નવી દિલ્હીઃ નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ સહિત વિશ્વભરના લોકોએ ન્યુ યર સેલિબ્રેશન કર્યું છે, ત્યારે દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 197 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 296 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ રેટે ચિંતા વધારી દીધી છે. જે બે ટકાની ઉપર છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 660 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,13,908 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,366 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,76,550 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 548 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4565 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
દેશમાં GST કલેક્શનમાં ફરી એકવાર વધારો થયો છે. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ અને ડિસેમ્બર 2023 વચ્ચે GST કલેક્શન 12 ટકા વધીને 14.97 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ડેટા અનુસાર ડિસેમ્બર 2023માં GST કલેક્શન વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 1.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ડિસેમ્બરમાં સતત 10મા મહિને જીએસટી કલેક્શન વધ્યું હતું. વર્ષ 2023માં 10 મહિના માટે જીએસટી કલેક્શનનો આંકડો રૂ. 1.5 લાખ કરોડના આંકડાને વટાવી ગયો.
👉 Posting a growth rate of 12% Y-o-Y, ₹14.97 lakh crore gross #GST collection during April-December 2023 period⁰⁰👉 Gross #GST collection averages ₹1.66 lakh crore in first 9 months of FY24⁰⁰👉 ₹1,64,882 crore gross #GST revenue collection for December, 2023
નાણા મંત્રાલયે નવા વર્ષમાં GSTના આંકડા જાહેર કર્યા છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બરમાં આ આંકડો 1.65 લાખ કરોડ રૂપિયા હતો, જે માસિક ધોરણે લગભગ બે ટકા ઓછો છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં GST કલેક્શનના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. નાણા મંત્રાલયના હાલના આંકડા મુજબ GST કલેક્શનની માસિક સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયા રહી છે.
નાણાકીય વર્ષ 2020-21માં GST કલેક્શન વધવા લાગ્યું
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2017-18માં GST કલેક્શનની માસિક સરેરાશ રૂ. 1 લાખ કરોડ હતી. કોરોના મહામારી પછી તે નાણાકીય વર્ષ 2020-21 માં વધવા લાગ્યું. આ પછી નાણાકીય વર્ષ 2022-23માં માસિક સરેરાશ 1.51 લાખ કરોડ રૂપિયા હતી.
કુલ GST કલેક્શનમાં 12 ટકાનો ઉછાળો
નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વાર્ષિક ધોરણે કુલ GST કલેક્શનમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 14.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કુલ GST કલેક્શનનો આંકડો રૂ. 13.40 લાખ કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં કુલ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા હતું. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 1.49 લાખ કરોડ રૂપિયા હતો.
કેન્દ્ર સરકારે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ગોલ્ડી બ્રારને સરહદ પાર સ્થિત આતંકવાદી એજન્સીઓનું સમર્થન છે અને તે અનેક હત્યાઓમાં સામેલ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બ્રાર રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવામાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કરવામાં સામેલ હતા.
Govt designates Satinderjit Singh alias Goldy Brar as terrorist under anti-terror law UAPA
ગૃહ મંત્રાલયે કહ્યું કે ગોલ્ડી બ્રાર સરહદ પારથી ડ્રોન દ્વારા આધુનિક હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં સામેલ હતો. તે આ હથિયારો શાર્પ શૂટરોને હત્યાને અંજામ આપવા માટે સપ્લાય કરતો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે તે અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ કરવા, આતંકવાદી મોડ્યુલ ગોઠવવા, લક્ષ્યાંકિત હત્યાઓ કરવા અને અશાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ, કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચવામાં સામેલ હતા.
Goldy Brar, who is based in Brampton, Canada, is associated with banned
terror group Babbar Khalsa International: Govt
કેનેડા સ્થિત આતંકવાદીએ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. નોંધનીય છે કે મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના થોડા દિવસો પછી, ઇન્ટરપોલે જૂન 2022માં ગોલ્ડી બ્રારના પ્રત્યાર્પણ માટે રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરી હતી.
મણિપુરના થોબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર બંદૂકધારીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બંદૂકધારીઓ છદ્માવરણમાં લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ ફોર વ્હીલરને આગ ચાંપી દીધી હતી. કાર કોની છે તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરની હિંસા બાદ થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં હિંસાની નિંદા કરી અને લોકોને, ખાસ કરીને લિલોંગના રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. મણિપુરમાં 3 મે, 2023ના રોજ જાતિય હિંસા ફાટી નીકળ્યા ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી જ્યારે બહુમતી મેઇટી સમુદાયની તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇટી લોકો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસીઓ- નાગા અને કુકી 40 ટકાથી થોડો વધારે છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.
અયોધ્યા રામ મંદિરઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર હાલમાં ચર્ચામાં છે કારણ કે તેના અભિષેકની તારીખ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિ ક્યારે સ્થાપિત થશે તેની કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, તેમના અધિકારી તરફથી એક પોસ્ટમાં લખ્યું કે, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ આગળ લખ્યું, “આ રામ હનુમાનના અતૂટ સંબંધનું બીજું ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલાની માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.
“ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು”
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ગુરુવારે (28 ડિસેમ્બર) એબીપી ન્યૂઝના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મૂર્તિ પથ્થરોથી બનાવવામાં આવી રહી છે, ત્રણ શિલ્પકારો ત્રણ પ્રકારના પથ્થરો પર પ્રતિમાઓ બનાવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, “ભગવાનનું બાળક જેવું સ્વરૂપ છે, પાંચ વર્ષના છોકરા જેવું… બે શિલ્પકારોએ તેમની મૂર્તિ તૈયાર કરી અને તેને તાળું મારીને ચાલ્યા ગયા. કદાચ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ત્રણ હાથની મૂર્તિઓમાંથી કઇ મૂર્તિ ભગવાને સ્વીકારી હતી અને કયો શિલ્પકાર ભગવાનના બાળસ્વરૂપને યોગ્ય રીતે કોતરવામાં સફળ થયો હતો તે ખબર પડી જશે. જો આ બંને વસ્તુઓ તૈયાર હોય તો અભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ જાય છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અભિષેકની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આપણે સવારે ઊઠીને કામે લાગીએ છીએ તે છેક રાત સુધી કામ કરીએ છીએ. રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ. સવારે નીંદરમાંથી આંખ ખૂલે ત્યારે આપણે સાવ ભૂખ્યા હોઈએ છીએ. આમ, કુદરતની એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે સવારે ભૂખ્યા ઊઠીએ છીએ.
આપણાં જીવનનું સંચાલન પરમાત્મા કરે છે. એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે એવું લખ્યું છે. પણ દિવસને અંતે આપણે કંઈકને કંઈક પ્રાપ્ત કરીએ છીએ એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે ઈશ્વર ભૂખ્યા સુવાડતો નથી એ રીતનો શબ્દપ્રયોગ કર્યો છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.
જાવેદ અખ્તરે વાર્તા અને પટકથા લેખક તરીકે ઘણું કામ કર્યું હતું. ક્યારેય ગીતકાર બનવાનું વિચાર્યું ન હતું. અચાનક નિર્દેશક યશ ચોપડાના આગ્રહથી એ ગીતકાર બન્યા હતા અને એમના એ પહેલા ગીતની રચનાની વાત પણ બહુ રસપ્રદ રહી છે. જે એમણે વિદેશમાં ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં’ નામના કાર્યક્રમમાં કહી હતી. એક દિવસ યશ ચોપડા એમની પાસે આવ્યા અને કહ્યું કે ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧) ના ગીતો એમણે લખી આપવાના છે. એમનું કહેવું હતું કે એમની ફિલ્મોના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવીની તબિયત સારી રહેતી નથી. અને એ હવે ગીત લખવામાં રસ ધરાવતા નથી.
જાવેદ અખ્તરે એમની દિવાર, ત્રિશૂલ વગેરેની પટકથા લખી હતી પણ એ ગીત લખવા તૈયાર ન હતા. એ કવિતાઓ લખતા હતા એની જાણ એમના કેટલાક મિત્રોને જ હતી. એમાં એક યશજી હતા. જાવેદે એમ કહીને ના પાડી દીધી કે હું મારી કવિતાઓ છપાવતો પણ નથી. હું કેવી રીતે ગીત લખી શકું? યશજીએ કહ્યું કે ફિલ્મનો હીરો કવિ છે અને હું કોઈ સ્થાપિત ગીતકાર પાસે એના ગીત લખાવવા માગતો નથી. જાવેદ ગીતો લખવા માગતા ન હોવાથી પોતાની સમસ્યાઓ અને કારણો રજૂ કરી દીધા. છતાં યશજીનો સતત આગ્રહ રહ્યો.
જાવેદે ગીત લેખનના કામમાંથી છટકવા કેટલીક શરતો મૂકી દીધી. યશજીએ બધી જ શરતો માની લીધી એટલે કોઈ વિકલ્પ ન હોવાથી બીજા દિવસે એમના ઘરે જઈને જાવેદે ગીતલેખન માટે ચર્ચા શરૂ કરી દીધી. ફિલ્મમાં સંગીતકાર તરીકે શિવ-હરિ જાવેદની જેમ જ નવા હતા. જાવેદ યશજીને ત્યાં ફિલ્મની કથા- પટકથા માટે ઘણી વખત સીટીંગ કરી ચૂક્યા હતા પણ ગીતકાર તરીકે શરૂઆત હતી એટલે થોડા નર્વસ હતા. એમને ચિંતા એ હતી કે ધૂન પર પોતે ગીત લખી શકશે કે નહીં. યશજીએ ગીતની સિચ્યુએશન સંભળાવી. સંગીતકાર શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ સવારે સાડા દસ વાગે એક ધૂન સંભળાવી. જાવેદે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ, યે ગિલા હૈ આપ કી નિગાહોં સે, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ ગીત લખી કાઢ્યું.
જાવેદે મીટર પર ગીત લખ્યું હતું. એમને અનુભવ ન હતો કે એમાં શબ્દોને રમાડવાના હોય છે. ‘સિલસિલે’ શબ્દ ફક્ત બોલવાનો ન હતો. એને ધૂન સાથે ચાલે એ રીતે ઉચ્ચારવાનો પણ હતો. પહેલું ગીત હોવાથી આ વાતની ખબર ન હતી. સંગીતકારે કહ્યું કે લખ્યું સારું છે પણ ધૂનમાં જે વળાંક છે એના પર શબ્દો બરાબર આવી રહ્યા નથી. જાવેદને ખબર હતી કે ગીતનું શૂટિંગ હોલેન્ડમાં ફૂલોની વચ્ચે થવાનું હતું. એમણે ધૂનના વળાંક પ્રમાણે ફૂલના ઉલ્લેખ સાથે બીજું નવું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ લખ્યું.
આ બંને અલગ મુખડા સાથેનું ગીત લઈ બધા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા. જ્યાં લતા મંગેશકર અને કિશોકુમાર આ ગીત ગાવા માટે હાજર હતા. એમની વચ્ચે બંને મુખડા વિષે ચર્ચા થઈ. લતાજીને ગીતના શબ્દોની સમજ સારી હતી. એમણે કહ્યું કે ધૂનના વળાંક પ્રમાણે બીજું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ બરાબર છે પણ શબ્દો ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ’ વધારે સારા છે અને આ જ શબ્દો વધારે ચાલશે. લતાજીએ કહ્યું હતું એટલે બધાંએ માની લીધું અને એમની વાત સાચી પડી. આમ જાવેદનું પહેલું ગીત ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ બન્યું અને ખૂબ લોકપ્રિય રહ્યું.