Home Blog Page 2310

‘ભારતમાં ઘૂસી આવેલા કેટલાક આતંકવાદીઓ નિવૃત્ત પાકિસ્તાની સૈનિકો છે’

શ્રીનગરઃ ભારતીય સેનાની ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી સરહદ પાર કરીને જે આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે એમાંના કેટલાક પાકિસ્તાની સેનાના નિવૃત્ત સૈનિકો છે.

રાજૌરીમાં આતંકવાદીઓ સાથે થયેલા અથડામણમાં શહીદ થયેલા ભારતીય સેનાના પાંચ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘અથડામણમાં આપણા પાંચ જવાન શહીદ થયા એનું દુઃખ છે, પણ અમે બે ખૂંખાર આતંકવાદીઓને ખતમ કર્યા છે. આતંકવાદીઓ ઓટોમેટિક શસ્ત્રો વડે સજ્જ હતા અને ઘણી તાલીમ પામેલા હતા. એમને પોતાની સલામતીની પણ કોઈ પરવા નહોતી. અમારો અંદાજ છે કે પાકિસ્તાનમાંથી 20-25 આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે. અમે સ્થાનિક લોકોની મદદ સાથે પરિસ્થિતિ પર અંકુશ મેળવી લઈશું. ખતમ કરી દેવાયેલા બંને આતંકવાદીઓએ દાંગડી, કન્ડી, રાજૌરી વિસ્તારોમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. અમે એમને ખતમ તો કરી શક્યા, પણ ઘણો સમય લાગી ગયો, કારણ કે એ બંને જણ તાલીમબદ્ધ હતા. આપણા જવાનોએ એમની સામે લડવામાં ઘણી હિંમત બતાવી હતી.’

અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં એમ્બેસી કાયમ માટે બંધ કરી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં પોતાની એમ્બેસી કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાના ડિપ્લોમેટિક મિશને નિવેદન જારી કરીને આની માહિતી આપી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હીમાં એમ્બેસી બંધ કરવાનો નિર્ણય આજથી અમલમાં આવી ગયો છે.

અફઘાનિસ્તાનનું કહેવું છે કે એને ભારત તરફથી સતત પડકારો મળી રહી છે. એમ્બેસીએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન એમ્બેસીને સતત પડકારો મળવાને કારણે 23 નવેમ્બર, 2023થી નવી દિલ્હીમાં રાજકીય મિશનને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

એમ્બેસી બંધ કરવાનું કારણ 30 સપ્ટેમ્બરે જ એની કામગીરી બંધ કરી દીધી હતી. ત્યાર બાદ એને ભારત સરકાર તરફથી કોઈ સહયોગ નહોતો મળ્યો. વિયેના કન્વેશન 1961 મુજબ ભારત સરકાર પાસે માગ કરવામાં આવી હતી કે એમ્બેસીની સંપત્તિ, બેન્ક એકાઉન્ટ, વાહનો અને અન્ય સંપત્તિઓની કસ્ટડી તેમને આપવામાં આવે, એમ અફઘાનિસ્તાને કહ્યું હતું.

અમારું માનવું છે કે ભારતમાં મિશનને બંધ કરવા અને મિશનના સંરક્ષક અધિકારને યજમાન દેશમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય અફઘાનિસ્તાનના હિતમાં છે. છેલ્લા બેછી અઢી વર્ષમાં ભારતમાં અફઘાની લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે અને ઓગસ્ટ, 2021માં એ આંકડો અડધો થઈ ગયો છે. વળી, આ દરમ્યાન બહુ ઓછી સંખ્યામાં નવા વિસા જારી કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વેપારીઓ દેશ છોડીને જઈ રહ્યા છે.ઓગસ્ટ, 2021 પછી એ સંખ્યા આશરે અડધી થઈ ગઈ છે. ભારતમાં અફઘાનિસ્તાનના ઇન્ચાર્જ એમ્બેસડર ફરીદ મામુદજઈ હતા, પણ તેમની નિમણૂક અફઘાનિસસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી થઈ એ પહેલાં થઈ હતી.

 

 

 

 

આપણે ઈચ્છાઓની ઉપેક્ષા કરીએ, તેને ઉત્પન્ન થતા જ દબાવી દઈએ

ઈચ્છા પ્રાપ્તિ મનને થોડા સમય માટે શાંતિ તથા તૃપ્તિ નો અનુભવ કરાવે છે. ત્યાર બાદ મનુષ્યમાં એક બીજી ઈચ્છા જાગૃત થાય છે. ઈચ્છા પૂરી કરવા માટે તે એવી રીતે લાગી જાય છે કે અગાઉની ઈચ્છા પૂર્તિ દ્વારા પ્રાપ્ત થયેલ શાંતિ તથા તૃપ્તિ લગભગ સમાપ્ત થઈ જાય છે. ઈચ્છા પ્રાપ્તિ માટે મનને આખું વર્ષ ભટકાવ્યું અને સુખની પ્રાપ્તિ કરી થોડા સમય માટે. ત્યારબાદ અભાવ નો ભાવ મનમાં ફરીથી જાગૃત થાય છે.

લલચાયેલ મન નવી ઈચ્છા રુપી ફુલનો રસ ચુસવા માટે ફરીથી ઉડવા લાગે છે. એવી રીતે આ પ્રક્રિયા જીવનભર ચાલતી રહે છે. ઈચ્છાઓની પૂર્તિ કરતા કરતા જીવનની જ્યોતિજ બુઝાઈ જાય છે. ઈચ્છાઓના મોહમાં આંધળો બનેલ મનુષ્ય અજ્ઞાન રૂપી કીચડ ને સમજી ન શકવાના કારણે તેમાં પગ રાખે છે અને ડુબતો જાય છે. મનુષ્ય ઈચ્છાઓનો ગુલામ બની જાય છે. તે ભગવાન કે માનવ જાતિના કલ્યાણ માટે વિચારતો નથી. તે સુખના ખોટા દિલાસા માં રહે છે. આત્માની શક્તિ, ખુશી તથા શક્તિ રૂપી ગુણો નું સારું ફળ તેને દૂર દૂર સુધી નજર નથી આવતું. અતૃપ્તિ તથા નિરાશાના ઘોર અંધકારમાં ભટકવું જ તેની ટેવ બની જાય છે.

સારુ તેજ છે કે આપણે ઈચ્છાઓની ઉપેક્ષા કરીએ. તેને ઉત્પન્ન થતા જ દબાવી દઈએ. થોડી વિશાળ દ્રષ્ટિ રાખીને અધ્યાત્મિક જ્ઞાન ને સામે રાખીને વિચારીએ કે આપણું આ મનુષ્ય જીવન ફક્ત ઈચ્છાઓ પૂરી કરવા માટે તથા કર્મ-ઇન્દ્રિયોની વાસના યુક્ત તરસ મીટાવવા માટે જ નથી. વાસ્તવમાં આપણે જીવનની ઉર્જાને જે સાધનો ઉપલબ્ધ છે તેનાથી સંતોષ મેળવવામાં લગાવવામાં આવે. સાધનો વધવાની સાથે સંતોષ પણ વધે તેનું ધ્યાન રાખીએ. આધ્યાત્મિક માર્ગ પર ચાલવામાં કેટલુંક સહન કરવું પડશે, સાંભળવું પણ પડશે. તેની તૈયારી રાખીએ. શરૂઆતમાં ઘણા લોકો દ્વારા મશ્કરી નો પણ ભોગ બનવું પડશે પરંતુ બાદમાં વિશાળ સમૂહ આપને અનુસરવા માંડશે.

ભક્તિ માર્ગમાં મનુષ્ય દ્વારા યથા શક્તિ વસ્તુઓ તથા સંપત્તિ ભગવાન ઉપર ચઢાવવામાં આવે છે. પરંતુ એનાથી આંતરિક ઈચ્છાઓ વધતી ગઈ. ભગવાન પ્રત્યે સંપત્તિ અર્પણ કરવાની સાથે તેનાથી અનેક ઘણી પ્રાપ્તિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના ચક્રમાં મનુષ્ય છેલ્લા 63 જન્મથી ફસાતો આવેલ છે. અત્યારે સુંદર સમય છે ભગવાન ઉપર ઈચ્છાઓને અર્પણ કરવાનો. આ માટે સરળ ઉપાય છે દરરોજ મનમાં ઉત્પન્ન થવા વાળી ઈચ્છાઓને એક કાગળ માં લખીએ ભગવાનને કહીએ કે આજે આપના ગળામાં મારી ઈચ્છાઓ નો હાર પહેરાવી રહેલ છું. આમ કરવાથી મનમાં ઉત્પન્ન થવા વાળી ઈચ્છાઓ સમાપ્ત થઈ જશે.

ઘણા એમ પણ કહે છે કે જો ઈચ્છાઓજ નહીં હોય તો પ્રગતિ કેવી રીતે થશે? ઈચ્છાઓ વગર મનુષ્યનું જીવન રોકાઈ જશે. અહીંયા અમારું કહેવું છે કે પ્રગતિની શરૂઆત આત્માની ઉન્નતિ સાથે થાય છે. ઈચ્છાઓ રૂપી પથ્થરોના ભાર નીચે મનુષ્ય પોતાના આત્મિક વિકાસ માટે વિચારી જક નથી શકતો. આંતરિક વિકાસ વગર બહારના વિકાસના તમામ પ્રયત્નો અધૂરા છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પોલ્યુશન રિસ્પોન્સ અભ્યાસ શરૂ કર્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રાજયના કચ્છની ખાડીના વાડીનારમાં બે દિવસીય નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ (NATPOLREX-IX) – અભ્યાસ શરૂ કર્યો છે, આ અભ્યાસ શનિવારે પૂરો થશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા વાડીનાર તટથી દૂર આ અભ્યાસ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમુદ્ધી પ્રદૂષણ પ્રતિક્રિયા તંત્રના વિવિધ પાસાંઓનું પરીક્ષણ કરે છે, જે કોઈ પણ સમુદ્રી લીકેજને લીધે થતા પ્રદૂષણ આકસ્મિકતાઓને પહોંચી વળવા માટે સંસાધનની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરે છે.

ડિરેક્ટર જનરલ રાકેશ પાલ અને અન્ય સિનિયર અધિકારીઓ પણ સમુદ્રમાં થતા પ્રદૂષણ સામે લડવા માટે જવાબદાર સ્ટેકહોલ્ડરોની સાથે અભ્યાસમાં ભઆગ લઈ રહ્યા છે.ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે હાલમાં જ દરિયાકિનારાની સુરક્ષા –સાગર કવચ માટે 21-23 નવેમ્બરે સમીક્ષા કરવા માટે અને આંદામાન અને નિકોબારની સુરક્ષા માટે અભ્યાસનું આયોજન કર્યું હતું.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગયા વર્ષ 19-20 એપ્રિલે મોર્મુગાઓ, હાર્બર, ગોવામાં નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝની આઠમી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેનો કોડનેમ NATPOLREX-VIII હતું.નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝની આઠમી આવૃત્તિમાં 50 એજન્સીઓઓના 85થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં 22 દેશોના 29 વિદેશી ઓબ્ઝર્વર્સ હતા તેમ જ એમાં શ્રીલંકા અને બંગલાદેશના બે કોસ્ટ ગાર્ડ શિપ પણ સામેલ હતા.

 

 

કોરાનાના 26 નવા કેસો, બેનાં મોત    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,655 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,297 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,153 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 215 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,117 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 98 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

તેરા નામ, મેરા નામ…

અમારા એક પત્રકારમિત્ર છે. ઈન ફૅક્ટ, બહુ સિનિયર એન્ટરટેન્મેન્ટ જર્નલિસ્ટ છેઃ જ્યોતિ વેન્કટેશ. એમનાં પત્નીનું નામ પણ જ્યોતિ છે. વન્સ અપોન અ ટાઈમ, ભાઈ જ્યોતિ સાથે આ સરખાં નામ વિશે વાત થયેલી તો એ કહે લગ્ન પછી મારા ઘરે કે મારા સાસરામાં જ્યોતિ હાંક પડે એટલે અમે બન્ને દોડતાં. હમણાં જ રજનીકાંતની ‘જેલર’ (તમિળ) રિલીઝ થઈ. સંયોગથી આ જ નામની ફિલ્મ મલયાલમમાં બની. એ પણ સેમ ડે રિલીઝ થવાની હતી. પછી એકસરખાં શીર્ષકની લડાઈ કોર્ટ સુધી પહોંચી. જો કે મલયાલમ સર્જકોએ પોતાની ફિલ્મની રિલીઝ થોડી પાછળ ઠેલી, કારણ કે રજનીસરની ફિલ્મ રિલીઝ થાય ત્યારે કયો થિએટરવાળો મલયાલમ નિર્માતા-દિગ્દર્શકને સ્ક્રીન આપે? કહે છે કે બન્ને ફિલ્મે સારો વકરો કર્યો.

ગુડ. એકસરખાં નામ ધરાવતી ફિલ્મનો ક્લાસિક કિસ્સો પાંચેક દાયકા પહેલાં બનેલો ને ખૂબ ગાજેલો. 20 નવેમ્બર, 1970ના દિવસે દેવ આનંદની ‘જૉની મેરા નામ’ રિલીઝ થયેલી. આના એકાદ મહિના બાદ શોમૅન રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ આવી. નવેમ્બર-ડિસેમ્બરના ગાળામાં રિલીઝ થયેલી આ બે ફિલ્મનાં શીર્ષકમાં આવતા ‘મેરા નામ’નો તે વખતે મોટો વિવાદ થયેલો.

દેવ આનંદ-હેમામાલિની-પ્રાણને ચમકાવતી ‘જૉની મેરા નામ’ના નિર્માતા ગુલશન રાય મૂળ ફિલ્મ-ડિસ્ટ્રિબ્યૂટર અને ફાઈનાન્સર હતા. પ્રોડ્યુસર તરીકે આ એમની પહેલી જ ફિલ્મ. પીઢ પત્રકાર, લેખક બની રુબેને એમને શીર્ષકમાં ‘મેરા નામ’ રાખવા વિશે પૂછ્યું તો એમનો જવાબ હતોઃ “મેં રાખ્યું જ નહોતું. અમારા રાઈટર કે.એ. નારાયણે મને કથા-પટકથા મોકલી ત્યારે ટાઈટલ ટાઈપ કરેલું જ હતું- ‘જૉની મેરા નામ’. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ પાંચ-છ વર્ષથી બની રહી હતી. લેખકે એમાંથી પ્રેરણા લીધી હોય તો મને ખબર નથી.”

બન્યું એવું કે ગુલશન રાયની ફિલ્મની જાહેરાત થતાં ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો. એમાં બન્ને કૅમ્પના અમુક ચમચાએ બન્ને સર્જકનાં મગજમાં એટલું ઝેર ભરી દીધું હતું કે ગુલશન રાય માટે શીર્ષક બદલવું ઈગો પ્રોબ્લેમ થઈ પડ્યો. જો કે એ બની રુબેન આગળ કબૂલે છે કે “રાજ સાહેબે મને કહ્યું હોત તો મેં શીર્ષક બદલી કાઢ્યું હોત, પણ એમના તરફથી આ માટે કોઈ પ્રયાસ થયા નહીં”.

ઑલમોસ્ટ સરખાં શીર્ષક રાખવાના ટેન્શન વચ્ચે બન્ને નિર્માતા સામે નવી સમસ્યા આવીઃ તોતિંગ બજેટવાળી ‘મેરા નામ જોકર’ના રફ-કટ્સ જોઈને રાજ કપૂરને ખ્યાલ આવી ગયો કે શીર્ષક જોઈને ફિલ્મ જોવા આવનાર પ્રેક્ષક નિરાશ થાય એ હદે ગંભીર ફિલ્મ બની ગઈ છે. એમણે પારસી નાટ્યકર્મી અદી મર્ઝબાનને ફિલ્મના રફ-કટ્સ બતાડી એમાં કૉમિક સિચ્યુએશન્સ ઉમેરવા રિક્વેસ્ટ કરી.

આ બાજુ ગુલશન રાયને ‘જૉની મેરા નામ’ની ક્લાઈમૅક્સ ન ગમી. એમણે ડિરેક્ટર વિજય આનંદ ‘ગોલ્ડી’ને નવેસરથી ક્લાઈમૅક્સ શૂટ કરવા કહ્યું. ગોલ્ડીએ કહી દીધું, “સૉરી. નૉટ પૉસિબલ. જેમ છે એમ જ રહેશે. ” મૂંઝાયેલા ગુલશને હીરો દેવ આનંદને મધ્યસ્થી કરવા સમજાવ્યા. દેવ સાહેબે છોટે ભૈય્યાને લૉજિકલી વાત સમજાવી. કચવાતા મને ગોલ્ડીએ નવો ક્લાઈમૅક્સ લખ્યો ને શૂટ કર્યો.

20 નવેમ્બર, 1970ના રોજ  ‘જૉની મેરા નામ’ રિલીઝ થઈઃ બચપનમાં બિછડેલા બે ભાઈ, એક સ્મગલર, એક જેમ્સ બૉન્ડ જેવો પોલીસ, હીરાની હેરાફેરી, મારામારી, આઈ.એસ. જોહરના ત્રણ કોમિક રોલ, કલ્યાણજી-આણંદજીનું મ્યુઝિક. ફિલ્મ સુપરડુપર હિટ. ગુલશન રાય અને એમની ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’નો જયજયકાર થઈ ગયો. ક્લાઈમૅક્સ બદલવાની વાત પછી ગોલ્ડીએ ગુલશન રાય સાથે લીધેલા અબોલા ફિલ્મ રિલીઝ થઈને સુપરહિટ ડિક્લેર થઈ પછી તૂટ્યા.

આ તરફ ‘મેરા નામ જોકર’ વિશે સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્કંઠા હતી. મુંબઈના એક થિએટરના બૂકિંગ ક્લર્કે એની સંપૂર્ણ બચત, લગભગ પચીસ હજાર રૂપિયા, બૅન્કમાંથી ઉપાડીને ‘મેરા નામ જોકર’ની ટિકિટો ખરીદી લીધેલી. એને એમ કે બ્લૅકમાં વેચીશું તો ડબલ-ટ્રિબલ થઈ જશે. 1970ના ડિસેમ્બરમાં ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ. પબ્લિકની અપેક્ષાથી સાવ અલગ પ્રકારની ફિલ્મ પહેલા-બીજા શોમાં પટકાઈ ગઈ. એમાં વળી કોઈએ રાજ કપૂરની કાનભંભેરણી કરીઃ “આ બધું ગુલશન રાયનું કર્યુંકારવ્યું છે. એમણે ફિલ્મની ટિકિટો કૉર્નર કરીને મફતમાં વહેંચે છે, એમ કહીને કે બકવાસ ફિલ્મ છે.”

(‘મેરા નામ’ કોન્ટ્રોવર્સીનાં વર્ષો બાદ ફરી દોસ્તદાર બની ગયેલા રાજ કપૂર-ગુલશન રાયની તસવીર સૌજન્ય ઉમેશ વ્યાસ અને બની રુબેન).

મેરા નામ જોકર ફ્લૉપ ડિક્લેર થઈ તે પછી એક પાર્ટીમાં રાજ કપૂરે નિર્માતા ગુલશન રાયને બધાની દેખતાં ઘઘલાવેલા. બિચારા ગુલશન ચૂપચાપ સાંભળતા રહ્યા. બીજા દિવસે સવારે રણધીર કપૂરે ફોન કરીને પપ્પાના ગુસ્સા બદલ માફી માગી લીધી.

ગુલશન રાયે તે વખતે કહેલું કે “ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે ટિકિટો કૉર્નર કરવા જેવું કૃત્ય હું ક્યારેય ન કરું.” 2004માં એંસી વર્ષની વયે ગુલશન રાયનું અવસાન થયું તે પહેલાં ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ એમના બેટા રાજીવ રાયે સંભાળી લીધેલી અને ‘યુદ્ધ’, ‘ત્રિદેવ’, ‘વિશ્વાત્મા’, ‘મોહરા’, ‘ગુપ્ત’ જેવી ફિલ્મો બનાવી.

ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાર-દિવસના યુદ્ધવિરામનો આજથી આરંભ

તેલઅવીવઃ ઈઝરાયલ અને ગાઝા સ્ટ્રીપ પર અંકુશ ધરાવનાર હમાસ ઉગ્રવાદી જૂથ વચ્ચે ચાર-દિવસના યુદ્ધવિરામનો આજે સવારથી આરંભ કરવામાં કરાશે. બંને વચ્ચે ગઈ 7 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધવિરામ માટે બંને પક્ષે એક સમજૂતી પર સહમતી સાધી છે. તે અનુસાર, હમાસ ઉગ્રવાદીઓ ગાઝા સિટીમાં બંધક બનાવેલા 150 ઈઝરાયલી નાગરિકોમાંથી પહેલા બેચમાં 13 મહિલાઓ અને બાળકોને આજે છૂટા કરશે. હમાસ ઉગ્રવાદીઓએ આ 13 જણનું ગયા મહિને ઈઝરાયલમાંથી અપહરણ કર્યું હતું. ચાર દિવસના યુદ્ધવિરામ દરમિયાન હમાસ કુલ 50 બંધકોને મુક્ત કરશે. બીજી બાજુ, ઈઝરાયલ તેની જેલોમાં પૂરેલા 150 પેલેસ્ટીનિયન લોકોને છોડશે.

કતર દેશના વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, યુદ્ધવિરામ સ્થાનિક સમય મુજબ આજે સવારે 7 વાગ્યાથી (ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી) અમલમાં આવશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધને કારણે બંને પક્ષે નિર્દોષ નાગરિકોની મોટા પાયે જાનહાનિ થઈ છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ નવેમ્બર, ૨૦૨૩

૨૪ નવેમ્બર, ૨૦૨૩

Chitralekha Gujarati – December 04, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.