Home Blog Page 2206

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ એ પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો

2023ની મોટી ફિલ્મોની યાદીમાં સામેલ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. ‘બાહુબલી’ સ્ટારની ફિલ્મો સતત ફ્લોપ થયા પછી, તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. સિનેમાઘરોમાં આવતાની સાથે જ આ ફિલ્મે એક નવો ઈતિહાસ રચ્યો છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલારઃ પાર્ટ વન – સીઝફાયર’ને પહેલા દિવસે જ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ જોરદાર કમાણી કરી છે. અગાઉની ઘણી ફિલ્મોના ખરાબ પ્રદર્શન બાદ પ્રભાસે ‘સાલાર’થી શાનદાર કમબેક કર્યું છે.

એક્શન થ્રિલર ‘સાલારઃ પાર્ટ વન – સીઝફાયર’નો ક્રેઝ ફેન્સમાં વધી રહ્યો છે. પ્રથમ દિવસે થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી હતી. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ‘સાલાર’ની રિલીઝના પહેલા દિવસના પ્રારંભિક આંકડા આવી ગયા છે. Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘Saalar’ એ તેની રિલીઝના પહેલા દિવસે 95 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. હવે 95 કરોડની ઓપનિંગ સાથે પ્રભાસની આ ફિલ્મે વર્ષમાં રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘સાલાર’ વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર બની છે. ‘જવાન’ની પહેલા દિવસની કમાણી 65.5 કરોડ રૂપિયા હતી. ‘પઠાણ’એ પહેલા દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ‘એનિમલ’એ પહેલા દિવસે 54.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સની દેઓલની ‘ગદર 2’ એ પહેલા દિવસે 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પેન ઈન્ડિયા ફિલ્મ ‘સાલાર’નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન, જગપતિ બાબુ રેડ્ડી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ‘સાલાર’ની જબરદસ્ત ઓપનિંગ જોઈને લાગે છે કે પ્રભાસ ફરી પાટા પર આવી ગયો છે. આ સમાચાર ચોક્કસપણે પ્રભાસના ચાહકો માટે ખુશી લઈને આવ્યા હશે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગાંધીનગરમાં દારૂબંધી હટી

ગુજરાતમાં આમતો દારૂબંધી છે. પરંતુ ગાંધીનગરમાં 886 એકરમાં તૈયાર કરવામાં આવેલ ગિફ્ટ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મુલાકાતીઓ માટે સરકારે દારૂ પીવાની છુટ જાહેર કરી છે. ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે

ગુજરાતમાં દારૂબંધીને લઈને સરકાર હંમેશા કડક કાયદાની વાતો કરે છે ત્યારે રાજ્યમાં ગિફ્ટ સિટીમાં લિકર પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરીને સરકારે સરેઆમ દારૂ પીવાની છુટ આપી છે. હવેથી ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં કર્મચારીઓ વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ,કલબ અવે રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે.પરંતુ હોટેલ,કલબ અને રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, અને કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

અમેરિકામાં ખાલિસ્તાનીઓએ ફરી હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે મંદિરની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ માહિતી નેવાર્ક પોલીસ તેમજ નાગરિક અધિકાર અધિકારીઓને આપવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે તે આગ્રહ કરી રહી છે કે પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરે.

કેનેડામાં પણ આવી ઘટનાઓ બની

તમને જણાવી દઈએ કે આવી ઘટનાઓ અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ ઘણી વખત બની છે. હાલમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મધરાતે સરે શહેરમાં સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર લોકમતના પોસ્ટરો ચોંટાડી દીધા હતા. આરોપીની આ હરકત મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવી દીધા હતા. વાદળી પાઘડી પહેરેલા વ્યક્તિએ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવ્યા હતા. આ પછી બંને ત્યાંથી ભાગી ગયા હતા.

નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર જેમના પોસ્ટરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા હતા, આ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ભારત સરકારે તેને નિયુક્ત આતંકવાદી જાહેર કર્યો હતો. તેઓ કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હતા. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર વર્ષ 2022માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

કોરોનાનો હાહાકાર ! દેશભરમાં JN.1 ના 22 કેસ નોંધાયા

ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. 21 ડિસેમ્બર સુધી કોરોના JN.1 ના નવા વેરિએન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 265 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. JN.1 વેરિઅન્ટનો પહેલો કેસ કેરળમાંથી જ નોંધાયો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2,997 પર પહોંચી ગયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી. જો કે, યોગ્ય સાવચેતીના પગલાં લેવા જોઈએ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી પાસે હાલમાં કોઈ ડેટા નથી કે JN.1 વેરિએન્ટ વધુ ગંભીર છે અથવા વધુ મૃત્યુનું કારણ બનશે.

coronavirus.

આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી

રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે ગુરુવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જો હળવી શરદી, ઉધરસ, તાવ, શરદી અને ગળામાં ખરાશથી પીડાતા દર્દીઓ સમયસર તબીબી સલાહ લે તો આ રોગને અસરકારક રીતે અને તરત જ નિયંત્રિત કરી શકાય છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ COVID-19 માટે સમયસર ટેસ્ટિંગ અને સારવાર કરાવવી જોઈએ.

ભીડમાં માસ્ક પહેરવાની સલાહ

આરોગ્ય વિભાગ અને WHOનું કહેવું છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેત રહો. WHOએ બુધવારે કોરોનાને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ભીડવાળી અથવા બંધ જગ્યાઓ અને પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું આવશ્યક છે. સામાજિક અંતરને પણ આદત બનાવો. કોરોના JN.1 ના નવા વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં કેસ વધ્યા

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં નવા સબ-વેરિયન્ટ કોવિડ કેસ નોંધાયા છે.બીજી તરફ ગોવાના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોના સેમ્પલમાં સબ-વેરિયન્ટ JN.1 મળી આવ્યો છે. પરંતુ આ જૂના કેસ છે અને હવે એક્ટિવ નથી. આ પ્રકારનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા વિનંતી કરી હતી.

૨૩ ડિસેમ્બર, ૨૦૨૩

૨૩ ડિસેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 23/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પ્રાર્થનામાં બાહ્યની સાથે સાથે આંતરિક સમૃદ્ધિ પણ માગો

ઉપૈતુ માં દેવસખઃ કીર્તિશ્ચ મણિના સહ ।

પ્રાદુર્ભૂતોऽસ્મિ રાષ્ટ્રેऽસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે ।।7।।

”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન, મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે) જેની હાજરીમાં દેવના સખાઓ તેમની કીર્તિ (આંતરિક સમૃદ્ધિ) અને વિવિધ રત્નો (બાહ્ય સમૃદ્ધિ) લઈને મારી સમીપ આવે અને મારો પુનર્જન્મ શ્રી અર્થાત્ લક્ષ્મીજીના શાસનમાં થાય જ્યાં મને કીર્તિ (આંતરિક સમૃદ્ધિ) અને વૃદ્ધિ (બાહ્ય સમૃદ્ધિ) પ્રાપ્ત થાય.

સામાન્ય જીવનમાં આ મુદ્દાને સ્પર્શે એવો એક દાખલો જોઈ લઈએ. દા.ત. નીલેશભાઈ ભાટિયા. તેઓ જર્મનીની કોઈ મોટી કંપનીને પ્રિસિઝન એન્જિનિયરિંગ ગુડ્સ તરીકે ઓળખાતી વસ્તુઓની ત્રણ વર્ષ સુધી સપ્લાય કરવા માટેનો મોટો સોદો કરીને ફ્રેન્કફર્ટથી પાછા ફર્યા હતા. આ કોન્ટ્રેક્ટને પગલે તેમને સારો એવો નફો થવા ઉપરાંત આ પ્રકારની વસ્તુઓના સપ્લાયર તરીકે તેમનું નામ પ્રસ્થાપિત થવાનું હતું અને ભવિષ્યમાં અનેક દેશોની સરકારો તથા અન્ય ઉદ્યોગગૃહો તરફથી વધુ કોન્ટ્રેક્ટ મળવાની શક્યતા વધી ગઈ હતી.

આટલી ઉજ્જવળ સંભાવનાઓ હોવા છતાં તેઓ ટેન્શનમાં હતા. તેમને ખબર હતી કે તેમના કામદારો તેમનાથી નારાજ થઈ જશે. તેમણે કામદારોને કાબૂમાં રાખવા માટે તેમના નેતાને લાંચ આપવી પડશે. બીજી બાજુ, આવક વેરા ખાતાની અદાલતમાં તેમની સામે કેસ પેન્ડિંગ હતા. વળી, તેમના મોટાભાભી પિયરે પાછા ચાલ્યાં ગયાં હતાં અને તેમનો દીકરો તેમની સેક્રેટરી સાથે છાનગપતિયાં કરતો હતો. નીલેશભાઈ પોતે પણ ડાયાબિટીસના દરદી હતા અને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્ષન લેતા હતા. તેમના પર ઘણો માનસિક બોજ હતો.

તેમણે પોતાના પૌત્રે તેમની 70મી વર્ષગાંઠના દિવસે ભેટમાં આપેલો આઇફોન ટેન ઉપાડીને કૉલેજકાળના મિત્ર કિરીટનો નંબર જોડ્યો. બે-ત્રણ વખત ટ્રાય કર્યા પછી પણ કિરીટભાઈએ ફોન ઉપાડ્યો નહીં ત્યારે નીલેશભાઈ ઉદાસ થઈ ગયા અને સ્વગત બોલી ઉઠ્યા, “એ તો ક્યાંક પલાંઠી વાળીને આંખો બંધ કરીને મૂર્તિની જેમ બેઠો હશે. કોણ જાણે તેને આ બધું કેવી રીતે ફાવે છે!”

નીલેશભાઈની મુલાકાત કૉલેજના છેલ્લા એન્યુઅલ ડે દરમિયાન યોજાયેલી સ્પર્ધા વખતે થઈ હતી. તેઓ બન્ને ખાધેપીધે સુખી ઘરના હતા. તેમણે પોતે પણ ઘણું ધન ભેગું કર્યું હતું. કિરીટભાઈ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં હતા.

છેલ્લાં થોડાં વર્ષોથી તેમણે બિઝનેસમાં સક્રિયપણે ભાગ લેવાનું છોડી દીધું હતું. તેમની કંપની લિસ્ટેડ હોવાથી પ્રોફેશનલ મૅનેજરો બધો કાર્યભાર સંભાળતા. તેમનો મોટો દીકરો કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં હતો અને બીજો સીનિયર મૅનેજમેન્ટમાં હતો. સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ તેઓ કંપનીના કામકાજમાં ભાગ્યે જ ધ્યાન આપતા. ક્યારેક તેમનો અભિપ્રાય કે સલાહ માગવામાં આવે તો જ તેઓ કંઈ કહેતા. તેમનો મોટાભાગનો સમય મેડિટેશનમાં વીતતો.

કિરીટભાઈ પહેલાં નિયમિતપણે NCPA (નૅશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ)માં જતા. થોડા સમયથી તેમને સંગીત અને નાટકોમાં રસ જાગ્યો હતો. તેઓ ક્યારેક પોતાના વતનમાં પણ જતા. ત્યાં તેઓ એક સ્વૈચ્છિક સંસ્થાના સલાહકારી મંડળમાં સેવા આપતા. દર 4-5 મહિને એક વાર તેઓ ક્યાંક ફરવા જતા. જો કે, દરરોજનો યોગાભ્યાસ ક્યારેય ચૂકતા નહીં. નવી બનેલી તોતિંગ ઈમારતમાંના 25મા માળે આવેલા નવા ઘરમાં તેમણે યોગાસન, પ્રાણાયમ અને મેડિટેશન કરવા માટે અલગ ઓરડો રાખ્યો હતો. એ જ ખંડમાં પુસ્તકોનો વિશાળ સંગ્રહ પણ હતો. તેમનો પૌત્ર સાંજે પિયાનો વગાડતો.

નીલેશભાઈ પોતે કરેલા મોટા સોદાના સમાચાર કિરીટભાઈને આપવા માગતા હતા. તેઓ પારિવારિક મોરચે કેવી રીતે કામ લેવું તેના માટેની સલાહ પણ તેમની પાસેથી મેળવવા માગતા હતા. સંપત્તિ તો બન્ને પાસે હતી. મોટું ઘર, કારનો કાફલો, ફાઇવ સ્ટાર હોલિડેની મજા, એ બધું જ બન્ને પાસે હતું, પરંતુ માનસિક શાંતિ અને શીતળતા ફક્ત કિરીટભાઈ પાસે હતી.

એમ તો આ બન્ને મિત્રો દર શનિવારે સવારનો નાસ્તો ભેગા જ કરતા, પરંતુ નીલેશભાઈને વચ્ચે જ્યારે માનસિક તાણ અને અજંપો વર્તાતાં ત્યારે પણ તેઓ કિરીટભાઈને મળી લેતા. તેમની પણ ઈચ્છા કિરીટભાઈની જેમ જીવવાની હતી, પરંતુ તેઓ એ નિર્ણય લઈ શકતા ન હતા.

ઉક્ત ઉદાહરણ પરથી આંતરિક અને બાહ્ય સમૃદ્ધિનો મુદ્દો સ્પષ્ટપણે સમજી શકાય છે.

ઋગ્વેદના શ્રીસૂક્તનો આ સાતમો શ્લોક આપણને આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાનું કહે છે. ફક્ત બાહ્ય સમૃદ્ધિથી પ્રસન્નતા નથી મળતી, તેનાથી કામચલાઉ ઉન્માદ જ જન્મે છે. આંતરિક સમૃદ્ધિ જ ખરી પ્રસન્નતા આપી શકે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

લીનાએ અભિનેત્રી બનવા રાહ જોવી પડી     

લીના ચંદાવરકરે ફિલ્મોમાં પ્રવેશ કરવા પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં હીરોઈન તરીકે કામ કરવા માટે નાની ઉંમરને કારણે રાહ પણ જોવી પડી હતી. લીનાને બાળપણથી જ ફિલ્મોનો શોખ હતો. ઘરની નજીક જ થિયેટર હતું. એ ઘણી વખત સ્કૂલમાં રજા પાડીને ચોરીછૂપી ફિલ્મો જોવા જતી હતી. પકડાઈ જતી ત્યારે સજા મળતી હતી. મીનાકુમારીની ‘દિલ એક મંદિર’ અને ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ જોઈને એમના જેવી અભિનેત્રી બનવાની ધૂન લાગી હતી. વર્ષો પછી લીનાએ એક વાત સ્વીકારી હતી કે ફિલ્મો તો ઘણી કરી હતી પણ મીનાકુમારીએ કરી હતી એવી ભૂમિકાઓ કરવાની તક મળી ન હતી.

સ્કૂલમાં તે ‘સંગીત નાટ્ય અકાદમી’ ના નેજા હેઠળ ભરતનાટ્યમ કરતી હતી. પણ એને શાસ્ત્રીય નૃત્ય ગમતું ન હોવાથી બહાનું કાઢી તાલીમના વર્ગમાં જતી ન હતી. કર્ણાટકના ધારવાડમાં રહેતી લીનાએ જ્યારે 1960 ના દાયકામાં ફિલ્મફેર દ્વારા આયોજિત પ્રતિભા સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા જાહેર કરી ત્યારે પહેલાં તો પિતા શ્રીનાથ ચંદાવરકરે ના પાડી દીધી હતી. ત્યારે લીનાએ પોતાના પુસ્તકો ગેરેજમાં ફેંકી દીધા હતા અને એસ.એસ.સી. ની પરીક્ષા આપવાની ના પાડી દીધી હતી. પિતાએ પહેલી વખત એના પર હાથ ઉઠાવી પૂછ્યું હતું કે આ વાત તારા દિમાગમાં નાખનાર કોણ છે? એમને લાગતું હતું કે ફિલ્મ લાઇનમાં જવા લીનાને કોઈ બહેકાવી રહ્યું છે. લીનાની જીદ ચાલુ રહી ત્યારે પિતાએ એના નાનાની સલાહ લીધી હતી. એમણે કહ્યું હતું કે એના લગ્ન હમણાં કરવાના નથી તો એને પ્રયત્ન કરવા દે.

છેલ્લે પિતા માની ગયા હતા અને લીનાએ ૧૫ વર્ષની ઉંમરે પ્રતિભા સ્પર્ધામાં ભાગ લેવા અરજી કરી હતી. માતા- પિતાને એમ હતું કે એ સ્પર્ધા માટે પસંદ થશે નહીં. પણ એને ભાગ લેવાની તક મળી હતી. પછી બન્યું એવું કે એની ઉંમર ઓછી હતી એટલે નંબર લાગ્યો ન હતો. તે રનર અપ રહી હતી. આ એ જ સ્પર્ધા હતી જેમાં પુરુષ વર્ગની સ્પર્ધામાં રાજેશ ખન્ના વિજેતા બન્યા હતા. એ સ્પર્ધામાં હાજર શક્તિ સામંતા વગેરે નિર્દેશકોએ એને ‘બેબી’ તરીકે ઓળખાવી હતી. સામંતાએ એમ પણ કહ્યું હતું કે જો તારે સાઈડ રોલ કરવા હોય તો વાંધો નથી પણ મુખ્ય ભૂમિકા કરવી હોય તો બે વર્ષ રાહ જોવી પડશે. લીનાનો ચહેરો બધાને ગમ્યો હતો પણ ઓછી ઉંમરને કારણે કોઈ હીરોઈન તરીકે કામ આપવા તૈયાર થયું ન હતું. લીનાને અભ્યાસ પૂરો કરી ફરી મુંબઈ આવવા સલાહ મળી હતી.

લીના નક્કી કરીને આવી હતી કે તે અભિનય જ કરશે એટલે મુંબઈમાં મામાના ફોટોગ્રાફર મિત્ર આર. આર. પ્રભુની મદદથી મોડેલ તરીકે કામ શરૂ કર્યું હતું. એક જાહેરાતને કારણે તે જાણીતી થઈ હતી. દરમ્યાનમાં સુનીલ દત્ત પોતાના ભાઈ સોમદત્તને ચમકાવતી ‘મન કા મીત’ (૧૯૬૯) માટે સ્ક્રીન ટેસ્ટ લઈ રહ્યા હતા ત્યારે લીના એમાં પાસ થઈ ગઈ હતી અને આમ પહેલી ફિલ્મમાં કામ મળ્યું હતું.

પંચાંગ 23/12/2023

છેલ્લા બે વર્ષમાં દેશની સ્ટાર્ટઅપ કંપનીઓમાં 35,000 જણે નોકરી ગુમાવી

મુંબઈઃ છેલ્લા બે વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં 35,000થી વધારે લોકોએ નોકરીઓ ગુમાવી છે. નોકરીઓમાં કાપની સમસ્યા વર્ષ 2024માં પણ ચાલુ રહે એવી સંભાવના છે.

Inc42 દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, વર્ષ 2022માં દેશની વિવિધ સ્ટાર્ટઅપ કંપનીઓમાંથી 18,000થી વધારે લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. આમાં બાઈજુસ, ઓલા, અનએકેડેમી, બ્લિન્કિટ, વાઈટહેટ જુનિયર, સ્કિલ-લિન્ક, ગો-મિકેનિક, શેરચેટ અને ઝેસ્ટમની જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 2023માં, બીજા 17,000 લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે અને આ યાદી વધતી જાય છે.