Home Blog Page 1962

જરૂરતમંદ ભૂખ્યા લોકો માટે નજીવી કિંમતે ભરપેટ ભોજન

અમદાવાદ: ગાંધીનગર હાલ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. જેમાંથી કેટલાંય મધ્યમવર્ગી વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે. આવા લોકો માટે ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ મોટી રાહત બનીને સામે આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટિક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળશે. સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-૨૧માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામેના મેદાનમાં આ ‘જીવન પ્રસાદ ઘર’ ભોજન સેવાનો ૧લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર-૬માં અપના બજાર નજીક સપ્ટેમ્બર-૨૦૨૩માં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી. સેક્ટર-૬માં મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર-૨૧માં લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે.   

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓ લાઇબ્રેરીમાં વાંચન સાથે નજીવા દરે આ ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે ‘જીવન પ્રસાદ ઘર’ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે, અહિં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે.બધાં જ સેન્ટર પર સવારે સાડા અગિયાર વાગ્યાથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી જમવાનું આપવામાં આવે છે. શરૂઆત સો લોકાના જમાવાથી કરવામાં આવે છે અને વધુમાં વધુ 600 લોકોને એક ટાઈમ એક સ્થળ પર જમાડવામાં આવે છે. ભોજનના મેનુમાં દરરોજ અલગ-અલગ વેરાયટી આપવામાં આવે છે. બધું જ ભોજન ઘર જેવું જ શુદ્ધ અને સાત્વિક હોય છે. જેમાં સોમવારે દાળ-ભાત, શાક-રોટલી હોય તો મંગળવારે કઢી-ખીચડી હોય. બધુવારે મગ-ભાત-રોટલી હોય તો શુક્રવારે ચણા-ભાત-રોટલી હોય. શનિવારે દાળ-બાટી જેવી વેરાયટી પીરસવામાં આવે છે. જેથી કરીને જમનારને પણ રોજ જમવાનું ભાવે અને ઘર જેવો જ અનુભવ થાય. જો કે કોઈ જરૂરિયાતવાળું ભૂખ્યું ન રહી જાય અને જેને જરૂર નથી એવાં લોકો આ સેવાનો લાભ ન લઈ જાય તે માટે એક વ્યક્તિને ચારથી વધારે વ્યક્તિનું ભોજન આપવામાં આવતું નથી. જો કોઈ વધારે વ્યક્તિ માટે પાર્સલ લેવા માટે આવે તો તેને પણ પૂછીને જ ભોજન આપવામાં આવે છે.‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી નિલેશ જાનીએ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપીલ કરી છે તેમનું કહેવું છે કે આ સેવા કોઈ વર્ગ કે વ્યક્તિ માટે ડેડિકેટેડ નથી. દરેક જરૂરતમંદ વ્યક્તિ આ પ્રસાદનો લાભ લઈ શકે છે. કોઈને એવું થાય કે વીસ રૂપિયામાં તો કેવું જમવાનું મળતું હશે? પરંતુ નીલેશભાઈનું કહેવુ છે કે, “અમે રોજ ઘર જેવું જ શુદ્ધ અને સ્વાદિષ્ઠ ભોજન આપીએ છીએ. જેથી જમનારાને ઘર જેવો જ અનુભવ થાય.” આઠ પ્રકારની તો ખીચડી અલગ-અલગ પ્રકારની તેઓ બનાવે છે. જેમાં ડ્રાયફ્રુટ્સ ખીચડીથી લઈને વેજીટેબલ ખીચડી સુધી હોય છે. નીલેશભાઈનું કહેવું છે કે તેઓ કોઈને પણ મફતમાં જમવાનું આપતા નથી. કારણ કે જો મફતમાં આપવામાં આવે તો તેને ભોજનની વેલ્યુ રહેતી નથી. પ્રસાદને આદરભાવથી જમે અને કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિ ભૂખી ન રહે તે માટે તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અત્યારે તો ‘જીવન પ્રસાદ ઘર’ અમદાવાદમાં ચાર અને ગાંધીનગરમાં બે સ્થળે ચાલે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને વધુ લોકો સુધી લઈ જવાના પણ તેમના પ્રયત્નો છે. ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’માં સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવાનો અનુરોધ પણ નિલેશભાઈએ કર્યો છે.

શિવાજી પાર્કમાં ઉદ્ધવ, રાજ ઠાકરની એક જ દિવસે ચૂંટણી સભા?

મુંબઈઃ લોકસભા ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. ઉદ્ધવ ઠાકરે  જૂથ અને મનસેએ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા યોજવાનો નિર્ણય કર્યો છે, પરંતુ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા માટે ઠાકરે જૂથ અને મનસેની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, કેમ કે બંને પાર્ટીઓને એક જ તારીખે બેઠક આયોજિત કરવા માટે અરજી કરી છે.

બંને પક્ષોએ એક જ દિવસ અરજી કરી છે. હવે વહીવટી તંત્ર કયા પક્ષને મંજૂરી આપે છે એના પર બધાની નજર છે. શિવાજી ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના- બંને પક્ષોએ 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં ચૂંટણી સભા અરજી કરી છે. સપ્રદ વાત એ છે કે બંને પાર્ટીઓએ 17 મેએપાર્ટીની પ્રચાર બેઠક માટે ગ્રાઉન્ડ મીટિંગ માટે એક જ દિવસે મુંબઈ નગર નિગમમાં અરજી આપીન છે.મુંબઈ નગર નિગમ દ્વારા અરજી સંખ્યાથી માલૂમ પડે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સૌથી પહેલો 17 મે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી. એટલે પાર્ટીના નેતાઓનું માનવું છે કે શિવાજી પાર્ક મેદાન નિયમાનુસાર મનસેને આપવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગે આ બંને અરજી પર વાસ્તવમાં શું નિર્ણય લે છે અને 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં સભા કરવા માટે કોને મંજૂરી મળે છે. આ પહેલાં  વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પહેલાં શિવસેના અને મનસેએ એક દિવસીય બેઠક માટે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી, પરંતુ એ સમયે મનસેએ પહેલાં અરજી કરી હતી, એટલા માટે મેદાન મનસેને આપવામાં આવ્યું હતું.

 

 

 

 

‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મનું મુંબઈમાં યોજાયું ખાસ સ્ક્રિનિંગ

મુંબઈ: રણદીપ હુડા અભિનીત અને દિગ્દર્શીત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ 22મી માર્ચ 2024ના રોજ રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શનિવારે મુંબઈમાં આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્ક્રિનિંગમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અંકિતા લોખંડે અને ટીમના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

 

તસવીરો : માનસ સોમપુરા (મુંબઈ)

કોર્ટે 15 એપ્રિલ સુધી કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની EDની કસ્ટડી પૂરી થયા પછી રાઉઝ એવેન્યુ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. તેમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ મુખ્ય મંત્રી તરીકે જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. કોર્ટમાં હાજરી દરમ્યાન કેજરીવાલે કહ્યું હતું કે PM જે કરી રહ્યા છે એ ઠીક નથી કરી રહ્યા.

EDએ સુનાવણીના પ્રારંભે કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધને લોકતંત્ર બચાવો થિમ હેઠળ રવિવારે કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ એક મોટી રેલીનં આયોજન કર્યું હતું અને જલદી તેમને છોડી મૂકવાની માગ કરી હતી.દિલ્હીના CMએ ધરપકડની વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ ધા નાખી છે. તેમણે એ તર્ક આપ્યો હતો કે તપાસ એજન્સીએ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે EDને નોટિસ જારી કરીને બીજી એપ્રિલ સુધી જવાબ માગ્યો હતો. હવે સુનાવણી ત્રીજી એપ્રિલે ફરી શરૂ થશે.

આપ પાર્ટીએ ધરપકડને રાજકીય કિન્નાખોરી જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીથી ઠીક પહેલાં તેમની ધરપકડનો વિપક્ષ સતત વિરોધ દર્શાવી રહ્યો છે. કેજરીવાલની ધરપકડ પછી તેમનાં પત્ની સુનીતા કેજરીવાલ સતત સક્રિય છે અને તેમના મોકલેલા સંદેશ વાંચી રહી છે.

કેજરીવાલે કોર્ટથી રામાયણ, મહાભારત અને પત્રકાર નીરજા ચૌધરી લિખિત હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ બુક અને દેલમાં દવા ઉપલબ્ધ કરાવવામા માગ કરી હતી.

 

 

 

 

મોંઘવારીથી સામાન્ય જનતાને મળી મોટી રાહત

નવી દિલ્હીઃ નવા વર્ષના અને મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને પાંચ કિલોવાળા FTL (Free Trade LPG) સિલિન્ડરની કિંમતમાં કાપ મૂક્યો છે. આ પહેલાં પહેલી માર્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી હતી.

પહેલી ફેબ્રુઆરી, 2024એ 19 કિલોવાળા સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સિલિન્ડરની કિંમતો સસ્તી થઈ છે. IOCLની વેબસાઇટ મુજબ 19 કિલોવાળા ગેસ સિલિન્ડરની નવી કિંમત રૂ. 1764.50, કોલકાતામાં રૂ. 1879, મુંબઈમાં રૂ. 1717.50 અને ચેન્નઈમાં રૂ. 1930 છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 30.50 કોલકાતામાં રૂ. 32, મુંબઈમાં રૂ. 31.50 અને ચેન્નઈમાં રૂ. 30.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે સ્થાનિક સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર બનેલી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ રાંધણગેસ સિલિન્ડરની કિંમત રૂ. 803, કોલકાતામાં રૂ. 829, મુંબઈમાં રૂ. 802.50 અને ચેન્નઈમાં રૂ. 818.50ની છે. નવ માર્ચે ઘરેલુ ગેસ સિલન્ડિરની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કરવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ મહિનાથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધી રહી હતી, જેથી લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો હતો, પણ હવે ચૂંટણીના મહિનામાં ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને કિંમતો ઘટાડીને મોટી ભેટ આપી છે. આ પહેલાં મોદી સરકારે સામાન્ય જનતાને મહિલા દિવસે 14 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડીને મોટી રાહત આપી હતી.

 

 

 

 

 

 

 

 

૦૧ એપ્રિલ, ૨૦૨૪

 ૦૧ એપ્રિલ, ૨૦૨૪

કોરાનાના 62 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી  થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,422 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,552 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,135 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 88 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 735 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,289 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

આત્મજ્ઞાન એટલે શું?

સદ્‍ગુરુ અહીં જણાવી રહ્યા છે કે આત્મજ્ઞાન શું છે અને કેવી રીતે તે એક પસંદગી નથી, પરંતુ સૌના જીવનમાં તે અનિવાર્ય છે.

જ્યારે લોકો ‘આત્મજ્ઞાન’ શબ્દ સાંભળે ત્યારે કદાચ તેમના મનમાં હિમાલયની અમુક ગુફાઓની છબી ઉપસતી હશે. તમારા અનુભવમાં જે અત્યારે નથી તેના વિશે હું કંઇ વાત કરવા માંગતો નથી કારણ કે જે ક્ષણે તેના વિશે વાત થશે , તમે વાસ્તવિકતાથી સંબંધ ગુમાવી દેશો. જે હકીકત તમારા અનુભવમાં નથી તેને તમે માનવા લાગશો તો તમે અત્યારે જે વાસ્તવિકતામાં છો, તેનો સંપર્ક છોડી દેશો.

દૂર્ભાગ્યપૂર્ણ રીતે અત્યારે ધર્મ અને આધ્યાત્મિકતાના નામે વિશ્વમાં આવું જ થયુ છે. ઇશ્વર એ સક્ષમ કરતું પરિબળ નથી રહ્યું પણ દૂર્ભાગ્યપૂર્ણ રીતે મોટાભાગના લોકોના જીવનમાં તે તેઓને કૃપણ કરતું પાસું બની ગયું છે કારણ કે તેઓ એવું માને છે કે ઇશ્વર તેમના ભોજન, જીવનનિર્વાહ, સ્વાસ્થ્ય અને વેપારનું ધ્યાન રાખશે. તેથી સ્વયંને કોઈ રહસ્યવાદી પ્રક્રિયાથી કે અન્ય આયામ દ્વારા જાણવા વિશે આપણે કોઈ વાત નથી કરતા. આપણે સૌથી વ્યવહારિક રીતે તમને જાણી શકાય તેના વિશે વાત કરીએ.

તમારું યુઝર મેન્યુઅલ વાંચો

જો તમે કોઈ ચીજ સાથે કામ લેવા માંગતા હો, ઉદાહરણ તરીકે જો તમે મોટરસાઇકલ કે કાર ચલાવવા માંગતા હો તો તે મશીન પર તમારી પકડ જેટલી ઉમદા હશે, એટલી જ તમને તેની સાથે કંઇ પણ કરવાની સ્વતંત્રતા મળશે. તમે જ્યારે પણ કાર, કોમ્પ્યુટર કે પછી તમારો ફોન ઉપયોગ કરતા હો ત્યારે તેના વિશે જેટલું તમે વધુ જાણશો, તેટલો જ સારો તેનો ઉપયોગ કરી શકશો. તમારી આસપાસના લોકો, તમારો પરિવાર, મિત્રો અને જે લોકો સાથે તમે કામ કરતા હો, જેટલું તેમના વિશે વધુ જાણતા હશો તેટલી સારી રીતે તેમની સાથે તમે વ્યવહાર કરી શકશો. તમારે જેની સાથે પણ કામ કરવાનું હોય, જેટલું વધુ તમે જાણતા હશો ,તેટલી જ સારી રીતે તમે તેને સંભાળી કરી શકશો.

આ બાબતને તમે સ્વયં પર કેમ લાગૂ નથી કરતાં ? આ જીવન વિશે તમે જેટલું વધુ જાણો, જેને તમે ‘હું’ કહો છો, તેના વિશે વધુ સમજ હશે અને તેને વધુ સારી રીતે સંભાળવાની ક્ષમતા હશે તો ચોક્કસપણે જીવન ખીલી ઉઠે છે. બીજા શબ્દોમાં, આત્મજ્ઞાન એ આ જીવનને અત્યારે તમે જે રીતે જાણો છો તેના કરતા વધુ સારી રીતે જાણવું તે છે. તમે તમારા વિચારો, વ્યક્તિત્વ અને લાગણીઓ વિશે કંઇક જાણતા હોઇ શકો. અથવા તો  પહેલાથી જ તમારું મનો વિશ્લેષણ થઇ ગયું હશે પરંતુ હજુ પણ તમે જીવનની પ્રકૃતિ વિશે કંઇ પણ નથી જાણતા કે તે કેવી રીતે ઘટે છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે અને તેની પ્રકૃતિ શું છે. જો આ મશીનને તમે ચલાવો છો અને તેના વિશે કંઇ પણ નથી જાણતા તો તમે આકસ્મિક રીતે જ તેનું સંચાલન કરશો.

મહેરબાની કરીને તેના તરફ ધ્યાન આપો. આ જીવન વિશે તમે શું જાણો છો ? તમે આકસ્મિક રીતે જીવો અને તમારું અસ્તિત્વ એક અકસ્માત જ હોય તો તમે એક સંભવિત આફત છો. તમે વાસ્તવિક રીતે આફત બનશો કે નહિં તે અલગ બાબત છે પરંતુ તમે એક સંભવિત આફત છો. જો તમે એક સંભવિત આફત તરીકે અહીં જીવશો તો દુખી અને બેચેન રહેવું સ્વાભાવિક છે અને જીવન એ રીતે જ ચાલે છે.

એવું ન વિચારો કે આત્મજ્ઞાન એ કોઈ વિચિત્ર બાબત છે જે અમુક યોગીઓ હિમાલયની ગુફામાં કરતા હોય છે. તે એના વિશે નથી. તે માત્ર એટલું જ છે કે જો તમે તમારું જીવન અમુક સ્વસ્થતા સાથે જીવવા માંગતા હો, તો તમારે આ જીવન વિશે જાણવું પડશે. જો તમે તેના વિશે જાણતા નથી અને તેમા કોઈ અન્વેષણ કરતા નથી , તો તમે સ્વસ્થતાથી કેવી રીતે જીવશો ? જ્યાં સ્વસ્થતા નથી ત્યાં પ્રસન્નતા હોવાનો સવાલ જ નથી. જ્યારે સ્વસ્થતા અને પ્રસન્નતા તમારા જીવનમાં નથી, તો સવાલ ઉઠશે, “હોવું કે ન હોવું ?” લોકોને લાગે છે કે આ બહુ બુદ્ધિમતા વાળો પ્રશ્ન છે. પરંતુ આ સૌથી મૂર્ખ બાબત છે જે તમે પોતાને પૂછી શકો છો. આ જીવન પ્રક્રિયા અત્યંત અદ્ભુત ઘટના છે પરંતુ તમે પૂછો છો, “હોવું જોઇએ કે નહીં?” આવા મૂર્ખતાપૂર્ણ સવાલો લોકોના મનમાં પેદા થયા છે કારણ કે તેમણે મનુષ્ય હોવાની અસીમતા વિશે જાણ્યું નથી. આત્મજ્ઞાન એ પસંદગી નહીં, અનિવાર્ય છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 01/04/2024 થી 07/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકેછે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 01/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.