Home Blog Page 2191

6 જ દિવસમાં ‘સાલાર’નું કલેક્શન રૂ. 500 કરોડને પાર

ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક પ્રભાસ ફરી એકવાર થિયેટરોમાં રાજ કરી રહ્યા છે. ‘બાહુબલી 2’ પછી પ્રભાસની ફિલ્મો લોકોની અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શકી ન હતી. તેમની ફિલ્મ ‘સાહો’ હજુ પણ સારી કમાણી કરી હતી, પરંતુ ‘રાધે શ્યામ’ અને ‘આદિપુરુષ’ની હાલત સારી નહોતી. આવી સ્થિતિમાં પ્રભાસના સ્ટારડમ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે ‘સાલારે’ એવો ધડાકો કર્યો છે કે આવા તમામ સવાલોના ધુમાડા ઉઠી ગયા છે.
KGF બ્રહ્માંડ બનાવનાર નિર્દેશક પ્રશાંત નીલ સાથે પ્રભાસનો કોમ્બો એક વિસ્ફોટક એક્શન ફિલ્મ લઈને આવ્યો છે. વિવેચકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને લોકો પણ પ્રભાસના એક્શનથી લઈને પ્રશાંતના વિઝન સુધીની દરેક વસ્તુની પ્રશંસા કરી રહ્યા છે. ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘સાલાર’એ માત્ર 6 દિવસમાં કમાણી કરીને મોટા રેકોર્ડ્સને પડકારવાનું શરૂ કર્યું છે.

પહેલા દિવસથી જ જોરદાર કમાણી શરૂ

પ્રભાસની ફિલ્મે પહેલા દિવસથી જ જોરદાર કમાણી શરૂ કરી દીધી હતી. 2023ની સૌથી મોટી વિશ્વવ્યાપી ઓપનિંગ લાવનાર ‘સાલાર’નો ક્રેઝ કામકાજના દિવસોમાં પણ મજબૂત રહે છે. નવું સપ્તાહ શરૂ થયા બાદ પણ ફિલ્મની કમાણી ઝડપથી વધી રહી છે. હવે ‘સાલાર’એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો સીમાચિહ્નરૂપ આંકડો પાર કરી લીધો છે. અને આશ્ચર્યજનક વાત એ છે કે પ્રભાસની ફિલ્મને આ કરવામાં માત્ર 6 દિવસનો સમય લાગ્યો હતો. ‘સલાર’એ બુધવારે ભારતીય બોક્સ ઓફિસ પર 18 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. 6 દિવસ બાદ ફિલ્મનું નેટ કલેક્શન 299 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. ગુરુવારે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે.

‘સાલાર’ આ વર્ષની 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ

‘સલાર’નું હિન્દી વર્ઝન શાહરૂખ ખાનની ‘ડંકી’ જેવી ફિલ્મોની સામે પણ ઘણી કમાણી કરી રહ્યું છે. પ્રભાસની ફિલ્મે બુધવારે હિન્દીમાં આશરે રૂ. 8 કરોડની કમાણી કરી છે, જે એક મજબૂત કલેક્શન છે. આ સાથે ‘સાલર’ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 85 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આગામી 2 દિવસમાં પ્રભાસની ફિલ્મનું હિન્દી વર્ઝનથી જ નેટ કલેક્શન 100 કરોડ રૂપિયાને વટાવી જશે. ‘સાલાર’ 2023માં 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. તેણે સલમાન ખાનની ‘ટાઈગર 3’ને વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે પાછળ છોડી દીધી છે. ‘ટાઈગર 3’નું વિશ્વભરમાં કુલ 466 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. ‘સાલાર’ આ વર્ષની 7મી સૌથી મોટી ભારતીય ફિલ્મ છે.

ટૂંક સમયમાં જ ‘જેલર’, ‘લિયો’ અને ‘ગદર 2’ને પાછળ છોડી દેશે

પ્રભાસની ફિલ્મ ટૂંક સમયમાં જ ‘જેલર’, ‘લિયો’ અને ‘ગદર 2’ને પાછળ છોડી દેશે જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડથી રૂ. 700 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સપ્તાહના અંત સુધીમાં તે ‘જવાન’, ‘પઠાણ’ અને ‘એનિમલ’ પછી વર્ષની ચોથી ટોચની ફિલ્મ બની જશે.

કોરોના બીમારી સામે જંગ હારી ગયા પીઢ તામિલ એક્ટર, નેતા વિજયકાંત

ગુરુવાર, 28 ડિસેમ્બરે અવસાન પામેલા જાણીતા તામિલ ફિલ્મ અભિનેતા અને નેતા વિજયકાંત (71)ના પાર્થિવ દેહના દર્શન માટે ચેન્નાઈમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. વિજયકાંતના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો તામિલનાડુ સરકારે નિર્ણય લીધો હતો. વિજયકાંતના અવસાનને પગલે વિજયકાંતના સમર્થકો અને પ્રશંસકોમાં ભારે શોક ફેલાઈ ગયો છે.

વિજયકાંતની અંતિમ યાત્રા વખતે માનવમહેરામણ ઉમટ્યો હતો. લોકોને નિયંત્રણમાં રાખવા માટે પોલીસોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

વિજયકાંતને કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યો હતો અને તેઓ નવેમ્બર મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

વિજયકાંતે સક્રિય રાજકારણમાં પ્રવેશતા પહેલાં 150થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. ડીએમડીએક નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. તેઓ 18 વર્ષ સુધી તામિલનાડુના રાજકારણમાં સફળતાપૂર્વક આગળ વધતા રહ્યા હતા. એમણે કરૂણાનિધિ અને જયલલિતા જેવા દિગ્ગજ નેતાઓને ટક્કર આપી હતી.

વિજયકાંતના પોસ્ટરને સ્પર્શ કરીને શોક વ્યક્ત કરતો એમનો એક સમર્થક

અંતિમયાત્રા વખતે શોક વ્યક્ત કરતો વિજયકાંતનો એક સમર્થક.

શોક વ્યક્ત કરતી વિજયકાંતની મહિલા સમર્થક

આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ

મુંબઈમાં 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નેતા આતંકી હાફિઝ સઈદને ભારત લાવવાની ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે પાકિસ્તાન સરકાર પાસે આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની સત્તાવાર માંગ કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટ જણાવે છે કે ભારતે પાકિસ્તાનને હાફિઝ સઈદને સોંપવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારત લાવવામાં આવશે! પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે ભારતે આ માંગ કરી હતી.

 

 

‘ભારત જોડો યાત્રા’ બાદ હવે રાહુલ ગાંધી કરશે ‘ભારત ન્યાયયાત્રા’

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યાત્રાને ‘ભારત ન્યાય યાત્રા’ નામ આપ્યું છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થઈને 20 માર્ચના રોજ સમાપ્ત થશે. મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 14 રાજ્યોના 85 જિલ્લાઓની 90 લોકસભા બેઠકોને કવર કરવામાં આવશે. જે બસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી.

આ મેગા યાત્રામાં બસનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ 6200 કિલોમીટરની યાત્રામાં કોંગ્રેસ જે રાજ્યોને આવરી લેશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત યાત્રામાં ભાગ લેનાર આગેવાનો સમયાંતરે થોડો સમય પદયાત્રા પણ કરી શકશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે, આ યાત્રાનું નામ ન્યાયયાત્રા શા માટે રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય આપીશું. પ્રથમ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી જ્યારે આ બીજી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે.

દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી

કોંગ્રેસનો ઉદ્દેશ્ય આ યાત્રા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે, તેથી જ પાર્ટીએ આટલી લાંબી યાત્રાનો માર્ગ પસંદ કર્યો છે. પાર્ટીએ આની શરૂઆત મણિપુરથી કરી છે કારણ કે ગયા વર્ષના મે મહિનાથી ત્યાં હિંસાનો સમયગાળો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અત્યાર સુધી મણિપુરમાં હિંસા અટકાવી શકી નથી. રાહુલ ગાંધી થોડા દિવસો માટે મણિપુર પણ ગયા હતા અને ત્યાં હિંસા પીડિતોને પણ મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે મણિપુર હિંસા અંગે સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મણિપુરને પોતાના આધાર તરીકે ઉપયોગ કરીને દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શું હતી?

કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ 5 મહિના સુધી ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા. આ યાત્રામાં કોંગ્રેસે લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનું છે.

પહેલી ટેસ્ટઃ 163 રનની ખાધ સામે ભારતે ટોચની 3 વિકેટ સસ્તામાં ગુમાવી

સેન્ચુરિયનઃ અહીં સુપરસ્પોર્ટ મેદાન પર રમાતી બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. બીજા દાવમાં પણ ભારતનો સ્ટાર્ટ સારો રહ્યો નહોતો. કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્ય વગર, યશસ્વી જાયસવાલ પાંચ રન અને શુભમન ગિલ 26 રન કરીને આઉટ થઈ ગયો છે. કેગિસો રબાડા, નાન્દ્રે બર્ગર અને માર્કો યાનસને એક-એક વિકેટ લીધી છે. ટી-બ્રેક વખતે ભારતનો સ્કોર 3 વિકેટે 62 રન હતો. વિરાટ કોહલી 18 અને શ્રેયસ ઐયર 6 રન સાથે દાવમાં હતો.

લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 9 વિકેટે 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ટેમ્બા બવૂમા ઈજાગ્રસ્ત હોવાને કારણે બેટિંગ કરવા આવ્યો નહોતો. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. સાઉથ આફ્રિકાની ટીમ કુલ 109.4 ઓવર રમી હતી. સાતમા ક્રમનો બેટર માર્કો યાનસન 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 147 બોલનો સામનો કર્યો હતો અને દાવમાં એક સિક્સર અને 11 બાઉન્ડરી ફટકારી હતી.

ભારત વતી જસપ્રિત બુમરાહ 69 રનમાં 4 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો છે.

ગૃહ ટીમનો આ જંગી સ્કોર ડાબોડી ઓપનર ડીન એલ્ગરના 185 રનને કારણે બની શક્યો છે. ગઈ કાલનો નોટઆઉટ બેટર એલ્ગર આજે આઉટ થયો હતો. તેણે કુલ 425 મિનિટની રમતમાં 287 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે 28 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમના 360 રનના સ્કોર પર શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા તે કેચઆઉટ થયો હતો. ગઈ કાલે ડેવિડ બેડિંઘમે 56 રન કર્યા હતા. એલ્ગર સાથે ગઈ કાલે રમત બંધ રહી ત્યારે યાનસન પણ નોટઆઉટ હતો.

મેચ પૂર્વે ભારતને તેના ચાર ફાસ્ટ બોલર પર મદાર હતો, પરંતુ એમાંના પ્રસિદ્ધ કૃષ્ણા અને ઠાકુરની બોલિંગ નબળી રહી હતી, જેનો ફાયદો એલ્ગર અને યાનસને ઉઠાવ્યો. બંનેએ સાતમી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. યાનસનનો ટેસ્ટ કારકિર્દીનો આ હાઈએસ્ટ સ્કોર છે. મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી છે. ઠાકુર, કૃષ્ણા અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક-એક બેટરને આઉટ કર્યો છે.

અનન્યા પાંડે સ્ટ્રીટ ફૂડની શોખીન છે; શેઝવાન ચીઝ ઢોસા એની ફેવરિટ આઈટમ છે

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું છે કે એને આચરકૂચર ખાવું બહુ ગમે છે. રસ્તા પરનું ફૂડ ખાવાનું પણ એને બહુ ગમે છે. એમાં તેની બે ફેવરિટ આઈટમ છે – શેઝવાન ચીઝ ઢોસા અને પનીર હંગામા.

વડા-પાવ પણ પોતાને ખૂબ જ પ્રિય છે એવું અનન્યાએ માશેબલ ઈન્ડિયા વેબસાઈટને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે. અનન્યાની આ મુલાકાતના યૂટ્યૂબ વીડિયોનું શીર્ષક ‘ધ બોમ્બે જર્ની’ આપવામાં આવ્યું છે. એમાં અનન્યાએ મુંબઈના સ્ટ્રીટ ફૂડ માટેના તેનાં આકર્ષણની વાતો કરી હતી. ઈન્ટરવ્યૂ લેનારે જ્યારે પૂછ્યું કે, ‘શું તું સ્ટ્રીટ ફૂડ નથી ખાતી?’ ત્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મની અભિનેત્રી અને અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યાએ કહ્યું, ‘મને ભેલપૂરી, સેવપૂરી જેવી ચાટ આઈટમો બહુ ભાવે છે. શેઝવાન ચીઝ ઢોસા અને પનીર હંગામા મારી ફેવરિટ છે.’

25 વર્ષીય અનન્યાએ વધુમાં કહ્યું, ‘પાણીપૂરી કરતાં હું સેવપૂરી ખાવાનું વધારે પસંદ કરું. રસ્તા પરની પાણીપૂરીનું પાણી સારું નથી હોતું. હું ભેલપુરી કરતાં વડા-પાવ ખાવાનું વધારે પસંદ કરું. વડા-પાવથી પેટ ભરાઈ જાય.’

અનન્યા હાલમાં જ રિલીઝ થયેલી ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી. એમાં તેનો હિરો હતો સિદ્ધાંત ચતુર્વેદી. અનન્યાની નવી બે ફિલ્મ આવી રહી છે – ‘કન્ટ્રોલ’ અને ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓપ સી. શંકરન નાયર’.

કતારમાં કોર્ટે આઠ ભારતીયોની મોતની સજા ફેરવી

નવી દિલ્હીઃ કતારમાં ફાંસીની સજા પામેલા નેવીના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે. કોર્ટે તમામ આઠ લોકોની પાંસીની સજા અટકાવી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તરફથી કતારની કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  સંપર્ક કર્યો છે. કોર્ટે 26 ઓક્ટોબરે નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. હવે ફાંસીની સજા કારાવાસમાં બદલવાની આશા વધી ગઈ છે. અપેક્ષા છે કે વર્ષ 2015માં સમજૂતી મુજબ આઠ ભારતીયોને ભારતમાં સજા પૂરી કરવાનો વિકલ્પ પણ મળી જાય.

કતારમાં જે આઠ ભૂતપૂર્વ નેવીના અધિકારીઓને મોતની સજા સંભાળવવામાં આવી હતી, તેમનાં નામ- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર સહિતના જવાનોનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. અહેવાલ અનુસાર કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે. રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજમી આ કંપનીના CEO છે.

 

 

 

 

 

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ

ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.  રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.

ખેલમહાકુંભની વિગતો જાણવા માટે https://khelmahakumbh.gujarat.gov.in/ પર ક્લિક કરી માહિતી મેળવી શકો છે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. અગાઉ ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન ખુલ્લુ મૂકાતાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.

ગૃહ અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા થનારા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. જો કે, ગયા વર્ષે 55 લાખનું રજિસ્ટ્રેશન હતું. આ ઉપરાંત, એશિયન ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી 5 લાખની રકમ ઈનામ રૂપે અપાશે.

ChatGPTને ટક્કર આપવા મુકેશ અંબાણી મેદાનમાં આવ્યા

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટી માહિતી શેર કરી છે. તેણે કહ્યું કે તે એક AI પ્લેટફોર્મ પણ બનાવી રહ્યો છે, જે ChatGPTની જેમ કામ કરશે. આ એક પ્રકારનું BharatGPT હશે. Jio તેની પોતાની ટેલિવિઝન ઓએસ પણ તૈયાર કરી રહ્યું છે. તેણે આઈઆઈટી બોમ્બેના વાર્ષિક ટેક ફેસ્ટ દરમિયાન આ માહિતી આપી હતી.

આકાશ અંબાણીએ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે મોટી માહિતી શેર કરી. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે તેઓ ભારત GPT પર કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT-Bombay) સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યો છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલો પરથી આ માહિતી મળી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આકાશ અંબાણીએ IIT Bombay ઈન્સ્ટિટ્યૂટના વાર્ષિક ટેકફેસ્ટમાં આ માહિતી આપી હતી. ભારત જીપીટી ઓપન એઆઈ દ્વારા તૈયાર કરાયેલ ચેટજીપીટી સાથે સ્પર્ધા કરશે, જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.

Jio 2.0 વિશે વિઝન સમજાવ્યું

આકાશ અંબાણીએ સમજાવ્યું કે શા માટે શક્તિશાળી ઇકો સિસ્ટમ બનાવવી મહત્વપૂર્ણ છે. કંપનીના વિઝન Jio 2.0 વિશે પણ માહિતી શેર કરી. વર્ષ 2014 માં IIT બોમ્બે સાથે ભાગીદારી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય જનરેટિવ AI બનાવવાનો અને એક વિશાળ ભાષા મોડેલ તૈયાર કરવાનો હતો, જે ChatGPT જેવું હશે. તેનું નામ શું હશે? ભારત GPT પ્રોગ્રામ સિવાય આકાશ અંબાણીએ કહ્યું છે કે Jio અન્ય મહત્વાકાંક્ષી સાહસ પર કામ કરી રહ્યું છે, જે ટેલિવિઝન ટેક્નોલોજી હશે. તેણે ખુલાસો કર્યો કે કંપની ટીવી માટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે.

ChatGPT શું છે?

ChatGPT એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ છે. આ એક ચેટબોટ છે, જે ઘણા પ્રશ્નોના જવાબ તેમજ સામગ્રી લેખનમાં મદદ કરે છે. તેની મદદથી તમે સોશિયલ મીડિયા પોસ્ટથી લઈને પત્રો વગેરે બધું જ લખી શકો છો. તમે કેટલાક વિષયો અથવા સમસ્યાઓના ઉકેલ માટે પણ પૂછી શકો છો. ChatGPT ને OPEN AI નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી છે.

ગાંધીનગર : 28 જાન્યુઆરીએ 69મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ યોજાશે

ફિલ્મફેર હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ પ્રતિભા અને તકનીકી સિદ્ધિઓનો સૌથી મોટો સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યું છે. દાયકાઓથી, બ્લેક લેડી(ફિલ્મફેર પુરષ્કાર) મનોરંજન ક્ષેત્રમાં સફળતાનું મૂર્ત સ્વરૂપ છે. ત્યારે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે. આ એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023ની શરૂઆતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (A Times Group Company) એ એવોર્ડ સમારોહ માટે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સીમાચિહ્નરૂપ પગલાથી ગુજરાત પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024 પહેલા ફિલ્મમેકર્સ રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું. જેમાં પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાત સરકારના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે

ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડા, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે.