Home Blog Page 2263

કોરાનાના 130 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 130 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,561 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,306 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,691 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 744 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,247 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 85 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ: ભારતનું પહેલું બુલેટ ટ્રેન ટર્મિનલ

નવી દિલ્હીઃ ભારતની પહેલી બુલેટ ટ્રેન યોજનાના ટર્મિનલનું બાંધકામ અમદાવાદમાં જોરશોરથી ચાલી રહ્યું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દેશનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલ અત્યાધુનિક આર્કિટેક્ચર ટેક્નોલોજીની કેવી કમાલવાળું હશે એની એક ઝલક વૈષ્ણવે શેર કરેલી ટૂંકી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે. ટર્મિનલ ખાતે જે સુવિધા હશે તેને કારણે મોંઘેરા પ્રવાસીઓને અત્યંત આરામ અને પ્રવાસનો આનંદ પ્રાપ્ત થશે એમાં કોઈ બેમત નથી.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવાશે. આ પ્રોજેક્ટ માટે આર્થિક તેમજ ટેકનિકલ મદદ માટે ભારત સરકારે જાપાનની સરકાર સાથે કરાર કર્યો છે.

આ વીડિયોએ નાગરિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પોસ્ટને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળ્યા છે. અનેક યૂઝરે આ સૂચિત ટર્મિનલને ભવ્ય અને સુંદર કહી પ્રશંસા કરી છે.

બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2026ના ઓગસ્ટમાં પૂરો થવાની ધારણા છે. તે 50 કિ.મી.નો હશે અને ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે હશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2017ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર રૂ. 10,000 કરોડ પૂરા પાડશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું યોગદાન રૂ. 5,000 કરોડ પૈકી રહેશે. બાકીના ભંડોળ માટે જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજના દરે લોન મળશે.

પીઢ કોમેડિયન જુનિયર મેહમૂદ (67)નું કેન્સરની બીમારીને કારણે નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કોમેડિયન જુનિયર મેહમૂદનું પેટના કેન્સરની બીમારીને કારણે આજે વહેલી સવારે અહીં બાન્દ્રા ઉપનગરમાં નિધન થયું છે. એમનું ખરું નામ નઈમ સૈયદ હતું. તેઓ 67 વર્ષના હતા. જુનિયર મેહમૂદના પરિવારના એક મિત્રએ નિધનના સમાચાર આપ્યા હતા. એમણે કહ્યું, ‘જુનિયર મેહમૂદે ગઈ મધરાતે લગભગ બે વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. એમને ચોથા તબક્કાનું કેન્સર થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી એમની તબિયત લથડી ગઈ હતી. છેલ્લા બે મહિનામાં એમની તબિયત વધારે બગડી હતી. એમના શરીરનું વજન ઓચિંતું ઘટવા લાગ્યું હતું. એમને લીવર, ફેફસાં અને આંતરડામાં કેન્સરની ગાંઠ થઈ હતી. વધુમાં એમને કમળો પણ થયો હતો. એમની દફનવિધિ આજે બપોરે સાંતાક્રુઝ ઉપનગરના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.’ જુનિયર મેહમૂદના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.

જુનિયર મેહમૂદ ‘બ્રહ્મચારી’, ‘કટી પતંગ’, ‘આન મિલો સજના’, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’, ‘નદિયા કે પાર’, ‘બાલિકા બધૂ’, ‘મેરા નામ જોકર’, ‘પરવરિશ’, ‘દો ઔર દો પાંચ’ સહિત અનેક ફિલ્મોમાં સગીર વયના બાળકની કોમેડી ભૂમિકા કરવા માટે પ્રખ્યાત થયા છે. એમણે હિન્દી ઉપરાંત મરાઠી તથા અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. એમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. બે હિન્દી ટીવી સિરિયલમાં પણ એમણે કામ કર્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

૦૮ ડિસેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – 18 December, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 08/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 08/12/2023

નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયની જવાબદારી મળી

ત્રણ રાજ્યોના CMમના નામને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે ભાજપના ત્રણ કેન્દ્રીય મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને રેણુકા સિંહના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા બાદ જે મંત્રાલયો ખાલી પડ્યા છે, તે અન્ય મંત્રીઓને વધારાના ચાર્જ તરીકે સોંપવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ હવે નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને અર્જુન મુંડા તેમના વર્તમાન ચાર્જની સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંભાળશે. એ જ રીતે શોભા કરંદલાજેને તેમના વર્તમાન ચાર્જ સાથે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ આપવામાં આવી છે. રાજીવ ચંદ્રશેખરને તેમના વર્તમાન ચાર્જની સાથે જલ શક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જ્યારે ડો.ભારતી પ્રવીણ પવારને તેમના વર્તમાન ચાર્જની સાથે આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

રશિયાએ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર કરી

રશિયામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ 17 માર્ચ, 2024 નક્કી કરવામાં આવી છે. સંસદના ઉપલા ગૃહે ચૂંટણીની તારીખની સર્વસંમતિથી પુષ્ટિ કરી હતી. હાલમાં રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (71)એ ચૂંટણી લડવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો નથી. માનવામાં આવે છે કે પુતિન પાંચમી વખત ચૂંટણી લડશે અને દેશની કમાન સંભાળશે. ચૂંટણી પહેલા પુતિનની જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે તેમને પડકારનારા તેમના સંભવિત હરીફો કાં તો જેલમાં છે અથવા તો વિદેશમાં રહે છે.  મોટાભાગના સ્વતંત્ર મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં માર્ચમાં યોજાનારી ચૂંટણીને કારણે પુતિન ઓછામાં ઓછા 2030 સુધી સત્તામાં રહેવાની પ્રબળ સંભાવના છે.

યુક્રેન યુદ્ધને કારણે રશિયા માટે આગામી ચૂંટણી પડકાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયા યુદ્ધમાં ફસાઈ ગયું છે પરંતુ તેનું કહેવું છે કે તે જે વિસ્તારને તેનો નવો પ્રદેશ કહે છે ત્યાં પણ મતદાન થશે. યુક્રેનના કેટલાક વિસ્તારો પણ હવે રશિયન સેનાના નિયંત્રણમાં આવી ગયા છે. યુક્રેન કહે છે કે જ્યાં સુધી તે તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી દરેક છેલ્લા સૈનિકને બહાર નહીં ખેંચે ત્યાં સુધી તે આરામ કરશે નહીં. રશિયામાં લગભગ 110 મિલિયન લોકોને મત આપવાનો અધિકાર છે. પરંતુ સામાન્ય રીતે ફક્ત 70-80 મિલિયન લોકો જ મતદાન કરે છે. અગાઉ વર્ષ 2018માં 67.5% લોકોએ મતદાન કર્યું હતું.

પુતિન 1999માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા

ઉલ્લેખનીય છે કે વ્લાદિમીર પુતિન 1999માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને 1999 ના છેલ્લા દિવસે બોરિસ યેલ્ત્સિન દ્વારા રાષ્ટ્રપતિ પદ સોંપવામાં આવ્યું હતું, ત્યારબાદ પુતિને જોસેફ સ્ટાલિન પછી કોઈપણ અન્ય રશિયન શાસક કરતાં સૌથી વધુ સમય સુધી આ પદ પર સેવા આપી છે. રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા પછી પુતિને 2000ની રાષ્ટ્રપતિની ચૂંટણી 53.0% અને 2004ની ચૂંટણી 71.3% મતો સાથે જીતી.