રાજકોટઃ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિયો ટસના મસ નથી થતા. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માગી છે, પણ ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે.
ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યો છે. અમદાવાદમાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજૂર નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.’
રૂપાલા ટિકિટ પરત ખેંચે : કરણસિંહ
કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી ગુજરાત રહેશે. રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે.

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. હવે બીજી કોઈ બેઠક નહીં થાય. સંકલન સમિતીના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતીએ એક સ્વરમાં ફગાવી છે.



સાથે પાણીપૂરીની માગ પણ વધી ગઈ છે. હોળીના પહેલાં 45 ટનનો ઓર્ડર આવી ચૂક્યો હતો. એ ઓર્ડર પૂરો પણ થઈ ચૂક્યો છે. કાનપુરના આ પાપડોનો સ્વાદ હવે વિદેશ સુધી પહોંચી ગયો છે. આવામાં અહીં પાપડ બનાવનારાઓને નફો થશે, બલકે વિદેશોમાં પણ લોકો ભારતીય પાપડનો સ્વાદ લઈ શકશે.









આમ શાળા નવી ટેકનોલોજી દ્વારા જમાના સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિના શિખરો સર કરી રહી છે. સૌનાં અથાગ પ્રયત્નોથી શાળા આદર્શ શાળા બનવા પામી છે.


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું કે કંપનીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી, પરંતુ તેને હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઊર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રુપનો ઉદ્દેશ સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઊર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરૂપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGEL વિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી, પરંતુ તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે. દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાને કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15 ટકાથી વધુ ફાળો આપે છે. આ સેક્ટરમાં 3200થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે.