Home Blog Page 2273

વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે અદાણી ગૃપે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું

અમદાવાદ. અદાણી ગ્રૂપે વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું હતું. જ્યાં વિકલાંગોની ઓળખ કરવામાં આવી હતી. જેમણે તેમની સ્થિતિસ્થાપકતા અને સમર્પણથી ઘણા અવરોધોને પાર કર્યા છે તેઓએ તેમના જીવનની વાતો શેર કરી. 4 ડિસેમ્બરના રોજ અદાણી કોર્પોરેટ હાઉસ, અમદાવાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ પ્રેરણાદાયી વ્યક્તિત્વોને આગળ લાવ્યા જેમણે પોતાની રીતે શક્યતાઓને પુનઃવ્યાખ્યાયિત કરી અને અશક્યને શક્ય બનાવ્યું.

અદાણી ગ્રૂપના ગ્રુપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ જીત અદાણીએ જણાવ્યું હતું કે, “ગ્રીન એક્સ વિકલાંગ વ્યક્તિઓની અપાર સંભાવનાનું પ્રતીક છે. લીલો રંગ જીવનથી ભરેલી દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે, જે વૃદ્ધિ, આશા અને અનંત શક્યતાઓનું પ્રતીક છે. આ તે માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતા, પડકારોને દૂર કરવાનો નિર્ણય અને પ્રતિકૂળતામાંથી માર્ગ બનાવવાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

આ કાર્યક્રમના વક્તાઓમાંના એક અજય કુમાર રેડ્ડી હતા, જે 2016 થી ભારતીય પુરૂષ અંધ ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેણે 2017 બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ અને 2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. રેડ્ડીના પ્રદર્શનથી ભારતને 2014 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ મળી કારણ કે ટીમે ફાઇનલમાં પાકિસ્તાન સામે 300+ રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કર્યો.

અન્ય વક્તા નિપુન મલ્હોત્રા હતા, જે વિકલાંગ અધિકાર કાર્યકર્તા અને સામાજિક ઉદ્યોગસાહસિક હતા જેમણે સેન્ટ સ્ટીફન્સ, દિલ્હી ખાતે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે સુલભતાના પડકારોને પાર કર્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. મલ્હોત્રા વિકલાંગ અધિકારોની હિમાયત કરતી સંસ્થા નિપમેન ફાઉન્ડેશનના CEO છે. તેઓ વ્હીલ્સ ફોર લાઈફના સ્થાપક, NITI આયોગની ડિસેબિલિટી સબકમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ, વર્લ્ડ સક્ષમ પર વિઝિટિંગ રિસર્ચ ફેલો અને એક બાહ્ય નિષ્ણાત, વિવિધતા, સમાનતા અને સમાવેશ, BCG પણ છે. તેઓ FICCI ની ડિસેબિલિટી સબકમિટીના સ્થાપક અધ્યક્ષ છે, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ગ્લોબલ શેપર અને CIIના સભ્ય છે.

આ ઇવેન્ટમાં ચાર પેનલિસ્ટો હતા જેમણે કાર્યસ્થળમાં સુલભતા અને સર્વસમાવેશકતા વિશે વાત કરી હતી. પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર તરુણ કુમાર વશિષ્ઠ IIM-Aમાં પ્રથમ દૃષ્ટિહીન પીએચડી ઉમેદવાર છે. તેણીનો અભ્યાસ વિકલાંગતાના સંદર્ભમાં સંસ્થા અને હકારાત્મક ઓળખની શોધ કરે છે, અન્ય મુદ્દાઓ વચ્ચે. અન્ય પેનલિસ્ટ, અલીના આલમે 2017માં જ્યારે તે માત્ર 23 વર્ષની હતી ત્યારે મિટ્ટી કાફેની શરૂઆત કરી હતી. તેઓ ઘણા મોટા એરપોર્ટ પર 35 કાફેમાં લગભગ 400 લોકોને રોજગારી આપે છે. કંપની વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોને રોજગારી આપે છે અને આજ સુધીમાં 10 મિલિયનથી વધુ ભોજન પીરસ્યું છે.

પેનલિસ્ટ ડૉ. અનિતા શર્મા પોલિયોને કારણે કમરથી નીચે તરફ લકવાગ્રસ્ત છે. તેમણે IIM-ઈન્દોરમાંથી વિકલાંગતા અને સાહસિકતામાં પીએચડી પ્રાપ્ત કર્યું. “ડ્રાઇવ ઓન માય ઓન” ફાઉન્ડેશન અને ઇન્કપોથબના સ્થાપક, તે DEI સલાહકાર પણ છે. શર્મા ભારતની પ્રથમ વિકલાંગ મહિલા સ્કાયડાઇવર બનીને પોતાને અલગ પાડે છે. ડૉ. ભૂષણ પુનાની, જનરલ સેક્રેટરી, બ્લાઇન્ડ એસોસિએશન અને IIM, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ પેનલનો ભાગ હતા. તેઓ દૃષ્ટિહીન લોકોના શિક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉપપ્રમુખ પણ છે.

ઉદઘાટન રશ્મિ પાટીલે કર્યું હતું. શ્રવણશક્તિની અશક્ત પાટીલે તેના જુસ્સા અને સમર્પણને કારણે ભરતનાટ્યમમાં અદ્યતન ડિગ્રી હાંસલ કરી. તેણે 6 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્તરની નૃત્યાંગના બની. તેણીએ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને પાંચ વર્ષથી વૈશ્વિક જ્વેલરી બિઝનેસ ચલાવ્યો છે. સમાપન સેગમેન્ટમાં અંકિતા પટેલના પરફોર્મન્સનો સમાવેશ થાય છે, જેમણે પોતાના શાસ્ત્રીય અને લોકપ્રિય ગીતોની રજૂઆતથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે દૃષ્ટિહીન છે અને છેલ્લા પાંચ વર્ષથી વ્યવસાયિક રીતે ગાય છે.

બાયજૂસના સ્થાપકે કર્મચારીઓને પગાર ચૂકવવા ઘર ગિરવી મૂક્યું

નવી દિલ્હીઃ રોકડના સંકટથી ઝઝૂમી રહેલી  એડટેક સ્ટાર્ટઅપ બાયજૂસના સ્થાપક રવીન્દ્રએ ઘર ગિરવી રાખીને કર્મચારીઓને સેલરી આપવાના પ્રયાસ શરૂ કર્યા છે. કંપનીના સથાપક બાયજૂસ રવીન્દ્રને બેંગલુરુમાં ફેમિલી હોમ ગિરવી રાખી દીધું છે. એ સાથે તેમણે બાધકામ હેઠળનું ઘર પણ ગિરવી રાખી દીધું છે અને 1.2 કરોડ ડોલર એકત્ર કર્યા છે, જેથી કર્મચારીઓને સેલરી આપી શકાય. એડટેક સેક્ટરની કંપની નાણાકીય સંકટથી ઝઝૂમી રહી છે.

કંપની પર આશરે 800 મિલિયન ડોલરની લોન છે, જ્યારે કંપનીના સ્થાપક પર 400 મિલિયન ડોલરની લોન છે. હાલમાં કંપની 1.5 અબજ ડોલરની ટર્મ લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.  જે પછી કંપનીએ કાયદાકીય લડાઈનો સામનો કરવો પડ્યો હતો.

કંપનીએ હાલમાં અમેરિકાની કિડઝ ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મને 400 મિલિયન ડોલરને વેચી દીધી હતી. એ પછી પણ કપનીની નાણાકીય સમસ્યાઓ ઓછી નથી થઈ રહી.જેથી કંપનીન સ્થાપક રવીન્દ્રને પરિવારના માલિકીની સંપત્તિને ગિરવી રાખવાને કર્મચારીઓને પગાર આપવાનો નિર્ણય લીધો હતો, એમ આ મામલાથી જોડાયેલા કર્મચારીઓએ માહિતી આપી હતી.

કંપનીએ ઘર ગિરવી મૂકીને ઊભા કરેલા 12 મિલિયન ડોલરમાંથી કંપનીના 15,000 કર્મચારીઓને સેલરી આપવાના પ્રયાસ કર્યા છે. કર્મચારીઓને સેલરી આપવામાટે સંપત્તિને ગિરવી રાખવાનું પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ EDની દરોડાની કાર્યવાહી થઈ હતી, જેમાં એડ લર્ન પ્રાઇવેટ લિ. પર FDI હેઠળ 28,000 કરોડ મેળવવાના આરોપ લાગ્યા હતા.તપાસમાં માલૂમ પડ્યું હતું કે તેમણે વિદેશી મૂડીરોકાણને નામે આશરે 9000 કરોડ વિદેશમાં મોકલ્યા હતા. જેથી એજન્સીને કંઇક ખોટું થયાનું  લાગી રહ્યું છે.

 

 

 

 

 

 

 

ચક્રવાત ‘મિચૌંગ’ આંધ્રના સમુદ્રકાંઠે ત્રાટક્યું; 90 કિ.મી.ની ઝડપે ફૂંકાય છે પવન

હૈદરાબાદઃ ખતરનાક ચક્રવાતી વાવાઝોડું ‘મિચૌંગ’ આગાહી મુજબ આજે બપોરે આંધ્ર પ્રદેશ રાજ્યના નેલ્લોર અને કાવલી જિલ્લાઓ વચ્ચેના વિસ્તારમાં ત્રાટક્યું છે. તેણે બાપતલા નજીક લેન્ડફોલની શરૂઆત કરી છે. વાવાઝોડાની ઝપટમાં આવેલા વિસ્તારોમાં 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ઝડપથી રાહત પગલાં હાથ ધરી શકાય એટલા માટે અત્યંત સતર્ક રહેવાનો અધિકારીઓને ગઈ કાલે જ આદેશ આપી દીધો હતો. રાજ્ય સરકારે આઠ જિલ્લાઓને વાવાઝોડાની ગંભીર અસર માટે સતર્ક કરી દીધા છે – તિરુપતિ, નેલ્લોર, પ્રકાસમ, બાપતલા, ક્રિષ્ના, પશ્ચિમ ગોદાવરી, કોણાસીમા અને કાકીનાડા. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભૂતકાળમાં આવું જ ભયાનક વાવાઝોડું ‘હૂડહૂડ’ ત્રાટક્યું હતું ત્યારના અનુભવને કામે લગાડીને રાહત પગલાં લેવાનું સરકારે વહીવટીતંત્રને જણાવ્યું છે.

વાવાઝોડું ‘મિચૌંગ’ આંધ્ર પ્રદેશ પરના આકાશમાં પશ્ચિમ-મધ્ય ખૂણે અને બાજુમાં આવેલા બંગાળના અખાત પર દક્ષિણ-પશ્ચિમ ખૂણે આંધ્ર પ્રદેશની દક્ષિણ તરફ અને પડોશના તામિલનાડુના ઉત્તર ભાગ તરફ કેન્દ્રિત છે. નેલ્લોર જિલ્લાથી એ 80 કિ.મી. દૂર છે જ્યારે ચેન્નાઈ (તામિલનાડુ) શહેરથી 120 કિ.મી. દૂર છે. બાપતલા જિલ્લાની દક્ષિણ બાજુએ આ વાવાઝોડું 210 કિ.મી.ના અંતરે સર્જાયેલું છે. મિચૌંગની અસર ગઈકાલથી જ વર્તાઈ રહી છે. નેલ્લોરમાં અનેક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. એને કારણે વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે.

વાવાઝોડા ‘મિચૌંગ’ની અસર રૂપે તામિલનાડુમાં હાલ પડી રહેલા જોરદાર વરસાદને કારણે પાટનગર ચેન્નાઈ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.

‘એનિમલ’ના વખાણ કરવા બદલ સોશિયલ મીડિયા પર અદનાન સામીની ઝાટકણી

મુંબઈઃ ગયા અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રત્યાઘાતો પામેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘એનિમલ’નો જાણીતા ગાયક અદનાન સામીએ બચાવ કર્યો છે. પણ આ ફિલ્મને પસંદ ન કરનારાઓએ સોશિયલ મીડિયા પર સામીની તીવ્રતાપૂર્વક ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, ‘આ ફિલ્મ હિંસાવાદી, લૈંગિકતાવાદી અને સ્ત્રી-ઘૃણાવાદી છે તેથી એનો બચાવ ન કરાય.’

સામીએ આજે એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના સમર્થનમાં એક લાંબી નોંધ પોસ્ટ કરી છે અને લોકોને ફિલ્મના વિશ્લેષણમાં અતિરેક કરવાનું, વધારેપડતો વિચાર કરવાનું અને નૈતિકતાનો અતિરેક કરતી ફિલ્મોના ગુણગાન ગાવાનું બંધ કરવા કહ્યું છે. સામીએ કહ્યું કે, ‘મેં ‘એનિમલ’ હજી ફિલ્મ જોઈ નથી, પણ એક સર્જનાત્મક કલાકારને એની ઈચ્છા મુજબ પોતાની કલાને દર્શાવવાના અધિકારનો હું અહીં બચાવ કરવા માગું છું.’

પણ અદનાન સામીની કેટલાક આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એક નેટયૂઝરે લખ્યું છે, ‘અદનાનને કહો કે લિંગ પરિવર્તન કરાવે અને એક દિવસ માટે સ્ત્રી બનીને રહે.’ બીજા એક નેટયૂઝરે લખ્યું છે, ”એનિમલ’ ફિલ્મ બનાવીને તેના દિગ્દર્શકે બતાવી દીધું છે કે એમની માનસિકતા કેવી છે. આવા લોકો એવું માને છે કે સ્ત્રીઓ માત્ર પુરુષોની ગુલામ જ છે.’ ત્રીજા એક જણે લખ્યું છે, ‘જે લોકોએ ફિલ્મ જોઈ ન હોય એ લોકો આટલા જોરમાં એનો બચાવ કઈ રીતે કરી શકે? આવા લોકો એ વાત સમજતા જ નથી કે ફિલ્મ જોનારાઓ એની ટીકા શા માટે કરે છે. લોકોની ટીકાનો વિરોધ કરતા પહેલા તમારે એ ફિલ્મ જોવી જોઈએ.’

 

 

 

View this post on Instagram

 

A post shared by ADNAN SAMI (@adnansamiworld)

વર્ષ 2022માં હત્યાના કેસોમાં મામૂલી ઘટાડો નોંધાયોઃ NCRB

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં હત્યાઓના મામલાઓમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે હત્યાની 27,522 FIR નોંધવામાં આવી, જે અનુસાર પ્રતિદિન 76 હત્યાઓ થઈ હતી, જે વર્ષ 2021માં કુલ હત્યા 29,272 FIRની તુલનાએ ઘટી હતી, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે.

આ અહેવાલમાં ગુનાઓ પાછળના પ્રાથમિક ઉદ્દેશોની ઓળખ પણ કરવામાં આવી હતી. ઝઘડા કે વિવાદમાં કુલ 9962 હત્યાઓ થઈ હતી. ત્યાર બાદ વ્યક્તિગત વિરોધ કે દુશ્મનાવટને લીધે (3761) અને હત્યા થકી લાભ માટે (1884)ના કેસ નોંધાયા હતા. ડેટા કહે છે કે હત્યાના 95.4 ટકા પીડિતો વયસ્કો હતા, જેમાંથી આશરે 70 ટકા પુરુષો હતા. આ પીડિતોમાં 8125 મહિલાઓ અને નવ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સામેલ હતી.

મેટ્રોપોલિયન શહેરોમાં હત્યાના કેસોમાં 3.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 2022માં 2031 સુધી પહોંચ્યો હતો. પ્રતિ લાખ વસતિ પર ગુનાનો દર 2.1 ટકા રહ્યો તો આવા કેસોમાં ચાર્જશીટ નોંધવાનો દર 81.5 ટકા રહ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 3491 FIR નોંધવામાં આવી હતી, જ્યારે બિહારમાં (2930), મહારાષ્ટ્રમાં (2295), મધ્ય પ્રદેશમાં 1978 અને રાજસ્થાનમાં 1834 FIR નોંધવામાં આવી હતી. આ પાંચ રાજ્યોમાં કુલ મળીને દેશમાં હત્યાના 43.92 ટકા કેસ હતા. જ્યારે એનાથી વિપરીત 2022માં સિક્કિમમાં (નવ) નાગાલેન્ડમાં (21), મિઝોરમમાં (31) ગોવામાં (44) અને મણિપુરમાં (47)માં  હત્યાના સૌથી ઓછા નોંધાયા હતા.

દિલ્હીમાં 2022માં હત્યાના 509 કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ જમ્મુ અને કાશ્મીરમાં (99) પુડુચેરી (30)માં, ચંડીગઢમાં (18), દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં (16), આંદામાન અને નિકોબાર દ્વીપમાં (સાત), લદ્દાખમાં (પાંચ) હત્યાના કેસ નોંધાયા હતા, એમ NCRBનો અહેવાલ કહે છે.

 

 

 

 

કશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું; પહલગામમાં માઈનસ 4.3 ડિગ્રી તાપમાન

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ કશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ખીણવિસ્તારના ઘણા ખરા ભાગોમાં તાપમાન થીજાવી દે એવા પોઈન્ટ સુધી નીચે જતું રહ્યું છે. દક્ષિણ ભાગમાં આવેલા અનંતનાગ જિલ્લાના પહલગામમાં માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ જ નગર વાર્ષિક અમરનાથ યાત્રા વખતે બેઝ કેમ્પ બનતું હોય છે.

પહલગામમાં ગઈ કાલની રાત આ મોસમમાં અત્યાર સુધીમાં સૌથી ઠંડી રહી હતી. બારામુલ્લા જિલ્લાના ગુલવર્ગમાં માઈનસ 2.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જ્યારે શ્રીનગરમાં ઉષ્ણતામાનનો પારો ઝીરોથી પણ નીચે, માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી ગયો હતો. કાઝીગુંદમાં માઈનસ 1.6 ડિગ્રી ઠંડીનો અનુભવ કરાયો હતો. હવામાન વિભાગનું અનુમાન છે કે કશ્મીર ખીણવિસ્તારમાં વાતાવરણ આંશિક રીતે વાદળછાયું રહેશે.

બેન્કોએ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 10 લાખ કરોડથી વધુ રાઇટઓફ કર્યા

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ રૂ. 10.6 લાખ કરોડની લોન રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધા છે. આ રકમમાંથી 50 ટકા મોટી કંપનીઓની લોન છે. સરકારે હાલમાં એ વિશેની માહિતી આપી છે કે દેશની બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ આ વર્ષ માર્ચમાં પૂરાં થયેલાં પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 10.6 લાખ કરોડ શંકાસ્પદ લોન ખાતામાં નાખી દીધા છે.

આશરે 2300 કંપનીઓએ બેન્કોને રૂ. પાંચ કરોડથી વધુનાં લેણાં નથી ચૂકવ્યાં. કંપનીઓની આ રકમ આશરે રૂ. બે લાખ કરોડ થવા જાય છે. રિઝર્વ બેન્કની ગાઇડલાઇન્સ અને પોલિસી મુજબ બેન્કોએ આ રકમ NPA કેટેગરીમાં નાખી દીધી છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ બેન્કો બેલેન્સશીટમાંથી વગર વસૂલાતવાળાં લેણાંની રકમને દૂર કરી દે છે અને એને રાઇટ ઓફ કરવું કહે છે. જોકે લોન રાઇટ ઓફ કર્યા પછી પણ લેણાંની વસૂલીની પ્રક્રિયા જારી રહે છે.

નાણાં રાજ્ય મંત્રી ભગવત કરાડે લોકસભામાં કહ્યું હતું કે દેશની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન લેનારા લોકો વિશે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોને રિપોર્ટ કરે છે. જે વેપારીએ રૂ. પાંચ કરોડથી વધીની લોન લીધી છે અને એ લોનની ચુકવણી નથી કરી તો તેની માહિતી સરકાર સુધી પહોંચી જાય છે.

31 માર્ચ, 2023 સુધી 2623 લોનધારકોને વિલફુલ ડિફોલ્ટર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમની પાસે રૂ. 1.96 લાખ કરોડની ઉધારી બાકી છે. કરાડે કહ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટર્સની વિરુદ્ધ અનેક પ્રકારથી રિકવરીની પ્રક્રિયા જારી રહે છે. એમાં સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવાની સાથે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા લોન વસૂલી કરવાના પ્રયાસ કરવામાં આવે છે.

 

 

 

 

Nutshell In 99

Nutshell In 99

નીતા અંબાણીને ‘સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ’ એવોર્ડ એનાયત

મુંબઈઃ ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ અંબાણીનું સોમવારે સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ” એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને પણ “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઇન ઈન્ડિયા” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં, રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે CII સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સ અંતર્ગત “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” અને “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઇન ઈન્ડિયા” એવોર્ડ્સ સ્વીકારતાં હું કૃતજ્ઞતા અને ગર્વની લાગણી અનુભવું છું. મારું દ્રઢતાપૂર્વક માનવું છે કે સ્પોર્ટ્સ એકતા, ઊર્જા અને સમાનતાની લાગણીનો સંચાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. 2023 એ ખરેખર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારત માટે સર્વોત્તમતાનું વર્ષ રહ્યું છે. આપણા રમતવીરોએ વૈશ્વિક સ્તરે સંખ્યાબંધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં વિજય દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે અને આપણે મુંબઈમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સેશન આયોજિત કરીને 40 વર્ષના ગાળા બાદ ઓલિમ્પિક મુવમેન્ટને ભારતમાં પરત લાવ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે ભારતના યુવાવર્ગ માટે વિશ્વ-સ્તરીય તકો અને સમર્થન પૂરા પાડીને ભારતને વૈશ્વિક સ્તરે સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવા કટિબદ્ધ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

 

 

 

 

 

 

જિતેન્દ્ર, સચિન પિલગાંવકરને મળવા બેચેન છે જુનિયર મહેમૂદ

નવી દિલ્હીઃ વીતેલા જમાનામાં બોલીવૂડના મશહૂર એક્ટર રહેલા જુનિયર મહેમૂદ પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તે ચોથા સ્ટેજ પર છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં જ સુપ્રસિદ્ધ કોમેડિયન જોની લીવરે તેમના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. જોકે મહેમૂદ તેમના નાનપણના મિત્ર સચિન પિલગાંવકર અને નજીકના એક્ટર જિતેન્દ્રથી મળવા ઇચ્છે છે, એમ તેમની નજીકના મિત્ર સલામ કાઝીએ જણાવ્યું હતું.

જુનિયર મહેમૂદે જિતેન્દ્ર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને ત્યારે તેમની મિત્રતા હતી. સલામ કાઝી ઝુનિયર મહેમૂદ સાથે છેલ્લાં 15 વર્ષથી સાથે છે અને તેમણે જણાવ્યું હતું કે જુનિયર મહેમૂદ હજી પણ જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મિસ કરી રહ્યા છે. તેમણે સચિન પિલગાંવકરને મેસેજ પણ કર્યો હતો, પણ કોઈ જવાબ નથી આવ્યો. સચિન પિલગાંવકરે જુનિયર મહેમૂદને વિડિયો કોલ કર્યો હતો પણ વ્યક્તિગત રીતે મળવા નહોતો આવ્યો.

જો કેટલાક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, ટૂંક સમયમાં સર્જરી દ્વારા જુનિયર મહેમૂદના પેટમાંથી ગાંઠ દૂર કરવામાં આવશે. હાલ તેની હાલત અત્યંત નાજુક છે. આ દરમિયાન એક્ટર-કોમેડિયન જોની લીવર જુનિયર મહેમૂદના ઘરે ગયા અને તેમને મળ્યા હતા. આ મીટિંગનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે, જેમાં જુનિયર મહેમૂદ કેમેરા તરફ જોઈને અંગૂઠાનો ઇશારો કરી રહ્યા છે. બીમારીને કારણે તેમનું 20 કિલો વજન ઘટ્યું.

જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ છે. જુનિયર મહેમૂદ નામ તેમને પ્રખ્યાત હાસ્ય કલાકાર મહેમૂદ અલીએ પોતે આપ્યું હતું. જુનિયર મહેમૂદે પોતાની કારકિર્દી બાળકલાકાર તરીકે શરૂ કરી હતી. તેઓ ‘બ્રહ્મચારી’, ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ અને ‘પરવરિશ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમણે કેટલીક મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. આ સિવાય તેમણે ‘તેનાલી રામા’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમની પાસે હવે માત્ર 40 દિવસનો સમય બચ્યો છે.