Home Blog Page 1956

મુંબઈની આ શાળાને સતત ત્રીજીવાર શ્રેષ્ઠ ગુજરાતી શાળાનું બિરૂદ!

મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને મહારાષ્ટ્રની 70 શાળાઓમાંથી સતત ત્રીજી વખત માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું. તે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા વર્ષ 2023- 24 માં શતાબ્દી વર્ષ ઉજવી રહી છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબેન ખેતાણી, ટ્રસ્ટી ભાવેશભાઈ વોરા, ટ્રસ્ટી પિયુષભાઈ અવલાણીની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા નંદાબેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબેન રામેકર તેમજ સર્વ શિક્ષિકા બહેનોને મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ ઉત્તમ શાળાની ટ્રોફી એનાયત કરી હતી.

આ સ્પર્ધા માટે માતૃભાષાની ઉત્તમ શાળા માટેના પાંચ માપદંડ રાખવામાં આવે છે. આ માપદંડને લગતી બધી જ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે. જેમ કે,
૧) પાયાકિય સુવિધા – મકાન , પુસ્તકાલય , રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ વગેરે અહીં છે
૨) ભણતરનું સ્તર – સર્વાંગીણ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ, નવી નવી રીત, સમયની સાથે બદલાવ વગેરે
૩) સંચાલક – આચાર્યા – શિક્ષકોનો સમન્વય
૪) સ્વાવલંબી બનાવવા માટેના પગલાં – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ , વાલીઓનો સમન્વય
૫) દૂરંદેશી – શાળાની પ્રગતિ માટે કરેલા પ્રયત્નો.

માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્રે જેમ કે રમતગમત, નૃત્ય, સંગીત, ચિત્રકલા, સ્પોકન ઈંગ્લિશ, Vedic Maths, scratch graphic course, Advanced Computer, Abacus ના વર્ગો, મૂલ્યો પર આધારિત શિક્ષણ, એકાત્મતા સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન પણ કરાવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે. વિદ્યાર્થિનીઓએ આંતરશાળા સ્તરે, રમત-ગમતમાં જિલ્લા સ્તરે સુવર્ણચંદ્રક, રજતચંદ્રક હાંસલ કર્યા છે. વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એકપાત્રીય અભિનયમાં દર વર્ષે ઇનામો મેળવે છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ભજનોત્સવ સ્પર્ધામાં પણ બંને વિભાગના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનો, વિદ્યાર્થિનીઓએ, તેમના પરિવારોએ ઘણાં પારિતોષિક મેળવ્યાં છે. શાળામાંથી N.T.S., N.M.M.S.,શિષ્યવૃત્તિની પરીક્ષાઓ વિદ્યાર્થિનીઓ આપે છે. દર વર્ષે N વોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળા પારિતોષિક મેળવી રાજ્ય સ્તરે આગળ વધે છે.

આમ શાળા નવી ટેકનોલોજી દ્વારા જમાના સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિના શિખરો સર કરી રહી છે. સૌનાં અથાગ પ્રયત્નોથી શાળા આદર્શ શાળા બનવા પામી છે.

ચૂંટણી પંચની રૂપાલાને ક્લીનચિટ છતાં પદ્મિનીબાનું ઉપવાસ આંદોલન

રાજકોટઃ પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન માટે ભાજપના પ્રદેશાધ્યક્ષે માફી માગ્યા પછી પણ વિવાદ શમવાનું નામ નથી લેતો, બલકે રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. એક બાજુ રાજકોટ સહિત આણંદના ઉમરેઠમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યાં છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં કરણી સેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં, અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને નથી બોલાવવામાં આવ્યાં, પણ તેમણે કહ્યું હતું કે મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ બેઠક ફક્ત ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ.

રૂપાલાને નહીં બદલવામાં આવે તો રાજ્યમાં રાજપૂત સમાજે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના મોટા નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોની વચ્ચે જબરદસ્ત રીતે ઘેરાયેલા છે.  રૂપાલાના

વિરોધમાં રાજ્યમાં પહેલાં ભાવનગર રાજવી પરિવાર વિરોધમાં ઊતર્યો, ત્યાર બાદ વઢવાણ અને હવે આજે લીંબડી સ્ટેટ ઠાકોરસાહેબે પણ વિરોધ નોંધાવ્યો છે.  રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ રેલી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ક્ષત્રિય સમાજ રેલીઓ કરીને આવેદનપત્ર આપીને ટિકીટ રદ કરવાની માગ કરી રહ્યોં છે, ત્યારે રાજયના ચૂંટણી પંચે રૂપાલાને ક્લીનચિટ આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને આધારે ક્લીનચિટ મળી છે. ખાસ વાત છે કે ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ આ નિવદેન અંગે ફરિયાદ કરી હતી.

 

 

 

અદાણી એનર્જીએ 10,000 મેગાવોટ REના ઉત્પાદનના આંકને વટાવ્યો

અમદાવાદઃ વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL)એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરૂપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7393 મેગાવોટ સૌર, 1401 મેગાવોટ પવન  ઊર્જા અને 2140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 MW રિન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સીમાચિહ્નરુપ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાંહળાં કરશે અને સૌથી મહત્વના એવા હવામાંના વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદૂષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે. અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલની કાર્યક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાંનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગિગા સ્કેલ ઉપર સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડિકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું કે કંપનીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં  હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી, પરંતુ તેને હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઊર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રુપનો ઉદ્દેશ સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઊર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરૂપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGEL વિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી, પરંતુ તેને  નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે. દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાને કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15 ટકાથી વધુ ફાળો આપે છે. આ સેક્ટરમાં  3200થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે.

ગુજરાતના કચ્છમાં ખાવડામાં વેરાન જમીન પર AGEL વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં આકાર પામી રહેલ આ પ્રકલ્પ પેરિસ કરતાં પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો વિરાટ છે. AGELએ કામગીરી આરંભ કર્યાના 12 મહિનામાં 2000 મેગાવોટની અર્થાત આયોજિત 30,000 મેગાવોટના 6 ટકાથી વધુ સંચિત સૌર ક્ષમતા કાર્યરત કરી છે.

 

 

 

 

 

 

 

 

 

તાઇવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપઃ ચારનાં મોત, 50 ઘાયલ

નવી દિલ્હીઃ તાઇવાનના તટીય વિસ્તારોમાં બુધવારે સવારે 7.7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેનાથી રાજધાની તાઇપેયી ધ્રૂજી ગઈ છે. તાઇવાનમાં 25 વર્ષોનો આ સૌથી ભયાનક ભૂકંપ છે. આ ભૂકંપથી અત્યાર સુધી ચાર લોકોનાં મોત થયાં છે અને 50થી વધુ ઘાયલ થયા છે. ભૂકંપના આંચકાથી શહેરના કેટલાય વિસ્તારોમાં વીજ ગૂલ થઈ ગઈ છે અને દક્ષિણી જાપાન અને ફિલિપિન્સના દ્વીપો માટે સુનામીનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. પૂર્વ તાઇવાનમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ છે. ભૂકંપના પ્રભાવિત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. લોકોને બહાર કાઢવાના પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

હુલિયાન (Hualien)માં 26 બિલ્ડિંગ્સ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયાં હતાં. હજી પણ 20 લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. તેમને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન જારી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું એપિસેન્ટર તાઇવાનના દક્ષિણ હુલિયાન સિટીમાં હતું.

આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 34.8 કિમી ઊંડું હતું.તાઇપેયી સિસ્મોલોજી સેન્ટરના ડિરેક્ટરના જણાવ્યા મુજબ તાઇવાનનો 25 વર્ષોનો આ સૌથી ભયાનક ભૂકંપ હતો. 1999 સપ્ટેમ્બરમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

તાઇવાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે, કેમ કે એ દ્વીપ બે ટેક્ટોનિક પ્લેટોની પાસે છે. સપ્ટેમ્બર 1999માં તાઇવાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં આશરે 2400 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ જાપાનમાં પ્રતિ વર્ષ આશરે 1500 ભૂકંપના આંચકા અનુભવાય છે. ઇન્ડિયા તાઇપે એસોસિયેશને ભૂકંપની ભયાનકતાને જોતાં બધા ભારતીય નાગરિકોની મદદ માટે એક હેલ્પલાઇન સ્થાપિત કરી છે.

 

 

 

કોરાનાના 95 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 95 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,505 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,558 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,312 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 96 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 739 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,319 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

૦૩ એપ્રિલ, ૨૦૨૪

૦૩ એપ્રિલ, ૨૦૨૪

નોટ આઉટ @ 89 : શ્યામભાઈ મનસુખભાઈ પોપટ

જ્ઞાની અને પ્રભુ-ભક્ત માતા તથા કર્મયોગી પિતાને ઘેર રેંટિયાબારસને દિવસે જન્મેલ શ્યામભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી. માથામાં મોરપીંછ સાથે જન્મ્યા હતા એવું કહેવાય છે, એટલે નામ ‘શ્યામ’ પડી ગયું!

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

શ્યામભાઈનો જન્મ નાગપુર પાસે આવેલ ઉમરેડ ગામમાં. તેમને ૩ ભાઈ. બે યુ.એસ.એ.માં રહે છે. એક ભાઈ ન્યુક્લિયર પાવર-પ્લાન્ટમાં વાઈસ-પ્રેસિડેન્ટના હોદ્દા પર હતા. તેઓ હવે યુ.એસ.એ. માં દત્તાત્રયના ઉપાસક છે અને સંત તરીકે અમેરિકામાં જીવન વિતાવે છે. 1938માં પિતાને આઝાદ-હિન્દ ફૌજમાં જોડાવું હતું, પણ સત્યાગ્રહીઓ જેલમાં જાય તેમના પરિવારની સેવા કરવા માટે ગાંધીજીએ તેમને નાગપુર રોકી લીધા. પિતાએ 1942ની ક્વીટ-ઇન્ડિયાની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. શ્યામભાઈનો અભ્યાસ નાગપુરમાં મરાઠી-માધ્યમમાં થયો. તેઓ બોમ્બે યુનિવર્સીટીના મેટ્રિક અને વળી રાષ્ટ્રભાષા-રત્ન! આઝાદી પછી કોઈ પણ ખાતું લેવાનો પિતાએ ઇનકાર કર્યો. બહુ આગ્રહ પછી પિતાએ બૃહદ્-ગુજરાતના ચીફ-ઓડિટરની માનદ-સેવા સ્વીકારી. પહેલા જ મહીને, પ્રધાનનો માલ લઈ જતું વેગન અટકાવ્યું જેથી કોર્ટમાં કેસ થયો. તેમણે કંટાળી રાજીનામું આપ્યું. ઘણાં રચનાત્મક કાર્યો કર્યાં. અંબર-ચરખાનું યુનિટ ઊભું કર્યું. વિમળાદેવી અને મનિષાદેવીનો આશ્રમ સંભાળ્યો. છેવટે ખેતીનું કામ સ્વીકારી ખેતી-લાયક જમીન વતન જસદણ પાસે લીધી અને શાંતિથી બાકીનું જીવન વ્યતીત કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

શ્યામભાઈએ કરિયાણાના વેપારથી શરૂઆત કરી. વેપાર ઠીક-ઠીક ચાલતો હતો ત્યાં એક વર્ષ દુકાળ પડ્યો. ઘર-ખર્ચ માટે મુશ્કેલી પડવા લાગી. ટૂંક-સમય માટે બ્રુકબોન્ડના સેલ્સ-મેનની નોકરી લીધી પણ પછી જસદણ પાછા આવ્યા. મગફળીનો વેપાર કર્યો, જે બહુ સરસ ચાલ્યો. તે સમયમાં લાખો રૂપિયાની આવક થતી! આ ધંધો વિકસતા તેમણે ડીઝલ-એન્જિનનો ધંધો શરૂ કર્યો. ગામના લુહારના દીકરા પાસે મશીન બનાવડાવ્યાં. છ મહિનામાં તો લુહારનો દીકરો સરસ મશીન બનાવતાં શીખી ગયો! તેમણે પોતાનો વેપાર-ધંધો પોતાની 75 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખ્યો. પણ, તેમની 35 વર્ષની ઉંમરે, તેઓ સ્વામી સંપૂર્ણનંદજીને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું! ધંધા-વેપાર સાથે જીવન લક્ષ ભક્તિ અને મુક્તિ બની રહ્યાં! સવારે પાંચ વાગ્યે ઊઠે, સ્વાધ્યાયથી શરૂઆત કરે. ગુરુકૃપા અને ઈશ્વરકૃપાને લીધે જીવનમાં આનંદ-આનંદ છે!

શોખના વિષયો : 

હવે જીવનમાં કોઈ ઈચ્છા નથી. અચાહ થઈ ગયા છે! પણ યુવાનીમાં પ્રવાસ અને જાત્રાનો બહુ શોખ હતો. આખા હિન્દુસ્તાનની ચાર વાર યાત્રા કરી છે! 73 વર્ષની ઉંમરે કુટુંબીના લગ્નમાં અમેરિકા ગયા હતા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત હવે થોડી ઢીલી પડી છે. કૂવાનું શુદ્ધ પાણી પીધું છે તેથી તબિયત સારી રહે છે તેવું તેમને લાગે છે! સાંભળવાની થોડી તકલીફ છે. વોકર લઈ ઘરમાં ચાલે છે. હજી બે દિવસ પહેલાં વાઘોડિયા મુનિ-આશ્રમની જાત્રા કરી આવ્યા!

યાદગાર પ્રસંગ:  

યુવાનીમાં યાત્રાનો એટલો શોખ કે ઓચિંતા જ પ્રોગ્રામ બનાવી પતિ-પત્ની યાત્રા માટે નીકળી પડતાં! ઈશ્વર જાણે બધી વ્યવસ્થા કરી આપે! બધા સંકલ્પ-વિકલ્પ જતા રહેતા. પત્નીનો દરેક ક્ષેત્રમાં ઘણો સાથ મળ્યો છે. દરેક યાત્રા યાદગાર રહી છે. ઘર-બાર, વેપાર-ધંધો, કુટુંબ વગેરે છોડી બાપુ (સ્વામી સંપૂર્ણનંદજી) સાથે ચાર મહિના આશ્રમમાં રહ્યા હતા તે કેમ ભૂલાય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

બે પૌત્રો ટેકનોલોજી સેક્ટરમાં જ કામ કરે છે. અમેરિકાની કંપનીઓ સાથે મેડિકલ-ટ્રાન્સક્રિપ્શનનું તેમનું મોટું કામ છે. પૌત્રો દાદા સાથે ધંધા-વેપારની ચર્ચા પણ કરે! દાદા મોબાઈલ વાપરી મિત્રો, ગુરુ-ભાઈઓ અને કુટુંબીઓ સાથે સંકળાયેલા રહે છે તે પુત્રોને-પૌત્રોને બહુ ગમે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

સતનો નાશ થઈ ગયો છે અને અસતનું જોર વધી ગયું છે! દૈવી-લક્ષ્મી નાશ પામી છે અને અસુરી-લક્ષ્મી વધી ગઈ છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ત્રણ પુત્રો, એક પુત્રી અને 12 પૌત્ર-પૌત્રીઓ છે. યુવાન પૌત્રો દાદાના વખાણ કરતા થાકતા નથી! બા-દાદા સાથે મોટા થયા છે. વેકેશન પડતાં (ખાસ તો  ભૂકંપ વખતે), પૌત્રો તેમની સાથે જ હોય. દાદા સવારે નવડાવે, તૈયાર કરે. સ્થિત-પ્રજ્ઞનાં લક્ષણો તથા તત્વજ્ઞાનની પરાકાષ્ઠા સમાન મદાલસા સ્તોત્ર બોલાવે. દાદા સવારે અને સાંજે પ્રાર્થના કરાવે. વળી ફેક્ટરી પર પણ લઈ જાય!

સંદેશો :  

યુવાનોમાં હવે કુટુંબ માટે, વડીલો માટે, સમાજ અને દેશ માટે, ભાવ, પ્રેમ અને ત્યાગ રહ્યા નથી. આ ત્રણ વગર બધું નકામું! જાણે મીઠા વગરનું શાક! બાકી યુવાનો કરતા હોય એ ભલે કરે!

રાશિ ભવિષ્ય 03/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 03/04/2024

ઈસ્તાંબુલમાં નાઈટ ક્લબમાં ભીષણ આગ, 29 ના મોત

તુર્કીમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘાયલોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

 

સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી સાતની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

 

આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. શહેરના યુરોપીયન ભાગના બેસિક્તાસ જિલ્લામાં આગ ફાટી નીકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં જીવ ગુમાવનારા તમામ પીડિત કામદારો હતા. આ નાઇટ ક્લબ ભોંયરામાં સ્થિત હતી. તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પાંચ લોકો માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.