Home Blog Page 1947

રાશિ ભવિષ્ય 07/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે,  તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 07/04/2024

ગાઝિયાબાદમાં PM મોદીનો મેગા રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઝિયાબાદમાં મેગા રોડ શો કર્યો હતો. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. રોડ શો માટે સમર્થકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. ભાજપે ગાઝિયાબાદથી અતુલ ગર્ગને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ સિવાય અતુલ ગર્ગ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ પણ તેમની સાથે હાજર હતા.

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પહેલો રોડ શો છે જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ તેમની સાથે છે. રોડ શો શનિવારે સાંજે ગાઝિયાબાદના માલીવાડા ચોકથી શરૂ થયો હતો. પીએમ મોદીનો રોડ શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને જય શ્રી રામના નારા સાથે પીએમ મોદી પર ફૂલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તે તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદી જે વાહન પર સવાર હતા તેને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદીના રોડ શોમાં 2 લાખથી વધુ લોકો એકઠા થવાની આશા હતી. આવી સ્થિતિમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

આ રોડ શોમાં રોડ પર વિવિધ સ્થળોએ આકર્ષક ચિત્રો લગાવવામાં આવ્યા છે, જેમાં માતા હીરાબેનના આશીર્વાદ લેતા મોદીનું ચિત્ર પણ લગાવવામાં આવ્યું છે. આ રોડ શોમાં ભગવાન રામ અને સીતાની ટેબ્લો પણ જોવા મળી હતી. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ સંસદીય ક્ષેત્રમાં મોદીના રોડ શો દરમિયાન રસ્તાના કિનારે ઉભેલી ભીડ વડાપ્રધાન મોદી કી જયના ​​નારા લગાવતી અને હાથ હલાવીને તેમનું અભિવાદન કરતી જોવા મળી હતી.

ગાઝિયાબાદમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. અહીં ભાજપે કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહની જગ્યાએ આ વખતે રાજ્ય સરકારના ભૂતપૂર્વ પ્રધાન અતુલ ગર્ગને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જેમણે 2014 અને 2019માં ચૂંટણી જીતી હતી. આ પહેલા શનિવારે સવારે મોદીએ પ્રદેશના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સહારનપુરમાં રેલીને સંબોધી હતી. ગાઝિયાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની શરૂઆત પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકોને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા.

આવી રહી છે આકરી ગરમી, IMDનું ‘હીટવેવ એલર્ટ’

દેશના ઘણા ભાગોમાં વધી રહેલી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે હીટવેવને લઈને ચેતવણી જાહેર કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ સુધી દ્વીપકલ્પ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. વિભાગે જણાવ્યું કે હીટવેવથી પ્રભાવિત વિસ્તારોમાં ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા અને તેલંગાણાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે X પર લખ્યું, આજે પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ગરમીની લહેર યથાવત રહેવાની સંભાવના છે. જો કે, બે દિવસ પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે.

મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી ગયું હતું

IMDના ડેટા અનુસાર, શુક્રવારે મહારાષ્ટ્ર અને ઓડિશાના વિદર્ભના મોટાભાગના ભાગોમાં રાયલસીમા, છત્તીસગઢ, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં હતું. અને યાનમ. મધ્યમાં પહોંચ્યો. આ સિવાય ઉત્તરીય આંતરિક કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. આ તાપમાન સામાન્ય મર્યાદા કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

heat

શનિવારે, ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ અને બિહાર, ગુજરાત પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3-5 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. શુક્રવારે આંધ્ર પ્રદેશના નંદ્યાલમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે જ સમયે, આંધ્ર પ્રદેશના ભુવનેશ્વર અને કુર્નૂલમાં તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, જે તેમને બીજા સૌથી ગરમ શહેરો બનાવે છે.

ઓડિશામાં તાપમાન વધી રહ્યું છે

ન્યૂઝ એજન્સી ANIએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે ગરમી સંબંધિત બીમારીઓને કારણે આઠ લોકોને ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓડિશાના જાહેર આરોગ્ય નિયામક નિરંજન મિશ્રાએ જણાવ્યું હતું કે, “ઓડિશામાં તાપમાન વધી રહ્યું છે…આપણે ગરમીથી સંબંધિત તમામ રોગો માટે તૈયાર રહેવું પડશે. અમે તમામ જિલ્લાઓને શું કરવાની જરૂર છે તેના પર માર્ગદર્શિકા જારી કરી છે અને અમે તાજેતરમાં તમામ જિલ્લાઓને આવરી લેતા ડોકટરોની તાલીમ હાથ ધરી છે.”

હવામાન વિભાગે શનિવાર અને રવિવારે તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને તેલંગાણાના અલગ-અલગ વિસ્તારોમાં અને શનિવારે ઓડિશા, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ અને રાયલસીમામાં હીટવેવની સ્થિતિની આગાહી કરી છે.

હવામાન વિભાગ હીટવેવની સ્થિતિ તરીકે શું માને છે?

IMD અનુસાર, જ્યારે હવાનું તાપમાન એવા સ્તરે પહોંચે છે જે સંપર્કમાં આવવા પર માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે ત્યારે હીટવેવ થાય છે. સાદી ભાષામાં કહીએ તો, જો કોઈ સ્થળનું મહત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ અને પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય, તો તેને હીટ વેવની સ્થિતિ ગણવામાં આવે છે. વધુમાં, સામાન્ય તાપમાન કરતાં 7 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુનો વધારો ગંભીર હીટવેવ તરીકે ગણવામાં આવે છે.

કેન્દ્રને ચૂંટણી દરમિયાન ગરમીના મોજાનો સામનો કરવા માટે અસરકારક પગલાં લેવા જણાવ્યું હતું

લોકસભા ચૂંટણી દરમિયાન લોકભાગીદારીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરમીના મોજાની અસરને ઘટાડવા માટે યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. માંડવિયાની અધ્યક્ષતામાં ગરમીથી સંબંધિત રોગોના સંચાલન માટે જાહેર આરોગ્ય તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. તેમણે રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગની ચેતવણીઓ પ્રાપ્ત થતાંની સાથે જ સમયસર પગલાં લેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

‘ઓપરેશન રૂપાલા’, રાજકોટમાં મહારેલીનું આયોજન

પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત કોર કમિટીની બેઠક બાદ મહારેલીનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા છે. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા છે. ક્ષત્રિય-રાજપૂત આંતરરાષ્ટ્રીય યુવા સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા સહિત મહિલાઓ અને ક્ષત્રિયોએ કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપ્યું હતું.

પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે રેલીમાં 15થી 20 હજાર લોકો છે. એક મહાસંમેલન થશે જેમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થશે, અમે કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ. યુવાનો અને બહેનોને સમજાવીએ છીએ, પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે, ક્ષત્રિયોમાં જે આક્રોશ છે એ વ્યાજબી અને યોગ્ય છે. તેણે માફી માગી છે પણ એ માફી માગવા લાયક નથી. માફી આપવા અમે લાયક નથી. નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હું ક્ષત્રિયની દીકરી તરીકે આવી છું, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે, રૂપાલાની ટિકિટ રદ કરો પણ તમે કરતા નથી તો અમારે અમારી રીતે જવાબ દેવો પડશે. હજી પણ ઉગ્રતા વધતી જશે.

 

ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌકોઈ મહારેલીમાં જોડાયા છે. મહારેલીમાં જય ભવાનીનો જય જયકાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા. મહારેલી કલેક્ટર કચેરી પહોંચી ગઈ છે. અહીં પણ પોલીસનો ચૂસ્ત બંદોદસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સાંજ 6 વાગ્યા માધાપર ચોકડી ખાતેથી ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂપાલા હાજર રહેશે. જ્યારે રાત્રે 8 વાગ્યે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જવાહર રોડ પર હોટલ પ્લેટીનમ ખાતે સેમિનાર અને સન્માનનો કાર્યક્રમ છે. જેમાં રૂપાલા હાજર રહેશે.

IACCનું ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગેનું ખાસ સત્ર

અમદાવાદ: ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસ (IACC), ગુજરાત પ્રદેશ, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અગ્રણી ચેમ્બર અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી શનિવારે અમદાવાદ ખાતે વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ આ ઇવેન્ટમાં USમાં તકો શોધી રહેલા ઉદ્યોગસાહસિકો અને રોકારણકારોને ઇમિગ્રેશનના કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

સત્રના વિશેષ પ્રવક્તા તરીકે NPZ લો ગ્રૂપના મેનેજિંગ એટર્ની ફાઉન્ડર ડેવિડ માચમેન, CMB સ્વિસ કો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ગીરિશ મોહિલે, મેનિજિંગ એટર્ની સેન્હલ બત્રા અને CMB રિજનલ સેન્ટરના ઇનવેસ્ટર રિલેશન મેનેજર રંજીત પ્રકાશ હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય વેપારમાં રસ ધરાવતા પ્રોફેશનલ્સ અને સ્ટેકહોલ્ડર્સ માટે આ સત્ર ખાસ મહત્વનું હતું. જેમાં ઇમિગ્રેશન કાયદામાં નવીનતમ ફેરફારો અંગે માહિતી આપવામાં આવી હતી. ડેવિડ માચમેને જણાવ્યું હતું કે, અમેરિકન બજારોમાં તકનો લાભ લેવા ઇચ્છતા વ્યવસાયો અને રોકાણકારોએ યુ.એસ ઇમિગ્રેશન કાયદાને સમજવો જરૂરી છે. આ સત્રનો ઉદ્દેશ જટિલતાઓને દૂર કરી અને કાયદાકિય માળખા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવાનો હતો.

IACC ગુજરાત પ્રદેશના પ્રમુખ કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું હતું કે IACC, સિલ્વર ઓક યુનિવર્સિટી, NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA વચ્ચેનો સહયોગ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારવાનો અને ક્રોસ બોર્ડર બિઝનેસ વેન્ચર્સને સુવિધાજનક કરવાનો છે. આ સત્રનો આશય ઇમિગ્રેશન કાયદાના વિકલ્પોને સમજીને સહયોગ અને વિકાસના નવા રસ્તા ખોલવાનો છે.  IACC આગામી સપ્તાહમાં ગાંધીનગર, રાજકોટ, જામનગર અને સુરતમાં આ પ્રકારના સત્રનું આયોજન કરી રહ્યું છે.

રૂપાલા સામે ક્ષત્રિયોની રેલીઃ પાટીલને બતાવાયા કાળા વાવટા

રાજકોટઃ ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. એક બાજુ સમાજ દ્વારા રાજકોટમાં  વિશાળ રેલી યોજવામાં આવી છે. બીજી બાજુ પ્રદેશાધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિઓએ જોરદાર હંગામો કર્યો હતો. ત્રીજી બાજુ રૂપાલાએ પણ ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે.

રાજકોટના રેસકોર્સથી રાજપૂતોએ વિશાળ રેલી કાઢી હતી. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. રૂપાલની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં  જોવા મળી હતી.  ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. કલેક્ટર કચેરી બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિયોએ ખુરશીઓ ઉછાળી હતી, પરંતુ સાથે જ પાટીલને કાળા વાવટા પણ બતાવ્યા હતા.

ભાજપના સ્થાપના દિન છે ત્યારે સી.આર. પાટીલ ખંભાળિયામાં પક્ષના કાર્યાલયના ઉદઘાટન માટે આવેલા હતા, પરંતુ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી માગ સાથે ટોળાંએ આ કાર્યક્રમમાં સી.આર. પાટીલનો વિરોધ કર્યો હતો. જોકે પોતાને તમામ સમાજનો ટેકો હોવાના દાવા સાથે રૂપાલાએ શુક્રવારથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો.

ભાજપે રૂપાલા ક્ષત્રિયોની માફી માગી ચૂક્યા છે તેવી વાત કરીને સમગ્ર મામલાને ઠંડો પાડવાના અનેક પ્રયાસ કર્યા છે, પરંતુ ક્ષત્રિયો હજુય પોતાની માગણી પર અડગ છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ કિરપાલસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે આ લડાઈ ક્ષત્રિયોના સ્વમાનની છે.

 

 

 

 

 

 

જેન્ડર પે ઈક્વાલિટી પર આધારિત સોનલ અંબાણીનું નવું શિલ્પ

અમદાવાદ: સોનલ અંબાણીનું શિલ્પ “Slings & Arrows of Outrageous Fortune” વેનિસ, ઇટાલી ખાતે દર્શાવવામાં આવશે. યુરોપિયન કલ્ચરલ સેન્ટર (ECC) દ્વારા આયોજિત 2024 આર્ટ બિએનાલે ખાતે તેમનું આ શિલ્પ રજૂ કરવામાં આવશે. આ પહેલાં વેનિસ 2022 આર્ટ બિએનાલેમાં પણ તેમનું શિલ્પ “રાઇડરલેસ વર્લ્ડ” દર્શાવવામાં આવ્યું હતું.યુરોપિયન કલ્ચરલ સેન્ટર એકવાર ફરી સોનલ અંબાણનું વેનિસ, ઇટાલીમાં સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. આ વખતે સોનલ “Slings & Arrows of Outrageous Fortune,” એક શક્તિશાળી ઇન્સ્ટોલેશન જે જેન્ડર પેને સંબોધિત કરે છે, તેનું પ્રદર્શન કરવાના છે. “Slings & Arrows of Outrageous Fortune” એ સતત એક પ્રતિબિંબ પોઈન્ટ તરીકે ઊભું છે. જે જેન્ડર પેના તફાવતને કે જે આપણી આજુ-બાજુની સામાજિક-આર્થિક દુનિયામાં ઊંડ-ઊંડે જડાયેલો મુદ્દો છે તેને રજૂ કરે છે. આ ઇન્સ્ટોલેશનના સેન્ટરમાં એક સ્ટેનલેસ સ્ટીલ બુલ છે, જેમાં વિશ્વની મુખ્ય કરન્સી છે. આ ઇન્સ્ટોલેશન દ્વારા સોનલ અંબાણી પિતૃસત્તાક માળખા પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કર છે. જેમાં પુરૂષોને વધુ મહત્વ આપવામાં આવે છે. ઇન્સ્ટોલેશનમાં બુલના શરીરને વીંધવા માટે લાલ તીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પડકારનાર લોકોના પ્રયત્નોને ચિહ્નિત કરે છે.

જે લોકો પ્રણાલીગત પૂર્વગ્રહો સામે બોલવાની હિંમત કરે છે અને જેઓ બીજી તરફ અથાગ મહેનત કરે છે તેનાં સિમ્બોલ તરીકે આ લાલ તીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇન્સ્ટોલેશન એક કૉલ ટુ એક્શન છે, એક રીમાઇન્ડર છે કે આ તફાવતને દૂર કરવાનો સામૂહિક સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. આ આર્ટવર્ક નોબેલ પારિતોષિક વિજેતા ક્લાઉડિયા ગોલ્ડિનનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય અને જેન્ડર ઈક્વાલિટી માટેના તેમના પ્રયાસોની ઉજવણીના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે.

વેનિસમાં યુરોપિયન કલ્ચરલ સેન્ટર (ECC) 20મી એપ્રિલથી 24મી નવેમ્બર, 2024 સુધી મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ ઇવેન્ટની 600,000થી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ શોમાં 300થી વધુ કલાકારો અને મલ્ટિડિસિપ્લિનરી ક્રિએટિવ્સને એકસાથે લાવે છે. આ વર્ષના શૉમાં આંતરરાષ્ટ્રીય મલ્ટીમીડિયા કલાકારો, ફોટોગ્રાફર્સ, શિલ્પકારો, કલા સાથે જોડાયેલા વિવિધ કલાકારો અનેશૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગેલેરીસ જોડાવાના છે. જેઓ તેમના દ્રષ્ટિકોણ, પ્રતિબિંબ અને પ્રતિભાવોને આજના સમાજના બહુવિધ પાસાઓ માટે સ્પષ્ટ કરશે.શિલ્પકાર સોનલ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો તેમણે પોતાની સર્જનાત્મક યાત્રા ત્રણ દાયકા પહેલા શરૂ કરી હતી. તેમનું કામ વિશાળ માત્રામાં લોકોને રોજગારી આપે છે. પ્રકૃતિ અને શહેરીકરણ વચ્ચેના અંતરને વિશિષ્ટ શૈલીયુક્ત તત્વોની વિવિધતાથી તેઓ દૂર કરે છે. સોનલ અંબાણીનું કામ ઈન્ડિયા આર્ટ ફેર, આર્ટ બહેરીન એક્રોસ બોર્ડર્સ, મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ભારતમાં અનેક કલા ઉત્સવો અને અગ્રણી ગેલેરીઓમાં તેમનું આર્ટ પ્રદર્શન યોજાયું છે.

વાયનાડ અને અમેઠીના ચૂંટણી ચક્રવ્યૂહમાં ફસાયા રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ વર્ષ 2019માં જ્યારે કોંગ્રેસને એ આભાસ થયો કે રાહુલ ગાંધી પરંપરાગત લોકસભા સીટ અમેઠીથી ચૂંટણી હારી શકે છે તો પાર્ટીએ અમેઠી સિવાય રાહુલ ગાંધીને વાયનાડથી ચૂંટણીમાં ઉતાર્યા હતા, પણ આ વખતે શું વાયનાડની સીટ રાહુલ અને કોંગ્રેસ માટે સુરક્ષિત છે? એ એક મોટો સવાલ છે. હાલમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં એકત્ર થયેલા ઇન્ડિયા ગઠબંધનના એક મંચ પર લેફ્ટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે.

CPIએ રાહુલ ગાંધીની જ વાયનાડ સીટ પર એક મજબૂત ઉમેદવાર ઊભો કર્યો છે. પાર્ટીએ CPI મહાસચિવ ડી. રાજાનાં પત્ની એની રાજાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. અને ભાજપે કેરળ પ્રદેશ ભાજપધ્યક્ષ સુરેન્દ્રનને ઉતાર્યા છે. આવામાં આ સીટ પર મામલો પેચીદો બન્યો છે. વાયનાડથી રાહુલ ગાંધીએ નામાંકન કરી દીધું છે. જોકે અહીં તેમને મુખ્ય પડકાર ભાજપથી વધુ લેફ્ટથી છે. લેફ્ટે વાયનાડની સીટ પર એક ખાસ કેમ્પેન ચલાવ્યું છે- જો રાહુલ અમેઠીથી જીતશે તો તેઓ વાયનાડથી જીત્યા છતાં વાયનાડની સીટ છોડી દેશે.

વાયનાડ માટે મતદાન 26 એપ્રિલે થશે, જ્યારે અમેઠી માટે મતદાન છઠ્ઠા તબક્કામાં થશે, જેના માટે નામાંકન 26 એપ્રિલ અને ત્રીજી મેની વચ્ચે થશે. અત્યાર સુધી અમેઠી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નહીં કરીને પાર્ટી એ સંકેત આપી રહી છે કે વાયનાડમાં 26 એપ્રિલે મતદાન પછી રાહુલના નામનું એલાન કરી શકે છે. આ તર્કથી વાયનાડમાં ચાલી રહેલો એજન્ડા મજબૂત થતો દેખઈ રહ્યો છે. જો વાયનાડથી લેફ્ટ દ્વારા કાંટાની ટક્કર મળી તો રાહુલ ગાંધી માટે સંસદ પહોંચવું મુશ્કેલ બનશે.

 

 

 

 

 

બાળક ચોરી મામલે મોટી હોસ્પિટલો CBIની રડાર પર

નવી દિલ્હીઃ CBIએ દેશભરમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણમાં સામેલ એક નેટવર્કનો પર્દાફાશ કરીને સાત લોકોની ધરપકડ કરી છે. દિલ્હી અને હરિયાણામાં સાત જગ્યાએ દરોડા પાડીને સાતથી આઠ નવજાત બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આમાં એક નવજાતની વય માત્ર 36 કલાક હતી, જ્યારે બીજાની વય માત્ર 15 દિવસ હતી.

CBIએ દિલ્હીના કેશવપુરમ, રોહિણી સહિત NCRમાં કેટલાય જગ્યાએ દરોડા પાડ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ બાળકોને અલગ-અલગ ઘરોમાં લાવીને વેચવામાં આવતાં હતાં. આબાળકો કઈ હોસ્પિટલો અથવા મેડિકલ સેન્ટરોથી લાવવામાં આવતાં હતાં, શું તેમની ચોરી કરવામાં આવતી હતી કે કોઈ અન્ય પ્રકારે લાવવામાં આવતાં હતાં, એની તપાસ હાલ ચાલી રહી છે.

હવે કેટલીક મોટી હોસ્પિટલો અને IVF સેન્ટર CBIની રડાર પર છે. CBIની રડાર પર આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ છે. તેમની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. આરોપીઓની પાસેથી રૂ. પાંચ લાખ જપ્ત કરવામાં આવ્યા છએ. ફેસબુક પેજ અને વોટ્સગ્રુપ ગ્રુપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દેશભરમાં નિઃસંતાન દંપતીઓ જોડવામાં આવે છે. આ એ લોકો છે, જે લોકો બાળકોને દત્તક લેવા માગે છે.

આરોપીઓ માતાપિતાથી જ બાળકોનો સોદો નથી કરતાં, પણ સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકો ખરીદવામાં આવે છે. એક નવજાત બાળકનો સોદો રૂ. 4-6 લાખમાં કરવામાં આવે છે. એજન્સીનું કહેવું છે કે આ આરોપી દત્તક લેવા સંબંધિત નકલી દસ્તાવેજ બનાવીને અનેક નિઃસંતાન દંપતીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની છેતરપિંડીમાં સામેલ છે. આ મામલે CBI 10 આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.