Home Blog Page 2236

સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પરંતુ આ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીનો ભાગ નહીં હોય. જો કે, હજુ સુધી મોહમ્મદ શમીના રમવા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં.

મોહમ્મદ શમી કેમ રમી શકશે નહીં?

મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાથી પરેશાન છે. આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. તે જ સમયે, રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 15 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. પરંતુ મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા જનારા ખેલાડીઓની યાદીમાં નહીં હોય. મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ન રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ શું છે?

હાલમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 3 T20 મેચોની સીરીઝ રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું. આ રીતે દક્ષિણ આફ્રિકાની ટીમ 3 ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આજે ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 ODI મેચોની શ્રેણી રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી બીજી વનડે 10મી ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાવાની છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 21મી ડિસેમ્બરે પાર્લમાં રમાશે. T20 અને ODI બાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમવાની છે.

સંસદની સુરક્ષામાં ભંગનો મામલોઃ ચારેય આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા

સંસદની સુરક્ષામાં મોટી ખામીના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચાર આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ચાર આરોપીઓ છે નીલમ આઝાદ, અમોલ શિંદે, સાગર શર્મા અને મનોરંજન ડી. દિલ્હી પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટને કહ્યું કે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ઘટના છે. આ ચાર પૈકી સાગર શર્મા અને મનોરંજન ડી એવા છે જેઓ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદી ગયા હતા અને ડબ્બામાંથી ધુમાડો ફેલાવ્યો હતો. નીલમ આઝાદ અને અમોલ શિંદે એ લોકો છે જેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદ પરિસરમાં કેન દ્વારા ધુમાડો ફેલાવ્યો હતો.

કઈ દલીલો આપવામાં આવી?

દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કેન મહારાષ્ટ્રમાંથી ખરીદવામાં આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ જગ્યાના છે. આવી સ્થિતિમાં આરોપીઓને લખનૌ, ગુરુગ્રામ અને મૈસૂર સહિત ઘણી જગ્યાએ લઈ જવા પડે છે. તેમને રૂબરૂ બેસાડીને પૂછપરછ કરવી પડશે. મીટિંગ ક્યાંથી થઈ અને કોણે પૈસા આપ્યા તે બધું જ શોધવાનું રહેશે. આ કારણોસર 15 દિવસના રિમાન્ડ આપવા જોઈએ. દિલ્હી પોલીસની આ દલીલ પર આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે તપાસ માટે 5 દિવસ પૂરતા છે. પોલીસ વકીલે વધુમાં કહ્યું કે તેઓએ સંસદ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર સિક્યુરિટીની ફરિયાદ પર આઈપીસી અને યુએપીએની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સાગર અને મનોરંજનને સંસદની ગેલેરીના પાસ મળ્યા અને પછી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના જૂતામાં છુપાયેલા કલર બોમ્બનો ઉપયોગ કર્યો. આ ઘટના આતંકવાદી કૃત્ય સમાન છે કારણ કે તે એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો

પોલીસ વકીલોએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ પેમ્ફલેટ બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુમ વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આરોપીઓએ કહ્યું કે જે વ્યક્તિ તેમને શોધી કાઢશે તેને સ્વિસ બેંકમાંથી પૈસા આપવામાં આવશે. આરોપીઓએ પીએમ મોદીને જાહેર કરાયેલા ગુનેગાર તરીકે દર્શાવ્યા હતા.

કેવી રીતે શું થયું?

તે બુધવારે બપોરે 1:01 વાગ્યાની આસપાસ બન્યું જ્યારે ખગેન મુર્મુ શૂન્ય કલાક દરમિયાન મુદ્દો ઉઠાવી રહ્યા હતા. એક વ્યક્તિએ સીટ સુધી પહોંચવાના પ્રયાસમાં બેંચ ઓળંગવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય વ્યક્તિ ચેમ્બરમાં કૂદતા પહેલા પ્રેક્ષક ગેલેરીની રેલિંગથી લટકતો જોવા મળ્યો. આ દરમિયાન નીલમ આઝાદ અને અમોલ શિંદે કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

એસ્સારે સરકાર સાથે 55,000, કરોડના મૂડીરોકાણ માટે MoU કર્યા

અમદાવાદઃ એસ્સાર ગ્રુપે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલાં ગુજરાત સરકારે સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ ક્ષેત્રે મૂડીરોકાણ માટેના રૂ. 55,000 કરોડના ત્રણ સમજૂતી કરાર કર્યા છે. ગ્રુપની આ પહેલ થકી રાજ્યમાં 10,000 રોજગારીનું સર્જન થશે. છેલ્લા ચાર દાયકાઓમાં એસ્સારે ગુજરાતમાં એનર્જી, મેટલ એન્ડ માઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂ. એક લાખ કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે. કંપનીના વિકાસમાં ગુજરાતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મુખ્ય ઓદ્યૌગિક પ્રોજેક્ટ્સમાં કંપનીના મૂડીરોકાણે રાજ્યના ઓદ્યૌગિકીકરણને વેગ આપ્યો છે, જે મૂડીરોકાણ થકી રાજ્યને મૂડીરોકાણ સ્થળનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતાં એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું હતું કે  કંપનીના વ્યૂહાત્મક મૂડીરોકાણ થકી ગુજરાત સતત સૌથી અગ્રેસર રહ્યું છે. આ સાથે અમે પાયાના એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વધારાના રૂ. 55,000 કરોડના મૂડીરોકામની સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં યોગદાન કરવામાં આનંદ થઈ રહ્યો છે.કંપની એ એક ગિગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસાવવા માટે એકર્જી ટ્રાન્ઝિશનમાં રૂ. 30,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે. આ સાથે કંપની સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે વધારાના રૂ. 16,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે અને કંપનીએ સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં બદલવા માટે રૂ. 10,000 કરોડના મૂડીરોકાણ માટેરાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. કંપની આ મૂડીરોકાણના સમજૂતી કરાર સાથે રાજ્યના વિકાસ માટે યોગદાન આપવાનું જારી રાખશે.

 

 

 

 

 

મહિલાઓની સહાયતા માટે સજ્જ સખી વન સ્ટોપ સેન્ટર

જ્યારે કોઇ મહિલા સાથે કોઈ ઘટના કે દુર્ઘટના બને. એ મહિલાને સમસ્યા ઉભી થાય ત્યારે કોઈપણ પોલીસ સ્ટેશનની હદ નક્કી કરવામાં સમય બરબાદ ના થાય. આ સાથે મહિલાને તરત જ સહાય મળે એ માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે શહેર પોલીસનું એક ખાસ ક્રાઇમ યુનિટ છે. જેમાં ભોગ બનનાર મહિલાઓ સીધી જ ફરિયાદ કરી શકે છે.

સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા

મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટર વિશે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અમદાવાદ શૈલેષ આબંરિયાએ ચિત્રલેખા.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક અત્યાચાર, માનસિક અત્યાચાર, છેડતી જેવી અનેક ઘટનાઓ મહિલાઓ સાથે બનતી હોય છે. આવે વખતે પોલીસ સ્ટેશનની હદ અને અન્ય મદદ માટે કેટલીક મહિલાઓ પાસે માહિતી જાણકારી હોતી નથી. આ સમયે મહિલાઓને સરળતા રહે એ હેતુથી દરેક જિલ્લામાં આ પ્રકારના સહાય કેન્દ્રો શરૂ કરવાનું નક્કી થયું. અમદાવાદ શહેર મોટું હોવાથી પૂર્વમાં અસારવા સિવિલ ખાતે તેમજ પશ્ચિમમાં સોલા સિવિલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ વન સ્ટોપ સેન્ટરમાં સહાય કેન્દ્રનો મહિલા સ્ટાફ, મહિલાની સમસ્યા જાણી એમને પોલીસ, ડોક્ટર કે વકીલ જેની સહાયની જરૂર પડે એ રીતે તબક્કા વાર મદદ કરે. જિલ્લાનો મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગના આ સહાયતા કેન્દ્ર માટે નિમવામાં આવેલા એક પોલીસ ઇન્સ્પેક્ટર, તબીબ, વકીલ મહિલાને સહાયતા પૂરી પાડે. સહાયતા કેન્દ્ર દ્વારા કાઉન્સિલિંગ FIR માટે તો મદદ કરવામાં આવે જ છે. આ સાથે સતત પાંચ દિવસ સુધી આશ્રય, ખોરાક જેવી તમામ સુવિધા પિડીત મહિલાને પૂરી પાડવામાં આવે છે.

તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો

શૈલેષ આંબલિયા કહે છે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી અજય ચૌધરી નિર્ભયા પ્રોજેક્ટ સાથે પણ છે. સખી વન સ્ટોપ સેન્ટર માટે એમણે એકદમ તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો છે. આ સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગ દ્વારા બોપલ, ઓઢવ, વસ્ત્રાપુર, કારંજ પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સહાયતા કેન્દ્ર ખુલ્લા મુક્યા છે. દરેકમાં બે  મહિલા કાઉન્સિલર સહાયતા માટે મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સંસદની સુરક્ષામાં ત્રુટિ મામલે લોકસભામાં હંગામો; 14 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા વ્યવસ્થા ભંગ થવાની ગઈ કાલની ઘટના બાદ આજે લોકસભા ગૃહમાં રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, વિપક્ષી સંસદસભ્યો દ્વારા ગૃહની અંદર અને બહાર ઉહાપોહ આખો દિવસ ચાલુ રહ્યો હતો. વિપક્ષી સભ્યોના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે બે વાગ્યે અને પછી 3 વાગ્યે અને પછી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી. શાંતિ જાળવવાની વારંવાર ચેતવણી આપવા છતાં લોકસભામાં ઘોંઘાટ ચાલુ રાખવા બદલ પહેલા કોંગ્રેસના પાંચ સભ્યોને અને પછી 9 સભ્યોને, એમ કુલ મળીને 14 સભ્યોને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વિપક્ષી સભ્યોએ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એમને ઘોંઘાટ ન કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમણે એ સતત ચાલુ રાખ્યો હતો. આખરે લોકસભા સચિવાલયે કોંગ્રેસના પાંચ સભ્યો સામે પગલું ભર્યું હતું અને એમને વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

કોંગ્રેસના આ પાંચ સભ્યો છેઃ ટી.એન. પ્રતાપન (થ્રિસૂર, કેરળ), ડીન કુરિયાકોસ (ઈડુકી, કેરળ), રામ્યા હરિદાસ (અલાથૂર, કેરળ), સેન્નીમલાઈ જોતિમણિ (કારુર, તામિલનાડુ) અને હિબી એડન (એર્ના્કુલમ, કેરળ). આ પાંચેયને બાકીના સત્રમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ રજૂ કર્યો હતો. એમણે પોતાના આરોપમાં કહ્યું હતું કે આ પાંચ સભ્યોએ ગૃહની આમન્યા જાળવી નથી અને ગૃહના અધ્યક્ષની સત્તાનો અનાદર કર્યો છે. તેથી એમને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. એમના પ્રસ્તાવને મૌખિક મતદાન દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હતો. એ વખતે ગૃહના અધ્યક્ષપદે બી. માહતાબ હતા.

બીજા 9 સભ્યો પણ સસ્પેન્ડ

બપોરે 3 વાગ્યે જ્યારે લોકસભાની બેઠક ફરી મળી ત્યારે પણ વિપક્ષી સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો હતો. તેથી સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ 9 સંસદસભ્યોના નામ લઈને એમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહ દ્વારા મૌખિક મતદાન મારફત સ્વીકાર કરવામાં આવ્યો હતો. 9 સભ્યો છેઃ વી.કે. શ્રીકંદન, બેહનન બેન્ની, મોહમ્મદ જાવેદ, માણિક્કમ ટાગોર, કનિમોઝી, એસ.આર. પાર્થિબન, પી.આર. નટરાજન, એસ. વેંકટેશન અને કે. સુબ્રારાયણ.

અદાણી ગ્રુપની બિહારમાં રૂ. 9000 કરોડના મૂડીરોકાણની યોજના

પટનાઃ બિહારમાં મૂડીરોકાણ આકર્ષવા માટે બે દિવસીય બિહાર બિઝનેસ કનેક્ટ-2023 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી સમીરકુમાર મહાસેઠે કહ્યું હતું કે બે દિવસીય વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનમાં અદાણી ગ્રુપ, ગોદરેજ ગ્રુપ અને બ્રિટાનિયા જેવા મુખ્ય ઓદ્યૌગિક જૂથોના પ્રતિનિધિઓ સહિત કુલ 600 પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ સંમેલનમાં અમેરિકા, તાઇવાન, જાપાન અને જર્મની સહિત 16 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલનમાં બુધવારે (13 ડિસેમ્બરે) ટેક્સટાઇલ, લેધર ફૂડ પ્રોસેસિંગગ  ક્ષેત્રે રૂ. 26,429 કરોડના મૂડીરોકાણ પર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ વૈશ્વિક મૂડીરોકાણ શિખર સંમેલનના પહેલા દિવસે રાજ્ય સરકારે 38 કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે.

બિહારમાં અદાણી જૂથ લોજિસ્ટિક્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને એગ્રી-લોજિસ્ટિક્સ સેક્ટરમાં હાજરી ધરાવે છે. અદાણી ગ્રુપે રાજ્યમાં આશરે રૂ. 850 કરોડનું મૂડીરોકાણ કર્યું છે અને 3000 રોજગારીનું સર્જન કર્યું છે. ગ્રુપની આવનારા ભવિષ્યમાં મૂડીરોકાણ 10 ગણું વધારીને રૂ. 8700 કરોડ કરવાની યોજના છે. કંપનીનું ત્રણ વધારાના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું આયોજન છે અને કંપનીએ યોજના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 નોકરીઓની તકો ઊભી કરવા ધારે છે. આ ઉપરાંત કંપની પોતાના ગોદામોને એક લાખ સ્કવેર ફૂટથી વધારીને 65 લાખ સ્ક્વેર ફૂટથી વધુ કરવા માટે વધારાના રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે, જેમાં 2000 લોકોને રોજગારીની તક મળશે. કંપની આ સિવાય રાજ્યમાં છ જગ્યાએ- પૂર્ણિયા, બેગુસરાય, દરભંગા, સમસ્તીપુર, કિશનગંજ અને અરરિયામાં સ્ટોરેજ ક્ષમતાને 1.50 મેટ્રિક ટનથી વધારીને 2.75 લાખ મેટ્રિક ટન કરવા માટે એગ્રી-લોજિસ્ટિક્સમાં રૂ. 900 કરોડનું મૂડીરોકાણ કરવા ધારે છે, જેમાં 2000 લોકોને રોજગારીની તકો મળશે.

આ ઉપરાંત કંપની ગયા અને નાલંદામાં હાલના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 200 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને EV ચાર્જિંગ સેન્ટર પણ બનાવશે, જેના થકી 1500 લોકોને રોજગારી મળશે.

ગુપ કંપની અદાણી વિલ્મર થકી પ્રારંભિક તબક્કામાં ચક્કી આટા પ્લાન્ટ, RFM પ્લાન્ટ, સોલ્વન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ, કો-જેન પાવર પ્લાન્ટ અને સાસારામ અને રોહતાસમાં પૈડી પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે રૂ. 800 કરોડનું મૂડીરોકાણ કરશે. આ પ્લાન્ટ પણ 200 લોકોને રોજગારી આપશે.

આ સમિટનું આયોજન કરવા બદલ કંપનીના MD પ્રણવ અદાણીએ બિહાર સરકારને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે બિહારના નેતાઓ- મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ બિહારને આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનમાં બદલી રહ્યા છે, એ ખુશીની વાત છે.

વર્ષ 2003માં વિશ્વના સૌથી મોટા મુંદ્રા પોર્ટને ખાનગી રેલ લિન્કનું ઉદઘાટન પણ નીતીશકુમારે કર્યું હતું અને ખાનગી ક્ષેત્રના પોર્ટ્સમાં રેલ લિન્કને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત 20 વર્ષ પહેલાં રેલવેમાં ઇન્ટરનેટ બુકિંગ સિસ્ટમ શરૂ કરવાનું શ્રેય પણ તેમના દૂરંદેશીપણાને જાય છે. આ ઉપરાંત તેજસ્વી યાદવ પણ યુવાઓ અને સૌને લઈને ચાલવાની વાતથી બિહારને ઘણો લાભ થયો છે. મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીના બિહાર માટેના દ્રષ્ટિકોણની સાથે અદાણી ગ્રુપ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

 

 

 

 

ટાયર ફાડતા બંપ રાતોરાત ગાયબ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રન્નાપાર્કથી શાસ્ત્રીનગર તરફ જતા માર્ગ પર તેમ જ  ચાણક્યપુરી તરફ જતા ઓવરબ્રિજની નીચે આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પહેલાં ઇજનેરોએ નવતર પ્રયોગ કરી પ્લાસ્ટિક રબરના બમ્પ સાથે ટાયર ફાડી નાખે એવા બમ્પ લગાડ્યા. જેથી રોંગ સાઇડમાં વાહનો અવરજવર ના કરે અને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય.

રન્નાપાર્કથી શાસ્ત્રીનગર તરફ અસંખ્ય વાહનો પેટ્રોલ પંપ, બજાર,  હાઉસિંગ કોલોની હોવાને કારણે રોંગ સાઇડ પર પૂરપાટ વાહનો દોડે છે. રોંગ સાઇડ તરફ જતાં વાહનોને અટકાવવા ખીલાવાળા બંપનો પ્રયોગ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. શાસ્ત્રીનગર રન્નાપાર્ક પાસે આ ધારદાર બંપ નાખે હજુ તો થોડા મહિના પણ થયા નથી. ત્યાં પહેલા ટૂ વ્હીલર જાય એટલો ભાગ તોડી નાખવામાં આવ્યો.

ત્યાર બાદ થોડા દિવસ પછી રાતોરાત આખોય બંપ ગાયબ થઈ ગયો. લાખો રૂપિયા ખર્ચ કરી મહાનગરપાલિકા માર્ગોનું મૂલ્યાંકન કરે છે. સિગ્નલ અને સાઇન બોર્ડ મૂકે છે. રોડની જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર, ધારદાર બંપ તૈયાર કરે છે. જેથી અકસ્માત ઘટે. ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય, પરંતુ કેટલા વિસ્તારમાં સ્થાનિક લોકો સિસ્ટમ તોડી નાખે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં મહાનગરપાલિકા, પોલીસ વિભાગ સિસ્ટમને સમજાવવામાં સાચવવામાં નિષ્ફળ જાય છે. અમદાવાદમાં અણઘડ વહીવટને કારણે અસંખ્ય માર્ગો તૂટી રહ્યા છે, રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો વધી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

‘ઘોર ગેરવર્તણૂક’: ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન રાજ્યસભાના વર્તમાન સત્રમાંથી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ અહીં રાજ્યસભા ગૃહમાં આજે સવારે કાર્યવાહી ચાલુ હતી ત્યારે બેહદ ખરાબ ગેરવર્તણૂક કરવા બદલ અને ગૃહના અધ્યક્ષના આદેશની અવહેલના કરવા બદલ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના સભ્ય ડેરેક ઓ’બ્રાયનને વર્તમાન શિયાળુ સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઓ’બ્રાયને અધ્યક્ષના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી છે એવો ગૃહમાં શાસક પક્ષના નેતા પીયૂષ ગોયલ ઓ’બ્રાયન પર આરોપ મૂક્યો હતો. ઓ’બ્રાયનને સસ્પેન્ડ કરવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરવાની ગૃહ અધ્યક્ષે ગોયલને પરવાનગી આપી હતી. એ પ્રસ્તાવનો મૌખિક મતદાન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તે પછી અધ્યક્ષે જાહેરાત કરી હતી કે ઓ’બ્રાયન વર્તમાન સત્રના બાકીના હિસ્સામાંથી સસ્પેન્ડ થયેલા રહેશે.

 

રાષ્ટ્રપતિ પરના ઇમ્પિચમેન્ટના પ્રસ્તાવને સંસદે મંજૂરી આપી

વોશિંગ્ટનઃ અમેરિકી સંસદે રાષ્ટ્રપતિ જો બાઇડનની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.  અમેરિકી સંસદમાં જો બાઇડનની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવની તરફેણમાં 221 મત પડ્યા છે, જ્યારે એની વિરુદ્ધ 212 મત મળ્યા હતા. આ પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ જો બાઇડન પર તેમના પુત્ર હંટર બાઇડનના વિવાદાસ્પદ ઇન્ટરનેશનલ લેવડદેવડને આધારે ઔપચારિક ઇમ્પિચમેન્ટની તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીએ આ પ્રસ્તાવને નિરર્થક ગણાવ્યો હતો.

રિપબ્લિકન પાર્ટીએ અત્યાર સુધી રાષ્ટ્રપતિ જો બાઇડનની વિરુદ્ધ કોઈ યોગ્ય પુરાવા રજૂ નથી કર્યા. ઇમ્પિચમેન્ટથી કોઈ લાભ નહીં થાય, કેમ કે અમેરિકી સંસદના અપર હાઉસ સિનેટમાં જતા પ્રસ્તાવ ફગાવી દેવામાં આવશે. ત્યાં ડેમોક્રેટિક પાર્ટીની સંખ્ચા વધુ છે. એમ છતાં ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ બાઇડન માટે વર્ષ 2024ની ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને લઈને બાઇડેને રિપબ્લિકન પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે આ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવને એક રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો અને એને આધારહીન જણાવ્યો હતો. અમેરિકી જનતાને એવો નેતા જોઈએ છે, જે દેશ-દુનિયામાં મહત્ત્વની વાતો પર નક્કર પગલાં ભરે, એમ તેમણે કહ્યું હતું.

બાઇડને રિપબ્લિકન પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે રિપબ્લિકન પાર્ટી યુક્રેન અને ઇઝરાયેલને મોકલનારા ફંડને અટકાવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકા આવ્યા અને મંગળવારે તેમને મળ્યા હતા. તેઓ રશિયાના લોકોથી લડવા માટે જનતાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ મદદ માગવા માટે અમેરિકા આવ્યા હતા. તેમણે આર્થિક મદદ માગી તો મેં સેનેટથી ફંડની માગ કરી હતી, પણ સંસદમાં રિપબ્લિકન તેમની કોઈ મદદ નથી કરી રહ્યા, એમ તેમણે કહ્યું હતું. દેશની ઇકોનોમીને સ્થિર રાખવા માટે સતત મહેનત કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

મહારાષ્ટ્રમાં આ વર્ષના ૧૦ મહિનામાં ૨,૩૬૬ ખેડૂતોએ આત્મહત્યા કરી

નાગપુરઃ મહારાષ્ટ્ર રાજ્યમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના મહિનાઓમાં 2,366 ખેડૂતોએ જુદા જુદા કારણોસર આત્મહત્યા કરી હતી. આ માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન અનિલ પાટીલે આજે અહીં વિધાનસભામાં આપી હતી.

અમરાવતી જિલ્લામાં સૌથી વધારે – 951 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તે પછીના નંબરે છત્રપતિ સંભાજીનગર (877), નાગપુર (257), નાશિક (254), પુણે (27) આવે છે. રાજ્ય સરકાર આત્મહત્યા કરનાર ખેડૂતના નિકટના સ્વજનને આર્થિક મદદરૂપે રૂ. એક લાખ આપે છે, એમ પાટીલે કોંગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલે પૂછેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું.