Home Blog Page 1919

EPFO ધારકો માટે રાહતના સમાચાર, નિયમોમાં થયા ફેરફાર

નવી દિલ્હી: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ રૂપિયા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરીને PF ખાતાધારકોને મોટી રાહત આપી છે. પેન્શન ફંડ બોડીએ હવે ખાતાધારકની પોતાની અથવા તેના આશ્રિતોની સારવાર માટે EPF ઉપાડ મર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધી આ ઉપાડ મર્યાદા 50,000 રૂપિયા સુધી હતી, માર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવો ફેરફાર 16મી એપ્રિલથી લાગુ

સારવાર માટે પૈસા ઉપાડવા અંગે EPFO ​​દ્વારા કરવામાં આવેલ નવો ફેરફાર બુધવાર, 16 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર લાગુ કરતા પહેલા, 10 એપ્રિલના રોજ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એપ્લિકેશન સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કર્યા હતા. પોતાની અથવા તેના આશ્રિત સભ્યની સારવાર માટે ખાતામાંથી પૈસા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ઉપાડ કરવો પડશે.

EPFOને સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પીએફ ખાતા ધારકને ગંભીર બીમારી અથવા પ્રતિકૂળ સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર માટે પીએફ ખાતા માંથી પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. જો ખાતાધારક અથવા તેના આશ્રિત સભ્ય ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હોય તો તેનો ઉપયોગ એડવાન્સ હેલ્થ ક્લેમ માટે કરી શકાય છે.

ખાતા ધારકને 68J હેઠળ ભરવુ પડશે ફોર્મ

સારવાર માટે 1 લાખ રૂપિયા ઉપાડવા માટે, ખાતાધારકે 68J હેઠળ ફોર્મ ભરવું પડશે. નોંધનીય છે કે ગ્રાહકોને ધ્યાન રાખવું કે આ ઉપાડ મર્યાદા હેઠળ, ખાતાધારકો 6 મહિનાના મૂળ પગાર અને DA (અથવા વ્યાજ સાથે કર્મચારીનો હિસ્સો) જે ઓછો હોય તે રૂપિયા ઉપાડવા માટે દાવો કરી શકે છે. ખાતાધારકને ફોર્મ 31 દ્વારા આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે, જો કે, આ માટે ડૉક્ટર દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. 1 લાખ રૂપિયા ઉપાડવા માટે દાવો કર્યા પછી, ખાતાધારક તેને પોતાના અથવા સંબંધિત હોસ્પિટલના ખાતામાં પૈસા મોકલી શકે છે.

 

ચૂંટણી ચિન્હ શું છે? ચૂંટણી પંચ તેનું વિતરણ કેવી રીતે કરે છે? જાણો અતથી ઇતિ..

દેશભરમાં રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. આગામી 19 એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી માટે સંબંધિત બેઠકો માટે એમના ઉમેદવારોના નામની જાહેરાત પણ થી ગઈ છે. ત્યારે વાત કરીએ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતિકની. દરેક પક્ષ અને ઉમેદવાર માટે પોતાનું ચૂંટણી પ્રતિક બહુ મહત્વનું છે. પરંતુ શુ તમે જાણો છો કે ચૂંટણી ચિન્હ શું છે. ચૂંટણી પંચ તેનું વિતરણ કેવી રીતે કરે છે? ચાલો એના પર એક નજર કરીએ.

ચૂંટણી ચિન્હએ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ફાળવવામાં આવેલ પ્રમાણભૂત પ્રતીક છે. પક્ષો પોતાના પ્રચાર દરમિયાન એનો ઉપયોગ કરે છે. ચૂંટણી લડતા ઉમેદવારો માટે એમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે.

ચૂંટણી પ્રતીક

ભારતનું ચૂંટણી પંચ દેશમાં તમામ ચૂંટણીઓનું સુચારુ સંચાલન કરવા માટે જવાબદાર છે. એ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ચૂંટણી પ્રતીકો ફાળવે છે જેનો ઉપયોગ પ્રચાર દરમિયાન કરવામાં આવે છે. મતદાન દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પણ ચૂંટણી ચિન્હ હાજર હોય છે, જ્યાં મતદારો તેમનો મત આપવા માટે એમના સંબંધિત પક્ષ અથવા ઉમેદવારને પસંદ કરે છે. ચૂંટણી પ્રતીકો ફાળવવા પાછળનું એક કારણ વાંચી ન શકતા લોકોને સરળતા પૂરી પાડવાનું છે. જેઓ ચૂંટણી ચિન્હ દ્વારા એમની પસંદગીના પક્ષને સરળતાથી ઓળખી શકે છે.

ઉમેદવારને પ્રતીક કેવી રીતે મળે છે?

ભારતના ચૂંટણી પંચ પાસે સંખ્યાબંધ ચૂંટણી ચિન્હ છે. રાજકીય પક્ષો તેમની પસંદગીના પ્રતીકો ECIને આપે છે અને જો તે ECI પાસે ઉપલબ્ધ હોય, તો તે પક્ષોને ફાળવવામાં આવે છે. કમિશન પાસે ભાજપનું કમળનું ફૂલ કે કોંગ્રેસના હાથ જેવા અનામત પ્રતીકો પણ છે. આ ઉપરાંત કમિશન પાસે અન્ય ઘણા બધા ચિન્હો પણ છે જે કોઈપણ નવા પક્ષ કે ઉમેદવારને આપવામાં આવે છે. અપક્ષ ઉમેદવારોને પંચ તરફથી પ્રતિક મળે છે.

ઉમેદવારને પાર્ટી સિમ્બોલ મળવાનો અર્થ શું છે?

જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના કોઈપણ નેતાને ચૂંટણીમાં ઉતારે છે, ત્યારે એ ઉમેદવાર એના પક્ષને ચૂંટણી પંચ તરફથી મળેલ ચૂંટણી ચિન્હ પર જ ચૂંટણી લડે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એના ઉમેદવારોના નામ પ્રદેશ અધ્યક્ષને આપે છે, જેને ફોર્મ-એ કહેવામાં આવે છે. ત્યારબાદ એ પક્ષના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ-બી આપે છે. આને ઉમેદવારોને ‘પ્રતીક’ આપવાનું કહેવાય છે.

ચૂંટણી ચિન્હ આપવાનો નિયમ શું છે?

ભારતમાં ચૂંટણીઓ કરાવવાનું પક્ષોને ઓળખવાનું અને એમના ચૂંટણી ચિન્હો આપવાનું કામ ચૂંટણી પંચ કરે છે. ચૂંટણી પંચને આ સત્તા બંધારણની કલમ 324, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને ચૂંટણીના આચાર નિયમો 1961 દ્ધારા મળે છે. ચૂંટણી પંચ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર 1968 પ્રમાણે ચૂંટણી પ્રતિકો ફાળવે છે. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેમના ચૂંટણી પ્રદર્શનના આધારે તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો તરીકે માન્યતા આપે છે. પછી દરેક રાષ્ટ્રીય પક્ષ અને દરેક રાજ્ય પક્ષને એક પ્રતીક ફાળવવામાં આવે છે.

ચૂંટણી ચિન્હ આપવાની શરૂઆત ક્યારે થઈ?

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જેવા રાજકીય પક્ષો પાસે ભારતની આઝાદી પહેલા પણ પ્રતીકો હતા. જો કે, વર્ષ 1951-1952 ની વચ્ચે પ્રથમ સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રતીકો આપવાનું શરૂ થયું. દેશમાં સાક્ષરતા દર ઘણો ઓછો હતો. ચૂંટણીમાં સામાન્ય જનતાની ભાગીદારી વધારવાના હેતુથી પક્ષો અને ઉમેદવારોને ચૂંટણી ચિન્હોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. 1952માં કુલ 14 પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. જો કે વર્તમાન સમયની વાત કરીએ તો દેશમાં અઢી હજારથી પણ વધુ પાર્ટીઓ છે. જ્યારે લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં 190 ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીઃ પહેલા તબક્કામાં 41 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન આવતી કાલે થવાનું છે. ઉમેદવારોનાં ફોર્મ ભરાઈ ચૂક્યાં છે. પહેલા તબક્કામાં કુલ 102 સીટો પર મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં કુલ 1625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એમાં આઠ ટકા મહિલા ઉમેદવાર છે અને 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે.

પહેલા તબક્કામાં 102 સીટોમાંથી 42 સીટો (41 ટકા) પર ત્રણ અથવા એનાથી વધુ ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. કુલ 1618 ઉમેદવારોમાંથી 252 ઉમેદવારો પર ગુનાઇત કેસ નોંધાયેલા છે, એમાંથી 161 ઉમેદવારો પર ગંભીર ગુનાના કેસ છે. 18 ઉમેદવારો પર મહિલાઓની વિરુદ્ધ અત્યાચારના  કેસ ચાલી રહ્યા છે, એમાંથી એક ઉમેદવાર પર બળાત્કારનો આરોપ છે.

તામિલનાડુની તિરુનેલવેલી સીટ પર સૌથી વધુ ગુનાઇત ઉમેદવારો ચૂંટણીમાં ઊતર્યા છે. આ ઉપરાંત હત્યાના મામલાવાળા સાત ઉમેદવાર છે. ભડકાઉ ભાષણને મામલા 35 ઉમેદવારો સામે છે.

કેટલી સંપત્તિ?

પહેલા તબક્કામાં ભાજપના 77માંથી 69 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 56માંથી 49 ઉમેદવારો કરોડપતિ છે. AIDMKના 36માંથી 35 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે RJDના ચારેચાર ઉમેદવારો કરોડપતિ છે.

ભાજપના 77 ઉમેદવારોમાંથી 28, કોંગ્રેસના 56માંથી 19, BSPના 86માંથી 11, TMCના 86માંથી 11, RJDના ચારમાંથી ચાર, AIDMKના 36માંથી 13, DMKના 22માંથી 13, SPના સાતમાંથી ત્રણ ઉમેદવારો સામે કોઈને કોઈ કેસ નોંધાયેલા છે.

આ 1618 ઉમેદવારોમાંથી 26 ઉમેદવારો અભણ છે. પાંચમું પાસ- 95, આઠમું પાસ-133, 10મું પાસ-221, 12મું પાસ-190, ગેજ્યુએટ-225, ગ્રેજ્યુએટ પ્રોફેશનલ-255, પોસ્ટ ગ્રેજ્યુએટ 309, ડોક્ટરેટ-47, ડિપ્લોમા-77 ઉમેદવારો છે. ચૂંટણીના પહેલા તબક્કામાં 41થી 50 વર્ષના સૌથી વધુ ઉમેદવારો છે, જ્યારે 25-30 વર્ષના 117 ઉમેદવારો છે, જ્યારે વરિષ્ઠ 81-90 વર્ષના ચાર ઉમેદવારો છે, એમ ADRનો અહેવાલ કહે છે.

 

 

 

 

 

 

 

 

 

 

અમદાવાદમાં ભવ્યતિભવ્ય દિક્ષા મહોત્સવનું આયોજન

અમદાવાદ: જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં તારીખ 18થી 22 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય દીક્ષા સમારોહ યોજાયો છે. જેમાં 35 મુમુક્ષુ સાંસારીક મોહમાયા ત્યાગી તારીખ 22 એપ્રીલના ભગવાનના શરણમાં જશે.

આ 35 મુમુક્ષુ માંથી 5 પરિવાર એવા છે જેમના ઘરને તાળા લાગવા જઈ રહ્યા છે. તારીખ 18 એપ્રીલના ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. જેમાં 12 ગજરાજ પર સવાર થઈ 35 મુમુક્ષુ અધ્યાત્મ નગરી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. ચાર દિવસ બાદ મહોત્સવમાં પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિત પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય યોગ તિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઈ 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુ સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરશે.

મોક્ષની પ્રાપ્તી પર પરમ પૂજ્ય આચાર્યદેવશ્રીએ જણાવ્યું કે દિક્ષા મહોત્સવ એટલે પ્રભુ વીરના પંથે ચાલવુ. જ્યાં કોઈ પણ જાતની મોહમાયા ના હોય. મહારાજ સ્વામીએ ચિત્રલેખા.કોમ સાથે સંથારો પર વાત કરતા કહ્યું કે, “જ્યારે મુમુક્ષુ દિક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે તે તપ કરવામાં માટે યોગ્ય હોય છે. દિક્ષા પ્રાપ્ત કર્યા બાદ પણ દિક્ષાર્થીની ભાવના શરીર સાથે જોડાયેલી હોય છે. એ સંસ્કરાને સંથારો કહેવાય છે, જેમાં દિક્ષાર્થી હવા આરોગીને તપ કરે છે. અને થોડા સમયમાં દેહની માયાનો ત્યાગ કરે અને પ્રભુ ચરણે પહોંચે છે.”

આ 35 મુમુક્ષુમાં એવા વ્યક્તિનો સમાવેશ થાય છે જેમની પાસે સંયુક્ત પરિવાર, જામેલો કરોડોનો કારોબાર છે. ભાવેશભાઈ ભંડારી 35 મુમુક્ષુમાંના એક જેમના એક દિકરો અને એક દિકરીએ 2021માં સુરત ખાતે દિક્ષા પ્રાપ્ત કરી હતી. હવે ભાવેશભાઈ પોતાના શ્રાવિકા સાથે દીક્ષા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. તેમના મતે મે બંન્ન પ્રકારના જીવનનો અનુભવ કર્યો છે જેમાં સંસારીક મોહમાયના જીવનમાં તેમને પ્રગતીનો પંથ મળ્યો. પણ સાચી ખુશી તેમને આધ્યાત્મીક જીવનમાં મળી.

ઉલ્લેખીય છે કે 35 મુમુક્ષુને પરમાત્માનો પંથ આપવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આધ્યાત્મ નગરની રચના કરવામાં આવી છે. જેમાં આશરે 1000થી વધુ કારીગરો અને મજૂરો દિવસ રાત કામ કરી રહ્યા હતા. અધ્યાત્મ નગરીમાં આશરે 10000 ચોરસ ફૂટના ભવ્ય મહલ જેવા જિનમંદિરમાં 23માં તિર્થંકર શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનની નયનરમ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે.

આ નગરીમાં આશરે 90000 ચોરસ ફૂટમાં ભવ્ય ભંડપની રચના કરવામાં આવી છે. જેમાં નર્કની આબેહૂબ રચના જોવા મળે છે. આ ઉપરાંત ભવ્ય થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં જૈન શાસનની શૌર્ય ગાથો લઘુ નાટીકાના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે. સાથે જે એક પુસ્તકાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે.

હેરિટેજ વારસામાં મતદાર જાગૃતિને વેગ આપતું પ્રદર્શન

અમદાવાદ: સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના ચૂંટણી વિભાગે હેરિટેજ ડેની ઉજવણી અનોખી રીતે કરી. તેમણે હેરિટેજ ડેની ઉજવણીની સાથે-સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક વિરાસત એવાં ભદ્રના કિલ્લાના પરિસરમાં જ પ્રદર્શન સ્વરૂપે મતદાર જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.

મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય પી.ભારતી દ્વારા તસવીરો, ઐતિહાસિક દસ્તાવેજોના પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાતનું ચૂંટણી પંચ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જાગૃત નાગરિકો, NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ભારતની ચૂંટણીના ઇતિહાસની અલભ્ય તસવીરો કંડારનાર અને જાળવણી કરનાર કલ્પિત ભચેચ ચિત્રલેખા.કોમને કહે છે ઐતિહાસિક જગ્યાએ વિશ્વ વારસા દિવસે આ એક ઐતિહાસિક પ્રદર્શન લોક જાગૃતિ, મતદાર જાગૃતિ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં 1952થી માંડી તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની એકદમ દુર્લભ તસવીરો મુકવામાં આવી છે.તસવીરો પીઢ ફોટો જર્નાલિસ્ટ શુકદેવ ભચેચ અને કલ્પિત ભચેચ દ્વારા જુદી જુદી ચૂંટણીઓમાં ક્લિક કરવામાં આવી છે. આ સાથે ઇતિહાસકાર રિઝવાન કાદરીનું પ્રથમ ચૂંટણીનું અલભ્ય દસ્તાવેજીકરણ પણ મુકવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ચૂંટણીના ઇતિહાસ દર્શાવતું ફોટો પ્રદર્શન “Electoral Journey of Gujarat” ,  ઐતિહાસિક જૂના દસ્તાવેજીકરણને  શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રના કિલ્લામાં ખુલ્લું મુકાયું ત્યારે ગુજરાત યુનિવર્સિટીના યુવાન વિધાર્થીઓએ મતદાર જાગૃતિ ઝુંબેશ માટે રંગોળી પુરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનું AAP માંથી રાજીનામું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે. ગોપાલ ઈટાલિયા અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હવે બંને જણા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, હું પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થાઉ છું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથિરીયાને આમ આદમી પાર્ટીએ સુરતમાં વરાછા બેઠક પરથી વિધાનસભાની ટીકિટ આપી હતી. જેમાં તેઓ ભાજપના કુમાર કાનાણી સામે હારી ગયા હતાં. ત્યાર બાદ પાર્ટીએ બે દિવસ પહેલાં જ તેમને લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતાં. હવે તેમના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બંને જણા ભાજપમાં જોડાશે કે નહીં તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

સ્ટાર પ્રચારકોની યાદી બહાર આવે તે પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં મોટી જવાબદારી નિભાવી શકે છે. ત્યારે હવે લિસ્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ ખૂબ જ એક્ટિવ થયા છે. તેમણે દિલ્હીના લોકો સામે સીએમ કેજરીવાલનો સંદેશ ઘણી વખત વાંચ્યો છે. આ સાથે તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી છે અને હવે તે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્રણેય હાલમાં જેલમાં છે.


અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને ગુજરાતમા સ્ટારપ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય હેમંત ખાવા,જગમાલભાઈ વાળા, પ્રવિણ રામ,યુવરાજસિંહ જાડેજા, રેશ્માબેન પટેલ, કરશન ભદરકા બાપુને પણ સ્થાન મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથિરીયા વરાછામાં કુમાર કાનાણી સામે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતાં પણ તેમની હાર થઈ હતી. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પણ હારી ગયા હતાં. જ્યારે વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી જીત્યા હતાં અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરીને બેસી ગયાં છે.

જામીન મેળવવા મીઠાઈ ખાઈ રહ્યા છે કેજરીવાલઃ EDનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની અરજીની સુનાવણી દરમ્યાન રાઉઝ એવેન્યુ કોર્ટમાં EDએ દાવો કર્યો હતો કે તેમના ઘરેથી જાણીબૂજીને (ગળપણવાળું) સુગરવાળું ખાવાનું મોકલવામાં આવી રહ્યું છે, જેથી તેમનું સુગર લેવલ વધી જાય. ED તરફથી હાજર રહેલા વકીલ જુહૈબ હુસૈને કોર્ટમાં સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કેજરીવાલના ઘરેથી જાણીબૂજીને એવું ખાવાનું આવી રહ્યું છે, જેનાથી તેમનું સુગર લેવલ વધી જાય.

વકીલે કહ્યું હતું કે તેમના ઘરેથી બટાકા, પૂરી, કેરી, મીઠાઈ અને સુગરવાળી ચીજવસ્તુઓવાળી ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે, જેથી મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને જામીન મળી શકે. અને જેલ ઓથોરિટીથી રિપોર્ટ માગ્યો છે. જોકે કેજરીવાલના વકીલ વિવેક જૈને EDના વકીલની દલીલોનો વિરોધ કરતાં કહ્યું હતું કે કેજરીવાલનું ફાસ્ટિંગ સુગર 243 છે, જે બહુ વધારે છે. તેમને ડોક્ટર્સ તરફથી નિર્દેશિત ભોજન આપવામાં આવી રહ્યું છે.કોર્ટે કેજરીવાલના વકીલોને કહ્યું હતું કે અમે જેલથી રિપોર્ટ માગીશું. તમે અમને કેજરીવાલનો ડાયટ ચાર્ટ ઉપલબ્ધ કરાવો. ED તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે જેલના DGથી રિપોર્ટ માગી શકો છે. આ મામલે આગામી સુનાવણી 19 એપ્રિલ બપોરે બે કલાકે થશે.

શું હતી અરજી? દિલ્હી લિકર કૌભાંડમાં કેજરીવાલના સુગર લેવલની નિયમિત તપાસની માગની અરજી રાઉઝ એવેન્યુ કોર્ટમાં લગાવવામાં આવી હતી. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે તેમનું સુગર લેવલ વધીઘટી રહ્યું છે. અરજીમાં કેજરીવાલના વકીલે કહ્યું હતું કે EDની હિરાસત દરમ્યાન કેજરીવાલનું બ્લડ સુગર 46 સુધી આવી ગયું હતું.

 

 

 

 

 

 

 

 

ક્ષત્રિય વિરોધ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે. હવે બીજે ક્યાંય નારાજગી નથી. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું. રાજાએ પણ તેની આગળ પ્રણામ કર્યા. તેઓએ (રાજાઓ) તેમની (બ્રિટિશરો) સાથે રોટલી તોડી અને તેમની સાથે તેમની પુત્રીઓના લગ્ન કર્યા. દલિતો પર સૌથી વધુ ત્રાસ ગુજારવામાં આવ્યો, પરંતુ તેઓ ઝૂક્યા નહીં. તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી. મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે. મામલો વધતો જોઈ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેણે કહ્યું, ‘મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો. હું અત્યંત દિલગીર છું.

 

ગાંધીનગરમાં રોડ શો કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો, જેમાં ભારે ભીડ ઉમટી હતી. TV9 સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે જીતનો નિર્ણય જનતા કરે છે, પરંતુ ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે અમે છેલ્લી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાના છીએ. સમગ્ર દેશમાં મૂડ 400ની ઉપર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચાર કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં છે, જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે. તેઓ તેમના લોકસભા મતવિસ્તારના તમામ 7 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી સતત રોડ શો કરશે.

અમિત શાહનો પહેલો રોડ શો સવારે 9 વાગ્યે શરૂ થયો હતો. અમદાવાદના એપીએમસી સર્કલથી નળસરોવર ચોક સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શો લગભગ 1 કલાક સુધી ચાલ્યો હતો. બીજો રોડ શો સવારે 10.15 કલાકે શરૂ થયો હતો. આ રોડ શો ગાંધીનગરના જેપી ગેટથી ટાવર ચોક સુધી ગયો હતો. ત્રીજો રોડ શો સાંજે 4 કલાકે શરૂ થશે જે લગભગ 3 થી 4 કલાક સુધી ચાલશે. આ રોડ શો અમદાવાદના સરદાર પટેલ ચોક થઈને બેજલપુર પહોંચશે. રોડ શો બાદ ગૃહમંત્રી અમિત શાહ રાત્રે 8 વાગ્યે અમદાવાદના વેજલપુરમાં જનસભાને સંબોધશે. શાહ અહીં જનતાને જંગી મતોથી જીતવા માટે અપીલ કરશે.

અમિત શાહ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે

19 એપ્રિલે અમિત શાહ ગાંધી નગર કલેક્ટર કચેરી ખાતે અવિજિત મુહૂર્તમાં બપોરે 12:39 વાગ્યે નોમિનેશન ફાઈલ કરશે. ગાંધીનગરમાં 21 લાખ જેટલા મતદારો છે. ગૃહમંત્રી અમિત શાહ 2019માં 5 લાખ 57 હજાર મતોથી જીત્યા હતા. આ વખતે 10 લાખ મતોથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમિત શાહને ગાંધીનગરથી જંગી માર્જિનથી જીતાડવા માટે પાર્ટીના કાર્યકરોએ તમામ તાકાત લગાવી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે અમિત શાહના ધુમાડાવાળા રસ્તા અને ચૂંટણી રેલી ગાંધીનગરની જનતા પર કેટલી અસર કરે છે. 2019ની સરખામણીમાં આ વખતે વિજયનું માર્જિન કેટલું વધુ હશે?

સ્મશાનમાં જાનને ઉતારો, વર-કન્યાએ ફર્યા ઊંધા ફેરા!

રાજકોટ: સામાન્ય રીતે લગ્નના દિવસે તો વરરાજા અને વર પક્ષના લોકોને કન્યા પક્ષના લોકો હાથમાંને હાથમાં રાખે છે. જાન અને વરરાજા માટે પૂરી સુવિધાવાળી વાડી કે હોલમાં ઉતારો આપતો હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં કંઇક વિચિત્ર જ દૃશ્ય જોવા મળ્યું હતું. જાનને ગામના સ્મશાનમાં ઉતારો અપાયો હતો.

કુરિવાજો, અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવાના હેતુથી મનસુખભાઇ રાઠોડના પરિવારમાં દીકરી પાયલનો અલગ અંદાજમાં અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. સ્મશાનથી કાળી સાડી, કાળા કપડાં પહેરી જાનૈયાઓનું સ્વાગત થયું. ભૂત-પ્રેતના વેશમાં સ્મશાનથી સમૈયામાં કેટલાક લોકો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી રામોદમાં રામનવમીના દિવસે યોજાયેલા આ અનોખા લગ્નમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ પણ હાજર રહી હતી. જૂની માન્યતા-પરંપરાનું ખંડન કરી, કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા લેવાયા હતા. બંધારણના શપથ સાથે લગ્ન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. ફુલેકુ, કાળી સાડીમાં કન્યા, ભૂત-પ્રેતના વેશમાં કાર્યકરોને જોવા ગામ ઉમટી પડયું હતું.

વરરાજા જયેશની જાન મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા ઉંમરકોટડાથી નીકળી સ્મશાનના ઉતારામાં પહોંચી હતી. જયાં કન્યા-માતા, કાળા વસ્ત્રમાં પરિધાન સગા-સંબંધીઓએ સ્વાગત કર્યું હતું.  ભૂત-પ્રેતના વેશમાં આવેલાને મંડપમાં સ્થાન આપ્યું હતું. ઉમટી પડયા હતા. ફુલેકામાં મશાલ, સરઘસ, સપ્તપદીને બદલે બંધારણના સોગંદ, કાળ ચોઘડીયામાં ઊંધા ફેરા ફર્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે આ અનોખા લગ્ન સંપન્ન થયા હતા. વિજ્ઞાન જાથાએ સમાજમાં નવો રાહ બતાવ્યો છે. વર અને કન્યા પક્ષે પણ અંધશ્રધ્ધા દૂર કરવા અલગ રીતે લગ્ન કરી સમાજને એક નવી દિશા આપી હતી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

EDએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાની રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ બિટકોઇન પોન્ઝી સ્કીમ મામલામાં મુંબઈની બ્રાંચે PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની રૂ. 97.79 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. આ જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીમાં જુહુ સ્થિત એક બંગલો છે, જે શિલ્પા શેટ્ટીને નામે છે. એ સાથે પુણેમાં પણ એક બંગલો સામેલ છે. એ સિવાય રાજ કુંદ્રાને નામે કેટલાક શેર પણ EDએ જપ્ત કર્યા છે. EDએ મહારાષ્ટ્રમાં અલગ-અલગ FIRને આધાર બનાવીને PMLA હેઠળ તપાસ શરૂ કરી છે.

રાજ કુન્દ્રા પર આરોપ હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ વર્ષ 2017માં આશરે રૂ. 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. આ તમામ બિટકોઇન ખોટાં વચનોને આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા.

રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ છે કે તેણે અંગત હિત માટે બિટકોઈન માઇનિંગનો ઉપયોગ કર્યો હતો, તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે. તેણે 285 બિટકોઈન મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું.

રાજ કુંદ્રાની પાસે આ કૌભાંડમાં 285 બિટકોઇન આવ્યા હતા, જેની કિંમત રૂ. 150 કરોડથી વધુ હતી. EDએ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.