Home Blog Page 2105

ફેક સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે WFIના સસ્પેન્ડેડ સંજય સિંહઃ સાક્ષી મલિક

નવી દિલ્હીઃ રેસલર સાક્ષી મલિકે સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય કુશ્તી સંઘ (WFI)ના નવા ચૂંટયેલા પ્રમુખ સંજય સિંહ પર બહુ ગંભીર આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિકમાં ભારતને ખ્યાતિ અપાવી ચૂકેલી પહેલવાન સાક્ષી મલિકે કહ્યું હતું કે સસ્પેન્ડ કરવામાં આવેલા પ્રમુખ સંજય સિંહ ફેક ચેમ્પિયનશિપનું આયોજન કરાવે છે અને એના સર્ટિફિકેટ પણ વહેંચે છે.

સ્પોર્ટ્સ મંત્રાલયને અરજ કરતાં સાક્ષી મલિકે સવાલ ઉઠાવ્યો હતો કે ફેડરેશનનો એક સસ્પેન્ડેડ સભ્ય WFIના ફંડનો દુરુપયોગ કરાવી રહ્યો છે. એ સાથે તેણે એ પણ કહ્યું હતું કે ફેક ચેમ્પિયનશિપમાં વહેંચાતા સર્ટિફિકેટથી ખેલાડીઓના ભવિષ્ય પર ખોટી છાપ પડશે.  તેણે દાવો કર્યો હતો કે સંજય સિંહ પ્રભુત્વ કાયમ રાખવા માટે એક ફેક ચેમ્પિયનશિપનં આયોજન કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યું હતું કે રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપ જયપુરમાં આયોજિત કરવાની છે. એ પહેલાં જ કુશ્તી પર પોતાનો દબદબો સાબિત કરવા માટે સંજય સિંહ ગેરકાયદે રીતે અલગ નેશનલ ચેમ્પિયનશિપનાં સર્ટિફિકેટ હસ્તાક્ષર કરીને વહેંચી રહ્યા છે. સંસ્થાની સસ્પેન્ડેડ વ્યક્તિ કેવી રીતે સંસ્થાના રૂપિયાનો દુરુપયોગ કરી શકે છે.

ભવિષ્યમાં જ્યારે ખેલાડી આ સર્ટિફિકેટને લઈને નોકરી માગવા જશે તો કાર્યવાહી ગરીબ ખેલાડીઓ પર થશે, જ્યારે ખેલાડીઓની કોઈ ભૂલ નથી. કાર્યવાહી તો આવા છેતરપિંડી કરનારા સંજય સિંહ પર અત્યારથી થવી જોઈએ. જેની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવા છતાં આ બધી છેતરપિંડી કરી રહ્યા છે. હું રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરજીને અપીલ કરું છું કે તમે આ મુદ્દાને જુઓ અને ખેલાડીઓનું ભવિષ્ય ખરાબ હોવાથી બચાવો.

 

 

 

 

 

 

 

 

 

 

બજેટ-2024: નાણાપ્રધાન સીતારામનનું મહિલાઓ પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. નાણાપ્રધાન વચગાળાના બજેટમાં મહિલા ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા છે. મહિલા ખેડૂતોની સમ્માન નિધિ બે ગણી થઈ શકે છે, એ સાથે તેમને લોનો પણ અન્યની તુલનાએ એક ટકા ઓછા દરોએ મળશે.

આ વર્ષે વચગાળાના બજેટમાં ખેડૂતો પર ફોકસ હશે. પુરષ ખેડૂતોને પ્રતિ વર્ષે રૂ. 9000 મળે એવી જાહેરાતની સંભાવના છે. હાલ સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને બેન્ક અકાઉન્ટમાં પ્રતિ વર્ષ રૂ. 6000 ટ્રાન્સફર કરે છે. આ પ્રકારે અન્નદાતાઓને હવે રૂ. 3000નો વધારાનો લાભ મળી શકે. આ સિવાય મહિલા ખેડૂતોને માટે રકમ રૂ. 12,000 કરવામાં આવે એવી શક્યતા છે. સમ્માન નિધિ વધવા પર સરકારનો ખર્ચ નહીં વધે. મહિલા ખેડૂત સશક્તીકરણ પર ભાર રહેશે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરશે.

સરકાર સમયાંતરે માત્ર બે હેક્ટરની જમીનવાળા ખેડૂતોને લાવવામાં આવશે, પરંતુ ત્યાર બાદ સરકારે આ યોજનામાં બધા ખેડૂતો માટે લાગુ કરી દીધી હતી. આ ઉપરાંત મહિલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં પ્રાથમિકતા રહેશે. ખેડૂતો માટે સસ્તા દરોએ જીવન વીમાની યોજના પણ સંભવ છે. એગ્રી વેસ્ટ માટે પ્રાથમિકતાથી ઋણ પરાલી મેનેજમેન્ટ માટે વિશેષ ઇન્સેન્ટિવ આપવામાં આવે એવી શક્યતા છે.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તોશાખાના કેસમાં ઇમરાન ખાન દંપતીને દંડ અને સજા

રાવલપિંડીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેનાં પત્ની બુશરા બીબીને તોશાખાના મામલે રાવલપિંડીમાં સ્પેશિયલ કોર્ટે આકરી સજાનું એલાન કર્યું છે. કોર્ટે તોશાખાના મામલે દંપતીને 14-14 વર્ષની સજા સંભળાવી છે. સ્પેશિયલ કોર્ટે દંપતી પર રૂ. 1.573 અબજનો દંડ ફટકારતાં ભૂતપૂર્વ વડા પ્રધાનને 10 વર્ષ માટે જાહેર પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે.

વિશેષ કોર્ટે પ્રત્યેક પર રૂ. 78.70 કરોડ અને બંને આરોપીઓ પર સામૂહિક રીતે રૂ. 158.30 અબજનો દંડ ફટકાર્યો છે. કોર્ટનો ચુકાદો સામાન્ય ચૂંટણીના ઠીક આઠ દિવસ પહેલાં આવ્યો છે.

આ મામલામાં સુનાવણી દરમ્યાન ઇમરાન ખાનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જોકે બુશરા બીબી હાજર નહોતાં થયાં. કોર્ટે ખાનને 342 નિવેદનો વિશે સવાલો કર્યા હતા, ત્યારે તેમણે નિવેદનો રૂમમાં છે, એમ કહેતાં જણાવ્યું હતું કે મને માત્ર કોર્ટમાં હાજર થવા માટે બોલાવ્યો હતો.કોર્ટે ખાનને તત્કાળ નિવેદનો જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે કોર્ટનો સમય બરબાદ ના કરો.ખાને કોર્ટમાં કહ્યું હતું કે વકીલ અત્યાર સુધી નથી આવ્યા. હું તેમને બતાવ્યા પછી નિવેદનો સોંપીશ. એટલું કહીને તેઓ કોર્ટની બહાર ચાલ્યા ગયા હતા.

ખાને જજને સંબોધિત કરતાં સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશન નહીં કરવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોતાની સુરક્ષા કરવાનો અમારો અધિકાર ઓછો કરી દેવામાં આવ્યો છે. હું મારો બચાવ કરવામાં સક્ષમ છું. શું મને આજે જ ચુકાદો મળવાની અપેક્ષા છે?

 

 

 

કોરાનાના 133 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,25,445 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,447 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,90,609 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 157 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1389 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,85,749 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 253 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! – ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

૩૧ જાન્યુઆરી, ૨૦૨૪

નોટ આઉટ @ 82 વિજયપાલ જૈન

છેલ્લી સાત પેઢીથી ચાલ્યા આવતા, 9 ભાઈ,11 બહેનો તથા ૧૫૦થી વધુ કુટુંબીઓ ધરાવતા હિન્દુ અવિભાજ્ય કુટુંબના મોભી વિજયપાલ જૈનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ દિલ્હીમાં, 9 ભાઈ, 11 બહેનોનું બહોળું કુટુંબ. પિતાજી ધંધો કરતા. પિતાએ શરૂઆત જબલપુરમાં નોકરીથી કરી. પછી રેશનીંગની શોપ અને પછી ટેક્સટાઇલનો (કાપડનો) ધંધો શરૂ કર્યો. વિજયપાલજીએ રૂરકી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ કર્યું. 1963થી પાંચ વર્ષ ભારતીય સેનામાં Military Enginering Services (MES)માં કામ કર્યું. તે દરમ્યાન પાલમ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. 1963 થી 1967 સુધી J&K ઉધમપુરમાં ઓફિસમાં કામ કર્યું. લેહ-લડાખમાં ઘણાં ઇન્સ્ટોલેશન્સ કર્યાં. ભારતીય સેનામાંથી રાજીનામું આપી ધંધામાં જોડાયા. કાપડનો ધંધો એટલે અમદાવાદ આવ્યા, કમિશન-એજન્સી શરૂ કરી. 1985માં રમખાણો દરમિયાન સરસ કામ કર્યું અને બજારમાં લોકોનો વિશ્વાસ જીત્યો. મિત્રની મદદથી અને સલાહથી લેમિનેશન-શીટ્સ બનાવવાની કંપની શરૂ કરી. શરૂઆતની તકલીફો પછી સરસ ધંધો કર્યો. આજે તેઓ માલ ફક્ત એક્સપોર્ટ કરે છે, 22 દેશોમાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રીટાયર થવાની ઉંમરે નવો ધંધો શરૂ કર્યો! અત્યારે પણ ઓફીસ અને ફેક્ટરીમાં થઈ રોજના 16 કલાક કામ કરે છે! નવી ફેક્ટરી ક્યાં નાખવી તે વિચારે છે! ફાઇનાન્સ અને ટેકનોલોજી જાતે જ સંભાળે છે. સવારે સાત વાગે ઊઠે. કલાક યોગ અને કસરત કરે. 10:30 સુધી તૈયાર થઈ દીકરા સાથે ફેક્ટરીના કામકાજ અંગે ડિસ્કશન કરે.  11.00 વાગ્યે ઓફિસે જાય. સાડા સાત સુધી ઓફિસમાં જ હોય! પણ ચોવીહાર ચોક્કસ કરે! ઘેરથી તેમનું ટિફિન સમયસર ઓફિસમાં પહોંચી જાય! ઓફિસથી પાછા આવી બાળકો સાથે સમય પસાર કરે. પૌત્રને હમણાં જ ધંધામાં સેટ કર્યો. ટીવીમાં સમાચાર જોઈ રાતના 12:00 વાગે સુઈ જાય.

શોખના વિષયો : 

એક માત્ર શોખ એટલે બિઝનેસ કરવો! જીંદગીમાં એક જ પિક્ચર જોયું છે! કોઈ કુટેવ ન હતી. ન સોપારી, ન બીડી, ન તમાકુ. હોસ્ટેલમાં હતા ત્યારે પણ નહીં! યુવાનીમાં સ્પોર્ટ્સનો શોખ હતો, હોકી, ક્રિકેટ, ટેબલ-ટેનિસ વગેરે રમતા. હવે માત્ર ક્રિકેટ-મેચ જુએ છે. બીજો કોઈ શોખ નથી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

હસતાં હસતાં કહે છે: તબિયત બહુ સરસ છે! 40 વર્ષ પહેલા 1984માં કેન્સર થયું હતું.  વર્ષોથી ડાયાબિટીસ છે. 2000ની સાલમાં હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો છે. કિડનીનું ઓપરેશન કર્યું છે, એક કિડની કાઢી નાખી છે. હાલ એક જ કિડનીથી કામ ચાલે છે! બધા જ રાજરોગ સાથે  હાથ મિલાવ્યા છે! Keep Positive! અનહોની હોગી નહીં ઔર હોની કો કોઈ ટાલ નહીં શકેગા!

યાદગાર પ્રસંગ:  

તેમની લેમિનેશન-શીટ્સની ફેક્ટરીમાં પહેલા ધડાકે બહુ સરસ પ્રોડક્શન નીકળ્યું, પરંતુ તેનું માર્કેટિંગ કરતા દમ નીકળી ગયો તે યાદ છે! ફાયર-પ્રુફ મેટ બનાવી અને બીજા ટ્રાયલમાં સક્સેસફુલ થયા! ચીન અને દુબઈમાં ઓફિસો ખોલી. ભારતમાં સૌથી પહેલીવાર હનીકોમ્બ વાળી લેમિનેશન-શીટ્સ બનાવી, જરૂરી ગ્લુ બનાવ્યું. જીએસએફસીનું એક સીક-યુનિટ લઈ રેલ્વેના ડબ્બાઓમાં રેકઝીનના સીટ-કવર નાખવાનો કોન્ટ્રાક્ટ લીધો. સરકારી કામો કર્યાં. સરકારી કામોમાં તકલીફ પડે પણ મોદી સરકારમાં તકલીફ ઘણી ઓછી થઈ છે! 40 દેશોમાં ફર્યા છે, વિદેશની સરકારો સાથે પણ કામ કર્યાં છે.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી-ટેકનોલોજી માટે એકદમ ઉત્સાહી! જાતે લેબમાં જઈ જાત-જાતનાં ટેસ્ટિંગ કરે. નવું-નવું કંઈ-ને-કંઈ કર્યા કરે. રવિવાર નવું કામકાજ અને શોધ-ખોળ કરવામાં જાય!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘરમાં અને બહાર બહુ ફેર દેખાય છે! મહિલાઓને ઘણી સ્વતંત્રતા મળી છે. તે સારું પણ છે અને ખરાબ પણ છે. માણસો બહારથી નવા લાગે પણ વિચારો જૂના છે! સમય અનુસાર બદલાવ જરૂરી છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરના અને કુટુંબના યુવાનો સાથે સરસ ફાવે. ઓફિસ અને ફેક્ટરીનો સ્ટાફ પણ યુવાન છે. 21 વર્ષના પૌત્રને હમણાં નવી ફેક્ટરી કરી આપી. ભત્રીજાઓને પણ તૈયાર કર્યા છે. તેમનું માનવું છે કે યુવાનો પર જવાબદારી નહીં નાખો તો યુવાનો શિખશે કેવી રીતે?

સંદેશો :  

તેઓ બહુ સોશિયલ નથી, પણ જરૂર હોય ત્યાં તરત પહોંચી જાય. મંદિર ભાગ્યે જાય, પણ સ્ટાફ કે સોસાયટીમાં જરૂર હોય ત્યાં ચોક્કસ મદદ કરે. કોઈનું સારું ન થાય તો વાંધો નહીં પણ ખરાબ તો ન જ કરો. Do Good And Forget!

ટીકાનો સામનો કેવી રીતે કરવો?

કોઈ વ્યક્તિ તમારી ઉપર કોઈ આરોપ મુકે છે તો તમને કેવું લાગે છે? સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ મુકે છે ત્યારે તમને તે વાતનો ભાર લાગે છે,તમારી લાગણી ઘવાય છે અથવા તમે દુખી થાવ છો. તમે એ આક્ષેપ સ્વીકારતા નથી માટે તમારી લાગણી ઘવાય છે.તમે તેનો પ્રતિકાર જાહેર ના કરતા હોવ, પરંતુ જો તમારી અંદરથી વિરોધ કરો છો તો તમને લાગી આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પર આરોપ મુકે છે ત્યારે તમે મોટા ભાગે તેમના પર વળતો આક્ષેપ કરો છો અથવા તમારી પોતાની અંદર એક પ્રતિકાર ઊભો કરો છો.

આક્ષેપ તમારામાંથી કેટલાક નકારાત્મક કર્મો દૂર કરે છે. તમે બહારથી આરોપ સામે વિરોધ જાહેર કરતા હોવ, પરંતુ જો અંદરથી વિરોધ ના કરો તો તમને તરત હળવું લાગવા માંડે છે. ધીરજ અને શ્રધ્ધાથી ટીકાનો સામનો કરી શકાય છે.હંમેશા સત્યની જીત થાય છે એ વિશ્વાસ રાખો,પરિસ્થિતિ સુધરવા માંડશે. તમે ગમે તે કામ કરતા હશો, ભૂલ કાઢવાવાળુ કોઈ તો હશે. તમારો ઉત્સાહ અને મનોબળ ગુમાવ્યા વગર કામ કર્યા કરો. શાણો માણસ સ્વભાવગત રીતે સારું કામ કરવાનું ચાલુ રાખે છે. તેનું વલણ કોઈના વખાણ કે ટીકા પર આધારિત નથી હોતું.

તમારું મનોબળ વધારવા અને ટીકાની અસરથી મનને બચાવી રાખવા તમે કેવા લોકોના સંગતમાં હોવ છો તે તમારે જાણવું જોઈએ. સંગત તમને ઊંચે ઉઠાવી શકે છે અથવા નીચે પાડી શકે છે. જે સંગત તમને શંકા, આરોપ, ફરિયાદો, ગુસ્સા અને ઝંખના તરફ દોરી જતી હોય તે ખરાબ સંગત છે. જે સંગત તમને આનંદ, ઉત્સાહ, સેવા, પ્રેમ, વિશ્વાસ અને જ્ઞાન તરફ લઈ જતી હોય તે સારી છે.

અજ્ઞાની કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી મને દુખ થાય છે. “જ્ઞાની માણસ કહે છે,”મારા પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તમને કદાચ નુકસાન થઈ શકે છે. આ એક સુંદર બાબત છે.કોઈ તમને ચેતવણી આપે કે તેમના પર આક્ષેપ ના કરો કારણ કે તેનાથી તેમને દુખ થાય છે અને બદલો લેવા તે તમને કોઈ હાનિ પહોંચાડી શકે છે. જ્યારે બીજી બાજુએ એક જ્ઞાની વ્યક્તિ કરુણાને લીધે જણાવે છે કે આક્ષેપ ના કરો.

માંગણીઓ અને આક્ષેપ સંબંધો નષ્ટ કરે છે. આથી, બીજાની પ્રશંસા કરવાનું તમને આવડવું જોઈએ અને આક્ષેપ કરવા અથવા ભૂલો શોધવા કરતાં પરિસ્થિતિ સુધારી લેવી જોઈએ. તમારામાં અન્યોને પ્રોત્સાહિત કરવાની કટીબધ્ધતા હોવી જોઈએ.તો તમે કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય બનો છો. જો તમે ઈરાદાપૂર્વક કોઈને દુખ નથી આપતા તો દરેક વ્યક્તિ તમને પ્રેમ કરશે.

તમે અહીં આક્ષેપ કે ટીકા કરવા નથી આવ્યા. ટીકા બે પ્રકારના માણસો તરફથી આવી શકે છે. જ્યારે લોકો સંકુચિત માનસના હોય છે ત્યારે તેઓ અજ્ઞાનતાને લીધે ટીકા કરે છે. અથવા તેઓ ખરેખર તમારામાં કંઈ સારું લાવવા માંગે છે. જો તમારામાં સુધારો કરવાના ઈરાદાથી ટીકા આવી રહી હોય તો તેમની કરુણા માટે તેમનો આભાર માનો. તેમની ટીકાથી તમને તમારી ભૂલનો ખ્યાલ આવે છે, એથી તમે પ્રગતિ કરી શકો છો. જો વ્યક્તિ તમને નીચા દેખાડવા માટે ટીકા કરતી હોય તો તેમના માટે કરુણા દાખવો અને તેમનું કહેલું હસી કાઢો. આ બન્ને કિસ્સામાં તમારે ટીકાની ચિંતા કરવાની જરૂર નથી.

કબીરજીએ કહ્યું છે,”નિંદક નીરે રકીયા આંગન કુટી શવા, બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુહાય”, એટલે કે તમારી ટીકા કરતી હોય એવી વ્યક્તિને નજીક રાખો,તેનાથી તમારું મન સ્વચ્છ રહેશે- સાબુ અને પાણી વગર. જો તમારી આસપાસની દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરતી હોય તો તેઓ તમને તમારી મર્યાદાઓ નહીં બતાવી શકે. ટીકા કરનારા વિશ્વાસપાત્ર હોય છે કારણ કે તેઓ તેમના હ્રદયથી બોલે છે.

તમને રચનાત્મક ટીકા કરતા અને સ્વીકારતા આવડવું જોઈએ. એક શિક્ષિત વ્યક્તિ ટીકાથી દૂર નહીં ભાગે કે ટીકા કરનારથી છટકવાનું પણ નહીં કરે. તમે ટીકાને કેવી રીતે લો છો તે તમારી પુખ્તતાનું સ્તર દર્શાવે છે. ટીકા સાંભળી લેવાની ક્ષમતા વ્યક્તિની આંતરિક તાકાતનો માપદંડ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 31/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 31/01/2024