Home Blog Page 2067

હાઇકોર્ટે મોદીની ડિગ્રી મામલે કેજરીવાલ, સંજય સિંહની અરજી ફગાવી

અમદાવાદઃ હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ- અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે વડા પ્રધાન મોદીની શૈક્ષણિક યોગ્યતા પર તેમની ટિપ્પણીઓ પર અપરાધિક મામલામાં તેમની વિરુદ્ધ જારી સમન્સને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં જારી થયેલા સમન્સને રદ કરવા સાથે ફરિયાદ રદ કરવાની માગ મુદ્દે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાને ઇનકાર કર્યો છે.

આ ઉપરાંત કોર્ટે કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે આદેશ પર પ્રતિબંધ મૂકવા ઇનકાર કર્યો છે. GUએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહે પત્રકાર પરિષદમાં અને સોશિયલ મિડિયા પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતા અપમાનજનક નિવેદનો કર્યાં છે.

ફરિયાદકર્તાઓ અનુસાર GUને નિશાન બનાવતાં જાણીબૂજીને કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ માનહાનિકારક હતી અને યુનિવર્સિટીની શાખને ઠેસ પહોંચાડતી હતી.

હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું. આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ વતી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી. જો આજે સેશન્સ કોર્ટમાંથી રાહત નહીં મળે તો બંને નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માગ કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે માર્ચ, 2023માં એવો ચુકાદો આપ્યા બાદ માનહાનિનો કેસ પ્રકાશમાં આવ્યો હતો કે વડા પ્રધાન કાર્યાલય (PMO) એ માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ) હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્રો રજૂ કરવાની જરૂર નથી. હાઇકોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં આ કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો.

 

 

 

 

 

 

The key to happiness

Prime Minister Narendra Modi inaugurated the historic BAPS Hindu temple in Abu Dhabi on the evening of Vasant Panchami on Wednesday. Early in the morning, before the event, Param Pujya Mahantaswami Maharaj and other sadguru saints performed Prana Pratishtha (consecration) of all the idols of the temple. Apart from Lord Swaminarayan, the temple has idols of Hindu gods and goddesses like Lord Sri Rama-Lakshmana-Sitaji-Hanumanji, Shiva-Parvati-Ganeshaji, Lord Jagannath, Padmavati-Tirupati Balaji-Iyyappaji-Aksharapurushottam Sri Swaminarayan Lord-Gunatitananda Swami-Radha-Krishna.

Upon seeing Lord Krishna’s idol, one realizes that His life touches every aspect of human life. Krishna is a role model for every human being who wants to be victorious on the battlefield of life; He is a supernatural and universal teacher of life lessons. Before us is the inspiring life of God that can bring a smile back to the face of a depressed person sitting on the platform of life awaiting the train of death.

Apart from being known by many names like Yogeshwar, Damodar, Ranchhod, and Murari, Lord Krishna has a unique name: Muralidhar. The sight of Murlidhar Shri Krishna standing in tribhangi posture and holding a murali (flute) on His lips and playing it with two hands is quite delightful. In today’s age, when we make mountains out of problems that are barely molehills, seeing Krishna playing the murali joyfully even in the midst of sorrows teaches us important lessons. But do you know about the bitterness that He had to endure?

Born in a prison. Separated from parents at birth. He bore the fatal love of Mama Kansa and Masi Putna. In his childhood, He faced asuras like Shaktasur, Bakasura, Aghasur, Dhenukasur, Pralambasura. He tolerated the disrespect of the sages who made their offerings to a sacrifice with the words “Krishnay Swaha.” He was permanently separated from his beloved Radha, the Gopis and other loved ones. Even after killing Kansa, he could not live a comfortable life. While ruling in Mathura, He tackled Jarasandha’s ruthlessness, who gathered Kshatriyas from across India and attacked Mathura 17 times. Krishna escaped Mathura and established the Dwarka kingdom in Gujarat. To fulfil the vows of His devotees or to save those in need, he married 16,108 women and made them HIs queens. Each queen had ten sons and a daughter. One cannot imagine how many problems He would have!

Although Lord Krishna was not personally involved, He had to participate in HIs brothers’ quarrel. He went to convince Duryodhana, but he did not budge. In the Kurukshetra war, He did not participate as a chief warrior but took the role of a charioteer. He endured Gandhari’s wrath without a fault of His own. After settling the war, He came to Dwarika and went to Prabhas Kshetra with his family, where all the relatives got drunk and quarreled. Everyone died, from sons Aniruddh and Pradyumna, to grandsons Samba and Satyaki. He had to witness His sons and grandsons kill each other in front of His own eyes. Finally, Pardhi’s poisoned arrow relieved Him of His mortal body. Eventually, all His possessions were lost in the sea.

Thus Lord Krishna has endured countless doubts and sufferings from birth to death without any complaint. That sweet smile from Vrindavan has never faded. The Gita uses the word prahasana for Him. A dejected Arjuna sitting on one end of the chariot is representative of all mankind. By raising Him up again, God proved it to be possible to get out of any depression. Lord Krishna has made the people around Him feel happy and loved by playing His mellifluous flute throughout His life. Great men keep smiling in the face of sorrows. The wise Pramukhswami Maharaj, who suffered tremendous tribulations for the benefit of the society and the nation, once said, “All our occasions are joyous. There is joy, joy and joy forever.”

Undoubtedly, life is a house made of happiness and sorrow, but let’s be happy by instilling this motivation to keep a smiling face through life.

(Sadhu Gyanvatsaldas – BAPS)

(Sadhu Gnanavatsaldas is a prominent saint of the Bochasanvasi Aksharpurushottam Swaminarayan Sampradaya – BAPS. He is very well known in the country and around the world for his inspirational speeches. His scope of reading and thinking is vast. Apart from Hindu culture, he has read and deeply studied the biographies of more than 200 great personalities of the world. He has also been conferred with a Doctor of Literature – D. Litt. degree.)

TV શો ‘ઉડાન’ની એક્ટ્રેસ કવિતા ચૌધરીનું નિધન

નવી દિલ્હીઃ TV ઇન્ડસ્ટ્રીમાં 80ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ કવિતા ચૌધરી (67)નું નિધન થયું છે. એક્ટ્રેસનું નિધન હાર્ટ એટેકથી થયું છે. એક્ટ્રેસ ‘ઉડાન’ સિરિયલમાં IPS અધિકારી કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને ઘેરેઘેર લોકપ્રિય થઈ હતી. તેઓ કેન્સરથી પીડિત હતાં. પીઢ અભિનેત્રીના અંતિમ સંસ્કાર 16 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે શિવપુરી-અમૃતસરમાં થયા હતા.

કવિતા ચૌધરી ટેલીવિઝન પીઢ અભિનેત્રીની સાથે એક નિર્માતા પણ હતાં. કવિતા ચૌધરીએ દૂરદર્શન પર આવતા ટેલિવિઝન સિરિયલ ઉડાનમાં IPS ઓફિસર કલ્યાણી સિંહનું પાત્ર ભજવ્યું હતું. કવિતા ચૌધરીએ બે ટેલીવિઝન શોનું નિર્માણ પણ કર્યું છે, જેમાં ‘યોર ઓનર’ અને ‘IPS ડાયરીઝ’નો સમાવેશ થાય છે.

કવિતા પોલીસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની નાની બહેન હતી. આ સિવાય કવિતા ‘સર્ફ’ની જાહેરાતમાં પણ કામ કરીને ફેમસ થઈ ગઈ હતી. 1980ના દાયકાના અંતમાં રિલીઝ થયેલી આ જાહેરાતમાં તેણે ગૃહિણી લલિતા જીની ભૂમિકા ભજવી હતી. 1980ના દાયકાના અંતમાં જાહેરાતમાં ગૃહિણી લલિતા જીનું પાત્ર ભજવતા તે ભારતમાં HULની ‘સર્ફ’ ડિટર્જન્ટ કમર્શિયલનો પ્રખ્યાત ચહેરો પણ હતી.

‘ઉડાન’ સિરિયલ ભારતની પ્રથમ મહિલા DGP કંચન ચૌધરીની વાર્તા હતી. કંચનનું મૃત્યુ એક ભૂલ છે. કવિતા ચૌધરી તેમની નાની બહેન હતી. કવિતાએ ‘ઉડાન’માં કંચનનો રોલ કર્યો હતો.

તેમનું નિધન એ મનોરંજન જગત માટે મોટી ખોટ છે. તેમણે પોતાના અભિનય અને નિર્માણ કૌશલ્યથી નવી રેખાઓ પાર કરી. અભિનેત્રીના ચાહકો અને પરિવાર શોકમાં છે.

 

 

 

 

 

 

 

 

 

 

રંગભૂમિની “ખાટીમીઠી” વાતો વાગોળાશે

કોઈ પણ નાટક ભજવાતા હોય ત્યારે સામાન્ય રીતે નાની-મોટી ભૂલો થતી હોય છે. એ ભુલ ભલે લોકો સુધી ન પહોંચે પણ નાટક ભજવતા કલાકાર આ ભૂલને સારી રીતે સમજે છે. તો સાથે જ આવી વાતોને લઈને ઘણી યાદોનું ભાથું પણ બંધાય જાય છે. પરંતુ જ્યારે આ વાતોનું  સંભારણું સાંભળવા મળે તો ? આવો જ એક કાર્યક્રમ મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે.

મુંબઈની રંગભૂમિએ દાયકાઓ સુધી યાદ રહે એવાં નાટકો ભજવ્યાં છે. આ નાટકોના નિર્માણ અને રિહર્સલ દરમિયાન ઘણી યાદગાર ઘટનાઓ બનતી હોય છે. નાટકની ભજવણી દરમિયાન પણ કેટલાક રમૂજી ‘ભગા’ થતી હોય છે જેની જાણ કલાકાર તથા દિગ્દર્શકને જ થતી હોય છે. ઉમદા  કલાકાર આ ભૂલનો ઉકેલ, પોતાની સતર્કતાથી,  ચાલુ નાટકે જ લાવે છે પણ એ પ્રસંગ સમસ્ત નાટ્ય ટીમ માટે યાદગાર બની જાય છે. આવી કેટલીક ખાટીમીઠી વાતો સાંભળવી હોય તો પહોંચી જજો ૧૭ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈના સાઈબાબા મંદિર , સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈ લીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરૂખો”ના સહયોગથી “રંગભૂમિની ખાટીમીઠી” એ કાર્યક્રમ આયોજિત થયો છે. વરિષ્ઠ નાટ્ય કલાકાર અરવિંદ વેકરિયા તથા અનુરાગ પ્રપન્ન સાથે કવિ, લેખક, નાટ્ય કલાકાર દિલીપ રાવલ ગોષ્ઠી કરશે.

 

આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાનાં છે. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે રાખવામા આવી છે.

પંજાબમાં ભારત બંધને મિશ્ર અસર, દિલ્હીમાં ટ્રાફિક જામ

નવી દિલ્હીઃ ખેડૂતોની દિલ્હી કૂચની વચ્ચે કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર ભારત બંધ સવારે છ કલાકે શરૂ થઈને સાંજે ચાર કલાક સુધી ચાલશે. બીજી બાજુ ખેડૂતો બપોરે 12 કલાકથી સાંજે ચાર કલાક સુધી ચક્કાજામ-રસ્તા રોકો આંદોલનમાં સામેલ થશે. આ ઉપરાંત, શાકભાજી અને અન્ય પાકનો પુરવઠો અને ખરીદી સ્થગિત રહેશે.

આ સમયગાળા દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી છે કે ગામડાઓમાં તમામ કૃષિ પ્રવૃત્તિઓ, મનરેગાના કામો અને ગ્રામીણ કામો બંધ રહેશે. જોકે બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે નહીં. એમ્બ્યુલન્સ, મૃત્યુ, લગ્ન, મેડિકલ શોપ, ન્યૂઝપેપર સપ્લાય, બોર્ડની પરીક્ષાઓ, મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચાડવા સહિતની ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ છ ટ્રેનોને લુધિયાણા-સાહનેવાલ-ચંદીગઢ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ રહી છે. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બેઠક દરમિયાન MSP પર લાંબી ચર્ચા થઈ હતી. સરકારે અનેક તર્ક આપ્યા, પરંતુ ખેડૂતો એ સ્વીકારવા તૈયાર ન હતા.કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા પાક પર પહેલેથી જ MSP આપવામાં આવી રહી છે. એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે હરિયાણા અને પંજાબના ખેડૂતોને ઘઉં અને ડાંગર પર પહેલેથી જ એમએસપી મળી રહી છે. પરંતુ ખેડુતો તેમની માંગ પર અડગ રહ્યા જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે કાનૂની બાંયધરી જરૂરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચૂંટણીથી ઠીક પહેલાં કોંગ્રેસનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ મૂક્યો છે. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું હતું કે યૂથ કોંગ્રેસનાં બેન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસ પાર્ટીનાં પણ ખાતાં સીઝ કરી દેવામાં આવ્યાં છે. ઇન્કમ ટેક્સે યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 210 કરોડ રિકવરી માગી છે. ચૂંટણીથી ઠીક બે સપ્તાહ પહેલાં જ્યારે વિપક્ષનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવે તો એ લોકતંત્રને ફ્રીઝ કરવા બરાબર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2018-19ના ઇન્કમ ટેક્સ ફાઇલિંગને આધાર બનાવીને કરોડ રૂપિયા માગવામાં આવી રહ્યા છે. આ બહુ શરમની વાત છે. લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ પાર્ટી મેમ્બરશિપ ડ્રાઇવ દ્વારા યૂથ કોંગ્રેસથી નાણાં એકત્ર કરે છે ને એ પણ ફ્રીઝ કરી દેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે આ પૈસા કોર્પોરેટ જગતથી મળેલા પૈસા નથી. આ ક્રાઉડ ફન્ડિંગના પૈસા છે. એ પૈસા કેન્દ્ર સરકારે ફ્રીઝ કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સામાન્ય ચૂંટણીની ઠીક પહેલાં ખાતાં ફ્રીઝ કરવાની કાર્યવાહીનો ઉદ્દેશ સંદેહ પેદા કરે છે.

 

 

 

 

ગુડ્ડી છેનૂ અને તારાસિંહ…

થોડા જ દિવસોમાં ભારત ખંડમાં લોકશાહીનાં લેજિમ નૃત્યનો એક મહા ઉત્સવ નામે લોક સભા ચૂંટણી યોજાશે. જો કે તે પહેલાં વિવિધ રાજકીય પક્ષ પોતાના મનગમતા ઉમેદવારોને પાછલે બારણેથી સીધા સંસદમાં મોકલતા હોય છે. હમણાં આ વિશેના સમાચાર વાંચી રહ્યો હતો. મંગળવાર, 15 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, રામજી લાલ સુમન અને આલોક રંજને લખનૌમાં રાજ્ય સભા ઈલેક્શનનાં નૉમિનેશન ફૉર્મ્સ ભર્યાં. તેમને કંપની આપવા પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને પાર્ટી સેક્રેટરી શિવપાલસિંહ યાદવ ગયેલા. રાજ્ય સભામાં સમાજવાદી પક્ષનાં સંસદસભ્ય તરીકે જયાજીની આ પાંચમી ટર્મ છે.

“અરે અરે અરે”, તમે કહેશો, “મોજમસ્તી…માં પોલિટિક્સ ક્યાંથી ઘૂસી ગયું”? તો બે હાથ જોડીને કહેવાનું કે ના, એવો કોઈ ઈરાદો નથી. હોઈ જ ન શકે. વસ્તુ એવી કે નૉમિનેશન ફૉર્મ ભરતી વેળાએ ગુડ્ડીએ એટલે જયાજીએ પૈસેટકે પોતે કેટલાં સધ્ધર છે તે વિશે ફૉર્મમાં લખ્યું છે. ધણી-ધણિયાણી ગુડ્ડી અને વિજય એટલે જયા-અમિતાભ મળીને 1,578 કરોડ રૂપિયાની માલમિકત ધરાવે છે. સંસદસભ્ય તરીકેનો પગાર, એન્ડોર્સમેન્ટ (કલ્યાણ જ્વેલર્સ ને એવી જાહેરખબરો), પ્રોફેસનલ ફી (રિબન કાપવા કે અમુક સેમિનારમાં હાજરી આપવા જેવું કંઈ), વગેરેમાંથી કમાણી કરે છે, જ્યારે હસબન્ડને વ્યાજ, ભાડાં, ડિવિડંડ, કૅપિટલ ગેઈન તથા સોલાર પ્લાન્ટમાંથી આવક થાય છે. આ વાંચીને અમે માથું ખંજવાળ્યું. કમાલ છે. આમાં પિક્ચરો, કેબીસી કે બીજી આવકનો ઉલ્લેખ કેમ નથી? પછી બત્તી થઈ કે, અત્યારે વાત થઈ રહી છે જૉઈન્ટ પ્રોપર્ટીની.

તો, જયાબહેન પાસે આશરે 41 કરોડ રૂપિયાના દાગીના, દસેક લાખ રૂપિયાની એક મોટર છે. તો અમિતાભ પાસે આશરે પંચાવન કરોડ રૂપિયાના દાગીના, બે મર્સીડીઝ અને એક રેન્જ રોવર સહિત સાડાસત્તર કરોડ રૂપિયાનો 16 વાહનનો કાફલો. ટૂંકમાં બન્નેની સહિયારી જંગમ મિલકત 849.11 કરોડની છે, જ્યારે સ્થાવર મિલકતનું મૂલ્ય છેઃ 729.77 કરોડ રૂપિયા.

પદ્મશ્રીથી સમ્માનિત 75 વર્ષી જયા બચ્ચન છેલ્લાં 24 વર્ષથી ફોટોગ્રાફરોને જોઈને ઈન્સ્ટંટ ભડકવા માટે તથા પાર્લમેન્ટમાં ને પાર્લમેન્ટની બહાર ધડાધડ સ્ટેટમેન્ટ કરવા માટે તથા જાણીતાં છે. જયાજી ન માત્ર પોતાના મતવિસ્તાર વિશેની સમસ્યાને અવાજ આપે છે, બલકે અમુક નેશનલ ઈશ્યુઝ પર પણ બોલે છે.

બીજી બાજુ તેમના સમકાલીન ‘મેરે અપને’વાળા છેનૂ એટલે જ શત્રુઘ્ન સિંહા કાન ફાડી નાખે એવા મૌન માટે પંકાઈ ગયા. બીજેપી સાથે છેડો ફાડીને તૃણમૂલ કૉન્ગ્રેસમાં જઈ બેઠેલા અને આસનસોલથી સંસદસભ્ય બનેલા શત્રુ 17મી લોક સભામાં ચર્ચા કરવી તો બાજુએ રહી, હરામ બરાબર જો એક શબ્દ પણ બોલ્યા હોય તો. “ખા…મો…શ” એમ ચિલ્લાઈને ભલભલાની બોલતી બંધ કરી દેતા આ કલાકારે સંસદમાં ચૂં કે ચાં કર્યું નહીં. હા, ટેલિવિઝનના સોંગ, ડેન્સના રિઆલિટી શોમાં આવીને ભડભડ કરતા હતા ખરા.

શત્રુભૈય્યાને કંપની આપી ભાજપના પંજાબના ગુરદાસપુરથી આવી ચડેલા સની પાજીએ. “બલવંત રાયના કુત્તા”થી લઈને સકીના (અમીષા પટેલ)ના અબ્બા અશરફઅલી (અમરીશ પુરી) પર ચિલ્લાતા, પાણીનો પંપ ઉખાડી નાખતા સની દેઓલ “ઈક મોડ લઈને ઓત્તે (સંસદ ભવન) દિલ” છોડી શક્યા નથી. ઈન ફૅક્ટ નવ મેમ્બર ઑફ પાર્લમેન્ટ એવા છે, જેઓ આ આખી ટર્મ દરમિયાન મોંમાં મગ ભરીને બેસી રહ્યા.

ભૂતકાળ ને વર્તમાનમાં અનેક સિતારાએ બોલિવૂડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજકારણમાં એન્ટ્રી મારી છે. ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન, રેખા, રાજેશ ખન્ના, રાજ બબ્બર, પરેશ રાવલ ગોવિંદા, દારાસિંહ, શબાના આઝમી, મિથુન ચક્રવર્તી, વિનોદ ખન્ના, વગેરે રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યાં છે.  હિંદીમાં સુનીલ દત્ત તો દક્ષિણના દિગ્ગજોમાં એન.ટી. રામરાવ, જયલલિતા એમ.જી. રામચંદ્રન્ જેવા તારલાઓએ રાજકારણને ગંભીરતાથી લીધું. સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રમાં પ્રધાનપદ પામીને અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો. આજે એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યાં છે.

કોરાનાના 166 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 166 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,754 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,470 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,425 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 122 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 859 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,90,012 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 717 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય ત્યારે કર્મ શ્રેષ્ઠ બને

મનુષ્યના દુઃખનું કારણ કર્મ સાથે જોડાયેલ રાગ-દ્વેષ છે. જે કર્મ રાગ-દ્વેષ વશ કરવામાં આવે છે તેનું ફળ થોડા સમય માટે મળે છે, છેલ્લે દુઃખ આપનાર હોય છે. મનુષ્ય આ ક્ષણિક સુખને મેળવવા તથા દુઃખને દૂર કરવા માટે ઘાણીના બળદની જેમ કર્મ સાથે જોડાઈ જાય છે. પરંતુ કર્મોમાં લાગેલ રાગ દ્વેષના કાંટાને ન સમજી શકવાના કારણે ફરી-ફરી દુઃખ પ્રાપ્ત કરે છે. આનાથી હેરાન થઈને ઘણીવાર તે કર્મને છોડીને સન્યાસી બની સંસારથી ભાગવાનું પણ મન બનાવી લે છે. પરંતુ સમજવાની વાત એ છે કે જે રીતે ભોજનમાં જો કાંકરા હોય તો તે આપણો સ્વાદ બગાડી નાખે છે. યોગ્ય તો તે છે કે કાંકરાને કાઢી નાખવામાં આવે, ન કે ભોજનને ફેંકી દેવામાં આવે અથવા ફરી કદી ભોજન ન કરવાનો સંકલ્પ કરવામાં આવે. તે જ પ્રકારે જો મોહ તથા નફરત રૂપી કાંકરાને કાઢી નાખવામાં આવે તો તે કર્મ શાંતિ તથા સુખ આપનાર બની રહે છેેેેેેેેે.

કર્મ કરવા છતાં પણ હલકા રહી શકાય છે. પોતે પણ સંતુષ્ટ તથા બીજાને પણ સંતુષ્ટ કરી શકાય છે. રાગ-દ્વેષ વગરનું કર્મ સંસારને સ્વર્ગ સમાન બનાવી શકે છે. રાગ-દ્વેષ વગરના કર્મનો આધાર છે સ્વયંના સત્ય સ્વરૂપની સ્મૃતિ તથા પરમપિતા પરમાત્માના સત્ય સ્વરૂપની સ્મૃતિ. જ્યારે કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય છે તો કર્મ શ્રેષ્ઠ બની જાય છે. ધર્મનો અર્થ છે શ્રેષ્ઠ ગુણોની ધારણા. કર્મની સાથે દયા, પ્રેમ, ત્યાગ, શાંતિ, અનાશક્તિ વગેરે જોડાયેલ હોવા જોઈએ. કર્મના સિદ્ધાંતને સમજવા માટે ઈશ્વરીય સદવિવેકની જરૂરિયાત છે.

“દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.” આ સિદ્ધાંત અનુસાર દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. કર્મ કરવાની પ્રક્રિયાને આપણે બીજ વાવવું એમ પણ કહી શકીએ છીએ. જેવી રીતે સ્વસ્થ બીજને જો જમીનમાં વાવવામાં આવે તો તે જરૂરથી ઉગે છે. તેવીજ રીતે કર્મરૂપી બીજ પણ અવશ્ય ફળ આપે છે, પરંતુ તે કેટલો સમય લેશે તે નક્કી નથી હોતું. જેવી રીતે ઘઉંના પાકને 120 દિવસ તથા કેરીના ઝાડ પર ફળ આવવામાં 6 વર્ષ લાગે છે. તેવી જ રીતે વટાણાના એક દાણા થી અનેક દાણા ઉગે છે, પરંતુ કોબીચના એક બીજ થી એક જ કોબીચ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ છોડ ખતમ થઈ જાય છે. તેવી જ રીતે કર્મરૂપી બીજ થી એક ઘણું કે સો ઘણા કે અનેક ઘણા ફળ પણ નીકળી શકે છે.

તમામ કર્મોનું ફળ તરત ન મળી શકવાના કારણે ઘણીવાર તે જ જન્મમાં નહીં તો કોઈપણ જન્મમાં મળી શકે છે. ઉદાહરણ રૂપે દરરોજ કરતા 500 કર્મો માંથી 480 એવા હોય છે કે જેનું ફળ રોજ મળી જાય છે. પરંતુ 20 કર્મો એવા હોય છે કે જે આપણા ખાતામાં સંચિત થઈ જાય છે આપણને એનું ફળ બે દિવસ, બે વર્ષ કે બે જન્મ બાદ પણ મળી શકે છે., કયા કર્મનો ફળ ક્યારે સામે આવશે તથા કેવી રીતે સામે આવશે તે આપણને ખબર નથી પડતી. આજે સામે આવ્યું છેએ કયા કર્મનું ફળ છે તે પણ ગુપ્ત રહે છે. પરંતુ એ પાકું છે કે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. એક જન્મમાં આપણે મન-વચન-કર્મથી એટલા બધા કર્મો કરીએ છીએ કે તેજ જન્મમાં તેનું ફળ મેળવવું શક્ય નથી હોતું. તેમાંથી સારા કર્મો સારા ખાતામાં અને ખરાબ કર્મ ખરાબ ખાતામાં જતા રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો