Home Blog Page 2097

જયસ્વાલની બેવડી સદીઃ ઇંગ્લેન્ડ 123એ ત્રણ વિકેટ

નવી દિલ્હીઃ બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે ઇતિહાસ રચી દીધો છે. તેણે ટેસ્ટ કેરિયરની પહેલી બેવડી સદી ફટકારીને વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. તે 23 વર્ષની વયે સૌથી વધુ રનોની ઇનિંગ્સ રમનાર ભારતનો ત્રીજો બેટર બની ગયો છે. તેણે સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 23 વર્ષની વયે સચિને ટેસ્ટ રમતાં 179 રનની ઇનિંગ્સ રમી હતી, જે એ સમયે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ્સ હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર છ વિકેટના નુકસાને 336 રન હતો. ટેસ્ટના બીજા દિવસે ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તેણે 277 બોલમાં 18 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ભારતની પહેલી ઇનિંગ્સ 396 રનમાં સમેટાઈ હતી. એ સાથે ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 123 રન કર્યા હતા.યશસ્વી જયસ્વાલ ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય ક્રિકેટર બની ગયો છે. યશસ્વી જયસ્વાલ 209 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસના બોલ પાર યશસ્વીએ એક ઐતિહાસિક પારી રમી પોતાની વિકેટ ગુમાવી હતી.

જયસ્વાલ પહેલાં 1993માં વિનોદ કાંબલીએ 21 વર્ષ 35 દિવસની ઉંમરે ઈંગ્લેંડ સામે જ બેવડી સદી (224) ફટકારી હતી, ત્યાર બાદ એ જ વર્ષમાં વિનોદ કાંબલીએ 21 વર્ષ 55 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે પણ બેવડી સદી (227) નોંધાવી ચૂક્યા છે, આ સિવાય  સુનીલ ગાવસ્કરે પણ 21 વર્ષ અને 283 દિવસની ઉંમરે વર્ષ 1971માં વેસ્ટ ઇન્ડિઝ સામે બેવડી સદી (220) ફટકારી હતી.

જયસ્વાલની આ બેવડી સદી એટલા માટે ખાસ છે, કારણ કે વિશાખાપટ્ટનમની મુશ્કેલ પિચ પર અન્ય ભારતીય બેટ્સમેન 35 રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા. જ્યારે આ પીચ પર આ યુવા ખેલાડીએ બેવડી સદી ફટકારી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘ભવાઈ’ ની આ રવિવારે રજૂઆત

૧૪મી સદીમાં ઊંઝાના અસાઈત ઠાકરે ભવાઈની પરંપરાનો પ્રારંભ કર્યો હતો. અસાઈત ઠાકરે અનેક વેશ લખ્યા હતા જેમાંના ૬૦ જેટલા હાલ ઉપલબ્ધ છે. ભવાઈથી આજની પેઢી અપરિચિત છે એમને આ ભવ્ય પરંપરાથી પરિચિત કરાવવાનું બીડું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ઝડપ્યું છે.

વરિષ્ઠ રંગકર્મી ઉત્કર્ષ મઝુમદાર, દાયકાઓથી ભવાઈને રંગલાલ નાયક તથા ઘનશ્યામ નાયક સાથે જીવંત રાખનાર લીલી પટેલ, ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસ નાયક તથા અમદાવાદથી ખાસ આ કાર્યક્રમ માટે મુંબઈ આવી રહેલા અર્ચન ત્રિવેદી ભવાઈની રજૂઆત કરશે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પણ ભવાઈની પરંપરાનો દર્શકોને પરિચય કરાવવામાં આવશે જે માટે કવિ તથા રંગકર્મી સતીશ વ્યાસનો સહયોગ મળ્યો છે.

હુસૈની દવાવાલાએ પણ ભવાઈની નાની સ્કીટ તૈયાર કરી છે જે યુવાન અભિનેતાઓ દેવ જોશી, માનસી પંડ્યા, પ્રિયંક પટેલ અને હર્ષ જોશી રજૂ કરશે. સમગ્ર રીતે જોઈએ તો દર્શકો માટે આ કાર્યક્રમ એક વિશેષ જલસો છે.

આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના નિરંજન પંડ્યાની છે . સાબરકાંઠા વિકાસ પરિષદ અને બારિશી નેટવર્ક સહયોગી સંસ્થા છે.આ કાર્યક્રમ ૪ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૬.૩૦ વાગ્યે સારસ્વત વાડી, બીજા માળે, ઝવેર રોડ, મુલુંડ પશ્ચિમના સરનામે યોજાયો છે અને સહુને જાહેર નિમંત્રણ છે. જરૂર પહોંચી જજો!

અમદાવાદમાં દુર્લભ સિક્કા નોટો એન્ટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારના સરદાર પટેલ સેવા સમાજ હોલમાં નિયમિત જુદા-જુદા મેળા લાગે છે, પણ અત્યારે આખાય પ્રાંગણની ખુલ્લી જગ્યા, અંદરનો હોલ, ભોંયરામાં- તમામ જગ્યાઓ પર જૂના સિક્કા, અવનવી જૂની નવી નોટો, એકદમ એન્ટિક ચીજવસ્તુઓનું કલેક્શન કરનારાથી ભરાઈ ગઈ છે. ગુજરાત કોઈન સોસાયટી દ્વારા ‘કોઈનેક્સ 2024’ નેશનલ લેવલના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના સિક્કા, મેડલ્સ, કરન્સી નોટ્સ અને કેટલીક દુર્લભ ચીજવસ્તુઓ જોવા મળશે.

ગુજરાત કોઈન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી મોહસિન શેખ ચિત્રલેખા.કોમને કહે છે જૂની, અનોખી, કલાત્મક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનો ઘણા લોકોને શોખ હોય છે. શોખ સંગ્રહ માટે સમય અને નાણાં પણ ખર્ચે છે. સિક્કા, નોટ, મેડલ્સ એન્ટિક વસ્તુઓનું કલેક્શન કરનારા લોકો એક જગ્યાએ ભેગા થાય એ માટે અમે 1994થી પ્રદર્શન મેળો ગોઠવીએ છીએ. આ વર્ષે ફેબ્રુઆરીની 4 તારીખ સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે. નેશનલ લેવલે પ્રદર્શન હોવાથી આ પ્રકારનું કલેક્શન ધરાવનારા લોકો એકઠા થઈ શકે. એકબીજાનું કલેક્શન જોઈ શકે. એકત્રિત કરેલી વસ્તુઓની ઘણા લોકો લે-વેચ પણ કરતા હોય છે. પ્રદર્શનથી આપણા જૂના સિક્કા, નોટો, એન્ટિક વસ્તુઓ કેવી હતી, એ જોવાનો અવસર મળે છે. તમામ લોકો આ પ્રદર્શન માણી શકે એ માટે શહેરની મધ્યમાં રાખવા પ્રયાસ કરીએ છીએ. દેશમાંથી નોટો, સિક્કા, મેડલ્સનું કલેક્શન કરનારા લોકોએ તો ભાગ લીધો છે. આ સાથે એની જાળવણી કરતી સામગ્રી પણ આ પ્રદર્શનમાં જોવા મળશે.

મોહસિન શેખ કહે છે, અવનવું કલેક્શન કરનારા ઘણા લોકોને પોતાના સિક્કાની સાચી કિંમત ખબર હોતી નથી. એવા સમયે નિષ્ણાતો એમને યોગ્ય કિંમત પણ કહે છે. હમણાં સોશિયલ મિડિયાનો જમાનો છે. કેટલીક વાર લોભામણી લલચામણી વાતો કહી માણસોને છેતરવામાં આવે છે. પરંતુ કલેક્શનનો સાચો શોખ, વ્યવસાય અને નિષ્ણાતનો સંપર્ક, સલાહથી યોગ્ય માર્ગદર્શન પણ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

 

સરકાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી કરશે સન્માનિત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર લાલ કૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરશે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં દેશ માટે અસાધારણ યોગદાન આપનારા લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

અડવાણી પાંચ વાર લોકસભા અને ચાર વાર રાજ્યસભાથી સાંસદ રહ્યા છે. તેઓ ત્રણ વાર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ 2002થી 2004 સુધી દેશના ઉપ વડા પ્રધાન પણ રહી ચૂક્યા છે.ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927એ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગ સાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર આ વિશે પોસ્ટ કરતાં લખ્યું હતું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અડવાણીએ 2002 અને 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ પહેલા તેઓ 1998થી 2004 દરમિયાન ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી શરૂ કરી હતી. 2015માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 195 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 187 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,25,792 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,454 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,91,097 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 137 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1400 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,87,087 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 641 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

મસાલેદાર બટેટા કાતરી

બટેટાની વાનગીની નિતનવી વેરાયટી બનાવો તો પણ ઓછી પડે એટલી તેમાં વિવિધતા છે. બટેટાની મસાલેદાર કાતરી પણ જરા હટકે છે!

  • સામગ્રીઃ
  • બટેટા 7-8
  • લસણની કળી 8-10
  • લીલાં મરચાં 3-4
  • ચપટી હીંગ
  • કાંદો 1
  • જીરુ 1 ટી.સ્પૂન
  • આખા લાલ મરચાં 2
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલીને ધોઈને ગોળાકારમાં સુધારી લો. ભજીયા માટે સુધારીએ તેવા પણ થોડા જાડા.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવી લાલ મરચાંના બે ટુકડા કરીને વઘારમાં નાખો. ત્યારબાદ લસણ તેમજ મરચાં ઝીણાં સમારીને તેમાં સાંતડીને ઝીણો સમારેલો કાંદો નાખી ગોલ્ડન બ્રાઉન રંગનો સાંતડો. ત્યારબાદ તેમાં ગોળ સમારેલાં બટેટાની કાતરી ઉમેરી 5-6 મિનિટ સુધી સાંતડી લીધા બાદ તેમાં મીઠું તેમજ હળદર મેળવીને ઢાંકણ ઢાંકી દો. ગેસની ધીમી આંચે 10-12 મિનિટ સુધી આ કાતરી ચઢવા દો.

ત્યારબાદ તેમાં મરચાં પાઉડર, ધાણાજીરુ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, કસૂરી મેથી મેળવીને ગેસની મધ્યમ આંચે 2 મિનિટ સાંતડો. બટેટા ચઢી જાય એટલે તેમાં કોથમીર ભભરાવી દો. આ ગરમાગરમ કાતરી દાલ-રાઈસ સાથે પીરસો.

૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૪

૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 03/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 03/02/2024

બનારસમાં ભાજપને હરાવોઃ કોંગ્રેસ પર મમતાના તીખા પ્રહાર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. મને નથી લાગતું કે કોંગ્રેસ 300માંથી 40 સીટો પણ જીતી શકશે. કોંગ્રેસ જ્યાં-જ્યાં જીતતી હતી, હવે ત્યાં પણ હારતી જાય છે. મને સમજમાં નથી આવતું કે પાર્ટીને આટલું અભિમાન કઈ વાતનું છે. જો કોંગ્રેસને હિંમત હોય તો એ બનારસમાંથી ભાજપને હરાવીને બતાવે, એમ મુર્શિદાબાદની એક જનસભામાં મમતા બેનરજીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મેં કોંગ્રેસને કહ્યું હતું કે બંગાળમાં બે સીટ લઈ લો, પણ તેમણે ના પાડી દીધી હતી. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં આવી હતી, પણ મને જાણ સુધ્ધાં નહોતી કરવામાં આવી. અમે ઇન્ડિયા ગઠબંધનમાં છીએ, પરંતુ તેમ છતાં મને એની જાણ સુદ્ધાં નહોતી. મને વહીવટી તંત્રથી એ વિશે માલૂમ પડ્યું હતું.અમે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નથી જીત્યા. તમે રાજસ્થાનમાં પણ ચૂંટણી નથી જીત્યા. હિંમત છે તો અલાહાબાદ જઈને જીતીને બતાવો. વારાણસીમાં જીતીને બતાવો. અમે પણ જોઈએ તમારામાં કેટલી હિંમત છે?

મુર્શિદાબાદમાં રાહુલ ગાંધીની બીડી કામદારોની સાથે મુલાકાત પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે આજકાલ ફોટોશૂટનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. જે લોકો ચાના સ્ટોલ પર નથી ગયા, તેઓ હવે બીડી કામદારોની સાથે બેસીને ફોટો ખેંચાવી રહ્યા છે. મમતા બેનરજીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી TMCની સાથે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીને લઈને ચર્ચા કરી રહી છે.