Home Blog Page 226

ચીને નાના શહેરોનો નાશ કરે તેવા પરમાણુ બોમ્બ વિકસાવ્યા, રિપોર્ટમાં ખુલાસો

અમેરિકાએ ચીનના પરમાણુ કાર્યક્રમ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. અમેરિકાનું કહેવું છે કે ચીને 22 જૂન, 2020 ના રોજ શિનજિયાંગના લોપ નુરમાં એક ગુપ્ત, ઓછી ઉપજ આપનાર પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ભૂગર્ભમાં થયો હતો અને તેની તીવ્રતા 2.75 હતી. તેમનો અંદાજ છે કે વિસ્ફોટની ઉપજ 5 થી 10 ટન TNT જેટલી હતી.

In this photo released by Xinhua News Agency, Chinese President Xi Jinping, also chairman of the Central Military Commission (CMC), center, poses for photos with the new commander of the rocket force Wang Houbin, top left, and its political commissar Xu Xisheng, top right, after promoting them to the rank of general in Beijing on Monday, July 31, 2023. (Li Gang/Xinhua via AP)

1945માં જાપાનના હિરોશિમા પર છોડવામાં આવેલા પરમાણુ બોમ્બની ઉપજ 15 કિલોટન હતી. અમેરિકાનો દાવો છે કે ચીનનું પરીક્ષણ હિરોશિમા બોમ્બ કરતા લગભગ 1500 ગણું નાનું હતું. તેના નાના કદ હોવા છતાં, આવા ઓછી ઉપજ આપનાર પરમાણુ બોમ્બ નાના વિસ્તારને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. જીનીવામાં નિઃશસ્ત્રીકરણ પરિષદ દરમિયાન, યુએસ સહાયક વિદેશ સચિવ ક્રિસ્ટોફર યુએ જણાવ્યું હતું કે ચીન ઝડપથી તેના પરમાણુ ભંડારનો વિસ્તાર કરી રહ્યું છે.

2030 સુધીમાં ચીન પાસે કેટલા શસ્ત્રો હશે?

અમેરિકાનો દાવો છે કે ચીન 2030 સુધીમાં 1,000 થી વધુ પરમાણુ શસ્ત્રો ઉત્પન્ન કરવા માટે પૂરતા પ્રમાણમાં વિભાજન સામગ્રી એકઠી કરી શકે છે. ક્રિસ્ટોફર યુએ એમ પણ કહ્યું હતું કે ચીન આગામી ચારથી પાંચ વર્ષમાં પરમાણુ સમાનતા સુધી પહોંચી શકે છે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા દેશ સાથે સમાનતાનો અર્થ કરી રહ્યા હતા. ચીને આ આરોપોને નકારી કાઢ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત શેન જિયાને જણાવ્યું હતું કે અમેરિકાના આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું હતું કે ચીન કોઈપણ દેશ સાથે પરમાણુ શસ્ત્રોની સ્પર્ધામાં જોડાશે નહીં અને તેનો પરમાણુ શસ્ત્રાગાર અમેરિકા અને રશિયા જેટલો મોટો નથી. અમેરિકા અને રશિયા વચ્ચેની ન્યૂ સ્ટાર્ટ સંધિ 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. આ બંને દેશો વચ્ચેની છેલ્લી મોટી પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિ હતી. સંધિ હેઠળ, બંને દેશો 1,550 તૈનાત પરમાણુ શસ્ત્રો સુધી મર્યાદિત હતા. જો કે, બંને દેશો પાસે મળીને 10,000 થી વધુ પરમાણુ શસ્ત્રો છે.

નાના પરમાણુ વિસ્ફોટ કેટલા ખતરનાક છે?

કેમ્બ્રિજ સ્થિત વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, એક ટન પરમાણુ વિસ્ફોટ લગભગ 150 મીટરના વિસ્તારને નષ્ટ કરી શકે છે. ૧ કિલોટન પરમાણુ વિસ્ફોટ ૪૪૦ મીટર સુધી ૩,૦૦૦ રેડ સુધી પરમાણુ કિરણોત્સર્ગ ઉત્પન્ન કરી શકે છે, જે અત્યંત ખતરનાક છે. તેથી, ૫ કિલોટન વિસ્ફોટથી સુરક્ષિત રહેવા માટે, ઓછામાં ઓછા ૧ થી ૨ કિલોમીટર દૂર હોવું જરૂરી માનવામાં આવે છે.

ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS સંદીપ સાગલેની નિમણૂક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારત ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હરિત શુકલાની જગ્યાએ આ મહત્વની જવાબદારી સંભાળશે.

ભારત ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13-ક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિમણૂક કરી છે. આદેશ મુજબ, સંદીપ જનાર્દનપંત સાગલે જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ નિમણૂક અમલી ગણાશે. તેમણે રાજ્ય સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અને કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે.

નોંધનીય છે કે, જૂન 2024માં પી. ભારતીની જગ્યાએ હરિત શુકલાને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકા ગાળામાં જ હવે તેમની જગ્યાએ સંદીપ સાગલેને આ પદ સોંપવામાં આવ્યું છે.

અમેરિકામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી, 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ

ઉત્તરપૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારે બરફના તોફાનથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, અને લાખો લોકો તેમના ઘરોમાં કેદ છે. ન્યુ યોર્ક, બોસ્ટન અને ફિલાડેલ્ફિયા જેવા શહેરોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. વીજળી ગુલ થવા અને ભારે બરફવર્ષા વચ્ચે અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે.

ઉત્તરપૂર્વીય અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી છે. મેરીલેન્ડથી મેઈન સુધીના વિસ્તારો બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. આ ગંભીર હવામાનને કારણે શનિવાર અને મંગળવાર વચ્ચે 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફક્ત સોમવારે જ 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને મંગળવાર માટે 1,300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. ન્યૂ યોર્કના જેએફકે, લાગાર્ડિયા અને બોસ્ટનના લોગન એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાનશાસ્ત્રીઓએ તેને એક દાયકાનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણાવ્યું છે, તેને ‘બોમ્બ સાયક્લોન’ ગણાવ્યું છે.’બોમ્બ સાયક્લોન ત્યારે થાય છે જ્યારે 24 કલાકના સમયગાળામાં વાવાઝોડાનું દબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. તે મુખ્યત્વે પાનખર અને શિયાળામાં થાય છે જ્યારે આર્કટિકમાંથી બર્ફીલી હવા દક્ષિણ તરફ પહોંચે છે અને ગરમ તાપમાન સાથે અથડાય છે.’ ઘણા વિસ્તારોમાં બે ફૂટ (60 સે.મી.) થી વધુ બરફ પડ્યો છે. વોરવિક, રોડ આઇલેન્ડમાં ત્રણ ફૂટથી વધુ બરફ પડ્યો છે. ભારે પવન અને ભારે હિમવર્ષાને કારણે, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિત ઘણા રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

વાવાઝોડાની અસર એટલી ગંભીર છે કે સંયુક્ત રાષ્ટ્રને તેની સુરક્ષા પરિષદની બેઠક મુલતવી રાખવી પડી અને તેનું મુખ્ય મથક બંધ કરવું પડ્યું. હિમવર્ષાને કારણે ન્યુ યોર્ક શહેરમાં છ વર્ષમાં પહેલી વાર શાળાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, મેયર ઝોહરાન મામદાનીએ મંગળવારથી શાળાઓ ખોલવાની વાત કરી છે, જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો છે. પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રેલ અને બસ સેવાઓ સ્થગિત છે. લપસણા રસ્તાઓ અને ઓછી દૃશ્યતાને કારણે મુસાફરી અત્યંત જોખમી બની ગઈ છે. વહીવટીતંત્રે લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. ડોરડેશ જેવી ડિલિવરી સેવાઓએ પણ તેમનું કામ બંધ કરી દીધું છે.

વાવાઝોડાની વીજળી વ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી છે. PowerOutage.US મુજબ, પૂર્વ કિનારા પર 570,000 થી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી ગુલ થઈ ગયા છે. મેસેચ્યુસેટ્સ અને ન્યુ જર્સીમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જોરદાર પવનને કારણે કામદારોને વીજળી પુનઃસ્થાપિત કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, કેટલાક લોકો આ હવામાનનો આનંદ પણ માણી રહ્યા છે. ટાઇમ્સ સ્ક્વેરમાં પ્રવાસીઓ નાચતા જોવા મળ્યા, જ્યારે કેટલાક લોકો સ્લેડિંગનો આનંદ માણતા જોવા મળ્યા. પરંતુ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ખતરો હજુ ટળ્યો નથી. આ સપ્તાહના અંતે બીજું વાવાઝોડું આવી શકે છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. વહીવટીતંત્રે નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

સ્પાઇસજેટ ફ્લાઇટનું એન્જિન ફેલ, ટેકઓફ બાદ તરત ફ્લાઈટ પરત ફરી

દિલ્હીથી લેહ જતી સ્પાઇસજેટની ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ટેકઓફ કર્યા પછી તરત જ ફ્લાઇટ પરત ફરી હતી. તેમાં આશરે 150 મુસાફરો સવાર હતા.

150 મુસાફરોને લઈને સ્પાઈસજેટની એક ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી લેહ જતી ફ્લાઇટને એન્જિનમાં ખામી સર્જાતા ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ પાછી ફરવી પડી હતી. ફ્લાઇટ SG121 દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થઈ હતી ત્યારે ક્રૂને એક એન્જિનમાં ટેકનિકલ સમસ્યા જણાઈ હતી. સાવચેતી તરીકે, પાઇલટ્સે વિમાનને દિલ્હી પાછું વાળવાનો નિર્ણય લીધો.

દિલ્હી એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી

લેન્ડિંગને પ્રાથમિકતા આપવા અને તબીબી અને અગ્નિશામક સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી હતી. સ્પાઇસજેટે એન્જિન નિષ્ફળતાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જાળવણી ટીમ દ્વારા વિમાનનું નિરીક્ષણ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, 7 લોકોના મોત

સોમવારે, રાંચીથી દિલ્હી જતી એક એર એમ્બ્યુલન્સ ચતરામાં ક્રેશ થઈ ગઈ. વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી અને રાત્રે 8:30 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. જોકે, ઉડાન ભર્યાના 23 મિનિટ પછી વિમાનનો ATC સાથે સંપર્ક તૂટી ગયો અને ક્રેશ થયું. આ અકસ્માત ચતરા જિલ્લાના સિમરિયા બ્લોક નજીક થયો હતો. અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. બચાવ ટીમોએ મંગળવારે સાતેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

બિલાડીના ટોપની જેમ ફૂંટી નીકળવું

 

બિલાડીના ટોપની જેમ ફૂંટી નીકળવું

 

ગામડાંમાં રહેતા હોવ તો વરસાદ પડે એટલે બહુ જૂનું લાકડું બહાર પડ્યું હોય અથવા ગમાણની જગ્યાની આજુબાજુ કે ઉકરડામાં અંગ્રેજીમાં જેને મશરૂમ કહે છે તે બિલાડીના ટોપ ફૂટી નીકળે છે.

આ ટોપ ખૂબ મોટી સંખ્યામાં અને એકાએક ફૂટી નીકળે છે પણ અલ્પજીવી હોય છે, એક કે બે દિવસમાં એ કરમાઈ અને અને ઢળી પડે છે, આમ ખૂબ ટૂંકા સમય માટે એકાએક મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય તેવી પરિસ્થિતિમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ધર્મેન્દ્રની ‘ચરસ’ માં અમજદ ખાનનું મહત્વ વધી ગયું હતું

ફિલ્મ ‘ચરસ’ (1976) માત્ર એક એક્શન થ્રિલર નહોતી પણ તેની પાછળ અનેક અજાણી અને દિલચસ્પ વાતો છુપાયેલી છે. ફિલ્મ ‘શોલે’ના ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન આ ફિલ્મમાં હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે રામાનંદ સાગરે તેમને એક ટેલેન્ટ કોન્ટેસ્ટમાંથી પસંદ કર્યા હતા. જ્યારે ‘ચરસ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ‘શોલે’  રજૂ થઈ હતી અને અમજદ ખાન રાતોરાત સ્ટાર બની ગયા હતા. આ જોઈને વિતરકોના દબાણને કારણે રામાનંદ સાગરે ફિલ્મમાં અમજદ ખાનના રોલને વધારીને તેમને મુખ્ય ડ્રગ પેડલર ‘રોબર્ટ’ તરીકે રજૂ કર્યા હતા. જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી.

ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. ખાસ કરીને ‘કલ કી હસીન મુલાકાત કે લિયે’ અને ‘આજા તેરી યાદ આઈ’ વધુ પસંદ થયા હતા. ગીતકાર આનંદ બક્ષી વિશે એક અનોખી વાત એ છે કે તેઓ પોતાનો અવાજ ફિલ્મો માટે અશુભ માનતા હતા. તેથી જ્યારે ‘આજા તેરી યાદ આઈ’ ગીતમાં તેમણે અવાજ આપ્યો ત્યારે તેમણે રામાનંદ સાગરને વિનંતી કરી હતી કે ગીતની શરૂઆતમાં ધાર્મિક ચિત્રો બતાવવામાં આવે જેથી કોઈ નકારાત્મકતા ન રહે.

આ ફિલ્મનું શૂટિંગ જ્યારે યુરોપના ઇટાલી, ફ્રાન્સ અને માલ્ટા જેવા દેશોમાં ચાલી રહ્યું હતું ત્યારે પડદા પાછળ ધર્મેન્દ્ર અને હેમામાલિનીનો રોમાન્સ તેની ચરમસીમાએ હતો. ફિલ્મના પ્રમોશનમાં પણ ‘ધ હોટેસ્ટ રોમાન્સ ઓફ ધ યર’ સ્લોગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે હેમા મલિનીના પિતા હંમેશા તેમની સાથે રહેતા જેથી ધર્મેન્દ્રને તેમની સાથે બેસવાનો મોકો ન મળે. ધર્મેન્દ્ર પણ કમ નહોતા. તેઓ ગમે તેમ કરીને હેમાજીની બાજુમાં જગ્યા બનાવી જ લેતા.

ધર્મેન્દ્રના સેક્રેટરી દીનાનાથ તો હેમાજીના પિતાને વ્યસ્ત રાખવા માટે તેમને કેસિનો લઈ જતા અને એકવાર તો જાણીજોઈને છેલ્લી બોટ મિસ કરાવી દીધી હતી જેથી ધરમ-હેમાને સાથે સમય મળી શકે આ ફિલ્મનું નિર્માણ ખૂબ જ મર્યાદિત સંસાધનો સાથે થયું હતું. માલ્ટામાં શૂટિંગ દરમિયાન યુનિટના માત્ર છ લોકો જ મુંબઈથી ગયા હતા. ત્યાં કોઈ મેકઅપ મેન કે ડ્રેસ મેન નહોતો. ખુદ દિગ્દર્શક રામાનંદ સાગર અને તેમના પુત્ર પ્રેમ સાગર મોડી રાત સુધી કલાકારોના કપડાં પ્રેસ કરતા અને કલાકારો પોતાનો મેકઅપ જાતે જ કરતા હતા. જોકે, ફિલ્મનું શૂટિંગ જોખમોથી ભરેલું હતું. નટરાજ સ્ટુડિયોમાં ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં કેમેરા યુનિટની લિફ્ટ 40 ફૂટની ઊંચાઈએથી નીચે પડી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને સિનેમેટોગ્રાફર પ્રેમ સાગર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઇમરજન્સીના તે સમયગાળામાં ફિલ્મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સેન્સર બોર્ડ અને એન્ટી નાર્કોટિક્સ સેલની કડકાઈ એટલી હતી કે ફિલ્મના પોસ્ટરોમાં ધર્મેન્દ્રના હાથમાં રહેલી બંદૂકો પર રાતોરાત કાળો રંગ લગાવી દેવો પડ્યો હતો. કારણ કે ત્યારે હથિયારો બતાવવા પર પ્રતિબંધ હતો ફિલ્મને પ્રતિબંધિત થતી બચાવવા માટે રામાનંદ સાગરે ઘણા એક્શન સીન્સ કાપી નાખ્યા હતા.

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 24/02/2026

શ્રેયસ વસંત નૃત્યોત્સવ: વસંત, પરંપરા અને યુવા પ્રતિભાનો ઉત્સવ

અમદાવાદ: શહેરની જાણીતી શાળા શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા તેના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “શ્રેયસ વસંત નૃત્યોત્સવ”ની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને તેમની સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવાની, પોતાની આંતરિક ક્ષમતાઓ શોધવાની અને વૈશ્વિક નાગરિક તરીકેની જવાબદારીઓ સમજવાની તક આપતું શૈક્ષણિક વાતાવરણ સર્જવાના દ્રષ્ટિકોણ સાથે શ્રેયસ ફાઉન્ડેશને વસંત ઋતુના આગમનનો ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં 1600 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વસંત નૃત્યોત્સવ શ્રેયસ ફાઉન્ડેશનના સર્વાંગી શિક્ષણના સંકલ્પનું જીવંત પ્રત્યક્ષ ઉદાહરણ છે, જ્યાં અભ્યાસ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને આત્મ-અભિવ્યક્તિ સુધી વિસ્તરે છે. આ ઉત્સવ વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન શીખેલા પરંપરાગત નૃત્યોને રજૂ કરવાની એક સક્રિય અને સર્જનાત્મક તક આપે છે. આ વર્ષે નૃત્યોત્સવનો મુખ્ય વિષય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યો હતો. જેમાં આપણા દેશની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવી. આ રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પોતાની કળાત્મક કુશળતા જ ન દર્શાવી, પરંતુ દેશના વિવિધ પ્રદેશોની પરંપરા, વાર્તાઓ અને તાલ સાથે પણ ઊંડો સંવાદ સ્થાપિત કર્યો. આ કાર્યક્રમ શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક જાગૃતિ વિકસાવવાના ધ્યેયને પ્રતિબિંબિત કરે છે. વિવિધ પ્રાદેશિક લોક અને શાસ્ત્રીય પરંપરાઓ સાથે જોડાઈને વિદ્યાર્થીઓમાં વૈવિધ્ય પ્રત્યે આદર, શિસ્ત, સહકારભાવ અને આત્મઅભિવ્યક્તિની ક્ષમતા વિકસે છે.

શ્રેયસ વસંત નૃત્યોત્સવ વસંત ઋતુના નવચેતન, આનંદ અને કળાત્મક વિકાસનું રંગીન અને પ્રેરણાદાયી ઉજવણીરૂપ બન્યો, જ્યાં યુવા વિદ્યાર્થીઓ મંચ પર પોતાની પ્રતિભા દ્વારા પરંપરાને વંદન કર્યું અને પોતાના વિકસતા વ્યક્તિત્વને અભિવ્યક્ત કર્યું.

ટોરેન્ટ ગ્રુપનું નેશનલ રેફરન્સ લેબોરેટરી સાથે ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં પદાર્પણ

મુંબઈ: ટોરેન્ટ ગ્રુપ દ્વારા ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સના લોન્ચ સાથે હેલ્થકેર સેવાઓના ક્ષેત્રમાં પદાર્પણની જાહેરાત કરવામાં આવી છે. નવી મુંબઈમાં દેશની સૌથી મોટી નેશનલ રેફરન્સ લેબોરેટરીના પ્રારંભ સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ડાયગ્નોસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રમાં રેફરન્સ-આધારિત મોડલ દ્વારા ટોરેન્ટ ગ્રુપે વિસ્તરણ કર્યું છે. જેમાં સાયન્ટિફિક ગવર્નન્સ અને ઉચ્ચ જટિલતા ધરાવતા પરીક્ષણોને સંસ્થાના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.નેશનલ રેફરન્સ લેબોરેટરી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવે છે અને ૧૫ ડાયગ્નોસ્ટિક શાખાઓ તથા ૩,૫૦૦થી વધુ ટેસ્ટને સપોર્ટ કરે છે – જેમાં પ્રિવેન્ટિવ, રૂટિન અને વિશેષ પરીક્ષણોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ સેવાઓમાં મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, જિનોમિક્સ, ડિજિટલ પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી, ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત પરીક્ષણો અને ચેપી રોગો માટેના વર્કફ્લોઝનો સમાવેશ થાય છે. આ લેબોરેટરી દેશમાં સૌથી વ્યાપક પરીક્ષણ મેનુઓમાંથી એક ઓફર કરે છે, અને અદ્યતન ક્ષમતાઓથી સજ્જ છે – જેમકે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, MALDI-TOF, BSL-3 કન્ટેઈનમેન્ટ અને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત એક ડાયગ્નોસ્ટિક્સ લેબમાં ઉપલબ્ધ છે. નેશનલ રેફરન્સ લેબોરેટરીમાં વિવિધ ક્ષેત્રોમાં  કુશળ અને ખૂબ અનુભવી વૈજ્ઞાનિક તથા ટેક્નિકલ ટીમ કાર્યરત છે, જે ચુસ્તપણે  સતત ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.

ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સ દર્દીઓને ઉચ્ચ સ્તરનો અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉચ્ચ ગુણવત્તાવાળા પેશન્ટ સેન્ટર્સ, પ્રશિક્ષિત અને પ્રમાણિત ફ્લેબોટોમિસ્ટ્સ, પેશેન્ટ-ફ્રેન્ડલી રિપોર્ટિંગ ફોર્મેટ અને ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા વપરાશકર્તા માટે સાનુકૂળ ડિજિટલ અનુભવ – આ બધું મળીને ગ્રાહક માટે એક ચઢિયાતો અનુભવ સુનિશ્ચિત કરશે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર વરુણ મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ડાયગ્નોસ્ટિક્સ એવું ક્ષેત્ર છે જ્યાં પ્રક્રિયાની પારદર્શિતા, વૈજ્ઞાનિક ઊંડાણ અને સમય સાથે જાળવાતી ટકાઉ ગુણવત્તા દ્વારા વિશ્વાસ ઉભો થાય છે. ટોરેન્ટ જ્યારે ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે અમે આ વ્યવસાયને લાંબાગાળાની દૃષ્ટિ સાથે, મજબૂત વૈજ્ઞાનિક આધારથી શરૂ કર્યો છે.  નેશનલ રેફરન્સ લેબોરેટરીને સંસ્થાના કેન્દ્રમાં રાખવાથી અમે આ ક્ષેત્રમાં સૌથી વ્યાપક ટેસ્ટ મેનુમાંથી એક પ્રદાન કરી શકીએ છીએ, તેમજ મજબૂત ગવર્નન્સ માળખું, વેલિડેશન ફ્રેમવર્ક અને ઉચ્ચ ગુણવત્તા ધોરણો નિર્ધારિત કરી શકીએ છીએ. જેમ જેમ સંસ્થા વિકાસ પામે છે, તેમ આ રેફરન્સ આધારિત અભિગમ સુનિશ્ચિત કરે છે કે વિકાસ સાથે ગુણવત્તા, વિશ્વાસ અને ક્લિનિકલ પ્રાસંગિકતામાં કોઈ ઘટાડો ન થાય. અમે અમારા ગ્રાહકોને ઉચ્ચતમ ગુણવત્તા અને સેવા પ્રદાન કરવા આતુર છીએ.”