મુખ્યમંત્રી સી. જમીર બિનહરીફ જીત્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વાય.બી. ચવ્હાણને પણ બીનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તો ઓડિશાના પહેલા મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતાબ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદ બિનહરીફ સાંસદ બનેલા હતા.

 

વરુણ ધવનની પત્ની નતાશાની બેબી શાવર સેરેમનીની ઈનસાઈડ તસવીરો

મુંબઈ: બહુ જલ્દી બૉલિવૂડ એક્ટર વરુણ ધવન અને નતાશ દલાલના ઘરમાં કિલકારી ગુંજવાની છે. આ કપલ તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. 21 એપ્રિલના રોજ નતાશા દલાલનું બેબી શાવર સમારોહ યોજાયો હતો,જેમાં કપલનો પરિવાર અને નજીકના લોકો હાજર રહ્યા હતા.આ ઉપરાંત શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ બેબી શાવર સેરેમનીમાં હાજરી આપી હતી.નતાશા દલાલના બેબી શાવરની કેટલીક તસવીરો સામે આવી છે.

વરુણ ધવનની પત્ની નતાશા દલાલના બેબી શાવરની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતાં.આ કપલ તેમના પહેલા સંતાનનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.વરુણ અને નતાશાએ બેબી શાવર સેરેમનીનું આયોજન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર કેટલાક વાયરલ ફોટા સામે આવ્યા છે, જેમાં નતાશા તેના બેબી શાવરમાં સિમ્પલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેની સાથે તેના કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેતા વરુણ ધવને તેના પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

આ બેબી શાવર પાર્ટીમાં ગર્લ્સ ગેંગમાં વરુણ ધવનનો અલગ જ લુક જોવા મળ્યો હતો. અભિનેતા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેને મહેમાનો સાથે ફોટા પડાવવા માટે પોઝ પણ આપ્યો હતો.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેના સોશિયલ મીડિયા પર વરુણ ધવનની પત્ની નતાશા દલાલના બેબી શાવરની કેટલીક તસવીરો શેર કરી હતી. (તમામ તસવીર: veeduu_natsy_fanclub ઈન્સ્ટાગ્રામ)

લોકસભા ચૂંટણી : PM મોદીનો પરિવારવાદ પર પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અલીગઢ અને હાથરસ લોકસભા બેઠકોના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધવા માટે નુમાઈશ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. પીએમ મોદીનું અલીગઢમાં તાળા અને ચાવીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુપીના સીએમ યોગી પીએમ મોદીનું સ્વાગત કરવા અલીગઢ પહોંચ્યા છે. સીએમ યોગીએ મંચ પરથી વિપક્ષ પર ગર્જના કરી. પ્રથમ તબક્કાની ચૂંટણી પર તેમણે કહ્યું કે વિપક્ષનું ખાતું પણ ખોલવાનું નથી. પીએમ મોદીએ મંચ પરથી રાધે રાધે બોલીને જનતાનું અભિવાદન કર્યું. પીએમએ કહ્યું કે હું આ પહેલા પણ અલીગઢ આવી ચૂક્યો છું અને છેલ્લી વખત બધાને વિનંતી કરી હતી. કે સપા અને કોંગ્રેસે પારિવારિક ભ્રષ્ટાચાર પર રોક લગાવવી જોઈએ. તમે આટલું મજબૂત તાળું બનાવ્યું છે. કે બંને રાજકુમારો તેની ચાવી શોધી શકતા નથી.

પીએમ મોદીએ કહ્યું કે, આજે હું અલીગઢના લોકો પાસે હાથરસના ભાઈ-બહેનો માટે એ જ પ્રાર્થના કરવા આવ્યો છું. સારા ભવિષ્યની ચાવી પણ લોકો પાસે રહેલી છે. હવે દેશને ગરીબીમાંથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે. હવે સમય આવી ગયો છે કે દેશને ભ્રષ્ટાચારથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે. હવે સમય આવી ગયો છે કે દેશને વંશવાદી રાજકારણથી મુક્ત કરવામાં આવે.

પીએમ મોદીએ કહ્યું, જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે તેમને યાદ નહીં હોય. ત્યારે તે આઠ વર્ષનો હશે. પહેલા ટીવી પર એક જાહેરાત આવતી હતી કે જો તમને કોઈ વણઉકેલાયેલી વસ્તુ મળે તો તેની નજીક ન જશો, કોઈ બેગ ઉપાડશો નહીં, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન પર આ સ્થિતિ હતી. દાવો ન કરાયેલ વસ્તુઓમાં બોમ્બ હતા. હવે યોગીના ચમત્કારથી બધુ થંભી ગયું છે. હવે શાંતિ છે. હવે વિકાસ થઈ રહ્યો છે. પહેલા તેઓ સૈનિકો પર પથ્થરમારો કરતા હતા, હવે પૂર્ણવિરામ આવી ગયું છે. અગાઉ અલીગઢમાં દરરોજ કર્ફ્યુ લાદવામાં આવતો હતો. પહેલા ફોન કરીને પૂછતો કે શાંતિ છે કે કેમ. યોગીજીએ તમારી સાથે આવું કર્યું છે. રમખાણો, હત્યા, ગેંગ વોર, ખંડણી, આ સપા સરકારનું ટ્રેડમાર્ક હતું. તેમની રાજનીતિ આના પર આધારિત હતી. અગાઉ અમારી બહેનો અને દીકરીઓ ઘરની બહાર નીકળી શકતા ન હતા. હવે યોગીની સરકારમાં હિંમત નથી.

કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી

પીએમ મોદીએ કહ્યું કે સપા અને કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. મુસ્લિમો માટે કંઈ કર્યું નથી. પસમન્દા મુસ્લિમો માટે કંઈ જ કરવામાં આવ્યું ન હતું. ટ્રિપલ તલાકના કારણે દીકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ. ટ્રિપલ તલાકના કારણે દીકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ. માત્ર દીકરી જ નહીં, આખો પરિવાર પરેશાન હતો. મોદીએ ટ્રિપલ તલાક કાયદો બનાવીને તેમના પરિવારનું રક્ષણ કર્યું છે.

સરકારે હજ ક્વોટામાં વધારો કર્યો

પીએમ મોદીએ કહ્યું કે હજ જવાનો ક્વોટા ખતમ થઈ ગયો છે. અમે હજ ક્વોટા વધારવાની માંગ કરી હતી, હવે ક્વોટા વધારવામાં આવ્યો છે. સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ મુસ્લિમ માતાઓ અને બહેનો એકલા હજ પર જઈ શકતા ન હતા. હવે અમે પરવાનગી આપી. હજારો બહેનોએ મને આશીર્વાદ આપ્યા. સપા કોંગ્રેસે ક્યારેય પરવા કરી નથી. અગાઉ સંપૂર્ણ રાશન મળતું ન હતું. હવે લાખો લોકોને મફત અને સંપૂર્ણ રાશન મળી રહ્યું છે.

દેશના વૃદ્ધોને મફત સારવાર

અલીગઢ હાથરસના લાખો પરિવારોને આયુષ્માનમાં મફત સારવાર મળી છે. મોદીની ગેરંટી છે કે દેશના વૃદ્ધોને પણ મફતમાં સારવાર મળશે. લોકોની બેવડી જવાબદારી છે. પરિવારનું ભવિષ્ય જોવાનું છે, પણ મોદીજી તમારી ચિંતા કરે છે. મોદીએ બાંહેધરી આપી છે કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોની સારવાર મફતમાં થશે. ઘર મેળવવામાં. આ બધું કોણે કર્યું, તમારા એક મતથી થયું. તમે પણ આ ગુણના હકદાર છો. 10 વર્ષમાં જે કર્યું તે ટ્રેલર છે. અમારી પાસે ઘણું કામ છે.

PMએ કહ્યું કે SP અને BSP સમજતા નથી, તેઓ મોદી સાથે તાલ મિલાવવામાં સક્ષમ નથી. અલીગઢમાં એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં AMU હતી હવે રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટી બની રહી છે. આટલું બધું કામ હોય ત્યારે બધાને આરામ કરવાનું મન થાય છે. પણ આ મોદી છે. તેને કેવી રીતે રોકવું તે ખબર નથી. તમારું સપનું મારું સંકલ્પ છે, મારી દરેક ક્ષણ દેશના નામે છે.

બંગાળમાં 26/11 જેવા હુમલાની યોજના!

કોલકાતા પોલીસે અભિષેક બેનર્જીના ઘરની બહાર રેકી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. કોલકાતા પોલીસે મુંબઈના માહિમ વિસ્તારમાંથી વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિની ઓળખ રાજારામ રેગે તરીકે થઈ છે. કોલકાતા પોલીસે કહ્યું કે રાજારામ એક આતંકવાદી છે અને તેના મુંબઈ હુમલાના હેન્ડલર ડેવિડ હેડલી સાથે પણ જોડાણ છે. એટલું જ નહીં કોલકાતા પોલીસનો દાવો છે કે રાજારામ કોલકાતામાં મુંબઈ જેવા 26/11 હુમલાની યોજના બનાવી રહ્યા હતા. કોલકાતા પોલીસે રાજારામની એવા સમયે ધરપકડ કરી હતી જ્યારે એક દિવસ અગાઉ મમતા બેનર્જીએ પોતાની અને તેના ભત્રીજાની હત્યાનો ભય વ્યક્ત કર્યો હતો.

મુંબઈ હુમલા પહેલા રાજારામ હેડલીને મળ્યો હતો

કોલકાતા પોલીસના એડિશનલ સીપી 1 મુરલીધર શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોલકાતા પોલીસે TMC સાંસદ અભિષેક બેનર્જીના ઘરની રેકીના સંબંધમાં મુંબઈથી રાજારામ રેગેની ધરપકડ કરી છે. તેણે જણાવ્યું કે 2011ના મુંબઈ હુમલા પહેલા રાજારામ ડેવિડ હેડલીને મળ્યો હતો. પોલીસનું કહેવું છે કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે આતંકવાદી હેડલીએ શિકાગોની કોર્ટમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે મધ્ય મુંબઈમાં દાદરમાં શિવસેના ભવનમાં ગયો હતો અને રાજા રામ રેગેને મળ્યો હતો.

એડિશનલ સીપીએ જણાવ્યું કે રાજારામને કોલકાતામાં જોવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ કોલકાતામાં એક હોટલ લીધી હતી. એટલું જ નહીં તેની પાસે અભિષેક બેનર્જી અને તેના પીએના નંબર પણ હતા. કોલકાતા પોલીસનું કહેવું છે કે 26/11 જેવા હુમલાની યોજના ઘડવામાં આવી રહી હતી. આરોપીઓએ અભિષેક બેનર્જીનું ઘર પણ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજારામ કોલકાતામાં અન્ય કેટલાક લોકોને મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 21 ટકા ઉમેદવારો ગુનાઇત કેસવાળા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર જારી છે. વડા પ્રધાન મોદીથી માંડીને કેન્દ્રીય મંત્રી અને વિરોધી પક્ષોના સ્ટારપ્રચાર દિવસરાત જીત મેળવવા માટે ચૂંટણીમેદાનમાં છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થવાનું છે. 13 રાજ્યોની 89 સીટો પર 26 એપ્રિલે થશે. એ દરમ્યાન 1198 ઉમેદવારોના કિસ્મત દાવ પર છે, જેમાંથી 1192 ઉમેદવારોએ સોગંદનામા ભર્યા છે.  બીજા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે.

બીજા તબક્કામાં કુલ ઉમેદવારોમાંથી 250 ઉમેદવારોએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે. બીજા તબક્કામાં 14 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાઇત કેસો ચાલી રહ્યા છે. એ ઉમેદવારોની સંખ્યા 167 છે.

કેરળના ત્રણ ઉમેદવારો ગંભીર ગુનાઇત કેસો નોંધાયેલા છે, જેમાં એક ઉમેદવાર વાયનાડથી છે, જેનું નામ સુરેન્દ્રમ છે. તેમના પર 243 ગુનાઇત કેસો નોંધાયેલા છે, એમાથી 139 ગંભીર છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. બીજા ઉમેદવારનું નામ છે ડો. કે. એસ. રાધાકૃષ્ણન. તેમણે ભાજપમાંથી ઉમેદવારી એર્નાકુલમથી કરી છે. તેમની પર 211 ક્રિમિનલ કેસ છે, એમાં પાંચ ગંભીર ક્રિમિનલ કેસ છે, જ્યારે ત્રીજા ઉમેદવારનું નામ છે- એડવોકેટ ડીન કુરિયાકોસે છે. તેમણે કેરળના ઇદુક્કી વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની પર 88 ગુનાઇત કેસ છે, તેમાંથી 23 ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. બીજા તબક્કામાં CPIએ સૌથી વધુ ક્રિમિનલ કેસવાળા ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે.પાર્ટીના પાંચમાંથી ત્રણ ઉમેદવારો ગુનાઇત કેસવાળા છે. એ જ રીતે SPના ચારમાંથી બે ઉમેદવારો પર ગુનાઇત કેસવાળા છે. ત્રીજા ક્રમે CPIMના 18માંથી સાત ઉમેદવારો ગુનાઇત કેસવાળા ઉમેદવારો છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

 

 

 

ભારતમાં કોણ, ક્યાં અને કેવી રીતે બનાવે છે ચૂંટણીની શાહી?

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. ચૂંટણીમાં મતદાન સમયે જે-તે વ્યક્તિએ મત આપી દીધો છે તેની ખાતરી માટે આંગળી પર વાદળી રંગની શાહી લગાવવામાં આવે છે. જેને ઈલેક્શન ઈંક કે ચૂંટણીની શાહી તરીકે ઓળખવામાં આવે છે. શું તમે જાણો છે ચૂંટણીમાં શા માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે? આ શાહી ક્યાં, કોણ અને કેવી રીતે બનાવે છે? ચાલો જાણીએ ચૂંટણીની શાહી સંબંધિત કેટલીક રસપ્રદ બાબતો.

વર્ષ 1951-52માં આપણા દેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં ઘણા લોકોએ અન્ય કોઈની જગ્યાએ મતદાન કર્યું હતું અને ઘણાએ એક કરતા વધુ વખત મતદાન કર્યું હતું. જ્યારે ચૂંટણી પંચ પાસે આવી ફરિયાદો આવી ત્યારે તેણે ઉકેલ શોધવાના વિકલ્પો પર વિચાર કર્યો. ચૂંટણી પંચે મતદારની આંગળી પર નિશાન કરવાનો વિચાર કર્યો, જેથી જાણી શકાય કે તેણે પોતાનો મત આપ્યો છે. આમાં મુશ્કેલી એ હતી કે નિશાન બનાવવા માટે જે શાહી વાપરવામાં આવે તે અમિટ શાહી હોવી જોઈએ.ચૂંટણી પંચે આ માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL)નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એનપીએલે એવી અમિટ ઈલેક્શન ઈંક તૈયાર કરી, જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય. NPLએ આ શાહી બનાવવાનો ઓર્ડર મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ, MPVLને આપ્યો હતો.ત્યારથી ભારતમાં આ શાહી કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા દ્વારા અને મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.

તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો?

ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ન થાય અને કોઈ ડબલ વોટિંગના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિટ શાહીનો ઉપયોગ વર્ષ 1962માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૂંટણીમાં આ શાહીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ શાહીનું નિશાન 15 દિવસ સુધી આંગળી પર રહે છે.

પાણી આધારિત શાહી એ સિલ્વર નાઈટ્રેટ, વિવિધ રંગો અને કેટલાક સોલવન્ટ્સનું મિશ્રણ છે.લોકો તેને ચૂંટણીની શાહી (Election ink) અથવા ઈન્ડેલિબલ શાહી (Inedible ink) તરીકે ઓળખે છે. એકવાર આંગળીના નખ અને ત્વચા પર 40 સેકન્ડની અંદર લાગુ કર્યા પછી તે લગભગ લાંબા સમય સુધી તેની છાપ છોડે છે. જ્યારે શાહી લગાવવામાં આવે ત્યારે તે વાદળી કલરની હોય છે. આંગળી પર લગાવ્યી સેકંડોમાં જ તે બ્લેક અને ડાક બ્રાઉન કલરમાં રૂપાંતરિત થઈ જાય છે. 30થી વધુ દેશોમાં આ શાહીની નિકાસ કરવામાં આવે છે.

સામાન્ય રીતે ચૂંટણીની શાહીનો કલર વાદળી હોય છે. પરંતુ 2005માં અમેરિકાના સુરીનામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની આંગળીઓ પર વાદળીના રંગના નિશાન બદલે નારંગી રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ શાહી કેવી રીતે બને છે?

ચૂંટણીમાં વપરાતી આ શાહીની ફોર્મ્યુલા ગુપ્ત છે. ન તો ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે ન તો મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મ્યુલા જાહેર કરી છે. એકવાર એવી અફવા હતી કે આ શાહી બનાવવામાં ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. કેટલાક નિષ્ણાતોના મતે આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. આને કારણે શાહી ફોટોસેંસિટિવ પ્રકૃતિની થઈ જાય છે. જેથી શાહી થોડા જ સમયમાં સુકાઈ જાય છે.