સલમાન ખાનના જીવનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ એટલે કે વર્ષ 1998 ના કાળિયાર શિકાર મામલા પર બની રહેલી ફિલ્મ ‘કાલા હિરન’ ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાનની લીગલ ટીમ તરફથી મોકલવામાં આવેલી કાનૂની નોટિસનો જે આક્રમક રીતે જવાબ આપ્યો છે, તેણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અમિત જાનીએ માત્ર જાહેરમાં આ કાનૂની નોટિસની નકલને ફાડી જ નથી નાખી, પરંતુ એક વીડિયો જાહેર કરીને સલમાન ખાનના સમર્થકો પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લગાવ્યા સનસનીખેજ આક્ષેપ
પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર વીડિયો શેર કરીને આ સમગ્ર ઘટનાની વિગતો આપી છે. વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારથી આ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે, ત્યારથી જ તેમને સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે. આ ફોન કરનારા લોકો પોતાને સલમાન ખાનના કથિત સપોર્ટર્સ ગણાવી રહ્યા છે. આટલું જ નહીં, અમિત જાનીએ વધુ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે તેમને અંડરવર્લ્ડની કુખ્યાત ‘ડી-કંપની’ (D-Company) સાથે જોડાયેલો એક ધમકીભર્યો મેસેજ પણ મળ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે આ મેસેજની સત્યતા અથવા તેની પાછળ રહેલા અસલી ચહેરાઓની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.
પ્રોડ્યુસરે વીડિયોના માધ્યમથી પોતાની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “આવી ગંભીર સ્થિતિમાં મારે પહેલા સલમાન ખાનની લીગલ નોટિસનો જવાબ આપવો જોઈએ કે પછી મને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સામે લડવું જોઈએ?” તેમણે જણાવ્યું કે છેલ્લા 36 કલાકની અંદર જ તેમને ડઝનબંધ ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે, જેમાં તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પણ મુંબઈમાં પગ ન મૂકે.
કેમેરા સામે સલમાન ખાનની નોટિસ ફાડી નાખી
વાયરલ થયેલા વીડિયોમાં પ્રોડ્યુસર અમિત જાનીનો ગુસ્સો સાફ જોઈ શકાય છે. કેમેરાની બિલકુલ સામે કાનૂની નોટિસના કાગળો ફાડતા તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, “આ ફાટેલા કાગળના ટુકડા જ સલમાન ખાનની લીગલ ટીમને મારો અંતિમ અને આખરી જવાબ છે.” તેમણે બે ટૂંક શબ્દોમાં સંભળાવી દીધું કે તેઓ આ પ્રકારની કોઈ પણ ધમકીઓ, દબાણ કે દાદાગીરી સામે ઝૂકવાના નથી. તેઓ આવી હરકતોથી ડરશે નહીં અને પોતાના આ મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટથી એક ડગલું પણ પાછળ નહીં હટે.




પારસ ફાઉન્ડેશનના સ્થાપક પારસ પટેલે કાર્યક્રમમાં સૌને આવકારતા જણાવ્યું કે જે સમાજ પોતાના સાહિત્યકારોને સન્માન આપે છે, ઈતિહાસ એક દિવસ એ સમાજને સન્માન આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રસંગોચિત ઉદબોધનમાં આ પ્રકારના ઉપક્રમની પ્રતિષ્ઠા કરી હતી.
સભાને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સાહિત્યકાર એ ઝહળતા દીપક સમાન છે. જે સ્વયં પ્રકાશ ફેલાવીને સમાજને સાચી દિશા બાતાવે છે. તેમના હસ્તે જાણીતા કવિ, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક પારસ પટેલ રચિત ગુજરાતી વાર્તાસંગ્રહ “પારસ પટેલની વાર્તાઓ – ભાગ 1”નું વિમોચન કરવામાં આવ્યું હતું.


સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિક કે ફ્લેક્સ બેનરોના સ્થાને આ મેગા ઇવેન્ટમાં સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલું સ્ટેજ બેકડ્રોપ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસના ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો – કૃતિબેન પટેલ, કિનલબેન પટેલ, માનસીબેન ચાંદિવાલા અને ૧૫ વિદ્યાર્થીઓની ટીમે રાત-દિવસ એક કરીને ૪૮ બાય ૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કર્યું છે.
સુરતના ટેક્સટાઇલ હબના ગૌરવને ઉજાગર કરતા આ આર્ટવર્કમાં વાંસના માળખા પર ગુજરાતની પરંપરાગત કલાઓ જેવી કે ભાતીગળ બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્ક (મિરર વર્ક) નો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે. 
શૂન્ય ટકા પ્લાસ્ટિક અને સો ટકા કુદરતી સામગ્રીથી બનેલું આ બેકડ્રોપ દેશભરમાં પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીનો એક વિરાટ સંદેશ આપશે.
આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
UAE દ્વારા વર્ષ ૨૦૨૬ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરાયું છે, જે અંતર્ગત આ વર્ષની થીમ “નવા માધ્યમો અને AIનો કુટુંબ અને સમાજ પર પ્રભાવ” રાખવામાં આવી હતી.
મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી અને ડૉ. ખલીફા અલ ધાહેરીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે તેમણે ટેક્નોલોજી અને પરિવારના સંબંધો પર એક પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘ઘર સભા’ ના સંદેશને યાદ કર્યો હતો.
આ એવોર્ડ કોવિડના સમયમાં અને વૈશ્વિક સંકટોમાં મંદિર દ્વારા કરવામાં આવેલાં ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો અને હજારો સ્વયંસેવકોના સામૂહિક સમર્પણનું પ્રતિબિંબ છે.




આ ઉમદા હેતુ સાથે મલાડ પશ્ચિમ ખાતે આવેલી ઓરિસ સેરેનિટી સોસાયટીના સભ્યોએ પોતાના ઘર આંગણે અધિક મહિનાના પાવન અવસર દરમ્યાન ૧ જૂનથી ૭ જૂન સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જ્યાં શાસ્ત્રીજી શ્રી કપિલ મહારાજ પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રાવકોને કથા રસપાન કરાવે છે.
ઓરિસ સેરેનિટી સોસાયટીમાં તાજેતરમાં વસાહતીઓ દ્વારા વસાહતમાં જ વૈષ્ણવ સંઘ શરૂ કરવામાં આવ્યો છે, જયાં વસાહતીઓ ભેગા મળીને આપણા ધાર્મિક ઉત્સવો પંરપરાગત રીતે ઉજવે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જીવંત ગ્રંથ છે.
સનાતન પરંપરા સાથેનો સેતુસંધાન

VYO દ્વારા વૈશ્વિક સ્તરે આ અભ્યાસક્રમ શીખવવાની શરૂઆત થઈ છે. વિશ્વના આઠ દેશોમાં ચાલીસ જેટલાં કેન્દ્રોમાં આ સનાતન પરંપરા પ્રેરિત અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાઓને મૂલ્ય શિક્ષણ સાથે સુખ અને શાંતિની સાચી પરિભાષા શીખવવામાં આવે છે. સનાતન પરંપરા અને પુષ્ટિમાર્ગના આદર્શો માત્ર ધાર્મિક જીવન પૂરતા મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિને પ્રેમ, સહઅસ્તિત્વ અને માનવતાના માર્ગે આગળ વધવામાં પણ માર્ગદર્શન આપે છે. પાઠશાળામાં આ અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાનોને આપણા પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન, ભારતીય સંસ્કૃતિની વૈભવી પરંપરા અને સનાતન ધર્મની વૈશ્વિક મહત્તાનો પરિચય કરાવવામાં આવશે. આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ જાણવાથી નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને ગર્વની ભાવના વિકસે તે માટે આ પાઠશાળા નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.