Home Blog Page 1989

કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોર અને સુરત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

આ ઉમેદવારોને જાહેર કરાયા

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, જામનગરથી જે પી મારવીયા, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સુરતથી નિલેષ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.

અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી છે. સોનલ પટેલ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને એઆઈસીસીના મંત્રી છે. બીજી બાજુ સુખરામ રાઠવા જેઓ વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યાં છે અને અમિત ચાવડા જેઓ આંકલાવના ધારાસભ્ય છે તેમને ભાજપ સામે મેદાનમાં ઉતાર્યાં છે.

પાર્ટીએ મને તક આપી એ બદલ આભાર- જે. પી. મારવિયા

જામનગર લોકસભા બેઠક પર આ વખતે પાટીદાર ઉમેદવારને તક આપી છે. જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી. મારવિયાએ પોતાને લોકસભા ચૂંટણી લડવાની તક આપવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો હતો, સાથે કહ્યું હતું કે મને પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજનો પણ સહકાર મળશે. જામનગર લોકસભા બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પંચાંગ 22/03/2024

‘સાહિત્યની સાચી સમજણ’નો અનોખો અવસર યોજાશે

ફાર્બસ ગુજરાતી સભા ‘વ્યાપન પ્રકલ્પ’ દ્વારા ૨૯થી ૩૧ માર્ચ દરમ્યાન ‘સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ’ સાહિત્ય પર્વનું ઉત્તમ આયોજન સુવિખ્યાત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા આકારિત થવાનું છે. ભારતના ઉત્તમ સર્જકો આ ત્રણ દિવસ દરમ્યાન પોતાના સર્જન વિશે સાહિત્ય પર અસર કરતા પ્રભાવક બળોની વચ્ચે પણ સાચા સાહિત્યને કઈ રીતે ટકાવવું એ વિશે, ભાવકની કેળવણી જેવા અત્યંત જરૂરી મુદ્દા પર સઘન ચર્ચા કરશે. આ સાથે ગુજરાતી અને ભારતીય ભાષામાં કવિતાનું પઠન, રંગભૂમિનો રોચક ઈતિહાસ અને રસપ્રદ વળાંકો વિષે બેઠકો આયોજિત કરાઈ છે.

સમૂહમાધ્યમની ભાષા વિષે ૨૯મી તારીખે આયોજિત સત્રમાં ‘સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન?’ આ વિષય પર જન્મભૂમિ ગ્રુપના ચીફ એડિટર કુન્દનભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સત્ર રહેશે. ત્યાર બાદ ઉડિયા સર્જક પ્રતિભા રાય સાથે ગોષ્ઠી કરાશે. મુંબઈના સાહિત્ય રસિકો, હાજર રહેનાર સાહિત્ય પ્રેમીઓ અને સહુ માટે ૨૯ મી તારીખે સાંજે ૪.૩૦ વાગ્યાથી બી.સી.એ. સભાગૃહ, ભારતીય વિદ્યાભવનનું અંધેરીનું પ્રાંગણ સાહિત્યના પર્વ માટે તૈયાર રહેશે. શુક્રવારે સાહિત્ય રસિકો બી.સી.એ. સભાગૃહમાં આવશે. શનિવારે ૩૦ માર્ચે સવારે ૧૦ વાગે એસ. પી. જૈન ઓડીટોરીયમમાં ઉદઘાટન બેઠકમાં ત્રણ દિવસના અતિથિ વિશેષો ગુલઝાર, પ્રતિભા રાય, માધવ કૌશિક, અરુણ કમલ, ચંદ્રકાન્ત પાટીલ અને વસંત ડહાકેની અભિવંદના કરવામાં આવશે.

ઉદય મઝુમદારના કંઠે ગીત, માધવ કૌશિકનો સર્જક સંવાદ ‘સચ લિખના આસાન નહિ’,ત્યારબાદ ‘સાહિત્ય અને વિવિધ સત્તાઓ : ના કાહૂ સે દોસ્તી ના કાહૂ સે બૈર’ ગોળમેજી સંગોષ્ઠી, ગુજરાતી કવિ સંમેલન અને અતુલ ડોડિયાના ચિત્રોના સ્લાઈડ શોનું આયોજન કરાયું છે. આ દિવસના સર્વ કાર્યક્રમો સાંજે ૭.૩૦ વાગે પૂરા થશે. ત્યારબાદ ૩૧મી તારીખે રવિવારે સવારે ૧૦ વાગે સરિતા જોષી મારાં મનગમતાં નાટકોના પાત્રો અને એમની ભાષા પર પ્રસ્તુતિ કરશે. ૧૦.૩૦ વાગ્યાથી આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક -એક અંતરખોજ, વિષય પર ગોષ્ઠિનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં પ્રતિભા રાય અને માધવ કૌશિકના વ્યાખ્યાનો જેમ આકર્ષણનું કેન્દ્ર છે બહુભાષી કવિતાનું પઠન અને ત્યારબાદ કવિ ગુલઝારનો કાવ્ય પાઠ અને તેમનું બળવંતરાય પારેખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન.

આજના સાહિત્ય માધ્યમોની ભાષાથી લઇ સાહિત્યના સર્જનાત્મક અનેકોનેક પરિમાણો વિષે પરિસંવાદમાં ચર્ચાઓ થશે. આપણી ભાષાના ઉત્તમ સર્જક તરીકે આપણે સહુ સિતાંશુ યશશ્ચંદ્રને ઓળખીએ જ છીએ પણ આ આયોજન દ્વારા તેઓએ સાહિત્ય વિશ્વમાં સમજણની અનોખી ભૂમિકા રચવાનો પ્રયત્ન કર્યો છે, તે કાબિલેદાદ છે. સિતાંશુભાઈએ દરેક બેઠક પાછળની ભૂમિકા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું છે કે ‘સાહિત્ય અંગે આપણે ગંભીરતાથી આજે નહિ વિચારીએ તો ક્યારે વિચારશું ? ૨૯ માર્ચના સમૂહ માધ્યમ અંગેની બેઠકમાં દૈનિકો જ નહીં, વિજાણુ અને વિદ્યુત માધ્યમો તેમ જ રાજકીય, ધાર્મિક અને અન્ય નેતાઓની જંગી સભાઓમાં પ્રયોજાતી ભાષા વિશે તટસ્થ, નિર્ભય અને તર્કશુદ્ધ ચર્ચા, એક કલાક થાય એ આ બેઠકનું સ્વરૂપ હોવું જોઈએ અને ભાવકો અને વક્તા વચ્ચે એક ગોષ્ઠિ થાય અને સહુ એ સાંભળે અંતરંગ વાતો સહુ કરે અને એ જ રીતે બધી બેઠકો પાછળ તેમણે સ્પષ્ટતા આપી છે.

મુંબઈમાં ‘ન ભૂતો ન ભવિષ્ય’ જેવો સાહિત્યનો અવસર ગણી શકાય એવા આ પ્રસંગે બધા જ સાહિત્યકારો ત્રણેય દિવસ ઉપસ્થિત રહેવાના છે. ફાર્બસ ગુજરાતી સભાની વ્યાપન પર્વ નિમિત્તે ત્રણ દિવસીય આ પરિસંવાદ માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં પણ ભારતીય સાહિત્યજગતમાં સિમાચિહ્ન બની રહેશે. ઈચ્છુક વ્યક્તિ પોતાનું નામ ફોન નંબર : ૮૩૬૯૭૯૫૯૩પર નોંધાવી શકે છે. બન્ને દિવસના ભોજન માટે રૂપિયા ૧૫૦ ભરવાના રહેશે.

દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલની ધરપકડ

દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. હાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. પૂછપરછ બાદ ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર હતા. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું હતું.

EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા હતા. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.

મહિન્દ્રાએ EV નો વ્યાપ વધારવા અદાણી સાથે કર્યા MOU

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા તરફના એક સીમાચિહ્નરૂપ પગલામાં ભારતની આગવી હરોળની SUV ઉત્પાાદક મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસ લિ.ની માલિકીની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી લિ.(ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હોવાની આજે જાહેરાત કરી છે. ભારતના મહત્વાકાંક્ષી આબોહવાના કાર્યના લક્ષ્યો સાથે બંધ બેસતા હરિયાળા, વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણના પ્રયાણ તરફ આ સહયોગ એક મહત્વાકાંક્ષી છલાંગ દર્શાવે છે. મહિન્દ્રા અને ATEL વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સમગ્ર દેશમાં EV ચાર્જિંગના સંગીન વિસ્તુત માળખાની રચના માટે એક કેડી પ્રસ્થાપિત કરે છે.

વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી સરળ બનાવવા માટે ઉપાયો પણ પ્રસ્તુત કરશે. આ સહયોગ સાથે હવે XUV400 ગ્રાહકોને બ્લુસેન્સ એપ ઉપર 1100 થી વધુ ચાર્જર્સની ઍક્સેસ મળી રહેશે આમ મહિન્દ્રાના EV માલિકો માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા અને પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે. મહીન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.ના ઓટોમોટીવ વિભાગના પ્રેસિડેન્ટ વિજય નાક્રાએ જણાવ્યું હતું કે અદાણી ટોટોલ એનર્જીસ સાથે ભાગીદાર બનતા અમે રોમાંચિત છીએ. EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આ જોડાણ એક નીવ કી ઇંટ છે, અમારા ગ્રાહકોને ચાર્જિંગ નેટવર્કની નિર્વિઘ્ન એક્સેસ અને EVની અકલ્પનીય અનુભૂતિ માટે ડિજિટલ ઈન્ટિગ્રેશનની ખાતરી કરાવનારું છે. પાર્ટનર નેટવર્ક સાથે ગ્રાહકોનો અનુભવ વધારવાની અમારી પ્રતિબદ્ધતા અનુસાર અમે EV ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા, ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે બહુવિધ ભાગીદારોને સક્રિયપણે ઓન-બોર્ડિંગ કરી રહ્યા છીએ.


અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલના ક્ષેત્રમાં કંપનીના પદાર્પણને વધુ વિસ્તૃત કરવા તરફ આ એક વધુ કદમ છે. ઉર્જા સંક્રમણના એક ભાગ તરીકે EV ટેકનોલોજીને સામેલ કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ચાર્જીંગ માળખાનો વ્યાપ વધારવા માટેનો સહયોગ ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવશે. ભારતના તેના આબોહવા સંબંધી લક્ષ્યોમાં સહાયરુપ થવા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા આવા સંયુકત પગલાઓ સહાયરુપ થશે. એમ તેમણે ઉમેર્યું હતું. ​મહિન્દ્રા અને ATEL વચ્ચેની આ ભાગીદારી વાહન વ્યવહારને ડીકાર્બોનાઇઝ કરવા અને ઇલેક્ટ્રિક અને ટકાઉ ભવિષ્ય તરફ ગતિ કરવા માટે જરૂરી સહયોગી પ્રયાસોનું COP 26ની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ આ પ્રમાણ છે.

 

EDની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા નથી.

નવમા સમન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેજરીવાલે આ અંગે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી. હાઈકોર્ટે આજે કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની વેન્ડરિંગ કેસમાં શિક્ષાત્મક કાર્યવાહીથી કોઈ રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કેજરીવાલની અરજીને 22 એપ્રિલે વધુ વિચારણા માટે સૂચિબદ્ધ કરી છે. સમન્સને પડકારતી તેમની મુખ્ય અરજી પર પણ 22 એપ્રિલે સુનાવણી થશે.

રાજ્ય સરકારનો રેગિંગ મામલે કડક આદેશ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ રોકવા માટે સરકારે આકરું વલણ અપનાવ્યું છે. કોલેજ માટેના અલગ નિયમો ઘડ્યા છે, તે મુજબ રાજ્યની કોઈ પણ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સંસ્થામાં રેગિગની ઘટના બનશે તો શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમો પ્રથમ લાગુ કરવામાં આવશે.  હાઇકોર્ટ દ્વારા સરકાર પર દબાણ ઊભું કરવામાં આવતાં  શિક્ષણ વિભાગે આ અંગેના નિયમો જાહેર કર્યા છે.

સરકારી પ્રસ્તાવમાં (GR) કહેવામાં આવ્યું છે કે રેગિંગ માટેની સજા વર્ગોમાં હાજરી આપવાથી લઈને શૈક્ષણિક વિશેષાધિકારોના સસ્પેન્શનથી લઈને હાંકી કાઢવા સુધીની હશે તેમ જ વિદ્યાર્થીને પાંચ વર્ષના સમયગાળા માટે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી બાકાત રાખવા સુધીની હદ સુધી હાંકી કાઢવામાં આવશે. કોઈ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહી.

જો અપરાધ કરનાર અથવા પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓની ઓળખ ન થાય તો  સામૂહિક સજાની જોગવાઈ પણ છે.શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા વિદ્યાર્થીઓ કે જેઓ પીડિત અથવા સાક્ષી તરીકે રેગિંગની ઘટનાઓની જાણ કરતા નથી તેમને પણ યોગ્ય સજા કરવામાં આવશે.

સરકારે કહ્યું કે, જીઆર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જાહેર કરાયેલા રેગિંગ પરના નિયમો પર આધારિત છે.

સંસ્થાઓએ પ્રથમ વર્ષ પૂર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીઓને પત્ર દ્વારા એન્ટિ-રેગિંગ કાયદા વિશે જાણ કરવાની રહેશે અને તેમણને અપીલ કરવી પડશે કે  તેઓ પાછા ફરે ત્યારે તેમનાં બાળકોને રેગિંગમાં સામેલ થતા અટકાવે.  જીઆરએ જણાવ્યું હતું કે, સંસ્થાઓ રેગિંગની ઘટનાઓના સંબંધમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ, કાઉન્સેલિંગ સત્રો આયોજિત કરવા માટેની સૂચનાઓનું પાલન કરવા માટે એન્ટી-રેગિંગ સ્ક્વોડ અને મોનિટરિંગ સેલ પણ બનાવશે.

 

 

 

 

 

વિશ્વમાં આ દિવસે એક કલાક છવાશે અંધારું, જાણો…

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રતિ વર્ષ અર્થ અવર ડે ઊજવવામાં આવે છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર તરફથી પ્રતિ વર્ષ માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે રાત્ર 8.30 કલાકથી 9.30 કલાક સુધી વિશ્વના કરોડ લોકો સ્વચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી દે છે. એનો હેતુ પૃથ્વીને સારી બનાવવા માટે એકજુટતાનો સંદેશ આપવાનો છે.

વિશ્વમાં લોકો પ્રકૃતિ અને જળવાયુ પરિવર્તન પ્રતિ જાગરુક કરવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ આ દિવસ ઊજવવામાં આવે છે. આ અર્થ અવરનો પ્રારંભ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. વિશ્વમાં ધીમે-ધીમે એ લોકપ્રિય થઈ ગયું. વર્ષ 2008માં 35 દેશોએ અર્થ અવર ડેમાં ભાગ લીધો હતો. હવે અર્થ અવર ડેમાં 178 દેશો સામેલ થઈ ગયા છે.

સામાન્ય રીતે માર્ચના છેલ્લા શનિવારે લોકો કેન્ડલ સળગાવીને અર્થ અવર ઊજવે છે. અર્થ અવર ડે ઊજવવા પાછળ મુખ્ય ઉદ્દેશ ઊર્જાની બચત કરવાનો અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન આપવાનો છે. એ સાથે પ્રકૃતિને નુકસાનને અટકાવાનો છે. એના આયોજનના માધ્યમથી વિશ્વના લોકો પ્રતિ દિન પ્રકૃતિને થતા નુકસાન પ્રત્યે જાગરુક કરવામાં આવે છે. આ સિવાય પ્રકૃતિને નુકસાનને અટકાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

અર્થ અવર ઝુંબેશને 190થી વધુ દેશોનો સહયોગ મળી રહ્યો છે. વિશ્વના કરોડો લોકો પ્રતિ વર્ષ આ વૈશ્વિક કાર્યક્રમમાં સામેલ થાય છે. અર્થ અવર ડેએ વિશ્વની કેટલીય ઐતિહાસિક ઇમારતોની વીજળી બંધ કરી દેવામાં આવે છે.

 

 

 

સોનાના ભાવે ગાભા કાઢ્યા, કિંમત નવી ઊંચાઈએ પહોંચી

અમેરિકામાં વ્યાજદરમાં ત્રણ ઘટાડાનો સંકેત આપતા ફેડરલ રિઝર્વના સમાચાર બાદ સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2200 ડોલર પ્રતિ ઔંસના આંકને પાર કરી ગયો છે. સોનું ખરીદવું વધુને વધુ મોંઘુ થતું જાય છે અને આજે ગુરુવારે તેની કિંમત નવી ટોચે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પહેલી વખત 2200 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ છે અને દેશમાં તેની કિંમત 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી છે. આ સોનાનો નવો રેકોર્ડ સ્તર છે.


બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતમાં થયો વધારો

આજે ગુરુવારે સોનાની કિંમતમાં થયેલા વધારાને કારણે MCX પર સોનાની કિંમત 66,943 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. કોમોડિટી માર્કેટ ખુલ્યાની થોડી જ મિનિટોમાં સોનું આ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું હતું. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ (IBJ)ની વેબસાઈટ અનુસાર, 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની રાષ્ટ્રીય કિંમત છેલ્લા ટ્રેડિંગ દિવસે 65795 રૂપિયા હતી. એક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઔંસ દીઠ $2,203.35 આસપાસ હતી. નોંધનીય છે કે ફેબ્રુઆરીના મધ્યભાગથી સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

સોનાના ભાવ અચાનક કેમ વધ્યા?

બુધવારે યોજાયેલી અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની બેઠક બાદ સોનાના ભાવમાં આ અચાનક તીવ્ર વધારો જોવા મળ્યો છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદર અંગે લેવાયેલા નિર્ણયને સોનામાં ઉછાળાનું કારણ ગણી શકાય. તેમજ, ફેડરલ રિઝર્વે સ્પષ્ટપણે કહ્યું છે કે મોંઘવારી દરમાં તાજેતરના વધારાથી નાણાકીય નીતિ પર કોઈ અસર નહીં પડે અને બેન્ચમાર્ક વ્યાજ દર 5.25-5.50 ટકા પર સ્થિર રહેશે. આ સાથે પોલિસી રેટમાં ત્રણ વખત ઘટાડો કરવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે.

સોનું ચમક્યુંને ચાંદી પડી ઝાંખી

અમેરિકાથી આવેલા આ સમાચારની તાત્કાલિક અસર સોનાના ભાવ પર જોવા મળી અને બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2200 ડોલર પ્રતિ ઔંસના આંકને વટાવી ગયા, જ્યારે ગુરુવારે દેશમાં કોમોડિટી બજાર ખુલવાની સાથે તે એક નવા શિખરે પહોંચી ગયું. આ પહેલા પણ સોનામાં ચાલી રહેલા વધારાને જોતા વિશ્લેષકોએ તે $2200ને પાર કરી જવાની આશા વ્યક્ત કરી હતી. એક તરફ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ MCX પર ચાંદી 75,915 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યા બાદ 75,775 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 25.63 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહી હતી.

નિષ્ણાતોએ જણાવ્યું હતું આ કારણ

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે સોનાની કિંમત નવી ઊંચાઈ તરફ આગળ વધી છે, કારણ કે ફેડરલ રિઝર્વે દરો સ્થિર રાખ્યા હતા અને આ વર્ષે સોનામાં ઓછામાં ઓછા વ્યાજ દરોમાં ત્રણ કાપ આવશે. વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તેની આગાહી પર અડગ છે. એમઓએફએસએલના કોમોડિટી અને કરન્સી એનાલિસ્ટ માનવ મોદીનું કહેવું છે, કે યુએસ ફેડની બેઠક પહેલા સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ જ્યારે ફેડ દ્વારા પોલિસી દરો સ્થિર રાખવાની જાહેરાત કરવામાં આવી ત્યારે અચાનક સોનાના ભાવમાં વધારો શરૂ થયો હતો.

સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો

માત્ર સોનાની કિંમત પર જ નહીં પરંતુ ભારતીય શેરબજાર પર પણ યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર સ્પષ્ટ દેખાઈ છે અને તેના કારણે સેન્સેક્સ-નિફ્ટી ઝડપથી વધી રહ્યા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે BSE નો 30 શેરવાળો સેન્સેક્સ 751 પોઈન્ટ અથવા 1.04 ટકાના વધારા સાથે 72,852 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 235 પોઈન્ટ અથવા 1.08 ટકાના વધારા સાથે 22,074 પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરબજારમાં 11.30 વાગ્યા સુધીના વેપારના માત્ર બે કલાકમાં સેન્સેક્સમાં ઉછાળાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોએ રૂ. 5.8 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી. BSE (BSE MCap) નું માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના રૂ. 374.12 લાખ કરોડના બંધથી વધીને રૂ. 379.97 લાખ કરોડ થયું છે.

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્શન મોડમાં

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્શન મોડમાં હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિકાસ ભારતના નામે વોટ્સએપ મેસેજ મોકલીને મોદી સરકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. હવે ચૂંટણી પંચે આ મેસેજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે, તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. ચૂંટણી પંચને પણ આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવી જોઈએ. ચૂંટણી પંચને એવી ઘણી ફરિયાદો મળી રહી હતી કે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પણ નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે શું કહ્યું?

આયોગ તરફથી સૂચના મળ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ સંદેશાઓ આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા. જો કે, તેમાંથી કેટલાક સંદેશાઓ સિસ્ટમ અને નેટવર્ક સમસ્યાઓના કારણે લોકોને મોડેથી પહોંચાડવામાં આવ્યા હતા. તે જ સમયે, આયોગે મંત્રાલયને આ મામલે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ મોકલવા કહ્યું છે.