નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેતાઓનું પાર્ટી બદલવાનું વલણ ઝડપથી વધ્યું છે અને લોકસભા ચૂંટણીની નજીક આવ્યા પછી એમાં ઔર વધારો થયો છે. મહારાષ્ટ્રના પુણેમાં હવે કેટલીક જગ્યાએ બેનરો લાગ્યાં છે, જેમાં નેતાઓ દ્વારા પાલા બદલવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ બેનરોમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ એક વચન આપીને ટિકિટ ચૂંટણી લડવી જોઈએ કે તેઓ કાર્યકાળના છેલ્લા તબક્કા સુધી એ જ પાર્ટીમાં રહેશે.
જાગ્રત પુણેકરના નામથી આ ગુમનામ બેનરોમાં માગ કરવામાં આવી છે કે ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં ઘોષણા કરવી જોઈએ કે તેઓ પાંચ વર્ષ સુધી કોઈ અન્ય રાજકીય પક્ષોમાં સામેલ નહીં થાય. તેઓ પાર્ટીની નીતિઓ અને મતદારો પ્રતિ પૂરા ઇમાનદાર રહેશે અને કોઈ અન્ય પાર્ટીમાં નહીં જાય. જો હું પાર્ટી બદલું તો ભવિષ્યમાં મને અથવા મારા પરિવારના કોઈ પણ સભ્યને મત ના આપવો, એમ બેનરમાં લખેલું છે.
આ બેનરો પાછળ લોકો કે સંગઠનો વિશે હજી સુધી માલૂમ નથી પડ્યું, પરંતુ સમયાંતરે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર આવાં પોસ્ટરો અને બેનરો લાગતાં રહ્યા છે. હાલના મહિનાઓમાં પેટા ચૂંટણીમાં એક રાજકીય પક્ષના ઉમેદવારની પસંદગીની વિરુદ્ધ પોસ્ટર લાગ્યાં હતા.સજગ નાગરિક મંચના પ્રમુખ કાર્યકર્તા વિવેક વેલંકરે કહ્યું હતું કે તેમને એ વિશે નથી માહિતી મળી કે આ પોસ્ટરો પાછળ કોણ છે, પણ તેમણે કહ્યું હતું કે આ પોસ્ટરોમાં લાગેલી વાતોથી તેઓ સંપૂર્ણ રીતે સહમત છે.
અમદાવાદ: ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસુ મસીહ એ માનવ કલ્યાણ માટે વધ સ્થંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. એમને વધ સ્થંભ પર લટકાવી યાતનાઓ અપાઈ હતી. જેના દ્રશ્યો અમદાવાદ શહેરની મેથોડિસ્ટ યુથ ફેલોશિપના સભ્યોએ રાયખડ વિસ્તારમાં આબેહુબ રીતે રજૂ કર્યા હતા. શહેરના જમાલપુર રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઈડે નિમિત્તે એક રેલી નીકળી હતી.
વધસ્તંભ સેંટ ઝેવિયર્સ કોલેજ ચર્ચ
મેથડિસ્ટ ચર્ચના અગ્રણી રુફાસભાઈ ચિત્રલેખા.કોમને જણાવ્યું કે, ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન રેલીનો ઉદ્દેશ માનવ જાતને પાપોમાંથી બચાવવા માટે ઇસુ ખ્રિસ્તે જે યાતનાઓ ભોગવી એ અસહ્ય હતી. ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પીડા અને યાતનાઓ સહન કરવામાં આવી એ રેલીમાં લોકો સમક્ષ રજૂ કરાય છે. ઈસુ ખ્રિસ્તને યાદ કરી પ્રાર્થના કરવામાં આવે છે. શહેરના તમામ ચર્ચ માં ખ્રિસ્તી ધર્મ ના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી.
ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવાર એ ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સન્ડે કહેવામાં આવે છે.
ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. એ સમયે કટ્ટરપંથીઓ એમનો વિરોધ કરી રહ્યા હતા. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનામાં ગુરૂવારે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. હવે રાજકીય સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ગોવિંદાની રાજકારણમાં આ બીજી ઈનિંગ છે. આ પહેલાં તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા. 2004થી 2009 સુધી ઉત્તર મુંબઈથી સાંસદ રહ્યા હતા. તો આવો આજે બોલીવૂડના એ દિગ્ગજ કલાકારો પર નજર કરીએ જેમણે રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવી છે.
પૃથ્વીરાજ કપૂર: એક્ટર પૃથ્વીરાજ કપૂર હિન્દી ફિલ્મોમાંથી રાજનીતિની સફર કરનારા સૌથી પહેલા અભિનેતા હતા. કોંગ્રેસે 1952માં તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજકારણથી અછૂત નહોતા. આઝાદી પહેલાના તંગ સમયગાળામાં, તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક શક્તિશાળી નાટક બનાવ્યું હતું – ‘દીવાર’. જે કોંગ્રેસ કાર્યકારી સમિતિની સામે મંચન કરવામાં આવ્યું હતું. તે દિવસોમાં, ફિલ્મોમાંથી સંસદમાં આવવા માટે તેમની ટીકા થતી હતી. પરંતુ પૃથ્વીરાજ કપૂર સંસદમાં મોટેથી બોલતા હતા.
દેવ આનંદ: ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી પછીના સમયગાળામાં જ્યારે જનતા પાર્ટીનો પ્રયોગ પણ નિષ્ફળ ગયો હતો. બંને પક્ષોથી નારાજ કેટલાક લોકોએ સાથે મળીને નવી રાજકીય પક્ષ ‘નેશનલ પાર્ટી’ બનાવવાની જાહેરાત કરી હતી. દેવ આનંદ આ પાર્ટીના અધ્યક્ષ હતા. આ પાર્ટીમાં વી. શાંતારામ, વિજય આનંદ, આઈ. એસ. જોહર, જી. પી. સિપ્પી સહિત અનેક ફિલ્મી હસ્તીઓ જોડાઈ હતી. પાર્ટીએ લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું, રેલીઓ શરૂ થઈ, ભીડ ભેગી થવા લાગી. પરંતુ ધીરે-ધીરે વાત ફેલાઈ ગઈ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને પાછળથી નુકસાન સહન કરવું પડશે. એક પછી એક મોટાભાગના લોકો પક્ષથી દૂર થઈ ગયા. આ રીતે દેવ આનંદનું રાજકીય સ્વપ્ન અને પાર્ટી બંનેનો અંત આવ્યો.
નરગીસ: રાજનીતિની વાત કરીએ તો હિન્દી ફિલ્મોમાંથી પ્રથમ મહિલા સાંસદ બનવાનું સન્માન 1980માં નરગીસને મળ્યું હતું. તે સમયે નરગીસ ફિલ્મો છોડીને સમાજ સેવામાં લાગી ગયા હતા. ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે 1981માં તેમનું અવસાન થયું હતું.
સુનીલ દત્ત: ઓક્ટોબર 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ડિસેમ્બર 1984માં ચૂંટણી યોજાવાની હતી. રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સુનીલ દત્તને ચૂંટણી લડવા કહ્યું. સુનીલ દત્ત 1984 માં મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. 2005માં તેમના મૃત્યુ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. સુનીલ દત્ત એ થોડા હિન્દી ફિલ્મ સ્ટાર્સમાંના એક હતા જેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા અને રાજકારણી તરીકે ખૂબ જ આદર પામ્યા હતા. 2004માં પાંચમી વખત લોકસભા ચૂંટણી જીતનાર સુનીલ દત્તને રમત-ગમત અને યુવા કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચન: 1984માં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અલ્હાબાદથી હેમવતી નંદન બહુગુણા સામે ચૂંટણી લડી રહ્યા હતા. જે તે સમયના સૌથી મોટા સમાચાર હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન નંદન બહુગુણા અમિતાભને ‘શિખાઉ’ અને ‘ડાન્સર’ કહેતા હતા. એ જયા બચ્ચન હતા જેમણે અમિતાભના પ્રચારમાં પ્રાણ ફૂંક્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. પરંતુ બોફોર્સ કૌભાંડમાં નામ આવ્યા બાદ સાંસદ અમિતાભનો રાજનીતિથી મોહભંગ થઈ ગયો અને રાજકારણ છોડી દીધું. ત્યારથી અમિતાભ બચ્ચને ક્યારેય સક્રિય રાજકારણમાં ભાગ લીધો નથી.
રાજેશ ખન્ના: 1991ની ચૂંટણી સમયે અમિતાભ ફિલ્મો અને રાજકારણ બંનેથી દૂર થઈ ગયા હતા. તે સમયે રાજીવ ગાંધીએ રાજેશ ખન્નાને નવી દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી સામે લડવા વિનંતી કરી હતી. 1991ની ચૂંટણીમાં રાજેશ ખન્ના અડવાણી સામે માત્ર 1,589 મતોથી હારી ગયા હતા. 1992માં જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે રાજેશ ખન્ના ફરીથી નવી દિલ્હીથી ચૂંટણી લડ્યા. તેમણે તેમના મિત્ર શત્રુઘ્ન સિંહાને હરાવ્યા, જેઓ ભાજપમાં જોડાયા હતા.
શત્રુઘ્ન સિંહા: શત્રુઘ્ન સિંહા કોંગ્રેસના બદલે વિરોધ પક્ષ દ્વારા રાજકારણમાં પ્રવેશનારા પ્રથમ હિન્દી અભિનેતાઓમાંના એક હતા. ઈમરજન્સી દરમિયાન તેઓ જયપ્રકાશ નારાયણથી પ્રભાવિત થયા હતા. પરંતુ 90ના દાયકામાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજેશ ખન્ના સામે લોકસભાની ચૂંટણી હારી ગયા. પરંતુ અડવાણી-વાજપેયીની ખૂબ નજીક હતા. શત્રુઘ્ન કદાચ પ્રથમ હિન્દી ફિલ્મ સ્ટાર હતા જેઓ કેન્દ્રીય મંત્રી (2003-04) બન્યા હતા અને ઘણી વખત સાંસદ પણ બન્યા. જો કે મોદી શાસન બાદ શત્રુઘ્ન પોતાની જ પાર્ટીમાં અલગ પડી ગયા હતા. એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરનાર શત્રુઘ્ન 2019માં કોંગ્રેસમાં જોડાયા તે સમયનું ચક્ર છે. તેઓ 2009-2019 સુધી પટના સાહિબથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
રાજ બબ્બર: રાજ બબ્બરે 1989માં વી. પી. સિંઘની જનતા દળ પાર્ટી જોઈન કરીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1994થી 1999 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ હતા. રાજ બબ્બર 2004માં 14મી લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર યુપીના ફિરોઝાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ 2006માં સપામાંથી સસ્પેન્ડ થયા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
વિનોદ ખન્ના: 80ના દાયકામાં વિનોદ ખન્ના ફિલ્મોમાંથી નિવૃત્ત થયા અને ઓશો પાસે પહોંચી ગયા હતા. પરંતુ પંજાબી પરિવારમાંથી આવતા વિનોદ ખન્નાએ 1997માં ભાજપ સાથે હાથ મિલાવ્યો. એક વર્ષ પછી 1998માં પંજાબના ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી અને પ્રચંડ બહુમતીથી જીત્યા. 2009ની ચૂંટણીને બાજુ પર રાખીએ તો, તેઓ તેમના મૃત્યુ સુધી આ બેઠક પરથી સાંસદ રહ્યા. વિનોદ ખન્નાએ વાજપેયી કેબિનેટમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
જયા પ્રદા: મહિલા રાજકારણીઓની વાત કરીએ તો જયા પ્રદાએ પણ ફિલ્મી દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. જયા પ્રદા તેલુગુ સુપરસ્ટાર એન.ટી.આર.ના કહેવાથી 1994માં રાજકારણમાં જોડાયા હતા. જો કે, તેમણે ટૂંક સમયમાં પક્ષ બદલ્યો અને ચંદ્રાબાબુ નાયડુ સાથે જોડાયા. રાજકારણમાં તેમના અનુભવના અભાવને કારણે શરૂઆતમાં તેમની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ ધીરે-ધીરે તે પાર્ટીના મોટાં પ્રચારક બની ગયા. જયા પ્રદા 1996માં રાજ્યસભામાં પહોંચ્યા. તેમની કારકિર્દીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા. દક્ષિણમાંથી આવેલા જયા પ્રદાએ ઉત્તર પ્રદેશના રામપુરમાંથી લોકસભાની ચૂંટણી લડી. 2004 અને 2009માં સતત બે ટર્મ માટે તેઓ અહીંથી સાંસદ રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં જીતીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા. સમાજવાદી પાર્ટીમાં આઝમ ખાન સાથે જયા પ્રદાની હંમેશા તકરાર રહી. જેના પગલે તેઓ સમાજવાદી પાર્ટીથી અલગ થઈ ગયા. 2019માં તેઓ ભાજપમાં જોડાયા અને રામપુરથી ચૂંટણી લડ્યા.
શબાના આઝમી: કૈફી આઝમીના પુત્રી અને પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ 1997માં રાજ્યસભામાં પ્રવેશ કર્યો અને 2003 સુધી ઉપલા ગૃહના સભ્ય રહ્યા.
જયા બચ્ચન: બોલિવૂડ ફિલ્મોમાં અભિનયની કૌશલ્ય સાબિત કરનાર જયા બચ્ચન ફિલ્મો પછી ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. આ પાર્ટી સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજ્યસભામાં એન્ટ્રી લીધી હતી. જયા બચ્ચન પણ રાજકારણમાં સફળ ઇનિંગ રમી રહ્યા છે. જયા બચ્ચન હાલમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભામાં સાંસદ છે. તેઓ પ્રથમ વખત 2004માં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
હેમા માલિની: 1999માં જ્યારે વિનોદ ખન્ના ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે હેમા માલિનીને તેમના માટે પ્રચાર કરવા કહ્યું હતું. હેમાને રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો. પ્રારંભિક મૂંઝવણ પછી, તેમણે વિનોદ ખન્ના માટે પ્રચાર કર્યો અને અહીંથી તેમની પોતાની રાજકીય સફર પણ શરૂ થઈ. હેમા માલિની 2004માં જ ભાજપમાં જોડાઈ ગયા અને રાજ્યસભાના સભ્ય બન્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે મથુરાથી જાટ નેતા જયંત સિંહને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
ધર્મેન્દ્ર: હિન્દી સિનેમાના કલાકાર ધર્મેન્દ્ર પણ ભાજપમાં જોડાયા. તેઓ રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી 2004માં સામાન્ય ચૂંટણી જીત્યા અને સાંસદ પણ બન્યા. જો કે, તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય રહી શક્યા નહીં કારણ કે તે ઘણીવાર ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતા હતા.
સ્મૃતિ ઈરાની: ટેલિવિઝનની બહુ ચર્ચિત વહુ સ્મૃતિ ઈરાની આજે ભાજપમાં ઉપાધ્યક્ષનું પદ સંભાળે છે. સ્મૃતિની રાજકીય કારકિર્દી વર્ષ 2003માં શરૂ થઈ હતી. જ્યારે તેમણે ભાજપની સભ્યતા મેળવી હતી. તેઓ 2004માં ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કપિલ સિબ્બલ સામે હારી ગયા હતા. 2014ની સામાન્ય ચૂંટણીમાં તેઓ અમેઠી બેઠક પરથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા અને તેમને સખત પડકાર આપ્યો હતો. જો કે તેઓ ચૂંટણી હારી ગયા. પરંતુ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા સ્મૃતિ ઈરાનીને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા અને મોદી સરકારમાં મહત્વપૂર્ણ માનવ સંસાધન પોર્ટફોલિયો આપવામાં આવ્યો. જો કે 2019ની ચૂંટણીમાં ફરીથી તેઓ અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડ્યા અને જીતીને વિરોધીઓના મોઢાં બંધ કરી દીધા.
સની દેઓલ: પોતાના અભિનયથી હલચલ મચાવનાર સની દેઓલે પિતા ધર્મેન્દ્રની જેમ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યો અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા.. હાલમાં ભાજપના સાંસદ તરીકે ગુરદાસપુર મત વિસ્તારનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે.
રેખા: બોલિવૂડના ટોચના અભિનેત્રી રેખા હાલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપીને પોતાની છાપ છોડી છે. રેખાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2012માં કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા.
કિરણ ખેર: આ યાદીમાં અનુપમ ખેરની પત્ની કિરણ ખેરનું નામ પણ સામેલ છે. તેમની સફળ ફિલ્મ કારકિર્દી પછી, અભિનેત્રી ભારતીય જનતા પાર્ટીમાં 2009માં જોડાયા હતા. તેમણે દેશભરમાં પાર્ટી માટે પ્રચાર પણ કર્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને ચંદીગઢ બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ લડ્યા અને જીત્યા પણ હતા. 2019માં પણ તેઓ ચંદીગઢ બેઠક પરથી વિજેતા બન્યા હતા.
પરેશ રાવલ: ફિલ્મોમાં પોતાના કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતનાર પરેશ રાવલ જ્યારે રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે તેમણે ત્યાં પણ દિલો પર રાજ કર્યું. પરેશ રાવલ ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના સાંસદ બન્યા હતા.
ઉર્મિલા માતોંડકર: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો. મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. થોડા સમય બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તે ડિસેમ્બર 2020માં શિવસેનામાં જોડાઈ ગયા.
નુસરત જહાં: નુસરત જહાંએ પણ ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. લોકસભામાં પોતાના ભાષણોને કારણે ચર્ચામાં રહેતી નુસરતે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની બસીરહાટ બેઠક પરથી 2019માં ચૂંટણી લડીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બની હતી.
મીમી ચક્રવર્તી: પ્રખ્યાત બંગાળી ફિલ્મ અભિનેત્રી મીમી ચક્રવતીએ 2019માં પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી અને જીત્યા. મિમી ચક્રવર્તીએ પણ ઈન્ડસ્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જો કે ફેબ્રુઆરી 2024માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કંગના રણૌત: ભાજપે 2024 લોકસભા ચૂંટણીમાં બોલીવૂડની આ આખા બોલી અભિનેત્રીને હિમચાલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી છે.
જ્યારે પણ કોઈ મને પૂછે છે કે હવે કેટલું ઉપર જશે માર્કેટ? ત્યારે-ત્યારે મને આ લોકપ્રિય ગીત યાદ આવે છે. વળી, PSU શેરો માટે આ એક સામાન્ય સવાલ છે.
ગયા વર્ષે PSU ફંડમાં સરેરાશ 94 ટકાનો વધારો થયો હતો, એમ વેલ્યુ રિસર્ચના આંકડા કહે છે, જ્યારે આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી ફંડ્સે એક વર્ષમાં 98 ટકા વળતર આપ્યું હતું અને બે અને ત્રણ વર્ષના સમયગાળામાં અનુક્રમે આશરે 53 ટકા અને 43 ટકા વળતર આપ્યું હતું. (9 ફેબ્રુઆરી, 2024ના ડેટા સુધી)
જોકે ફંડ મેનેજર તરીકે મારું કામ બજાર કયા સ્તરે પહોંચશે એનો અંદાજ લગાડવાને બદલે પોર્ટફોલિયો માટે પસંદ કરેલી કંપનીઓના ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને એટલે જ આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી ફંડના ફંડ મેનેજર તરીકે મારો એ જ અભિગમ રહે છે.
ડિસેમ્બર, 2019માં અમે આ ફંડ લોન્ચ કર્યું હતું અને અમે એ થીમ અને મૂડીરોકાણની થિસિસ પર વિશ્વાસ રાખ્યો હતો. PSU પેકમાં મોટા ભાગની સારી ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓ હતી, જેનું પુનઃ રેટિંગ થવાની સંભાવના હતી. આ કંપનીઓનું આકર્ષક મૂલ્યાંકન હતું, જે એમને આકર્ષક મૂડીરોકાણનો વિકલ્પ બનાવતી હતી. સમયની સાથે આર્થિક તેજીના માહોલમાં મૂડી ખર્ચ, સરકારની આત્મનિર્ભરતાની નીતિ અને નિકાસ પર સરકારનું ફોકસ અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાએ આ ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું હતું.
2024ની અત્યાર સુધીની બજારની તેજી PSU શેરોમાં એક નવો ટર્ન લાવી છે અને હવે PSU શેરોમાં નવી તેજી થવાનાં એંધાણ છે, જેથી અમે જે મૂડીરોકાણની થિસિસ પર કામ કરતા હતા એમાં અમારો વિશ્વાસ વધ્યો.
શું PSU કંપનીઓના ગ્રોથમાં વધારો થશે?
હા, કેમ કે એના કેટલાંક સ્પષ્ટ કારણો નજરે ચઢે છે.
મુખ્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ
PSU કંપનીઓનો ભારતીય અર્થતંત્રના મહત્ત્વનાં ક્ષેત્રોમાં એકહથ્થુ શાસન છે, જે મહત્ત્વનાં ઉદ્યોગોમાં એમની હાજરી છે એ કંપનીઓના વ્યૂહાત્મક મહત્ત્વને દર્શાવે છે.
કંપનીઓનીનાણાકીયસ્થિતિમાંસુધારો
PSU કંપનીઓની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઊંચા વ્યાજદરોએ અન્ય કંપનીઓની તુલનાએ PSU કંપનીઓને મદદ કરી છે.
આરંભમાં પીએસયુ સ્ટોકસનું RoE (રિટર્ન ઓન ઈકિવટીઝ) વર્ષ 2013-14ના 14-15 ટકાના સ્તરેથી ઘટીને 4-6 ટકા થઈ ગયું હતું, જે માટે મુખ્યત્વે PSU બેન્કોના શેરોમાં થયેલો નોંધપાત્ર ઘટાડો કારણભૂત હતો. જોકે નફાકારકતા વધતાં RoEs વધીને 12-13 ટકા થયું હતું. જે પછી રેટિંગમાં પણ સુધારો થયો હતો. વધારામાં PSU કંપનીઓની EPSમાં નોંધપાત્ર વધારો થયો હતો. જે પછીથી કમાણી ગ્રોથ અને વિસ્તરણ થવાને કારણે રેટિંગમાં પુનઃ સુધારાનો અવકાશ ઊભો થઈ શકે.
પ્રોત્સાહકવાતાવરણઅનેસરકારનુંપીઠબળ
આ ક્ષેત્રે સાનુકૂળ વાતાવરણ અને સરકારના પીઠબળને કારણે કંપનીઓના શેરોમાં તેજી થઈ હતી. આ સાથે મૂડી ખર્ચની ફાળવણીને કારણે વિકાસમાં તેજી થઈ હતી, જે 2000ની તેજીની યાદ અપાવે છે. જેથી PSU શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી.
બજારહિસ્સામાંરિકવરી
વર્ષ 2008થી 2020ના લાંબા તબક્કા સુધી સુસ્ત રહ્યા પછી PSU ક્ષેત્ર હવે મોટી તેજી માટે તૈયાર છે. ઐતિહાસિક રીતે PSUએ દેશમાં કોર્પોરેટ ક્ષેત્રની જેમ નફો અને માર્કેટ કેપ ગુમાવી દીધાં હતાં, પણ આ ક્ષેત્રની કંપનીઓમાં સરકારના મૂડી ખર્ચ અને કામગીરીમાં ટર્નએરાઉન્ડ થયું હતું. આ ઉપરાંત કંપનીના બજાર હિસ્સામાં નુકસાન અટક્યું હતું અને ક્ષેત્રની કામગીરી ફરીથી પાટે ચઢી હતી.
મૂલ્યાંકનની મુશ્કેલી
આમાં વિવિધ ક્ષેત્રો સામેલ હોવાને કારણે PSU માટે વ્યાપક વેલ્યુએશનનું આકલન કરવું એ ઉચિત નથી, પણ એ ધ્યાન આપવા જેવી બાબત છે કે PSU સૂચકાંક હાલમાં ઊંચા વેલ્યુએશન્સ મેટ્રિક્સને દર્શાવે છે. ફોર્વર્ડ પ્રાઇસ-ટુ-અર્નિંગ સેશિયો (PE) 11.2x અને પ્રાઇસ-ટુ બુક કેશિયા (PB) 11.8 રx છે. જે ઐતિહાસિક સરેરાશ (+1SD)થી વધુ છે. જોકે આપણે ઇન્ડેક્સ લેવલને વેલ્યુએશનના ગુણાંકમાં ન જોવો જોઈએ અને એ પ્રાઇવેટ સેક્ટર, બ્રોડર માર્કેટની તુલનામાં સસ્તા છે.
જોકે કેટલાંક સેક્ટર્સમાં વેલ્યુએશન વધેલું દેખાય છે અને કોર્પોરેટ નફો અને PSU માર્કેટ કેપ કુલ માર્કેટ કેપની સરખામણીએ બે દાયકાના નીચલા સ્તર પર છે, જેમ કે ઉપરના ગ્રાફમાં દેખાય છે.
જોકે ઊંચા વેલ્યુએશન્સ છતાં રોકાણકારોને ટૂંકા ગાળામાં ભાવોના ઉતાર-ચઢાવથી પર થઈને સંજોગોને જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, કેમ કે થીમનો સ્ટ્રકચરલ અભિગમ લાંબા ગાળાની સ્થિરતા જોવામાં છે. વળી, બજારમાં વિવિધ કારણોને લીધે વધઘટ ભલે થાય, પણ બજારની મજબૂતી હેમખેમ રહેવાની આશા છે.
હવે આગળ શું?
મારું માનવું છે કે કેટલાક PSU શેરોમાં વેલ્યુએશન્સના રેટિંગને વધારવામાં આવ્યાં છે અથવા વિવિધ પરિમાણો વધારવામાં આવ્યાં છે. હજી પણ કેટલાક PSU કંપનીઓનાં વેલ્યુએશન્સ છેલ્લાં પાંચ વર્ષ કે 10 વર્ષની વાજબી સરેરાશે છે અથવા તેનાથી થોડાં ઉપર છે, જે અમારા માટે મહત્ત્વના છે, કેમ કે એ કંપનીઓ ઊંચી આવક, ઊંચા માર્જિન અને ઊંચી કમાણીની શક્યતાવાળી છે. એટલે સારી કમાણીનો ગ્રોથ અને વેલ્યુએશનને ધ્યાનમાં રાખો અને એ પછી નક્કી કરો કે PSU પેકમાં કઈ કંપનીઓ ધ્યાનમાં રાખવી. આમ આગળ શેરોની પસંદગી મહત્ત્વની છે અને એટલે PSU માંથી ભવિષ્યના લાભ લેવા માટે શેરોની પસંદગી મહત્ત્વની રહેશે.
અપેક્ષા છે કે PSU ફંડ મધ્યમથી લાંબા ગાળા માટે સારો દેખાવ કરવાનું જારી રાખશે (6-12 મહિનાની તેજી પછી એક પડકાર છે). આ ક્ષેત્ર સાયકલિકલી આગળ વધી ગયું છે, જેથી કેટલાંક ક્ષેત્રોની આવક (રેલવે, ડિફેન્સ, બેન્ક,પાવર) ગ્રોથ માટે તૈયાર છે. કેટલાંક ક્ષેત્રો-ઉદ્યોગોમાં વેલ્યુએશન્સ ઊંચાં દેખાય છે (જ્યારે બેન્ક, ઓઇલ-ગેસ ક્ષેત્રના વેલ્યુએશન્સ અગાઉ કરતાં હજી પણ સસ્તાં છે). અન્ય મહત્ત્વની બાબત એ છે કે PSUના પ્રાઇવેટાઇઝેશન થકી સુધારાઓ થશે, જે રોકાણકારો માટો સોનામાં સુગંધ ભળ્યા જેવું છે, કેમ કે એનાથી એના મૂલ્યનું અનલોકિંગ થવાની શક્યતા છે. હવે સામાન્ય ચૂંટણીઓમાં સ્થિર સરકારની સંભાવનાઓ વધતાં સરકાર પાસે સુધારાઓને લઈને બજારની અપેક્ષાઓમાં વધારો થશે.
આમ કેટલાંક કારણોને લીધે PSU ફંડોમાં રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ અને આવકવધારાને અનુરૂપ ઊંચા રિટર્નની અપેક્ષા રાખવી જોઈએ.
(નોંધ- આ લેખમાં રજૂ કરેલા વિચારો માત્ર માહિતીના ઉદ્દેશથી છે અને એ બિઝનેસની ભલામણ કે શેરો ખરીદવાની, વેચવાની કે મૂડીરોકાણ કરવાની વ્યૂહરચના માટે નથી.)
સ્પષ્ટતાઃ આદિત્યબિરલા સન લાઇફ AMC લિ. કોઈ પણ સાંકેતિક, રિટર્નની ગેરંટી કે ઓફર નથી કરતી. લેખમાં દર્શાવેલા સેક્ટર્સ કે શેરોના રિસર્ચ રિપોર્ટ/ ભલામણ નથી અને ફંડની આ સેક્ટરર્સ, શેર્સમાં ફ્યુચર પોઝિશન હોઈ શકે કે ના પણ હોય. અહીં દર્શાવેલા વિચારોને મૂડીરોકાણની સલાહના રૂપમાં નહીં સમજવા જોઈએ અને યોજનાના દસ્તાવેજોને વાંચવા જોઈએ.
રાજકોટઃ શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં રાજપૂતો અને ક્ષત્રિય સમાજે પરસોlમ રૂપાલાના નિવેદન સામે બાંયો ચડાવી છે. તેમના નિવેદનને કારણે વિવાદ વકરી રહ્યો રહ્યો છે. હવે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે.
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પર પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપને ચીમકી પણ આપી છે કે જો રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો અમે પરસોતમ રૂપાલા સામે મતદાન કરીશું અને અમે પરિણામ બદલવાની પણ હિંમત રાખીએ છીએ. જેથી રાજકોટમાં રૂપાલાના ઘરે સુરક્ષા આપવામાં આવી છે. ઘર પાસે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
કોંગ્રેસના નેતા અને રાજવી પરિવારના અગ્રણી આદિત્યસિંહ ગોહેલે જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થયો હતો. એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું. મેં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. મારું નિવેદન લેવામાં આવ્યું છે. 15 તારીખે સાક્ષીઓ સાથે ઉપસ્થિતિ રહેવાનું કહેવામાં આવ્યું છે. આખો સમાજ એક જૂથ થઈને આ મુદ્દે લડવા માગે છે. પરષોત્તમ રૂપાલાએ અમારા સમાજનું અપમાન કર્યું છે. યુવાનો પણ આ અંગે રોષે ભરાયેલા છે.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા રૂપાલા સામે IPC કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસ કરવા 15 એપ્રિલની મુદ્દત પણ રાખી છે. આ વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડીમંડળની કવાયત શરૂ થઈ ગઈ છે અને ગોંડલના ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ જાડેજાને મધ્યસ્થી કરાવી ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવી મુદ્દાની પતાવટ કરવા પ્રયત્નો ચાલુ છે, પરંતુ આગેવાનો માનવાના મૂડમાં જરાય નથી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતિઓ માટે રૂ. 1823.08 કરોડની ચુકવણીની નવી નોટિસ જારી કરી છે. પાર્ટીના મહા સચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલાં કર આતંકવાદી (ટેક્સ ટેરરિઝમ) દ્વારા વિપક્ષ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજા નોટિસ એસેસમેન્ટ યર 2017-18થી 2020-21 માટે છે, એમાં દંડ અને વ્યાજ –બંને સામેલ છે.
પાર્ટીના ખજાનચી અજય માકને આરોપ લગાવ્યો હતો કો જે માપદંડોને આધારે કોંગ્રેસ પર દંડની નોટિસ આપવામાં આવી છે. એને આધારે ભાજપથી રૂ.4600 કરોડથી વધુની ચુકવણીની માગ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે અમને આવકવેરા વિભાગથી રૂ. 1823.08 કરોડની ચુકવણી કરવા માટે નવી નોટિસ મળી છે. આવકવેરા વિભાગે અમારા બેન્ક ખાતાથી જબરજસ્તી રૂ. 135 કરોડ કાઢી લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસને આર્થિક રીતે અપંગ બનાવવામાં આવી રહી છે. ચૂંટણીથી પહેલાં સમાન તકની સ્થિતિને ખતમ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.
जब लोकसभा चुनाव की तारीखें घोषित हो चुकी हैं, तो ऐसे समय में IT विभाग द्वारा कांग्रेस पर गलत तरीके से पेनल्टी लगाई जा रही है, पैसों की मांग की जा रही है।
ये बातें साफ इशारा करती हैं कि IT विभाग को BJP की कमियां नजर नहीं आ रही हैं।
આવકવેરા અધિકારીઓ દ્વારા રૂ. 210 કરોડનો દંડ ફટકારવા અને બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ નાણાંની તંગીનો સામનો કરી રહી છે.
પાર્ટીને આ મામલે હાઇ કોર્ટમાંથી પણ કોઈ રાહત નથી મળી અને પાર્ટી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. પાર્ટીએ ભાજપ પર 19 એપ્રિલથી શરૂ થતી લોકસભાની ચૂંટણી પહેલાં એને આર્થિક રીતે અપંગ બનાવવા અને પાર્ટી વિરુદ્ધ કર અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ તેમણે લગાડ્યો હતો.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે ઇસ્ટરની ઉજવણી માટે લોકોને લઈને જઈ રહેલી બસ એક પહાડી પૂલથી નીચે ખાબકી હતી. આ પૂલથી પડ્યા પછી બસમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 45 લોકોનાં મોત થયાં છે. આ બસ પડોશી દેશ બોત્સવાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં માત્ર વર્ષની એક કિશોરી જીવિત બચી છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે આ કિશોરીને ગંભીર ઇજા થઈ છે.
પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસ એક બ્રિજ પર લગાવેલા બેરિયર્સ સાથે ધડાકાભેર ભટકાઈ અને પછી પલટી ગઈ હતી. જેના પછી તેમાં આગ લાગી ગઈ હતી.
Bus accident in South Africa kills 45 people , the only survivor of the crush is 8 year old child. The bus was transporting people from Botswana to south Africa. So sad to lose this people during this precious Easter 😭😭😭😭😭 pic.twitter.com/7Sr4IfVgUb
લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ મમતકાલા બ્રિજની નીચે 164 ફૂટ ખાડીમાં પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. પ્રાંતીય સરકારે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ હજુ પણ બસમાં ફસાયેલા છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે બસ પડોશી બોત્સ્વાનાથી મોરિયા શહેરમાં મુસાફરી કરી રહી હતી, જે એક લોકપ્રિય ઇસ્ટર તીર્થ સ્થળ છે. તેમના મતે એવું લાગે છે કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તેનું પણ મૃત્યુ થયું હતું.
લખનૌઃ માફિયાથી નેતા બનેલા ગેન્ગસ્ટર મુખ્યતાર અન્સારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. તે આશરે 19 વર્ષથી જેલમાં બંધ હતો. મુખ્તારની સામે 65 કેસ નોંધાયેલા છે. એમાં હત્યાના પ્રયાસ, અપહરણ, છેતરપિંડી ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેન્ગસ્ટર એક્ટ, CLA એક્ટથી માંડીને NSA સુધી સામેલ છે. એમાં એને આઠ કેસમાં સજા થઈ ચૂકી હતી. 21 કેસ વિચારાધીન છે. માત્ર મુખ્તાર જ નહીં, તેના પરિવારના સભ્યો પર પણ કાનૂનનો ગાળિયો કસાયો છે. મુખ્તારની પત્ની અફશાં લાંબા સમયથી ફરાર છે. એના પર રૂ. 50,000નું ઇનામ છે. લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. મુખ્તાર અન્સારી સહિત તેના પરિવાર પર 101 કેસ નોંધાયેલા છે.
મુખ્તાર અન્સારીના મોત પછી ઉત્તર પ્રદેશ હાઇ એલર્ટ પર છે. પોસ્ટમોર્ટમ પછી પરિવાજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવશે. આ પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.
અન્સારીના પુત્ર ઉમરે બાંદામાં પત્રકારોને કહ્યું હતું કે અમે લોકો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગાઝીપુરલ લઈ જઈશું. ધીમા ઝેર અપાયાની વાત અમે પહેલાં પણ કરી હતી અને આજે પણ કહીશું. 19 માર્ચે ડિનરમાં તેને ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયપાલિકાની શરણમાં જઈશું.
રાજ્યમાં 144 લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને પણ બોલાવવામાં આવ્યું છે. બાંદા, મઉ, ગાઝીપુર અને વારાણસીમાં CRPFની ટુકડીઓ પહેલેથી તહેનાત કરવામાં આવી છે. UP પોલીસ સોશિયલ મિડિયા સેલ પણ ગેરકાયદે તત્ત્વો પર નજર રાખવા માટે હાઇ અલર્ટ પર છે. BSP સુપ્રીમો માયાવતીએ અન્સારીના મોતના મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી.
ધર્મ એટલે શું એના વિષેની ચર્ચાની સાર લખવા આખી પૃથ્વીને ફરતો કાગળ ફેરવીએ અને એના પર લખીએ તો પણ ઓછો પડે. કારણ કે ધર્મ વ્યક્તિગત રીતે અલગ અલગ રીતે સમજાય છે. પંથ, જાતી કે માન્યતાઓને મૂળભૂત ધર્મની વ્યાખ્યા સાથે જોડી શકાય કે નહિ તે પણ ચર્ચાનો વિષય છે. વળી જેને ધર્મની સાચી સમજણ નથી તે પણ ધર્મ વિશેની ચર્ચા તો કરે જ છે. તેથી જ કદાચ ધર્મને વ્યખ્યાન્વિત કરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે. ભારતમાં “પરસ્પર દેવો ભવ” ની વાત કરવામાં આવી છે. ઈશ્વર સર્વત્ર છે એવી વાત જ કેટલી અદ્ભુત છે? જ્યારથી ઈશ્વર માત્ર દેવસ્થાનમાં જ છે એવી માન્યતા ઉભી થઇ ત્યારથી માણસને કેટલીક બાબતમાં સંકોચ ન થાય એવું બને. પણ કોઈ ગેરમાન્યતા સનાતન સત્યને બદલી શકે ખરી? “ જે વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે, એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ.” આને ધર્મની સમજણ કહી શકાય? તેથી જ આપણા શાસ્ત્રો માનવ જાતિના ઉત્થાન માટેની શ્રેષ્ઠ વાતોથી ભરેલા છે. આવુજ એક અદ્ભુત શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આપના લેખ વાંચતા વાંચતા લગભગ પચીસ વરસ તો થઇ જ ગયા. સમય કેટલો ઝડપથી પસાર થાય છે? અઢાર વરસ પહેલા આપનો વાસ્તુશાસ્ત્રનો પહેલો ટીવી એપિસોડ જોયો હતો. મારો પાંચ વરસનો દીકરો આપને અચૂક જોતો. અને પછી આપની નકલ કરતો. એ પણ હવે પરણવા લાયક થઇ ગયો છે. મારા સાસુ તો સાસુ વહુની સીરીયલ્સ છોડીને તમારો શો જોવા બેસી જતા હતા. અને પછી મારા સસરાને સલાહ આપતા હતા. આપની સમજાવવાની સરળ રીત અને સાચી સમજણ આપવાની વાત અમને બધાને પ્રિય છે. અમને આપના જ્ઞાનથી ઘણા લાભ પણ થયા છે. આમ તો આપના લેખમાંથી ઘણું જાણ્યું છે.
એક અગત્યનો સવાલ છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે જે દિશામાં ઉભા રહીને પૂજા કરીએ છીએ. ઘરમાં એનાથી ઊંધી દિશામાં આપણે પૂજા કેમ કરીએ છીએ?
જવાબ: બહેન શ્રી. નમસ્તે. આપના પરિવારને ભારતીય વાસ્તુમાં રસ છે તે જાણીને ખરેખર આનંદ થયો. દેવસ્થાન અને મંદિર બંને શબ્દોને યોગ્ય રીતે સમજવા જરૂરી છે. મોટા ભાગના લોકો એ બંનેના નિયમોને એક બીજામાં ભેળવી દે છે. જેના લીધે વિમાસણ ઉભી થાય છે. મંદિરની રચના કરતી વખતે એનું દ્વાર પૂર્વમાં રાખવામાં આવે છે. જયારે ઘરના દેવ સ્થાનમાં આપણે પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરીએ છીએ. ઘરમાં જે પૂજા થાય છે તે જગ્યાની રચના પણ મંદિરની રચનાથી અલગ હોય છે. આ વિષે આપને સવાલ ઉદ્ભવ્યો એ ખુબ જ સારી વાત છે. કારણ કે આ વિશેની સાચી સમજણ ઘણા બધા લોકોને મદદરૂપ થશે. ઘરના દેવસ્થાનમાં ઉપર વજન મુકવાનો નિષેધ છે. કેટલાક લોકો તેને મંદિર જેવું જોવા માટે એની ઉપર છુટા ઘુમ્મટ મુકે છે. જે યોગ્ય નથી. દેવસ્થાનમાં નવ ઈંચથી મોટી મૂર્તિ પણ ન રખાય. આપના પરિવારને મારી શુભેચ્છાઓ.
સવાલ: સાવ સાચી વાત કરું ને તો મને આજે જ મારી પાડોસણે તમારો લેખ વંચાવ્યો. મારે ઘરેથી બહાર જવાનું ભાગ્યેજ થાય. વળી અમારામાં વહુથી કોઈની સાથે બહુ વાત પણ ન થાય. મને તમારું લખાણ ગમ્યું. હું તો રીલ્સ જોઇને ઘરમાં ફેરફાર કરતી હતી. પણ બે ચાર એવા અનુભવ થયા કે પછી એ બધું છોડી જ દીધું. મને તો વાસ્તુશાસ્ત્ર માંથી પણ ભરોસો ઉઠી ગયો હતો. પણ મારી પાડોસણે તમારા ખુબ વખાણ કર્યા એટલે થયું કે લાવ પૂછી જોઉં.
મારા પતિને આત્મવિશ્વાસ જ નથી. સાવ માવડિયા છે. આખો દિવસ ઢસરડો કરીને એમની રાહ જોતી હોઉં તો બહાના કાઢીને સુઈ જાય. મારી સાસુ વાંઝણી કહીને મેણા મારે. મને તો સમજાતું જ નથી કે શું કરું. જાણે મફતની કામવાળી હોઉં એવું લાગે છે. પિયરમાં પણ હવે કોઈ રહ્યું નથી. કોઈ ઉપાય આપોને. લખવામાં કોઈ ભૂલ થઇ હોય તો નાની બેન સમજીને ચલાવી લેજો.
જવાબ: બહેન શ્રી. આપણા સમાજમાં કેટલીક જગ્યાએ નારીને જે રીતે સમજવામાં આવે છે તે સાચેજ દયનીય છે. આપના સાસુને સાચી વાત કહી દો. એ વિરોધ કરી શકે છે. એટલે કહ્યા પછી ચર્ચા ન કરશો. આપના ઘરમાં ઉત્તર, બ્રહ્મ, અને દક્ષિણનો દોષ છે. જેના કારણે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો રહે અને નારીને અસંતોષ રહે. આ ઉપરાંત પશ્ચિમનો અક્ષ પણ નકારાત્મક છે. જેના કારણે નવી પેઢી ન આવે એવું બને.
આપના ઘરમાં શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવો. ઘરમાં મહામૃત્યુંન્જાયના જાપ કરો. દર બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવો. તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.