Home Blog Page 2123

કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, AAP પંજાબમાં 13 સીટો જીતશેઃ માન

ચંડીગઢઃ મા મને પણ છમ્મવડું. ઇન્ડિયા ગઠબંધનને પશ્ચિમ બંગાળ પછી પંજાબમાં પણ મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા ચૂંટણી લડશે. CM ભગવંત માને કહ્યું હતું કે પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે, પંજાબની બધી 13 લોકસભા ચૂંટણી પર આપ એકલા જ ચૂંટણી લડશે. પંજાબ સંગઠનના એકલા ચૂંટણી લડવાની દરખાસ્તને કેજરીવાલે પણ મંજૂરી આપી દીધી છે.

મુખ્ય મંત્રી ભગવંત માન અનેક વાર જાહેર મંચ પર આ વાત કહી ચૂક્યા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ બંગાળના CM અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ પણ એલાન કરી દીધું હતું કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં બધી સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિંમ બંગાળમાં કોંગ્રેસની સાથે તૃણમૂલ કોંગ્રેસનું ગઠબંધન નથી.

એકલા હાથે ચૂંટણી લડવાના એલાન કરતા સમયે આમ આદમી પાર્ટી પણ મમતા બેનરજીની રાહ પર ચાલતાં કોંગ્રેસ પર અડિયલ વલણનો આરોપ લગાવી શકે છે. ટૂંક સમયમાં આપ આનું એલાન પણ કરી દેશે.

આમ પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી ઇનકાર કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ, TMC અને આમ આદમી પાર્ટી- આ ત્રણે પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે- જે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની વિરુદ્ધ એકજૂટ છે, પણ રાજ્યોમાં આ પક્ષોના રસ્તા અલગ છે. ઇન્ડિયા ગઠબંધનની અંદરની તિરાડો હવે બહાર આવવા લાગી છે. ઇન્ડિયા ગઠબંધનનો સંઘ કાશીએ પહોંચે એવી શક્યતા લાગતી નથી.

 

 

 

 

 

 

 

 

 

કોંગ્રેસ સાથે નહીં, એકલા ચૂંટણી લડીશું: મમતાનું મમત્વ

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024થી પહેલાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે સાફ વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસની સાથે તેમની પાર્ટીને કોઈ સંબંધ નથી. તૂણમૂલ કોંગ્રેસની બંગાળની 42 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. જોકે ચૂંટણી પરિણામો આવ્યા પછી કોંગ્રેસની સાથે ગઠબંધન પર વિચાર કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

બંને પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો મહત્ત્વનો ભાગ છે. છેલ્લા કેટલાય દિવસોથી બંગાળમાં TMC અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. બંને પક્ષોના ગઠબંધનને લઈને રાજ્ય કોંગ્રેસના નેતાઓ વચ્ચે મતમતાંતર હતા. હવે મમતાએ કહી દીધું છે કે તેમને કોંગ્રેસની સાથે કોઈ સંબંધ નથી.

દીદીના જણાવ્યા મુજબ તેમના પક્ષને બંગાળમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની કોઈ માહિતી નથી આપવામાં આવી. ના તો કોંગ્રેસે કે ના એ વિશે એ લોકોએ કોઈ ચર્ચા કરી.CM મમતા તરફથી જે પણ પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા, એ તેમણે ફગાવી દીધા હતા. TMC સુપ્રીમોએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું પશ્ચિમ બંગાળથી કોઈ લેવા-દેવા નથી. પહેલા દિવસે જ તેમનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

અમે એકલા લડીશું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને તેમની ભારત જોડો ન્યાય યાત્રા પર તેમણે નિશાન સાધ્યું હતું. તેઓ મારા રાજ્યમાં આવી રહ્યા છે અને મને જાણ કરવાનો શિષ્ટાચાર પણ નથી કરતા, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

કોણ છે કર્પૂરી ઠાકુર જેમને મળશે દેશનુ સર્વોચ્ચ સન્માન ભારત રત્ન, જાણો..

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર)  આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે. જનનાયક (પબ્લીક હીરો) તરીકે લોકોમાં સન્નમાન મેળવનાર કર્પૂરી ઠાકુરની કહાણી પણ રસપ્રદ છે.

કોણ હતા કર્પૂરી ઠાકુર..?

કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરનાર નેતા માનવામાં આવે છે. એમનો જન્મ 1924માં સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં એક સામાન્ય વાળંદ પરિવારમાં થયો હતો. એમણે 1940માં પટનામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. કર્પૂરી ઠાકોરે આર્ચાય નરેન્દ્ર દવેની સાથે રહેવાનું પસંદ કર્યુ. આ પછી એમણે સમાજવાદનો માર્ગ અપનાવ્યો. 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો. એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ ચલાવી અને પોતાનું રાજકીય સ્થાન હાંસલ કર્યું. ઈમરજન્સી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઈન્દિરા ગાંધી એમની ધરપકડ કરી શક્યા ન હતા.

કર્પૂરી ઠાકુર 19701977માં મુખ્યમંત્રી

કર્પૂરી ઠાકુર 1970માં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 22 ડિસેમ્બર 1970 ના રોજ, એમણે પ્રથમ વખત રાજ્યનો હવાલો સંભાળ્યો. એમનો પ્રથમ કાર્યકાળ માત્ર 163 દિવસ ચાલ્યો હતો. 1977ની જનતા લહેરમાં જનતા પાર્ટીને જોરદાર જીત મળી ત્યારે પણ કર્પૂરી ઠાકુર બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેઓ પોતાનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી. આ પછી પણ એમના બે વર્ષથી ઓછા કાર્યકાળ દરમિયાન એમણે સમાજના દલિત લોકોના હિત માટે કામ કર્યું હતું.

..અને બની ગયા સમાજવાદીનો મોટો ચહેરો

1945માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર ધીમે-ધીમે સમાજવાદી ચળવળનો ચહેરો બની હયા. જેનો હેતુ અંગ્રેજોથી આઝાદીની સાથે સમાજમાં પ્રવર્તતા જાતિ અને સામાજિક ભેદભાવ દૂર કરવાનો હતો. જેના કારણે દલિત, પછાત વર્ગ અને વંચિતોને સન્નમાનજનક જીવન જીવવાનો અધિકાર મળી શકે. બિહારમાં મેટ્રિક સુધી શિક્ષણ મફત હતું. સાથે જ રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. એમના કાર્યકાળ દરમિયાન એમણે ગરીબો, પછાત અને અત્યંત પછાત લોકોના પક્ષમાં આવા ઘણા કામો કર્યા, જેનાથી બિહારની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પછી, કર્પૂરી ઠાકુરની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને તેઓ બિહારની રાજનીતિમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા.

 અંગ્રેજીની આવશ્યકતા અને વિદ્યાર્થિઓની ફી કરી હતી નાબૂદ

કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી. જેના પરિણામે બિહારહમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની. જ્યારે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા ત્યારે કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બનાયા. એમને શિક્ષણ મંત્રાલયનો હલાવો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી બન્યા અને એમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુર શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થિઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી.

આ લોકો રહ્યાં કર્પૂરી ઠાકુરના શિષ્યો

બિહારમાં સમાજવાદની રાજનીતિ કરી રહેલા લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર કર્પૂરી ઠાકુરના શિષ્યો છે. જનતા પાર્ટીના જમાનામાં લાલુ અને નીતીશે કર્પૂરી ઠાકુરની આંગળી પકડીને રાજકારણની યુક્તિઓ શીખી હતી. આવી સ્થિતિમાં બિહારમાં લાલુ યાદવ સત્તા પર આવ્યા ત્યારે તેમણે કર્પૂરી ઠાકુરના કામને આગળ વધાર્યું. તે જ સમયે, નીતિશ કુમારે અત્યંત પછાત સમુદાયના પક્ષમાં ઘણી વસ્તુઓ પણ કરી.

 બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરનું મહત્ત્વ છે

ચૂંટણી વિશ્લેષકોના મતે બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુરને અવગણી શકાય નહીં. કર્પૂરી ઠાકુરનું 1988માં અવસાન થયું, પરંતુ આટલા વર્ષો પછી પણ તેઓ બિહારના પછાત અને અત્યંત પછાત મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. નોંધનીય છે કે બિહારમાં પછાત અને અત્યંત પછાત લોકોની વસ્તી લગભગ 52 ટકા છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પ્રભાવ મેળવવાના હેતુથી કર્પૂરી ઠાકુરનું નામ લેતા રહે છે. આ જ કારણ છે કે 2020માં કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ‘કર્પૂરી ઠાકુર સુવિધા કેન્દ્ર’ ખોલવાની જાહેરાત કરી હતી.

પોતાનું દરેક કાર્ય સ્વયંમ કરતા

કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. ઠાકુર ડિસેમ્બર 1970થી જૂન 1971 સુધી મુખ્યમંત્ર હતા. મુથ્યમંત્રી બન્યા બાદ એમણે મુંગેરીલાલ કમિશન લાગુ કર્યુ અને ગરીબ અને પછાત લોકોને નોકરીમાં અનામત આપી. આ પછી તેઓ જૂન 1977થી એપ્રિલ 1979 સુધી ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ અવસાન થયું. જેટલા લોકપ્રિય એ રાજકારણમાં હતા. એટલી જ લોકપ્રિયતા એમની સાદગી પણ રહી છે. કર્પૂરી ઠાકુર પોતાનું દરેક કામ જાતે જ કરવામાં માનતા. મુખ્યમંત્રી જેવા હોદ્દા પર હતા છતા પોતાના કપડા પણ જાતે જ ધોતા. બિહારમાં પ્રથમ વખત દારૂબંધી લાદવાનો શ્રેય પણ એમના નામે જ છે. આજે એ હયાત નથી પરંતુ પોતાના સારા કાર્યો, માનવતા, અને દરેક જન માટે આદરભાવના કારણે સત્તા પક્ષની સાથે વિરોધ પક્ષ પણ એમનું સન્નમાન કરે છે.

પહેલા જાણ કરો અને પછી અયોધ્યા આવો… CM યોગીની VIP-VVIPને અપીલ

પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે રામ ભક્તોની ભીડ ઉમટી હતી. લાખો રામ ભક્તો પોલીસ બેરીકેડ તોડીને રામલલાના દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ પોલીસ પ્રશાસનને ભીડને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી હતી. ત્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરિસ્થિતિનો તાગ મેળવવા અયોધ્યા પહોંચ્યા. તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે વ્યક્તિગત રીતે મંદિરની મુલાકાત લીધી હતી.

સાથે જ સીએમ યોગીએ કહ્યું છે કે દરેક રામ ભક્તને રામલલાના સરળ દર્શન કરાવવાની અમારી ફરજ છે. આ માટે તેમણે પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓ તમામ ભક્તોને લાઇનમાં ઉભા કરે અને તેમને ભગવાનના દર્શન કરવા દે. આ સિવાય મુખ્યમંત્રીએ VIP અને VVIP લોકોને અયોધ્યા આવતા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરવા કહ્યું છે. VIPને તેમના આગમનના એક સપ્તાહ પહેલા જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, મંદિરની વ્યવસ્થા વધુ વિસ્તૃત કરવામાં આવી છે. CMએ વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ભક્તો માટે વોટર-વ્હીલચેર

આ ઉપરાંત દર્શનાર્થે આવતા ભક્તોની સુવિધાની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે શ્રદ્ધાળુઓ માટે પાણી, વ્હીલચેર અને જ્યુટ મેટિંગ જેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ ભગવાનના દર્શન કરી ચૂકેલા ભક્તો માટે બસ અને સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.

પોલીસકર્મીઓએ યોગ્ય વર્તન કરવું જોઈએ

સીએમએ કહ્યું કે જ્યાં પણ રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર ભક્તો હોય ત્યાં તેમને એક કતારમાં ઊભા રાખવા જોઈએ જેથી કોઈ નાસભાગ ન થાય. બાળકો, વૃદ્ધો અને મહિલાઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ માર્ગો પર રામ ભજન લો-ટ્યુન પર વગાડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સીએમએ કહ્યું કે સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા પોલીસકર્મીઓનું વર્તન ગૌરવપૂર્ણ હોવું જોઈએ.

“વૃદ્ધ લોકોનું શાણપણ”

વૃદ્ધ લોકો બાળકોથી જરાય અલગ નથી! જીવનમાં તેમને કેટલીક આદતો પડી ગઈ હોય છે, ત્યારે આપણે તેઓને જેવાં છે એવા જ સ્વીકારી લેવા પડે. આપણે વૃદ્ધ લોકોને રાતોરાત અથવા થોડાં સમયમાં બદલી શકતા નથી. આપણે આર્ટ ઓફ લિવિંગના પ્રથમ સિદ્ધાંતને અપનાવવો જોઈશે અને તેઓને જેવા છે તેવા સ્વિકારી લેવા પડશે.

તેઓ જે કહે છે તેમાં થોડુક શાણપણ છે. તેઓ જે કંઇ કહે છે એ એમના વર્ષોના અનુભવ પરથી કહે છે.
જો આપણે તેમને જેવાં છે તેવાં જ સ્વિકારી શકીએ તો એક ચમત્કાર થાય. જો આપણે એમને થોડી મોકળાશ અને પ્રેમ આપીએ અને થોડી કરુણા રાખીએ, તો તેઓ ધીમે ધીમે બદલાવા લાગે છે. પરંતુ આપણે પણ ખૂબ ધીરજ રાખવી જોઈશે.

જો ક્યારેક તેઓ નારાજ કે દુઃખી હોય, તો તેને આપણે બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ, નહિ તો આપણો તેમની સાથેનો વાતચીતનો તંતુ જ તૂટી જશે. તેઓ આપણી વાત સમજે કે સ્વીકારે એવો આગ્રહ ન રાખવો. કેટલીકવાર, તેઓ ફક્ત આપણી આગળ પોતાનું હૈયું જ હળવું કરવા માંગતા હોય છે. ક્યારેક તેઓ કંઈ બબડાટ કરતા હોય તો શક્ય છે કે એમાં કોઈ તથ્ય ન હોય અથવા તેઓ ખરેખર દિલથી એમ ન કહેવા માગતા હોય! કેટલાક વડીલો જે ખૂબ જ વૃદ્ધ અથવા બીમાર છે તેઓ ફક્ત આપણી સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ તેઓ શું વાત કરે? શેના અંગે વાત કરે?
અતિઆનંદની અવસ્થા હોય, સુખ હોય કે દુઃખ હોય, મનુષ્ય માત્રની ભીતર એક એવો ભાગ છે જે સદાય આ બધાંથી અલિપ્ત છે.

જ્યારે આપણે આપણા કોઈ અંગત મિત્ર કે સ્વજનને મળીએ છીએ ત્યારે હંમેશા તેની પાસે સ્મિત અને આનંદ સાથે નથી જતા. આપણે આપણી સમસ્યાઓ અને ફરિયાદો સાથે પણ જઈએ છીએ. ખરું ને? ધારો કે આપણે કોઈ મોટી પાર્ટીમાં ગયા છીએ, તો આપણે આપણા અંગત મિત્રને શોધીને શું વાત કરીશું? કે “પાર્ટી સારી છે, પરંતુ આ વસ્તુ વધુ સારી રીતે થઈ શકે અથવા આના કરતા આમ કર્યું હોત તો સારું થાત!” આપણે આપણા અંગત મિત્રોને મળીને આવી ફરિયાદ કરીશું, પરંતુ આપણે જેણે પાર્ટી રાખી છે તે યજમાનને આવી ફરિયાદ નહીં જ કરીએ ને? આ વૃદ્ધ લોકોનું પણ એવું જ છે!

એક સરસ વાર્તા છે. એક માણસ ખૂબ ધન કમાયો અને પછી તેની બધી મિલકત તેણે તેના પુત્રને આપી દીધી. પુત્રને જ્યારે બધું જ મળી ગયું, ત્યારે તેણે પોતાના માતાપિતા માટે વિશાળ ઘરની પાછળ એક નાનું આઉટહાઉસ બનાવ્યું અને તેમને કહ્યું, “હવે તમારે ત્યાં રહેવું પડશે.” તેથી વૃદ્ધ દંપતી ત્યાં જ રહેવા લાગ્યું અને પુત્ર પોતાના પરિવાર સાથે મોટા બંગલામાં રહેવા લાગ્યો. એક દિવસ રમતા રમતા પૌત્ર તેના દાદાના ઘરે આવ્યો, જ્યાં બધું જ રાચરચીલું અને ઘરવખરી ખૂબ જૂનાં અને બિસ્માર હાલતમાં હતા. અને ખૂબ જ નબળી, દયનીય સ્થિતિમાં આ માતાપિતા ત્યાં રહેતા હતાં. જૂના વાસણો, જૂની ખુરશીઓ, તદ્દન નક્કામો થઈ ગયેલો સામાન. ગમે ત્યારે તૂટી શકે તેવી વસ્તુઓ એ ઘરમાં રાખવામાં આવી હતી. તેથી પૌત્રએ આવીને તેના દાદાને કહ્યું, “દાદા, તમારી થાળી અને ખુરશીને ખૂબ કાળજીથી વાપરજો. તોડશો નહીં!” દાદાએ કારણ પૂછ્યું, ત્યારે બાળકે કહ્યું, “કારણ કે ભવિષ્યમાં, મારા પિતાને પણ આ બધી વસ્તુઓને વાપરવાની જરૂર પડશે.” બાળકના પિતાએ આ સાંભળ્યું અને તેઓ ચોંકી ગયા. પેલા નાના છોકરાએ કહ્યું, “દાદા, આને તોડશો નહીં કારણ કે કાલે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું મારા પિતાને પણ અહીં જ મોકલવાનો છું. એટલે આ બઘું સાચવી ને રાખવુ સારું!”

આપણને આ હકીકતનો ખ્યાલ નથી કે આપણે પણ એક દિવસ વૃદ્ધ થવાના છીએ, તેમના જેવા જ થવાના છીએ. જો આપણને એમ લાગે કે ઘરના વૃદ્ધ લોકો આખો દિવસ ફરિયાદ કરી રહ્યા છે, અને આપણને તે ગમતું નથી, તો આપણે પણ આજથી જ તે રીતે વર્તવાનું બંધ કરવું જોઇએ. આખો દિવસ ખોડખાંપણ કાઢવાની અને ફરિયાદો કરવાની ટેવ છોડી દેવી જોઇએ. અને જો ઘરના વડીલો ખૂબ ઉદાર, પ્રેમાળ, શાંત, કરુણામય હોય, તો આપણે પણ આજથી જ તેવા બનવાનો પ્રયાસ પ્રારંભ કરીએ.

અને એક વાત કહી દઉં કે, જો તમે આ આધ્યાત્મના માર્ગ પર છો, જ્ઞાનમાં છો, અને જો તમે નિયમિત રીતે પ્રાણાયામ અને ધ્યાન કરતા રહેશો, તો તમારી ઉંમર જાણે વધવાને બદલે ઘટશે! સતત કંઇક નવું શીખવાનો તમારો એ ઉત્સાહ હંમેશા જળવાઈ રહેશે અને તમારી સતર્કતા, જાગૃતિ અને એકાગ્રતા – બધું જ વધશે. તમે ઉંમર વધવાની સાથે લાગણીશૂન્ય અને નબળી બુદ્ધિવાળા નહીં બનો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

અમેરિકામાં ભારતીયો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી  

અમદાવાદઃ અમેરિકામાં ભારતીયો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા લોસ એન્જલસમાં આવેલા ગાયત્રી ચેતના મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે જેના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના મોહક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉમળકો અમેરિકામાં વસતા ભારતીયજનોમાં પણ જોવા મળ્યો હતો. અહીં ભવ્ય કાર રેલી અને ગરબા સાથે ભારતીય અમેરિકનોએ આ મહોત્સવની ઉજવણી કરી હતી. 

આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે ભારતીય ઇતિહાસના 500 વર્ષના લાંબા સંઘર્ષ કાળમાં લાખો હિન્દુઓએ આ પ્રભુ શ્રીરામની જન્મભૂમિની રક્ષા કાજે બલિદાન આપ્યા છે. ભારતીય રાજકારણમાં એકમાત્ર ભાજપે જ શ્રીરામ મંદિર નિર્માણના પ્રબળ સંકલ્પ સાથે ભારતીય પ્રજા સાથે જનઆંદોલન અને રાજકીય સંઘર્ષ કર્યો તેમ જ સત્તા પર આવતાની સાથે જ એ સંકલ્પ સાકાર કર્યો છે. આ સમારોહને લાઇવ ટેલિકાસ્ટ નિહાળી અને અમે સૌ ભારતીય અમેરિકન નાગરિકોએ ભવ્યતા અને દિવ્યતા તેમ જ પવિત્ર હૃદયથી શ્રીરામ ભગવાનની સ્તુતિ વંદના કરી આ પવિત્ર પ્રસંગને ઊજવ્યો હતો.

આ અંગે સેરિટોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં પણ આપણે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી આ મહોત્સવની ભક્તિમય ઉજવણી કરી રહ્યા છીએ.

આ અંગે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સૌ માટે આ ક્ષણ રાષ્ટ્રચેતના અને રાષ્ટ્ર ગૌરવનો સમય છે. આ કાર્યક્રમમાં ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી, પશ્ચિમ ઝોન, પ્રમુખ પી.કે. નાયક, પબ્લિક અફેર્સ ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના રાજુભાઈ પટેલ , કૌશિક પટેલ અને ભાનુ પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો, શ્રદ્ધાળુઓ અને રાજકીય તેમ જ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

ઓસ્કાર 2024: 13 નોમિનેશન્સની સાથે ‘ઓપનહાઇમર’ આગળ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી લોકપ્રિય સિનેમા એવોર્ડ્સ ઓસ્કારે નોમિનેશન લિસ્ટ જારી કર્યું છે. 96મા ઓસ્કારના હોસ્ટ અને અભિનેતા જાજી બીટ્સ અને જેક કૈડે નોમિનેશન લિસ્ટની જાહેરાત કરી છે. આ વર્ષે આ લિસ્ટમાં બોક્સઓફિસ પર બ્લાકબસ્ટર રહેલી ‘ઓપનહાઇમર’ અને ‘બાર્બી’નો દબદબો છે. વર્ષ 2023 ઓસ્કાર ભારતીય ફિલ્મો માટે સારું સાબિત થયું હતું.

‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ ગયા વર્ષે ઉનાળામાં એકસાથે રિલીઝ થઈ હતી. જે પછી બંનેનું નામ જોડીને ‘બાર્બેનહાઇમર’નું નામ આપવામાં આવ્યું હતું.હવે 96માં ઓસ્કાર એવોર્ડના લિસ્ટમાં બંને સામસામે છે. ‘બાર્બી’ને છ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, જેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, ઓરિજિનિલ સોંગ, પ્રોડક્શન ડિઝાઇન અને બેસ્ટ ફિલ્મ સામેલ છે.બીજી બાજુ, ‘ઓપનહાઇમર’ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, મેકઅપ અને હેર સ્ટાઇલ સ્ક્રીનપ્લે, ઓરિજિનિલ સ્કોર, પ્રોડક્શન ડિઝાઇન, ફિલ્મ એડિટિંગ, સાઉન્ડ, સિનેમેટોગ્રાફી સહિત 13 શ્રેણીઓમાં નોમિનેટ કરવામાં આવી છે. બંને ફિલ્મોની ઓડિયન્સ કેટલીય અલગ કેમ ના હોય, પણ બોક્સ ઓફિસ પર છેડાયેલી જંગ ઓસ્કાર એવોર્ડ્સ સુધી પહોંચી છે. જ્યારે ‘પુઅર થિંગ્સ’ આ યાદીમાં બીજા ક્રમે છે. આ ફિલ્મને 11 નોમિનેશન મળ્યા છે.આ યાદીમાં કોઈ ભારતીય ફિલ્મને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ ભારતના એક નાનકડા ગામની વાર્તા પર આધારિત એક ડોક્યુમેન્ટરી નામાંકનમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઓસ્કરે મંગળવારે સાંજે નોમિનેશનની સંપૂર્ણ યાદી જાહેર કરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 220 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 220 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,23,954 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને  કેરળમાં 182 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,441 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,89,023 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 300 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1886 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,757 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 224 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! – ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪