નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી આંચકો લાગ્યો છે. કોર્ટે ED દ્વારા ધરપકડ અને હિરાસતને પડકાર આપતી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી. બલકે ED અને તેમની વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ મામલે એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને પણ વિશેષાધિકાર ના આપી શકાય. EDની પાસે પર્યાપ્ત પુરાવા છે. તપાસમાં પૂછપરછથી મુખ્ય મંત્રીને રાહત ના આપી શકાય. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.
હાઇકોર્ટએ કહ્યું હતું કે ED દ્વારા એકત્ર કરવામાં આવેલી સામગ્રીથી માલૂમ પડે છે કે કેજરીવાલ સાઉથ ગ્રુપથી લાંચ માગવામાં સામેલ હતા. કોર્ટે કહ્યું હતું કે આ મામલે કેટલાંય નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાં રાઘવ મુંગઠા અને શરત રેડ્ડીનાં નિવેદનો. હાઇકોર્ટે કહ્યું હતું કે અપ્રુવરનું નિવેદન ED નહીં, બલકે કોર્ટ લખે છે. જો તમે તેના પર સવાલ ઊભા કરો છો તો તમે જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો. રેડ્ડીના નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલની પાસે એ અધિકાર છે કે તેઓ સાક્ષીઓને ક્રોસ કરી શકે, પણ નીચલી કોર્ટમાં નહીં કે હાઇકોર્ટમાં. તપાસ કોઈ વ્યક્તિની સુવિધાને અનુસાર ના ચાલી શકે. તપાસ દરમ્યાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે.
આ પહેલાં લિકર કેસમાં એક સપ્તાહમાં કોર્ટે બે ચુકાદા આપ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને રાહત મળી છે અને જામીન મળી ગયા છે, જ્યારે BRS નેતા કે. કવિતાની જામીન અરજીને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.







ગુજરાતના કલોલમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના પૂજા નિફાડકર ચિત્રલેખા.કોમને કહે છે ગુડી પડવોએ મહારાષ્ટ્રીયન લોકોનું નવ વર્ષ છે. રામના અયોધ્યા પ્રવેશના ઉમંગની ઉજવણી સાથે આ તહેવારમાં વૈજ્ઞાનિક મહત્વ પણ છે. લીમડો મોરની કડવાસ અને હાયડાનું ગળપણ ગુડી પડવા સાથે જોડાયું છે. મહારાષ્ટ્રમાં તો ગુડીની શ્રેષ્ઠ સજાવટ અને ઉંચાઈની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.
વર્ષ 2024માં ગુડી પડવો: મંગળવાર, 9 એપ્રિલ, ચૈત્ર માસની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ દિવસથી હિંદુ નવું વર્ષ પણ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. હિંદુ કેલેન્ડર મુજબ, આજે હિંદુ નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પહેલો દિવસ છે. મહારાષ્ટ્રમાં આ દિવસને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. મરાઠી લોકો આ દિવસે ગુડી બનાવે છે. ગુડી બનાવવા માટે પિત્તળના વાસણને થાંભલા પર ઊંધું રાખવામાં આવે છે, તેને ઘેરા રંગના રેશમી, લાલ, પીળા કે કેસરી કાપડ અને ફૂલોની માળા અને અશોકના પાંદડાઓથી શણગારવામાં આવે છે. ગુડીને બ્રહ્મધ્વજ પણ કહેવામાં આવે છે.
શુભ સમય: ગુડી પડવાના દિવસે, 9 એપ્રિલ, 2024 ના રોજ, શુભ સમય સવારે 09.12 થી બપોરે 01.58 સુધીનો છે. આ સમય દરમિયાન ઘરમાં સુંદર મૂર્તિ લગાવો અને તેની પૂજા કરો. આ ગુડી વિજયનું પ્રતિક છે. આ તહેવાર પર, લોકો તેમના ઘરને કેરીના પાંદડાના હારથી શણગારે છે. રંગોળી બનાવે છે. ગુડી પડવાના દિવસે ઘરમાં મીઠી પુરણ પોળી, શ્રીખંડ બનાવવાની અને લીમડાના પાન ખાવાની પરંપરા છે. ગુડીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળે છે.
રાજકોટ લોકસભાની પ્રતિષ્ઠાભરી બેઠક માટે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા સમજાવવા અમરેલી પહોંચી છે. પરેશ ધાનાણીએ અગાઉ અમરેલી ધારાસભાની ચુંટણીમાં રૂપાલાને હરાવ્યા છે. આથી રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના 50 જેટલા આગેવાનો આજે સવારે રાજકોટથી અમરેલી પહોંચ્યા હતા.
રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ પરેશ ધાનણીને નવા રાજકીય સમીકરણોમાં રાજકોટ લોકસભા લડવા સજાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના આદેશથી આ કવાયત કરવામાં આવી છે. બેઠક બાદ પરેશ ધાનાણી રાજકોટથી ચુંટણી લડવા સહમત થયા હોવાનું કોંગી આગેવાનો હાલ તો કહી રહ્યા છે. જો કે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઇ રહી છે. એવું જાણવા મળ્યું છે કે ધાનાણી એ શરતે સહમત થયા છે કે જો રૂપાલા રાજકોટથી લડે તો જ તે ઉમેદવાર બનશે.
હાલ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને ભાજપનો વિરોધ કરી રહેલાં ક્ષત્રિયોને ટેકો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે “ભારતના સંસ્કાર, પાલનના પડકાર” તેમણે એક કવિતા પણ મૂકી છે.
ગુજરાતમાં કોંગ્રેસ નવસારી, મહેસાણા , અમદાવાદ પૂર્વ સહિતની ચાર જેટલી બેઠક માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે.

