Home Blog Page 2293

સાઉથની મોટા બજેટની છ ફિલ્મો આપશે બોલીવૂડને પડકાર

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દિવસોમાં ઘણી હિટ ફિલ્મો આવી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને આવનારી ફિલ્મો ધમાલ માચાવવા તૈયાર છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત દક્ષિણની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો પર રૂ. 2135 કરોડ દાવ પર લાગ્યા છે.  આ ફિલ્મોના ટીઝર જોઈને ફેન્સ ઘણા એક્સાઇટેડ છે.

કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1

સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર મેકર્સે બહાર પાડ્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ છે. ‘કાંતારા’ રૂ. 15 કરોડમાં બની હતી અને 50 દિવસો સુધી થિયેટરોમાં લાગેલી હતી. આ ફિલ્મે રૂ. 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ રૂ. 125 કરોડમાં બન્યો છે અને દર્શકો આ ફિલ્મને જોવા ઉત્સાહિત છે.

પુષ્પાઃ ધ રૂલ

ફિલ્મદર્શકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને હવે બીજો ભાગ બની રહ્યો છે, જેનું બજેટ રૂ. 500 કરોડ છે, જ્યારે પહેલો ભાગ માત્ર રૂ. 60 કરોડમાં બની હતી.

કલ્કિ 289 AD

પ્રભાસની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ને અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું બજેટ રૂ. 700 કરોડ છે અને ફિલ્મમાં પ્રભાસ ફરી ભગવાનની ભૂમિકામાં દેખાશે. પ્રભાસ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારમાં દેખાશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન પણ છે.

સાલાર

પ્રભાસની જ બીજી ફિલ્મ ‘સાલાર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રૂ. 400 કરોડના ખર્ચે બની રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે શ્રુતિ હસન પણ છે. આ ફિલ્મ તેલુગુ અને કન્નડ ભાષામાં શૂટ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ છે.

કેપ્ટન મિલર

ધનુષ અને શિવા રાજકુમાર સ્ટારર ‘કેપ્ટન મિલર’ રિલીઝ માટે તૈયાર ફિલ્મ છે. જે 15 ડિસેમ્બરની આસપાસ રિલીઝ થશે. આ ફિલ્મ રૂ. 60 કરોડમાં બની છે. ધનુષ આ ફિલ્મમાં કેપ્ટન મિલરની ભૂમિકામાં છે.

કંગુવા

ફેન્સ સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ને લઈને ભારે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં દિશા પટ્ટણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ રૂ. 350 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે.

 

 

 

સેવા એટલે શું એ તમે જાણો છો?

મોટે ભાગે જે લોકો જવાબદારી લેતા હોય છે તેઓ પ્રાર્થના કરતા નથી અને જે લોકો પ્રાર્થના કરે છે તેઓ જવાબદારી લેતા નથી. આધ્યાત્મિકતા એકી સમયે એ બન્નેને સાથે લાવે છે. પ્રાર્થના અને જવાબદારીના સંયોજને દુનિયાભરમાં લાખો લોકોને વૈશ્વિક સ્તરે બીજાઓની પરવા કરવા, પોતાનું વહેંચવાની ભાવના રાખવા અને સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે.
સેવા અને આધ્યાત્મિક પ્રક્રિયાઓ સંકળાયેલા છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલી અન્યો સાથે વહેંચવાની ભાવના વધે છે. જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારો ઘણો વિકાસ થાય છે. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો ત્યારે તમને તમારે માટે ફાયદા મળે છે.

ખુબ બુધ્ધિશાળી વેપારીઓ સેવા કરે છે કારણ કે તેનાથી તેમને પુષ્કળ લાભ મળે છે. જો કોઈ વ્યક્તિ ખુશ છે તો સમજી લો કે તેમણે ભૂતકાળમાં ક્યારેક સેવા કરી છે. એનાથી વિરુદ્ધ,જો તમે અત્યારે ખુશ નથી તો સેવા કરો અને તેના ફાયદા મેળવો.એ ‘બેંક બેલેન્સ’ વધારવા સમાન છે. તમે જેટલું વધારે આપશો તેટલી તમને વધારે તાકાત મળશે. આપણે પોતાની જાતને જેટલી વધારે ખોલીશું તેટલો આપણી પાસે વધારે અવકાશ હશે, જેને ઈશ્વર ભરી દે છે.

આપણી પ્રથમ અને અગ્રીમ પ્રતિબધ્ધતા દુનિયામાં સેવા કરવી તે છે. જો તમે સેવાને જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવો છો તો તે તમારા ડરને નાબૂદ કરે છે,તમારા મનમાં એકાગ્રતા લાવે છે, કાર્યમાં યોગ્ય ઉદ્દેશ આવે છે અને દીર્ઘકાલીન ખુશી મળે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તે સમાજમાં સહજતા અને માનવીય મુલ્યોને પુનઃસ્થાપિત કરે છે,તથા તે ભય અનેે હતાશાથી મુક્ત સમાજની રચના કરવામાં સહાય કરે છે.

જો તમારામાં બીજાઓની સેવા અને સહાય કરવાની ઝંખના છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી;તમારું જીવન એ ઈશ્વર માટે કોઈ મોટી જવાબદારી નથી.તે તમારી બહુ સારી રીતે સંભાળ લઈ શકે છે.પૈસા માટે બહુ પરવા અને ચિંતા ના કરો. પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર રહો, પ્રેમમાં રહીને તમારામાંના ડરને નાબૂદ કરો.

સેવા હંમેશાં મોટા લાભ આપે છે. હતાશા સામે તે સૌથી અસરકારક હથિયાર છે. જે દિવસે તમને નિરાશ,હતાશ કે બદતર લાગે ત્યારે બહાર નીકળી અને લોકોને પૂછો કે ,”હું તમારે માટે શું કરી શકું છું?”જે સેવા તમે કરી છે તે તમારી અંદર એક ક્રાંતિ લાવશે. તે તમારી આખી ‘ગ્રામોફોન રેકોર્ડ’ બદલી નાંખશે. સેવા દુખને ચોક્કસ ઓછું કરી દેશે. જ્યારે તમે એવા પ્રશ્ન પૂછો છો કે શા માટે મારી સાથે જ આવું અથવા મારું શું થશે ત્યારે તમે હતાશ થાવ છો.  આધ્યાત્મિકતાનો અભાવ માણસોને હતાશામાં ધકેલે છે.

સેવા એટલે શું એ તમે જાણો છો?

સેવા એટલે ઈશ્વરની જેમ કરવું. ઈશ્વર કશી અપેક્ષા રાખતા નથી. જ્યારે તમે માત્ર કરવાનો આનંદ આવે છે એ માટે અને નહીં કે તેમાંથી કંઈક મેળવવાની આશા રાખીને, કંઈ કરો છો તો તેને સેવા કહેવાય.ઈશ્વર તો કશામાંથી આનંદ મેળવવાની પણ અપેક્ષા નથી રાખતા.કારણ કે તે પોતે જ આનંદરુપ છે.


આનંદ એ ચેતનાનો સ્વભાવ છે. માટે,જ્યારે તમે જે કંઈ કરો છો તેમાંથી તમને આનંદ મળે છે ત્યારે તે કાર્ય આનંદની અભિવ્યક્તિ બને છે.સેવા એ સામે કશું મળવાની અપેક્ષા રાખ્યા વગર કંઈક કરવું એ છે.આથી, તમે જેટલું વધારે કરશો તેટલો વધારે આનંદ મળશે.તમારી અંદર પ્રેમ જોવો એ ધ્યાન છે અને આજુબાજુના માણસમાં ઈશ્વર જોવા એ સેવા છે.લોકો ઘણીવાર ડરતા હોય છે કે જો તેઓ સેવા કરશે તો બીજા તેમનું શોષણ કરશે. માટે,ભાવનાશૂન્ય બન્યા વગર જાગૃત અને બુધ્ધિશાળી બનો. સેવાથી ઉત્કૃષ્ઠતા આવે છે;અને તેને લીધે તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો અને ધ્યાન તમારું સ્મિત પાછું લાવે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

વૈશ્વિક મિડિયાએ ઉત્તરકાશીમાં બચાવ મિશનની પ્રશંસા કરી

લંડનઃ વૈશ્વિક મિડિયાએ ઉત્તરકાશીમાં બચાવ અભિયાનની ભરપેટ પ્રશંસા કરી છે. ઉત્તરાખંડની સિલ્ક્યારા સુરંગમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 શ્રમિકોને સકુશળ કાઢવાના મિશનની વૈશ્વિક મિડિયાએ પ્રશંસા કરી છે અને આ બચાવ અભિયાનનું સીધું પ્રસારણ પણ પોતાના દેશોમાં કર્યું હતું.

BBCએ બચાવ અભિયાન પર નિયમિત અપડેટ આપતાં ન્યૂઝ કવર કર્યા હતા.  BBCએ એની વેબસાઇટ પર એક ફોટો અપલોડ કર્યો હતો, જેમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સુરંગમાંથી કાઢવામાં આવેલા પહેલા શ્રમિક સાથે મળતા દેખાય છે.CNNએ વિડિયો ફુટેજમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીને શ્રમિકોથી મળતા બતાવાયા હતા અને મજૂરોને સુરંગમાંથી બહાર નીકળતા બતાવાયા હતા. CNNએ કહ્યું હતું કે ખોદકામ માટેનાં મશીનો ખરાબ થઈ ગયા હતા અને કાટમાળમાં હાથોથી ખોદકામ કરવું પડ્યું હતું અને અન્ય જોખમી રીતોનો ઉપયોગ કરવો પડ્યો હતો.

અલ ઝઝીરા સમાચાર આપ્યા હતા કે 30 કિમી દૂર હોસ્પિટલમાં શ્રમિકોને લઈ જવા માટે સુરંગ પાસે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી. બ્રિટિશ દૈનિક ધ ગાર્જિયને સમાચાર આપ્યા હતા કે સિલ્ક્યારા સુરંગમાંથી શ્રમિકોને સ્ટ્રેચર પર બહાર કઢાયા હતા અને આ અભિયાનમાં કેટલી મુશ્કેલીઓ અને અડચણો આવી હતી. ન્યૂઝપેપરે રિપોર્ટમાં કહ્યું હતું કે માનવ શ્રમે મશીનરી પર વિજય પ્રાપ્ત કર્યો. લંડનના ટેલિગ્રાફે મુખ્ય સમાચારમાં કહ્યું હતું કે સેનાના એન્જિનિયરો અને ખાણિયાઓને બહાર કાઢવા કેવી રીતે રેટ હોલ ડ્રિલિંગ કર્યું હતું.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 79 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 79 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,886 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,298 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,297 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 291 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,506 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 103 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

નોટ આઉટ@ 91 : કપિલાબહેન ઠાકર

દિયર-નણંદ, તેમનાં બાળકો, પોતાનાં બાળકો, પતિની ઓફિસના મહેમાનો અને અન્ય સ્વજનોની સેવા-સુશ્રુષાને પોતાનો જીવન-ધર્મ બનાવી દીધો તેવાં કપિલાબહેન ઠાકરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ગંગાપુર-સીટી(મથુરા પાસે)માં જન્મ. પિતા રેલવેમાં સારી પોસ્ટ પર હતા એટલે બાળપણ સુખમાં ગયું. પપ્પાની બદલી થતી રહેતી. આગ્રાના ઘરમાંથી “તાજમહાલ” દેખાતો તે હજુ યાદ છે! થોડો સમય મોટાભાઈ સાથે સાબરમતી પાવર-હાઉસમાં રહી ફાઇનલ સુધી વનિતા-વિશ્રામમાં ભણ્યાં. મોટી-બહેન પોણા-બે વર્ષ જ મોટી એટલે જોડકાં-બહેનો લાગે! 14 વર્ષની ઉંમરે અકસ્માતમાં માતા ગુમાવી. નાના ભાઈની જવાબદારી તેમના ઉપર આવી પડી. મરતી ‘મા’ના શબ્દો હજુ યાદ છે: “હિંમત રાખીને રહેજે. હિંમતે મર્દા તો મદદે ખુદા!” નાંદોલના સામાન્ય કુટુંબના પુરષોત્તમભાઈની આવડત અને હોશિયારી પારખી પિતાએ 16 વર્ષના કપિલાબહેનના લગ્ન કર્યા. અમદાવાદ સ્વસ્તિક સોસાયટીમાં એક રૂમનું ઘર, ₹100નો પગાર, ₹35 ભાડું! છ દિયર, ત્રણ નણંદ વારાફરતી તેમની પાસે રહેતાં. તેમને શહેરની રહેણીકરણી શીખવાડી. પૈસાની કરકસર કરીને કુટુંબ-ભાવના અને સેવા-સુશ્રુષા જાળવ્યાં. કપિલાબહેન શહેરમાં રહેલાં. ગામડે જતાં ત્યારે નદીએ કપડાં ધોવા જતાં. કૂવામાંથી પાણી કાઢતાં હાથમાં ફોલ્લા પડી જતા. મોટી તકલીફ તો લોટે જવાની! પણ સમજદાર સાસુ વહેલી સવારે ફાનસ લઈ રૂપાળી વહુને લોટે લઈ જતાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ઊઠીને ભગવાનની પ્રાર્થના કરે. નાહી-ધોઈ પૂજાપાઠ કરે. બ્રહ્માકુમારીમાં માને, રોજ “મુરલી” વાંચે, શિવાનીજીને સાંભળે. પગ સબુત હતા ત્યારે રામકૃષ્ણ મંદિરમાં જતાં. ચાલવાનું ખૂબ ગમે. અત્યારે ત્રણે દીકરાઓ અમેરિકા છે, વારાફરતી આવતા રહે છે. તેમની સંભાળ રાખવા બે બહેનો જોડે રહે છે. બપોરે જમીને આરામ કરે. છાપાં, પુસ્તકો વાંચે. બાગ-કામ (કરે અને) કરાવે. આજે પણ તેમના બાગમાં એક પત્તુ આમતેમ પડ્યું ના હોય! બધાં છોડવાં સરસ ટ્રીમ કરેલાં હોય! 49 વર્ષે પતિનો સાથ ગુમાવ્યો. પતિ NTCમાં MD હતા.

શોખના વિષયો : 

ગીતો સરસ ગાય. “રાખનાં રમકડાં” તેમનું પ્રિય ગીત. ગરબા-દાંડિયા ગમે. ફિલ્મો જોવાનો, રસોઈનો, પત્તા રમવાનો અને નવું-નવું શીખવાનો શોખ! ગૃહ-વ્યવસ્થાની ગજબની આવડત! 25-30 દીકરીઓને તૈયાર કરી છે! જાપાની સિસ્ટમ “કાનબાન” અને “લીન ઓર્ગેનાઈઝેશન” પર તેમનો દીકરો અમેરિકામાં કન્સલ્ટન્સી કરે પણ તેના મૂળભૂત સિદ્ધાંતો તેઓ માતા પાસેથી શીખ્યા હતા: Everything On Its Place And Place For Everything!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

કોઈ મોટી બીમારી નથી, પણ બે-ત્રણ વાર ઘરમાં જ પડી ગયાં પછી વોકર લઈને ચાલે છે. છેલ્લી-વાર પડ્યાં ત્યારે તો લાગતું હતું “કપિલાબા ઊભાં નહીં થાય!” પણ સ્ટ્રોંગ વિલપાવર અને ભગવાનની ભક્તિને લીધે ઊભાં થઈ ગયાં!

યાદગાર પ્રસંગ:  

ભારતનાં ચાર-ધામની યાત્રા, અમેરિકાની સફર, સેંટ-લુઈસની આર્ચ, નાયગ્રા-ધોધ, ડીઝની-વર્લ્ડ, યુનિવર્સલ-સ્ટુડિયો, નાસાના સ્ટુડિયોમાં ચંદ્રયાનની વિડીઓ…. 3 પૌત્રોનાં લગ્નમાં હાજરી આપી. પૌત્ર અનંતના લગ્નની સ્પીચ હજુ લોકો યાદ કરે છે! પોતાના સૌથી નાના દીકરાના લગ્નમાં અમેરિકાથી ધોળિયા મહેમાનો અમદાવાદ આવ્યાં હતાં, ભાષાની તકલીફ વિના 15 દિવસ મહેમાનગતિ માણી હતી. એક મહેમાનની હાઈટ સાડા-છ ફૂટની હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?: 

તેમની યુવાનીમાં ગેસ અને કુકર વાપરવા પણ નવી ટેકનોલોજી હતી! હિસાબ લખતાં, બેંકમાંથી પૈસા ઉપાડતાં, મની-ઓર્ડર કરતાં! આજે સ્માર્ટફોન વાપરે છે! વિડીયો-કોલ પર પ્રપૌત્રો સાથે અમેરિકા વાત કરે છે. જરૂરી અંગ્રેજી શબ્દો શીખી ગયાં છે જેથી બાળકો તેમની સાથે કનેક્ટ કરી શકે! ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે. તેનાથી ચોથી-પેઢી જોઈ શકાય છે,  તેમની સાથે વાતો કરી શકાય છે. GOOGLE-MAPથી ચોક્કસ જગ્યાએ પહોંચી જવાય છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ આત્મીયતા ઘટી ગઈ છે. લોકો રૂબરૂ મળવા ઓછું આવે, whatsapp મેસેજથી કામ પતાવી દે! દિવાળીમાં સબરસ અપવા ક્યાં કોઈ આવે છે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બંને બાજુના કુટુંબમાં તેઓ આજે સૌથી મોટાં છે. બધાં તેમને “મોટી-બા” કહે છે. નાનાં બાળકો સાથે બાળક થઈને અને વડીલો સાથે વડીલ થઈને વાત કરે છે જેથી બધાંનાં પ્રિય છે! તેઓ અમેરિકા હતાં ત્યારે બાળકો સાથે શાળાએ જતાં અને  તેમની સાથે રમતો રમતાં. આજે પણ  અમેરિકન-પ્રપૌત્રો સાથે નિયમિત વાતો કરે છે!

સંદેશો :  

પ્રસન્ન-ચિત્ત રહેવું, પ્રશ્ન-ચિત્ત નહીં! કેમ કર્યું, શું કર્યું, શેના માટે કર્યું એવા પ્રશ્નોથી દૂર રહેવું. જિંદગીની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવો. કુટુંબ-પ્રેમ રાખવો. કુટુંબીઓને મદદ કરવી.

 

હેડ કોચ તરીકે ચાલુ રહેવાની દ્રવિડને ક્રિકેટ બોર્ડની ઓફર

મુંબઈઃ સાતત્ય જાળવી રાખવાના અભિગમ પર ભાર મૂકીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રાહુલ દ્રવિડને રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકેની મુદત લંબાવી આપવાની ઓફર કરી હોવાનો એક અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સમાપ્ત થતાં જ હેડ કોચ તરીકે દ્રવિડનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. ઈએસપીએન-ક્રિકઈન્ફોના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, રાહુલ દ્રવિડે બીસીસીઆઈની ઓફરનો સ્વીકાર કર્યો છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી.

જો દ્રવિડ ઓફરનો સ્વીકાર કરશે તો બીજી મુદતમાં એમની પહેલી કોચિંગ કામગીરી ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની રહેશે. આ પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવાનો છે, જેમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન-ડે ઈન્ટરનેશલ અને બે ટેસ્ટ મેચોની શ્રેણીઓ રમશે. આ પ્રવાસ બાદ ભારતીય ટીમ જાન્યુઆરીમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યારબાદ જૂનમાં T20I વર્લ્ડ કપ રમાશે. દ્રવિડે 2021માં T20 વર્લ્ડ કપ સ્પર્ધા બાદ રવિ શાસ્ત્રી પાસેથી હેડ કોચ પદ મેળવ્યું હતું.

‘ભારત ગૌરવ’ ટ્રેનમાં 40 પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું

પુણેઃ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ પર્યટક ટ્રેનમાં 40 પ્રવાસીઓની તબિયત અચાનક બગડી ગયાની ગઈ કાલે રાતે ઘટના બની હતી. એમને ખોરાકી ઝેર ચડ્યું હતું અને પુણે રેલવે સ્ટેશન પર જ એમને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ એ તમામ પ્રવાસીઓને સારવાર માટે સસૂન હોસ્પિટલમાં લઈ જવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. સસૂન હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તમામ 40 પ્રવાસીઓની તબિયત સ્થિર છે.

(ફાઈલ તસવીર)

એવો અહેવાલ છે કે, ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ એક્સપ્રેસ ટ્રેનના અનેક પ્રવાસીઓની તબિયત અચાનક બગડી ગઈ હતી. એમને ઉલટીઓ થઈ હતી. ટ્રેન પુણે સ્ટેશને પહોંચે એ પહેલાં જ રેલવે તંત્રએ સ્ટેશનના સંચાલકોને તેની જાણ કરી દીધી હતી. તેથી ટ્રેન પહોંચી એ પહેલા જ સસૂન હોસ્પિટલમાંથી એક મેડિકલ ટીમ સ્ટેશન પર પહોંચી હતી. મધરાતે ટ્રેન સ્ટેશને આવી પહોંચ્યા બાદ બીમાર પડી ગયેલા પ્રવાસીઓને સ્ટેશન પર જ તાત્કાલિક તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. કેટલાક પ્રવાસીઓને ઓક્સીજન પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એમને સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમનો પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો. એમની હાલત સ્થિર હોવાથી એમને દાખલ કરવાની જરૂર પડી નહોતી.

એવી શંકા છે કે આ પ્રવાસીઓને ટ્રેનમાં ખોરાકી ઝેર ચડ્યું હતું. આ મામલે રેલવે વહીવટીતંત્રએ તપાસનો આદેશ આપ્યો છે. ટ્રેનોમાં પીરસવામાં આવતા ભોજન અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા વિશે કાયમ સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. લાંબા અંતરની ટ્રેનોમાં ખાનપાન સુવિધા, પેન્ટ્રી કાર કાઢી નાખવામાં આવી હોવાથી હવે પ્રવાસીઓને તાજું ભોજન મળતું નથી. તેથી પ્રવાસીઓને સફર દરમિયાન આવતા સ્ટેશનો પરથી જે મળે તે ભોજન ખાઈ લેવું પડે છે. તે ભોજનની ગુણવત્તા ઘણી વાર સારી નથી હોતી. ભારત ગૌરવ ટ્રેન જેવી ઘટના ભવિષ્યમાં ફરી બની શકે છે તેથી રેલવે તંત્રએ ટ્રેનોમાં પેન્ટ્રી કાર સુવિધા ફરી શરૂ કરવી પડશે એવી માગણી રેલવે પ્રવાસી સંઘનાં અધ્યક્ષા હર્ષા શાહે કરી છે.

 

 

વાહ ભાઈ વાહ! – ૨૯ નવેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૯ નવેમ્બર, ૨૦૨૩

૨૯ નવેમ્બર, ૨૦૨૩

૨૯ નવેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 29/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.