Home Blog Page 2267

…તો બને આ જગ અતિરૂપાળું

1857માં જર્મનીના (હાલ ફ્રાન્સમાં) સ્ટ્રાસબર્ગ શહેરમાં એક પાદરીના ઘરે જન્મેલા ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર 1950ના દાયકાના આરભમાં આફ્રિકાના જંગલના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ રક્તપીત્તિયાઓની સેવા કરી રહ્યા હતા અને એમને માટે એક વસાહત બાંધી રહ્યા હતા. એક દિવસ એ વસાહતમાં રક્તપીત્તિયાઓ માટેની હૉસ્પિટલનું છાપરું બાંધી રહ્યા હતા તે વખતે સ્વીડનથી એક મહત્વની વ્યક્તિ એમને ખાસ કામસર મળવા આવી. એમણે હરખભેર કહ્યું, ‘ડૉક્ટર, હું સ્ટૉકહોમથી આવું છું. મારે તમારી સાથે… ‘

એમનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડૉક્ટરે કહ્યું, ‘સારું થયું તમે આવ્યા… બહુ ટાઈમસર આવ્યા. એક કામ કરોને- આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો? કારણ કે એક હાથે પતરું પકડીને બીજા હાથે ખીલા મારવાનું મને ફાવતું નહોતું.’

પોતાનો ઉમળકો શમાવીને પેલી સ્વીડનવાસી વ્યક્તિએ ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઈ રહ્યા પછી ડૉ. શ્વાઈત્ઝરે કહ્યું, ‘હવે બોલો. શીદ આવવું પડ્યું?’

પેલી વ્યક્તિએ  કહ્યું, ‘ડૉક્ટર! નૉબેલ પારિતોષિક સમિતિએ મને મોકલ્યો છે. આપ સ્ટૉકહોમ પધારો અને આ વર્ષનું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતી છે.’

ડૉક્ટરે સહજભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યું, ‘હું આવીશ, પણ હમણાં નહીં. મારે આ મકાન તૈયાર કરવાનું છે. દર્દીઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.’ એટલું બોલી ડૉક્ટર શ્વાઈત્ઝર પાછા પતરાં બેસાડવાના કામમાં લાગી ગયા.

ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર

1952માં ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝરને શાંતિ માટેનું પારિતોષિક મળ્યું, જેમાં 33,000 અમેરિકન ડૉલરની રોકડ રકમ પણ હતી. તે સમયમાં ઘણી જ મોટી ગણાય એવી પુરસ્કારની આ રકમ એમણે લેપ્રસી કોલોની બાંધવામાં તથા હૉસ્પિટલનું વિસ્તરણ કરવામાં ખર્ચી નાખી. જીવનના અંત સુધી, લગભગ પચાસ વર્ષ તેમણે માનવસેવામાં વિતાવ્યાં.

તમે શું કામ કરો છો, એ એટલું મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે સોંપાયેલું કામ તમે કઈ ભાવનાથી કરો છો. પછી ભલેને કાર્ય સાવ સામાન્ય હોય, પણ જો તમે તે ઉત્સાહ અને ઊમંગ સાથે પૂરા દિલથી કરો તો તે પણ મહાન જ છે.

મહાપુરુષોના જીવનમાં આ સિદ્ધાંત મૂર્તિમાન જોવા મળે છે. અમેરિકન સમાજસેવક માર્ટિન લુથર કિંગે કહ્યું છે કે, ‘માણસના નસીબમાં જો રસ્તા સાફ કરવાનું લખ્યું હોય તો એ સાફસૂફી એવી રીતે કરવી, જાણે માઈકલ એન્જેલો એનું શ્રેષ્ઠ પેઈન્ટિંગ બનાવતો હોય અથવા બિથોવન સંગીત કંપોઝ કરતા હોય અથવા શેક્સપિયર કવિતા લખતા હોય. રસ્તો એવી રીતે સાફ વાળવો-ઝૂડવો કે દેવતાઓ પણ બોલી ઊઠે- ‘અહીં કોઈ મહાન શેરી વાળવાવાળો રહેતો હશે.’

આજે વિશ્વમાં હાફ-હાર્ટન્ડ્નેસનો બહુ જ મોટો પ્રશ્ન છે. માણસ કામ તો કરે છે, પણ કરવું પડે છે એટલે કરું છું એવા ભાવથી. કંટાળા સાથે અને રસ વિના, મનને મારીને. એ જે કાર્ય કરે છે, તેમાં એને કોઈ ને કોઈક ફરિયાદ રહેતી હોય છે. આથી જ સમય અને શક્તિનો વ્યય કરવા છતાં તેને જોઈએ એવું પરિણામ નથી મળતું. આના બદલે જો તમે સ્વીકારી લો કે મારે આ કામ કરવાનું જ છે અને વિચારો કે આ હું સારી રીતે કેમ કરી શકું તો કંટાળો નહીં આવે.

મહાપુરુષોની આ જ વિશેષતા છે કે તેઓ પ્રત્યેક કાર્ય હોલહાર્ટેડલી અર્થાત્ દિલથી કરે છે. આથી, તેઓ દ્વારા થતું પ્રત્યેક કાર્ય સકારાત્મક આંદોલનો સર્જે છે.

જગતનો પ્રત્યેક નાગરિક જો મહાન પુરુષોએ ચીંધેલા આ માર્ગને અનુસરે તો આ જગ કેટલું સુંદર બની જાય?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 07/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 07/12/2023

કાલે સુખદેવ સિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર, આંદોલનનો અંત

જયપુરમાં મેટ્રો હોસ્પિટલની બહાર ધરણા પર બેઠેલી કરણી સેના સંઘર્ષ સમિતિની બેઠકમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કરણી સેના સંઘર્ષ સમિતિએ બેઠકમાં જાહેરાત કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં અમારી લગભગ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. રાજ્યપાલે એનઆઈએની તપાસ, પરિવારને સુરક્ષા, હથિયાર લાઇસન્સ, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ દ્વારા તપાસ, દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી અને સરકારની રચનાના 15 દિવસમાં પરિવારને આર્થિક સહાયની મંજૂરી આપવાની ખાતરી આપી છે. કરણી સેના સંઘર્ષ સમિતિએ જણાવ્યું કે આવતીકાલે એટલે કે 7મી ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડી ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોગામેડીના પરિચિત નવીન શેખાવતને મળવા આવેલા સુખદેવ સિંહ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોએ ગોગામેડી પર 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોગામેડી અને નવીન શેખાવતના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા હતા. જયપુર મેટ્રો હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જેમાંથી માત્ર એકની હાલત નાજુક છે.

 

આજે જયપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું

રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાજપૂત કરણી સેના, કરણી સેના સંઘર્ષ સમિતિ સહિત અનેક સંગઠનોએ મંગળવારથી જ બસોમાં તોડફોડ, આગચંપી વગેરે શરૂ કરી દીધા હતા. જયપુર બંધનું એલાન પણ કર્યું. આ જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. બુધવારે પોલીસે સુખદેવસિંહ ગોગામેડીનાં સમર્થકોને વિવિધ સ્થળોએ બેરીકેટીંગ કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

 

આ દરમિયાન કરણી સેના સંઘર્ષ સમિતિ મેટ્રો હોસ્પિટલની બહાર હડતાળ પર બેસી ગઈ હતી. વાસ્તવમાં, સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી વાગ્યા બાદ આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમાચાર ધીમે ધીમે ફેલાતા ત્યારે મેટ્રો હોસ્પિટલની બહાર લોકોનો જમાવડો શરૂ થઈ ગયો. કરણી સેના સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં મેટ્રો હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન શરૂ થયું. જયપુર પોલીસ પ્રશાસનના અધિકારીઓએ ઘણી વખત વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ લોકો માન્યા નહીં.

રાજ્યપાલને મળ્યા બાદ વિરોધનો અંત આવ્યો

આ પછી બુધવારે સાંજે કરણી સેના સંઘર્ષ સમિતિના કેટલાક અગ્રણી સભ્યોએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. રાજ્યપાલે એનઆઈએ તપાસ, પરિવારને સુરક્ષા, હથિયાર લાયસન્સ, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તપાસ, દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી, સરકારની રચનાના 15 દિવસમાં પરિવારને આર્થિક સહાયની ખાતરી આપી, ત્યારબાદ આ ધરણા થયા. -પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

‘એનકાઉન્ટર સુધી કોઈ શપથગ્રહણ નહીં’ : કરણી સેના

મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે પરંતુ કરણી સેના સતત આક્રોશ વ્યક્ત કરી રહી છે. હવે કરણી સેના ઉત્તર પ્રદેશની યોગી સરકારની તર્જ પર ગોગામેડીના હત્યારાઓ સામે કાર્યવાહીની માંગ કરી રહી છે. કરણી સેનાનું કહેવું છે કે પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી છેલ્લા બે વર્ષથી સુરક્ષા માંગી રહ્યા હતા પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી.

 

જ્યાં સુધી એન્કાઉન્ટર ન થાય ત્યાં સુધી શપથ લેવા નહીં

કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. આપને જણાવી દઈએ કે કરણી સેનાએ તેના પ્રમુખની હત્યાના વિરોધમાં આવતીકાલે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. મહિપાલ સિંહે આરોપ લગાવ્યો છે કે ગેહલોત સરકારે ગોગામેડીને સુરક્ષા પૂરી પાડી નથી, તેથી જ આજે આ ઘટના બની છે.

લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે

હત્યાકાંડમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગ્રુપનું નામ ફરી એકવાર સામે આવ્યું છે. ગોગામેડીની હત્યા પછી તરત જ, રોહિત ગોદારા કપૂરીસર નામની પ્રોફાઇલમાંથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ થઈ રહી છે જેમાં કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. પોસ્ટમાં લખેલી બાબતો પરથી એવું લાગી રહ્યું છે કે આરોપી બિશ્નોઈ ગેંગનો સભ્ય છે.

રાજસ્થાન ડીજીપીનું નિવેદન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની આજે જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ કંઈક ચર્ચા કરવાના બહાને તેના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડી અને તેમના એક અંગરક્ષકને ગોળી વાગી હતી. હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મોત થયું છે. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમે હરિયાણાના ડીજી સાથે વાત કરી છે અને મદદ માંગી છે. રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે, તેઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

રાહુલ ગાંધી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી 4 દેશોના વિદેશ પ્રવાસે જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ઈન્ડોનેશિયા સહિત ચાર દેશોની મુલાકાત લેશે. તેમની વિદેશ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. એટલું જ નહીં આ અઠવાડિયે વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં પાર્ટીને હિન્દી બેલ્ટના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’માં ચાલી રહેલા અણબનાવને કારણે પાર્ટીએ બુધવારે યોજાનારી બેઠક મોકૂફ રાખવી પડી હતી. આ મહત્વપૂર્ણ અવસર પર રાહુલના વિદેશ પ્રવાસ પર સવાલો ઉઠી રહ્યા છે.

ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામના પ્રવાસે જશે

રાહુલ તેમની છ દિવસની વિદેશ યાત્રા દરમિયાન ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામ જશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે રાહુલના વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેમની મુલાકાત પર સવાલો ઉઠાવવા જોઈએ નહીં. જો કે, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ સાથે જોડાયેલા સાથીદારોનું માનવું છે કે એવા સમયે જ્યારે પાર્ટી સાથે ગઠબંધન સંકટમાં છે ત્યારે તેણે પરિપક્વતા દાખવી જોઈતી હતી અને આ મુલાકાત મોકૂફ રાખવી જોઈતી હતી.

સાથીદારો મનસ્વીતાનો આરોપ લગાવી રહ્યા છે

નિરાશાજનક પ્રદર્શન માટે INDIA ગઠબંધન ભાગીદારો કોંગ્રેસ પર મનસ્વી હોવાનો, સાથી પક્ષોનું અપમાન કરવાનો અને જોડાણ પ્રત્યે ગંભીર ન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સાથી પક્ષોના ઘણા નેતાઓએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ મહાગઠબંધન માટે ગંભીર નથી. બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદે પરિસ્થિતિને સંભાળવા માટે આગળ આવવું પડ્યું. 9મી ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. માતા સોનિયાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ રાહુલ વિદેશ પ્રવાસે રવાના થશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાએ આપ્યું વચન , કહ્યું- દયા ભાભી પાછા આવશે!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોને ભરપૂર પ્રેમ મળે છે. દયા ભાભી એટલે કે દિશા વાકાણી અને જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશીને ચાહકો અપાર પ્રેમ આપે છે. બંનેની જોડીની સારી ફેન ફોલોઈંગ છે. દયા ભાભી પાંચ વર્ષથી વધુ સમયથી શોમાંથી ગાયબ છે અને નિર્માતાઓ સતત તેમની વાપસીની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેઓ પાછા આવતા નથી. ચાહકો તેની સ્ટાઈલ, ગ્રેસ અને કોમિક ટાઈમિંગને ખૂબ જ મિસ કરે છે. તાજેતરમાં જ ફરી એકવાર દયા ભાભીના વાપસીને લઈને અટકળો લગાવવામાં આવી હતી. શોના નિર્માતાઓએ વાર્તાને એવી રીતે ટ્વિસ્ટ કરી કે ચાહકોને લાગ્યું કે આ દિવાળી એપિસોડમાં દયા ભાભી પાછા આવશે, પરંતુ એવું થયું નહીં અને જેઠાલાલની સાથે ચાહકોનું પણ દિલ તૂટી ગયું.

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર ફેન્સ ગુસ્સે થયા

શોમાં પહેલાથી જ બતાવવામાં આવ્યું હતું કે સુંદર લાલે વચન આપ્યું હતું કે દયા ભાભી આ દિવાળીએ મુંબઈ પરત ફરશે. ત્યારથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. શોએ ફરી એક વાર બતાવ્યું કે જેઠાલાલના પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છે કારણ કે દયા ભાભી પરત આવવાના છે. તમામ તૈયારીઓ બાદ ફરી એકવાર જેઠાલાલ તેમજ ચાહકો સાથે છેતરપિંડી થઈ છે અને દિશા વાકાણી શોમાં પાછી ફરી નથી. આ એપિસોડમાં જેઠાલાલ દયા ભાભીના પાછા ન આવવાને કારણે ભાંગી પડેલા અને દુઃખી દેખાય છે. તેમની ઉદાસી જોઈને ચાહકો પણ ઉદાસ થઈ જાય છે અને મેકર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, ત્યાર બાદ બૉયકોટ TMKOC સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગે છે.

આસિત મોદીએ ચાહકોના ગુસ્સા પર બોલ્યા

હવે ચાહકોનો ગુસ્સો જોયા બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેણે ફરી એકવાર ચાહકોને ખાતરી આપી છે કે દયા ભાભી પરત આવશે. નિર્માતાઓ થોડો સમય લેશે, પરંતુ ટૂંક સમયમાં જ દયા ભાભી નવા ટ્વિસ્ટ સાથે શોમાં પાછા આવશે. ચાહકોનું કહેવું છે કે મેકર્સ ટીઆરપી વધારવા માટે જ આવા ટ્વિસ્ટ કરે છે અને શોમાં દયા ભાભીની કમબેક થવાની વાત ખોટી છે. આ અંગે અસિત મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

નિર્માતાએ આ વાત કહી

અસિત મોદીએ તેમના તાજેતરના નિવેદનમાં કહ્યું, ‘કેટલાક સંજોગોને કારણે અમે દયા ભાભીના પાત્રને સમયસર પરત લાવી શક્યા નથી. આનો અર્થ એ નથી કે આ પાત્ર શોમાં પાછું નહીં આવે. હવે દિશા વાકાણી હોય કે અન્ય કોઈ, દયા ભાભી પરત ફરશે. દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ચાલુ રહેશે.

રાહુલ ગાંધીએ રેવંત રેડ્ડીને સીએમ બનવા પર અભિનંદન આપ્યા

ખૂબ સંઘર્ષ પછી, કોંગ્રેસે આખરે તેલંગાણા માટે સીએમના નામની જાહેરાત કરી. તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડી રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. તેઓ આવતીકાલે (7 ડિસેમ્બર) મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેવંત રેડ્ડીને સીએમ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર તેલંગાણાના લોકોને તેની તમામ ગેરંટી પૂરી કરશે અને વધુ સારી સરકાર બનાવશે.  આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ પહેલા, રેવંત રેડ્ડી બુધવારે (6 ડિસેમ્બર) દિલ્હી પહોંચ્યા. અહીં તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સોનિયા ગાંધી પણ સમારોહમાં ભાગ લેવા તેલંગાણા જઈ શકે છે.

દરમિયાન તેલંગાણાના મુખ્ય સચિવ એ. શાંતિ કુમારીએ ગુરુવારે (7 ડિસેમ્બર) એલબી સ્ટેડિયમમાં યોજાનાર રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ વ્યવસ્થા કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. મુખ્ય સચિવે મંગળવારે (5 ડિસેમ્બર) અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મુખ્યમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહના સંદર્ભમાં કરવામાં આવનારી તૈયારીઓની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગને ટ્રાફિક, પાર્કિંગ અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

જેઓ બેઠકમાં હાજર રહ્યા હતા

આ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક રવિ ગુપ્તા, હૈદરાબાદના પોલીસ કમિશનર સંદીપ શાંડલિયા, વિશેષ મુખ્ય સચિવ સુનિલ શર્મા, મુખ્ય સચિવો એસએએમ રિઝવી, શૈલજા રામાયર, રાજ્યપાલના સચિવ સુરેન્દ્ર મોહન, જીએડી સચિવ શેષાદ્રી, સચિવ આર એન્ડ બી શ્રીનિવાસ રાજુ, આઈ એન્ડ બી પીઆર કમિશનર હાજર રહ્યા હતા. અશોક રેડ્ડી, હૈદરાબાદના કલેક્ટર અનુદીપ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેવન્ત રેડ્ડી બે સીટ પર ઉભા હતા

2019ની લોકસભા ચૂંટણીમાં રેવન્ત રેડ્ડીએ મલકાજગીરી સંસદીય બેઠક પરથી જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણી 2023 માં, રેવંત કોડંગલ અને કામરેડ્ડી વિધાનસભા બેઠકો માટે ઊભા હતા. કામરેડ્ડી જો કે કામરેડ્ડી બેઠક હારી ગયા. અહીં તેઓ બીઆરએસ ઉમેદવાર અને પૂર્વ સીએમ કેસીઆરની સામે ઉભા હતા, જો કે અહીં તેઓ ત્રીજા સ્થાને રહ્યા અને બીજેપી ઉમેદવાર જીતી ગયા. તેમણે કોડંગલમાં તેમની બીજી બેઠક જીતી.

MLA બન્યાં: MP પદેથી બે કેન્દ્રીયપ્રધાન સહિત ભાજપના 10 સભ્યોનું રાજીનામું

નવી દિલ્હીઃ દેશના રાજકારણમાં આજે એક નોંધપાત્ર ઘટના બની છે. બે કેન્દ્રીય પ્રધાન – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ) અને પ્રહલાદ પટેલ (ફૂડ પ્રોસેસિંગ) સહિત ભારતીય જનતા પાર્ટીના 12માંથી 10 સંસદસભ્યોએ હાલમાં સમાપ્ત થયેલી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં જીત હાંસલ કરતાં પોતાની સાંસદ બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. આ 10 સાંસદો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જીત્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે બેઠકો કર્યા બાદ સાંસદપદેથી રાજીનામું આપવાનો આ સભ્યોએ નિર્ણય લીધો છે. આ નેતાઓ હવે સંબંધિત રાજ્યોમાં રચાનાર ભાજપની નવી સરકારોમાં પ્રધાન તરીકે જોડાય એવી ધારણા છે.

રાજીનામું સુપરત કરનારાઓ છેઃ નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, ઉદયપ્રતાપ સિંહ, રિદ્ધી પાઠક (મધ્ય પ્રદેશ), રાજ્યવર્ધનસિંહ રાઠોર, દિયા કુમારી, કિરોડી લાલ મીણા (રાજસ્થાન) અને અરૂણ સાઓ તથા ગોમતી સાઈ (છત્તીસગઢ). જોકે બાબા બાલકનાથ (રાજસ્થાન) અને રેણૂકાસિંહ (છત્તીસગઢ)એ હજી રાજીનામું આપ્યું નથી. સ્થાપિત નિયમાનુસાર, ચૂંટણીમાં વિજેતા બનનાર ઉમેદવારોએ 14 દિવસની અંદર કાં તો સંસદસભ્ય પદેથી અથવા વિધાનસભ્ય પદેથી રાજીનામું આપવું જરૂરી હોય છે.

ભાજપાએ હાલમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના કુલ 21 સંસદસભ્યોને ટિકિટ આપી હતી. એમાંના 12 જણ વિજેતા થયા છે.

આઇસી15 ઇન્ડેક્સ 2,833 પોઇન્ટ કૂદ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે જોરદાર ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.46 ટકા (2,833 પોઇન્ટ) કૂદીને 54,680 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 51,847 ખૂલીને 54,759ની ઉપલી અને 51,593 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી અવાલાંશ, ડોઝકોઇન, શિબા ઇનુ અને સોલાનામાં 8થી 17 ટકા વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન એપ્રિલ 2022 બાદ પહેલી વાર 44,000 ડોલરની સપાટી કુદાવી ગયો છે. બપોરે ચાર વાગ્યે એનો ભાવ 44,245 ડોલર હતો.

નોંધનીય રીતે કેન્યાના સંસદસભ્યોએ ક્રીપ્ટો એસેટ્સને સિક્યોરિટીઝ ગણાવીને એમના પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરવા માટેનો ખરડો સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો છે. દરમિયાન, સ્વિટઝરલેન્ડના લુગાનો શહેરે બિટકોઇન અને ટીથરનો પેમેન્ટમાં સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાની સેવાઓના ચાર્જીસ અને કરવેરાની ચૂકવણી આ ક્રીપ્ટોકરન્સી મારફતે થઈ શકશે.

અન્ય અહેવાલ મુજબ ઇટાલી અને દક્ષિણ કોરિયાની કેન્દ્રીય બેન્કોએ રિયલ ટાઇમ સેટલમેન્ટ સિસ્ટમ અને સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) ક્ષેત્રે જ્ઞાન અને નિપુણતાના આદાનપ્રદાન માટે સમજૂતીપત્રક પર હસ્તાક્ષર કર્યા છે.