Home Blog Page 1943

NSEએ IFC તથા ક્લાયમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ સાથે સહયોગ કર્યો

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ભારતીય ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ વર્કશોપ પૂરી થવાની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ્સ બે અલગ-અલગ સ્થળે બે દિવસમાં યોજવામાં આવી હતી. પહેલી મુંબઈમાં 3 એપ્રિલ, 2024એ અને બીજી નવી દિલ્હીમાં 5 એપ્રિલ, 2024એ. આ વર્કશોપ સમગ્ર દિવસ લાંબી ચાલેલી આ ‘Deep Dive in Green, Social, and Sustainability (GSS) Bonds Issuance Process’ ટાઇટલ હેઠળની વર્કશોપ્સ IFC REGIO ટેક્નિકલ આસિસ્ટન્સ ફેસિલિટી હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC), એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ દ્વારા સ્પોન્સર્ડ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ (CBI) સાથે સંયુક્ત પ્રયાસો થકી યોજવામાં આવી હતી.

જીએસએસ બોન્ડ્સના મહત્વના ક્ષેત્રની આસપાસની ચર્ચાને પ્રોત્સાહન આપવા તથા જ્ઞાન વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ભારતમાં ક્લાયમેટ ફાઇનાન્સિંગ ગેપને પૂરવા માટે મહત્વનું પગલું દર્શાવે છે. તેણે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના હેતુથી નવીનતમ ફાઇનાન્શિયલ મિકેનિઝમ શોધવા, ઇનસાઇટ શેર કરવા અને ચર્ચાઓ કરવા માટે વિવિધ સેક્ટર્સના હિસ્સેદારો માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

આ ટ્રેનિંગમાં ફાઇનાન્સ, રિયલ સેક્ટર અને વિવિધ અન્ય ઉદ્યોગોના સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમણે જીએસએસ બોન્ડ ઇશ્યુ કરવાની કામગીરીની જાણકારી મેળવી હતી. ફાઇનાન્સ અને ટકાઉપણા અંગે નિષ્ણાતોની આગેવાની હેઠળના સેશન્સમાં લેબલ્ડ બોન્ડ યુનિવર્સ, લેબલ્ડ બોન્ડ પ્રી અને પોસ્ટ ઇશ્યુઅન્સ પ્રોસેસ તથા જીએસએસ બોન્ડ ઇશ્યુ કરવા માટે જે-તે દેશ સંબંધિત પરિપ્રેક્ષ્ય જેવા વિષયોની ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

ભારતના ટકાઉપણા એજન્ડાને આગળ વધારવા માટે જીએસએસ બોન્ડ્સના મહત્વ પર ભાર મૂકતાં આ ટ્રેનિંગમાં ફાઇનાન્સિંગમાં નવીનતમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંસાધનો શોધવાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કેસ સ્ટડીઝ અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ દ્વારા સહભાગીઓએ થિમેટિક બોન્ડ ઇશ્યુ કરવાના ક્ષેત્રે આગળ કેવી રીતે વધવું અને ટકાઉ ફાઇનાન્સમાં ઊભરતી તકોનો લાભ કેવી રીતે લેવો તેના અંગે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું. NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ નિર્ણાયક ક્ષણે અમે ટકાઉપણા-કેન્દ્રિત નાણાકીય ક્રાંતિની ક્ષિતિજે ઊભા છીએ ત્યારે GSS બોન્ડ્સ પરની અમારી વર્કશોપ ભારતની આબોહવા ફાઇનાન્સિંગ અંતરને પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. IFC, CBI, એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ જેવા પ્રતિષ્ઠિત ભાગીદારો સાથે મળીને આ પહેલ એક ટ્રેનિંગ પ્રોગ્રામ કરતાં સવિશેષ છે. એનએસઈ ટકાઉ રોકાણ અને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સમાં આગળ વધવાનું ચાલુ રાખે છે ત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ માહિતગાર અને સશક્ત નાણાકીય સમુદાયને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, જે ક્લાયમેટ ચેન્જના પડકારોને નાથવા માટે તથા સામાજિક અને પર્યાવરણીય પરિણામો લાવવા માટે તૈયાર છે.

 

 

 

 

 

 

 

કોરાનાના 70 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,125 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,566 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,869 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 748 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,473 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ઘરડાં ગાડાં વાળે

    

        ઘરડાં ગાડાં વાળે

 

અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે. અનુભવી લોકો મોટી આફતમાંથી ઉગારી લે. અનુભવી જ ગૂંચ ઉકેલી માર્ગે ચઢાવે. વૃદ્ધ અનુભવી જ માર્ગ ભૂલેલા ગાડાને સાચા માર્ગે ચડાવે. આમ જેને જ્ઞાનવૃદ્ધ કહેવાય એવા વડીલો આફતના સમયે ખૂબ ઉપયોગી બની રહે છે.

બળદ ગમે તેટલો તોફાને ચઢ્યો હોય તો પણ એને હાંકનાર ગાડાખેડુ જો કાબેલ હોય તો એ ગાડું સહીસલામત વાળી શકાય છે. સવાલ કાબેલિયતનો છે અને કાબેલિયત વરસોના અનુભવ બાદ આવે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

૦૯ એપ્રિલ, ૨૦૨૪

૦૯ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 09/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 09/04/2024

‘પ્લાસ્ટિક મુક્ત સાયન્સ સિટી’ અભિયાન

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત ‘નેચર ક્લબ ઈકો લાઈફ’ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. જે અંતર્ગત, સોમવારે 8 એપ્રિલ 2024ના રોજ ખાસ ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત સાયન્સ સિટી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી. વદરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.અભિયાનમાં સાયન્સ સિટીના તમામ અધિકારીઓ-કર્મચારીઓ સહિત હાઉસ કીપિંગ ટીમ, ગાર્ડનિંગ ટીમ, સિક્યુરિટી ટીમ, ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, હોલ ઓફ સ્પેસ-સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક સહિતની વિવિધ ગેલેરીઓ, પાર્કિંગ તેમજ સમગ્ર સાયન્સ સિટી કેમ્પસ ખાતે પડેલા પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સાયન્સ સિટી દર સોમવારે સાપ્તાહિક જાળવણી માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે.

મોબાઇલ વોલેટ પેમેન્ટઃ 2028 સુધીમાં 531 લાખ કરોડને પાર થશે

નવી દિલ્હીઃ દેશમાં મોબાઇલ વોલેટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને આગામી કેટલાંક વર્ષોમાં દેશમાં મોબાઇલ વોલેટના માધ્યમથી પેમેન્ટ 2028માં રૂ. 531.8 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે. એમાં 2024 અને 2028 દરમ્યાન 18.3 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR) વધારો થશે, એમ લંડન સ્થિત અગ્રણી ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલ ડેટાનો રિપોર્ટ કહે છે.

દેશમાં મોબાઇલ વોલેટ પેમેન્ટનું મૂલ્ય 2019 અને 2023ની વચ્ચે 72.1 ટકા (CAGR)થી વધીને 2023માં 202.8 લાખ કરોડ (2.5 લાખ કરોડ ડોલર) સુધી પહોંચી ગયું છે. એનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના નક્કર પ્રયાસો છે.હાલમાં  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે બેન્ક ટૂંક સમયમાં UPIના માધ્યમથી બેન્કોમાં રોકડ જમા કરવાની સુવિધા ઊભી કરશે. ગ્લોબલ ડેટામાં વરિષ્ઠ બેન્કિંગ અને પેમેન્ટ વિશ્લેષક શિવાની ગુપ્તાએ કહ્યું હતું કે મોબાઇલ પેમેન્ટની પહોંચ ઝડપથી વધી રહી છે. આ પેમેન્ટ સિસ્ટમને લઈને વેપારીઓની વ્યાપક ભાગીદારી છે. UPI ઝડપથી, સુરક્ષિત સુવિધાયુક્ત અને ઓછા ખર્ચે ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એ ભારતમાં પેમેન્ટ સ્પેસમાં સંપૂર્ણ રીતે પરિવર્તનની ક્ષમતા રાખે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા મુજબ ફેબ્રુઆરી, 2024માં 18.3 લાખ કરોડ (221.5 અબજ ડોલર)ના 12.1 અબજ લેવડદેવડ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી, 2023માં 12.4 લાખ કરોડના 7.5 અબજ લેવડદેવડ કરતાં વધુ હતી.

 

 

 

 

રાજ્યમાં લોકસભા, પેટા ચૂંટણીમાં 11 સીટો પર કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ

ગાંધીનગરઃ રાજ્યમાં આવી રહેલી લોકસભા ચૂંટણી કે પેટા ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નહીં, પણ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો ચૂંટણી જંગ થવાનો છે. રાજ્યમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે, જે દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ નહિ, પરંતું કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો જંગ થવાનો છે.

ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા માટે 400 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જે માટે ભાજપ લોકસભામાં કોઈ પણ ભોગે 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. રાજ્યમાં લોકસભામાં 26માંથી 26 સીટો જીતવાના દાવા કરતી ભાજપમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓ હવે સદીને પાર કરશે.

રાજ્યમાં 2002થી અત્યાર સુધીમાં 80 જેટલા મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં સામેલ થયા છે. રાજ્યમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનના  હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે. વર્ષ 2017થી 2022 સુધીમાં કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  ભાજપે 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી હતી, જેમાંથી 9નો વિજય અને ત્રણની કારમી હાર થઈ હતી.

લોકસભામાં પણ કોંગ્રેસ

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાત બેઠકો અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર બેઠકો પર કોંગ્રેસની સીધી સ્પર્ધા કોંગ્રેસના ઉમેદવારો સામે જ છે. લોકસભાના સાત પૈકી શોભના બારૈયા (સાબરકાંઠા), ચંદુ શિહોરા (સુરેન્દ્રનગર), પ્રભુ વસાવા (બારડોલી), દેવુસિંહ ચૌહાણ (ખેડા), ભરત ડાભી (પાટણ), વિનોદ ચાવડા (કચ્છ) અને પૂનમ માડમ (જામનગર) ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષમાં હતા.

 

 

 

 

દેશના દોઢ લાખ ખેડૂતોનું ગ્રાહકો સાથે સીધું નેટવર્ક

નવી દિલ્હીઃ દેશના દોઢ લાખ ખેડૂતોનું નેટવર્ક ગ્રાહકોને સીધું વેચાણ કરીને સારીએવી કમાણી કરે છે. મહારાષ્ટ્રના પુણે હિંજેવાડી માન વિસ્તારમાં રહેતા જ્ઞાનેશ્વર બોડકેએ અભિનવ કિસાન ક્લબ નામથી એક ખેડૂતોનું જૂથ શરૂ કર્યું છે. તે 25 વર્ષોથી આ સંગઠન દ્વારા કામ કરી રહ્યા છે. જોકે તેઓ આ પહેલાં એક ઓફિસ બોય તરીકે કામ કરતા હતા, પણ હવે તેઓ કરોડપતિ બની ગયા છે.

આ ક્લબના માધ્યમથી તેઓ સાથે દેશભરના 1.5 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે. ક્લબના ખેડૂતોને ઓર્ગેનિક ખેતીથી લાખ્ખોનો નફો થઈ રહ્યો છે.આ ક્લબમાં શનિવારે અને રવિવારે ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવે છે, એમાં શાકભાજી, ફળો, દાળોની ખેતી, સફાઈ, ગ્રિડિંગ વિશે માહિતી આપવામાં આવે છે. એમાં મહિલા સ્વયં સહાયતા જૂથોને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ગ્રુપ નાબાર્ડનું છે. દેશમાં 36 લાખ અને પુણેમાં 18,000 ઉપભોક્તાઓને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલી શાકભાજી વેચવામાં આવે છે. ખેતીમાં મજૂરોની ખેંચ છે, જેથી હવે યુવાઓને આ ક્ષેત્રમાં લાવવામાં આવી રહ્યા છે. ગાયના દૂધનું પેકિંગ, બાયોગેસ જેવા નવા પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યા છે.

આ સંસ્થાના ખેડૂતો 35થી 40 પ્રકારની ભારતીય શાકભાજી ઉગાડે છે. આ ઉપરાંત 10થી 15 પ્રકારની અંગ્રેજી શાકભાજી અને 15થી 20 પ્રકારની દાળોનું ઉત્પાદન કરે છે. આ ખેડૂતો 115 પ્રકારના દૂધ, પનીર, શ્રીખંડ, આમ્રખંડનું ઉત્પાદન કરે છે. બધી શાકભાજીઓ મંગળવારે અને રવિવારે જમા કરવામાં આવે છે. બોડકેએ એ પણ કહ્યું હતું કે પેકિંગ સફાઈ, ગ્રિડિંગનું કામ સ્વયં સહાયતા જૂથની મહિલાઓ કરે અને શાકભાજી ઘર સુધી પહોંચાડે છે.