જયપુરઃ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય મહંત બાલકનાથને ‘રાજસ્થાનના યોગી આદિત્યનાથ’ તરીકે ઓળખવામાં આવે છે. બાલકનાથે આજે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં દમદાર દેખાવ કર્યો છે. તિજારા બેઠક પર એમણે કોંગ્રેસના ઉમેદવાર સામે મોટા માર્જિન સાથે જીત હાંસલ કરી છે.
મહંત બાલકનાથ માત્ર 40 વર્ષની ઉંમરના છે. તેઓ રાજસ્થાનમાં અલવાર બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. એમણે મતગણતરી પૂર્વે જ પત્રકારોને કહ્યું હતું કે, ‘આ વખતે રાજસ્થાનમાં ભાજપ 120થી વધારે સીટ જીતશે.’
આજે સવારે મતગણતરી શરૂ કરાઈ એ પૂર્વે બાલકનાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. ભાજપની આસાન જીત વિશે બાલકનાથનું કહેવું છે કે, ‘જનતા કોંગ્રેસથી છૂટકારો મેળવવા ઈચ્છતી હતી. કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચારો, ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે.’
મહંત બાલકનાથ નાથ સમુદાયના છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ જ સમાજના છે. બાલકનાથે 6 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો હતો. બાલકનાથ કહે છે, ‘હું સમાજની સેવા કરવા માગું છું.’
નવી દિલ્હીઃ પાંચમાંથી ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આજે મતગણતરી કરાઈ રહી છે. આમાં મધ્ય પ્રદેશમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના હાથમાં સત્તા છીનવી લીધી છે. તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને કોંગ્રેસ શાસન સ્થાપી રહી છે.
ત્રણ રાજ્યોમાં ભાજપના ધરખમ વિજયને પગલે પક્ષના નેતાઓ અને કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાદુની સરાહના કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ કોંગ્રેસે આપેલા વચનોની હાંસી ઉડાવી હતી અને મતદારોને કહ્યું હતું કે ‘એકમાત્ર મોદીની ગારન્ટી જ દેશમાં કામ કરી રહી છે.’ મોદીના એ નારાને આજની જીત સાથે જોડીને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ આનંદમાં નાચી રહ્યાં છે. ભાજપના ટોચના નેતાઓએ પણ પક્ષની શાનદાર જીતના પ્રત્યાઘાતમાં કહ્યું કે, દેશની જનતાને માત્ર મોદીની ગારન્ટીમાં જ વિશ્વાસ છે.
199-બેઠકોની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના તાબામાં 113 બેઠક આવી છે જ્યારે સત્તા ગુમાવનાર કોંગ્રેસને મળી છે 72 બેઠક. અન્યોએ 14 બેઠક કબજે કરી છે.
230-બેઠકોની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 166 સીટ સાથે ભાજપે સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસને 62 સીટ મળી છે.
90-સીટની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 55 બેઠક મેળવીને કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે. કોંગ્રેસને 32 બેઠક મળી છે.
119-બેઠકોની તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં 65 સીટ સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. તેણે ભારત રાષ્ટ્ર સમિતિને પછડાટ આપી છે. બીઆરએસને ફાળે 39 સીટ આવી છે.
ભોપાલઃ 230-સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી કાર્ય શરૂ કરાયું છે. પ્રાપ્ત ટ્રેન્ડ અનુસાર શાસક ભારતીય જનતા પાર્ટી મુખ્ય હરીફ કોંગ્રેસ સામે બહુમતી વોટ પ્રાપ્ત કરીને જ્વલંત વિજય તરફ અગ્રેસર છે. સવારે 10 વાગ્યાના ટ્રેન્ડ અનુસાર, ભાજપના ઉમેદવારો 152 બેઠકો પર આગળ હતા. કોંગ્રેસના ઉમેદવારો 76 સીટ પર આગળ હતા. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ફરી સરકાર રચવાનો દાવો કરી દીધો છે.
રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ બુધની બેઠક પર એમના હરીફ ઉમેદવાર કરતાં સરસાઈમાં હતા.
ઈન્દોર-1 મતવિસ્તારમાં ભાજપના કૈલાશ વિજયવર્ગીય અને નરેન્દ્રસિંહ તોમર સરસાઈમાં હતા. કોંગ્રેસના કમલનાથ છિંદવાડામાં સરસાઈમાં હતા.
રાયપુરઃ 90-બેઠકોની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. શાસક કોંગ્રેસના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ એમના મુખ્ય હરીફ ભાજપના વિજય બઘેલ સામે પાછળ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમન સિંહ રાજનંદગાંવ બેઠક પર પાછળ હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ગઈ 7 અને 17 નવેમ્બરે – બે ચરણમાં મતદાન યોજાયું હતું. મતદાનની કુલ ટકાવારી 76.31 ટકા રહી હતી.
જયપુરઃ 200-બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના ટ્રેન્ડ અનુસાર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 107 બેઠકો પર આગળ હતા. શાસક કોંગ્રેસના ઉમેદવારો 80 બેઠકો પર સરસાઈમાં હતા.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના સચીન પાઈલટ અનુક્રમે સરદારપુરા તથા ટોન્ક બેઠકો પર એમના હરીફ ઉમેદવારો સામે સરસાઈમાં હતા.
ભાજપનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે ઝાલરાપાટન બેઠક પર સરસાઈમાં હતા. ભાજપના રાજ્યવર્ધન સિંહ રાઠોર ઝોટવાડા બેઠક પર આગળ હતા.
હૈદરાબાદઃ 119-બેઠકોવાળી તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતગણતરી અને પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક ટ્રેન્ડ અનુસાર, વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી 27 બેઠકો પર આગળ હતી.
શાસક ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, પણ બંનેમાં તે પાછળ હોવાનું માલુમ પડ્યું છે. આ બે બેઠક છે – કામારેડ્ડી અને ગજવેલ.
AIMIM પાર્ટીના નેતા અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રાયનગુટ્ટા બેઠક પર સરસાઈમાં હતા.
તેલંગણામાં 30 નવેમ્બરે એક જ ચરણમાં મતદાન યોજવામાં આવ્યું હતું. મતદાનની ટકાવારી 70.60 ટકા હતી.
ઐઝવાલઃ 40-સભ્યોની મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી અને પરિણામની જાહેરાતને ચૂંટણી પંચે આજને બદલે આવતીકાલ પર મુલતવી રાખ્યા છે. રાજ્યના 11 જિલ્લાઓમાં આવતીકાલે સવારે 8.30 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં તમામ બેઠકો માટે એક જ ચરણમાં 7 નવેમ્બરે મતદાન યોજવામાં આવ્યું હતું.
રાજ્યમાં સત્તા હાંસલ કરવા માટે કોઈ પણ પાર્ટી કે પાર્ટીઓના જૂથે ઓછામાં ઓછી 21 બેઠક જીતવી પડે. આ વખતની ચૂંટણી માટે 76.66 ટકા મતદાન થયું હતું. સૌથી વધારે સરછીપ જિલ્લામાં મતદાન થયું હતું – 83.96 ટકા. સૌથી ઓછું મતદાન પાટનગર ઐઝવાલમાં થયું હતું – 73.09 ટકા.
શૈક્ષણિક વિશિષ્ટતાના ઈતિહાસમાં પંડિત દીનદયાલ ઉર્જા યુનિવર્સિટી (PDEU) ખાતે 11મો દીક્ષાંત સમારોહ એક સીમાચિહ્નરૂપ ઘટના તરીકે ઉભરી આવ્યો, જે વિદ્વતાપૂર્ણ સિદ્ધિઓ અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વના પુરાવા છે. આ કાર્યક્રમમાં 133 પીએચડી વિદ્વાનો અને ઉત્કૃષ્ટ મેરીટોરીયસ સ્નાતકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને મેડલ અને ડિગ્રી પ્રમાણપત્રો આપીને તેમની સફરને ચિહ્નિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ ડો.એસ.સોમનાથે જ્ઞાનની ઊંડી આભા પ્રદાન કરી હતી. PDEUના પ્રમુખ મુકેશ અંબાણી ઓનલાઈન સમારોહમાં સામેલ થયા અને સ્નાતક વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા અને શૈક્ષણિક સમુદાયને સમજ અને પ્રોત્સાહન પૂરું પાડીને સભાને સંબોધિત કરી.
IAS (નિવૃત્ત) ડૉ. હસમુખ અઢિયા અને PDEU બોર્ડ ઑફ ગવર્નર્સના વાઇસ ચેરમેન, PDEUના ડિરેક્ટર જનરલ, પ્રોફેસર એસ સુંદર મનોહરન જેવી વિખ્યાત વ્યક્તિઓની હાજરીમાં કુલ 1714 વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અને PDEU રજિસ્ટ્રાર કર્નલ (ડૉ.) રાકેશ કુમાર શ્રીવાસ્તવ. દિક્ષાંત સમારોહમાં શૈક્ષણિક અને ઉદ્યોગના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેણે આ પ્રસંગનું મહત્વ વધાર્યું હતું. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાં હોવા બદલ પોતાની ખુશી વ્યક્ત કરતા ડૉ. સોમનાથે યુનિવર્સિટીના મહત્વને સ્વીકાર્યું, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને A++ ગ્રેડની માન્યતા અને માન્યતા આપવામાં આવી.
ડૉ. સોમનાથે ઈસરોની સફરમાં નિષ્ફળતાની પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી જુસ્સો, નિશ્ચય અને આંચકોનો સામનો કરવાની ક્ષમતાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સ્પેસ ટેક્નોલોજીમાં ભારતની સિદ્ધિઓને ટાંકીને સાધારણ રોકાણ સાથે વિશ્વ નેતા બનવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે સ્નાતકોને ઝડપથી વિકસતા ટેકનોલોજીકલ લેન્ડસ્કેપમાં જીવનભર શીખનારા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. ભવિષ્ય વિશે બોલતા ડૉ. સોમનાથે ગગનયાન કાર્યક્રમ, અવકાશ સ્ટેશન યોજનાઓ અને ચંદ્ર સંશોધન સહિત અવકાશ ક્ષેત્રમાં તકોની ચર્ચા કરી. તેમણે ઉભરતી ચંદ્ર આધારિત અર્થવ્યવસ્થામાં સક્રિયપણે ભાગ લેવાના ભારતના આર્થિક અને વૈજ્ઞાનિક મહત્વને રેખાંકિત કર્યું. સ્નાતકોને વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા રાષ્ટ્રની શક્તિમાં યોગદાન આપવાના આહ્વાન સાથે સમાપન કરતા ડૉ. સોમનાથે દીક્ષાંત સમારોહને સંબોધિત કરવાની તક બદલ યુનિવર્સિટીનો આભાર માન્યો અને પ્રેક્ષકોને તેમના ભાવિ પ્રયાસો માટે વિનંતી કરી. આશા અને કૃતજ્ઞતાનો સંદેશ આપ્યો. .
આ પહેલા સભાને સંબોધતા અંબાણીએ માહિતી આપી હતી કે ભારત આગામી 25 વર્ષમાં આર્થિક વિકાસના અભૂતપૂર્વ વિસ્ફોટનું સાક્ષી બનશે. આજે $3.5 ટ્રિલિયન અર્થતંત્રમાંથી તે 2047 સુધીમાં $40 ટ્રિલિયન અર્થતંત્ર બની જશે. આ વૃદ્ધિને વેગ આપવા માટે દેશને જંગી માત્રામાં ઉર્જાની જરૂર પડશે. “એનર્જી ટ્રિલેમ્મા” તરીકે ઓળખાતા હોવાનો ઉલ્લેખ કરતા અંબાણીએ ભારત કેવી રીતે સુનિશ્ચિત કરી શકે કે દરેક નાગરિક અને ભારતમાં દરેક આર્થિક પ્રવૃત્તિને પર્યાપ્ત, સૌથી વધુ સસ્તું ઉર્જા મળી રહે તે વિશે ત્રણ પ્રશ્નો પૂછ્યા. ભારત અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જામાંથી સ્વચ્છ અને હરિયાળી ઊર્જામાં ઝડપથી કેવી રીતે સંક્રમણ કરી શકે છે અને ભારત તેની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની વધતી જતી જરૂરિયાતોને અસ્થિર બાહ્ય વાતાવરણના જોખમોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભારત આ સમસ્યાનો સામનો કરવા માટે સ્માર્ટ અને ટકાઉ ઉકેલો વિકસાવવામાં સક્ષમ છે કારણ કે તેની પાસે અત્યંત પ્રતિભાશાળી યુવા દિમાગ છે જેમણે આબોહવા સંકટ સામે લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ માત્ર એક મજબૂત અને આત્મનિર્ભર ભારત જ નહીં, પણ એક સુરક્ષિત અને સ્વસ્થ ગ્રહ બનાવવા માટે નિર્ણાયક ઉર્જા ઉકેલો ડિઝાઇન કરશે. ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્યના દરવાજે ઉભેલા સ્નાતક વિદ્યાર્થીઓને તેમણે સફળતા માટે કેટલાક મંત્રો આપ્યા: નિર્ભય બનો, મોટા સપના જુઓ પરંતુ શિસ્તબદ્ધ રહો, નવા જ્ઞાન માટે ઉત્સુક અને ભૂખ્યા રહો, સહાનુભૂતિ રાખો અને દેશભક્ત બનો. વિદ્યાર્થીઓને તેમના મૂળની યાદ અપાવતા તેમણે તેમના પરિવાર દ્વારા તેમના માટે કરેલા બલિદાનની પણ યાદ અપાવી હતી.