Home Blog Page 2074

તમારા અસ્તિત્વનો અનુભવ કરો

મગજ મગજને સમજે છે અને હૃદય હૃદયને સમજે છે. નાક માત્ર સૂંઘી શકે છે; આંખો જોઈ જ શકે છે; કાન માત્ર સાંભળી શકે છે, કાન જોઈ શકતા નથી. હૃદય પણ એ જ રીતે અનુભવી શકે છે. આપણે હૃદયને મગજમાં અને મગજને હૃદયમાં રાખવાની કોશિશ કરીએ છીએ પણ એ કામ કરતું નથી. તમારું હૃદય અનુભવ કરે છે કે કંઈક સુંદર છે, જ્યારે તમારું મગજ તમને કહે છે કે તે સુંદર છે. આપણે આપણા મનમાં શબ્દને ફક્ત પકડી રાખીએ છીએ પણ તેને અનુભવી શકતા નથી. આપણે આપણા મગજમાં ‘સુંદર’ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ અને તેમ છતા સુંદર લાગતું નથી.

પ્રેમનું પણ કંઈક એવું જ છે, તમે પ્રેમ વિશે વધુ પડતી વાત કરો છો, જે તમારા મગજમાં જ અટવાઈ જાય છે અને તમારા હૃદયમાં પ્રેમનો ઉદય થતો નથી. પ્રેમ મૌન માં સ્ફુરે અને ફેલાય છે. આપણને જે વસ્તુઓ વધુ ગમે છે તેમાં આપણે આપણી જાતને અનુભવીએ છીએ. તેથી જ, જ્યારે આપણે આપણને ગમતી વસ્તુઓ ગુમાવીએ છીએ, ત્યારે આપણને દુઃખ થાય છે; આપણે આહત થઈએ છીએ. ચાલો માની લો કે તમે તમારા પિયાનોને ખૂબ પ્રેમ કરો છો અને તમે સાંભળો છો કે તમારા મસ્ત પિયાનો સાથે કંઈક થયું છે, તો તમે એવું અનુભવો છો જાણે તમારી અંદર કંઈક તૂટી ગયું છે. અથવા, જો તમારી કાર અથવા તમારા કૂતરાને કંઈક થાય છે, તો તમે પોતાને નુકશાન થયું છે તેવું અનુભવો છો. તમે ફક્ત તમારા શરીરમાં જ નથી રહેતા, પરંતુ તમે તેને તમારું ઘર પણ બનાવ્યું છે. પરંતુ જો આપણે સર્વસ્વને આવરી લેવા માટે આ અસ્તિત્વને વધુ વિસ્તૃત કરી શકીએ તો આપણે જાણીશું કે કોઈ નુકશાન નથી થયું અને આપણે સંપૂર્ણ છીએ.

તમે વાદળી મોતી છો. વાદળી સુંદર છે; વાદળી એવી વસ્તુ છે જે વિશાળ, વ્યાપક અને અનંત છે. આ સૃષ્ટિમાં જે કંઈ વિશાળ છે, જેનું ઊંડાણ છે, જે અનંત છે, તે વાદળી રંગમાં વ્યક્ત થાય છે. આકાશ વાદળી છે, સમુદ્ર વાદળી છે. તમે તમારા અસ્તિત્વમાં ખૂબ ગહન છો. તમે શરીરમાં હોવા છતાં તમારા અસ્તિત્વને કોઈ માપી શકતું નથી. તમારી અંદરનું અસ્તિત્વ માત્ર અનંત નથી; તે એક તેજસ્વી અનંત પ્રકાશ છે જે ગહન અને વિશાળ છે. વાદળી મોતી એટલે કે જે ચમકે છે, જે તેજસ્વી છે, જે અનંત છે; તેમ છતાં, તે મર્યાદિત જણાય છે, તે વ્યાપક દેખાય છે.

જ્યારે આપણે આપણા હૃદયને સાંભળવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે બધું એક છે; અને બધામાં એક જ ઈશ્વર છે. જુઓ, આપણા શરીરમાં ઘણા કોષો છે અને દરેક કોષનું પોતાનું જીવન છે. દરરોજ ઘણા કોષો જન્મે છે, ઘણા કોષો મરી રહ્યા છે પરંતુ તેઓ તમને ઓળખતા નથી. તમે જાણો છો કે કોઈ કોષમાં કંઈક ખોટું છે; તમે તેને અનુભવી શકો છો. તેવી જ રીતે, જો કે આપણા બધાનું જીવન ટૂંકું છે, તેમ છતાં એક અસ્તિત્વ એવું છે જે અન્ય તમામ જીવનને આવરી લે છે અને તેનું નિયંત્રણ કરે છે.

આપણે સૌ જીવનના મહાસાગરમાં તરી રહ્યા છીએ. આપણી આસપાસ ફક્ત ખાલી જગ્યા જ નથી; તે એક જીવંત વિશાળ જીવન છે. અને ત્યાં જીવનના વિશાળ સમુદ્રમાં, બધા છીપ તરી રહ્યા છે અને દરેક છીપમાં થોડું જળ છે જેની અંદર સમુદ્રનું જ જળ છે કોઈ અલગ જળ નથી. તેથી, આપણે આપણા કવચમાંથી બહાર આવવાની જરૂર છે અને એ સમજવાનું છે કે , “હું માત્ર શરીરમાં નથી, પણ હું સર્વત્ર વ્યાપ્ત છું; હરેક જગ્યાએ. હું મારી જાતને દરેકમાં જોઉં છું.” આ જીવનનો સાર છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 85 : મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહ

“પૈસા, પાણી અને પત્ની, ના હોય ત્યારે જ એની વેલ્યુ સમજાય!” જેવું બ્રહ્મવાક્ય પોતાની પત્નીની યાદમાં હસતા-હસતા બોલનાર અમદાવાદના જાણીતા એડવોકેટ (Taxation) મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ અમદાવાદમાં. તેમને બે ભાઈ. પિતા 1936માં કરાચીથી અમદાવાદ આવ્યા અને ફુવાની દુકાનમાં સેલ્સમેન તરીકે જોડાયા. મધુકરભાઈનો શાળાનો અભ્યાસ ન્યુ હાઇસ્કુલમાં, કોલેજ એચ.એલ. કોમર્સમાં. પછી એલએલબી સુધી ભણ્યા. બાળપણમાં આઝાદીની લડતમાં વડીલોને મદદ કરતા. તેમણે 140 રૂપિયાના પગારથી કામ શરૂ કર્યું, ત્રણ રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ! દર મહિનાની પેહલી તારીખે પગાર આવે એટલે ધનાસુથારની પોળ જઈ અંબાજીના મંદિરે ભેટ ધરાવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

હજુ 85 વર્ષે રિટાયર થયા નથી! ટેક્સેશનની પ્રેક્ટિસ ચાલુ છે, સાથે સેવા-ધર્મનું કામ પુષ્કળ કરે છે. સવારે 5:00 વાગે ઊઠે, બે લોટા પાણી પીએ, ગરમ મીઠાના પાણીના કોગળા કરે, સૂંઠની ગોળી લે. ચાલતા-ચાલતા રાજપથ ક્લબ જાય, 400 મીટરના બે રાઉન્ડ મારે, ગરમ જ્યુસ અને તુલસી-સુધા પીએ. ઘરે આવીને હળદર-મીઠાનું દૂધ લે. રોજ નાસીકા કરે. 11:00થી એક વાગ્યા સુધી ઓફિસમાં હોય. ઘેર જઈ જમીને આરામ કરે. વળી ચારથી છ ઓફિસમાં કામકાજ કરે. આજના દિવસે પણ સોશિયલ-લાઈફ જોરદાર છે! તેમણે અનેક સંસ્થાઓ સ્થાપવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. નવરંગપુરા, આંબાવાડી અને સેટેલાઈટના સ્થાનકવાસી-જૈન-સંઘનાં બંધારણ તેમણે બનાવ્યાં. જૈન-લોટસ-ગ્રુપના સ્થાપક અને સલાહકાર મંડળના સભ્ય છે. જૈન-કલ્ચરલ-ગ્રુપ સાથે 43 વર્ષથી સંકળાયેલા છે અને 43 વર્ષથી જૈન-સમૂહ-લગ્ન યોજે છે. સિનિયર-સિટીઝન કલ્ચરલ ગૃપમાંથી દર વર્ષે ઇન્ટરનેશનલ ટુર લઈ જતા. વડીલોને 18 દેશોનો પ્રવાસ કરાવ્યો છે, સખાવતી સંસ્થાઓમાં સિનિયર-સિટીઝન્સને લઈ ગયા છે અને વડીલોને ખૂબ-ખૂબ આનંદ કરાવ્યો છે તથા જ્ઞાન સાથે ગમ્મત કરાવી છે.

 

શોખના વિષયો : 

ફરવા-ફેરવવાનું ગમે. હજુ જાતે જ ગાડી ડ્રાઈવ કરે છે. સામાજિક પ્રવૃત્તિઓ  ઘણી કરે છે. સંજીવની-ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. દર મહિનાની 15મી તારીખે 250 કીટ જરૂરિયાતવાળા માણસોને આપે છે. સત્યસાંઈ-હાર્ટ-હોસ્પિટલ તથા રાજેન્દ્રનગર આશ્રમ જેવી સેવાભાવી સંસ્થાઓને અનુમોદન આપે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઈશ્વરની મહેરબાનીથી તબિયત સારી છે. 25 વર્ષથી જેવાને તેવા દેખાય છે! ઉપર જણાવેલો સવારનો નિત્યક્રમ એકદમ નક્કી. રાતના કાયમી-ચૂર્ણ લે, તે સિવાય કોઈ દવા લેતા નથી, કોઈ રોગ પણ નથી. કદાચ જીન્સમાં જ હશે. માતાએ 103 વર્ષ, પિતાએ  94 વર્ષ અને મોટાભાઈએ 88 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું છે. તેઓ 85 વર્ષે અને નાનાભાઈ 82 વર્ષે તંદુરસ્ત છે, જોકે પત્ની 60 વર્ષે ગુમાવ્યા. પત્નીના ગયા પછીના 25 વર્ષમાં પોતાના અંગત કામ માટે કોઈની મદદ નથી લીધી.

યાદગાર પ્રસંગ:  

દિવ્યાંગોને લાગે કે તેઓ સમાજથી જુદા છે એટલે બધા સાથે મિક્સ થતાં ખચકાય. એ ખચકાટ દૂર કરવા તેમણે એકવાર દિવ્યાંગો માટે ખાસ જમણવાર યોજ્યો. રિસેપ્શનની જેમ દરેકનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું. ટેબલ-ખુરશી પર બેસાડી, ટ્રસ્ટીઓએ તેમને જમવાનું પીરસ્યું અને ખૂબ આનંદથી તેમને જમાડ્યા! તેમના પડોશમાં એક સિંધી-કુટુંબ રહેવા આવ્યું. અમદાવાદમાં નવા હતા. તેમનો નાનો દીકરો લખોટી ગળી ગયો. કુટુંબનાં સભ્યો ગભરાઈ ગયાં. આસપાસ કોઈને ઓળખે નહીં. કોણ મદદ કરવા જાય? કોણ તેમને ડોક્ટર પાસે લઈ જાય? મધુકરભાઈ બાળકને ડોક્ટર પાસે લઈ ગયા. તરત સારવાર કરાવી અને સિંધીનો દીકરો હસતો-રમતો ઘેર પાછો આવ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઉપયોગ નહિવત્ કરે છે. મોબાઇલનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે. કોરોનાએ શીખવાડી દીધું!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજના યુવાનો બહુ સેલ્ફ-સેન્ટર્ડ છે. “મારું શું?” અને “આપણે શું?” એમાં જ માને છે. જોકે બધાં યુવાનો ખરાબ છે એવું નથી. આજના ઘણાં યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના પોકેટ-મનીમાંથી પણ ઘણું કામ કરે છે. તેમને  થોડા માર્ગદર્શનની જરૂર છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ત્રણ દીકરા છે: એક એન્જિનિયર, બીજો એમબીએ અને ત્રીજો એડવોકેટ છે. ઘરનાં અને કુટુંબનાં યુવાનો સાથે સારું ફાવે છે. સામાજિક કામોને લીધે સમાજનાં યુવાનો સાથે સારી રીતે સંકળાયેલા છે.

સંદેશો :  

વડીલોએ યુવાનોને ગમતા થવું! બાળકોના વિકાસ અને આનંદની વચ્ચે આવવું નહીં. ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ, સારી તંદુરસ્તી અને પોઝિટિવ સ્વભાવ રાખો તો જ આજના સમયમાં ટકી શકો. આપણાથી નીચે હોય તેની ઉપર નજર રાખવી. તેમને શક્ય હોય તેટલી મદદ કરવી.

કોરાનાના 120 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 120 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,468 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,467 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,155 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 149 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 846 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,938 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 65 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 14/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 14/02/2024

PM મોદીએ UAE માં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે. અહીં તેઓ મંગળવારે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેઓ બુધવારે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.

UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને યુએઈ બંને સાથે મળીને આગળ વધ્યા છે. UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. આજે UAE સાતમું સૌથી મોટું રોકાણકાર છે. અમારા બંને દેશો ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ બિઝનેસ ડૂઇંગ’ પર ઘણો સહકાર આપી રહ્યા છે. આજે પણ અમારી વચ્ચે થયેલા કરારો આ પ્રતિબદ્ધતાને આગળ લઈ રહ્યા છે. અમે અમારી નાણાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરી રહ્યા છીએ. બંને દેશ ટેકના ક્ષેત્રમાં સતત મજબૂત બની રહ્યા છે.

હું તમને તે જમીન આપીશ જેના પર તમે રેખા દોરો

UAE ના પ્રમુખ નાહ્યાને તમારા લોકોનું ખૂબ ધ્યાન રાખ્યું. 2015 માં, તમારા બધા વતી, અબુ ધાબીમાં એક મંદિરનો પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એક ક્ષણ પણ બગાડ્યા વિના તેણે હા પાડી. તેણે કહ્યું કે હું તમને તે જમીન આપીશ જેના પર તમે રેખા દોરશો. અબુ ધાબીમાં ભવ્ય દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો ઐતિહાસિક સમય આવી ગયો છે. ભારત-યુએઈની મિત્રતા જમીન પર એટલી જ મજબૂત છે જેટલી તે અંતરિક્ષમાં પણ લહેરાવી રહી છે.

છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી સાતમી મુલાકાત

શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી સાતમી મુલાકાત છે. આજે પણ UAEના રાષ્ટ્રપતિ નાહયાન મને એરપોર્ટ પર રિસીવ કરવા આવ્યા હતા. તેની હૂંફ પણ એટલી જ હતી, તેની નિકટતા પણ એટલી જ હતી. આ જ તેમને ખાસ બનાવે છે. મને ખુશી છે કે અમને ચાર વખત ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક પણ મળી. તે થોડા દિવસ પહેલા જ ગુજરાત આવ્યો હતો. ત્યારે રસ્તાની બંને બાજુએ લાખો લોકો તેમનો આભાર વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. જે રીતે તે યુએઈમાં તમારા બધાનું ધ્યાન રાખે છે, જે રીતે તે તમારી રુચિઓનું ધ્યાન રાખે છે. આવું ભાગ્યે જ જોવા મળે છે. તેથી તે બધા લોકો તેમનો આભાર માનવા માટે તેમના ઘરની બહાર આવી ગયા.

ખેડૂતોના આંદોલન વચ્ચે MSPને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત

પંજાબ-હરિયાણાના ખેડૂતો MSPની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હજારો ખેડૂતો શંભુ બોર્ડર પર પહોંચી ગયા છે. ખેડૂતોને આગળ વધતા રોકવા માટે પોલીસે બેરિકેડના અનેક સ્તરો લગાવી દીધા છે. ખેડૂતો બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને પાછળ ધકેલવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ખેડૂતોના આંદોલન વચ્ચે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે.

 

કોંગ્રેસે કહ્યું છે કે સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર અમે MSP કાયદો બનાવીને ખેડૂતોને વાજબી ભાવની ખાતરી આપીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, MSP માટે કાનૂની ગેરંટી મળવાથી 15 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પ્રથમ ગેરંટી છે.

જેને ભારત રત્ન આપવામાં આવ્યો તેમની વાત સરકાર સ્વીકારી રહી નથી

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે સ્વામીનાથનજીને ભારત રત્ન આપ્યો, પરંતુ તેમણે જે હેતુ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેને લાગુ કરવા સરકાર તૈયાર નથી. તેનો અર્થ શું છે? સ્વામીનાથન જીના રિપોર્ટમાં જે પણ આપવામાં આવ્યું છે તે અમે ખેડૂતોને આપીશું. બીજી તરફ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસે ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી છે. સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર, અમે MSP કાયદો બનાવીને ખેડૂતોને વાજબી ભાવની ખાતરી આપીશું. તેનાથી 15 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે.

MSP માટે કાનૂની ગેરંટી પર અડગ ખેડૂતો

ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP માટે કાયદો બનાવવો જોઈએ જેથી તેની ગેરંટી મળી શકે. સોમવારે, ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા તેમજ પીયૂષ ગોયલે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે કેટલાક કલાકો સુધી બેઠક કરી, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નહીં. ખેડૂતો એમએસપી ગેરંટી અને લોન માફી પર અડગ છે. મંત્રણા અનિર્ણિત રહ્યા બાદ આજે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિની મોટી જાહેરાત

આ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાના કોંગ્રેસ પાર્ટીના તમામ દાવાઓને નકારી કાઢતા પંજાબ કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના નેતા સર્વન સિંહ પંઢેરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ખેડૂતોની સમસ્યાઓ માટે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ જેટલી જ જવાબદાર છે તેટલી જ ભારતીય જનતા પાર્ટી પણ જવાબદાર છે. તેમણે ખેડૂતો પર પોલીસ કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. પંઢેરે એમ પણ કહ્યું કે ખેડૂતોની દુર્દશા માટે કોંગ્રેસ સૌથી વધુ જવાબદાર છે.

અમે દુર્દશા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીએ છીએ

ખેડૂત નેતા પંઢેરે ખેડૂતો અને મજૂરોને સમર્થન આપવાના કોંગ્રેસ પક્ષના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે ખેડૂતોની દુર્દશા માટે કોંગ્રેસ પણ એટલી જ દોષિત છે. અમે દેશના ખેડૂતો અને મજૂરો છીએ, મીડિયામાં જે પણ કહેવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ અમને સમર્થન નથી આપતી. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસને દોષ આપીએ છીએ કારણ કે કામ એમએસપીની નીતિઓ કોંગ્રેસ લાવી છે. પંઢેરે કહ્યું, “બંગાળમાં શાસન કરનાર સીપીએમએ 20 ભૂલો કરી, પશ્ચિમ બંગાળમાં ત્યાંથી કેવા પ્રકારની ક્રાંતિ આવી, અમે કોઈના પક્ષમાં નથી, અમે ખેડૂતો અને મજૂરો છીએ.”

એવું લાગે છે કે પંજાબ હરિયાણા આંતરરાષ્ટ્રીય સરહદ છે

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે પોલીસ હરિયાણા અને પંજાબના ગામડાઓમાં લોકોને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે અમે હરિયાણાની સ્થિતિ તેમની સમક્ષ રજૂ કરી કે તમે હરિયાણાને કાશ્મીરની ખીણમાં ફેરવી દીધું છે, તમે હરિયાણાના દરેક ગામમાં પોલીસ મોકલી રહ્યા છો. પંઢેરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જુઓ, એવું લાગે છે કે પંજાબ અને હરિયાણા ભારતના બે રાજ્યો નથી પરંતુ એક આંતરરાષ્ટ્રીય સરહદ છે, જેમ આપણે હવે જોઈ રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે

તમને જણાવી દઈએ કે આજે મંગળવારે રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, ખેડૂત ભાઈઓ, આજનો દિવસ ઐતિહાસિક છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પ્રથમ ગેરંટી છે.

સ્વરકાર નિનુ મઝુમદાર, વિનાયક વોરાની સ્મૃતિવંદનાનો કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે બે સ્વરકાર નિનુ મઝુમદાર અને વિનાયક વોરાની સ્મૃતિવંદનાનો એક કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સહયોગમાં યોજાઈ ગયો. કેટલાંક સ્વરાંકન છ સાત દાયકા અગાઉનાં સંગીતનો પરિચય કરાવતાં હોય છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ભવન્સ કલ્ચરલ સેન્ટર,અંધેરીના સહયોગમાં બે ધુરંધર સ્વરકારના યોગદાનને તાજેતરમાં સ્મૃતિ અંજલિ આપી. આ બંને સ્વરકાર એટલે નિનુ મઝુમદાર અને પંડિત વિનાયક વોરા!

નિનુ મઝુમદાર 1915માં જન્મ્યા. એમનું બાળપણ વડોદરા નાનીમા સાથે વીત્યું જ્યાં ઉસ્તાદ ફૈયાઝ ખાન પાસે એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. 16 વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવી પરિવાર સાથે જોડાયા. એમના પિતા નગેન્દ્ર મઝુમદાર સાઈલન્ટ ફિલ્મોના દિગ્દર્શક હતા. નિનુભાઈએ ગુજરાતી ગીતો લખ્યાં, સ્વરબદ્ધ કર્યાં, ગાયાં પણ ખરા અને સાથે સાથે 20 હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું. તેઓ 1931 માં મુંબઈ આવ્યા અને રવીન્દ્ર સંગીતનો અભ્યાસ કર્યો. થોડો વખત તેઓ ઉત્તર પ્રદેશમાં હતા. ત્યાં ફોક મ્યુઝિકના વિવિધ સ્વરૂપો જેવા કે ચૈતી, હોરી, ઠુમરી, દાદરા વગેરેમાં પણ એમને રસ પડ્યો. 1954 માં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ગુજરાતી સુગમ સંગીતના નવાં ગાયકોને પ્લેટફોર્મ આપ્યું. 1942 થી 1967 વચ્ચે 20 હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું સાથે સાથે 32 જેટલાં ગીતો પણ ગાયા. ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે સંગીત આપ્યું હતું. એમના પુત્ર જાણીતા સંગીતકાર તથા ગાયક ઉદય મઝુમદારે કહ્યું હતું કે નિનુભાઈએ એમનાં સંતાનોને (ગાયિકા રાજુલબહેન, લેખિકા તથા નારી ઉત્કર્ષ માટે આજીવન કાર્યરત સોનલ શુક્લ, નાટક તથા ફિલ્મ કલાકાર મીનળ પટેલ તથા ઉદય મઝુમદાર) પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધવાનું વાતાવરણ તૈયાર કરી આપ્યું હતું. પોતાના વિચારો તેઓ ક્યારેય સંતાનો પર લાદતા નહિ. નિનુ મઝુમદાર વાગ્ગેયકાર હતા. શબ્દ, સ્વર અને સૂર ત્રણે એમને વરેલાં હતાં એટલે સંગીતકાર અવિનાશ વ્યાસ એમને ‘ બિલીપત્ર ‘ કહેતા એ ઉલ્લેખ સંચાલક કવિ સંજય પંડ્યાએ કર્યો.

1929 માં જન્મેલા સ્વરકાર વિનાયક વોરાને સંગીત વારસામાં મળ્યું. એમના પિતા આચાર્ય નાનાલાલ વોરા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત સંગીતજ્ઞ હતા. રાજકોટથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ મુંબઈ આવીને પંડિત યશવંતરાય પુરોહિત પાસે શાસ્ત્રીય ગાન શીખ્યા. વીણા જેવું એક વાદ્ય તેમણે બનાવ્યું હતું જેને ‘તાર શહેનાઇ’તરીકે એમણે ઓળખાવ્યું હતું. દેશ વિદેશમાં પંડિત જસરાજ, પંડિત રવિશંકર , યહૂદી મેન્યુહીન જેવા સાથે સંગીતના ઘણા કાર્યક્રમ એમણે કર્યા. અનેક ફિલ્મો તથા સિરિયલમાં સંગીત આપી ચૂકેલા એમના પુત્ર ઉત્તંક વોરાએ પણ એમના પિતાશ્રી પાસે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધી એની વાત કરી. 14 વર્ષની ઉંમરે તેઓ પિતાને બદલે સંગીતના વર્ગ લઈ લેતા . શરૂમાં હું શાસ્ત્રીય અને સુગમ બંને શીખતો પણ પિતાશ્રીએ બેમાંથી એક પર ફોકસ કરવાનું કહ્યું. એમ ઉત્તંક વોરાએ જણાવ્યું હતું. વિનાયક વોરા, ઉત્તંક વોરા અને હવે ઉર્વાક વોરા એમ ત્રણ પેઢી સંગીતક્ષેત્રે આવી એનો એમણે ઉલ્લેખ કર્યો હતો. નાનાલાલ વોરાથી ગણીએ તો ચાર પેઢી થાય! ઉત્તંકભાઈએ એમના ભાઈ સ્વ.નીરજ વોરાને પણ યાદ કર્યા જેમણે નાટક અને ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પંડિત વિનાયક વોરાના શિષ્ય યોગેશ્વર ધોળકિયા, સ્વરકાર તથા ગાયક સુરેશ જોષી, સંગીતકાર રજત ધોળકિયા તથા નેહા યાજ્ઞિકે પણ પોતાની સ્મરણમંજૂષામાંથી કેટલાંક સંસ્મરણો રજૂ કર્યાં હતાં. ઉદય મઝુમદાર, ઝરણા વ્યાસ તથા મનીષા ડૉક્ટરે નિનુ મઝુમદાર તથા વિનાયક વોરાનાં સ્વરાંકનની ઉત્તમ રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના, સંકલન અને સંચાલન સંજય પંડ્યાના હતા અને એમણે શ્રોતાઓને રજૂઆત દ્વારા બાંધી રાખ્યાં હતા. એમણે પણ પોતાના પિતાશ્રી વિઠ્ઠલ પંડ્યાના પુસ્તક ‘સપનાના સોદાગર’માં નીનુભાઈના પિતાશ્રી નગેન્દ્ર મઝુમદારની મૂંગી ફિલ્મો વિશે ઉલ્લેખ છે એની વાત કરી હતી. ‘ગોપીનાથ ‘ ફિલ્મમાં રાજકપુર પર ફિલ્માવેલા નિનુભાઈના એક ગીતની ધૂનનો ઉપયોગ રાજકપૂરે “સત્યમ શિવમ સુંદરમ” ફિલ્મમાં કર્યો હતો એની વાત કરી હતી. ઉદયભાઈએ એમાં ઉમેરો કર્યો હતો કે ઉઠાંતરી થયેલા એ ગીતને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું અને જ્યુરીમાં હતા નિનુભાઈ! નિનુભાઈએ મોટું હૃદય રાખી એ ગીતને ફિલ્મફેર એવોર્ડ આપ્યો હતો.

અકાદમીના આ કાર્યક્રમમાં વાદ્યસંગતમાં પ્રતીક શાહ (કી બોર્ડ), ભૂમિન પંડ્યા (તબલાં), હેમાંગ મહેતા (સાઈડ રીધમ) તથા રામભાઇ (ઢોલ) હતા. સંકલનમાં વિજયદત્ત વ્યાસે જહેમત ઉઠાવી હતી. દોઢસો ઉપરાંત શ્રોતાઓ માટે આ સાંજ યાદગાર હતી.