Home Blog Page 2079

Paytmને વધુ એક ઝટકો, ડિરેક્ટરે રાજીનામું આપ્યું

Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ Paytm પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે Paytm પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરાયેલી માહિતી અનુસાર, મંજુ અગ્રવાલ જે પેટીએમ પેમેન્ટ બેંકના ડિરેક્ટર હતા. તેમણે 1 ફેબ્રુઆરીએ બોર્ડને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે RBI દ્વારા પ્રતિબંધના કારણે મંજુ અગ્રવાલે રાજીનામું આપ્યું છે.

જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે આરબીઆઈએ કંપનીને 29મી ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. Paytm પેમેન્ટ્સ બેંકના ડિરેક્ટરે રાજીનામું આપ્યું, કંપનીએ પુષ્ટિ કરી અગાઉ, ભારત સરકારે આ કંપનીના ચીન સાથેના સંબંધોની પણ તપાસ કરી હતી. સરકારે Paytm પેમેન્ટ બેંકમાં ચીનના વિદેશી રોકાણની તપાસ શરૂ કરી છે.

આ કંપનીનું નામ બદલવામાં આવ્યું હતું

ગયા સપ્તાહની શરૂઆતમાં, કંપનીએ તેના ઈ-કોમર્સ બિઝનેસનું નામ પણ બદલી નાખ્યું હતું. Paytm ઈ-કોમર્સનું નામ બદલીને Pai Platforms રાખવામાં આવ્યું. આ સાથે, કંપનીએ ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે બિટસિલાને હસ્તગત કરી છે. વાસ્તવમાં આરબીઆઈના નિર્ણય બાદ પેટીએમમાં ​​ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ કંપનીમાં વધુ ફેરફાર થઈ શકે છે. હાલમાં જ એક સર્વેમાં એક વાત સામે આવી છે કે લોકો Paytm પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. આ સર્વે અનુસાર, લગભગ 49 ટકા નાના દુકાનદારો હવે લોકોને Paytmને બદલે અન્ય એપ દ્વારા પેમેન્ટ કરવાનું કહી રહ્યા છે.

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો 200મો જન્મોત્સવ ઊજવાયો

મોરબીઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ-જ્ઞાન જ્યોતિ પર્વ અને સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યાં હતાં. રાષ્ટ્રપતિને રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

રાષ્ટ્રપતિએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.

આ યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન-દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનનાં કાર્યોથી પરિચિત થયાં હતાં. રાજ્યપાલે રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રીને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.

ટંકારામાં ૧૫ એકરમાં નિર્માણ પામનારા જ્ઞાન જ્યોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજ્યપાલે આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર, સ્કૂલ, પુસ્તકાલય, રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.

આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્રનિર્માણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચિત્રોમાં અને તેમની સાથે જોડાયેલાં ઐતિહાસિક સ્મૃતિ સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નારી શિક્ષા અને મહિલા સશક્તીકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથેની સ્મૃતિ સમૂહ તસવીરમાં અંકિત કરાવી હતી.

 

 

 

 

 

 

 

બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો

બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએ સરકારની તરફેણમાં 129 મત પડ્યા હતા જ્યારે વિપક્ષ પહેલાથી જ ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યો હતો. બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. નીતિશ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા હતા. આ દરમિયાન વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આરજેડી અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વીના ઘરે રાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ-જેડીયુના ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલીપુત્ર હોટલમાં રાખવામાં આવ્યા હતા.

બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતીનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.

 


નીતિશ કુમારનો આરજેડી પર પ્રહાર

નીતિશ કુમારે કહ્યું કે 2005થી અમને કામ કરવાનો મોકો મળ્યો. આ 18મું વર્ષ છે. વચ્ચે થોડા મહિના આપવામાં આવ્યા. તને શું થયું છે? તમે સાંભળવા માંગતા નથી. અમે દરેક પાસેથી સાંભળ્યું છે.

પૈસા ક્યાંથી આવ્યા, તેની તપાસ કરાવીશું- નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.

નાણાકીય તંગી વચ્ચે સ્પાઇસ જેટનું છટણીનું એલાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટ છટણીની તૈયારીમાં છે. રોકડની અછતનો સામનો કરી રહેલી એરલાઇને આર્થિક સંકટને ખાળવા માટે આ નિર્ણય કર્યો છે. જેથી કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે, જે કુલ વર્ક ફોર્સના 10-15 ટકા છે. હાલમાં અનેક નાની-મોટી વિદેશી કંપનીઓ મોટા પાયે છટણીનું એલાન કર્યું છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી ટર્નઅરાઉન્ડ અને કોસ્ટ કટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે અને હાલમાં ફંડ ઠાલવ્યા પછી કંપનીએ અનેક ઉપાયો શરૂ કર્યા છે. એમાં વર્કફોર્સમાં કાપ કરવાનું સામેલ છે. એનો હેતુ નફાકારક ગ્રોથ હાંસલ કરવાનો અને ઇન્ડિયન એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં તકોનો લાભ ઉઠાવવા માટે તૈયાર કરવાનો છે. આ પહેલથી રૂ. 100 કરોડ સુધીની વાર્ષિક સેવિંગની અપેક્ષા છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9000ની આસપાસ છે. કંપની હાલમાં લગભગ 30 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે, જેમાંથી આઠ લીઝ પર લેવામાં આવ્યા છે.

કંપનીના ઘણા કર્મચારીઓને કંપની તરફથી છટણી અંગેના કોલ મળવા લાગ્યા છે. અગાઉ કર્મચારીઓને પગારમાં સમયસર નહોતો મળતો. કંપની છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં સતત વિલંબ કરી રહી હતી. ઘણા કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરીનો પગાર મળ્યો નથી. કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. એકલા કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. 1400 કર્મચારીઓની છટણી પણ ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે. કંપનીના સ્ટેકહોલ્ડરોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે.  કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ રૂ. 60 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે.

 

 

 

 

 

 

 

 

 

ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ખેલા ! અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોક ચવ્હાણ સહિત કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે વાતચીત શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અશોક ચવ્હાણની સાથે 10થી 12 કોંગ્રેસના ધારાસભ્યો જઈ શકે છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “આજે મેં કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. મેં કોઈ મજબૂરીને કારણે રાજીનામું આપ્યું નથી.

આ ધારાસભ્યો પણ સાથે આવશે

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચવ્હાણની સાથે ત્રણ વધુ ધારાસભ્યો સુભાષ ધોટે, જીતેશ અંતરપુરકર અને અમર રાજપુરકર પણ પાર્ટી બદલી શકે છે. આ સિવાય બાબા સિદ્દીકીના પુત્ર જીશાન પાર્ટી બદલવાની અટકળો છે. જોકે, તેણે આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. એવા અહેવાલો છે કે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પણ કોંગ્રેસના વધુ બે મોટા નેતાઓ પર નજર રાખી રહી છે. જેમાં મુંબાદેવીના ધારાસભ્ય અમીન પટેલ અને મલાડ પશ્ચિમના ધારાસભ્ય અસલમ શેખના નામનો સમાવેશ થાય છે. મુંબઈમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો છે. જો આ તમામ ધારાસભ્યો છોડશે તો મુંબઈમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય બચશે.

આ મોટા નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે

આ પહેલા દિગ્ગજ નેતાઓ મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. અશોક ચવ્હાણની સાથે આ ત્રણેય મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા ચહેરા હતા. જ્યારે દેવરા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો એક ભાગ બન્યો, સિદ્દીકી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા.

કતારમાં ફાંસીની સજા પામેલા આઠ ભારતીયોને છોડાયા

નવી દિલ્હીઃ કતારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચરીઓને છોડી મૂકવામાં આવ્યા છે, જેમને આશરે સાડા ત્રણ મહિના પહેલાં સંદિગ્ધ જાસૂસીના એક મામલે મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતની આ એ મોટી કૂટનીતિક જીત મળી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કે તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને એમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 26 ઓક્ટોબરે એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. ખાડી દેશની અપીલીય કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડની સજાને ઓછી કરી દીધી હતી અને આ સૈનિકોને અલગ-અલગ સમયગાળા માટે જેલની સજા સંભળાવી હતી. ખાનગી કંપની અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા ભારતીય નાગરિકોને જાસૂસીના કેસમાં ઓગસ્ટ, 2022માં ધરપકડ કરી હતી.

વડા પ્રધાન મોદીએ દુબઈમાં COP28 શિખર સંમેલમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષી ભાગીદારી અને કતારમાં રહેતા ભારતીય સમુદાયની ભલાઈ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી પહેલી ડિસેમ્બર, 2023એ COP28 શિખર સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા હતા.  ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

 

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સી. જે. ચાવડા ભાજપમાં જોડાશે

અમદાવાદઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા આજે ભાજપમાં જોડાશે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા  કાર્યક્રમમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તેમની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.

વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાશે. એ સાથે  કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ અને કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાશે.

કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપપ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓને તોડી, ફોડી, દબાવી અને લાલચ અપાય છે. સરકારે પરિસ્થિતિ વિકટ કરતાં ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી.  કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સી.જે.ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યાં હતા. મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યું છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માગતો.

રાજ્ય સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી. જે. ચાવડા છેલ્લાં 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હાર્યા હતા.

 

 

 

 

શાયર અમર પાલનપુરીને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ એનાયત

સુરતઃ ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૮૯ વર્ષની વયે પણ તરોતાજા એવા પરંપરાના છેલ્લા હયાત શાયર અમર પાલનપુરીને વલી એવોર્ડથી પોંખીને હકીકતમાં ઊજળું કામ કર્યું છે. ૧૭મી સદીના કવિ વલીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતો ‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક આ વર્ષે ગુજરાતના વરિષ્ઠ શાયર – ગઝલકાર અમર પાલનપુરીને અર્પણ કરવામાં આવ્યો છે. આ અર્પણ સમારોહ રવિવારની સવારે સુરત અઠવાલાઇન્સના આદર્શ હોલમાં યોજાયો હતો.

” ટૂંકી નથી જરાય પણ લાંબી છે જિંદગી

તારા વિરહના ગજ થકી માપી છે જિંદગી

હાંફી ગયું છે મોત મને આંબતા ‘અમર’

કેવા પવનના વેગથી કાપી છે “જિંદગી”

આ એવોર્ડ સમારોહ પૂર્વે જ્યારે શ્વેત વસ્ત્રમાં સજ્જ અને ચહેરા પર અમરત્વ ધરાવતી મુસ્કાન સાથે અમર પાલનપુરી હોલમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સૌકોઇએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું હતું. મંચ પરથી હરીશ ઠક્કર, પ્રજ્ઞા વશી, કિરણસિંહ ચૌહાણ, એશા દાદાવાલા, ગૌરાંગ ઠાકર, અશોક ચાવડા બેદિલ, મહેશ દાવડકર, વિપુલ મંગ્રોલિયા, હેમંત મદ્રાસી, સુરેશ વિરાણી, વિવેક ટેલર, મેહુલ જયાણી, મુકુલ ચોકસીએ કવિની જાણીતી રચનાઓ રજૂ કરી હતી અને માહોલને અમરમય બનાવ્યું હતું. જ્યારે મંચ પર ખુદ અમર પાલનપુરી આવ્યા ત્યારે વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું.

“રૂપના ઘેલા છીએ, શૂન્યના ચેલા છીએ,

વેરમાં પાછળ હશું, પ્રેમમાં પ્હેલા છીએ”

આ શાયરે એવોર્ડ સ્વીકાર્યા બાદ એવું કામ કર્યું જેને કારણે એના અમર નામને જાણે સોનાનો વરખ લાગ્યો. તેમણે ભારે ભાવ અને સંવેદના સાથે આ એવોર્ડ પોતાના ગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીને અર્પણ કર્યો અને એવોર્ડ સાથે મળતી એક લાખ રૂપિયાની ધનરાશિ શૂન્યના પુત્ર તસ્લિમ ખાનને અર્પણ કરી. આ જાહેરાત સાથે સદન ફરી કરતાલ ધ્વનિની ગુંજી ઊઠ્યું.

‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમર પાલનપુરીને અભિનંદન આપતાં કવિતા, ગઝલ અને સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવ્યું હતું.  મંત્રીએ લોકોને પુસ્તકો અને વાંચન સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓ અને રસ્તાઓ પર લાયબ્રેરીનું નિર્માણ કરવાનુ આયોજન થઈ રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, સાહિત્યકાર રવીન્દ્ર પારેખ અને અન્ય કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટઃ શું થશે કોઈ મોટો ખેલ?

પટનાઃ બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થોડી વારમાં થશે. નીતીશકુમારને સરકાર બચાવવા માટે 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તારૂઢ NDAની પાસે 128 વિધાનસભ્યો છે, પણ એ પહેલાં  હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.

મુખ્ય મંત્રી નીતીશકુમાર અને હમના અધ્યક્ષ જિતન રામ માંઝી વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના એક દિવ પહેલાં રાત્રે પટનામાં રાજકીય હલચલ જારી રહી છે. બીજી બાજુ મહાગઠબંધન અને NDA એટલે –બંને પક્ષો બહુમતનો દાવો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર RJDના ધારાસભ્ય ચેતન આનંદ, નીલમ દેવી, JDUના વિધાનસભ્ય સંજીવ કુમાર અને બીમા ભારતી, જ્યારે ભાજપના વિધાનસભ્ય રશ્મિ વર્મા અને મિશ્રી લાલ હજી સુધી વિધાનસભામાં નથી પહોંચ્યા. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તાધારી NDAમાં JDU, BJP, જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા (હમ) તથા એક નિર્દલીય વિધાનસભ્ય સામેલ છે.

હમના વડા જિતન રામ માંઝીએ ફ્લોર ટેસ્ટ પહેલાં નીતિશ કુમારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો ફોન સ્વિચ ઓફ થઈ રહ્યો છે. જોકે  ભાજપ નેતા નિત્યાનંદ રાય માંઝીના ઘરે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી હતી. જિતન રામ માંઝી નીતીશ સરકારને ફ્લોર ટેસ્ટમાં સમર્થન આપવા માટે રાજી નથી, ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારે જ્યારે JDUની ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, ત્યારે JDUના ચાર ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહે હાજરી આપી ન હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 122 નવા કેસો, એક  પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 122 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,819 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,462 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,92,892 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 871 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,610 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.