Home Blog Page 2124

નોટ આઉટ @ 83 : પ્રોફેસર પ્રદીપ ખાંડવાળા

અમદાવાદની વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ(IIM-A)ના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર તથા ગુજરાતના આદરણીય કનૈયાલાલ મુનશીના દોહિત્ર એવા પ્રોફેસર પ્રદીપ ખાંડવાળાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં, બાળપણ કરાચીમાં. પિતાજી સ્વાતંત્ર-સેનાની અને પછી સિંધિયાની સબસીડરી કંપનીમાં મેનેજર. માતા (કનૈયાલાલ મુનશીના પુત્રી) ફર્ગ્યુસન કોલેજના ગ્રેજ્યુએટ. ઇંગ્લેન્ડ જઈ ડિપ્લોમા-ઇન-એજ્યુકેશન ભણ્યાં. પ્રદીપભાઈ મુંબઈમાં પોદ્દાર હાઇસ્કૂલમાં, ન્યુ-એરા હાઇસ્કુલમાં અને કેથેડ્રલ સ્કૂલમાં ભણ્યા. નરમ-ગરમ તબિયતને કારણે વિજ્ઞાનને બદલે કોમર્સ વિદ્યાશાખામાંથી બી.કોમ. કર્યું. અને CA કર્યું (આખા ભારતમાં ચોથા નંબર સાથે). વોર્ટન સ્કુલમાંથી એમ.બી.એ. કર્યું. ભણવાની મજા પડી ગઈ! જાતજાતના કોર્સ કર્યા! ફોર્ડ ફાઉન્ડેશનની ડોક્ટરલ ફેલોશીપ સાથે  ઓર્ગેનાઈઝેશન-થીયરીમાં પી.એચ.ડી. કર્યું. રીસર્ચનો જીવ.  કાર્નીગી મેલનમાં રીસર્ચનું કામ કર્યું. મોન્ટ્રીઅલ(કેનેડા)માં છ વર્ષ કામ કર્યું. પછી ભારત આવ્યા. પહેલું વર્ષ તકલીફ પડી, પણ પછી આઈ.આઈ.એમ.માં પ્રોફેસર તરીકે 27 વર્ષ કામ કર્યું. 5 વર્ષ  ડાયરેક્ટર હતા. અનેક રીસર્ચ આર્ટિકલ્સ અને પેપર્સ લખ્યાં છે. તેઓ  લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ્સ, Best Management Book Award થી શોભે છે. પત્ની અંજલીબહેન પોતે લેખિકા. શાસ્ત્રીય-સંગીત, લોકસંગીત, ભજનો જાણે. આદિવાસી વિસ્તારોમાં ઘણું કામ કર્યું. અંજલીબહેન 4 વર્ષ પહેલા અવસાન પામ્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેમણે સોશિયલ-લીડર્સ તૈયાર કરવાની વર્કશોપ કરી. તેમને માર્ગદર્શન આપતા લેખો લખ્યા. સર્જકતા-અનુકંપા-સક્ષમતા ભેગા કરી સમાજમાં કેવી રીતે કામ કરી શકાય તે શીખવ્યું. અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાનું પુસ્તક લખ્યું. રોજ  રાતના 9 થી 12 સાધના-પ્રાર્થના-ધ્યાન-મેડીટેશન વગેરે ચાલે. જીવન પર રામકૃષ્ણ પરમહંસનો ઘણો પ્રભાવ! સવારે ઊઠતાં મોડું થાય. ઊઠીને કસરત-ચાલવાનું-યોગાસન-પ્રાણાયામ-રેકી વગેરે બે કલાક ચાલે. પછી નાસ્તો કરી થોડું લખવાનું કામ કરે. જમ્યા પછી થોડો આરામ. ઊઠીને વળી લખવાનું ચાલે. ફોન આવે, મિત્રો મળવા આવે…એમ પ્રવૃત્તિમાં આખો દિવસ જાય.

શોખના વિષયો : 

રીસર્ચ તેમનો પહેલો શોખ અને સાહિત્ય બીજો! એસ્ટ્રોનોમી ગમે. માતાએ બાળપણમાં આકાશનો નકશો ભેટ આપ્યો હતો. પિતાએ દૂરબીન ભેટ આપ્યું હતું, જેનાથી તેમનો આ શોખ વિકસ્યો. જ્યોતિષ-શાસ્ત્રમાં રસ હતો. લગભગ 500 કુંડળીઓ ભેગી કરી તેના પર રીસર્ચ કરી હતી! સ્ટેમ્પ-કલેક્શનનો શોખ. સ્પોર્ટ્સ ગમે. ટેનિસ, ટેબલ-ટેનિસ વગેરે રમવું ગમે. શાસ્ત્રીય-સંગીત ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

1994માં બાયપાસનું ઓપરેશન કર્યું હતું. તબિયત સારી છે. સિઝનમાં ક્યારેક દમનો પ્રોબ્લેમ થાય. બહાર ફરવાનું અને લોકોને મળવાનું ઓછું કરી નાખ્યું છે. પત્નીની ગેરહાજરીથી જીવનમાં શૂન્યાવકાશ લાગે છે.

યાદગાર પ્રસંગ:  

પત્ની અંજલીબહેનને સંગીતનો ભારે શોખ. એકવાર સંગીત-શિક્ષક મધુભાઈ પટેલે દક્ષિણ-ગુજરાતનાં લોકગીતો સંભળાવ્યાં. દક્ષિણ-ગુજરાતના એક રાજાની રાણી કર્ણાટકની રાજકુમારી હતી, એટલે કર્ણાટકી ગાયકીનો ટચ સ્પષ્ટ વર્તાય. અંજલીબહેન તે સંગીત શીખ્યાં અને તેમણે ઘણાં લોકગીતો અને ભજનો ગાયાં. IIM-Aમાં સંગીતના ઘણા પ્રોગ્રામ થતા. પ્રોગ્રામ પહેલા સંગીતકારો ઘેર આવતા. કિરાણા ઘરાનાના ફૈયાઝ અહેમદખાન અને નિયાઝ અહેમદખાન, પંડિત રવિશંકર, ગુંડેચા બ્રધર્સ વગેરે તેમને ઘેર આવતા. એકવાર જસરાજજી ઘરે આવ્યા. અંજલીબહેને લાડુ બનાવ્યા હતા. પૂછ્યું: ‘લાડુ ખાશો?’ જસરાજી ખુશ થઈ ગયા, ગરમાગરમ લાડુ ખાઈ ગયા! જોકે પછીનો પ્રોગ્રામ તો બહુ સરસ થયો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતાની જરૂર જેટલું કામ કમ્પ્યુટર ઉપર કરી લે છે. રિટાયરમેન્ટ પછી છ કવિતાનાં પુસ્તકો, એક નિબંધનું પુસ્તક અને ચાર ભાષાંતરના પુસ્તકો કર્યાં છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ભારતનાં લોકો અમેરિકન થઈ રહ્યાં છે! પૈસાને ઘણું મહત્વ આપે છે. તેમણે અમેરિકાની ભૌતિક પ્રગતિ અને નૈતિક અધોગતિ જોઈ છે. આપણે તે જ રસ્તે ચાલી રહ્યાં છીએ. ભારતે ઘણી ભૌતિક પ્રગતિ કરી છે પણ આપણે નૈતિકમૂલ્યો સાચવવાં જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

“એસ્પાયર-સર્કલ”નું કામ ઓછું થવાથી યુવાનો સાથેનો ટચ ઓછો થઈ ગયો છે. યુવાનો કેરિયર અને સારા પગારની નોકરી સિવાય કંઈ વિચારતાં નથી. આ યુવાનો ભવિષ્યના ચેરમેન અને એમ.ડી. થવાનાં. જો એ લોકો પણ આવું જ વિચારશે તો ભારત કયા રસ્તે જશે? જો કે હજુ કમીટેડ યુવાનો ઘણાં છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી!

સંદેશો :  

સર્જકતા, અનુકંપા અને સક્ષમતા સાથે કામ કરો તો દેશ કે સંસ્થા આગળ વધી શકે. જાપાન અને જર્મની બીજા-વિશ્વયુદ્ધ પછી કંગાળ થઈ ગયાં હતાં. તેઓ આને લીધે ઝડપથી ઊભાં થઈ ગયાં! અમેરિકામાં સક્ષમતા છે, પણ અનુકંપા ઓછી થઈ રહી છે.

બિહારના દિવંગત મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને અપાશે ભારત રત્ન

બિહારના દિવંગત મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવને મંગળવારે સાંજે આની જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લામાં થયો હતો. કર્પૂરી ઠાકુર એક વખત ડેપ્યુટી સીએમ અને બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવતીકાલે એટલે કે 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે અને આ વર્ષે તેમની જન્મશતાબ્દી ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા ભારત રત્ન એવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક એવા મહાન જન નેતા કર્પૂરી ઠાકુર જીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની શતાબ્દી ઉજવી રહ્યા છીએ. આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ચેમ્પિયન, સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકેના તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દલિતોના ઉત્થાન માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય ફેબ્રિક પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે. પીએમ મોદીની સાથે સાથે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ પણ ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કર્પૂરી ઠાકુરના પુત્ર અને JDU સાંસદ રામનાથ ઠાકુરે તેમના પિતાના ભારત રત્ન એવોર્ડને ત્રણ દાયકાની રાહનું પરિણામ ગણાવ્યું હતું. તે જ સમયે, JDU નેતા અને બિહારમાં પૂર્વ સાંસદ કેસી ત્યાગીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમને ભારત રત્ન આપવા બદલ કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ કર્પૂરી ઠાકુરના વિચારોની જીત છે. તેઓ તેમના જીવનમાં ગરીબો અને ગરીબો માટે લડ્યા. ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવા બદલ આભાર.

BCCI નું 4 વર્ષ પછી એવોર્ડ ફંક્શન, જુઓ સંપૂર્ણ વિજેતા યાદી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વાર્ષિક એવોર્ડ ફંક્શન આજે એટલે કે મંગળવારે હૈદરાબાદમાં યોજાયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં મોહમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. આ ખેલાડીઓને 2019 થી 2023 સુધીના વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે BCCIનો એવોર્ડ ફંક્શન દર ચાર વર્ષે યોજાય છે. આ પહેલા આ સમારોહ છેલ્લે 2019માં યોજાયો હતો.

 

જુઓ કોને કયો એવોર્ડ મળ્યો

શુભમન ગિલ- ક્રિકેટર ઓફ ધ યર (2022-23)

જસપ્રીત બુમરાહ- ક્રિકેટર ઓફ ધ યર (2021-22)

રવિચંદ્રન અશ્વિન- ક્રિકેટર ઓફ ધ યર (2020-21)

મોહમ્મદ શમી- ક્રિકેટર ઓફ ધ યર (2019-20)

રવિ શાસ્ત્રી- સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

ફારૂક એન્જિનિયર- સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- યશસ્વી જયસ્વાલ (2022-23)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- શ્રેયસ ઐયર (2021-22)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- અક્ષર પટેલ (2020-21)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- મયંક અગ્રવાલ (2019-20)

દિલીપ સરદેસાઈ એવોર્ડ- રવિચંદ્રન અશ્વિન (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ, 2022-23)

દિલીપ સરદેસાઈ એવોર્ડ- યશસ્વી જયસ્વાલ (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન, 2022-23)

લાલા અમરનાથ પુરસ્કાર (ઘરેલુ ક્રિકેટના મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)

બાબા અપરાજિત, ઋષિ ધવન અને રિયાન પરાગ

લાલા અમરનાથ એવોર્ડ (રણજી ટ્રોફીમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)

એમ.બી.મુરાસિંગ, શમ્સ મુલાણી અને સરંશ જૈન

માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

જયદેવ ઉનડકટ, શમ્સ મુલાણી અને જલજ સક્સેના

માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

રાહુલ દલાલ, સરફરાઝ ખાન અને મયંક અગ્રવાલ

આ મહિલા ખેલાડીઓને એવોર્ડ પણ મળ્યા હતા

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ- પ્રિયા પુનિયા (2019-20)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- શેફાલી વર્મા (2020-21)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- સબીનેની મેઘના (2021-22)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- અમનજોત કૌર (2022-23)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) – દીપ્તિ શર્મા (2019-20 અને 2022-23)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) – સ્મૃતિ મંધાના (2020-21 અને 2021-22)

રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ હવે ‘બાલક રામ’ તરીકે ઓળખાશે

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ હવે ‘બાલક રામ’ તરીકે ઓળખાશે, કારણ કે તેમાં ભગવાનને પાંચ વર્ષના છોકરા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ માહિતી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે જોડાયેલા પૂજારી અરુણ દીક્ષિતે આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પૂજારી અરુણ દીક્ષિતે કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું નામ બાલક રામ રાખવાનું કારણ એ છે કે તે 5 વર્ષના બાળક જેવો દેખાય છે. તેણે આગળ કહ્યું, જ્યારે મેં પહેલીવાર પ્રતિમા જોઈ, ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને આંસુ વહેવા લાગ્યા. ત્યારે મને શું લાગ્યું તે સમજાવવું મુશ્કેલ છે.

કાશીના પૂજારી, જેમણે તેમના જીવનમાં 50 થી 60 અભિષેક કર્યા છે, તેમણે કહ્યું, “મેં અત્યાર સુધી જેટલા પણ અભિષેક કર્યા છે, તેમાંથી આ મારા માટે અલૌકિક (દૈવી) અને સર્વોચ્ચ છે. “મને પ્રતિમાની પહેલી ઝલક 18 જાન્યુઆરીએ મળી.”

બાળક રામના ઘરેણાં પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અનુસાર, અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને અલવંદર સ્તોત્રમ જેવા ગ્રંથોના સઘન સંશોધન અને અભ્યાસ પછી બાળ રામની મૂર્તિ માટેના ઝવેરાત તૈયાર કરવામાં આવ્યા છે. મૂર્તિને બનારસી વસ્ત્રોથી શણગારવામાં આવે છે, જેમાં પીળી ધોતી અને લાલ ‘પટાકા’ અથવા ‘અંગવસ્ત્રમ’નો સમાવેશ થાય છે. ‘અંગવસ્ત્રમ’ને ‘જરી’ અને શુદ્ધ સોનાના દોરાઓથી શણગારવામાં આવ્યું હતું, જેમાં શુભ વૈષ્ણવ પ્રતીકો – ‘શંખ’, ‘પદ્મ’, ‘ચક્ર’ અને ‘મોર’.

માત્ર મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમા જ પૂજનીય

તે જ સમયે, રામલલાની મૂર્તિ મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવી છે. આ 51 ઇંચની પ્રતિમા ત્રણ અબજ વર્ષ જૂના ખડકમાંથી બનાવવામાં આવી છે. ભવ્ય રામ મંદિર માટે રામલલાની મૂર્તિઓ ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડે એમ ત્રણ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે ત્રણમાંથી એકને ગર્ભગૃહમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેને મંદિરના અન્ય ભાગોમાં રાખવામાં આવશે.

અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં આજથી NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ, NHRC ના અધ્યક્ષ અરૂણ કુમાર મિશ્રા, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળ્યા છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, આજના પ્રમુખ મુદ્દાઓમાં બે મુદ્દાઓ કોન્ફરન્સના છે જે સમય પર ન્યાય અને કન્વિક્શન રેટ વધારવું છે. તેમણે કહ્યું કે, ભારતમાં પ્રથમવાર બે-ત્રણ જગ્યાઓ પર એક્સપરિમેન્ટ કર્યું. હવે ક્રાઈમ સિન પર એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ ફરજિયાત મુલાકાત લેશે.

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરદાર પટેલ પછી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને તેમણે સરદાર પટેલ પછી જે કસર છૂટી તે પૂરી કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ટેક્નોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં ફેરફાર આવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાંથી પ સાઇબર ક્રાઇમને અંજામ આપવામાં આવી રહ્યો છે. ક્રિમિનલની સાયકોલોજીની સ્ટડી થવી જોઈએ. ગુનેગારોને નાથવાનું કામ અને ડિટેક્શન સુધીના કામ પર ચર્ચા થવી જોઈએ.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે, ભારતીય લોકતંત્રની નીવ પાતાળ કરતા પણ ઊંડી છે, લોકતંત્રના માધ્યમથી દેશમાં અનેક વખત લોહીની એક બુંદ રેડ્યા વગર સત્તા પરિવર્તન થયું છે. લોકતંત્ર માટે ભારતીય જનમાનસની દુનિયામાં કોઈ સવાલ કરી શકે તેમ નથી, લોકતંત્ર ભારતની રગોમાં છે તે દુનિયાએ જોયું છે. 2047 માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભારત સર્વ પ્રથમ હોય તેવો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. દેશ આજે આર્થિક, સામાજિક, કાયદો વ્યવસ્થા, આંતરિક સુરક્ષા સહિતના ક્ષેત્રે મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને તમામ ક્ષેત્રે નંબર એક બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં ફોરેન્સિક સાયન્સનો પણ સમાવેશ થાય છે.

Oscars Nominations 2024: ભારતીય ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ નામાંકિત

આજે એટલે કે 23 જાન્યુઆરી, 2024 ના રોજ, ઓસ્કાર 2024 માટે નોમિનીની યાદી બહાર પાડવામાં આવી છે. બેસ્ટ ફિલ્મથી લઈને બેસ્ટ ડાયરેક્ટર સુધીની ઘણી કેટેગરીમાં નોમિનેશન થયા છે. શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર ફિલ્મ માટે 5 ફિલ્મો નોમિનેટ કરવામાં આવી છે, જેમાંથી એક ભારતીય ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ છે. નિશા પાહુજા દ્વારા દિગ્દર્શિત ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’, ઓસ્કાર 2024 માટે નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. ‘ટુ કિલ અ ટાઈગર’ ઉપરાંત, ઓસ્કરમાં આ કેટેગરીમાં વધુ ચાર ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે, જેમાં ‘બોબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ’, ‘ધ એટરનલ મેમરી’, ‘ફોર ડોટર્સ’ અને ’20 ડેઝ ઇન મેરીયુપોલ’નો સમાવેશ થાય છે.

ફિલ્મની વાર્તા

ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ની વાર્તા વિશે વાત કરીએ તો તે ભારતના એક નાના ગામ પર આધારિત છે. તે તેની 13 વર્ષની પુત્રીને ન્યાય મેળવવા માટે પિતાના સંઘર્ષની વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક 13 વર્ષની બાળકીનું અપહરણ કરે છે અને બાદમાં ત્રણ લોકો બળાત્કાર કરે છે. જે બાદ પીડિતાના પિતા રણજીત તેના માટે લડે છે.

શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણી માટે 10 ફિલ્મો નામાંકિત

તમને જણાવી દઈએ કે બેસ્ટ ફિલ્મ એવોર્ડની શ્રેણી માટે 10 ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. તેમાં ‘એનાટોમી ઓફ ફોલ’, ‘બાર્બી’, ‘ધ હોલ્ડઓવર્સ’, ‘કિલર્સ ઓફ ધ મૂન, મેસ્ટ્રો’, ‘અમેરિકન ફિક્શન’, ‘ઓપનહેઇમર’, ‘પુઅર થિંગ્સ’, ‘પાસ્ટ લાઇવ્સ’ અને ‘ધ ઝોન ઓફ ધ ઝોન’નો સમાવેશ થાય છે. વ્યાજ” સામેલ છે.

આ એવોર્ડ 10 માર્ચ, 2024ના રોજ આપવામાં આવશે

96મા એકેડેમી એવોર્ડ્સ અથવા ઓસ્કાર 2024નો એવોર્ડ સમારોહ 10 માર્ચ, 2024ના રોજ યોજાશે. આ પુરસ્કારો અમેરિકામાં સાંજે 7 વાગ્યાથી (ભારતમાં સોમવારે સવારે 5.30 વાગ્યે) આપવામાં આવશે.

ગિફ્ટ નિફ્ટીના પહેલા સેશનમાં ટર્નઓવર ઓલટાઈમ ઊંચી સપાટીએ

ગાંધીનગરઃ ઈક્વિટી માર્કેટમાં ગિફ્ટ નિફ્ટીએ ગ્રોથ સ્ટોરીમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે અને ટ્રેડિંગ કામકાજમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ગિફ્ટ નિફ્ટીએ ટ્રેડિંગના પહેલા સેશનમાં 5,18,522 કોન્ટ્રેક્સ સાથે 22.27 અબજ ડોલરનું ટર્નઓવર (રૂ. 1,85,098 કરોડ) નોંધાવ્યું છે. આ સાથે ગિફ્ટ નિફ્ટીએ આ અગાઉનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેમાં 28 નવમ્બર, 2023એ એક્સચેન્જે 10.76 અબજ ડોલરનાં કામકાજ કર્યાં હતાં.

નિફ્ટી IXમાં કામકાજ ત્રીજી જુલાઈ, 2023એ શરૂ થયાં હતાં, ત્યાર બાદ એક્સચેન્જનાં કામકાજમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એક્સચેન્જ શરૂ થયાના પહેલા દિવસે જ 10.94 મિલિયન કોન્ટ્રેક્સના વોલ્યુમ થકી ટર્નઓવર 430.06 અબજ ડોલરનું ટર્નઓવર નોંધાયું હતું. ગિફ્ટ નિફ્ટની સફળતા જોઈને આનંદ થાય છે અને બધા પાર્ટિસિપન્ટોના સહકાર બદલ એક્સચેન્જ આભાર વ્યક્ત કરે છે.

 

 

 

 

 

 

ઇન્ડિયા ગઠબંધનનો પેચ ફસાયો બંગાળ-બિહારમાં?

નવી દિલ્હીઃ બિનભાજપી રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સૌથી મહત્ત્વનાં રાજ્યોમાંનું એક છે, કેમ કે અહીં લોકસભાની 41 સીટ છે, જ્યાં કોંગ્રેસે માત્ર એક સીટ પાછલી ચૂંટણીમાં જીતી શકી છે. એ કારણને લીધે કોંગ્રેસ ભાવતાલ કરવાની સ્થિતિમાં નથી અને TMCને એડવાન્ટેજ છે. એટલે જ બંને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર નિવેદનો કર્યા કરે છે. કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીના બંગાળ CM પરનાં નિવેદનો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધારી રહ્યાં છે.

હાલમાં રાહુલ ગાંધીએ TMCની સાથે સીટ શેરિંગના સવાલ પર કહ્યું હતું કે મમતાજી સાથે મારા સંબંધો છે. બંને પક્ષો વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે, પણ હજી નક્કર વાત નથી બની. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ બંગાળમાં માત્ર બે સીટો આપવા ઇચ્છે છે, જ્યારે લેફ્ટને આ ગઠબંધનથી બહાર રાખવા ઇચ્છે છે. હવે જોવું રહ્યું કે બંને પક્ષો કયો રસ્તો કાઢે છે?

બીજી બાજુ, 40 લોકસભાની સીટોવાળા બિહારમાં મહાગઠબંધનની સરકાર છે. JDU, RJD અને કોંગ્રેસ સતત સહમતી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ કોંગ્રેસની RJD સાથેની એક બેઠક પર JDUએ દિલ્હીમાં કોઈ સત્તાવાર બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. સૂત્રો અનુસાર JDU 17 સીટો પર દાવેદારી કરી રહી છે અને પક્ષનું કહેવું છે કે બાકીની સીટો પર RJD અને કોંગ્રેસ તાલમેલ કરી લે.

 

 

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણીઃ ભાજપાધ્યક્ષનો હેટટ્રિક કરવાનો દાવો

અમદાવાદઃ આ વર્ષે યોજાનાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં ચૂંટણીઝુંબેશ શરૂ કરી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને હસ્તે લોકસભાની 26 બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે.પી નડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારની નામની પણ જાહેરાત કરી છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે. આ વખતે પણ ભાજપાધ્યક્ષે રાજ્યની બધી સીટો જીતવાનો દાવો કરતાં જણાવ્યું હતું રાજ્યની બધી સીટો પર કેસરિયો લહેરાશે.

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક તરીકે નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.

આ સાથે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં એક બેઠકમાંથી 156 બેઠકો સુધી પહોંચી ગયા છીએ અને કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસનાં મૂળિયાં રાજ્યમાંથી ઉખેડવાનાં છે.

 

 

 

 

 

સેન્સેક્સ 1052 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના આઠ લાખ કરોડ ડૂબ્યા

અમદાવાદઃ રિલાયન્સ અને HDFC બેન્ક જેવા હેવી વેઇટ શેરોની આગેવાની હેઠળ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. બેન્કિંગ અને મેટલ શેરોએ પણ સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતુ, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ ક્રમશઃ તૂટીને 70,400 અને 21,300ની નીચે આવી ગયો હતો. ફાર્મા સિવાય બાકીના સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટીને બંધ રહ્યા હતા. માર્કેટમાં આ ઘટાડાને પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 8.08 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.

HDFC બેન્કનાં નિરાશાજનક ત્રિમાસિક પરિણામો પછી બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. આ ઉપરાંત ગ્લોબલ બ્રોકરેજ સિટીએ રિલાયન્સનું રેટિંગ ડાઉનગ્રેડ કરતાં પણ શેરોમાં વેચવાલી ફરી વળી હતી. સોની ગ્રુપના 10 અબજ ડોલરનો મેગા મિડિયા મર્જર સોદાની ડેડલાઇન પૂરી થયા પછી ઝી એન્ટરટેઇનમેન્ટને ટર્મિનેશન નોટિસ મોકલી હતી, જેને પગલે ઝી એન્ટરટેઇનમેન્ટ 30 ટકા તૂટીને રૂ. 160 બંધ આવ્યો હતો, જે એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આ સાથે બેન્કિંગ શેરો પણ શેરબજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું. બજાર ખૂલતામાં તેજી થયા બાદ જોરદાર વેચવાલી થઈ હતી.

BSE સેન્સેક્સ 1053 પોઇન્ટ તૂટીને 70,370.55ના મથાળે અને નિફ્ટી 333 પોઇન્ટ તૂટીને 21,238.80ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 2.26 ટકા તૂટીને બંધ થયો હતો. આ સાથે છેલ્લા બે મહિનાથી શેરોમાં લેવાલ FII આ મહિને ચોખ્ખા વેચવાલ હતી. FIIએ અત્યાર સુધી શેરોમાં રૂ. 13,000 કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક ફંડોએ આ વેચવાલી ખાળવા પ્રયાસ કર્યા હતા, પણ એ ફાવ્યાં નહોતાં.