Home Blog Page 1974

કોરાનાના 99 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 99 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,644 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,540 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,386 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 896 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,73,475 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1774 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

         

 બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

 

વગર કામનું બોલ્યા કરવું અથવા ખૂબ જ વાચાળ કે બોલકણા હોવું એ પણ એક પ્રકારની ખોડ છે. વાણી અને વર્તન સંયમવાળાં હોવાં જોઈએ. ખપ પૂરતું જ બોલાય અને પ્રસંગને અનુરૂપ જ બોલાય.

અત્યંત વાચાળતા અથવા બોલકણું હોવું તે અગાઉ વર્ણવી ગયા તે કહેવત ‘વણ બોલાવે બોલે તે તણખલાને તોલે’ અનુસાર માણસનું માન ઘટાડે છે. આ પ્રકારના મર્યાદાવિહીન બોલ્યા કરતા અતિવાચાળ વ્યક્તિ માટે ‘બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અવિનાશ વાધવાને 3 મોટી ફિલ્મો ગુમાવી હતી

ગુલશનકુમારની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’ (૧૯૯૧) થી ચમકેલા અવિનાશ વાધવાને કોઈને કોઈ કારણથી 3 જેટલી મોટી ફિલ્મો ગુમાવી હતી. અને એ કારણે શાહરૂખ ખાન, અજય દેવગન અને સૈફ અલી ખાનને લાભ થઈ ગયો હતો. અજય દેવગને જે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧) થી કારકિર્દીની સફળ શરૂઆત કરી હતી એ માટે અવિનાશ પહેલી પસંદ હતો. અવિનાશ જ્યાં ફિલ્મ ‘ઝૂનૂન’ નું શુટિંગ કરતો હતો ત્યાં નિર્દેશક કુકુ કોહલીના સહાયક રોહિત મળવા ગયા હતા અને ફિલ્મના ગીતોની કેસેટ સંભળાવી કામ કરવા વાત કરી હતી.

અવિનાશને ‘ફૂલ ઔર કાંટે’ ના ગીતો પસંદ આવ્યા હતા પણ બીજી કેટલીક બાબતો યોગ્ય લાગી ન હતી. અસલમાં આ ફિલ્મના શુટિંગનું તમામ આયોજન થઈ ચૂક્યું હતું. માત્ર દોઢ- બે મહિનામાં શુટિંગ કરવાનું હતું અને કોલેજની વાર્તા હોવાથી અસલ જગ્યાએ શુટિંગ કરવા રજાઓનો ગાળો પસંદ થયો હતો. તેથી એક જ શિડ્યુલમાં ફિલ્મ પૂરી કરવા સળંગ તારીખો આપવાની હતી. અવિનાશ ત્યારે ઘણી ફિલ્મો કરી રહ્યો હતો અને એમને જોઈતી સળંગ તારીખો ન હતી. ફિલ્મ ન કરવાનું બીજું એક કારણ એ હતું કે અવિનાશ એ પ્રોજેકટ માટે ઉત્સાહ ધરાવતો ન હતો. કેમકે એ ત્યારે ગુલશનકુમાર, મહેશ ભટ્ટ, કે.સી. બોકાડીયા વગેરેની ફિલ્મો કરી રહ્યો હતો અને ત્યારે નવા નિર્માતા, નવી હીરોઈન અને બહુ જાણીતા ના રહેલા નિર્દેશક ‘ફૂલ ઔર કાંટે’ સાથે જોડાયેલા હોવાથી એને કરવામાં જોખમ લાગ્યું હતું. અવિનાશે એવું વિચાર્યું હતું કે પોતાની તારીખો એમને આપવાથી નુકસાન થશે.

નવાઈની વાત એ હતી કે અવિનાશની જેમ બીજા જાણીતા હીરોએ પણ આવા જ કારણથી એ ફિલ્મ કરી ન હતી. અવિનાશે શાહરૂખ ખાનવાળી ‘દીવાના’ (૧૯૯૨) પણ ગુમાવી હતી. ‘આઈ મિલન કી બેલા’ ના નિર્દેશક કે. પપ્પુના ભાઈ રાજ કંવર સાથે અવિનાશને બહુ જૂની મિત્રતા હતી. એટલે જ્યારે રાજને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ ‘દીવાના’ મળી ત્યારે એને કામ કરવા આગ્રહ કર્યો અને વાર્તા સંભળાવી કહ્યું કે એમાં બે હીરો છે. એક રિશી કપૂર છે અને બીજો તું આવી જાય. હીરોઈન તરીકે નવી છોકરી દિવ્યા ભારતી છે. બધી વાત જાણ્યા પછી અવિનાશે ચિંતાથી કહ્યું કે બીજા હીરોનો પ્રવેશ છેક ઇન્ટરવલ વખતે થાય છે અને આખી ફિલ્મ રિશી – દિવ્યા પર છે. એમાં રિશી મારાથી મોટી ઉંમરના દેખાશે. રાજે સમજાવ્યું કે ફિલ્મનો ટાઇટલ રોલ જ તારો છે.

અવિનાશને આ ફિલ્મ માટે પણ તારીખોની સમસ્યા હતી જ. અવિનાશે ના પાડ્યા પછી દિવ્યા ભારતીના સૂચનથી ફિલ્મમાં શાહરૂખ ખાનને લેવામાં આવ્યો હતો. અવિનાશે ત્રીજી ફિલ્મ ગુમાવી હતી. અવિનાશ એક જગ્યાએ પોતાના મિત્રો સાથે જન્મદિન ઉજવી રહ્યો હતો ત્યાં યશ ચોપડા એમના પરિવાર સાથે આવ્યા હતા. એમણે અચાનક સામે ચાલીને ત્યાં જ પોતાની નવી ફિલ્મ માટે વાત કરી હતી અને કહ્યું હતું કે મારી પાસે બે હીરોની એક ફિલ્મ છે એ માટે તું સોમવારે આવી જજે. પરંતુ એ દિવસોમાં પરિવાર સાથે તણાવ હોવાથી અવિનાશ ઉદાસ હતો અને દિલ હળવું કરવા રાત્રે કારમાં પોતાની બહેનને ત્યાં પૂના પહોંચી ગયો હતો. બહેનના આગ્રહથી એ બે-ત્રણ દિવસ વધારે રોકાઈ ગયો અને યશજીની ફિલ્મની વાત મગજમાંથી નીકળી ગઈ હતી. મંગળવારે એને યાદ આવ્યું અને જ્યારે યશજી પાસે પહોંચ્યો ત્યારે એ મોડો પડ્યો હતો. ફિલ્મ ‘યે દિલ્લગી’ (1994) માટે સૈફ અલી ખાન પસંદ થઈ ચૂક્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૬ માર્ચ, ૨૦૨૪

૨૬ માર્ચ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 26/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 26/03/2024

IPL 2024 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરાયું

BCCI એ IPL 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 22 માર્ચથી શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની ટાઈટલ મેચ 26 મેના રોજ રમાશે. ફાઈનલ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર યોજાશે. પ્લેઓફ મેચો 21 મેથી રમાશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોર્ડે અગાઉ માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કર્યું હતું.

ફાઈનલ મેચ ક્યારે રમાશે

IPL 2024નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ચેન્નાઈનું એમ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની ફાઈનલ મેચનું આયોજન કરશે. ટાઇટલ મેચ 26 મેના રોજ રમાશે. તે જ સમયે, પ્લેઓફ મેચો 21 મેથી રમાશે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 19 મેના રોજ રમાવાની છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુવાહાટીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

પ્લેઓફ મેચો ક્યારે રમાશે?

IPL 2024ની પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે, જેનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ દ્વારા કરવામાં આવશે. આ પછી, એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે અને આ મેચ પણ અમદાવાદમાં રમાવાની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનો બીજો ક્વોલિફાયર 24 મેના રોજ રમાશે, જે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ દ્વારા આયોજિત કરવામાં આવશે.

17 મેચોનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ન થવાને કારણે, BCCIએ IPL 2024ની માત્ર 17 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. જો કે, 19 એપ્રિલથી ચૂંટણી શરૂ થઈ રહી હોવા છતાં, આ વખતે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં રમાશે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે.

આ ધૂળેટીએ લોકોએ રંગોત્સવની ભરપૂર મજા માણી

હોલિકા દહન પછી રંગોત્સવના ઉમંગ અને ઉત્સાહે વેગ પકડ્યો. એક સાથે શનિવાર, રવિવાર અને સોમવારના રજાના માહોલથી મોટી સંખ્યામાં લોકો રંગોત્સવમાં જોડાયા હતા. શેરીઓ, સોસાયટીઓ, ક્લબો, ધાર્મિક સ્થળો અને હરવા ફરવાના સ્થળો પર લોકોએ ધૂળેટીનું પર્વ મજાથી ઉજવ્યું.  તો સાથે સાથે ઠેરઠેર ઢોલ નગારાં, ડી.જે ના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા. હર્બલ ગુલાલ, ટ્યુબ કલર, હીરાકણી, સાબુનું ફીણ, વિવિધ રંગો, પાણીનો હોળૈયાઓએ ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો. આ વર્ષે વહેલી સવારથી જ હોળી ધુળેટી રંગોના શોખીન લોકોએ ભરપૂર મોજમસ્તી કરી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

નેતાઓને લોકસભા ચૂંટણીમાં કેટલો ખર્ચ કરવાની છૂટ

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતની સાથે ચૂંટણી પંચે એ પણ નક્કી કર્યું છે કે કોઈપણ ઉમેદવાર ચૂંટણી પ્રચાર પર કેટલો ખર્ચ કરી શકે છે. આ ખર્ચ મર્યાદા રૂ. 10 કે રૂ. 20 લાખની નથી, પરંતુ ઘણી વધારે છે અને પ્રથમ સંસદીય ચૂંટણી કરતાં 389 ગણી વધારે છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે સંસદની ચૂંટણી લડનાર નાના રાજ્યમાંથી કોઈ ઉમેદવાર 75 લાખ રૂપિયાથી વધુ અને મોટા રાજ્યનો ઉમેદવાર 95 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકશે નહીં. તે જ સમયે, જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેના ઉમેદવારો 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જેમાં ચા-પાણીના ખર્ચથી માંડીને સભા, સરઘસ, રેલી, જાહેરાતો, પોસ્ટરો-બેનરો અને વાહનોના ખર્ચનો સમાવેશ થાય છે.

હકીકતમાં, ચૂંટણી દરમિયાન નિષ્પક્ષતા જાળવવા માટે, ચૂંટણી પંચ દરેક ઉમેદવાર માટે ચૂંટણી દરમિયાન ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરે છે. આ ચૂંટણીમાં મની પાવરના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખર્ચની ગણતરી નોંધણી સાથે શરૂ થાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર દરેક ઉમેદવારે નામાંકન ભર્યાના સમયથી જ એક ડાયરીમાં પોતાના રોજીંદા ખર્ચનો હિસાબ રાખવાનો હોય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની સંપૂર્ણ વિગતો પંચને આપવાની હોય છે.

આટલી રકમ પ્રથમ ચૂંટણી દરમિયાન ખર્ચવાની છૂટ હતી

બ્રિટિશ ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ વર્ષ 1951માં દેશમાં પહેલીવાર સંસદીય ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારબાદ ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા 25 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ પછી, આગામી ચાર સંસદીય ચૂંટણીઓ માટે એટલે કે વર્ષ 1967માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સુધી ખર્ચની મહત્તમ મર્યાદા માત્ર 25 હજાર રૂપિયા રહી. વર્ષ 1971માં લોકસભા ચૂંટણી માટે ખર્ચ મર્યાદા વધારીને 35 હજાર રૂપિયા કરવામાં આવી હતી. આ મર્યાદા 1977 સુધી અકબંધ રહી. આ પછી સમયાંતરે જરૂરિયાત મુજબ ખર્ચ મર્યાદા વધારવામાં આવી.

સમિતિના અહેવાલના આધારે ખર્ચની મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો

આ વધારાને કારણે 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચની મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા સુધી પહોંચી હતી, જે 2009ની ચૂંટણીમાં પણ અકબંધ રહી હતી. 23 ફેબ્રુઆરી 2011ના રોજ, ચૂંટણી પંચે વિવિધ રાજ્યો માટે લોકસભા ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 22 લાખથી રૂ. 40 લાખ નક્કી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

2014ની લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યો માટે ખર્ચની મર્યાદા 54 લાખ રૂપિયાથી 70 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં પણ આ મર્યાદા અકબંધ રહી હતી. આ પછી ચૂંટણીપંચે ચૂંટણી ખર્ચની મર્યાદાની સમીક્ષા માટે 2020માં એક સમિતિની રચના કરી હતી. તેના રિપોર્ટના આધારે આ વખતે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા ગત ચૂંટણીમાં 70 લાખ રૂપિયાથી વધારીને 95 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ રીતે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે

મોંઘવારી સૂચકાંકનો ઉપયોગ ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવા માટે થાય છે. આના પરથી જોઈ શકાય છે કે વર્ષોથી સેવાઓ અને ચીજવસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો છે. આ પછી ચૂંટણી પંચ રાજ્યોની કુલ વસ્તી અને મતદારોની સંખ્યાના આધારે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરે છે. તેથી જ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નાના રાજ્યોના ઉમેદવારો માટે ઓછી અને મોટા રાજ્યોના ઉમેદવારો માટે વધુ છે. એક અંદાજ મુજબ, સામાન્ય ચૂંટણી દરમિયાન ખર્ચની મહત્તમ મર્યાદા છેલ્લા 20 વર્ષમાં ચાર ગણી વધી છે.

ઉમેદવારો મનસ્વી દરો બતાવી શકતા નથી

ચૂંટણી લડતા કોઈપણ ઉમેદવાર મનસ્વી રીતે કોઈપણ સેવા અથવા વસ્તુની કિંમત સૂચવી શકતા નથી. આ માટે પણ ચૂંટણી પંચ લઘુત્તમ દર નક્કી કરે છે. આ વખતે પણ કમિશને દર નક્કી કર્યા છે. જો ઉમેદવાર ગ્રામીણ વિસ્તારમાં ઓફિસ ભાડે આપે છે, તો તેનું માસિક ભાડું રૂ. 5,000 અને શહેરી વિસ્તારમાં રૂ. 10,000 ઉમેરવામાં આવશે.

એવું કહેવામાં આવ્યું છે કે ચાના કપની કિંમતમાં ઓછામાં ઓછા 8 રૂપિયા અને સમોસાની કિંમતમાં ઓછામાં ઓછા 10 રૂપિયા ઉમેરવામાં આવશે. બરફી, બિસ્કીટ, બ્રેડ પકોડા અને જલેબીના ભાવ નક્કી છે. તેવી જ રીતે, જો ઉમેદવાર પ્રચાર માટે પ્રખ્યાત ગાયક વગેરેને બોલાવે છે, તો તેની ફી 2 લાખ રૂપિયા ગણવામાં આવશે. જો કે, વધુ ચૂકવણીના કિસ્સામાં, વાસ્તવિક બિલ પણ લાદવામાં આવી શકે છે.