Home Blog Page 1979

અમદાવાદ, વડોદરા, સુરત બાદ રાજકોટના દર્શકોને મંત્રમુગ્ધ કરતી ‘અભિવ્યક્તિ’

રાજકોટ: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 22 અને 23 માર્ચ, 2024 ના રોજ રાજકોટ શહેરમાં પોતાનું પ્રથમ પ્રદર્શન યોજાયું. રાજકોટમાં “અભિવ્યક્તિ”ના બેનર હેઠળ આ બે દિવસીય કલાઉત્સવનું આયોજન “કોર્ટયાર્ડ”, એસ.એન. કણસાગરા સ્કૂલ, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ક્વાર્ટર, પંચાયત નગરની સામે યોજાયું. જેમાં સંગીત, નૃત્ય અને નાટક સ્વરૂપે દર્શકોમાં આગવી છાપ ધરાવતા પ્રખ્યાત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા. “અભિવ્યક્તિ”નો પ્રારંભ વર્ષ 2018માં અમદાવાદથી થયો હતો. અત્યાર સુધી UNM ફાઉન્ડેશનની પહેલ દ્વારા પુરા પાડવામાં આવેલ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી છે અને અત્યાર સુધી દર વર્ષે “અભિવ્યક્તિ”ના મંચે નામના અને દર્શકોની પ્રશંસા મેળવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે અભિવ્યક્તિની તમામ આવૃત્તિમાં કુલ 2.6 લાખથી વધુ દર્શકો અભિવ્યક્તિના પ્રદર્શનોનો આનંદ માણી ચુક્યા છે.પ્રથમ દિવસે એટલે કે 22મી માર્ચના રોજ પ્રદર્શનમાં ધારા રુઘાણી અને ઉન્નતિ અજમેરા દ્વારા “ધેર કમ્સ પાપા” શીર્ષક હેઠળ નૃત્ય પ્રદર્શન અને રુપિન શાહ દ્વારા “રંગ રંગ સુંદરી” નામનું નાટક રજબ કરવામાં આવ્યા.

બીજા દિવસે એટલે કે 23મી માર્ચના રોજ જીગ્નેશ સુરાણી દ્વારા નૃત્ય પ્રદર્શન “ગરવો ગિરનાર” અને રવિ-રાજન દ્વારા સંગીતમય પ્રસ્તુતિ “કબીર તત્વ” રજુ કરવામાં આવશે. તમામ પ્રસ્તુતિઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે. સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી, ડાન્સ ક્યુરેટર્સ જૈમિલ જોશી અને કથંકી રાવલ શેઠ અને સોનલ ભાર્ગવ સહિતના અગ્રણી આર્ટ ક્યુરેટર્સ દ્વારા આ પ્રસ્તુતિઓ ક્યુરેટ કરવામાં આવી છે. અભિવ્યક્તિની રાજકોટ આવૃત્તિના પ્રદર્શનને કલા મંડળના જાણીતા નામો દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા મેન્ટરીંગ (માર્ગદર્શન) આપવામાં આવ્યું છે.અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે.

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવીઃ કોઈ બેન્ક અકાઉન્ટ ફ્રીઝ નથી થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનું એક પણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ નથી થયું. દેશભરમાં કોંગ્રેસના 100થી વધુ એકાઉન્ટ છે, જેમાં અલગ-અલગ જગ્યાએ કરોડો રૂપિયા જમા છે. એમાંથી દિલ્હીની પાંચ બેન્કોના 11 એકાઉન્ટ્સમાં ઇન્કમ ટેક્સે બાકી લેણાંની રિકવરી કરી છે, પણ આ 11 એકાઉન્ટ્સ પણ ફ્રીઝ નથી કરવામાં આવ્યા.

કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે વડા પ્રધાન મોદી પર તીખો હુમલો કર્યો હતો અને લોકતંત્ર ખતમ થવાની કાગારોળ કરી હતી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશમાં વિરોધી દળોને પરેશાન કરવામાં આવે છે. ચૂંટણી લડવાથી અટકાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈ કંઈ બોલતું નથી. દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. લોકતંત્રને નામે મજાક થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ પાર્ટીની એ અરજીઓ ફગાવી છે, જેમાં ટેક્સ રિએસેસમેન્ટ પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને પુરુષેન્દ્ર કુમાર કૌરવની ખંડપીઠે રિટ અરજીઓને ફગાવતાં કહ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી પૂરી થવાના થોડા દિવસ પહેલાં આ પ્રકારની અરજીઓ ફાઇલ કરવાનું કોઈ ઔચિત્ય નજર નથી ચઢતું.

ઇન્કમ ટેક્સના નિયમો મુજબ રાજકીય પક્ષોને છૂટ મળે છે, પણ એની ચાર શરતો છે. જો એનું પાલન ના થયું તો છૂટ નથી મળતી. કોંગ્રેસ રિટર્ન ભરવામાં ઢીલ કરી હતી. પાર્ટી 2018નું રિટર્ન 2019માં ભર્યું હતું, જેની સમયમર્યાદા નીકળી ચૂકી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઇન્ડિયન ઓઈલના અધિકારીઓની મનોદિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી

અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી મનોદિવ્યાંગ બાળકો માટેની સંસ્થામાં બધાં જ બાળકો ગુલાલથી તિલક હોળી રમ્યા. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નામની આ સંસ્થા છે. જેના નિલેશભાઈ ચિત્રલેખા.કોમ ને કહે છે, આ વખતનો રંગોત્સવ દિવ્યાંગ બાળકો સાથે ઇન્ડિયન ઓઈલના અધિકારીઓએ મનાવ્યો.અધિકારીઓએ બાળકો સાથે હોળીની મજા માણી. આ સાથે દિવ્યાંગ બાળકોને બલૂન પેકેટ, ટેમ્પરેચર બોટલ, કલર પેકેટ, પિચકારી પણ આપ્યા. સાથે ભોજન પણ લીધું.

શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં હોળી ધૂળેટીની રજા પહેલાં આજે રંગોત્સવની ઉજવણી થઈ હતી. બાળકો મન મૂકીને પોતાના મિત્રો સાથે રંગોથી ધૂળેટી રમ્યા હતા.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

ભારત માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન પાડોશી છે : જયશંકર

પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક ગતિવિધિઓથી બચી રહ્યું હોય તેવું લાગતું નથી, જેમાંથી સૌથી મોટી આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. વિદેશ મંત્રીના નિવેદન મુજબ એવું લાગે છે કે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. એસ જયશંકરે કહ્યું કે ભારત હવે આતંકવાદના મુદ્દાને નજરઅંદાજ નહીં કરે.

વિદેશ મંત્રી એસ જયશંકર તેમની ત્રણ દિવસીય મુલાકાતે સિંગાપુરમાં છે. “અમે એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરીશું જે એ હકીકતને છુપાવતું નથી કે તેઓ શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે,” તેમણે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ખાતે તેમના પુસ્તક ‘વ્હાય ઈન્ડિયા મેટર્સ’ પર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. પરંતુ ભારત હવે આતંકવાદને નજરઅંદાજ કરવાના પક્ષમાં નથી.

આતંકવાદને નજરઅંદાજ કરવાના મૂડમાં નથી – વિદેશ મંત્રી

ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન હવે ઔદ્યોગિક સ્તરે આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે. ભારત હવે આતંકવાદના મુદ્દાને કોઈપણ રીતે નજરઅંદાજ કરવાના મૂડમાં નથી. પાકિસ્તાન પર તીખી ટિપ્પણી કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વનો દરેક દેશ સ્થિર પાડોશી ઈચ્છે છે. જો સ્થિર ન હોય, તો ઓછામાં ઓછું શાંત પાડોશી રાખો. પરંતુ, કમનસીબે, ભારતનો પાડોશી આવો નથી.

વાતચીત નહીં

તેમણે વધુમાં કહ્યું કે કોઈ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરશે જે ખુલ્લેઆમ સ્વીકારે છે કે તે શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે? આતંકવાદ સાથે પાકિસ્તાનનું જોડાણ એક વખતની ઘટના નથી પરંતુ સતત છે. આતંકવાદના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જયશંકરે કહ્યું કે ભારત હવે આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે તે આ ખતરાનો સામનો કરશે અને કડક નિર્ણય લેશે. હવે ભારત આતંકવાદના મુદ્દે એવું નહીં કહે કે ચાલો અમારી વાતચીત ચાલુ રાખીએ.

કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે દારૂ નીતિ કેસમાં તેમની ધરપકડ અને પીએમએલએ કોર્ટના રિમાન્ડના આદેશને પડકાર્યો છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની દલીલ એવી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. ચીફ જસ્ટિસ પાસે રવિવાર સુધીમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED વતી પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક દિવસ પહેલા, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમના વતી દલીલ કરવામાં આવી છે કે EDના ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં તે તાત્કાલિક ઇડીની કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. કેજરીવાલ વતી હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસે રવિવાર 24 માર્ચ સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

વેજ પનીર જાલફ્રેજી

રંગોના તહેવાર હોળીની જેમ તમારી રસોઈમાં પણ રંગબેરંગી, ચટપટું, ટેન્ગી, સ્પાઈસી સ્વાદિષ્ટ શાક બનાવીને હોળીનો તહેવાર ઉજવી લો! આ યમ્મી ટેસ્ટી શાક બાળકોને તો બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • માખણ 2-2 ટે.સ્પૂન
  • ટામેટું 1
  • બેબી કોર્ન 3-4
  • લીલું સિમલા મરચું 1
  • લાલ સિમલા મરચું 1
  • પીળું સિમલા મરચું 1
  • ગાજર 1
  • ફણસી 50 ગ્રામ
  • વટાણા 100 ગ્રામ
  • પનીર 200 ગ્રામ
  • ફ્લાવર 200 ગ્રામ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • કાંદો 1

મસાલોઃ તેલ 2-3 ટે.સ્પૂન, જીરુ 1 ટી.સ્પૂન, સૂકા લાલ મરચાં 2, લીલા મરચાં 2, કાંદા 2, ટામેટાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, લસણની કળી 15-20, હળદર પાઉડર ½ ટી.સ્પૂન, તીખું લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, કસૂરી મેથી 1 ટી.સ્પૂન,  ગરમ મસાલો ½ ટી.સ્પૂન, કાળાં મરી પાઉડર  ¼ ટી.સ્પૂન, ટામેટા સોસ 2 ટે.સ્પૂન

રીતઃ બેબી કોર્નના લાંબા 2 ઈંચ જેટલા ટુકડા કરી લો. ત્રણેય સિમલા મરચાં તેમજ ગાજર, ફણસીને 1.5 ઈંચ લંબાઈમાં પાતળા કટ કરી લો. ફ્લાવરને પણ છૂટું કરી લો. એક ટામેટું લાંબી પાતળી ચીરીમાં સમારી લો અને એક કાંદાને થોડી જાડી લાંબી સ્લાઈસમાં સમારી લો.

એક ફ્રાઈ પેનમાં 2 ટે.સ્પૂન માખણ ગરમ કરી, તેમાં ફ્લાવરના ટુકડા તેમજ ગાજરના ટુકડા 2-3 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં ફણસી, બેબી કોર્ન અને કાંદાની સ્લાઈસ 2 મિનિટ સાંતડીને ટામેટાં તથા ત્રણેય સિમલા મરચાંની સ્લાઈસ નાખીને 2 મિનિટ સાંતળો. ગેસની આંચ તેજ રાખવી. બધાં શાક થોડાં ક્રન્ચી થયા બાદ ગેસ બંધ કરીને ફ્રાઈ પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લો. પનીરના 1.5 ઈંચ લાંબી સ્લાઈસ કરી લો. ખાલી થયેલા ફ્રાઈ પેનમાં ફરીથી 2 ટે.સ્પૂન માખણ નાખી પનીરને બંને બાજુએથી થોડો ગુલાબી રંગ થાય તેટલું સાંતળો. પનીર સાંતળી લીધા બાદ તેને પણ એક વાસણમાં કાઢી લો.

આ જ પેનમાં તેલ 2-3 ટે.સ્પૂન ગરમ કરી તેમાં જીરુ તતડાવીને લાલ સૂકાં મરચાંના બે ટુકડા કરીને સાંતડો. હવે તેમાં ઝીણાં સમારેલાં કાંદા તેમજ વટાણા નાખો. કાંદા લાલ થાય ત્યાં સુધી સાંતડો તેમાં વટાણા પણ ચઢી જશે અને ક્રન્ચી પણ રહેશે. ખમણેલાં આદુ અને લસણ 1 મિનિટ માટે સાંતડીને સૂકા મસાલા તેમજ કસૂરી મેથી ઉમેરીને 2 ટે.સ્પૂન પાણી નાખી મસાલા સાંતડો. હવે તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં નરમ થાય ત્યાં સુધી સાંતડો. મસાલો સૂકો થતો જણાય તો ફરીથી 2 ટે.સ્પૂન પાણી ઉમેરીને સાંતડો. મસાલો સાંતળી લીધા બાદ તેમાં સાંતડેલા શાક તેમજ પનીર નાખીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

આ ગરમાગરમ સ્વાદિષ્ટ શાક પરોઠા, નાન, કે ભાત સાથે પણ સારું લાગશે!

દેશમાં હોળી-ધુળેટીએ રૂ. 50,000 કરોડના વેપાર

નવી દિલ્હીઃ દેશમાં હોળી-ધુળેટીની ધૂમ છે. હોળીના રંગોનું સૌથી મોટું બજાર છે. દેશમાં હોળીના રંગબિરંગી રંગ ખરીદવા લોકોની ભીડ છે. લોકોએ છેલ્લાં ત્રણ-ચાર વર્ષ કોરોના રોગચાળાને કારણે હોળીનો તહેવાર ઠીક રીતે ઊજવ્યો નથી, પણ આ વખતે હોળીના તહેવારને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે હોળીના તહેવારને લઈને દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે લોકો સામાન ખરીદી રહ્યા છે, એ જોતાં આ વખતે અંદાજ છે કે ગયા વર્ષની સરખામણીએ દેશભરના વેપારમાં 50 ટકાનો વધારો થશે. એકલા દિલ્હીમાં જ આશરે રૂ. 5000 કરોડના વેપારની સંભાવના છે.

દેશમાં હોળીના તહેવારે રૂ. 50,000 કરોડથી વધુના વેપાર થવાનો અંદાજ છે. જેનાથી ભારતીય અર્થતંત્રને નવું બળ મળશે. સામાન્ય રીતે હોળીમાં ગુજિયા, દહીંવડા, પકોડી, પકવાન જેવી ચીજવસ્તુઓ ખરીદે છે. આ ઉપરાંત મેદો સૂજી, ખાંડ, સૂકા મેવા, મસાલા વગેરેની પણ લોકો ખરીદે છે. હોળીના તહેવારે બાળકો માટે પિચકારી જરૂર ખરીદવામાં આવે છે. જોકે આ વખતે હોળીના માલસામાનને લઈને ચીનની ભાગીદારી નહીંવત્ છે. પાછલાં વર્ષોની જેમ ચીની માલસામાનનો જ માત્ર વેપારીઓએ જ નહીં પણ સામાન્ય લોકોએ બહિષ્કાર કર્યો છે. નાના વેપારીઓની સંસ્થા CAITનું કહેવું છે કે પહેલાં હોળીથી જોડાયેલા માલસામાનોની દેશમાં આયાત આશરે રૂ. 10,000 કરોડની થતી હતી, જે આ વખતે બિલકુલ નગણ્ય રહી છે.

 

 

 

 

 

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત કાળ સુધી લંબાવાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણી પહેલાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને અનિશ્ચિત કાળ માટે વધારી દીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર ડિસેમ્બર, 2023માં પ્રતિબંધ લગાવ્યો હતો, જે 31 માર્ચે ખતમ થતો હતો. વેપારીઓનો અંદાજ હતો કે એ પ્રતિબંધને દૂર કરવામાં આવશે, કેમ કે નિકાસ પ્રતિબંધ લાગુ થયા પછી સ્થાનિક બજારોમાં ડુંગળીની કિંમતો લગભગ અડધી થઈ હતી અને આ સીઝનનો પાકનો સપ્લાય શરૂ થઈ ગયો છે.

કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમ્યાન ડુંગળીની કિંમતો વધે. સરકારના આ નિર્ણયથી કેટલાંક વિદેશી બજારોમાં કિંમતો આકાશને આંબે એવી શક્યતા છે.

મહારાષ્ટ્રનાં કેટલાંક જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમતો ડિસેમ્બરમાં રૂ. 4500 પ્રતિ 100 કિલોગ્રામ હતી, જે ઘટીને હવે રૂ. 1200 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી, પરંતુ સરકારે આદેશ જારી કરી દીધો છે કે આગામી આદેશ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જારી રહેશે. આ વખતે આ આદેશ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેને ટ્રેડ (DGFT)એ જારી કર્યો છે. DGFT વેપાર મંત્રાલય હેઠળ આવે છે અને આયાત-નિકાસથી જોડાયેલા મુદ્દાઓને જુએ છે.

બંગલાદેશ, મલેશિયા, નેપાળ અને UAE જેવા દેશો ડુંગળી પુરવઠા મામલે ભારતથી આયાત પર નિર્ભર છે. એમાંથી કેટલાય દેશો ભારતના ડુંગળી પરના પ્રતિબંધ પછી ડુંગળીની ઊંચી કિંમતોથી ઝઝૂમી રહ્યા છે.

નાણાકીય વર્ષ 2023-24માં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. કૃષિ ઉત્પાદન 2023-24માં આશરે 254.73 લાખ ટન રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે એ આશરે 302.08 લાખ ટન હતું.

 

 

 

 

 

સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મેદાન છોડ્યું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સાબરકાંઠા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી છે. બંને બેઠકો પર ઉમેદવાર ખસી જતાં ભાજપે હવે નવા ઉમેદવારોની શોધ કરવી પડશે. ભાજપના આંતરિક સુત્રો કહે છે કે, હજુ પણ એક કે બે સીટ પર ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

કોંગ્રેસમાં પણ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં છે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલા રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરીને મેદાન છોડી દીધું હતું અને ત્યાર બાદ તેમણે પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના અસંખ્ય દિગ્ગજોએ કેસરિયા કરી લીધા છે. ત્યારે ભાજપમાં હવે ઉકળતો લાવા જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં ભાજપમાં આંતરિક ડખા વધ્યા હતા. ઉમેદવાર તરીકે તેમનું નામ આવતા પાર્ટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ પણ તેમના ઉમેદવારી પર વાંધો ઉઠાવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું.

કે કવિતાની અરવિંદ કેજરીવાલ સાથે પૂછપરછ કરવામાં આવશે

બીઆરએસ નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 26મી સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ઉપરાંત, કોર્ટમાં, EDએ રિમાન્ડ માટે દલીલ કરી હતી કે કવિતાને પુરાવા અને કેસમાં અન્ય આરોપીઓ સાથે મુકાબલો કરવો જરૂરી છે. ગઈ કાલે, ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરતી વખતે, EDએ દલીલ કરી હતી કે અરવિંદ કેજરીવાલ આ દારૂ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે અને કે કવિતા મનીષ સિસોદિયા અને કેજરીવાલના સંપર્કમાં હતા. કોર્ટે કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યા સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે એવા સમાચાર છે કે અરવિંદ કેજરીવાલ, કે કવિતા અને મનીષ સિસોદિયાને સાથે બેસીને પૂછપરછ થઈ શકે છે.

100 કરોડની લાંચનું મની ટ્રેલ કે કવિતા સાથે જોડાયેલું છે

EDએ એવી પણ દલીલ કરી હતી કે કે કવિતા દ્વારા જ દક્ષિણ લોબી (દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ)એ રૂ. 100 કરોડની લાંચ આપીને નવી દારૂની નીતિમાં પ્રવેશ કર્યો હતો… રૂ. 100 કરોડની આ લાંચમાંથી, આમ આદમી પાર્ટીએ સ્વીકાર્યું હતું. ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં, ED સૂત્રોનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કે કવિતા વચ્ચે સામ-સામે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી નવી દારૂની નીતિ અને મુખ્યત્વે મની ટ્રેઇલ પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરી શકાય અને રિકવર કરી શકાય.

કેજરીવાલ-કવિતાએ આ સવાલોના જવાબ આપવા પડશે

EDની તપાસ ટીમે રિમાન્ડ દરમિયાન કવિતા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે થયેલા સામસામે એન્કાઉન્ટર અંગેનું હોમવર્ક લગભગ પૂરું કરી લીધું છે, એટલે કે સવાલોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે, જેના જવાબો માત્ર કેજરીવાલ પાસેથી જ નહીં પણ લેવામાં આવશે.