Home Blog Page 2106

BIG NEWS : EDએ હેમંત સોરેનની ધરપકડ કરી

હાલમાં ઝારખંડની રાજધાની રાંચીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન કૌભાંડ કેસમાં લગભગ 7 કલાકની લાંબી પૂછપરછ બાદ EDની ટીમે CM હેમંત સોરેનની ધરપકડ કરી છે. આ પછી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું.

આ દરમિયાન ઝારખંડમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો રાજભવન પહોંચ્યા છે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોએ ચંપાઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. આવી સ્થિતિમાં ચંપાઈ સોરેન ઝારખંડના નવા સીએમ બની શકે છે. તમને જણાવી દઈએ કે, EDની ટીમે હેમંત સોરેનની સીએમ હાઉસમાં લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. હેમંત સોરેનની ધરપકડ બાદ સીએમ આવાસ, રાજભવન, ભાજપ કાર્યાલય સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.


EDની ટીમ જવાબથી સંતુષ્ટ ન હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પૂછપરછમાં ED અધિકારી હેમંત સોરેનના જવાબોથી સંતુષ્ટ નથી. હેમંત સોરેને અત્યાર સુધીની પૂછપરછમાં માત્ર હા અને નામાં જ જવાબ આપ્યો છે. EDના અધિકારીઓએ હેમંત સોરેનને 40 થી વધુ પ્રશ્નો પૂછ્યા છે. ઘણા સવાલો સાંભળીને હેમંત સોરેન ED અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા. આ દરમિયાન રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. સીએમ હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને માઈકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ચંપાઈ સોરેન ઝારખંડના સીએમ બનશે

હેમંત સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની એટલે કે કલ્પના સોરેનને સીએમ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કલ્પના સોરેન ઉપરાંત ચંપા સોરેનને પણ સીએમ બનાવવાની ચર્ચા છે. જોકે, JMM પ્લાન B પર પણ કામ કરી રહ્યું છે. ચાલો હવે આ પ્લાન વિશે પણ જાણીએ. વાસ્તવમાં હેમંત સોરેનની યોજનામાં તેમને ડેપ્યુટી સીએમ બનાવવાનો પ્રસ્તાવ પણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્લાન બીમાં ઝારખંડમાં બે નાયબ મુખ્યમંત્રી હશે.

જય શાહ ACCના પ્રમુખપદે ત્રીજી ટર્મ માટે નિયુક્ત કરાયા

BCCI સેક્રેટરી જય શાહની એક વાર ફરી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્તિ કરવામાં આવી. આ સાથે ACCના પ્રમુખ તરીકે ત્રીજી ટર્મ માટે સર્વસંમતિ આપવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ બાલીમાં ACCની મળેલી AGM માં BCCI સેક્રેટરી જય શાહને ફરી એકવાર ત્રીજી ટર્મ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ACCના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા તેમના કાર્યકાળને લંબાવવાની દરખાસ્ત બીજી વખત કરવામાં આવી હતી. BCCIના સેક્રેટરી જય શાહને 2021 માં પ્રથમ વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના (ACC) પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2021માં 32 વર્ષની ઉંમરે જય શાહ ACCની મુખ્ય ભૂમિકા સંભાળનાર સૌથી યુવા એડમિનિસ્ટ્રેટર બન્યા હતા.

જય શાહએ ACC નો માન્યો આભાર

જય શાહનો ACCના પ્રમુખ તરીકે બીજી ટર્મનો કાર્યકાળ હજી પૂરો થયો નથી અને તેમને આગામી એટલે કે ત્રીજી ટર્મ માટે પણ ચુંટાયા હતા. જય શાહે ACC નો આભાર માન્યો હતો.

જય શાહએ શું કહ્યું..?

જય શાહે કહ્યું કે મારામાં વિશ્વાસ રાખવા બદલ હું ACC બોર્ડનો આભારી છું. આપણે રમતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જ્યાં હજી તેના પ્રારંભિક તબક્કામાં છે. ACC સમગ્ર એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

જય શાહ ICC પ્રમુખની પણ લડી શકે છે ચૂંટણી

જય શાહની ACC ના પ્રમુખ તરીકેની પસંદગી બાદ હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જય શાહ આગમી નવેમ્બરમાં યોજાનારી ICC પ્રમુખની ચૂંટણી પણ લડી શકે છે. હાલ તેઓ BCCIના સચિવ છે.

શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા

શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ જણાવ્યું હતું કે જય શાહના માર્ગદર્શન હેઠળ, ACC એ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ક્રિકેટની મહાસત્તાઓમાં નવી પ્રતિભાઓને ઉજાગર કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓમાન ક્રિકેટના પ્રમુખ અને ACCના ઉપપ્રમુખ પંકજ ખીમજીએ પણ જય શાહને તેમના કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત

સરકારી પરીક્ષા આપવા માગતા યુવાનો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 અન્વયે કુલ 4304 જગ્યાઓ માટેની જે જાહેરાત બહાર પાડી હતી તેમાં જુનિયર ક્લાર્ક અંતર્ગત જે બેઠકો હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે અરજી કરવા માગતા યુવાનો પાસે હવે ગણતરીના કલાકોનો સમય જ બાકી રહ્યો છે.

હસમુખ પટેલે આપી માહિતી

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. આ જગ્યાઓ માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. તેમજ બીટ ગાર્ડની પરિક્ષાને લઈને તેમણે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે.

જગ્યાઓમાં વધારો

ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 5202 જગ્યાઓ પર અરજી કરવાનો આજે એટલે કે 31 જાન્યુઆરી 2024 છેલ્લો દિવસ છે.

કંફર્મ થયેલા ફોર્મની ફી આ તારીખ સુધી ભરી શકાશે

ત્યારે આ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સૂચના આપવામાં આવી છે. વિવિધ ખાતાની કચેરીઓમાંથી જૂનિયર ક્લાર્કની ભરતી કરવા માંગ હતી જેથી 898 જગ્યા વધુ ભરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરી થી થઈ છે 31 જાન્યુઆરી સુધી એટલે કે આજ સુધી ફોર્મ ભરી શકાશે. જૂનિયર ક્લાર્ક ની 31 જાન્યુઆરી બાદ બે દિવસ કંફર્મ થયેલા ફોર્મની ફી ભરી શકાશે.

ક્યારે લેવાશે પરીક્ષા ?

તેમજ તેમણે જૂનિયર ક્લાર્ક પરિક્ષાને લઈને જણાવ્યુ કે, એપ્રિલથી જૂનિયર ક્લાર્ક પરિક્ષા લેવામા આવશે. જૂનિયર ક્લાર્કમાં અત્યારસુધી 3 લાખ જેટલા ફી સાથે ફોર્મ ભરાયા છે.

બીટ ગાર્ડની પરિક્ષાને લઈને આપી આ માહિતી

હસમુખ પટેલે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે. અને બીટ ગાર્ડ માટે ભરતી પરિક્ષા 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી લેવાશે. બીટ ગાર્ડ ની 4 લાખ કરતા વધુ ઉમેદવાર ભરતી પરિક્ષા આપશે. વધુમાં તેમણે જણાવ્યું કે, માર્ચ માસના દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાએ ભરવા પરિક્ષાઓનું આયોજન થશે.

રાજવી કવિ કલાપીની 150 મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું

રાજવી કવિ કલાપીની 150 મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ કલાપીની કવિતામાં એમના પત્રોમાં અને એમના જીવનમાં કેવા અદભૂત રંગો હતા એ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઘાટકોપર, મુંબઈમાં આયોજિત રવિવારના કાર્યક્રમમાં ભાવકો અનુભવી શક્યા હતા.

અકાદમીના અધ્યક્ષ સ્નેહલ મઝુમદારની રજૂઆતની શૈલી હળવી ફૂલ હોય છે. છંદબધ્ધ મંગલાષ્ટક દ્વારા કલાપીનો પરિચય આપી એમણે કાર્યક્રમનો માહોલ બાંધી દીધો. કલાપીની કઈ રચના પ્રથમ રજૂ થશે એની શ્રોતાઓને ઉત્સુકતા હતી. કલાપીની ‘ગ્રામ્યમાતા’ રચના ગુજરાતી સાહિત્યરસિકોનાં હૃદયની નિકટ છે. આ રચનાનું બે કુમારિકાઓ જીવિકા ગાલા અને સ્વરા શાહે છંદને અનુરૂપ આરોહ અવરોહ સાથે ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતા.

ત્યાર બાદ વારો હતો કલાપીના પત્રોનો. ડૉ.સેજલ શાહને અભ્યાસી વક્તા તરીકે મુંબઈ તથા ગુજરાત ઓળખે છે. કવિ કલાપીના પત્રો વિશે એમણે રસપ્રદ વાતો કરી. કલાપી કાશ્મીર ઘણા મહિના રોકાયા હતા એ દરમિયાન એમણે એમના હૃદયની વધુ નિકટ એવાં પત્ની રમાબાને અનેક પત્રો લખ્યાં હતાં. એ પત્રોમાં એમના હૃદયની ઊર્મિનું મેઘધનુષ મળે છે. કલાપી રમાને સંબોધન પણ લાંબા કરતા. રમાનો પત્ર સમયસર ન મળે તો તેઓ ઉદ્વિગ્ન થતા. રમાને લખાયેલાં પત્રની સામે બીજાં પત્ની આનંદીબાને લખાયેલાં પત્રો જોઈએ તો એ સાવ ટૂંકા રહેતાં. સંબોધન પણ ટૂંકું રહેતું. શોભનાને લખાયેલા પત્રોમાં પણ અલગ રીતે એમના હૃદયની ઊર્મિ ઠલવાતી. કવિ કાન્તને લખેલા પત્રોમાં પુસ્તકોની વાત તથા અન્ય સાહિત્યલક્ષી લખાણ મળે છે. કલાપીના જીવનના વિવિધ પાસા સેજલ શાહે પત્રોના વાંચન દ્વારા ઉઘાડી આપ્યા.

જાણીતા રંગકર્મી રાજુલ દીવાને કલાપીની એકોક્તિનું મસ્ત વાચિકમ કરી જલસો કરાવી દીધો. ડૉ.ધનવંત શાહના પુસ્તક કલાપીનો આધાર લઈ કવિ સંજય પંડ્યાએ આ એકોક્તિ લખી છે. કલાપીના બાળપણથી લઈને એમનો કાશ્મીર પ્રવાસ, એમના પ્રણયની વાત, લાઠીની રાજખટપટ, રમાબાની રાજ ચલાવવાની લાલસા, પ્રિયતમા શોભનાને રમાબા દ્વારા બીજે વળાવી દેવી, કલાપીની રચનાઓ, કલાપીની સંવેદના અને કરુણા તથા એમનું અકાળે અવસાન એમ ઘણાં રંગોને આ એકોક્તિમાં સમાવી લેવામાં આવ્યા છે. એકોક્તિ વાચિકમ પછી કલાપીની રચનાઓને ઉત્તમ ગાન દ્વારા રજૂ કરવાનો ઉપક્રમ નિભાવ્યો જાણીતા સ્વરકાર તથા ગાયક સુરેશ જોષી અને જ્હોની શાહે. તે પંખીની ઉપર પથરો…” કે ” જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે” જેવી રચનાઓમાં તો શ્રોતાઓએ પણ સૂર પુરાવ્યો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મઝુમદારે એમની રસાળ શૈલીમાં કર્યું. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને સાબરકાંઠા વિકાસ પરિષદ આ કાર્યક્રમની સહયોગી સંસ્થા હતી. સાબરકાંઠા વિકાસ પરિષદના રાકેશ જોષી તથા ઘાટકોપર બ્રાહ્મણ સમાજનાં પ્રમુખ પ્રવીણભાઈ ઠાકર , મનોજ ભટ્ટ, આશાબેન ભટ્ટ, નીલા જાની ઉપરાંત સોમૈયા કૉલેજનાં ભૂતપૂર્વ આચાર્યા ડૉ.સુધા વ્યાસ, શશિકાંત સોમપુરા , મેડિકલ ક્ષેત્રે સેવાના ભેખધારી યોગેશ ગાલા, ડૉ.મંજરી મઝુમદાર તથા અકાદમીની કારોબારી સમિતિના સભ્યો સંજય પંડ્યા અને નિરંજન પંડ્યાની ઉપસ્થિતિ હતી. શ્રોતાઓથી છલકાતા હૉલમાં વાતાવરણ કલાપીમય બની ગયું હતું અને 150 વર્ષે પણ રાજવી કવિ કલાપી કે કવિ કાન્તના શબ્દોમાં ‘ સૂરતાની વાડીના મીઠા મોરલા ‘ એવા કલાપી કેવા તરોતાજા છે એનો આ કાર્યક્રમ અહેસાસ કરાવી ગયો.

GU ઉત્તરવહી કાંડ મામલે 14 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉત્તરવહી કાંડ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંહની ધરપકડ થઈ ચૂકી છે. 11 જુલાઈએ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી. પોલીસની કડક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ઉત્તરવહી કાંડમાં આરોપીઓ સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતા હતા, તો બીજી તરફ ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન પણ કરાવતા હતા. ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી 11 જુલાઈએ યુનિવર્સિટી ઉત્તરવહી ગુમ થઈ હતી. મુખ્ય આરોપી રાતના સમયે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા હતા. આ વિદ્યાર્થીઓના પહેલાં મોબાઈલ બંધ કરાવી દેતા ત્યાર પછી તેમને આંખે પાટા બાંધીને એ મકાનમાં લઈ જતા હતા, જેમાં પેપર લખવાનું હોય ત્યાં પહોંચીને તેઓ પેપર લખાવતા હતા. આરોપીઓ સોશિયલ મિડિયા મારફતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર સતત આ પ્રકારના વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને એક લિસ્ટ આપતા હતા. પટાવાળો લિસ્ટ મળતાની સાથે જ ડીલ થયેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ આપતો હતો. આ ઉત્તરવહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી હતી. આ કામ પેટે એક વિદ્યાર્થી પાસેથી રૂ. 50, 000થી વધારે વસૂલવામાં આવતા હતા.

 

 

,

 

 

 

 

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર લગાવ્યા કેટલાક પ્રતિબંધ, જાણો…

નવી દિલ્હીઃ RBIએ પેટીએમ પેમેન્ટ બેન્કની વિરુદ્ધ ડિપોઝિટ્સ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરી પછી બેન્કિંગ સર્વિસ નહીં આપી શકે. RBIએ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નિયમનું પાલન નહીં કરવાને કારણે RBIએ કાર્યવાહી કરી છે.

મધ્યસ્થ બેન્કે કહ્યું હતું કે ઓડિટમાં સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે. જેથી 15 માર્ચ સુધી બેન્ક નોડલ અકાઉન્ટ સેટલ કરે. નવા ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લેવા પર તત્કાળ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં હવે ટ્રાન્ઝેક્શન નહીં થાય. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે એક વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સ દ્વારા અનુગામી અનુપાલન ચકાસણી અહેવાલમાં બેંકમાં સતત બિન-અનુપાલન અને સતત સામગ્રી સુપરવાઇઝરી ચિંતાઓ બહાર આવી છે, જેના માટે વધુ સુપરવાઇઝરી પગલાંની જરૂર છે. જેથી RBI એ પેટીએમ  પેમેન્ટ્સ બેંક પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, એમ RBIએ 31 જાન્યુઆરી 2024એ આદેશ જારી કર્યો હતો.

RBIએ સ્પષ્ટતા કરી છે કે ધિરાણકર્તાના ગ્રાહકો તેમના ખાતામાંથી બેલેન્સ ઉપાડી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. જેમાં બચત બેંક ખાતા, ચાલુ ખાતા, પ્રીપેડ ઉપકરણો, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘વિશ્વના હિંદુઓ માટે એક નવા યુગની શરૂઆત’ : કેનેડિયન સાંસદ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં તેનો પડઘો સંભળાયો. આ મામલે કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે આ દુનિયાભરના 1.2 અબજ હિંદુઓ માટે નવા યુગની શરૂઆત છે. એક સમાચાર એજન્સી અનુસાર, બુધવારે રામ મંદિર પર કેનેડાની સંસદમાં બોલતા ચંદ્ર આર્યએ કહ્યું કે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે હું ઓટાવાના હિન્દુ મંદિરમાં હતો અને તેનું લાઈવ કવરેજ જોયું. આ એક ભાવનાત્મક ક્ષણ હતી.

‘નવા યુગની શરૂઆત’

તેમણે કહ્યું, વિશ્વના સૌથી જૂના ધર્મના ઈતિહાસમાં 22 જાન્યુઆરી, 2024 એ કેનેડાના 10 લાખ હિંદુઓ સહિત વિશ્વભરના 1.2 અબજ હિંદુઓ માટે એક નવા યુગની શરૂઆત છે. સદીઓની અપેક્ષા અને અપાર બલિદાન પછી અયોધ્યામાં દૈવી મંદિરનું ઉદ્ઘાટન ભગવાન શ્રી રામના અભિષેક સાથે કરવામાં આવ્યું હતું, જે મૂર્તિને દેવતામાં પરિવર્તિત કરે છે.

કેનેડાના 115 મંદિરોમાં લાઈવ કવરેજ જોવા મળ્યું

કેનેડાની સંસદમાં તેમણે કહ્યું કે રામ મંદિર ઉદ્ઘાટનનું લાઈવ કવરેજ લગભગ 115 મંદિરો અને ઘણા કાર્યક્રમોમાં જોવા મળ્યું. ભારતીય મૂળના કેનેડિયન સાંસદે જણાવ્યું હતું કે, “અન્ય હિંદુઓની જેમ કેનેડામાં લગભગ 115 મંદિરો અને કાર્યક્રમોમાં, મેં ઓટ્ટાવા હિંદુ મંદિરમાં આ ભાવનાત્મક ક્ષણનું લાઇવ કવરેજ જોયું. ભારતને હિંદુઓના જન્મસ્થળ તરીકે વર્ણવતા, તેમણે વધુમાં કહ્યું, હિંદુ ધર્મનું જન્મસ્થળ ભારત, એક મોટી વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક રાજનીતિક શક્તિ તરીકે ઉભરવા માટે તેની સંસ્કૃતિનું પુનઃનિર્માણ કરી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેનેડા અને ભારત આર્થિક તકો વહેંચવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કુદરતી ભાગીદાર છે.

ઝારખંડના CM સોરેને ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી

રાંચીઃ ઝારખંડના CM હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. સોરેને કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર, અમન પટેલ અને અન્ય EDના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે આ અધિકારીઓએ 30 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. એ દ્વારા મને અને મારા સમાજને હેરાન કરવા અને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

તેમણે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે 27-28 જાન્યુઆરીએ હું દિલ્હીની મુલાકાતે હતો. એ દરમ્યાન દિલ્હી સ્થિત રાજ્યના નિવાસ અને ઓફિસ માટે ભાડા પર લેવામાં આવી છે. હું ત્યાં ઊતર્યો હતો. મને માલૂમ પડ્યું હતું કે આ અધિકારીઓએ મારા સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી હતી. આ દરોડા મને સૂચના વગર પાડવામાં આવ્યા હતા.

સોરેને ફરિયાદમાં કહ્યું હતું કે તપાસ એજન્સીના અધિકારીઓએ ખોટી સૂચના લીક કરી હતી. તેમણે મોટી માત્રામાં ગેરકાયદે રોકડ જપ્ત કરી હતી, પણ મારી પાસે કોઈ ગેરકાયદે રોકડ છે જ નહીં. જે BMW કાર જપ્ત કરી હતી, એ મારી નહોતી. ED અધિકારીઓને કારણે તેમને અને તેમના પરિવારને માનસિક ક્ષતિ પહોંચી છે અને તેમણે પોલીસથી એ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું આહવાન કર્યું હતું.EDની ટીમ રાંચીમાં સોરેનથી પૂછપરછ કરવા માટે બપોરે CM નિવાસસ્થાને પહોંચી હતી. સાત અધિકારીઓની ટીમની સાથે સુરક્ષા દળો પણ પહોંચ્યા હતા. સોરેનને અત્યાર સુધી 10 સમન્સ જારી થઈ ચૂક્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજસ્થાનમાં હિજાબ પરનો વિવાદ વકર્યો

જયપુરઃ કર્ણાટક પછી સરકારી સ્કૂલોમાં હિજાબનો મામલો રાજસ્થાનમાં ગરમાતો જઈ રહ્યો છે. રાજસ્થાનના હવા મહેલથી ભાજપના વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્યે 27 જાન્યુઆરીએ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવ્યો હતો.

વિધાનસભ્ય જયપુર શહેરના ગંગાપોલ ક્ષેત્રની એક સરકારી સ્કૂલના કાર્યક્રમમાં સામેલ થયા હતા. એ દરમ્યાન તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને કર્મચારીઓને પૂછ્યું હતું કે સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કેમ આવી છે? વિધાનસભ્યએ વાંધો ઉઠાવતાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.ત્યાર પછી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીએ જયપુરમાં એક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને વિધાનસભ્યના નિવેદનનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિધાનસભ્યને પોતાના નિવેદન બદલ માફી માગવા કહ્યું હતું.

સું સરકાર હિજાબ પર પ્રતિબંધ મૂકશે?

રાજસ્થાન સરકાર અન્ય રાજ્યો પાસે હિજાબ પ્રતિબંધ પર સ્થિતિ રિપોર્ટ માગવા પર વિચાર કરી રહી છે. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ સ્તરે હિજાબ પ્રતિબંધ પર રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ મંત્રી મદન દિલાવરને મોકલવામાં આવશે.દિલાવરે વિભાગથી અન્ય રાજ્યોમાં હિજાબ પ્રતિબંધની સ્થિતિ અને રાજસ્થાનમાં એની અસરને લઈને રિપોર્ટ માગી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જ્યાં ડ્રેસ કોડનું પાલન નથી કરવામાં આવતું, ત્યાં કડક પગલાં લેવામાં આવે. સ્કૂલો અને અન્ય સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં સરકારી આદેશોનું પાલન કરવું પડશે અને વિદ્યાર્થીઓએ પણ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.

આ પહેલાં પણ ભજનલાલ સરકારના વરિષ્ઠ મંત્રી ડો. કિરોડીલાલ મીણાએ આ અંગે એક નિવેદન આપતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે મુખ્ય મંત્રી સાથે વાત કરશે. તેમનું કહેવું હતું કે દરેક શાળાઓમાં સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. એક આરોપ લગાવતા કહ્યું હતું કે હિજાબનું સમર્થન કરનારાઓ નથી ઈચ્છતા કે મુસ્લિમ સમાજની છોકરીઓ શિક્ષિત થાય. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પછી તે શાળાઓ હોય કે મદરેસા હોય. મીણાએ ઈતિહાસને ટાંકીને કહ્યું હતું કે હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

 

42 દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓએ BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતીય રાજદૂત સંજય સુધીરે મંગળવારે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના વિશેષ પ્રવાસ માટે વિશ્વભરના રાજદ્ધારીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અબુ ધામીમાં હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. રાજદૂતો મંદિરની અનન્ય સ્થાપત્ય,  અદભૂત રચના, એકતા, શાંતિ અને સંવાદિતા સંદેશથી પ્રભાવિત થયા હતા.

નોંધનીય છે કે BAPS મંદિરનાં ઉદઘાટનને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. ત્યારે સંજય સુધીરે મંદિરના વિશેષ પ્રવાસ માટે વિશ્વભરમાંથી રાજદ્વારી કોર્પ્સનું આયોજન કર્યું હતું.

યુએઈમાં 21 એકરના બાંધકામમાં BAPSના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય રાજદૂત સંજય સુધીરના આમંત્રણ પર, 42 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી.

મંદિરની મુલાકાતે આંતર સાંસ્કૃતિક સમજ, સદભાવના અને આદરને પ્રોત્સાહન આપવા માટે સેવા આપી હતી જ્યારે મહેમાનોને મધ્ય પૂર્વના ઉદ્ઘાટન પરંપરાગત હિન્દુ મંદિરની ચાલી રહેલી પ્રગતિ જોવાની તક પૂરી પાડી હતી, જે સહનશીલતા અને સંવાદિતાના સાર્વત્રિક સિદ્ધાંતોનું પ્રતીક છે.

મંદિરની મુલાકાત લેનારાઓમાં આર્જેન્ટિના, આર્મેનિયા, બહેરીન, બાંગ્લાદેશ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કેનેડા, ચાડ, ચિલી, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડોમિનિકન રિપબ્લિક, ઇજિપ્ત, યુરોપિયન યુનિયન, ફિજી, ગેમ્બિયા, જર્મની, ઘાના, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, મોલ્ડોવા, મોન્ટેનેગ્રો, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, નાઈજીરીયા, પનામા, ફિલિપાઈન્સ, પોલેન્ડ, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વીડન, સીરિયા, થાઈલેન્ડ, યુએઈ, યુકે , યુએસ, ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાનાં રાજદૂતો અને વરિષ્ઠ રાજદ્વારીઓ હતા.

60 થી વધુ મહાનુભાવોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજદૂત સુધીરે સંક્ષિપ્ત સ્વાગત પ્રવચનમાં, હાજરી આપવા બદલ પ્રતિષ્ઠિત મહેમાનોનો આભાર માન્યો અને મંદિર પૂર્ણ થવાના આરે એમણે જણાવ્યું કે, તે અશક્ય લાગતું હતું, પરંતુ સ્વપ્ન ખરેખર વાસ્તવિકતા બની ગયું છે.

BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસ એમના મુખ્ય વક્તવ્યમાં મંદિરના ઐતિહાસિક મહત્વ, બાંધકામ પ્રક્રિયા અને વૈશ્વિક પ્રભાવની સંક્ષિપ્ત ઝાંખી પૂરી પાડી હતી. એમણે UAE અને ભારતીય નેતૃત્વ બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, આંતર ધર્મ અને આંતર સાંસ્કૃતિક સંવાદિતાના શક્તિશાળી એજન્ટ તરીકે મંદિરની ભૂમિકા પર ભાર મૂક્યો.

UAE માં નેપાળના રાજદૂત, તેજ બહાદુર છેત્રીએ મંદિરને તીર્થભૂમિ ગણાવતાં કહ્યું કે, તે એક પ્રેરણાદાયી ઇમારત છે જે આપણને પ્રેમ, સંવાદિતા અને સહિષ્ણુતા વિશે શીખવે છે. તે એવી વસ્તુ છે જે આપણે ભાવી પેઢીને ભેટ આપીશું. મહંત સ્વામી મહારાજ એક મહાન સાધુ છે. એમના કારણે જ લોકોને આ મંદિર બનાવવાની પ્રેરણા મળી હતી, અને તે એક મોટી સફળતા છે.