સુરત: ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGUના ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાંનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાને જોડતા, વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભવ્ય પુસ્તકમેળાના પ્રથમ દિવસથી જ ભારે ભીડ જોવા મળી હતી.આ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ૧૧ ડોમ છે. જે પૈકી બુક ફેર માટે પાંચ ડોમ અને તેમાં કુલ બુક સ્ટોલની સંખ્યા ૬૩ છે. એક ડોમમાં ફુડ ઝોન છે, જેમાં ૩૬ સ્ટોલ છે. શિલ્પગ્રામ માટે એક ડોમમાં ૪૪ સ્ટોલ, પ્લાન્ટેશન માટે ચાર ડોમમાં ૪૦ સ્ટોલ છે. મેળાના મધ્ય ભાગમાં ૮૦૦ ચો.મી. વિસ્તારમાં ફલાવર શોનું નિર્માણ કરાયું છે. સાથોસાથ એક ડોમમાં ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકો તથા તેમના જીવન-કવન, કાર્યો, સુશાસન અને વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ એક વિશેષ થીમ પેવેલિયન છે. જેમાં નમો રીડિંગ કોર્નર, લેટર્સ ટુ પીએમ સેક્શન પણ ઉભા કરાયા છે.આ સાથે જ બાગાયત મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૪૦ નર્સરીઓના સ્ટોલ છે. શહેરીજનો આ ૪૦ સ્ટોલમાંથી વિવિધ ૪૫ જાતિના ફુલ-છોડ, બાગાયતી સાધનો અને કુંડાઓ વ્યાજબી ભાવે મેળવી શકશે. ફલાવર શોમાં સરકારની વિવિધ યોજનાઓથી શહેરીજનો માહિતગાર થાય તે હેતુથી ફુલ-છોડથી સુશોભિત પી.એમ. આવાસ યોજના, પી.એમ. જનઆરોગ્ય યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, જલશક્તિ અભિયાન, મેટ્રોસિટી, બે સેલ્ફી પોઇન્ટ અને બે ગેટ (એન્ટ્રી-એકઝીટ) મળી કુલ આઠ વૈવિધ્યસભર સ્ટ્રકચરોને રંગબેરંગી ફુલોથી શણગારી પ્રદર્શિત કરાયા છે.
તો શિલ્પ ગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળના કારીગરોની વિશિષ્ટ કલાત્મક ચીજવસ્તુઓ જેવી કે કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી, શંખમાંથી નિર્મિત વસ્તુઓ, શો-પીસ, તોરણ, બીડ વર્કનું વેચાણ કરાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં હસ્તકલા અને હાથશાળની વિવિધ કળાઓ લુપ્ત ન થઇ જાય અને શહેરીજનો હસ્તકલા વિશે વધુ જાગૃત બને, કલાને જાણે અને માણે અને કલાકૃતિઓની ખરીદી કરે એવો શિલ્પગ્રામ મેળાનો હેતુ છે.સુરત શહેર માત્ર ઉદ્યોગ અને વ્યવસાય માટે જ નહીં, પરંતુ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણ માટે પણ સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવે છે. શહેરીજનોની વાંચનપ્રત્યેની લાગણી અને રસને ઘ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર મે-૨૦૦૦માં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ શહેરીજનોની લાગણીઓ તેમજ ઉત્સાહને ધ્યાને લઇ પુસ્તક મેળાની સાથે હોર્ટીકલ્ચર ફેર અને ફ્લાવર શો તેમજ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પુસ્તક મેળો 22મી ફેબ્રુઆરી થી લી માર્ચ સુધી ચાલશે.
બાફ્ટાના આંતરરાષ્ટ્રીય મંચ પર હિન્દીમાં સ્પીચ આપીને આલિયા ભટ્ટે દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. આલિયા ભટ્ટનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જાણો આલિયાએ હિન્દીમાં શું કહ્યું?
લંડનમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (Bafta) યોજાયો હતો. ઘણા પ્રખ્યાત કલાકારોએ આ સમારોહમાં હાજરી આપી હતી. ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ પણ એવોર્ડ ફંક્શનમાં સામેલ થઈ હતી. આલિયાએ આ કાર્યક્રમમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. આલિયાનો રેડ કાર્પેટ લુક ખૂબ જ સુંદર અને મોહક હતો.પરંતુ બાફ્ટામાં આલિયાનો લૂક નહીં પણ હિન્દીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જ્યારે આલિયા એવોર્ડ આપવા માટે બાફ્ટા સ્ટેજ પર પહોંચી ત્યારે તેણે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું. આલિયાની આ શૈલીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આલિયા ભટ્ટે પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કર્યું
આલિયા ભટ્ટે બાફ્ટા સ્ટેજ પર બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મ રજૂ કરી. સ્ટેજ પર તેણે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે, પછીથી તેણે પોતાના હિન્દીનો અર્થ સમજાવ્યો હતો. સ્ટેજ પર આલિયાએ કહ્યું, “નમસ્તે, આગામી એવોર્ડ એવી ફિલ્મ માટે છે જે અંગ્રેજીમાં નથી.” પછી, અંગ્રેજીમાં પોતાનું ભાષણ ચાલુ રાખતા, આલિયાએ કહ્યું, “હમણાં સબટાઈટલ માટે ન જાઓ. હું હિન્દીમાં કહી રહી હતી કે અમારો આગામી એવોર્ડ એવી ફિલ્મ માટે છે જે અંગ્રેજીમાં નથી. કારણ કે ફિલ્મો ઘણી બધી ભાષાઓમાં બોલે છે, પરંતુ આપણે હંમેશા જેની પ્રશંસા કરીએ છીએ તે સિનેમાની ભાષા છે. આપણે બધા તે ભાષાને ખૂબ સારી રીતે સમજીએ છીએ અને બોલીએ છીએ.” ત્યારબાદ આલિયાએ વિજેતાની જાહેરાત કરી. આલિયાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને લોકો વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવવા બદલ તેના વખાણ કરી રહ્યા છે.
યુઝર્સ આલિયા પર ગર્વ અનુભવી રહ્યા છે.
આલિયાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને અસંખ્ય લાઈક્સ મળી રહ્યા છે. ચાહકો કોમેન્ટમાં આલિયાની સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. બાફ્ટા જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર હિન્દી બોલીને, આલિયાએ દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. યુઝર્સ તેના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે અને તેના પર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો આલિયાના લુકની પણ પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને ભારતની સુપરસ્ટાર કહી રહ્યા છે.
“સેન્ટિમેન્ટલ વેલ્યુઝ” ફિલ્મે બાફ્ટામાં શ્રેષ્ઠ નોન-અંગ્રેજી ફિલ્મનો એવોર્ડ જીત્યો. આ વર્ષે તે ઓસ્કાર માટે પણ નામાંકિત થઈ છે. ચાહકોને આલિયાનો બાફ્ટા લુક ખૂબ ગમ્યો. અભિનેત્રીએ સિલ્વર ગુચી ગાઉન પહેર્યો હતો, જેમાં સફેદ રંગનો સ્ટોલ હતો. રેડ કાર્પેટ પર આલિયાનો અંદાજ અતિસુંદર હતો.
ગાંધીનગર: ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવ્યું. “વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ” નામના આ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તક શ્રીલ પ્રભુપાદજીના અસાધારણ સંઘર્ષ, વૈશ્વિક આધ્યાત્મિક યાત્રા અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે.શ્રીલ પ્રભુપાદજીના પુસ્તક વિમોચન પ્રસંગે અભિનંદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રીલ પ્રભુપાદજીની યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી. પરંતુ શ્રી કૃષ્ણ પરના તેમના અતૂટ વિશ્વાસે તેમને અપાર સફળતા અપાવી હતી. સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીમાં હારી જાય છે, ત્યારે ભગવદગીતાના સંદેશ થકી મળેલ દ્રઢ વિશ્વાસ જ જીવનનો સાચો માર્ગ બતાવે છે. શ્રીલ પ્રભુપાદજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને પ્રભુપાદજીના વૈશ્વિક પ્રભાવને સન્માનિત કરવામાં આવ્યો હતો.આ પુસ્તકના લેખિકા ડો. ઉષાબેનને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડો. ઉષાબેને શ્રીલ પ્રભુપાદજીના જીવન ચરિત્રને ગુજરાતીમાં વર્ણવીને રાજ્યની જનતા સુધી તેમના પ્રભાવશાળી વિચારો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.શ્રીમદ ભગવદગીતામાં અપાયેલ સંદેશ વિશે વર્ણવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઉત્કૃષ્ટ વ્યવહારિક જીવન જીવવા માટે ગીતાનો મહિમા અનિવાર્ય છે. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે અધર્મનો નાશ નિશ્ચિત છે, આપણે માત્ર ધીરજ અને આંતરિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. શ્રી રામના આચરણ અને શ્રી કૃષ્ણના વચનોને જીવનમાં ઉતારી મોક્ષ તરફનો રસ્તો સરળ બને છે. ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ભૌતિકતા પાછળ દોડતા નાગરિકોને આધ્યાત્મિકતા તરફ વાળવાનું જે કાર્ય થયું છે તે અદભૂત છે. આ પુસ્તક ગુજરાતના યુવાનોથી માંડીને દરેક પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.ગ્લોબલ હરેકૃષ્ણ મૂવમેન્ટના કો–મેન્ટર અને વાઇસ ચેરમેન ચંચલાપતિ દાસે શ્રીલ પ્રભુપાદના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ૭૦ વર્ષની ઉંમરે, માત્ર ૪૦ રૂપિયા સાથે કાર્ગો જહાજમાં અમેરિકા જઈને તેમણે હરે કૃષ્ણ મંત્રને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. દરિયાઈ મુસાફરી દરમિયાન બે વાર હૃદયરોગના હુમલા સહન કરવા છતાં, ગુરુની આજ્ઞા પાળવા માટે તેઓ મક્કમ રહ્યા. તેમના પ્રયાસોથી જ વિશ્વભરમાં ૧૦૮થી વધુ કૃષ્ણ મંદિરોની સ્થાપના થઈ છે.આ પુસ્તકના લેખિકા ડૉ. ઉષા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદનું જીવન એ અપ્રતિમ સાહસ, ધૈર્ય અને માનવજાત પ્રત્યેની અસીમ કરુણાનું જીવંત ઉદાહરણ છે. તેમણે ૬૯ વર્ષની જૈફ વયે પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિમાં કૃષ્ણભક્તિના બીજ રોપ્યા હતા. તેમણે માત્ર ધર્મનો પ્રચાર જ ન કર્યો, પરંતુ વ્યસનોમાં ડૂબેલા યુવાનોને વૈદિક સંસ્કારો થકી એક નૈતિક સમાજની રચના કરી હતી. વિશ્વભરમાં ૧૦૮ મંદિરોની સ્થાપના અને રશિયા કે આફ્રિકા જેવા વિષમ ભૌગોલિક અને રાજકીય વિસ્તારોમાં પણ ‘હરે કૃષ્ણ’ મહામંત્ર ગુંજતો કરવો એ તેમની અકલ્પ્ય સિદ્ધિ છે.હરે કૃષ્ણ મૂવમેન્ટ, અમદાવાદ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર અમદાવાદના પ્રમુખ જગન્મોહન કૃષ્ણ દાસ, સાહિત્યકાર ભાગ્યેશ જહા સહિત વિદ્વાનો, શિક્ષણવિદો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત ટેક્સીના સારથીઓ સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે જે લોકો સખત મહેનત કરે છે તેમને જ નફો મળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ટેક્સી માલિકોને ધનવાન બનાવવાનું છે અને સારથીઓ માલિકો છે. અમિત શાહે જણાવ્યું હતું કે સારથીઓ ભારત ટેક્સીના માલિક છે અને નફામાં તેમનો હિસ્સો રહેશે. આગામી ત્રણ વર્ષમાં, દેશના દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “ભારત ટેક્સી” સેવા કાર્યરત હશે.અમિત શાહે જણાવ્યું હતું, “ભારત ટેક્સીની સ્થાપના દેશની પાંચ સૌથી મોટી સહકારી સંસ્થાઓને મર્જ કરીને કરવામાં આવી હતી. જેમ-જેમ સારથીઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ ભાગીદાર બનવા ઇચ્છતા કોઈપણ સારથીને 500 રૂપિયાના શેર ખરીદીને માલિકી હકો પ્રાપ્ત થશે. આ સિવાય જ્યારે ભારત ટેક્સી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થશે ત્યારે કેટલીક બેઠકો સારથીઓ માટે અનામત રાખવામાં આવશે. સારથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાય છે, ત્યારે તે પોતે અન્ય સારથીઓના તમામ હિતોનું રક્ષણ અને કાળજી લેશે.”
અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સીની કુલ કમાણીના 20% સારથીઓની મૂડી તરીકે ભારત ટેક્સીના ખાતામાં જમા કરવામાં આવશે અને 80% સારથીઓના ખાતામાં પાછા જશે જે કિલોમીટર મુસાફરીની સંખ્યાના આધારે હશે. શરૂઆતના ત્રણ વર્ષ ભારત ટેક્સીના વિસ્તરણ પર ખર્ચ કરવામાં આવશે અને તે પછી જે નફો થશે તેના 20% ભારત ટેક્સી પાસે રહેશે અને 80% સારથી ભાઈઓને પરત કરવામાં આવશે.અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ટેક્સીએ “સારથી દીદી” સુવિધાની કલ્પના કરી છે. ભારત ટેક્સીની “સારથી દીદી” સુવિધા મહિલા ડ્રાઇવરોને સશક્ત બનાવશે અને મહિલા મુસાફરો અને ડ્રાઇવરો બંનેની સલામતી સુનિશ્ચિત કરશે.
ભારત ટેક્સીની વેબસાઇટ પર ડ્રાઇવરોની ચિંતાઓને દૂર કરવા માટે એક વિન્ડો ખોલવામાં આવશે, જ્યાં તેઓ તેમના મોબાઇલ નંબરથી લોગ ઇન કરી શકશે અને તેમની સમસ્યાઓની જાણ કરી શકશે અને તેના આધારે અમે અમારી નીતિઓમાં ફેરફાર કરી શકીશું. જેમ ભારત ટેક્સી ડ્રાઇવરોની ચિંતાઓને દૂર કરશે, તેવી જ રીતે અન્ય ટેક્સી કંપનીઓએ પણ તે જ કરવાની જરૂર પડશે. ભારત ટેક્સીનો ધ્યેય ગ્રાહકોના આનંદની સાથે ડ્રાઇવરોના કલ્યાણને સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાતના પહેલા દિવસે, યુનિવર્સલ સક્સેસ ગ્રુપ સાથે રૂ.6,650 કરોડના ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગ્રુપ હાઉસિંગ, લોજિસ્ટિક્સ પાર્ક અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવશે. આનાથી 20,000 થી વધુ યુવાનોને રોજગાર મળશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિંગાપુરની મુલાકાતે છે. સોમવારે, તેમની મુલાકાત પહેલા યુનિવર્સલ સક્સેસ ગ્રુપે રાજ્યમાં કુલ 6,650 કરોડના રોકાણ માટે ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ રોકાણો ગ્રુપ હાઉસિંગ, લોજિસ્ટિક્સ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં હશે. આ ત્રણ પ્રોજેક્ટ્સ 20,000 થી વધુ નોકરીઓનું સર્જન પણ કરશે.
મુખ્યમંત્રીએ રોકાણકારોને રાજ્યની નીતિગત સ્થિરતા, ઉત્તમ કનેક્ટિવિટી અને ઝડપથી વિકસતા ઔદ્યોગિક માળખા વિશે માહિતગાર કર્યા. તેમણે ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે લખનૌ આવવા જૂથને આમંત્રણ આપ્યું. તેમણે જણાવ્યું કે યુપી સરકાર દરેક સ્તરે રોકાણકારોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા
આંતરરાષ્ટ્રીય થીમ-આધારિત ગ્રુપ હાઉસિંગ પ્રોજેક્ટ
યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) વિસ્તારમાં જેવર એરપોર્ટ નજીક 100 એકર જમીન પર એક આંતરરાષ્ટ્રીય થીમ-આધારિત ટાઉનશીપ વિકસાવવામાં આવશે. રૂ 3,500 કરોડનું રોકાણ પ્રસ્તાવિત છે. આનાથી આશરે 12,000 લોકો માટે રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટ 2027 માં કાર્યરત થવાની અપેક્ષા છે.
કાનપુર-લખનૌ હાઇવે પર લોજિસ્ટિક્સ પાર્ક
કાનપુર-લખનૌ હાઇવે પર 50 એકર જમીન પર લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. ₹650 કરોડનું રોકાણ પ્રસ્તાવિત છે. આનાથી આશરે 7,500 નોકરીઓનું સર્જન થશે. આ 2027 માં કાર્યરત થવાની પણ અપેક્ષા છે.
નોઇડા/ગ્રેટર નોઇડા વિસ્તારમાં 10 એકર જમીન પર 40 મેગાવોટ આઇટી પાવર ક્ષમતા ધરાવતો હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પાર્ક સ્થાપિત કરવામાં આવશે. આમાં ₹2,500 કરોડનું રોકાણ થશે અને આશરે 1,500 લોકો માટે રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટ 2028 માં શરૂ થવાની સંભાવના છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું કે, “ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ’ બની ગઈ છે. વિધાનસભાના પ્રાંગણમાં આ પ્રકારનું આયોજન એ રાજ્યની બહેનો માટે એક નવી આશાનું કિરણ છે.”
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે આ સુંદર પહેલ બદલ શંકર ચૌધરીને અભિનંદન પાઠવ્યા. સાથે જ અનુરોધ કર્યો કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળાનો રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવા જોઈએ.ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.’ દ્વારા આયોજિત આ પ્રદર્શન ૨૩ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી યોજવામાં આવ્યું છે. વિધાનસભાના પ્રાંગણમાં સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ કલાક દરમિયાન નાગરિકો આ સ્ટોલની મુલાકાત લઈ શકશે. વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ ૧૦ પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મતદારોને પત્ર લખ્યો, જેમાં “એબાર ભાજપ સરકાર” ના નારા લગાવવામાં આવ્યા. તેમણે રાજ્ય સરકાર પર કુશાસન, તુષ્ટિકરણ અને મહિલાઓ માટે અસુરક્ષાનો આરોપ લગાવ્યો. કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ પરિવર્તનની અપીલ કરી.
ફાઈલ ફોટો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મતદારોને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેનાથી રાજકીય ગતિવિધિઓમાં નવો ઉછાળો આવ્યો છે. પત્રમાં તેમણે વર્તમાન રાજ્ય સરકાર પર સીધો હુમલો કર્યો છે, જેમાં એબાર ભાજપ સરકારની હાકલ કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “સોનાર બંગાળ” નું સ્વપ્ન જોનાર દરેક નાગરિક આજે નાખુશ છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં માતાઓ અને બહેનો હવે સુરક્ષિત અનુભવતી નથી, અને તે પરિવર્તન હવે અનિવાર્ય છે.
પ્રધાનમંત્રીએ પોતાના પત્રની શરૂઆત “જય મા કાલી” થી કરી હતી અને લખ્યું હતું કે પશ્ચિમ બંગાળનું ભાગ્ય થોડા મહિનામાં નક્કી થશે. તેમણે કહ્યું કે ભાવિ પેઢીઓનું ભવિષ્ય મતદારોના નિર્ણય પર નિર્ભર રહેશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં, તેમની સરકારે જન કલ્યાણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે શરૂ કરાયેલી યોજનાઓના સકારાત્મક પરિણામો આવ્યા છે.
પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકારના સહયોગના અભાવ છતાં, પશ્ચિમ બંગાળમાં લગભગ 5 કરોડ લોકો જન ધન યોજનામાં જોડાયા છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 85 લાખ શૌચાલય બનાવવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના દ્વારા 1 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન મળ્યા છે. અટલ પેન્શન યોજનાનો લાભ 56 લાખ વરિષ્ઠ નાગરિકોને મળ્યો છે. કિસાન સન્માન નિધિ હેઠળ 52 લાખથી વધુ ખેડૂતોને નાણાકીય સહાય મળી છે. નાના વ્યવસાયોને ₹2.82 લાખ કરોડની લોન આપવામાં આવી છે.
પીએમ મોદીએ લખ્યું કે આઝાદી પછી પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર હતું, પરંતુ હવે પરિસ્થિતિ ચિંતાજનક છે. તેમણે રાજ્યની બગડતી સ્થિતિ માટે છ દાયકાના કુશાસન અને તુષ્ટિકરણના રાજકારણને જવાબદાર ઠેરવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે રોજગારના અભાવે યુવાનો સ્થળાંતર કરી રહ્યા છે અને મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ઘૂસણખોરી અને હિંસાનો મુદ્દો
વડાપ્રધાનએ ગેરકાયદેસર ઘૂસણખોરી અને મહિલાઓ સામેની હિંસાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની ભૂમિ આજે અરાજકતામાં ડૂબી ગઈ છે. તેમણે નકલી મતદારોના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજ્યને અંધકારમાંથી બહાર કાઢવું જરૂરી છે.
પરિવર્તન માટે આહ્વાન
પત્રના અંતે, વડા પ્રધાને મતદારોને પરિવર્તન માટે આગળ આવવા અપીલ કરી. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત જેવી યોજનાઓએ દેશના ઘણા રાજ્યોમાં જીવનધોરણમાં સુધારો કર્યો છે અને પશ્ચિમ બંગાળ પણ વિકાસને પાત્ર છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે રાજ્ય માટે વિકાસ અને સુશાસનનો માર્ગ પસંદ કરવાનો સમય આવી ગયો છે.
અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં આવેલી સુમન વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોમાં વક્તૃત્વ સ્પર્ધા, નાટક, ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન તેમજ અન્ય કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ અભિનંદનપાત્ર રહ્યો હતો.ઉજવણી દરમિયાન એક વિશેષ સત્ર મુકેશ ભાટી (ટ્રસ્ટી તથા સ્થાપક-સંચાલક, શ્રી કલ્ચરલ ફાઉન્ડેશન) દ્વારા “પ્લાસ્ટિકના અસરકારક ઉપયોગ” વિષય પર યોજાયું હતું. તેમણે પ્લાસ્ટિકની પર્યાવરણ પર પડતી ભયાનક અસરો વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. તેમણે જણાવ્યું કે, રસ્તા પર કે કચરામાં ફેંકેલું પ્લાસ્ટિક સદીઓ સુધી વિઘટિત થતું નથી અને તે માતૃભૂમિને પ્રદૂષિત કરે છે. મુકેશ ભાટીએ વિવિધ વસ્તુઓમાં પ્લાસ્ટિકના ઉપયોગની ચર્ચા કરી. જેમ કે મિનરલ વોટરની બોટલો, ચોકલેટના રેપર્સ, વેફર્સ-બિસ્કિટ જેવા સ્નેક્સના પેકેટ્સ તથા પ્લાસ્ટિકની થેલીમાં મળતું દૂધ. તેમણે સૌને અપીલ કરી કે, ઘરે વપરાતું પ્લાસ્ટિક માતૃભૂમિને ન આપીએ, પરંતુ તેને એકત્ર કરીને રિસાયક્લિંગ માટે આપીએ. આમ કરીને આપણે પૃથ્વીને પ્રદૂષિત થતી રોકીશું અને માનવજાતના કલ્યાણમાં યોગદાન આપી શકીએ છીએ.આ અભિયાનને સફળ બનાવવા સુમન વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સંયુક્ત રીતે પ્રતિજ્ઞા લીધી છે કે, તેઓ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે જ આપશે.જે કોઈ વ્યક્તિ પોતાનું પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે આપવા ઇચ્છતા હોય તો 9537709668 પર સંપર્ક કરી શકે છે. આ સંખ્યા પર સંપર્ક કરનારને પ્લાસ્ટિક એકત્ર કરવાની વ્યવસ્થા કરીને સંબંધિત સરકારી વિભાગને રિસાયક્લિંગ માટે સોંપવામાં આવશે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો તાજેતરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં આ પ્રખ્યાત કપલ એક નજીકના મિત્રના લગ્ન સમારોહમાં પૂરા ઉત્સાહ સાથે નાચતા જોવા મળે છે. વાતાવરણ સંપૂર્ણપણે ઉત્સવપૂર્ણ હતું અને પ્રખ્યાત ગાયક મીકા સિંહ લાઈવ પર્ફોર્મ કરી રહ્યા હતા, જેનાથી કાર્યક્રમનો ઉત્સાહ વધ્યો હતો. આ ક્લિપ અંબાણી પરિવારના ફેન પેજ અને વાયરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવી હતી. વીડિયો જોયા પછી બંનેના ચાહકો તેમને આ રીતે સાથે જોઈને તેમની પ્રશંસા કરી રહ્યા છે.
અનંત અને રાધિકા તેમના મિત્રના લગ્ન સમારોહમાં મીકા સિંહના લાઈવ પરફોર્મન્સ પર ડાન્સ કરી રહ્યા હતા. વિડિયોમાં, બંને ખૂબ જ ખુશ, હળવા અને મસ્તીભર્યા અંદાજમાં દેખાયા. તેઓ જાનૈયાઓ સાથે સ્ટેપ-અપ ડાન્સ કરી રહ્યા હતા અને વાતાવરણનો આનંદ માણી રહ્યા હોય તેવું લાગતું હતું. તેમના સ્મિત અને ઉર્જા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ખાસ પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે મિત્રો લગ્ન કરી રહ્યા છે તેમના નામ યશ અને આહાના છે.
સમારંભમાં, આ દંપતીએ અદભુત પરંપરાગત પોશાક પહેર્યો હતો, જેણે તેમના વ્યક્તિત્વ અને શૈલીને વધુ નિખાર આપ્યો હતો. તેઓ સામાન્ય VIP-શૈલીના સમારંભ કરતાં સામાન્ય મહેમાનોની જેમ ઉજવણી કરતા ભીડ સાથે ભળી ગયા હતા. તેમનો ઉત્સાહભર્યો ડાન્સ અને મિત્રો સાથેનો ગાઢ સંબંધ વિડિઓમાં સ્પષ્ટ જોવા મળે છે. આ જ કારણ છે કે ક્લિપ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ અને ઘણા લોકો દ્વારા તેને પસંદ કરવામાં આવી. એક નેટીઝને વિડિઓ પર ટિપ્પણી કરતા લખ્યું, “તેઓ ખૂબ જ સરળ છે, કોઈ શોમેનશીપ નથી.” બીજાએ ટિપ્પણી કરી, “તેમનો ખૂબ જ સારો સંબંધ છે, અને તે સ્પષ્ટપણે દેખાય છે.” અન્ય એક યુઝરે લખ્યું, “તેઓ ખૂબ જ સુંદર લાગે છે.”
અનંત અંબાણી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે, અને રાધિકા મર્ચન્ટ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે, અને અંબાણી પરિવારની નાની પુત્રવધૂ છે. તે બંને વારંવાર હેડલાઇન્સમાં રહે છે. તેમની પ્રેમકથા હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. બાળપણના મિત્રો, તેઓ સૌપ્રથમ 2018 માં પ્રખ્યાત થયા જ્યારે તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારથી, તેમના સંબંધોમાં લોકોનો રસ સતત વધતો ગયો. સમય જતાં તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો, અને અંતે, 12 જુલાઈ, 2024 ના રોજ, તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. તેમના ભવ્ય લગ્ન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે થયા. સમારોહ અદભુત અને ભવ્ય હતો, જેમાં ભારત અને વિદેશની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.
આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.
કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.
આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.