Home Blog Page 2068

ગુડ્ડી છેનૂ અને તારાસિંહ…

થોડા જ દિવસોમાં ભારત ખંડમાં લોકશાહીનાં લેજિમ નૃત્યનો એક મહા ઉત્સવ નામે લોક સભા ચૂંટણી યોજાશે. જો કે તે પહેલાં વિવિધ રાજકીય પક્ષ પોતાના મનગમતા ઉમેદવારોને પાછલે બારણેથી સીધા સંસદમાં મોકલતા હોય છે. હમણાં આ વિશેના સમાચાર વાંચી રહ્યો હતો. મંગળવાર, 15 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, રામજી લાલ સુમન અને આલોક રંજને લખનૌમાં રાજ્ય સભા ઈલેક્શનનાં નૉમિનેશન ફૉર્મ્સ ભર્યાં. તેમને કંપની આપવા પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને પાર્ટી સેક્રેટરી શિવપાલસિંહ યાદવ ગયેલા. રાજ્ય સભામાં સમાજવાદી પક્ષનાં સંસદસભ્ય તરીકે જયાજીની આ પાંચમી ટર્મ છે.

“અરે અરે અરે”, તમે કહેશો, “મોજમસ્તી…માં પોલિટિક્સ ક્યાંથી ઘૂસી ગયું”? તો બે હાથ જોડીને કહેવાનું કે ના, એવો કોઈ ઈરાદો નથી. હોઈ જ ન શકે. વસ્તુ એવી કે નૉમિનેશન ફૉર્મ ભરતી વેળાએ ગુડ્ડીએ એટલે જયાજીએ પૈસેટકે પોતે કેટલાં સધ્ધર છે તે વિશે ફૉર્મમાં લખ્યું છે. ધણી-ધણિયાણી ગુડ્ડી અને વિજય એટલે જયા-અમિતાભ મળીને 1,578 કરોડ રૂપિયાની માલમિકત ધરાવે છે. સંસદસભ્ય તરીકેનો પગાર, એન્ડોર્સમેન્ટ (કલ્યાણ જ્વેલર્સ ને એવી જાહેરખબરો), પ્રોફેસનલ ફી (રિબન કાપવા કે અમુક સેમિનારમાં હાજરી આપવા જેવું કંઈ), વગેરેમાંથી કમાણી કરે છે, જ્યારે હસબન્ડને વ્યાજ, ભાડાં, ડિવિડંડ, કૅપિટલ ગેઈન તથા સોલાર પ્લાન્ટમાંથી આવક થાય છે. આ વાંચીને અમે માથું ખંજવાળ્યું. કમાલ છે. આમાં પિક્ચરો, કેબીસી કે બીજી આવકનો ઉલ્લેખ કેમ નથી? પછી બત્તી થઈ કે, અત્યારે વાત થઈ રહી છે જૉઈન્ટ પ્રોપર્ટીની.

તો, જયાબહેન પાસે આશરે 41 કરોડ રૂપિયાના દાગીના, દસેક લાખ રૂપિયાની એક મોટર છે. તો અમિતાભ પાસે આશરે પંચાવન કરોડ રૂપિયાના દાગીના, બે મર્સીડીઝ અને એક રેન્જ રોવર સહિત સાડાસત્તર કરોડ રૂપિયાનો 16 વાહનનો કાફલો. ટૂંકમાં બન્નેની સહિયારી જંગમ મિલકત 849.11 કરોડની છે, જ્યારે સ્થાવર મિલકતનું મૂલ્ય છેઃ 729.77 કરોડ રૂપિયા.

પદ્મશ્રીથી સમ્માનિત 75 વર્ષી જયા બચ્ચન છેલ્લાં 24 વર્ષથી ફોટોગ્રાફરોને જોઈને ઈન્સ્ટંટ ભડકવા માટે તથા પાર્લમેન્ટમાં ને પાર્લમેન્ટની બહાર ધડાધડ સ્ટેટમેન્ટ કરવા માટે તથા જાણીતાં છે. જયાજી ન માત્ર પોતાના મતવિસ્તાર વિશેની સમસ્યાને અવાજ આપે છે, બલકે અમુક નેશનલ ઈશ્યુઝ પર પણ બોલે છે.

બીજી બાજુ તેમના સમકાલીન ‘મેરે અપને’વાળા છેનૂ એટલે જ શત્રુઘ્ન સિંહા કાન ફાડી નાખે એવા મૌન માટે પંકાઈ ગયા. બીજેપી સાથે છેડો ફાડીને તૃણમૂલ કૉન્ગ્રેસમાં જઈ બેઠેલા અને આસનસોલથી સંસદસભ્ય બનેલા શત્રુ 17મી લોક સભામાં ચર્ચા કરવી તો બાજુએ રહી, હરામ બરાબર જો એક શબ્દ પણ બોલ્યા હોય તો. “ખા…મો…શ” એમ ચિલ્લાઈને ભલભલાની બોલતી બંધ કરી દેતા આ કલાકારે સંસદમાં ચૂં કે ચાં કર્યું નહીં. હા, ટેલિવિઝનના સોંગ, ડેન્સના રિઆલિટી શોમાં આવીને ભડભડ કરતા હતા ખરા.

શત્રુભૈય્યાને કંપની આપી ભાજપના પંજાબના ગુરદાસપુરથી આવી ચડેલા સની પાજીએ. “બલવંત રાયના કુત્તા”થી લઈને સકીના (અમીષા પટેલ)ના અબ્બા અશરફઅલી (અમરીશ પુરી) પર ચિલ્લાતા, પાણીનો પંપ ઉખાડી નાખતા સની દેઓલ “ઈક મોડ લઈને ઓત્તે (સંસદ ભવન) દિલ” છોડી શક્યા નથી. ઈન ફૅક્ટ નવ મેમ્બર ઑફ પાર્લમેન્ટ એવા છે, જેઓ આ આખી ટર્મ દરમિયાન મોંમાં મગ ભરીને બેસી રહ્યા.

ભૂતકાળ ને વર્તમાનમાં અનેક સિતારાએ બોલિવૂડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજકારણમાં એન્ટ્રી મારી છે. ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન, રેખા, રાજેશ ખન્ના, રાજ બબ્બર, પરેશ રાવલ ગોવિંદા, દારાસિંહ, શબાના આઝમી, મિથુન ચક્રવર્તી, વિનોદ ખન્ના, વગેરે રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યાં છે.  હિંદીમાં સુનીલ દત્ત તો દક્ષિણના દિગ્ગજોમાં એન.ટી. રામરાવ, જયલલિતા એમ.જી. રામચંદ્રન્ જેવા તારલાઓએ રાજકારણને ગંભીરતાથી લીધું. સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રમાં પ્રધાનપદ પામીને અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો. આજે એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યાં છે.

કોરાનાના 166 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 166 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,754 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,470 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,425 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 122 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 859 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,90,012 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 717 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય ત્યારે કર્મ શ્રેષ્ઠ બને

મનુષ્યના દુઃખનું કારણ કર્મ સાથે જોડાયેલ રાગ-દ્વેષ છે. જે કર્મ રાગ-દ્વેષ વશ કરવામાં આવે છે તેનું ફળ થોડા સમય માટે મળે છે, છેલ્લે દુઃખ આપનાર હોય છે. મનુષ્ય આ ક્ષણિક સુખને મેળવવા તથા દુઃખને દૂર કરવા માટે ઘાણીના બળદની જેમ કર્મ સાથે જોડાઈ જાય છે. પરંતુ કર્મોમાં લાગેલ રાગ દ્વેષના કાંટાને ન સમજી શકવાના કારણે ફરી-ફરી દુઃખ પ્રાપ્ત કરે છે. આનાથી હેરાન થઈને ઘણીવાર તે કર્મને છોડીને સન્યાસી બની સંસારથી ભાગવાનું પણ મન બનાવી લે છે. પરંતુ સમજવાની વાત એ છે કે જે રીતે ભોજનમાં જો કાંકરા હોય તો તે આપણો સ્વાદ બગાડી નાખે છે. યોગ્ય તો તે છે કે કાંકરાને કાઢી નાખવામાં આવે, ન કે ભોજનને ફેંકી દેવામાં આવે અથવા ફરી કદી ભોજન ન કરવાનો સંકલ્પ કરવામાં આવે. તે જ પ્રકારે જો મોહ તથા નફરત રૂપી કાંકરાને કાઢી નાખવામાં આવે તો તે કર્મ શાંતિ તથા સુખ આપનાર બની રહે છેેેેેેેેે.

કર્મ કરવા છતાં પણ હલકા રહી શકાય છે. પોતે પણ સંતુષ્ટ તથા બીજાને પણ સંતુષ્ટ કરી શકાય છે. રાગ-દ્વેષ વગરનું કર્મ સંસારને સ્વર્ગ સમાન બનાવી શકે છે. રાગ-દ્વેષ વગરના કર્મનો આધાર છે સ્વયંના સત્ય સ્વરૂપની સ્મૃતિ તથા પરમપિતા પરમાત્માના સત્ય સ્વરૂપની સ્મૃતિ. જ્યારે કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય છે તો કર્મ શ્રેષ્ઠ બની જાય છે. ધર્મનો અર્થ છે શ્રેષ્ઠ ગુણોની ધારણા. કર્મની સાથે દયા, પ્રેમ, ત્યાગ, શાંતિ, અનાશક્તિ વગેરે જોડાયેલ હોવા જોઈએ. કર્મના સિદ્ધાંતને સમજવા માટે ઈશ્વરીય સદવિવેકની જરૂરિયાત છે.

“દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.” આ સિદ્ધાંત અનુસાર દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. કર્મ કરવાની પ્રક્રિયાને આપણે બીજ વાવવું એમ પણ કહી શકીએ છીએ. જેવી રીતે સ્વસ્થ બીજને જો જમીનમાં વાવવામાં આવે તો તે જરૂરથી ઉગે છે. તેવીજ રીતે કર્મરૂપી બીજ પણ અવશ્ય ફળ આપે છે, પરંતુ તે કેટલો સમય લેશે તે નક્કી નથી હોતું. જેવી રીતે ઘઉંના પાકને 120 દિવસ તથા કેરીના ઝાડ પર ફળ આવવામાં 6 વર્ષ લાગે છે. તેવી જ રીતે વટાણાના એક દાણા થી અનેક દાણા ઉગે છે, પરંતુ કોબીચના એક બીજ થી એક જ કોબીચ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ છોડ ખતમ થઈ જાય છે. તેવી જ રીતે કર્મરૂપી બીજ થી એક ઘણું કે સો ઘણા કે અનેક ઘણા ફળ પણ નીકળી શકે છે.

તમામ કર્મોનું ફળ તરત ન મળી શકવાના કારણે ઘણીવાર તે જ જન્મમાં નહીં તો કોઈપણ જન્મમાં મળી શકે છે. ઉદાહરણ રૂપે દરરોજ કરતા 500 કર્મો માંથી 480 એવા હોય છે કે જેનું ફળ રોજ મળી જાય છે. પરંતુ 20 કર્મો એવા હોય છે કે જે આપણા ખાતામાં સંચિત થઈ જાય છે આપણને એનું ફળ બે દિવસ, બે વર્ષ કે બે જન્મ બાદ પણ મળી શકે છે., કયા કર્મનો ફળ ક્યારે સામે આવશે તથા કેવી રીતે સામે આવશે તે આપણને ખબર નથી પડતી. આજે સામે આવ્યું છેએ કયા કર્મનું ફળ છે તે પણ ગુપ્ત રહે છે. પરંતુ એ પાકું છે કે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. એક જન્મમાં આપણે મન-વચન-કર્મથી એટલા બધા કર્મો કરીએ છીએ કે તેજ જન્મમાં તેનું ફળ મેળવવું શક્ય નથી હોતું. તેમાંથી સારા કર્મો સારા ખાતામાં અને ખરાબ કર્મ ખરાબ ખાતામાં જતા રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 26 February, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તુ: લગ્ન જીવનમાં આત્મીયતા વધારવા આટલું કરો

લગ્ન શું કામ કરવા જોઈએ? આવો સવાલ મેં જયારે એક સેમિનારમાં પૂછ્યો ત્યારે એના વિવિધ જવાબ મળ્યા હતા. જેમકે, હું, એકલો રહું છું, એટલે ઘરનું ખાવાનું મળે એના માટે, મારા મમ્મીની હવે ઉંમર થઇ છે, ઘરનું કામ કરવા માટે કોઈ જોઈએ ને? મારા મમ્મી નથી. કોઈ સ્ત્રી ઘરમાં હોય તો અમને સારું લાગે. મારી બહેનને લગ્ન થાય એ પહેલા ઘરમાં કોઈ સ્ત્રીની જરૂર છે. ઉંમર થાય એટલે લગ્ન તો કરવા પડે ને? આવા જવાબો પુરુષ વર્ગના હતા. તો સ્ત્રી વર્ગના જવાબો અલગ હતા. કોઈ સારું કમાતો છોકરો મળે તો લાઈફ બની જાય. ઘરમાં બધા પૂછ્યા કરે છે કે આને કોઈ કેમ પસંદ નથી કરતુ. એટલે હવે તો કરી ને બતાવી જ દેવું છે. સામાજિક સુરક્ષા માટે. બે વ્યક્તિ કમાય તો સપના પુરા થાય. લગ્ન થાય એટલે વટ પડે. આ બધાજ જવાબોમાં સાચો જવાબ એક પણ ન લાગ્યો. અન્ય એક ગ્રુપમાં શારીરિક જરૂરિયાતો વિશે સકારાત્મક અને નકારાત્મક બંને ચર્ચા થઇ. શું લગ્ન આ કારણો થી થાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા. અમે બંને એક બીજા કરતા વિપરીત છીએ. મને લડવા જોઈએ. પહેલા મારા પતિ શાંત હતા હવે એ પણ લડે છે. પણ હવે એમનું મારા માટેનું આકર્ષણ જતું રહ્યું છે. એમના માટે હું સાવ રેઢીયાળ છું. એમની દ્રષ્ટીએ હું ગંદકી કરું છું. ખોટું બોલું છું. અફવાઓ ઉડાડું છું. પણ એવું તો બધી સ્ત્રીઓ કરતી હોય. એમને કોણ સમજાવે કે આને ટાઈમ પાસ કહેવાય. એક વડીલે સમજાવ્યું કે ખાટલામાં બધું બરાબર થઇ જાય. પણ એ માનતા નથી. એ કહે છે કે હું કાઈ જાનવર નથી કે જે વ્યક્તિ જગડો કરીને પછી નજીક આવે એને પણ હું નજીક આવવા દઉં. એમને તળેલું ન ભાવે. હવે ખવડાવવું પણ શું? મમ્મીના કહેવાથી લાડવા બનાવ્યા તો માંડ એક ખાધો. બધા કહે છે કે સારો ખોરાક ખવડાવીએ તો પુરુષ આફૂડો આપણો થઇ જાય. પણ આને તો બધું સાદું ફાવે. આ બધું મેં નાનપણથી જોયું છે. પણ ખબર નહિ કેમ એમને આવું નથી ફાવતું. મને એમ કે એમના વિશે ગમે તેવું કહેવાથી એ ગુસ્સામાં નજીક આવશે. પણ એવું કશું નથી થતું. વળી એને ખબર પડે છે કે હું બહાર એના વિશે ગમે તેમ બોલું છુ તો પણ ગુસ્સે થાય છે. મારું ધ્યાન બહુ રાખે છે, સારું કમાય છે અને કામવાળા ન આવે તો એ બધું કામ કરી નાખે. મને કશું કરવા ન દે. એટલે થાય છે કે આવું બીજે નહિ મળે. શું કરું?

જવાબ: તમે જેને સાહજિક માનો છો એ સહજ નથી. વ્યક્તિના મનને સમજવું પડે. તમે માત્ર તમારો વિચાર કરો છો. સામે વાળાને સમજો. એને પ્રેમ કરો એ સામે પ્રેમ કરશે. તમે લડો છો એટલે એ સામે લડે છે. એમના સાચા મિત્ર બની જાવ. સાથે કોઈ કાર્ય કરો. એમના દોષ જોવાના બદલે એમને સમજો. બે અલગ પરિવારમાં જન્મેલી વ્યક્તિઓના જ લગ્ન થાય. પણ પછી બંને એ એક બીજાને સમજી અને આત્મીયતા કેળવવી પડે. તમારા પતિ ખાસ છે એ સમજો. એમના વિશે ગમે તેમ અફવા ફેલાવશો તો એ દુખી થશે. એ બધું બંધ કરો. તમે પોતે જ તમારા સંબંધોમાં અન્યને લાવો છો. એ ગેપ પૂરવામાં જિંદગી નીકળી જશે. ગુરુવારે બંને સાથે બેસીને લક્ષ્મીજીની પૂજા કરો. પ્રદોશનું વ્રત કરો.

સુચન: ગુરુવારે પીપળાના પાન પર ખીર ધરાવીને પ્રસાદ લેવાથી આત્મીયતા વધે છે.

(આપના સવાલો મોકલી આપો email: vastunirmaan@gmail.com)

રાશિ ભવિષ્ય 16/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે,  વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 16/02/2024

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહાર

કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધતા પાર્ટી અધ્યક્ષ ખડગેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું, આ લોકો ન તો બંધારણમાં માનતા હોય છે અને ન તો લોકશાહીમાં, તેઓ માત્ર આમાં જ વિશ્વાસ રાખે છે, તેઓ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છે છે. સરમુખત્યારશાહી જોઈએ છે અને મોદીજી આજે તે તાનાશાહી કરી રહ્યા છે.તેમણે કહ્યું, ભાજપના લોકો આવું કહી રહ્યા છે, તેથી આપણે મજબૂત બનીને તેનો સામનો કરવાની જરૂર છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જ્યાં સુધી આપણે મજબૂત નહીં બનીએ, હું ખાસ કરીને ગરીબોને કહેવા માંગુ છું, હું દલિતોને કહેવા માંગુ છું, હું પછાત લોકોને કહેવા માંગુ છું, હું લઘુમતીઓના લોકોને કહેવા માંગુ છું, ગરીબો ગમે તે હોય. હું તેમને કહેવા માંગુ છું… મને લાગે છે કે મોદી આ છેલ્લી ચૂંટણી કરાવશે, આ પછી કોઈ લોકશાહી નહીં હોય, આ પછી કોઈ બંધારણ નહીં હોય, આ પછી કોઈ લોકશાહી નહીં રહે. તમને જણાવી દઈએ કે આ પહેલા 29 જાન્યુઆરીએ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘જો નરેન્દ્ર મોદી બીજી ચૂંટણી જીતશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે.

કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ ભાજપ પર તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 500 ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. તેમણે કહ્યું, હવે તેઓ ડરાવીને પર કબજો કરી રહ્યા છે, આ 10 વર્ષમાં તેઓએ અમારા 500 ધારાસભ્યોને ખરીદ્યા છે. મને કહો, શું નહેરુજીના સમયમાં આવું બન્યું હતું? ઈન્દિરાજીના સમયમાં આવું બન્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં થયું હતું? તે ક્યારે બન્યું? રાજીવ ગાંધીના સમયમાં શું થયું? જો એવું નથી થયું તો તેઓ (ભાજપ) શા માટે કરી રહ્યા છે?