Home Blog Page 2009

CAA કાયદો પરત લેવામાં નહીં આવેઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે સિટિજન્સ એમેડમેન્ટ એક્ટ (CAA)નું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. CAA લાગુ થયા બાદ બંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ત્યારે આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

તેમણે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.CAA નોટિફિકેશન અને તેની જોગવાઈઓ પર શાહે કહ્યું હતું  કે મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. માર્ગ કોઈના માટે બંધ નથી. આ વિશેષ અધિનિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે તેઓ કોઈ પણ દસ્તાવેજો વગર શા માટે આવ્યા છે. અમે એવા લોકો માટે કોઈ રસ્તો શોધીશું જેમની પાસે દસ્તાવેજ નથી, પરંતુ જેમની પાસે દસ્તાવેજો છે તેઓ સામાન્ય રીતે 85 ટકા કરતાં વધારે છે. કોઈ સમયમર્યાદા નથી.

તમે તમારી અનુકૂળતા મુજબ અરજી કરી શકો છો, તમારા ઉપલબ્ધ સમય મુજબ ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે.  સરકાર તમને ડોક્યુમેન્ટ ઓડિટ અને રૂબરૂ મુલાકાત માટે બોલાવશે. 15 ઓગસ્ટ 1947 અને 31 ડિસેમ્બર 2014 વચ્ચે ભારતમાં પ્રવેશેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.

કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર કે તેઓ તેમનાં રાજ્યોમાં CAA લાગુ નહીં કરે, કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું  કે આપણા બંધારણના અનુચ્છેદ 11માં સંસદે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર માત્ર અને માત્ર આપ્યો છે ભારતની સંસદને આપ્યો છે. આ કેન્દ્રનો વિષય છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સામાન્ય વિષય નથી. મને લાગે છે કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.

 

 

 

 

કોરાનાના 167 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,897 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,513 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,546 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 213 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1037 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,15,016 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2614 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૧૪ માર્ચ, ૨૦૨૪

સુવિચાર – ૧૪ માર્ચ, ૨૦૨૪

૧૪ માર્ચ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 14/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 14/03/2024

ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર થયાં છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.

ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી

ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.

 

લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

ભાજપે બુધવારે (13 માર્ચ) લોકસભા ચૂંટણી 2024 સંબંધિત ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. ભાજપે દિલ્હીની બાકીની બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલાબેન ડેલકરને દાદર નગર હવેલીથી ટિકિટ મળી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને હિમાચલની હમીરપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ધારવાડથી પ્રહલાદ જોશી, નાગપુરથી નીતિન ગડકરી, કરનાલથી મનોહર લાલ ખટ્ટરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે સિરસાથી અશોક તંવરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.  પહેલી યાદીમાં વડાપ્રધાન મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ (લખનૌ)ના નામ પણ સામેલ હતા.

આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ રદ કરવામાં આવી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે.

આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15-15 બેઠકો, કેરળ અને તેલંગાણાની 12-12 બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ અને આસામની 11-11 બેઠકો અને પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. દિલ્હી. બેઠક સહિત અન્ય કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની સોમવારે બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી.

TMKOC: બબિતાજીની જેઠાલાલના પુત્ર ટપુ સાથે સગાઈ?

વડોદરાઃ ‘તારક મહેતાના ઊલ્ટા ચશ્માં’ સિરિયલની બબિતા અને ટપુએ સગાઈ કરી લીધી છે. મુનમુન દત્તા અને રાજ અનડકટની લવ સ્ટોરી ઘણી અનોખી છે. બંને વચ્ચે નવ વર્ષનો ગેપ છે. મુનમુન દત્તા 36 વર્ષની છે અને રાજ 27 વર્ષનો છે. બંને ગણ પોતાના ફેમિલીની હાજરીમાં સગાઈ કરી લીધી છે.

રાજે ડિસેમ્બર, 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. તે આ હિટ સિરિયલમાં જેઠાલાલના દીકરાનો રોલમાં હતો. આમ તો સિરિયલમાં બબિતા જેઠાનો ક્રશ હતી. ત્યારે આવા સમયે રિયલ લાઇફમાં આવેલા આ ટ્વિસ્ટથી ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થયા છે.

એક્ટર્સની નજીકના લોકો પાસેથી જાણકારી મળી છે કે  મુનમુન અને રાજે મુંબઈ બહાર એક સાદા સમારંભમાં સગાઈ કરી લીધી છે. હજુ થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. બંનેએ વડોદરામાં એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. મુનમુન દત્તા અને રાજના પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો છે અને તે પણ સગાઈમાં હાજર રહ્યા હતા.

રાજના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં સામેલ થયા બાદથી બંને ડેટિંગ કરી રહ્યા છે. સેટ પર તમામ લોકોને તેના વિશે ખબર હતી. હકીકતમાં જોઈએ તો અમુક લોકોને વિશ્વાસ નહોતો કે મુનમુન દત્તા અને રાજ આખરે લગ્ન કરી લેશે.

મુનમુન દત્તા અને રાજ અનડકટના કથિત રીતે ડેટિંગના સમાચાર સૌથી પહેલા સપ્ટેમ્બર, 2021માં આવ્યા હતા. જોકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ટીમના દરેક સભ્યને બંનેના સંબંધ વિશે ખબર હતી. જોકે એ વખતે મુનમુન દત્તાએ આ રિપોર્ટને ફગાવી દીધો હતો અને પોતાના સોશિયલ મિડિયા હેંડલ પર તેણે આ વાત કહી હતી.

 

 

PM મોદીએ ધોલેરામાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરી ચિપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ત્રણેય પ્લાન્ટને ‘ડેવલોપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા’ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે. આ ત્રણ ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ રૂપિયા છે.

હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનની મજબૂતી માટે કામ કરે છે. 21મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે 2 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. 22,516 કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.

દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા

ટાટા ગ્રુપ સંયુક્ત સાહસમાં બે પ્લાન્ટ બનાવશે. એક ગુજરાતમાં અને એક આસામમાં. સીજી પાવર પણ સંયુક્ત સાહસમાં ગુજરાતમાં પ્લાન્ટ બનાવશે. ત્રણેય પ્લાન્ટનું કામ 100 દિવસમાં શરૂ થઈ જશે.ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ 91,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે. આ PSMCનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પણ છે.