Home Blog Page 2214

સાઈબર છેતરપિંડીમાં ગુમાવેલા રૂ.9.85 લાખ મુંબઈના રહેવાસીએ ચાર મહિને પાછા મેળવ્યા

મુંબઈઃ અહીંના ઘાટકોપર ઉપનગરના દેબયાન દાસ નામના એક રહેવાસીએ ગયા જુલાઈ મહિનામાં સાઈબર છેતરપિંડીનો શિકાર બનતાં રૂ. 9 લાખ 85 હજારની રકમ ગુમાવી દીધી હતી. પરંતુ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારના પોલીસ સ્ટેશનના સાઈબર નિષ્ણાત જવાનોએ તે નાણાકીય સોદાના ચાર સ્તર સુધી તપાસ કરીને નાણાં ઉચાપતનું પગેરું સફળતાપૂર્વક શોધી કાઢ્યું હતું અને ઠગ લોકોના બેન્ક એકાઉન્ટ્સ થીજાવી દીધા હતા.

34 વર્ષના દાસે એક ટાસ્ક ફ્રોડમાં રૂ. 9.85 લાખ ગુમાવી દીધા હતા. સોશિયલ મીડિયાની પોસ્ટ્સ, યૂટ્યૂબ વીડિયોને લાઈક કરવા કે શેર કરવા કે પ્રોડક્ટ્સ વિશે રીવ્યૂ આપવા જેવા કાર્ય (ટાસ્ક) બજાવવાનું એમને જણાવવામાં આવ્યું હતું. એની સામે એમને પૈસા મળશે એવું એમને જણાવવામાં આવ્યું હતું. એ પછી ઓનલાઈન ઠગ લોકોએ દાસને કહ્યું હતું કે તેઓ એમની સ્કીમમાં પૈસા રોકે જેમાંથી એમને મોટો નફો થશે. દાસે લલચાઈને પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા. અંતે એમને માલૂમ પડ્યું હતું કે પોતે છેતરાઈ ગયા છે. એમણે પૈસા પાછા મળશે એવી આશા છોડી દીધી હતી, પણ છેતરપિંડી વિશે ફરિયાદ નોંધાવી તે પછી પોલીસે તરત જ તપાસ આદરી હતી. દાસે ચૂકવેલા નાણાં જે બેન્કોમાં ગયા હતા એ બેન્કો સાથે સાઈબર અધિકારીઓએ સંપર્ક શરૂ કર્યો હતો.

ડેપ્યૂટી પોલીસ કમિશનર (ઝોન-8) દીક્ષિતકુમાર ગેડમ અને સહાયક પોલીસ કમિશનર સુહાસ કાંબળે, સિનિયર ઈન્સ્પેક્ટર રઘુનાથ કદમ, ઈન્સ્પેક્ટર રાજેશ ગવળી, ઈન્સ્પેક્ટર અજય શિરસાગર, સબ-ઈન્સ્પેક્ટર રાજાભાઉ ગરડની બનેલી ટીમે સાઈબર ઠગમાં સંડોવાયેલા આરોપીઓનો પતો લગાવ્યો હતો. બધા સોદાઓના પુરાવા મળ્યા બાદ તેમણે બાન્દ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તે રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને આદેશ આપ્યો હતો કે તેઓ બધી રકમ પાછી આપી દે. આરોપીઓએ રકમ પરત કરી દીધા બાદ ફરિયાદી દાસને આપી દેવામાં આવી હતી.

દાસનું કહેવું છે કે, લોકોએ સાઈબર ઠગ લોકોથી ખૂબ સંભાળવું જોઈએ. ઓનલાઈન ટાસ્ક જેવી છેતરપિંડીઓમાં ફસાવાથી દૂર રહેવું જોઈએ. સાઈબર ફ્રોડનો ભોગ બન્યા બાદ મોટા ભાગના લોકો પોલીસને જાણ કરતા અચકાતા હોય છે. પરંતુ જો તમે પોલીસ પાસે સાચા સમયે જશો તો તમારા ગુમાયેલા નાણાં તમને પાછાં મળી શકે છે. પછી એ થોડાક મળે કે પૂરેપૂરા મળે.

મુંબઈનાં બિઝનેસ દંપતીએ સ્પાઈસજેટમાં રૂ. 1,100 કરોડમાં 19% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ સ્પાઈસજેટ એરલાઈનની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને કંપનીનો વિકાસ વધારવા માટે એક વ્યૂહાત્મક પગલું ભરવામાં આવ્યું છે. શહેરના ઉદ્યોગપતિ હરિહર મહાપાત્ર અને એમના પત્ની પ્રીતિ મહાપાત્રએ આ એરલાઈનમાં રૂ. 1,100 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને 19 ટકા હિસ્સો ખરીદ્યો છે. સ્પાઈસજેટે આ જાણકારી મુંબઈ શેરબજારને આપી છે.

મહાપાત્ર દંપતીની આ ઈન્વેસ્ટમેન્ટ યોજનામાં એરિઝ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં ત્રણ ટકા હિસ્સો તથા વોરન્ટ્સ કન્વર્ઝનના માધ્યમથી એલારા કેપિટલમાં 8 ટકા હિસ્સાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. સ્પાઈસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના વિકાસ માટે રૂ. 2,250 કરોડની નવી મૂડી ઊભી કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કર્યો હતો.

સુવિચાર – ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 21/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

સાધુ જ્ઞાનવત્સલદાસ: માણસાઈની ચમક

સ્વતંત્ર ભારતનો એક વાંચવા-સાંભળવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે. આઝાદી મળ્યા બાદ, ભારતના લોહપુરુષ તરીકે ઓળખાતા અને નવા નિમાયેલા ઉપપ્રધાન મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના પ્રવાસે હતા. તેમના સચિવ શંકરભાઈ સતત તેમની સાથે જ રહેતા, વલલ્ભભાઈના બધા કાર્યક્રમ, મુલાકાતો ગોઠવતા, તેમ જ તેમની સગવડ–સુવિધાનો ખ્યાલ રાખતા. જો કે સરદારની પ્રકૃતિ મુજબ, તેમની રહેવા-જમવાની વ્યવસ્થા બિલકુલ સાદગીપૂર્વકની અને જરૂરિયાત અનુસાર જ રહેતી. આ પ્રવાસમાં એક ગામમાં સરદારને ખ્યાલ આવ્યો કે રાત્રે તેઓ માટે મચ્છરદાનીની વ્યવસ્થા કરનારા શંકરભાઈ પોતે તો મચ્છરની હેરાનગતિથી આખી રાત સૂઈ જ નથી શકતા. તરત જ સરદારે પોતાની મચ્છરદાની શંકરભાઈ માટે ગોઠવી દીધી અને પોતે સામાન્ય ચાદર ઓઢીને સૂઈ ગયા!

વલલ્ભભાઈ દ્વારા થયેલી આ સાવ સામાન્ય લાગતી ક્રિયા મોટો તફાવત સર્જી દે છે. લોખંડી પુરુષ જીવન જીવે છે, પરંતુ મુલાયમ બનીને બીજા માટે. બીજા માટે ઘસાઈ છૂટવામાં પોતાને સહન કરવાનું થાય તોયે તેઓ પાછા નથી પડતા.

કદાચ આપણે તેમની જેમ બધા માટે ભલે ન ઘસાઈ શકીએ, પણ આપણા જ સ્વજનો માટે આપણે ઘસાઈએ તો? પતિ-પત્ની એકમેક માટે, સાસુ-વહુ એકબીજાં માટે, બે ભાઈઓ પરસ્પર, દીકરા-દીકરી મા-બાપ માટે, ઘરના દરેક સભ્યો જો એકમેક માટે ઘસાય તો પરિવારમાં એકબીજા પ્રત્યે કેવો આદર, કેવો સ્નેહ, કેવી અદભુત લાગણી સર્જાય?

જેમ અકીકના ખરબચડા પથ્થરને લીસા કરવા માટે એક રેતી ભરેલા માટલામાં નાખી તેને હલાવવામાં આવે છે. પરસ્પર ઘસાઈને, ટકરાઈને તે ખરબચડા પથ્થર ચમકદાર અને મૂલ્યવાન બને છે. તેવી રીતે આપણે પણ પરિવારમાં, સમાજમાં એકબીજા માટે ઘસાઈએ તો માણસાઈની ચમકથી ઊજળા થઈ જઈએ.

1980ના દાયકામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આણંદમાં હતા. વર્ષોના નિત્યક્રમ મુજબ તેઓ આસપાસનાં ગામોનાં ઘરોમાં વ્યક્તિગત મુલાકાત લેવામાં પરોવાયા. ભરબપોરના અઢી વાગ્યા સુધી આવી પધરામણીઓ ચાલ્યા બાદ સ્વામીજી ડાહ્યાભાઈ ગજ્જરના ઘરે ભોજન લેવા પધાર્યા. આસન અને ભોજન બંને તૈયાર હતાં. ત્યાં તો એક હરિભક્ત હાંફળાફાંફળા થતા આવ્યાઃ “સ્વામી, તમે મારા નવા મકાને આવ્યા ત્યારે હું હાજર નહોતો તો ફરી પધારવા વિનંતી”.

એમની વાત સાંભળી સેવકોએ કહ્યું, “ભાઈ, સ્વામી તમારા ઘરે જઈ આવ્યા, તમારા મકાનના બધા ઓરડાની મુલાકાત લીધી, એને ફૂલો છાંટીને પવિત્ર કર્યા… છેક અગાશી પર પણ જઈ આવ્યા”.

સેવકોનો જવાબ સાંભળીને હરિભક્ત કંઈ બોલી શક્યા નહીં, પરંતુ તેમના ચહેરા પર, ‘હું હાજર નહોતો’ એનું દુઃખ સ્પષ્ટ વંચાતું હતું. તરત જ પ્રમુખસ્વામી મહારાજે તેમનું પત્તર (ભોજન ગ્રહણ કરવાનું પાત્ર) બાજુમાં ખસેડી દીધું અને સંતોને કહ્યું: “ચાલો, આપણે જઈ આવીએ”. પળનાય વિલંબ વિના સ્વામીશ્રી હસતે મોંએ ભોજન ઠેલી એ હરિભક્તના ઘરે ગયા. ફરીથી બધા જ ઓરડામાં પગલાં કર્યાં,  છેક અગાશી સુધી પુષ્પો છાંટ્યાં! તે હરિભક્તને આનંદવિભોર થઈ વિચારવા લાગ્યા કે ‘બપોરે અઢી વાગ્યે પોતાનું જમવાનું ઠેલીને મારા ઘરે ફરીથી પધરામણીએ આવે એવા ગુરુ ક્યાં મળે?’

વ્યક્તિ જ્યારે દેહભાવ અને સ્વાર્થથી ઉપર ઊઠે ત્યારે જ બીજા માટે ઘસાઈ છૂટવાની આવી ભાવના ઉત્પન્ન થાય છે. આપણે પણ મહાપુરુષોના પગલેપગલે ચાલીને આપણા પરિવારજનો માટે, આપણા સહચારીઓ માટે, જરૂર પડે ત્યાં મિત્રો માટે, સમાજ માટે, દેશ માટે; થોડું તો થોડું પણ ઘસાઈને ‘અકીક’ના પથ્થરની જેમ ચમકદાર તો થઈ જ શકીએને! જ્યાં સુધી ફૂલનું અસ્તિત્વ રહે ત્યાં સુધી તે વિશ્વને સુવાસ જ આપે છે, એમ આપણે પણ જ્યાં સુધી જીવીએ, ત્યાં સુધી બીજા માટે ઘસાઈને આપણે પણ સુવાસિત થઈએ, સૌને પણ સુવાસિત કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

પંચાંગ 21/12/2023

કોરોનાને લઈને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ટેસ્ટીંગ વધારવા આદેશ

ગુજરાતમાં કોરોનાનાં નવા વેરિએન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. રાજ્યના ચારેય મોટા શહેરોમાં રેપીડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ડોક્ટરોને પણ એલર્ટ કરી સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ સંપૂર્ણ કોરોનાની સારવાર માટે આરક્ષિત રાખવામાં આવી છે.આ ઉપરાંત 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક સક્રિય છે. કુલ 5,300 લિટરના સાત ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ સજ્જ છે.

રાજકોટમાં 140 બેડનાં બે વોર્ડ તૈયાર કરી દેવાયા

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના સામે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સાવચેતીના પગલા લઈને કોરોનાની મહામારીથી બચી શકાય છે. જે પણ લોકોએ વેક્સિન લીધી છે તેમને વધારે ડરવાની જરૂર નથી વેક્સિન અસરકારક છે. જેમણે પણ વેક્સિન લીધી હશે તેઓને આ કોરોના ઓછો અસર કરશે. તે ઉપરાંત રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ મનપાનો આરોગ્ય વિભાગ અત્યારથી જ સજ્જ બન્યો છે અને મનપા સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે 100 અને એડલ્ટ માટે 40 સહિત કુલ 140 બેડનાં બે વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે.

સુરતમાં શરદી-ખાંસીના કેસોનું ટ્રેકીંગ રાખવામાં આવશે

સુરત પાલિકા દ્વારા હોસ્પિટલોમાં કોવિડના કેસને લઈ તમામ તૈયારીઓ કરી દેવા સુચના આપવામાં આવી છે. સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે શરદી-ખાંસીના કેસોમાં પણ વધારો થશે. જેથી લોકોને વધુ તકલીફ હોય તો ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે. સાથે સાથે સુરત મનપા દ્વારા શરદી-ખાંસીના કેસોનું ટ્રેકીંગ પણ રાખવામાં આવશે. શરદી, ખાંસીના ગંભીર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપી છે. જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોનાના વેરિઅન્ટ વિશે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

શું કહ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે?

આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટથી વાયબ્રન્ટ સમિટને કોઈ અસર થશે નહીં. કોરોનાના નવા વેરિયન્ટથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ સામે આવ્યા છે.ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જોકે, આ મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફક્ત સાવચેત રહેવું અનિવાર્ય છે કારણ કે 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. હાલના વેરિયન્ટથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે.

ICC રેન્કિંગઃ બાબર આઝમે શુભમન ગિલ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ODIમાં નંબર વન બેટ્સમેન બની ગયા છે. બાબરે ભારતીય બેટ્સમેન શુભમન ગિલ પાસેથી છીનવીને ફરી એકવાર નંબર વનનો તાજ પોતાના નામે કર્યો છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં નંબર વન રહેલા ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈ પાસેથી પણ તાજ છીનવાઈ ગયો છે. ઇંગ્લેન્ડનો સ્પિનર ​​આદિલ રાશિદ T20 બોલિંગ રેન્કિંગમાં નંબર પર આવી ગયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે તાજેતરની રેન્કિંગ જાહેર કરી જેમાં આ ફેરફારો જોવા મળ્યા.

બાબરે 824 રેટિંગ મેળવીને ODI રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું

બાબરે 824 રેટિંગ મેળવીને ODI રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું હતું. ગિલ 810 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. આદિલ રાશિદે ટી20 ઈન્ટરનેશનલની બોલિંગ રેન્કિંગમાં નંબર વન રહેલા રવિ બિશ્નોઈને પાછળ છોડી દીધો હતો. ઇંગ્લિશ સ્પિનર ​​રાશિદે 715 રેટિંગ મેળવીને નંબર વન સ્થાન મેળવ્યું હતું. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 692 રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. ભૂતપૂર્વ નંબર વન રવિ બિશ્નોઈ 685 રેટિંગ સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે. જો આપણે આ યાદીમાં ટોપ-5 પર નજર કરીએ તો શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા 679 રેટિંગ સાથે ચોથા સ્થાને અને મહિષ તિક્ષાના 677 રેટિંગ સાથે પાંચમા સ્થાને જોવા મળે છે.

કોહલી ત્રીજા, રોહિત શર્મા ચોથા ક્રમે

ODI બેટિંગ રેન્કિંગમાં ભારતીય ટીમનો સુપરસ્ટાર વિરાટ કોહલી 775 રેટિંગ સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા 754 રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે. તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં રોહિત અને કોહલીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 745 રેટિંગ સાથે પાંચમા નંબર પર જોવા મળી રહ્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બેડમિન્ટન ખેલાડીઓનું સન્માન કરાયું

ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાજેતરમાં વિયેતનામ ખાતે યોજાયેલ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં રાજ્યના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓ બદલ આજે તેમનું સન્માન કર્યુ હતું. ગુજરાત ગવર્નર હાઉસ ખાતે વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સન્માનિત ખેલાડીઓમાં મુખ્યત્વે ECA ગ્લોબલના સીઇઓ રાજેશ સિંઘ અને DGM SIDBI અજય માથુરનો સમાવેશ થાય છે, જેમણે મેન્સ ડબલ્સ 50+ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ્યપાલે જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીને મેન્સ ડબલ્સ એબોવ 45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ બદલ તેમજ ઉન્નીકૃષ્ણ વર્મા અને અરૂપ બીને મેન્સ ડબલ્સ અબોવ 50 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે પણ સન્માનિત કર્યા હતા.

આચાર્ય દેવવ્રતે ખેલાડીઓની મહેનતને બિરદાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબોધનમાં વરિષ્ઠ ખેલાડીઓની પ્રતિભા અને પ્રયત્નોને ઓળખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી અને ભારતમાં બેડમિન્ટનના સ્ટાન્ડર્ડને ઊંચું લઇ જવામાં અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવામાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી મયુર પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં મેન્સ ડબલ્સ 50+ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરની પ્રભાવશાળી જીતનો શ્રેય તેમની સજ્જતાપૂર્વકની તાલીમને જાય છે. તેમણે હાર્દિક આચાર્યની આગેવાની હેઠળ ચાલતી ગુજરાતની નોંધપાત્ર તાલીમ અકાદમીઓ, ‘કેલિકા બેડમિન્ટન ઈન્ડિયા ટ્રેનિંગ એકેડમી’ અને ‘બ્લેક એન્ડ વન’ની પણ પ્રશંસા કરી હતી. ખેલાડીઓની આ ઓળખ દર્શાવે છે કે ગુજરાતમાં બેડમિન્ટન તાલીમ કેટલી વિકસિત થઇ છે અને રાજ્યમાં બેડમિન્ટનની રમતમાં ખાસ કરીને સિનિયર શ્રેણીમાં ખંતથી આગળ વધી રહેલી પ્રતિભાઓની કમી નથી.

વિવિધ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે જિતેન્દ્ર, સમીર, ઉન્નીક્રિશ્નન અને અરુપ બીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. આ સફળતાએ ભારતીય બેડમિન્ટનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે. રમતમાં અસાધારણ પ્રદર્શન બદલ શ્રી મયુર પરીખે ખેલાડીઓને બિરદાવ્યા હતા. અને તેઓએ એસોસિએશન કેવી રીતે સિનિયર પ્રતિભાઓને વિકસિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે તેના પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટ ભારતીય બેડમિન્ટનમાં ઉભરી રહેલી પ્રતિભાઓના પ્રદર્શનની સાક્ષી બની હતી.